Wednesday, July 23, 2014


માનવીની મહત્વકાંક્ષા
                                                                                                                                                     માનવીની મહત્વકાંક્ષાને કોઈ મર્યાદા રહી નથી. ઍ ક્યા જઈને અટકસે ઍની કોઈને કલ્પના પણ નથી. પરન્તુ ઍક વસ્તુ માનવી ભૂલી જાય  છેકે ભગવાને ઍની મર્યાદા નક્કી કરેલી છે, ઍજો માનવી ઓળંગી જાય તો ઍને કુદરતની અને પ્રભુની કૃપાની કોઈ જરૂરત નહી પડે. આથી કુદરત ઍને કેવી રીતે ઓળંગવા સમર્થ બનાવે? આથી માનવી પોતાની મર્યાદાઓ સાનમા સમજે તો ઍના હિતમા છે. કુદરત અને પ્રભુના ક્રુર ફટકાઑ બાદ પણ માનવો હજુ સમજવા અસમર્થ છે.


અમે ચાંદ---
અમે ચાંદને ચુમ્યો છે અને સૂરજના ચક્કર લગાવવા છે
ગ્રહો પર વિજય મેળવીને ઍમની આડ અસર મીટાવવી છે
સાગરના ઉંડાણોમા  પણ અમે ડૂબકીઓ મારી છે
ઍની ગહરાઈઓંના રહસ્ય અમારે  જાણવા છે.
અમે ચાંદ---
અમે ઍડ્સ સામે લડી લઈશુ અને કેન્સરને ભગાવશુ
અમરતા મેળવવા માટે  હર પલ જોર લગાવશુ
માનવીની બુધ્ધિ અને હોશીયારી ક્યા જઈને અટકશે?
જન્મ મૃત્યુ પર વિજય મેળવીને જ શુ  રુકશે?
અમે ચાંદ---
પ્રભુ પોતાના સર્જનોના રહસ્ય કેવી રીતે બતાવે
જીવન અને મૃત્યુ  માનવીના હાથોમા આપીને શુ પોતાનુ અસ્તિત્વ ગુમાવે?
અમે  ચાંદ---
ભારત દેસાઈ
                     **********************************

Tuesday, July 15, 2014

દિલ અને બુધ્ધિ
                                                                                                                                                             દિલ હમેશા લાગણી, પ્રેમ, સબન્ધો અને ઍક બીજા માટેના સન્માન પ્રમાણે વર્તે છે. આથી જીવનમા આનંદ, શાંતિ, સુખ જળવાઈ રહે છે. મૃત્યુ અને મોત વચ્ચે સુખ, શાંતિ, અને આનંદ મુખ્ય છે. તમારા મૃત્યુ પછી તો ફક્ત તમારા સારા કાર્યો જ યાદ રહેવાના છે.
                         તે છતા જીવન ઍક સંઘર્ષ છે ઍમા માનવીને દિલ બહુ કામ આવતુ ન પરંતુ બુદ્ધીજ  કામ આવે છે. ત્રીવ બુધ્દ્ધિના માણસો જ ઘણા સફળ નીવડે છે. રાજકારણમા પણ બુદ્ધિ વગરનુ, અને લાગણીશીલ રાજકારણ હમેશા નિસ્ફળતાને વરે છે. નરેન્દ્ર મોદીનુ વલણ પણ નરી વાસ્વિકતા અને ચાણકય બુધ્ધિ પર જ ઘડાયેલુ છે. નરેન્દ્ર મોદીનુ અડવાણીજી, મુરલીમનોહર જૉશી, કેશુભાઇ, અને સંજય જૉશી સાથેનુ રાજકીય વલણ તદ્દન બુદ્ધિ દર્શી છે અને દિલ, લાગણીથી પર છે. ઍમાજ ઍમની સફળતાના બીજ છે. સફળતા માનવીને લોકનજરમા લોકનાયક બનાવી દે છે, પરંતુ જીવનમાઍકલતા પણ લાવી દે છે.
 આ બાબતમા શંકરસિંહ વાઘેલાઍ નરેન્દ્ર મોદિને ઍમની વિદાય વખતે કહેલા શબ્દો બહુજ સૂચક છે "તમે દિલ્હીમા ઍકલા હશો. કોઈક વખતે જરૂર પડે તો અહિઍ આવીને હીરાબાના ખોળામા(માના) તમારા આન્શુઓ વહાવી જજો."
                               આ બાબતમા ઈકબાલે ઍક સુંદર શેર કહેલો છે ' અચ્છા હૈ દિલ કે સાથ રહે  પાસવાને અકલ, લેકિન કભી કભી ઈસે તન્હાભિ છોડ દે.' ઍટ લે કે દિલના રક્ષક તરીકે બુધ્ધિ નજીક રહે તેમા કોઈ ખોટુ નથી પણ ક્યારેક દિલને  રેડહુ  પણ મૂકી દેવુ જોઇઍ. આ છે દિલ અને બુધ્ધિની કથા. વધારે પડતી સફળતા સામે  સુખ અને શાંતિની પસંદગી માનવી ઍ જ કરવાની છે.
                                        ***************************************************

