Sunday, May 22, 2022

 


વિજ્ઞાનની  નવી દોડ 

                                     અનિયમિત રીતે વધારે પડતું ખાવાથી શરીરની  સ્થૂળતામાં વધારો થાય છે. વધારે પડતી ભૂખ પણએક રોગનો નિર્દેશ કરે છે. એના માટે વિજ્ઞાનીકોએ મગજમાં એકભાગને જેને સેરેબેલમ તરીકે ઓળખી કાઢ્યો છે જે વધારે પડતા ખાવાની વૃત્તિને કાબુમાં રાખી શકે છે. એ ભાગ મનુષ્યના લાગણી અને એની વર્તણુક પણ સારો એવો પ્રભાવ ધરાવે છે. એ માટે ઉંદરના મગજના એ ભાગ પર ન્યુટ્રોનને  એકટીવ કરવાનો પ્રયોગ વિજ્ઞાનીકો દ્વારા પ્રથમ  કરવામાં આવ્યો હતો .જે લોકો વધારે પડતું ખાવાની આદત હોય છે એ લોકોના મગજના એ ભાગમાં કોઈ ઉણપ હોય છે . આથી ઘણા પ્રયોગો બાદ વિજ્ઞાનીકોએ પ્રશ્નને હાલ કરવા માંગે છે. 

 


                                   એક એવો પ્રશ્ન થાય છે કે રણપ્રદેશમાં જ્યાં હવામાન એકદમ વિષમ હોય છે. એટલેકે સખત ઠંડી , સખત ગરમી અને વરસાદ પણ ભાગ્યેજ હે છે એવા વિષમ પ્રદેશમાં કેટલાક જંગલી  વિજ્ઞાનિક  છોડો ઉગે છે એ કેવી રીતે બની શકે છે ? એની પાછળ પણ વિજ્ઞાનીકો સંધોધન કરી રહ્યા છે. વિજ્ઞાનીકોનું  માનવું છેકે રણપ્રદેશના  જંગલી છોડોના  મૂળિયામાં એવા બેક્ટરિયા હોયછે જે વિષમ હવામાનમાં પરિસ્થિતિમાં  નાઇટ્રોજન ઉત્પન્ન કરી ઉજ્જડ પ્રદેશમાં છોડને ઉગવામાં મદદ રૂપ બનેછે. તે ઉપરાંત કેવી જાતનું જિન એવા જંગલી છોડમાં હોય છે એના પર પણ વિજ્ઞાનીકો સંધોધન કરી રહ્યા છે. એ શોધને અંતે કોઈ પણ છોડને અતિ વિષમ હવામાનમાં પણ ઉગાડી શકાશે. બદલાતા હવામાનનના જમાનામાં આવા સંધોધનો બહુ જ ઉપયોગી નીવડશે .



                                               જ્યારે માનવી શરીર પર ઘા પડ્યો હોય અને એમાં સડો ખરાબ બેક્ટરિયાને લીધે વધી જાય, અને એની જાણ વખતની  અંદર ન થાય તો એ જીવન માટે ભયજનક બની રહે છે. એના માટે વિજ્ઞાનિકોએ સેન્સર ચિપ  શોધ કરીછે જે ઘા  ઉપર પાટા સાથે   લગાડી રાખવામાં આવેછે.  જે સ્માર્ટ ફોન દ્વારા વખતો વખત  સડાની  માહિતી આપતી  રહેશે . આમ ઘણા જીવનો  બચી જશે. કેટલાક વિજ્ઞાનિકઓ હાઈ ટેક ઇમેજિંગ દ્વારા ઘા ના સડાને નિયમન કરવા પ્રયત્નો કરી રહ્યા છે .

                                               આમ વિજ્ઞાનીકો સસત કોઈને  કોઈ નવા સંધોધન પાછળ પડેલા છે આથી આજનું સંધોધન એ  કાલ જૂનું થઇ રહે છે. 

                                       ****************************************** 

Friday, May 13, 2022

 


પ્રથમ બ્લેક સ્ત્રી  ન્યાયમૂર્તિ - અમેરિકાની ઉચ્ચ ન્યાયાલયમાં 

                                                                                                                 સદીઓ પહેલા અમેરિકામાંથી ગુલામી પ્રથા નાબૂદ કરવામાં આવી હતી. તે વખતે આંતરિક યુધ્દ્ધમાંથીઓ  અમેરિકાએ  પસાર થવું પડ્યું હતું. અબ્રાહમ લિંકને તે વખતે એમની બહુજ જાણીતા વ્યક્તવ્યમાં કહ્યું હતું કે  'આપણા બંધારણે  સ્પષ્ટ કહ્યું છે કે બધાજ માનવો સમાન હક્કોને પાત્ર છે. ' પરંતું એને અમલમાં મૂકવું એટલું સહેલું પણ નહોતું. હવે અમેરિકા ધીમે ધીમે સાકારત્મકરીતે  આગળ વળી રહ્યું છે. આજે કમલા  હેરિસ  જે ઇન્ડિયન અમેરિકન  મૂળ ધરાવે  છે એ  અમેરિકાના ઉપપ્રમુખ પદે પહોંચ્યા છે. અમેરિકાને બારાક ઓબામા જેવા  એક  અશ્વેત પ્રમુખ પણ મળી ચુક્યા છે.

