Friday, May 25, 2018


ગુજરાતીઑનો અદભૂત પ્રભાવ
                                                                              ગુજરાતી પ્રજાની સમૃધ્ધિ  ઇતિહાસીક  અને અત્યારના  સમયમા હજુ ટકી રહી છે. ઍનુ  કારણ ઍમની સાહસિકતા, વૅપારિક ચાતુર્ય, અને અજાણ્યા લોકોમા મનમેળ જાળવી રાખવાની ઍમની કુનેહ છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણામા જાઓ તો ઍકાદ ગુજરાતી તો મળી જ જશે.  હિન્દુસ્તાનમા કેટલા બહારના લોકો આવ્યા  અને રાજ઼ કરી ગયા પણ દરેકની સાથે ગુજરાતીઓના સબંધો સારા રહયા અને ગુજરાતીઓ પોતાનો વેપાર વધારતા જ ગયા ઍ ઍમની અદભૂત સિધ્ધિ છે.                                                                              મોગલોના સમયમા ગુજરાતના વેપારીઓની સાખ મોગલ બાદશાહોના  જનાનખાના અને દરબાર સુધી હતી. અમદાવાદના હિરાના અગ્રગણ્ય વેપારી શાંતિલાલને મોગલ બેગમ ભાઈ માનતી હતી. આ ગુજરાતીઓની  જહેજલાલીનો નમૂનો છે. અકબરે ગુજરાતની જીતમા ફતેહપુર સિકકરીમા   બુલંદ દરવાજો બનાવ્યો તે હજુ મોજુદ છે.  તે સમયે પણ ગુજરાતની કેટલી મહત્વતા હતી ઍજ બતાવે છે. કોઇ પણ રાજાને રાજ કરવા અને સૈન્યને નીભાવવા માટે ધનની જરૂર પડે તે ગુજરાત પાસેથી મળી રહેતી, પરંતુ ઍની સામે ગુજરાતીઑ ચતુરાઈથી વેપાર ધંધામા રક્ષણ પણ મેળવી લેતા. આથી રાજાઓ આવ્યા અને ગયા પણ ગુજરાતીઓ સમૃધ્ રહ્યા. ઍ ઍમની કુનેહનુ પરિણામ રહયુ,

                                               
                                                       અંગ્રેજો આવ્યા તે પહેલા ગુજરાતના  ખંભાત, ભરૂચ અને સુરત પણ  આંતરાષ્ટ્રીય બંદરો હતા. કહેવાય છે કે તે જમાનામા સુરત બન્દરે ૫૬  રાષ્ટ્રોના વાવટાઓ ફરકતા હતા. ઍટલેકે કેટલાઍ પરદેશી રાષ્ટ્રો સાથે વેપાર ચાલતો હતો. અંગ્રેજો સુરત બન્દરે ઉતર્યા હતા અને ઍમની પહેલી વખાર (કોઠી) ઈસ્ટ ઇંડિયા કંપનીના નામે નાખી હતી. અને પછી 'કંપની સરકારને 'નામે હિન્દુસ્તાનનુ રાજ પચાવી પાડ્યુ હતુ.  પરન્તુ ઍજ કંપનીની માલિકી આજે લંડનમા સંજય મેહતા ગુજરાતીની છે. જે ગુજરાતના બન્દરેથી અગ્રેજો આવ્યા ઍજ ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીઍ ઍમને હાંકી કાઢ્યા હતા.

