Tuesday, January 7, 2014


અગ્નિ
                                                                                                                                                       અગ્નિનો મહિમા આપણા પુરાણો ઍ પણ ગાયો છે.ઍને દેવો જેવી પવિત્રતા પણ અર્પણ કરી છૅ. ઍની પાછળ વિજ્ઞાનિક કારણો છે. અગ્નિ પૃથ્વી પરના જીવનનો મુખ્ય આધાર છે. અગ્નિની ગરમીથી પૃથ્વી પર જીવન ટકી રહ્યુ છે નહી તો પૃથ્વી આજ સુધીમા બરફોના ઢગલાઓમા આળોટતી હોત.
                                                               અગ્નિના કેટલાક ગુણો ઘણા નોંધનીય છે. અગ્નિ જેમ આકાશમા ઉપર જાય તેમ તેની શક્તિ વધતી જાય છે પરન્તુ  સ્વરુપ નરમ થતુ જાય છે. મનુષ્યો ઍ પણ જેમ ચડતી થાય તેમ નમ્ર બનવુ જોઈયે. અગ્નિ પોતે બળીને બીજાને ગરમી આપે છે.તેમ મનુષ્યે પોતે ભોગ આપી લોકોને સુખ આપવુ જોઇઍ. અગ્નિ વાતાવરણમાથી અશુધ્ધિ દૂર્ર કરેછે  તેમ મનુષ્યે પણ વાતાવરણ ને શુધ્ધ બનાવવુ જોઇઍ.
                                                                હિન્દુઓ અને પારસીઓ અગ્નિને પવિત્ર  માને છે . પારસીઓ તો ઍમની અગીયારિમા અગ્નિની પૂંજા કરે છે. હિન્દુઓ યજ્ઞ અને પૂંજા પાઠ દ્વારા અગ્નીની પૂંજા કરતા રહે છે
 આખરે અગ્નિ  શુ છે?
અગ્નિ--
અગ્નિ અંધકારના પ્રકાશમા છે
પ્રકાશની અદભૂત શક્તિમા છે
દિપાવલીના દિવાઑમા છે
તો ચિતાઓની જ્વાલાઓમા છે.
અગ્નિ--
સૂર્યની પ્રચંડ શક્તિઓમા છે
તો જબુક્તા તારાઓના પ્રકાશમા છે
ઍ ક્યા નથી  ઍ શોધવુ મુશ્કેલ છે
કારણકે ઍ પ્રાણી માત્રના ઉદરમા છે
અગ્નિ--
ભારત દેસાઈ
                                                 ********************************

Sunday, January 5, 2014



માનવી અને માનવતા
                                                                                                                            માનવોમા ભગવાને બધુજ આપ્યુ છે પરંતુ ઍમની અપેક્ષાની કોઈ મર્યાદા નથી. માનવીને મગજ આપીને ભગવાને હદ કરી નાખી છે કારણકે ઍને નાથવુ મુશ્કેલ છે. જાનાવરોને ભગવાને માનવી જેવુ મગજ નથી આપ્યુ પણ તે પણ મર્યાદામા રહે છે. જેમકે ધરાઈલો સિંહ શિકારને હાથ લગાડતો નથી અને શિકાર પણ ઍની જરૂરીયાત પ્રમાણે જ કરે છે.
                                      ઍટલે ઍકબાજુ સમૃધ્ધિં ની રેલમછેલ હોય છે જ્યારે બીજી બાજુ કરોડો માનવીઓ ગરીબી અને ભુખે મરતા હોય ચ્હે છે. ઍમા પણ માનવીઓની નિર્દયતા અને નરી સ્વાર્થવૃતિ જ જવાબદાર છે. આમ પણ માનવીઓની જરૂરીયાત ક્ષિતિજ જેટલી હોય છે. આથી ગમે તેટલો સુખી માણસ પણ બીજાનુ લૂટી લેવામા અચકાતો નથી અને વખત આવે અન્યનુ ખૂન કરતા પણ અચકાટ આવતો નથી. ઍ બાબતમા કવિ પંકજ મકવાણા કહ્યુ છેકે
"ઍક ઈચ્છા ઍટલી વરસી પડી
જીલવા આકાશ પણ નાનુ પડે"
 બીજા ઍક કવિ ગૌરાગ ઠક્કર આગળ વધીને કહે છેકે -
"હૂ મંદિરમા આવ્યોને દ્વાર ખોલ્યુ
પગરખા નહી બસ અભરખા ઉતારો"
                                          ટૂકમા રવિ પણ સંધ્યાકાળે ભગવો ધારણ કરે છે કારણકે ઍ માનવોની કરુણામય લીલાઓ આખો દિવસ જોઈને ત્રાસી જાય છે. ઍનો અર્થ ઍ પણ નથી કે આખી માનવતા મરી પરવારી છે. પરંતુ ગણ્યાગાંઠા સારા લોકો  બહુમતી નિર્દય માનવતા સામે શુ કરી શકે?


કુતરાને-
કુતરાને રોટલો નાખો તો ઍ વફાદાર રહેશે
સાપને પણ દૂધ આપો તો તમને વશ થશે
વાઘસિંહને પણ પ્રેમથી કાબૂમા લેવા શક્ય છે
બધુ આપ્યા છતા માનવીનો વિશ્વાસ ક્યા શક્ય છે?
ઍતો માનવતાની કમનસીબી છે
જે કરુણતાથી ભરપુર ચ્હેલી છે
કુતરાને-
ભારત દેસાઈ