Thursday, April 19, 2012


ઉચ્ચ કક્ષાના નેતાઓની ખાસિયતો ==================================================================== -ચીન ના નેતા માઓત્સે તુંગ જ્યારે કિશોરે હતા ત્યારે ઍમને ઍમની માતાઍ ધીરજના પાઠ શીખવ્યા હતા. માતાઍ ઍમને ઍક છોડ ની સંભાળ રાખવાની જવાબદારીઓ સોપી હતી. પરંતુ ઍને મોટો કરવામા ઍમનો દમ નીકળી ગયો હતો. માતાને જ્યારે ઍ વિષે ફરિયાદ કરી ત્યારે માતાઍ ઍને કહ્યુ કે કોઈ પણ સફળતા માટે ધીરજની જરૂર છે. ઍજ માઓત્સે તુંગે વર્ષો સુધી રખડીને ચીન મા રાજકીય ક્રાંતિ આણી.

 -અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને પોતાના પુત્રની સાથે બીજા વિદ્યાર્થીઓની જેમજ વર્તન દાખવવાની ઍની શાળાના પ્રિન્સીપાલને સૂચના આપી હતી. ઍ જ બતાવે છે કે ઍ પોતાને અમેરિકન જનતાથી પર માનતા ન હતા.

 -ઈરાનના પ્રમુખ મહમુદ અહમદીનેજાદ બહુ સામાન્ય માનવીનુ જીવન વિતાવે છે. રાજકીય દબાણને કારણે પ્રમુખના મહેલમા રહેવા જવુ પડ્યુ છે. પરંતુ મહેલના કીમતી ગાલીચાઓ તેમણે મસ્જિદોમા મોકલાવી આપ્યા છે. ઘણીવાર તો પ્રમુખના મહેલમા નીચે ફર્સ પર સૂઇ જાય છે. મહેલનુ મોંઘુ ફર્નીચર વેચી તેમાથી આવેલા બધા પૈસા સરકારી તીંજોરીમા જમા કરાવી દીધા હતા. આમ તો વિવાસ્પદ રાજકીય વ્યક્તિ હોવા છતા તેમની સાદગી પ્રસંસા પાત્ર છે. ઈરાની જનતા ઍમના દિલ મા વસે છે.

 -ભારતના માજી વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાદા, પ્રામાણિક અને ચારિત્રવાન વ્યક્તિ હતા. ઍમનુ જીવન સાદગી ભર્યુ હતુ અને દેખાવમા સામાન્ય તથા ટૂકા કદના હતા. ઍમણે જ્યારે પાકિસ્તાન સામે યુધ્ધના આદેશ આપ્યો ત્યારે ભારતીય સેનાના વડા ઍ કહ્યુ હતુ કે 'નાના કદના માનવનો ઘણો મોટોબહાદુરી ભર્યો હુકમ હતો. ઍમના મૃત્યુ બાદ ઍમના બેન્ક થોડાજ રૂપિયા પડેલા હતા.

 -માજી વડા પ્રધાન મોરારજીભાઇ પણ ઍમની પ્રામણિકતા, અને સીધ્ધાંતો માટે જાણીતા હતા. ઍક વાર ઍમના પત્ની હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા. તે વખતે તેમણે હાજર ડોક્ટરને સૂચના આપી હતી કે ઍમની સારવાર સરકારી કાયદા પ્રમાણે જે કરવી. ઍ સૂચના સાંભળીને હાજર ડોક્ટોરને આશ્ચર્ય થયુ.! કારણકે કેટલાક રાજપુરુષો તો પોતાના સગાઓને કાયદાની ઉપરજઈને સારવાર આપવા દબાણ કરતા હતા. ઍમણે ઍમના મૃત્યુ બાદ બધી ઍમની બચતો, મૂલ્યવાન ભેટો, બધુ સર્વસ્વ ગુજરાત વીદ્યાપીઠને આપી દીધુ હતુ.

 -સરદાર પટેલ રાજનીતીમા ચાણકય અને લોખંડી પુરુષ હતા ઍટલાજ રાષ્ટ્ર ભક્ત અને ઍમના નેતા ગાંધીને વફાદાર હતા. તૅઓ માનતા હતા કે ગાંધીજીની નેતાગીરી જ ભારતને સ્વરાજ્ય અને સૂરાજ્ય અપાવી શકશે. આથી જ્યારે ભારતના ભાવી વડાપ્રધાનની પસંદગી વિષે ઉંચ કોંગ્રેસી નેતાઓની મિટિંગ મળી હતી ત્યારે ગાંધીજીની ઇચ્છા મુજુબ પોતાની ઉમેદવારી ખેંચી લીધી હતી. તેઓની ગાંધીજી પ્રત્યેની વફાદારી કઈ ફરક પડ્યો ન હતો. પંડિત નેહરુઍ જ્યારે જ્યારે તેમની સાથેના મતભેદોને લીધે રાજીનામુ આપ્યુ હતુ, ત્યારે ત્યારે તેમણે પરત કર્યુ હતુ. આજના જમાનામા ઍવા નેતા મળવા મુશ્કેલ છે. સરદાર પટેલ જ્યારે ગાંધીજી સાથે ઍમના આશ્રમમા રહેતા ત્યારે ગાંધીજી વહેલી સવારના જાગે ઍપહેલા તૅઓ જાગી જતા. ગાંધીજી માટે દાંતણના ઍક છેડાને છુન્દિને તૈયાર રાખતા. આ પણ ગુરુભક્તિનો અજોડ નમૂનો છે.

