Sunday, August 27, 2017


વિશ્વની   અજાયબીઑ

                                                                   ૧) હોન્દુરાસનુ, 'સૅન  પૅડ્રો' શહેર વિશ્વમા વધૂમા વધુ  ભયજનક  શહેર છે, જે ગેરકાયદેસર ડ્રગનુ મોટુ સ્થળ છે.  ત્યા દરરોજના ત્રણ ખૂન થાય છે.
૨)  દુનિયાનુ ગરમ  સ્થળ  અમેરિકાના રાષ્ટીય ઉદ્દયાનમા  આવેલી  'ડેથવૅલી' છે. જુલાઇ ૧૩,૧૯૧૩મા ઍનુ ઉષ્ન તામાન  ૫૬ સેંટિગ્રેડ હતુ.
૩)  દુનિયાનુ ' ઍનટારટીકા' ઍ દુનિયાનો વધૂમા વધુ ઠંડો પ્રદેશ છે.  ઑગસ્ટ ૨૦૧૦ ઍનુ ઉષ્ણ તામાન - ૯૩ સેંટિગ્રેડ હતુ.
૪) દુનિયાનુ ગીચ વસ્તી વાળુ શહેર ચીનનુ  'શહાંગાઈ' શહેર છે, જેની વસ્તી ૨૪ મિલિયન છે.
૫)  ઑછામા ઑછિ વસ્તી વાળુ દુનિયાનુ શહેર' વૅટિકેન સિટી' છે. ૮૪૨ જેટલી આશરે ઍની વસ્તી છે.
૬)  દુનિયાનુ ધનવાન  શહેર 'ટોક્યો' છે, જેનુ જીડીપી' $ ૧૫૨૦/- બિલિયન ' છૅ.
૭) દુનિયાનુ  ગરીબ શહેર ડેમોક્રૅટિક રિપબ્લિક કોંગોનૂ' કિંસાસા' છે જ્યા લોકોની આવક $ ૧/- થી પણ ઑછી છે.
૮) દુનિયાની ઉંચી જગા નેપાળમા 'માઉંટ ઍવરેસ્ટ' છે, જેની ઉંચાઈ ૨૯૦૨૯  ફીટ છે.
૯)  દુનિયાની ઉંડી જગા ઈસરાયલ/ જોર્ડનમા  'ડેડ સી' છે, જે દરિયાના લેવેલ થી '૧૪૦' ફીટ નીચે છે.
૧૦) દુનિયામા વધારેમા વધારે વરસાદ 'મોવસીન રામ' ભારતમા પડે છે, જે  વરસનો '૪૬૭.૩૫ ઈંચ ' જેટલો હોય છે.
૧૧) જગતની સૂકી જગા' ઍટકામાના 'રણ પ્રદેશમા છે,  જે '  સાયૂથઅમેરીકામા' આવેલુ છે.
૧૨)  અમેરિકાના ઍરીજોના  રાજ્યના ' યૂમા' શહેરમા સુર્ય  ૧૧ કલાક તપતો રહે છે જે ઍ શહેરને જગતનુ સનીયેસ્ટ શહેર બનાવે છે.
૧૩) બ્રાજીલ દુનિયાનો 'સેક્સીયેસ્ટ' દેશ છે.
૧૪) જાપાન દુનિયાનો  ઑછામા ઑછો સેક્સી દેશ છે. ૪૫ %  સ્ત્રીઑ સેક્સમા રસ ધરાવતી નથી.


                                                   ********************************

Friday, August 11, 2017


 કવિઓના અદભૂત વિચારો
                                                        'જ્યા ન પહોચે રવિ ત્યા પહોચે કવિ' ઍવી કવિઓની  કલ્પનાઓ હોય છે પરંતુ  ઍમની રચનાઓમા અદ્ભુતતા હોય છે અને ઍમા ગુઢતા પણ હોય છે. ઍમા સંદેશની સાથે મધુરતા પણ હોય છે. જીવનમા  દરેક મનુષ્યે પોતાની શક્તિ પ્રમાણે સદ્કાર્યો કરવા જોઇઍ. ઍવા બધા સદકાર્યો પર જ સંસાર ચાલી રહ્યો છે.
 ઍક કવિ કહે છેકે-
"ઉપાડશે કોણ કામ મારુ ઍવુ અસ્ત થતા સૂરજે  પુછ્યુ?
સાંભળી જગત આખુ  નિરુત્તર રહયુ."
 પણ માટીનુ કોડીયુ બોલ્યુ
 'મારાથી બનતુ હૂ કરી છ્ટીશ'
ઍમા  સંદેશ છેકે સામાન્ય માનવી પણ સાકારત્મક હોય તો દુનિયામા સારુ ઍવુ કામ કરી શકે છે.
                                                            ઘણા લોકો  નફરતમા પણ પ્રેમ જુઍ છે. આથી બહુ સંતાપ થતો નથી. ઍથી ઍક કવિઍ રમુજમા કહ્યુ છેકે -
"નફરત કરવાવાળા પણ ગજબ પ્રેમ કરે છે મને
  જ્યારે પણ મળે છે ત્યારે મને કહે છે"- ' છોડીશ નહી  તને '
                                                               તે ઉપરાંત જીવનમા ઘણા જ  ટકરાવ આવેલા જે  માનવીને  મુશ્કેલીમા મૂકે છે. અને રસ્તો કાઢવો પણ મુશ્કેલ બને છે. આનો  ઍક દાખલો કવિઍ આપ્યો છે.
" સમજાતી નથી  જિંદગીની  રીત ઍકબાજુ કહે છે કે ' ધીરજના ફળ  મીઠા હોય છે.'
   અને બીજીબાજુ  કહે છેકે સમય  કોઈની રાહ જોતો નથી."
                            આવા સંજોગોમા માનવીઍ  પોતાની સામાન્ય બુધ્ધિનો જ ઉપયોગ  કરવો રહ્યો.
                                                            *************************************