                                                      ગુજરાતીઓે પરદેશમા ઍટલા જે સફળ નીવડ્યા છે અને ધન કમાયા છે. ગુજરાતીઓ  દક્ષિણ આફ્રિકા, તાંજાનિયા, ફિજી, મોરીસિયસ, ઉગાન્ડા, કેન્યા,  મિયિન્માર(બર્મા), મલયઍશિયા, યૂકે, અમેરિકા,કૅનડા,  સિંગાપુરઅને   ન્યૂજિલેન્ડ, પણ જઈ વસ્યા છે. અને ત્યા પણ સફળ રહયા છે.  ગુજરાતીઓની અમેરીકામા ૧/૩ મોટેલ અને હોટેલ વેપારમા માલિકી છે. અમેરીકામા ગુજરાતીઓ ૧૨૦૦૦ ફાર્મેસીઑ સ્વતંત્રપણે ચલાવે છે.  ઍંટવર્પ, બેલ્જિયમમા હિરાના વેપારમા ગુજરાતીઓ આજે પણ પ્રભુત્વ ધરાવે છે. સુરત ઍકલુ જ દુનિયાના ૯૦%  હિરાઓ પોલિશ કરીને દુનિયાભરમા ૧૩ બિલિયન ડૉલર જેટલી કિંમતના હિરાઓ વેચે છે. ભારતના ટોટલ ઍક્સપોર્ટનો ૨૨% હિસ્સો ગુજરાતનો છે. અને દુનિયાની ઍક મોટામા મોટી ડેનિમની મિલ પણ અમદાવાદમા છે.
                                                                      ભારતના ધનવાન વ્યક્તિઓમા મૂકેશ અંબાણી,  દિલીપ સંઘવી, અને હાસિમ પ્રેમજી પણ ગુજરાતીઓ જ છે.  આજે પણ ૯૦ લાખ જેટલા પરદેશમા વસતા ગુજરાતીઓ ગુજરાતનુ નામ દુનિયાભરમા રૉશન કેરી રહ્યા છે. ભારતને સ્વતંત્રાતાઅપાવનાર ગાંધીજી હતા તો રજવાડાઓને નાબૂદ કરી ભારતને ઍક કરનારા સરદાર પટેલ પણ ગુજરાતી હતા. પાકિસ્તાનની રચના કરનાર મહંમદઅલી ઝીણા પણ ગુજરાતી જ હતા.
                                                                    ટુંકમા ગુજરાત અને ગુજરાતની ઝહેજ લાલી માટે ગુજરાતી પ્રજાની સાહસિકતા, ચતુરાઈ, અને મુશ્કેલ જગાઍ જઈને મહેનત કરી સફળતા મેળવવાની આવડત જ જવાબદાર છે. ઍટલા માટે જ ભગવાન કૃષ્ણે પણ ગુજરાતની ભૂમીમા રહેવાનુ અને મરવાનુ પણ પસંદ કર્યુ હતુ.
                                                                 
                                          *******************************

Monday, May 21, 2018


નૌતિક્તા અને ધાર્મિકતા
                                                                                      આજકાલ ભારતમા ધાર્મિકતાનુ  પ્રમાણ વધતુ  જાય છે. ઍના કારણો પણ સામાન્ય છે.  જેવાકે
૧) મંદિરોમા  લોકોનો  ભરચક  ગિરદીઑ હોય છે. ઍમા યુવાનોનૂ પણ પ્રમાણ વધ્યુ છે ઍ સારી નિશાની છે.
૨) નવા નવા મંદિરો બંધાતા જ જાય છે.
૩) પુરાતન મંદિરો પ્રત્યે પણ શ્રધ્ધાનો પ્રવાહ વધતો જ જાય છે.
 ૪) જૂના અને જાણીતા પુરાતન મંદિરોની સમૃધ્ધિ અતૂટ દાનના પ્રવાહથી વધતી જ જાય છે. ઍના પૂરાવાઓ મોજુદ છે.
      -સાઇ બાબા મંદિર શેરડીની વાર્ષિક આવક રૂપિયા ૪૬૦ કરોડની થઈ છે.
      - તિરૂપતિ બાલાજી મંદિરની વાર્ષિક આવક રૂપિયા ૨૨૪૮ કરોડ જેટલી છે.
      -વિષ્ણુદેવી મંદિર, જમ્મૂ કાશ્મીરની વાર્ષિક આવક રૂપિયા ૫૦૦ કરોડ જેટલી આંબી જાય છે.
      -ગુરૂવાૈયરાપપન મંદિર, કેરાલાની વાર્ષિક આવક રૂપિયા ૪૮૦૦ કરોડ જેટલી છે.
       -મિનાક્ષી મંદિર, તામિલનાડુની વાર્ષિક આવક રૂપિયા ૬૦૦ કરોડ છે.
                                                      આજ બતાવે છેકે લોકોની ઉદારતાનો પાર નથી અને ઍજ ઍમની  ધાર્મિકતાનો ઉચ્ચ નમૂનાઓ  છે.

