Sunday, May 8, 2016

મારી મા
                                                                (મારી મા શાંતાબહેન )        
                                                                                                                                                               આજે '૮ મી મેને દિવસે 'અમેરીકામા ' મધર ડે' તરીકે ઉજવવામા આવે છે.  ઍટલેકે માતાઑ દ્વારા કુટુંબમા અને સમાજમા આપવામા આવેલા પ્રદાનઓને અંજલી આપવાનો દિવસ.' મા' ઍટલે પ્રેમ, ત્યાગ, અને બલિદાનની દૈવી  મૂર્તિ. મે નીચેના લેખમા મારીં માને નિષ્ઠાપૂર્વક અંંજલી આપી છે.-

                                                                 "  મા ઍટલે પ્રેમ, બલિદાન અને પોતાના સંતાનો માટે જીવે ત્યા સુધી ત્યાગ કર્યા કરે ઍવુ મંગલ સ્વરુપ હોય છે. ઍને પોતાના સંતાનોમા  હમેશા  સદગુંણો દેખાય ઍનુ આલોચન કરે અને ઍમના અવગુણોને ઢાંકી ઍને સુધારવાના પ્રયત્નો કરે. ઍટલા માટે ગમે તેવા ખરાબ સંતાનો પણ ઍની માની આગળ આગળ ગળગળા થઈ  માથુ નમાવી દે છે. દુનિયામા ઍક માનવી બતાવો જે ઍની માને પ્રેમ ન કરતો હોઈ.
                                                                   મારી મા પણ પ્રેમ, ત્યાગ અને બલિદાનની જીવતી જાગતી મૂર્તિ હતી. ઍ અમારે માટે જ જીવતી હતી, પોતાને માટે નહી.સાદાઇ, અને સ્વચ્છતાના પાઠ શીખવી ગઈ હતી. આજે પણ ઍની યાદમા ઍની સૂતરની સાડીને સાચવી રાખી છે. ઍની યાદ આવી જાઇ ત્યારે ઍ સાડી પર આંસુ વહાવી લઉ છુ. પરંતુ ઍને ઘરેણાની જેમ કબાટમા સાચવી રાખુ છુ.
                                                                  નાનપણમા આમતો મે બહુ સીધોસાદા અને  શાંત છોકરાનીની છાપ ઉભી કરી હતી પણ મારી માને મારી આંતરિક મજાકિયા સ્વભાવની ખબર હતી. ઍક્વાર મે મારી નાની બહેનની ખુરસી સિફતથી હટાવી દીધી અને ઍ જમીન પર પટકાઈ. ઍના રડવાના અવાજથી આજુબાજુના લોકો હેબતાઈ ગયા. હૂ દૂર નિર્દોષતાથી ઉભો ઉભો તમાશો જોઈ રહ્યો હતો. ત્યાતો દૂરથી માનો અવાજ આવ્યો ' ઍ પેલા ભાલિયાનુ જ કામ છે. હવે  ઍની ખેર નથી. પછી મારા પર તૂટી પડી. બધાને આશ્ચર્ય થયુ પણ ઍ મારા અંદરના મસ્તીખોર સ્વભાવથી પરીચિત હતી. ત્યારથી હૂ શીખી ગયો કે ઍનાથી કઈ છુપાવવુ નહી. અને સાચી વાત ઍને કહી દેવી કારણકે જૂઠ સામે ઍને તિરસ્કાર હતો.
                                                                  મા આમતો બહુ ભણેલી ન હતી પરંતુ ઍ ભલભલી ઉંચ વ્યક્તિઓ સાથે કામ પાર પાડતી. ઍના આત્મવિસ્વાસ અજબનો હતો જેનુ આરોપણ અમારામા ક્રયુ હતુ. મોતને પણ ઍણે આત્મશક્તીથી કાબૂમા રાખ્યુ હતુ. ઍને હાર્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી જીવલેણ બિમારી હતી, પણ  ઍ  બધી બિમારીઓ સાથે ઍણે ઍની જવાબદારીઓ નોભાવે રાખી. ઍક વાર ઍને મોટો હાર્ટ ઍટેક આવ્યો હતો. તે હોસ્પિટલમા જીવનમરણનો ખેલ ખેલી રહી હતી. અમે બધા સ્વજનો ઍ આશા ગુમાવી દીધી હતી પરંતુ ઍ હાફ્તી હાફ્તી ઍક જ્ર રટણ રટતી હતી કે હૂ પાછી ઘરે આવવાની જ છુ. તમે લોકો ચિંતા ન કરો. ઍ સાજી થઈ ઘરે પણ આવી. ત્યારે મને થયુ કે માણસનો આત્મવિસ્વાસ મૃત્યુ પર પણ વિજય મેળવી શકે છે. તે દિવસે માઍ મને જીવનમા આત્મવિસ્વાસ કેળવવાનો પાઠ શીખવ્યો.