Monday, July 7, 2014


દુકાળ
                                                                                                                                                             મોદી સરકાર પર વધતી જતી મોંઘવારીનો બોજો તો ચાલુ છે, ત્યાંતો દેશમા દુકાળનો ભય વધિ રહ્યો છે. ઘણી જગ્યા પર મેઘરાજે મહેરબાની જ નથી કરી. આખા દેશમા ૪૧% વરસાદની ખોટ છે જ્યારે ગુજરાતમા ૯૧ % વરસાદ ઍકન્દરે ઑછો છે. આથી દુકાળના પડછાયા દેખાય રહ્યા છે. જો થોડા દીવસોમા જો વરસાદ નહી પડે તો મોંઘવારીમા ભડકો થશે અને સરકારની મુશ્કેલીઓ વધી જશે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વગેરે મોંઘા થશે અને પશુઓ ચારા અને પાણી માટે વલખા મારશે.  પીવાના પાણીની પણ અછત થશે અને પરિસ્થિતિ વિપરીત થવા સંભવ પણ છે. ઍને માટે સરકારે ત્વરિત, યોગ્ય પગલા ભરવા પડશે. ઍમા પણ સરકારની કસોટી જ છે. કહેવાય છેકે દુકાળ ઍ શાપ સમાન છે.

જ્યારે જ્યારે લોકોના પાપ વધી જાય છે
ધરતી પણ પાપોથી લચી જાય છે
ઈશ્વર પણ  અનાચારોથી ત્રાસી જાય છે
ત્યારે ત્યારે દુકાળ જેવી આપત્તીઓ આવી જાય છે.
જ્યારે જ્યારે--

રાજાની .દાનત કદીક બગડી હોય છે
લોકોને ચુસવામા તલ્લીન હોય છે
ત્યારે પ્રભુનૂ ત્રીજુ નેત્રે ખૂલી જાય છે
અને ચારે ઓર લાય લાય વર્તાય છે.
ત્યારે દુકાળ જેવી આપત્તિ ઑ સર્જાય છે.
જે જીવનને  દુખી દુખી કરી જાય છે.
જ્યારે જ્યારે--
પ્રભુ અમ પર કૃપા કર
થોડાને કાજે નિર્દોષો પર ન કૉપ વર્ષાવ
થોડા તારા શીતલ અમી વર્ષાવ
અનેપ્યાસી ધરતીની પ્યાસ બુજાવ
જ્યારે જ્યારે--
ભારત દેસાઈ
                            __________________________________