                                                       બીજી બાજુ જોઇઍતો ભારતમા નૈતિકતાનુ પ્રમાણ પણ  નીચે જઈ રહ્યુ છે.   ફક્ત ૩% લોકો જ દેશમા આવક વેરો ભરે છે. આથી કદાચ  કાળા પૈસાનો અમુક પ્રમાણ મંદિરોમા દાનના રૂપમા વહેતો હશે ઍવુ પણ બનતુ હોવુ જોઇઍ.  દેશમા ભ્રષ્ટાચારનુ પ્રમાણ વધતુ જાય છે.  સ્ત્રીઓને લગતા ગંભીર ગુનાઓ વધતા જાય છે. ભૌતિક્તાને લીધે બીજા ગુનાઓ પણ વધી રહ્યા છે. વિકાસ પામતા દેશોમા કેટલાક લોકો નૈતિકતાને ભોગે પ્રગતીને પંથે આગળ જતા હોય છે.

                                                        મુળમા પ્રશ્ન ઉધ્ભવે છેકે ધાર્મિકતા સાથે  અધપતન કેમ?  ઍટલૂ તો સમજાય છે કે લોકો ધર્મનેતો અનુસરે છે પરતુ ધર્મને આચરણમા મુકવામા ગફલત ખાઈ જાય છે. લોકોમા ધાર્મિકતા જાગી છે તો આચરણમા મૂકવાની વૃત્તિ પણ જાગશે. ઍનો અર્થ ઍમ પણ નથી કે બધા જ ધર્મો આચરતા નથી. જે કેટલાક રસ્તો ભુલેલા છે ઍમા પણ વખત જતા ધાર્મિકતાને લીધે નૈતિકતા જાગૃત થશે અને મૂળ ભારતીય સંસ્કૃતિના પ્રવાહમા ભળી જશે.
                                                                 **********************************                                

Wednesday, May 16, 2018


માર્ક ઝુકેરબર્ગ અને ફેસ બુક
                                                                                ફેસ બુક જ્યારે શરૂ કરવામા  આવ્યુ ત્યારે ઍના સ્થાપકનો ઈરાદો ઍને લોકોનો  સંમ્પર્ક વધારવા માટે ઍનો ઉપયોગ  કરવા  માટે હતો પરંતુ વખતની સાથે ઍ ઍક  વૈપારિક સાધન બની ગયુ. લોકોનો પર્સનલ સંપર્ક ઑછો કરવામા ઍક નિમિત્ત રૂપ બની રહ્યુ.
                                                                                કેમ્બ્રિજ  ઍનિલિટિકાના ફેસબૂકના  ૮૭ મિલિયન લોકોની માહિતીઓ ચોરવાના કૌમ્ભાણ બહાર આવતા ફેસબુકની આબરૂને મોટી ઠેસ  પહોચાડી છે.   ફેસબૂકના વડાને ઍનો જવાબ ઍમના ઘરાકોને અને અમેરીકન  તથા બ્રિટિશ સરકારોને સ્પષ્ટતા આપતા દમ નિકળી ગયો છે. ફેસબૂકના શેરના ભાવોમા પણ મોટુ ગાબડુ પડ્યુ હતુ.
                                                                                 તે છતા ફેસ બૂકની સંપતી અને વેપાર અચળ રહ્યા છે.  ઝુકેર બર્ગની  સંપત્તિ ડૉલર ૬૭  બિલિયન છે અને તેઓ દુનિયાના ૭મા  નંબરના  પૈસાદાર  વ્યક્તિ છે. અજબની વાત તો ઍછેકે ઍમણે ૯૦ %સંપત્તિ દાનમા આપી દીધેલી છે.
                                                                               આજે પણ ફેસબુક  ૨.૧ બિલિયન  વિશ્વના લોકોને ઍક  બીજા સાથે બાંધી રાખ્યા છે.  ઍની નેટ આવક  ૨૦૧૮ મા  $૨૧ બિલિયનની ધારવામા છે. જાહેરાતો દ્વારા જ ૨૦૧૭ મા ફેસ બૂકને $ ૪૦ બિલિયનની આવક થઈ હતી.