                                                                       હવે એક અશ્વેત સ્ત્રી જજ  કેતનજી બ્રોઉન  જેકસનને સુપ્રીમ કોર્ટના  જજ તરીકે અમેરિકી પ્રમુખે નિમણૂંક કરવાની દરખાસ્ત કરી  છે. એ સુપ્રીમ કોર્ટની પ્રથમ અશ્વેત મહિલા જજ હશે. અમેરિકાના બંધારણની જોગવાઈઓ પ્રમાણે જજ જેકસનને નિમણુંક પહેલા  સેનેટ  જ્યુડીસરી કમિટી સમક્ષ હાજર થઇ એમની ચકાસણી માંથી પસાર થવું પડે છે. 

                                                                               આમતો જજ જેકસન ની કારકિર્દી જજ તરીકે સ્વચ્છ છે. તે ઉપરાંત તેઓ શિક્ષણિક રીતે પણ યોગ્ય છે. તે છતાં તેઓ  અશ્વેત છે અને સ્ત્રી છે એટલે એમને કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડશે. એમને કેટલાક  કાલ્પનિક કે પછી  અશ્વેત  પ્રત્યેના જાતિ  પૂર્વગ્રહને લીધે એમની લાગણી દુભાઈ હોય  એવા પ્રશ્નોનો પણ જવાબ માનસિક બેલેન્સ રાખીનેઆપવા પડ્યા છે. ટૂંકમાં પ્રશ્ન દ્વારા એને ઉશ્કેરવા અને પછી એમના ક્રોધને ગુસ્સાભરી અશ્વેત સ્ત્રી ઠરાવીને એની બધી મહેનત પર પાણી ફેરવી નાખવું . જેથી એમની નિમણુંક ખોરંભે ચડી જાય એવી પણ કેટલાક સભ્યોની વૃત્તિ હોય છે.

                                                                          હજુ પણ કેટલાક અમેરિકાનો પોતાને અશ્વેતો કરતા ચડિયાતા સમજે છે એમાંથી બહાર આવતા અમેરિકાને કેટલાએ વર્ષો કાઢવા પડશે.  હજુ પણ અમેરિકી અશ્વેત સમાજ મને છેકે 'એમને  અડધું મેળવવા બે ગણું કામ કરવું રહ્યું.'  એક  સારી  નિશાની  એ છેકે ' કેટલાક સ્વેત અમેરિકનો  અશ્વેતોને આવા ઉચ્ચ પદ પર પહોંચવા માટે અભિનંદન પણ આપી રહયા છે. 

                                            **************************

Thursday, May 5, 2022



વિજ્ઞાન અને વિજ્ઞાનિકઓ  

                                                             ઘણા વિજ્ઞાનીકો એમની સંધોધન લેબમાં ઘણો ખરો સમય પસાર કરે છે. એ લોકો કેટલાક કલાક ઊંઘે છે એમને પણ ખબર નથી હોતી. તેઓ એમના  ધેયની પાછળ ઘેલા હોય છે. 

                                       પ્રખ્યાત વિજ્ઞાનિક થોમસ  આલવા એડિશન પણ એટલું કામ કરતા કે માત્ર  ચાર કલાક જ ઊંઘ લેતા પણ કદીક ઝોખા ખાઈ લેતા . એ માનતાકે ઊંઘ એ સમયનો વ્યય છે. આથી તે બે હાથમાં બોલ પકડી ને સુઈ જતા જેથી જેવી ઊંઘ આવે એટલે પેલા બોલ હાથમાંથી નીચે પડે અને એમને જગાડી દે . જેથી જે ઉમદા વિચારોને ઊંઘમાં ગુમાવી દઈએ છે મેળવી શકાય. આ એડિશનના વિચારો હતા.

                                   હવેના સંધોધનો કહે છેકે નવા સંધોધનોના વિચારો જયારે માનવી ઝોકાના સમયે આવી જાય છે એ વધુ મહત્વના અને ઉપયોગી હોય છે. એટલેકે ઊંઘમાં પડવા પહેલાના વિચારો  ઉપયોગી અને   ઘણા નવ નિર્માણ કરનારા હોય છે.

                                  આના અનુસંધાનમાં ઘણા વિકટ  ગણિતના પ્રશ્નો એવા લોકોને આપવામાં આવ્યા હતા જેઓ હળવીઊંઘોમાંથી પસાર થયા હોય . એમને માટે એવા પ્રશ્નોને ઉકેલવામાં વધુ સરળ પડતું હોવાનું જણાયું હતું.

                                 એવું પણ કહેવામાં આવે છે કે એડિશનની માન્યતાનો ઉપયોગ સિકંદર  અને એલ્બર્ટ  ઈન્સ્ટાઇને  પણ કર્યો હતો. કલાકારોની  કલાઓ પણ એ રીતથી ખીલી ઉઠે છે એમ માનવામાં આવે છે. એવા સમયમાં મગજના તંતુઓ પણ  લાખો અને કરોડોમાં  ફેકાય છે જેમાંથી નવ સર્જનના વિચારો ઉત્પન્ન થાય છે.

                                  આમ વિજ્ઞાનીકો દ્વારાજ  એક વધુ સંધોધન બહાર આવ્યું છે. વિજ્ઞાન ક્યાં જઈને અટકશે એ એક પ્રશ્ન ઉભો છે?

                                **************************************