Friday, October 18, 2019


વિસ્મૃતિ
                                                                                         ઘડપણમાં વર્ષો  જતા ઘણા વૃદ્ધોને  વિસ્મૃતિનો  રોગ લાગુ પડે છે  અને  કેટલીકવાર  તો  એવો સમય પણ આવે છેકે  લોકોને ઓળખવામાં પણ મુશ્કેલી પડે છે. અંગ્રેજીમાં એને ડિમેન્સિયા  અને છેલ્લે એક ભયજનક રોગમાં પરિણમે છે જેને અલ્ઝેમર  તરીકે ઓળખવામાં આવે છે. એમાં માનવી દુનિયામાં એનું અસ્તિત્વ ગુમાવી દે છે.  તે છતાં માનવી વૃદ્ધ અવસ્થામાં થોડી પ્રવૃતિઓ ચાલુ રાખે તો ઘણીવાર દર્દમય અવસ્થામાંથી બચી શકાય છે. પશ્ચિમી  દેશોમાં વિસ્મૃતિના રોગોનું પ્રમાણ વધારે છે કારણકે ઘણા લોકો એકદમ પ્રવૃતિમય  જીવનમાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવૃત્તિવિહીન  પરિસ્થિતિમાં આવી પડે છે. પૂર્વ અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન પણ તેમના આખરી દિવસોમાં અલ્ઝેમર રોગથી પીડાઈને મૃત્યુને  ભેટયા હતા. આવા ભયજનક રોગ માટે ઘણીવાર શારીરિક ઉણપો પણ  જવાબદાર હોયછે પરંતુ વિસ્મૃતિના ભયાનક રોગોને ટાળી પણ શકાય છે જેના માટે વૃદ્ધ અવસ્થામાં અમુક પ્રવૃતિઓ કરવી આવશ્યક છે.

                                                                                      નિવૃત્તિ સમય દરમિયાન  વૃદ્ધ અવસ્થામાં  લોકસેવા  કરતી પ્રવૃત્તિમાં ભાગ લઇ માનસિક રીતે મગજને પવૃત્તિમય રાખી શકાય છે.  વૃદ્ધો પોતાના શોખો જેવાકે સંગીત , લેખન , નાટક , ફિલ્મો , ચિત્રકામ , નૃત્ય વગેરેમાં  ભાગ લઇ પોતાને માનસિક રીતે પ્રવૃતિમય  રાખી શકે છે. આવી પ્રવૃતિઓ પણ માનવીને માનસિક રીતે  તંદુરસ્ત  રાખી શકે છે.
                                                                         બગીચામાં થોડો સમય કામ કરવાથી પણ સારો એવો  ફાયદો માનસિક રીતે થઇ શકે છે. સવાર સાંજ દિવસના ૧૫ મિનિટ ચાલવાથી મન અને શરીર બંને પ્રફૂલ્લિત થાય છે . નિયમિત વાંચન , જુદી જુદી રમતો રમવાથી અને નવી ભાષાઓ શીખવાથી મગજને સારીએવી કસરત મળે છે.
                                                                         શાસ્ત્રીય સંગીત સાંભળવાથી  અને  મ્યુઝિકલ વાજિંત્રો શીખવાથી પણ માનસિક તંદુરસ્તી વધે છે.  પ્રવાસો મનુષ્યને    માનસિક અને શારીરિક રીતે પ્રફૂલ્લિત  રાખે છે. તે ઉપરાંત રાત્રે   પૂરતી  નિદ્રા અને  દિવસ દરમિયાન  પ્રાર્થના  અને ધ્યાન કરવું પણ આવશ્યક છે.
                                                                         કેટલાક  ભયજનક રોગોને વૃદ્ધ  અવસ્થામાં  આપ  પ્રયત્નો દ્વારા દૂર રાખી શકાય એના માટે પ્રયત્નો ચાલુ  હોવા  જોઈએ.
                                       ****************************************************           
       