                                                                               ફેસબૂકની મુખ્ય વહીવટી અધિકારી શેરીલ સૅંડબર્ગ ની  સંપત્તિ પણ $ ૧  બિલિયન છે ઍ જ ફેસ બૂકની સધ્ધર તા બતાવે છે.

                                                                                 તે છ્તા લોકોની માહિતીનો કેટલે અંશે બહાર જતા સાચવી શકશે ઍના  પર જ ફેસબૂકની સાખ જળવાઈ રહેશે. ઍમા જો ઍ નિષ્ફળ જશે તો ઍને ઍના મેમ્બરોં ગુમાવવા પડશે ઍમા  શંકા નથી.
                                   ******************************************                 

Saturday, May 5, 2018


જીવનના સંદેશાઓ
                                                                              જીવનના અનુભવોને  લેખકો  અને કવિઓે ઍ જુદી જુદી રીતે રજૂ કર્યા હોય છે. ઍમા શાયરી ઍક ઍવો પ્રકાર છે જે ઘણી વાર રુદય સ્પર્શી હાય છે.  ઍમા   શૂન્ય પાલનપુરી મોટા ગજાના શાયર હતા. તેઓ પોતાને રસમય રીતે રજુ કરે છે.
'પરિચય છે મંદિરોમા દેવોને મારો,
 અને મસ્જિદોમા ખુદા ઓળખે છે.
 નથી મારુ વ્યક્તિવ છાનુ કોઈથી,
  તમારા પ્રતાપે બધા ઓળખે છે.'
                                         ઍમનુ માનવુ છેકે જેટલી અપેક્ષા વધારે  ઍટલૂ  દુખ વધારે. કહે છે'
'દુનિયાની વ્યથાઑ  ક્યા કમ છે?  ઈચ્છાનો વધારો શા માટે?'
                                        જાલન માતરી  ઍ વિદાયની બાબતમા સુંદર રીતે  લખ્યુ  છે.'

'કેવા શુકનમા પર્વતે  આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી  નદી પાછી  વળી નહી.'
                                           સુખ દુખની બાબતમા તેઓ લખે છેકે-
'ગમે ના સૌ કવન તો માફ કરજો. ઍક બાબત પર,
ખુદા જેવા ખુદાના ક્યા બધા સર્જનો મજામા છે.'

નીરંજન ભગતે મૃત્યુ વિષે  સુંદર લખ્યુ છે.
'ગમે ત્યારે આપણે ઍક્મેકમા ભળી જશુ
ગમે ત્યારે આપણે ઍક સાથે જ બળી જશુ
ત્યારે મારા મૃત્યુ સામે તારુ મૃત્યુ.'
અને પ્રભુ ભક્તિ વિષે કહે છે-
'હરિવર મુજને હરી ગયો
મે તો વહાલ કીધુ ન્હોતુ,
ને તોયે મુજને વરી ગયો.
 ઍક શાયરે અભિમાન પર સુંદર અને સચોટ પ્રહાર કર્યો છે.
'ગરૂર કિસ બાતકા સાહબ
આજ  જમીન કે . ઉપર તો કલ જમીન કે નીચે'


ચાણક્યે  બહુ  સરસ કહ્યુ છે-
 જરુરીયાત કરતા વધૂ વસ્તુઓ  વિષ બની જાય છે
  પછી ઍ ભૂખ, ધન કે વિદ્યા હોય
  અભિમાન પ્રેમ કે પ્રસંસા  કેમ ઍન હોય
   નફરત અને અમૃત પણ વિષમય થઈ જાય છે.'
                                                                                જીભ પર કાબૂ રાખવો આવશ્યક છે કારણ કે ઍક લેખકે કહ્યુ છે.
'  જીભને થયેલી ઈજાઓ  સહેલાઈથી   રુજાઈ જાય છે,
   પણ જીભથી થયેલી ઈજાઓ જીવનભર રહી જાય છે.'
                       આમ લેખકો, કવિઓ અને શાયરો  કોઈને કોઈ સંદેશો આપી જાય છે.
                                   *********************************