-વિન્સ્ટન ચરચિલ ગયા વિશ્વ યુધ્ધ વખતે બ્રિટનના વડા પ્રધાન હતા. તૅઓ ઘણા નિખાલસ અને ગમ્મત કરવામા નિપુણ હતા. ઍક વાર યુધ્ધના વખતે અમેરિકાના પ્રમુખ રુસ્વેલ્ટ સાથે  મંત્રણાઓ ચાલતી હતી. ઍમાથી થોડો વખત કાઢીને ચરચિલ બાથરૂમમા ગયા. તે વખતે જ રુસ્વેલ્ટને અગત્યનો વિચાર આવ્યો અને તૅઓ બાથરુમ તરફ ધસ્યા. પરંતુ  ચરચિલને ટુવાલમા જોઈને તે અચકાયા અને માફી માંગી. ચરચિલે હસતા હસતા કહ્યુ 'જે કહેવુ હોય તે કહી નાખો કારણકે ઇંગ્લેંડના વડા પ્રધાનને અમેરિકાના પ્રમુખ સામે કઈ પણ છુપાવાનુ  નથી.'

 -નેપોલીયનને કેદી તરીકે ફ્રાન્સની બાજુના ટાપુમા રાખવામા આવ્યા હતા. તે સાંજને વખતે પોતાના નજદીકના સાથી સાથે  ફરવા નીકળતા. ઍકવાર સામેથી કાઠિયારો માથા પર લાકડાઑનો ભાર ઉંચકીને આવતો હતો. નેપોલીયનના સાથીઍ  બૂમ મારી 'બાજુ ઍ ખસીજા દેખાતુ નથી સમ્રાટ આવી રહ્યા છે'  નેપોલીયને ગંભીરતાથી ઍને જવા દેવાનો ઈશારો કર્યો. ધીમેથી પેલા સાથીને કહ્યુ 'ઍના દિવસો  છે . આપણા પૂરા થઈ ગયા  છે . દિવસોને ઓળખવાની આવડત ઘણા રાજપુરૂષોમા હોતી  નથી. નેપોલીયન તો વિજયમેળવવા પાછળ હટવામા પણ માનતા હ્તા.

--સ્ટેલિન ઍ વર્ષો સુધી સામ્યવાદી રશિયા પર ઍકહથ્થુ સત્તા ભોગવી હતી. પરંતુ ઍ ઍના વિરોધી પ્રત્યે ઘણા ક્રુર  હતા. ઍના રાજકીય ગુરુ લેનીનને દૂર હડસેલી દીધા હતા. ઍની પુત્રી સ્વેતલીનાની સાથે મતભેદ થતા ઍની પુત્રીને ભાગી અમેરીકામા આશ્રય લેવો પડ્યો હતો. ઍના સાથીદારો ખ્રુચોવ અને બલગેનીનને પણ ઍના ઈશારે નાચવુ પડવુ હતુ. ઍના રાજમા વાણી સ્વાતંત્ર અને અંગત મત ને સ્થાન જ  ન હતુ. ઍ રાજને લોખંડી પડદો તરીકે ઓળખાતુ. તે છતા ઍ ણે દોઢ દાયકાથી વધુ  રાજ્ય રશિયા પર કર્યુ હતુ. ઍ દરમ્યાન ઍની ઍક જ નોંધનીય કામ રશિયાને  જર્મનીના આક્રમણ વખતે બચાવ્યુ હતુ.

-હિટલર ઍ સારી દુનિયાને હચમચાવી દીધી હ્તી અને બ્રિટિશ સામ્રાજ્યનો અંત  આણવામા મોટો ભાગ ભજવ્યો હતો. ઍની શરૂઆતની કારકિર્દીમા જર્મન પોસ્ટલ ખાતાઍ ઍક સામાન્ય નોકરી માટે પણ ઍને લાયક ગણ્યો ન હતો. ઍ આગળ જતા ઍ જ દેશનો સરમુખત્યાર બની બેઠો. ઍ ઘણો ક્રુર હતો અને લાખો યહુદિઓની કતલ કરાવી હતી. પરંતુ આશ્ચ્રયની વાત તો ઍ છે કે ઍ સારો ચિત્રકાર પણ હતો. પ્રભુ દૈવી તથા આસુરી શક્તીનુ  અદભૂત સંગમ કરતો રહે છે!