Wednesday, October 9, 2019


બિલ ગેટ્સ કરતા પણ ધનવાન લોક
                                                     એકવાર બિલ ગેટ્સ ને  કોઈએ પૂછ્યું  કે' તમારાથી પણ કોઈ ધનવાન આ વિશ્વમાં છે'?   ' છે ' તેમણે જવાબ આપ્યો હતો , અને એમણે એક દાખલો પણ આપ્યો હતો જેણે બધાને વિચાર કરતા કરી મુક્યા.
                                                     તેમણે કહ્યું જ્યારે હું સાંમાન્ય માણસ તરિકે ફરતો હતો ત્યારે ન્યૂયોર્ક એરપોર્ટ પર એક ન્યૂઝ પેપર  વેચનાર પાસે છાપું ખરીદવા ગયો અને છાપું ઉપાડ્યું પણ ખરું.  પૈસા આપવા ગજવામાં હાથ નાખ્યો તો છુટા પૈસા જ ન હતા. એટલે મે છાપું પાછું મૂકી દીધું . પેલા ન્યૂઝપેપર  વિક્રેતાએ એ  કહ્યું 'સાહેબ  છાપું લઇ લો.. છુટા પૈસા નથી તો કઈ વાંધો નથી. હું તમને મફતમાં આપું છું. હું તમને છાપુ મફત મારા નફામાંથી આપું છું.' બિલ ગેટ્સએ  ચુપચાપ છાપું લઇ લીધું. ત્યાર બાદ બીજા  બે ત્રણ મહિના બાદ એજ એરપોર્ટ પર એજ  છાપાવાળાનો બીજી વખત મુલાકાત થઇ ત્યારે પણ બિલ ગેટ્સ પાસે છાપા માટે છુટા પૈસા ન હતા અને પેલા છાપાંવાળાએ તેમણે છાપું  મફત આપી દીધું.
                                                    એ વાતને ૧૯  વર્ષોવીતી ગયા બિલ ગેટ્સ દુનિયાના પૈસાદારમાં  પૈસાદાર માણસ થઇ ચુક્યા હતા અને વિશ્વમાં જાણીતા બની ચુક્યા હતા'  પરંતુ એમને પેલા છાપા વાળાની  યાદ હજુ હતી જેણે એને મફતમાં વર્તમાનપત્રો  આપ્યા હતા. તેમણે 'ગૂગલ ઇમેજ સર્ચ' દ્વારા પેલા વર્તમાનપત્ર વેચનારને  શોધી કાઢ્યો.
                                                      તેને પૂછ્યું ' તું મને ઓળખે છે?' તે મને મફતમાં ન્યૂઝપેપરઓ  આપ્યા હતા. તેણે તરત જ કહ્યું 'હું તમને ઓળખું છું. તમે બિલ ગેટ્સ છો.'  એટલે  બિલ ગેટ્સએ કહ્યું " મારે  તારી તે મદદઓને બદલે કઈ આપવું છે. તારે જે કઈ જોઈતું હોય તે માંગી લે. હું તારા જીવનની  બધી ઈચ્છાઓ પુરી કરીશ."

                                                      એ સાંભળીને પેલી વ્યક્તિએ પૂછ્યું 'શું તમે મને અત્યારે  મદદ કરીને  મે તમને ભૂતકાળમાં  કરેલી મદદને સભર કરી શકશો ? મે તમને જે મદ્દદ કરી હતી તે એક સામાન્ય ગરીબ વર્તમાનપત્ર વેચનાર ફેરિયાની મદદ હતી. ત્યારે તમે તો  મને અત્યારે દુનિયાના પૈસાદાર વ્યક્તિ તરીકે મદદ આપવા આવ્યા છો .આથી મે તમને કરેલી મદદને તમારી મદદ સાથે સરખાવા પ્રયત્ન ન કરો.'
                                                     બિલ ગેટ્સને   તરત જ સમજાઈ ગયુંકે ' પેલો ન્યૂઝ પેપર વિક્રેતા મારા કરતા વધારે ધનવાન હતો કારણ કે  મારી જેમ પૈસાદાર થવા સુધી બીજાને મદદ કરવા થોભ્યો ન હતો.  ટૂંકમાં લોકોએ સમજવું જોઈએકે ' ખરા ધનવાનો તો એજ છે  જેની પાસે મદદ કરવા માટે  ઉદાર હૃદય હોય. ફક્ત પૈસા જ વ્યક્તિને ધનવાન બનાવતી નથી એ પણ એક સત્ય છે.
                                                 ***************************** 
      