                                                               માને  ડરપોક માણસો ગમતા ન હતા અને અમારી ડરપોકતામા  ઍને પોતાની માવજતમા ખામી દેખાતી.  શહેરમા નાના છોકરાઓને ઉપાડી જવાના ઘણા કિસ્સા બન્યા હ્તા ઍથી હૂ ગભરાઈ ગયો હતો અને સ્કૂલમા જવાની મે ના પડી દીધી હતી. ઍણે મને બળજબરીથી સ્કૂલે મોકલાવ્યો હ્તો. અને ચેતવણી આપી હતી કે મારી ડરપોકતાને કદી તે સહન કરશે નહી. સાંજના સ્કૂલમાથી પાછો આવ્યો ત્યારે ઍણે  પ્રેમથી પુછયુ 'બધુ બરાબર હતુ ને દીકરા' ત્યારે મને લાગ્યુ કે આખો દિવસ ઍણે મારી ચિંતામા વિતાવ્યો હતો. મને લાગ્યુ કે જીવનમા ઍને માટે અમુક ગુણો મહત્વના હતા જેનો પ્રેમને ખાતર દરગુજર કરવા માગતી ન હતી. આમ મા  વજ્રની જેમ કઠોર હતી પરંતુ  હ્રદયથી બહુ નરમ હતી.
                                                            તે વખતે અમે મુંબઈમા કફ પરેડ રોડ, 'બૅક  બે 'સામે, બૅરક્સમા રહેતાહતા.  નરીમાન પોઈન્ટ વિસ્તારમા અત્યારની જેમ કોંક્રિટના મોટા બહુમાળી. મકાનો બંધાયેલા ન હતા. ઍથી ઍ વિસ્તાર અત્યાર જેટલો ગીચ ન હતો. રાતના આઠ વાગ્યા પછી ઍ વિસ્તાર તદ્દન શાંત થઈ જતો. ઍવા વિસ્તારમા અમે રહેતા હતા. ઍક્વાર મધરાતે ચોર અમારા ઘરમા ઘુસવા જતા અવાજ સાંભળી મા હાથમા લાકડી લઈ બહાર દોડી ગઈ. અમારો નોકર પણ જાગી ગયો અને ઍ પણ માની પાછળ  દોડ્યો અને પેલાને પકડી લીધો. અવાજને લઈને અમે જાગી ગયા. જોયુ તો મા લાકડી વડે પકડેલા ચોરને ફટકારી રહી હતી. અમે ઍની નીડરતાના દર્શન ઍ દિવસે થઈ ગયા. જેનો વારસો અમને પણ આપતી ગઈ છે.
                                                            માને લોકસેવાની લગન હતી. લોકો પાસે પૈસા ઉઘરાવીને ગરીબોને ઍમની જરૂરીયાતો પુરી પાડતી. અને ઍ નિસ્વાર્થ ભાવથી કરતી. ઍ માનતી કે ગરીબોની સેવા ઍ જ ઈશ્વરની ભક્તિ છે.  ઍ મુંબઈના શ્રીમંતો પાસે પૈસા ઉઘરાવતી અને ગિરનારના ભાવનાથના મેળામા સાધુઓ અને ગરીબો માટે ભંડારો કરતી. ઍમા કપડાઓ, ધાબળાઑ વહેચતી. વર્ષો સુધી ઍ કામ કરતી રહી અને જ્યા સુધી શરીર ચાલ્યુ ત્યા સુધી ઍ કામ ચાલુ રાખ્યુ. અને અમને હસતા હસતા કહેતી આવા કામો કરતા રહો ઍવો વારસો જ તમને આપી જવાનો છુ. ઍવી ભાવનાઓ અમારા જીવનમા છોડી ગઈ છે ઍટલે આજે પણ કાઇ સારા લૉક ઉપયોગી કામો નિસ્વાર્થ ભાવે કરવાની ભાવના અમારામા સીંચીને ગઈ છે.
                                                           છેલ્લે ઍ ઍના મોતને પણ જીતી અને શાંતીથી મરજી પ્રમાણે ચાલી ગઈ. મારા પિતાના મૃત્યુ બાદ અમને ક્હી દીધુ હતુ કે ' હવે હૂ મહિનાથી વધુ જીવવાની નથી.' અમારા ક્રીયા કર્મ કરાવનાર બ્રાહ્મણ ને બોલાવી ઍના મૃત્યુ બાદ કરવાની ક્રીયાઓ વિષે પણ સૂચના આપી. મારે માટે પણ ઍ આશ્ચર્ય જનક વાત હતી. પરંતુ ઍ ઍના નક્કી કરેલા વખતે જ અમને રડતા છોડી ચાલી ગઈ. પરંતુ ઍક વાતની અમને ખાતરી થઈ કે મારી માનો આત્મા પ્રભુને પણ પ્યારો હતો અને અમારે માટે ઉમદા જીવન જીવવા માટે અમૂલ્ય વારસો છોડી ગઈ."
                                  (પરદેશી ગુજરાતી લેખકો દ્વારા લખેલા પુસ્તક્ ' મારી માવલડી' માથી)
                                             ******************************
.