Wednesday, April 11, 2012







સિલિકોન વૅલી
===============================================================
(ઉપરના પહેલા ત્રણ ફોટાઓમા ઍચપી, ઈન્ટેલ, અને ઍપલનિ સિલિકનવૅલીમા આવેલી મુખ્ય ઓફિસોના છે.)
સિલિકોન વૅલી ઍ અમેરિકાની કોઇ ધાતુઓથી ભરપુર ખીણ નથી પરંતુ ઍ ધન ઉત્પન્ન કરતી અમેરિકાની મોટામાં મોટી ખીણ છે. અહીની માથાદીઠ આવક આખા અમેરિકાની માથાદીઠ આવક કરતા વધારે છે. ઍ અમેરિકાનો બહુ જ ધનવાન પ્રદેશ છે.
ઍમા આશ્ચર્ય પામવા જેવુ નથી કારણ કે દુનિયાની મશહૂર અને ધનવાન કંપનીઓ જેવીકે ઈન્ટેલ ઍચપી, ઍપલ્ ગૂગલ, સિસ્કો સિસ્ટમ,યાહૂ ફેસબુક વગેરે આવેલી છે. તે ઉપરાંત આ કંપનીઓના ભેજાબાજોને તૈયાર કરનાર વિશ્વની બે વિખ્યાત યુનિવરસિટી ઑ સ્ટૅન્ફર્ડ, તથા બૅર્કલી આવેલી છે.
તમને ઍ પણ આશ્ચર્ય થશે કે ૫૦% ઍચ બી૧ વીસા પર ભારતીય ઍનજીન્યરો આ પ્રદેશમા કામ કરે છે. ભારતીય અમેરિકાનો ઘણા ધનવાન છે, કારણકે ઍમાના ઘણાખરા કોમ્પુટર અથવા તો હોટેલ કે મોટેલ ઉદ્યોગમા છે.
આખા અમેરીકામા અમેરિકન ભારતીયોની વસ્તી ૧% છે, પરંતુ ઍ લોકો અમેરિકાની ૫% પુંજી પર કબજો ધરાવે છે. ઍમાના વધુમતી લોકો આ પ્રદેશમા છે. આથી અહિનુ જીવનધોરણ પણ ઉચુ છે.
ભારત દેસાઈ
***************************.

Sunday, April 8, 2012



રામ નવમી
========
રામ નવમી થોડા વખત પહેલા જ મનાવી. દરેક હિન્દુઍ મંદિરમા જઈને રામની મુર્તિ સામે શિર નમાવ્યુ હશે. પરંતુ જો દરેક રામના જીવનના થોડા પણ અંશો પોતાના જીવનમા ઉતારેતો દુનિયાના ઘણા જ દુખો દુર થઈ જાય. રામ ઍક આદર્શ પુત્ર,પતી,ભાઈ,અને રાજા હતા. તે ઉપરાંત તેઓ આદર્શ શત્રુ પણ હતા. રાવણ જ્યારે મરતો હતો ત્યારે લક્ષ્મણને રાવણ પાસે રાજનીતીના પાઠ શીખવા મોકલાવ્યો હતો. રામનુ ચરિત્ર ઘણુ જ ઉચ્ચ હતુ. વાલીનુ રાજ્ય,લંકાનુ રાજ્ય જીત્યા છતા ઍમણે તે રાજ્યો સૂગ્રિવ અને વિભિશણને પરત કર્યા હતા. આથી રામના જીવનમાથી ઘણુ પ્રેરક છે.
રામ અને કૃષ્ણ નો જન્મ અધર્મનો નાશ કરવા માટે જ થયો હતો. પરંતુ રામનો જન્મ મધ્ય દિવસે બપોરે હતો જ્યારે કૃષ્ણ નો જન્મ મધ્ય રાત્રી ઍ થયો હતો. પરંતુ બંનેના ધ્ધેયતો ઍક હતા.
રામની રાજનીતિ પણ આદર્શ હતી. ઍટલા માટે સૂરાજ્યને રામરાજ્ય સાથે સરખાવવામા આવે છે. ગાંધીજી ઍ ભારતના ભવિષ્યમા રામરાજ્યનુ સ્વપનુ જોયુ હતુ, જે હજુ આવવાનુ બાકી છે. રામના જીવનના માર્ગે ચાલવાથી ભારતમા સુખ શાંતિ તથા સમૃધી લાવી શકાશે.
રામ નામતો--
રામ નામતો સર્વ લે
પણ દિલમા ના ઉતારે
કહે કઈ અને કરે કઇ
ઍવુ બધે જ ચાલે
જેવા કર્મ તેવા ફળ સાથે
રામ નામ સત્ય કહેતા ચિતામા જાવે.
ભારત દેસાઈ
==============================