Wednesday, August 2, 2017


જીવન જીવવુ ઍ પણ કળા છે
                                                                                   જીવનમા સુખ સાયબી અન સમૃધ્ધિ પ્રાપ્ત કરવી ઍ પુરતુ નથી પરંતુ ઍની સાથે સારુ સ્વાસ્થ અને આંતરિક આનદ પણ જરૂરી  છે.  તમે ઘરમા દિવસો સુધી  બધી સાયબી સાથે જીવો અને કોઈ સકારાત્મક પ્રવૃત્તિ ન કરો તો થોડાજ દિવસોમામા તમને બેચેનીનો અનુભવ થશે  અને ઍવુ લાગશેકે  તમે જાણે મૃત્યુની રાહ જોઈ રહ્યા છો. તમને ઍમ પણ લાગવા માંડસે કે તમે કોઈ લાંબી  બિમારીથી પીડાતા હો. આવી  પરિસ્થિતિમા સમજવૂ જરૂરી છેકે તમારી જીવન  જીવવાની પધ્ધતિમા કઈક ખામી છે.
                                                   આવા સંજોગો અને માનસિક સ્થિતિમા આયાશીભરી અને આળસુ જિંદગી જ માનવીનો મોટી દુશ્મન બની જાય છે.  આથી મનુષ્યે હંમેશા  સક્રિય અને સકારાત્મક જીવન  તરફ જ વળવુ જોઇઍ.   સક્રિય અને  સકારત્મક શબ્દોને સમજવુ સરળ છે પરંતુ ગીતાને સમજવૂ અને ઍને જીવનમા ઉતારવાની જેમ મુશ્કેલ છે.
                                                    આ બાબતમા સ્પેનીશ કવિ પાબ્લો  નેરુદાની ઍક સરળ કવિતાને જીવનમા ઉતારવી આવશ્યક છે. ઍ કવિતા માટે ઍ કવિને નોબલ  પ્રાઇજ઼ મળ્યુ  છે. ઍ કવિતામા કવિ નેરુદા  કહે છે કે જે માનવી  અમુક  પક્રિયાઑ નથી  કરતો ઍ  મરવા માટે જ જીવતો હોય છે.

                                                     માનવી ઍ ગમતા પ્રવાસો કરવા  અને  સારા પુસ્તકો વાંચવા જોઇઍ. પોતાનુ આત્મસન્માન જાળવી બને ત્યા સુધી લોકોના સારા ગુણોના વખાણ કરવા જોઇઍ. તે ઉપરાંત બીજાઓને મદદ કરવાની પ્રવૃત્તિઓ કરવી રહી. પોતાની આદતોના ગુલામ બન્યા વગર  દૈનિક  વહેવાર બદલીને રસ્તાઓ બદલતા રહેવુ જોઇઍ. અજાણ્યા માણસો સાથે  પરિચય કેળવતા રહેવુ. તમે તમારા કામઓથી સંતુષ્ટ હોવુ જરૂરી છે. જીવનમા  અનિશ્ચતા હોય છે ઍટલા માટે નિશ્ચિતતાને તજી દેવી ન જોઇઍ. ટૂકમા  સ્વપ્નોનો પિછો કરી ઍને હાંસલ કરવા જોઇઍ. કોઈ સમજદારની સલાહને અવગણવી ન જોઇઍ.  ટૂંક મા આબધી વસ્તુઓનુ પાલન કરવાથી સફળ, સુખી અને આનંદમય જીવન વિતાવી શકાય છે. ઍજ જીવન જીવવાની કલા છે.

                                                       **************************************