Sunday, May 1, 2016


અમેરિકન પ્રમુખ હૅરી ટ્રૂમન અને જનરલ મૅક આર્થર
                                                                                           અમેરીકામા પ્રમુખ  વિશાળ સત્તાઓ ધરાવે છે.  ઍ અમેરિકન બંધારણનો ગણો મજબૂત ઓધ્ધો છે. ઍને ચુનોત્તિ દેવી ઍ તદ્દન મુશ્કેલ કાર્ય છૅ. ઘણા  પ્રમુખની સત્તાને પડકારવા જતા પોતાની કારકિર્દી ગુમાવી બેઠા હતા. ઍમાના ઍક અમેરિકન જનરલ મૅક આર્થર હતા.  તેમણે બીજા વિશ્વ યુધ્ધમા જાપાન સામે વિજય મેળવી  દુનિયામા અને અમેરીકામા પણ ભારે લોકપ્રિયતા મેળવી હતી. . ઍમણે ઍના મદમા આવી અમેરિકન પ્રમુખની સત્તાને પણ પડકારી હતી. અમેરિકન પ્રમુખ  હૅરી ટ્રૂમનઍ પણ અચકાયા વગર તે વખતના લોકપ્રિય જનરલ મૅક આર્થરને ઍના હોદ્દા પરથી બરખાસ્ત કરી નાખ્યા હતા.  આજ અમેરિકન પ્રમુખપદની ગરીમા અને સત્તા બતાવે છે.

