Monday, August 11, 2014


સ્વતંત્રતાની રાત્રી અને લોકોની દિવાનગી
                                                                                                                                                           ૧૯૪૭ ના ૧૫મી ઑગસ્ટના દિવસે આપણા ભારત દેશની સ્વતંત્રતાની રાત્રી હતી. મારી ઉંમર તે વખતે ૧૦વર્ષની હશે પરંતુ સ્વતંત્રતાનો નશો ચડ્યો હતો. હવે આપણે' ત્યા દૂધની નદીઓ વહસે અને આબાદી પાર નહી  હોય' ઍવી ભાવનામા આખો દેશ તરબોળ હતો. લોકોમા ઉલ્લાસ અને આનંદની કોઈ સીમા ન હતી. આખી રાત અમે ઉઘાડી ટ્રકમા રોશનીમા તરબોળ થઈ મુંબઈમા ઘુમતા રહયા હતા. બધી સરકારી અને ખાનગી ઈમારતોને શણગારવામા આવી હતી. રસ્તા પર માનવો કીડીની જેમ ઉભરાતા હતા. કિકિયારીથી આખુ આકાશ તરબોળ હતુ. વાહનો પણ કીડીની ગતિથી ચાલતા હોય ઍમ લાગતુ હતુ. બ્રિટિશોની ૧૫૦ વર્ષની પણ બીજા આક્રમકારોની ૨૦૦૦ વર્ષોની ગુલામીમાથી સ્વતંત્ર થયેલા  લોકોનોઍ શંખનાદ હતો. લોકોની કેટલી આકાંશાઓ, અભિલાશાઓ,  ઍમા ભરાયેલી હતી. આવી ઉજ્જવળહતી- સ્વતંત્રતાની તે રાત્રી.

 સ્વતંત્રતાની રાત -
સ્વતંત્રતાની રાતે લોકોમા દિવાનગી જોઈ
મદ પાન કર્યા વગરનો નશો જોયો
ગાંડપણ વગરની દિવાનગી જોઈ
આનંદ અને ઉલ્લાસમા તણાતી મેદની પણ જોઈ
સ્વતંત્રતાની રાત-
ત્યાર બાદ હિંસાના તાંડવ જોયા
ઘરબાર વગરના  લોકોની કટારો પણ જોઈ
ભાગલાંમા રહેસાઈ ગયેલા લોકોની કિકિયારીઑ સંભળાઈ
ત્યારે ન સમજાયુ, આ સ્વતંત્રતા ક્યા ભોગે?
સ્વતંત્રતાની રાત-
આજે ૬૫ વર્ષ સુધી રાહ જોઈ
પણ ગરીબાઈ અને ગરીબાઈની પીડા ન ગઈ
લોકોમા સ્વતંત્રતાની કોઈ કીમત ન દેખાઈ
. લોકો હવે કહેતા થયા , 'ઉલામાથી ચુલામા પડ્યા' ભાઈ
સ્વતંત્રતાની રાત-
ભલે બધે ઘોર અંધકાર દેખાય
અંધકાર બાદ જ પ્રકાશ ફેલાય,
પ્રકાશ અને ઉલ્લાસ તો જરૂર આવશે
પરંતુ તે જોવાને અમ કદાચ ન રહીશુ
સ્વતંત્રતાની રાત-
ભારત દેસાઈ
                               ******************************************

Sunday, August 3, 2014



મહાન નેતા
                                                                                                                                                            દેશનુ ભાવી નેતાના હાથમા હોય છે. જે દેશના નેતા પ્રબળ હોય ઍજ દેશ પ્રગતી કરી મહાન સત્તા બની શકે છે.  અમેરિકાના જોર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન,  ઇંગ્લેંડના વિન્સ્ટન ચર્ચિલ, ચીનના મૌત્સે તુંગ, જર્મનીના હિટલર, ભારતના મહાત્મા ગાંધી ઍક ઉંચ કક્ષાનાં નેતાઓના દાખલાઓ છે. તેઑઍ ઍમના દેશોને ઉપ્પર લાવવા માટે મોટો ફાળો આપ્યો છે.
                                                                       નેતાઓમા અમુક ગુણો હોવા જરૂરી છે.  તોજ કોઈ પણ દેશ આગળ આવી શકે છે. ઍવા તે કેવા ગુણો છે જે ઍ તે દેશનો ઉધ્ધાર કરી નાખે છે.

૧) નેતા ઍ પોતાના જીવનનુ  બારીકાઈ થી અવલોકન કરવુ જોઈ ઍ. અને ઍમા કરેલી ભુલોને સુધારી લેવી જોઇઍ.
૨)  કોઈ પણ બાબતમા વિજય મેળવવા માટે  નેતા ઍ સધ્ધર પગલા લેવા જરૂરી છે.
૩) સમયમા રહેવુ અને શિસ્ત જાળવવીઍ સફળ નેતાઑનો ઉત્તમ ગુણો છે.
૪) ઉત્તમ નેતામા કઈક નવુ કરવાની ભાવના હોવી જરૂરી છે.
૫) નેતા ઍમના વિચારોમા, સરલ અને સ્પષ્ટ હોવુ જરૂરી છે.
૬) નેતાનુ વાંચન ઉંચ કક્ષાનુ હોવુ જોઈ ઍ જેમાથી લૉક હિતના વિચારો  મળી  શકે.
૭) નેતાઓનો સંગાથ ઉંચ કોટિના લોકો સાથે હોવો જોઈ ઍ અને જેઓ પ્રેરણા દાયક હોય.
૮) નેતાને ઉચ્ચ લક્ષાંકો હોવા જોઇઍ અને જવાબદારી લેવાની તૈયારી હોવી જોઇઍ.
૯) મુશ્કેલ પ્રશ્નોનો સામનો કરવાની તૈયારી હોવી જોઇઍ.
૧૦) નેતા હંમેશા સકારાત્મક હોવા જરૂરી છે.
૧૧) ઍ હમેશા નિર્ભય અને બહાદુર હોવુ જરૂરી છે.
                              આ બધા લક્ષણો  સફળ નેતાઓમા જોવા મળે છે.
                          *******************************************