Tuesday, August 16, 2022


   પોષ્ટીક    આહાર 

                                                    સ્વાસ્થ્ય અને ખોરાક વચ્ચે સીધો સબંધ છે. સારો ખોરાક તમારા સ્વાથ્યને સારું રાખે છે, અને  લોહીને શુદ્ધ કરી જીવનને સુખી અને આનંદમય બનાવે છે. આજકાલ લોકો ચટાકેદાર જંક ખોરાક  ખાય છે અને શરીરને રોગમય બનાવી મૂકે છે. યુવાન વયે જિંદગીઓ બરબાદ થઇ જાય છે.



                                                    બીટ જેમાં નાઇટ્રિક ભરપૂર હોય છે. જે શરીરમાં લોહીનું સિક્યુલેશન  વધારે છે અને નસોને હળવી બનાવી લોહીના વહેણને સરળ બનાવે છે. એ બ્લડ પ્રેસર નીચું લાવે છે.



                                                      બેરીસમાં  એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર  છે. જે નસો માટે ઉપયોગી હોય છે. એ અંગોમાં અને ટીસ્યુમાં પણ લોહીનું વહેણ વધારે છે. એ નસોને વધારે સ્થૂળ થતા રોકે છે. અને બ્લડ પ્રેસરને ઘટાડે છે.



                                                           ફેટી ફિશ જેવીકે  સાલ્મન,  માકરેલ  વગેરે  હૃદયને માટે ઘણો સારો ખોરાક છે. એ માછલીઓમાં ઓમેગા એટલેકે  ઉપયોગી એસિડ એમાં સારા   સારા પ્રમાણમાં છે. એ નસોને શુદ્ધ કરે છે. લોહીનો પ્રવાહ વધારે છે. એ બ્લડ પ્રેશરને પણ ઓછું કરે છે.



                                                          દાડમમાં એન્ટી ઓક્સિડન્ટ  અને નાઇટ્રેટ છે જે નસોને પહોળી કરે છે. તે ઉપરાંત એ  મસલ્સને  અને ટીસ્યુઓને  વધારે ઑક્સિન અને  ન્યુટ્રીઅન્ટ આપે છે જે તંદુરસ્તી વધારે છે.



                                                            લસણમાં સલફર છે જેમાં   એલિયન નામનું  તત્વ હોય છે  એ નસોને હળવી બનાવે છે  અને   હૃદયને વધારે મજબૂત બનાવે છે.  ક્સિડન્ટ ભરપૂર  છે. જે નસો માટે ઉપયોગી હોય છે. એ અંગોમાં અને ટીસ્યુમાં પણ લોહીનું વહેણ વધારે છે. એ નસોને વધારે સ્થૂળ થતા રોકે છે. અને બ્લડ પ્રેસરને ઘટાડે છે.



                                                              અખરોટમાં  આલ્ફા , લીનોલેનીક એસિડ, ૩-ફોલી એસિડ છે , જે લોહીના પ્રવાહને  સરળ બનાવે છે.અને નસોને ઇલેસ્ટિક બનાવે છે. જેથી લોહીનું દબાણ ઓછું થાય છે.



                                                                   દ્રાક્ષમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે  જે નસોનું કામ વધારે સફળ બનાવે છે. તે ઉપરાંત તે લોહીને ચીકણું થતા અટકાવેછે અને શરીરમાંના સોજા લાવતા તત્વોને પણ કાબુમાં રાખે છે. આમ એ લોહીના ભ્રમણને સરળ બનાવે છે.



                                                                  હળધરમાં પણ સોજાને કાબુમાં રાખવાનું તત્વ હોય છે.  એમાંનું  નાઈટ્રિક ઓકસાઇડ તત્વ લોહીની નસોને પહોળી બનાવી એના પ્રવાહને શરીરના અંગોમાં સરળ બનાવે છે.

                                                                    સ્પીનાચની લીલી ભાજીમાં પણ નાઇટ્રેટનું તત્વ હોય છે. જે નસોને પહોળી બનાવી  લોહીના પ્રવાહને સરળ બનાવે છે.



                                                                      સિટ્રસ ફળોમાંનું  એન્ટી ઓક્સિડન્ટ તત્વ લોહીમાં  કલોટ થતા અટકાવે છે અને લોહીના પ્રવાહને સરળ બનાવે છે અને લોહીના દબાણને પણ ઓછું કરે છે. 

                       આમ આવા  પોષ્ટિક આહારો  શરીરને સારું રાખે છે.


                                                            ****************************

Saturday, August 13, 2022



કોવિદ-૧૯ અને ત્યારબાદ  

                                                       ઘણા લોકોએ કોવિદ-૧૯ ની બીમારી દરમિયાન નોકરી છોડી દીધી હતી, તો કેટલાકે ઘરેથી જ કામ કરવાની શરૂઆત કરી હતી. કેટલાક દરરોજના કામ કરવાવાળામાંથી  ઘણા એમના કામ પર પાછા ફર્યા જ નથી.  ઘણીં જગાએ હાયરિંગના પાટિયાઓ લાગેલા છે. કારણકે કામ કરનારા મળતા નથી. એના બે જ  કારણો જ છે. એક કોવિદ દરમિયાન  ખર્ચા ઓછા થવાથી બચત વધી હતી . એમાંથી કામદારો  હજુ  તેમનું  જીવન ચલાવી રહયા છે. અને બીજું કારણ કોવિદની બીમારી દરમિયાન લોકોને સરકારોએ ગણી મદદ કરી હતી એટલે પૈસાની હજુ તંગી પડતી નથી.