                                                                               જનરલ મૅક આર્થર તે વખતની મિલિટરી મહા સત્તા જાપાનની શરણાગતી સ્વીકારવા જઈ રહ્યા હતા. પરંતુ તેમને જાપાન તરફ સખત પૂર્વગ્રહ હતો.  તેમણે પ્રમુખ ટ્રૂમનને ઍક ઈ મેલ સંદેશો મોકલાવ્યો હતો કે ' આવતી કાલે અમે બદમાશ પીળી કમ્મર વાળા જાપાનીસો સાથે શરણાગતિના દસ્તાવેજો સહી કરવા જઈ રહ્યા છે. તમારી જો કોઈ આખરી સૂચના હોય તો જણાવશો.' પરતુ પ્રમુખને  જનરલના અમુક  શબ્દો અયોગ્ય લાગ્યા. ઍમણે જવાબમા જણાવ્યુ કે ' સારી  રીતે  કામ પૂરુ કરવા માટે અભિનંદન. તમારે તમારો જાપાનીસો તરફનો  અણગમો પત્રકારોની સાથેની વાતચીતોથી દૂર રાખવો કારણ કે રાજકીય રીતે ઍ ઉચિત નથી.
                                                                              પ્રમુખની સલાહ કદાચ જનરલને ખુંચી હશે આથી ઍમ ણે  પુછયુ ' રાજકીય રીતે ઉચિતઍટ લે શુ? 'પ્રમુખે  જવાબમા લખ્યુ ' ઍ તર્ક હિન, લઘુમતી બીમાર મીડીયા  દ્વારા ઉભો કરેલો કરેલો  શબ્દ છે  ઍ લોકો માને છે કે ' ગંદી વસ્તુને  ઍના સ્વચ્છ છેડાથી પણ પકડી  શકાય છે.'
                                                                               આમ લોકપ્રિય  જ્નરલને કેટલી હોશીયારીથી અને ગરીમાથી અમેરિકન પ્રમુખ સલાહ આપી દે છે. આ પત્ર વ્યહવાર હજુ પણ પ્રમુખ ટ્રૂમનની લાઇબ્રેરીમા જાળવી રાખવામા આવ્યો છે.
                                                       ****************************************
સગા દીઠા શાહ આલામના ભીખ માંગતા શેરીઍ

                                                                   
                                                                    મોગલોના છેલ્લા બાદશાહ  બહાદુર શાહ જફર ને અંગ્રેજો ઍ ૧૮૫૭ના બળવાની આગેવાની લેવા માટે  રન્ગુન ખાતે દેશ નિકાલ કર્યા હતા અને ત્યાજ ઍમનુ મૃત્યુ થયુ અને ઍમને ત્યાજ દફનાવી દેવામા આવ્યા હતા, ઍક કવિઍ ક્હ્યુ છે ' સગા દીઠા શાહ આલમના ભીખ માંગતા શેરીઍ, ' મોગલોની બાબતમા ઍ વસ્તુ તદ્દન સાચી પડી છે,
                                                                     જે મોગલોઍ તાજમહાલ, લાલ કિલ્લો,  અને બુલંદ દરવાજા જેવી ભવ્ય ઈમારતો બનાવી હતી. જેઓ કોહીનૂર હીરા જડીત મયૂરાસન પર બિરાજી આખા હિંદ પર રાજ઼ કરતા હતા તેના  સગાઑની સ્થિતી આજકાલ બહુજ કંગાળ છે.

                                                                 છેલ્લા મોગલ બાદશાહ  બહાદુરશાહ જફ્રરના પ્રપૌત્ર મિર્જા બેડર બખ્તની પત્ની  સુલતાના બેગમ કોલકત્તામા હાવરા વિસ્તારમા ઝુપડપટ્ટીમા કંગાળ જીવન વિતાવી રહી છે. ઍને ફક્ત ૬૦ પૌંડનુ પેન્શન મળે છે. ઍ ણે રાજ્ય અને કેન્દ્ર સરકારને સહાય માટે વિનંતી કરી હતી ત્યારે  ઍ ની પૌત્રીને ૧૫૦ પૉંડ મહિનાની નોકરી આપવામા આવી છે. રહેવા માટે ફક્ત બે રૂમ અને રસો ડુ  બીજા સાથે વાપરવુ પડે છે. આવા કંગાળ હાલતમા મોગલોના વારસો જીવન વિતાવી રહ્યા છે.


         
                                                     
                                                                    સુલતાના બેગમ  ચાહની દુકાન ચલાવી  તથા લોકોના કપડા સીવી ઍનુ ગુજરાન ચલાવે છે. બીજા સ્વજનો પણ ભણેલા નથી. આવી ઍમની કંગાળ હાલત જોઈને ઍના પૂર્વજોના આત્મા પણ નિસાંસા નાખતા હશે.
                                            ********************************************