Wednesday, November 14, 2018


માયા ઍ સર્વ દૂષણોનૂ મૂળ
                                                                          દુનિયામા જે  સંગર્ષો, યુધ્ધો, ખુનામરકી, ખાના ખરાબી, વેરવૃત્તિ અને  ઇર્ષા જેવી ભયંકર પ્રવૃત્તિઓનુ મૂળ માનવીઓની માયામા છે.  કોઈને ધન સંપત્તિ, તો કોઈ સત્તા માટે કૃત્યો કરે છે.  કેટલાક પોતાની તિવ્ર માયાને  અહમ્ અને વેરવૃત્તિમા ફેરવી નાખે છે અને વિશ્વમા, સમાજમા અને કટૂંબમા વિનાશ નોતરે છે. માયા ઍ જીવનમા ઍક વ્યર્થ વસ્તુ છે જેમા કોઈ સ્થૂળતા નથી. આખરે તો ઍક્જ સત્ય છે કે મનુષ આ જગતમા ઍકલો રડતા રડતા આવે છે, અને ખાલી હાથે  સ્વજનોને રડતા મૂકીને જવુ પડે છે. વચલા સમયમા માયાનો ભોગ બને છે.  ઍટલા માટે  વિશ્વ વિજેતા સિકંદર ઍના મૃત્યુ સમયે નિરાશ હતો અને ઍની છેલ્લી યાત્રા દરમિયાન ઍના બે ખાલી હાથ જનાનાની બહાર રાખવામા આવ્યા હતા. લોકો જોઈ શકે કે ઍ ખાલી હાથે જઈ રહયો છે. ઍના આખા જીવન દરમિયાન માયામા આવી સત્તા માટે જુજમતો રહ્યો. ટુંકામા મૃત્યુ  બાદ ઍના સુકર્મો અને દુરચાર જ જીવંત રહે છે. માયાતો અદ્રશ્ય થઈ જાય છે. તે છતા માનવી માયાને વળગી રહે છે કારણકે  ઍ માનવા તૈયાર નથી કે  ' મૃત્યુ સત્ય છે'

                                                          સોનાના મૃગના મોહમા સીતા આવી જતા  રામ- રાવણનુ યુધ્ધ ઉભુ થયુ અને દ્રૌપદીની ઝેરી વેધક વાણીને લઈને મહાભારત ઉભુ થયુ.  પદ્માવતીના રૂપના મોહમા આવી  અલાઉદ્દિન ખીલજી ઍ મેવાડ સામે યુધ્ધ કર્યુ. સિધ્ધરાજ જૈસિહે રાણાક દેવી માટે રાખેંગારનો વધ કર્યો. આ બધી કોઈને કોઈ જાતના મોહ અને અંતે તો માયાની વાતો છે. પરીણામતો ખૂનામરકી જ હતુ.આથી જે માયાને વશ કરે ઍ જ સુખ અનુભવી શકે.

                                                              ઍટલા માટે માયાને  સમજી વશમા રાખવી જીવનમા આવશ્યક છે.  આથી-

જિંદગી તુ માયા તણી મહાજાળ છે
મૃગજળની જેમ  તારો ન કોઈ આધાર
સ્વજનો, મિત્રો, ભગિની અને ભાઈઓ
કાળા વાદળોમા સરકી જતી ચાંદની સમાન
મૃત્યુના આવતા સ્મશાન સુધીના સાથીદાર બધા
ઍકલો આવ્યો અને ઍકલો મૂકી જનાર સર્વદા.
તારા સુકરમો અને કુકરમો  યાદ કરશે તારી વિદાય બાદ
કારણ મૃત્યુ સત્ય છે ન માયા જાળ.
 ભારત દેસાઈ
                                                         *********************************

