Tuesday, September 22, 2015

 ન્રિવુત્ત વશિષ્ટ નાગરિકોનુ જીવન
                                                                                                      સર્વે પ્રમાણે વિશ્વમા નિવૃત્ત વશિષ્ટ નાગરિકોનૂ જીવન સ્વિજેરલૅંડમા શ્રેષ્ટ છે. નૉર્વે અનેસ્વીડનનો ત્યારબાદ નંબર આવે છે. ભારતનો નંબર ૯૬ દેશોમા ૭૬ મો આવે છે.


                                                 ભારત વશિષ્ટ નિવૃત્ત નાગરિકોના સ્વાસ્થ્યની બાબતમા ઘણુ પાછળ છે.  ઍના બીજા કારણોમા
૧) ૨ માથી ૧ વશિષ્ટ નાગરિકોનૂ ધ્યાન રાખનારુ કોઈ હોતુ નથી.
૨) પાંચમાથી બે વશિષ્ટ નાગરિકો રાતના રસ્તા પર અસલામતી અનુભવે છે.
૩) ત્રણમાથી ઍક વશિષ્ટ નાગરિકને સ્વતંત્ર પ્રમાણે જીવન જીવવાની સગવડ હોતી નથી.
૪) ૩૦% વશિષ્ટ નાગરિકોને  બહાર જવાની કોઈ સગવડ હોતી નથી.
૫) ભારતીય વશિષ્ટોની  આવકની બાબતમા અસલામતી વધૂ  છે.  ભારતના ઘણા વશિષ્ટો પેન્શનથી વંચિત હોય છે. . ઍટલા માટે ભારતીય વશિષ્ટોનુ પેન્શન કવરેજ  ફક્ત ૨૮.૯% છે જ્યારે ચીનનુ ૭૪.૪% છે.

                                ભારતમા નિવૃત્તવશિષ્ટ નાગરિકોના હિતો તરફની બેદરકારી પાછળ ભારતમા સામાન્ય માન્યતા છે કે" ઍ વપરાઈ  ગયેલી શક્તિઓ છે" જ્યારે  આગળ પડતા દેશો ઍમની આબાદી માટે ઍમના નૃિવૃત્ત વશિષ્ટોને આભારી છે. અને ઍમની પુરી સંભાળ લે છે.
                                        **************************************

Friday, September 11, 2015


યૂરોપ પર નિરાશ્રિતોનો ધસારો
                                                                                                          દોઝકમાથી સ્વર્ગમા જવા કોને મન ન થાય! અત્યારે મધ્યપૂર્વ અને કેટલાક આફ્રિકન દેશોમા હિંસા અને અરાજકતાનુ વાતાવરણ જામેલુ છે.  ઘણાખરા ઍમાના નિરાશ્રિતો મુસ્લિમ દેશોના છે.  બોમ્બમારા અને હિંસાથી ત્રાસેલા દેશોના લોકોઍ  ટર્કી થઈ ગ્રીસ દ્વારા યૂરોપમા પ્રવેશવા ધસારો વધારી દીધો છે.

                                            ઍ બધા સિરીયા, ઇરાક, લિબિયા, યેમન, અફ્ઘાનિસ્તાન અને ઉત્તર આફ્રિકાના જેવા દેશોના નીરાશ્રિતો છે. આશરે ૪૨૦૦૦ જેટલા નીરાશ્રિતો  યૂરોપમા હુંગેરીમા પ્રવેસ્યા છે અને યૂરોપને હચમચાવી મૂક્યુ છે. ઍ બધાને ક્યો દેશ રાખશે ઍ પ્રશ્ન અત્યારે ચર્ચાઈ રહ્યો છે.  બહુમતી નિરાશ્રિતો  મુસ્લિમો છે. યુરોપના કેટલાક નાના દેશો ઍમનો વિરોધ કરે છે. તો કેટલાક  સ્વીકારવા તૈયાર નથી કારણકે ઍમને મુસ્લિમોનો ખરાબ અનુભવ ભૂતકાળમા થયો હશે.