Friday, July 4, 2014



મોદી સ્રરકારના ૩૦ દિવસ- અચ્છે દિન આ રહે હૈ.
                                                                                              નરેન્દ્ર મોદી ઍમના ૬ વિશ્વાશુ સરકારી અમલદારોના સહકારથી રાજ ધુરા સંભાળી રહ્યા છે. ઍમા ઍમના પ્રિન્સીપાલ સેક્રેટરી, કૅબિનેટ સેક્રેટરી, ઉદ્યોગિક સેક્રેટરી, પેટ્રોલિયમ સેક્રેટરી, પાવર્ સેક્રેટરી અને કોલસા સેક્રેટરી નો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીને ઢીલાસ પસંદ નથી. ઍમની પાસે લાંબી નોંધોને વાંચવાની બહુ ધીરજ પણ નથી, ઍતો જનતાના તરફેણમા સાચા અને ત્વરિત નિર્ણયો લેવામા માને છે.
૧)બાબુઓને સૂચના આપી છેકે ઍમની સમક્ષ દરેક ફાઇલની ટૂંક નોધ રજૂ કરવી કે જેથી ત્વરિત નીર્ણય લઈ શકાય.
૨)મંત્રીઓે ઍ પોતાના સગા વહાલા ઑની ઍમની ઓફિસમા મદદનીશ તરીકે નીમૂણૂક ન કરવી.
૩) વડા પ્રધાન ઓફિસમા થી મોકલાવેલી ફાઇલો નો નિકાલ તાકિદે મંત્રીઓનુ ધ્યાન દોરી કરવી પડશે.
૪) ચીન ભારત વિવાદસ્પદ સીમા પરના રસ્તાઓના બાંધકામ ને તાકિદે મંજૂર કરવામા આવ્યા છે.  ઍમા ૫૦ નવા લશ્કરી થાણા પણ મંજૂર કરવામા આવ્યા છે.
૫) આંદામા ન અને નિકોબારમા રાડર પોસ્ટો મંજૂર કરવામા આવી છે જેથી દુશ્મન દેશો પર ધ્યાન આપી શકાય.
 ૬) નર્મદા બંધની ઉંચાઈ ૧૩૮.૭૩ મીટર સુધી લઈ જવાની મંજુરી આપી દેવામા આવી છે.
૭) સરકારે ગ્રહ વપરાશ ના ગેસ સિલિન્ડેર મા ભાવ વધારો કર્યો નથી.
૮) ગરીબોને હવે સરકારી હોસ્પિટલોમા ઍક્સ રે,ઍમ આર ડી, અનેસી ટી સ્કૅન ફ્રી મળશે.
૯) ૨૦૦ કરોડ નવા વૃક્ષોની વાવ ણી  ઍક લાખ કિલોમીટ ર રાષ્ટ્રીય માર્ગ .પર કરવામા આવશે જેમાથી લા ખો નવજવાન બેકારોને રોજગારી મળશે.
૧૦)૨.૫લાખ ગ્રામ પંચાયતોને બ્રૉડ બેન્ડ થી ૨૦૧૭ સુધીમા જોડવામા આવશે.
૧૧) મોદી ઍ ત્વરિત નિર્ણય લેવામા વચ્ચે આવતા હોય ઍવા નકામા  કાયદાઓને  મંત્રાલયમાથી નાબૂદ કરવાની સૂચના આપી છે.
૧૨) મોંઘવારીને ડામવા માટે સરકાર સખ્ત પગલા લઈ રહી છે. ખાંડ, કાંદા, બટાકા જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવને કાબૂમા લેવા માટે લીધેલા પગલાઓ ઍના પુરાવાઓ છે.
૧૩) મંત્રીઓ અને અમલદારોના પરદેશના પ્રવાસો પર કડક નિરંત્રણો નાખવામા આવ્યા છે.
૧૪) દરેક મંત્રીઓને ૧૦૦ દિવસોના પ્લાન બનાવી ઍનો અમલ કરવાની કડક સૂચના આપી છે.
                                    ************************************************