                                                         સ્કિલ નોકરીઓમાં પણ આજકાલ લોકો નોકરી છોડી રહયા છે એની પણ  ખબર કાઢવી  જરૂરી છે. એ બાબતમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા , કેનેડા , સિંગાપોર અને ભારતમાં મેકિનસે કંપનીએ સર્વે કર્યો એમાં કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે.



                                                              ૪૧% લોકોએ એમની નોકરીમાં એમને આગળ વધવાની કોઈ તક જોઈ નહીં એટલે નોકરી છોડી દીધી હતી. જયારે ૩૬% એ એમની નોકરીમાં વધારે નાણાકીય ફાયદો ન  દેખાતા નોકરી છોડી દીધી હતી. કેટલીક કંપનીઓમાં એમના ઉપરીઓ એમની અપેક્ષા કરતા હતા એથી ૩૪% નોકરિયાતઓ  એવી કંપનીઓ છોટી દીધીહતી.

                                                              ઘણીવાર નોકરીમાં રસ પેદા ન  કરેએવું કામ  હોય તો નોકરિયાતો કંટાળીને નોકરી છોડીદે છે. એવા ૩૧% નોકરિયાતો હતા. વધારે પડતા કામની માંગણીઓ અને કામમાં વધારે પડતી અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે એવા  સંજોગોમાં ૨૯% નોકરિયાતો નોકરી છોડી હતી.

                                                               ઘણી જગાએ નોકરીમાં વાતાવરણ સારું નથી હોતું. એક બીજાને મદદ કરવાની નોકરિયાતોમાં વૃત્તિ નથી હોતી. એવા સંજોગોમાં ૨૬% લોકોએ નોકરી છોડી દીધી હતી.  જે કંપનીમાં કામ કરનારાઓના સ્વાસ્થ્ય નું ધ્યાન નથી આપવામાં આવતું અને ઑફિસના વાતાવરણમાં વધારે પડતી કડકાઈ અને વાતાવરણ હળવું નથી એવી કંપનીઓમાંથી લોકો નોકરી કરવા માંગતા નથી. એવા કારણોને લીધે ૨૬% જેટલા લોકોએ નોકરી છોડી હતી. 

                                                                 આથી કંપનીની સફળતા માટે એમના કામદારો નોકરી છોડી ને  ન ચાલી જાય એ જોવું જરૂરી છે.  એના કારણોનું આલોચના કરવી જરૂરી છે. જે કંપનીમાં કામદારો લાંબો સમય સંતોષકારક રીતે ટકી રહે એમાજ  કંપનીઓની સફળતા રહેલી હોય છે. 

                                   ********************************************  


                                                 

Monday, August 8, 2022



તંદુરસ્તીનું રહસ્ય 

                                 આપણામાં કહેવાય છે કે સૌથી પહેલું સુખ એ શરીરની તંદુરસ્તીને જાય છે. પરંતુ આજકાલ જીવનની ભાગદોડમાં એને અવગણમાં આવે છે અને લોકો જાતજાતના રોગોથી પીડાઈ રહયા છે. 

                                       આથી આપણે શરીરના દરેક અંગ  તંદુરસ્ત રહે એ માટે કાળજી લેવી જોઈએ. જેમકે બ્રેઈન  માટે આઠ કલાકની ઊંઘ તદ્દન આવશ્યક છે. પૂરતી ઊંઘને અભાવે ઘણા મોટા રોગો થવાને સંભવ છે. તે ઉપરાંત આખો દિવસ બેચેની અને આળસ ઊંઘના અભાવે જ ઉદ્ભવે છે.

                                       પગના તળિયાને રાત્રીએ સુતા પહેલા તેલથી માલિશ કરવાથી આંખો સારી રહે છે અને આંખોની તંદુરસ્તી પણ સુધરે છે.

                                        નાકને માટે મિન્ટ એક અકસીર ઉપાય છે એટલા માટે દિવસમાં મિન્ટ ખાતા રહેવું જોઈએ.

                                         આજકાલ તો ફેફસાને તંદુરસ્ત રાખવા માટે  સિગારેટ પીવાની મનાઈ કરવામાં આવે છે અને એના માટે જબરજસ્ત આંદોલન પણ ચાલે છે. મીઠું  હાર્ટ  માટે તદ્દન નુકશાનકારક છે.  એટલા માટે તબીબો મીઠું ઓછું ખાવાની તાકીદ કરે છે.



                                         વધારે પડતા  ચરબી વાળા પદાર્થો ખાવાથી લીવરને નુકસાન થાય છે.  અને ઠંડા પીણાઓ પેટને પણ નુકસાન કરે છે.



                                          જંક ખોરાક આંતરડાઓને નુકસાન કરે  છે આથી લીલા શાકભાજીઓ  ખાવાથી  આંતરડાઓની પાચન શક્તિ વધે છે. વધારે પડતું ખાવાથી પેન્ક્રિયાસને પણ  નુકસાન થાયછે. 

                                          કિડની એ  શરીરનું બહુજ નાજુક અંગ છે એથી એની તંદુરસ્તી માટે દિવસભર સારું એવું પાણી પીવું જોઈએ. રાતના સુતા પહેલા પિશાબ કરીને જ સૂવું જોઈએ. તે ઉપરાંત રાત્રી દરમિયાન ઓછું પાણી પીવું જોઈએ. યુરીનરી  માર્ગને તંદુરસ્ત રાખવા માટે રો  કાંદાનું  સેવન સારું પડે છે.

                                         એપેન્ડિક્સની તંદુરસ્તી લીંબુનું પાણી પિતા રહેવું જોઈએ.



                                       આતો શરીરને સારું રાખવા માટે ના સામાન્ય ઉપાયો છે જે સહેલાઈથી જીવનમાં કરી શકાય છે. અને' પહેલું સુખ તે જાતે નર્યાનું' બિરુદ મેળવી શકાય છે.  

                                          ***************************************