                                              નીરશ્રિતોને આશ્રય આપવો ઍટલે ઍ તે દેશને આર્થિક બોજો આવી પડે છે. ઍમને તંબુ, પથારી, અને ધાબળાઑ પૂરા પાડવા પડે. તે ઉપરાંત  રોજગારી પણ પુરી પાડવી પડે. તે છતા  જર્મનીઍ ૮૦૦૦૦૦, ગ્રીસે ૩૦૦૦૦, સર્બીયાઍ ૫૦૦૦, મેકોડેનીયા ઍ ૭૦૦૦, નિરાશ્રિતોને  આશ્રય આપવા તૈયારી બતાવી છે. અમેરિકાઍ ૩૨૦૦ જેટલા સિરીયન નિરાશ્રિતોને આશ્રય આપ્યો છે. આવતા વર્ષે ૧૫૦૦૦ નીરાશ્રિતોને આશરો આપશે.

                                                તે છતા બેઆપશે પ્રશ્નો તો ઉભા જ છે? ૫૦ જેટલા ઇસ્લામિક દેશો શા માટે ઇસ્લામિક  નીરાશ્રિતોને અપનાવતા નથી?  તે ઉપરાંત આ બહુમતી મુસ્લિમ નિરાશ્રિતો આગળ  જતા યુરોપ માટે  બોજારૂપ તો નહી બને ઍની શુ ખાતરી? કેટલાક લોકો માને  છે કે  મોટા ઈસ્લામિક દેશો જેવા કાજકિસ્તાન, સાઉદિ અરેબિયા, જેવા દેશો કેમ ઍ નિરાશ્રિતોનો બોજો લેવા  તૈયાર નથી?
                                            *************************************************

Tuesday, September 1, 2015

  લોહીનુ ઍક બિંદુ
                                                                                                                  વિજ્ઞાનીકો અત્યારે જે પ્રમાણે શોધ કરી રહ્યા છે ઍ પ્રમાણે તો લોહીના ઍક બિંદુમાથી જ શરીરનુ રહસ્ય ખબર પડી જશે.
૧) શરીરની નસોમા કેટલો કૉલોસ્ટ્રોલ વહે છે તે જાણી શકાશે.
૨) ક્યા વિટામિનસો અને હાર્મન્સો શરીરમા સારા અને ખરાબ છે?
૩) લોહીનુ ટિંપુ અત્યારની જ નહી પણ ભવિષ્યના સ્વાસ્થ્યની પણ આગાહી કરશે.
૪)માણસની આત્મઘાતી વૃત્તિ વિષે પણ આગાહી કરશે.
૫) વાઇરલ ઇન્ફેક્ષન વિષે પણ  જણાવશે.
૬) ડાઉન સિંડ્રોમ, મેલાનઑમા, ઓવેરી કૅન્સર, લંગ કૅન્સર, હાર્ટઍટકની સંભાવના, નટ ઍલરજી, પેંક્રિયાસ કૅન્સર,  બ્રેસ્ટ કૅન્સર, સર્જરી પછી મૃત્યુની સંભાવના, વિસ્મૃતીને લગતા રોગો  વિશેની આગાહી લોહી બિંદુ મારફતે કરી શકાશે.
૭) લેસર કિરણો મારફત લોહીમા રહેલા ખાંડનુ પ્રમાણ જાણી શકાશે.
૮) અનિયમિત આંતરડાની હલચલ ના રૉગ વિષે પણ લોહીના  બિંદુ વડે જાણી શકાશે.
                                       આમ  વિજ્ઞાન  માટે માણસના રોગોના નિદાનનુ લોહીનુ ઍક ટીપ્પુ અગત્યનુ સાધન બની રહેશે.
                                       *************************************************