Saturday, November 3, 2018


મુસ્લિમોનુ  પવિત્ર ધામ -   સાઉદી અરેબિયા
                                                                                            મુસ્લિમ  ધર્મનો પાયો  સાઉદી અરેબીયામા થયો હતો. મક્કા અને . મદીના ઍ બે પવિત્ર શહેરો છે જેનો મુસ્લિમ ધર્મના સ્થાપક મહમ્મદ પૈગંબર સાથે સીધો સબંધ છે.  મુસ્લીમનો અર્થ અરેબિક્મા' ઍક જ ઈશ્વરમા માનનાર' ઍવો થાય છે. સાઉદી અરેબીયામા ૧.૮ બીલ્યન મુસ્લિમોના પવિત્ર સ્થળો આવેલા છે. આજે દુનિયામા મુસ્લિમો આસરે ૫૦ દેશોમા પથરાયેલા છે.
                                                                    આથી  ઈસ્લામના ઍટલેકે કુરાનના સખત નિયમોનુ સાઉદી અરેબીયામા પાલન કરવામા આવે છે.  ઍના ભંગ કરનારને સખત સજા કરવમાઆવે છે.  સાઉદી અરેબીયામા  લોકો માટે નીચેના કાયદાઓનુ અવલોકન કરવુ જરૂરી છે.
૧) દારુ પીવાની અને બનાવવાની સખત મનાઈ છે. કાયદો તોડનારને ફટકા મારવાની સજા થાય છે.
૨) હોમો સેક્ષુયલ માટે અહી મોતની સજા છે.
૩)  ખુન. ચોરી,  અને આડસબંધ માટે મોત સુધીની સજા હોય છે.
૪) મક્કા અન મદીના જેવા પવિત્ર શ  હેરોમા બિન મુસ્લિમ માટે પ્રવેશ બંધ છે.
૫)સ્રીઓના ફોટા લેવાની મનાઈ છે. અને પુરુષોના ફોટા માટે તેમની પરવાનગી લેવી જરૂરી છે.
૬)જમણા હાથને વસ્તુ લેવા માટે  અને હાથ મિલાવવા માટે પવિત્ર માનવામા આવે છે.
૭) ફાંસીની સજા માટે માથુ કાપી નાખવામા આવે છે. હવે તલવારોના અભાવને કારણે ફાંસીની સજા ગોળી મારીને પણ કરવામા આવે છે.
૮)કુટુંબ નિયોજનની અહિઍ મનાઈ છે.
 ૯) સ્ત્રીઓને ગાડી ચલાવવા દેવામા આ દેશ છેલ્લો છે. સ્ત્રીઓ બૅંક અકાઉંટ ન ખોલી શકે અને પ્રવાસ પણ ન કરી શકે. સ્ત્રીઓને નોકરી અને નોકરી માટે વડીલોની પરવાનગી લેવી પડે છે, સ્ત્રીઓને ૨૦૧૫મા જ મતાધિકાર આપવામા આવ્યો હતો.

                                                            તે ઉપરાંત સાઉદી અરેબિયાની કેટલીક બીજી બાજુ પણ જાણવા લાયક છે.
૧) અહિઍ ઓઈલ કરતા પાણી મોંઘુ છે.
૨) બે  પૈ ડા .પર ગાડી ચલાવવી અહીની જાણીતી રમત છે.
૩) સાઉદીઑ સામાન્ય રીતે ઉં ટનુ માંસ ખાય છે.
૪) મોટા ભાગની જમીન પર રણ  પથરાયેલ છે. ફક્ત ૨% જમીન જ સારી છે.  સમુદ્રના પાણીને પીવા લાયક બનાવી ઍનો ઉપયોગ પીવામા કરવામા આવે છે.
૫) સ્કૂલ અને આરોગ્ય સેવા અહિઍ મફત  આપવામા આવે છે.
૬) સાઉદી અરેબીયામા   રાજાશાહીની સ્થાપના ૧૯૩૨ મા થઈ હતી અને રાજ કુટુમ્બ પાસે અત્યારે ૧૪ ટ્રિલિયન જેટલી મિલકતો છે.
                                                              ઍનો વિસ્તાર  ૮૩ હજાર સ્ક્વેર માઈલ  છે અને ઍમા ચાર  જેટલી પુરાતન  અવશેષો આવેલા છે જેને યુનોસ્કો દ્વારા  હેરીટેજ  અવશેષો તરીકે માન્યતા  આપેલી છે.
                                        **********************************************