Thursday, October 3, 2019


આરતી શા માટે?
                                                                            આપણે મંદિરોમાં આરતી કરતા હજારો માંણસોને જોઈએ ત્યારે આશ્ચર્ય થાય છે.  આ ઘંટારવની સાથે  કરવામાં આવતી આરતીનો ઉદ્દેશ શું છે? શું એ એક અંધ શ્રદ્ધાનો નમૂનો છે. હિન્દૂ સંસ્કૃતિમાં દરેક ક્રિયા પાછળ એક ઉમદા વિજ્ઞાનિક કારણ રહેલું છે. જે લોકો એને  નક્કામી  રીતરસમ  સમજે છે એ લોકો અજ્ઞાની છે એ લોકો હિન્દૂ ધર્મને સમજી શક્યા નથી.
                                                  આરતી નો મૂળ અર્થ ' આ' એટલે સંપૂર્ણ  અને 'રતી'  એટલે 'પ્રેમ' થાય છે એટલે આરતી પ્રભુ પ્રત્યેનો સંપૂર્ણ પ્રેમનું પ્રતીક છે.  એનો ઉદ્દભવ પુરાણીક વેદિક અગ્નિ વિધિ દ્વારા થયેલો છે. આરતી કરવાથી શક્તિ અને નવી ઉર્જા  મળે છે. આફતનો સામનો કરવાની શક્તિ આપે છે અને સુખમાં માનવને પ્રભુ કૃપા સમજી એને નમ્ર બનાવે છે.
                                                 આરતી દ્વારા માણસ  પ્રભુની મૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની કળા શીખે છે. એમાંથી જીવનમાં પણ પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખે છે. તે ઉપરાંત  ધ્યાન બીજી સારી જગ્યાએ  કેન્દ્રિત કરવાથી મનના વમળને પણ દૂર રાખી શકાય છે. જેથી એનાથી  માનવીને  રાહત મળે છે.
                                                  જયારે માણસ આરતીમાં લિન થઇ જાય છે ત્યારે એના આત્મા સાથે એનો મેળ થાય છે  જેમાંથી સારી પ્રેરણાઓનો સ્તોત્ર વહે છે. આરતી માણસને એનું ભાન કરાવે છે કે આ દુનિયામાં પ્રભુજ બધી પ્રવૃત્તિનું  કેન્દ્ર છે  એટલા માટે એના તરફ આદરભાવ  બતાવવામાં આવે છે. અને પ્રભુ પ્રત્યે નમ્ર ભાવ બતાવવામાં આવે છે.
                                                  આરતીની  દીપશિખાઓ પૃથ્વીના  પાંચ તત્વો જેવાકે  વાયુ, આકાશ, અગ્નિ, પાણી અને જમીનનો  માનવ જીવનમાં રહેલી  મહત્વતાને રજુ કરે છે.
                                                 આરતીનો અગ્નિ માનવીને  તાકીદ કરે છે કે  ભૌતિક બળો અને એની અપાર  ઈચ્છાઓ એના જીવન પર કબજો નહિ જમાવી દે જેથી એનું જીવન ધૂળ ધાણી ન થાય.
                                                  આથી આરતી પાછળ ધાર્મિક અને વિજ્ઞાનિક  કારણો પણ રહેલા છે. જેનાથી માનવીના  જીવનમાં  સુખ, શાંતિ,  અને સમૃદ્ધિ  લાવે.  આરતીની વિવિધતા એવી છે કે તે ગમે તે પવિત્રસ્થળે  ઘરમાં  પ્રભુની મૂર્તિ સામે પણ કરી શકાય છે.  એના માટે મંદિર સુધી પણ જવાની જરૂરિયાત નથી.
                                    ***************************************