Sunday, December 23, 2012












બળાત્કાર
======
                             દુનિયામા બળાત્કારના  કિસ્સાઓ બધે જે બનતા હોય છે. ઍમા ધનિક,  ગરીબ, અભણ  કે  અશિક્ષિત દેશોમાથી કોઈ પણ અપવાદ નથી. ઍમા કામ ભૂખ અને આધુનિક જમાનાની વિકૃતિઍ કેરોસિન જેવો પદાર્થ નાખી ઍ આગને ભડકાવી છે.
                            થોડા દિવસ પહેલાજ દિલ્હીની ઍક બસમા કરુણ બળાત્કારનો કિસ્સો નોધાયો છે. ઍમા છ નારાધમોઍ ઍક પછી ઍક ૨૩ વર્ષની  યુવાન સ્ત્રી પર બળાત્કાર કરી અર્ધનગ્ન અવસ્થામા છોડી દીધી હતી. કોઇઍ ઍના શરીરને ઢાંકવાનો પણ પ્રયત્ન ન કર્યો. ઍને હોસ્પિટલમા  લઇ જવાની દરકાર પણ ન કરી. ઍનો ગુનો ઍ હતો કે ઍ મિત્રને મળી ઘરે જવા માટે  ખોટી બસમા ચઢી ગઈ હતી.
                             હજુ પણ ઍ કેટલી વાર ઍ ભયાનક  પ્રસંગને યાદ કરી બેભાન થઈ જાય છે. ઍના આંખમાથી હજુ પણ આન્શુઓ સુકાતા નથી. ઍના ભવિષ્યમા ઍને અંધકાર જ દેખાય છે.
                              ઍ બાળાત્કારને કારણે આખો દેશ ધ્રુજી ઉઠ્યો છે. ભારતની રાજધાનીમા પણ મહિલાંઓની કોઈ સલામતી નથી. ઍનાથિ સારો સમાજ કંપી ઉઠ્યો છે. મહિલા સમાજે, અને મહિલા સંસ્થાઓે ઍ દેખાવો યોજ્યા છે. મહિલા અને અન્ય નેતાઓે ઍ લોકસભામા અને રાજ્યસભામા  હંગામો મચાવ્યો છે. પોલીસ પણ જાગૃતિ પૂર્વક તપાસ ચલાવી રહી છે. ગુનેગારો પકડાઈ પણ જશે પરંતુ પછિ શુ?   ઍ મોટો પ્રશ્ન છે.
                              લોકોની માગણી છે કે ' કાયદાઓ બદલી ઍને સખત બનાવી  ગુનેગારોને સખત સજા થવી જોઇઍ જેથી ગુનેગારો પર ધારી અસર થાય અને આવા બનાવો બનતા અટકી જાય.  ઍ કોઈની તો બહેન હશે અથવા કોઈ ની પુત્રી હશે ઍમ માનીને ચાલવા કરતા આપણી પુત્રી અને બહેન માની સખ્ત કાયદા માટે બધોજ સહકાર આપવો જોઈેઍ.

આવી હેવાનિયતભરી ઘટનાને કારણે પ્રભુ પણ ઘણો દુખી હશે!  આથી
ઍના અનુસંધાનમા લખુ છુ.
માધવ તારી આંખોમા-----
માધવ તારી આંખોમા આંસુઓ  દીઠા છે અપાર
માનવો ઍ મૂકી માનવતા તેથી તૂ છે લાચાર
માધવ તારી આંખોમા---
ધોળે દિવસે રસ્તા વચ્ચે અબળાઓ લૂટાઇ છે
રાત્રીના અંધકારમા કેટલા ઍ દેહો ચુંથાઈ છૅ
નરાધમોની ઈચ્છા ચાલે ને સજ્જનો ઘરમા થથરે છે
દૂરજનોની વાહ જોઈને ધર્મ બિચારો કંપે છે
માધવ તારી આંખોમા ---
ક્યા લગી તૂ મુગો મુગો જોતો રહેશે આવા પાપચાર
ક્યા લગી તૂ મંદિરેથી  જોતો રહેશે આવા અત્યાચાર
હવે તો પાર્થને કહી દેકે ચઢાવે ઍના ધનુષ બાણ
વીંધી નાખે પાપીઓને સ્થાપવા ધર્મ તણો આચાર
માધવ તારી આંખોમા---
ભારત દેસાઈ
                                                 


                                                *********************************

Thursday, December 20, 2012












ભારતનુ સૌદર્ય
--------------
પ્રભુઍ ભારતને ખોબે ખોબે ભરીને કુદરતી સૌદર્ય આપેલુ છે. ઉત્તરમા હિમાલય દક્ષિણમા કન્યાકુમારી તો પૂર્વમા બંગાળનો મહાસાગર અને પશ્ચિમમા પશ્ચિમઘાટની ગીરીમાલાઑ પથરાયેલી છે. ઍના સૌદર્ય નો  આનંદ  અદભૂત છે. ઍ બધામા  ઉત્તરમા હીંમાલયમા ઍવરેસ્ટ  અને કાંચનજંઘાના હિમાદિત શીખરોનુ પ્રભાતનુ  સોનેરી સૌદર્ય સ્વર્ગમય હોય છે. ઍના વિષે  લખવા માટે શબ્દો નથી પરંતુ લખવા નમ્ર પ્રયત્ન કર્યો છે.
કાંચનજંઘા
----------
વહેલી સવારનો સમય હતો
પર્વતો ખેડીને આવ્યાનો શ્રમ હતો
શીતલ હવા છરીની જેમ તીવ્ર હતી
મુખમાથી ગરમ વરાળ  વહેતી હતી
વહેલી સવારનો---
સૂર્યોદય થવાની થોડી વાર હતી
જાણે અંધારુ સરકતુ હતુ
ત્યાતો થયો અદભૂત ચમકારો
સુવર્ણમય બની ગયુ શીખર સારુ
ધરતી પર જાણે સ્વર્ગ સર્જાયુ
વહેલી સવારનો સમય હતો
હદયે સ્વર્ગ દ્વારે પહુચવાનો આનદ હતો
ભારત દેસાઈ

દક્ષીણમા કન્યાકુમારીનો સાગર જ્યા સ્વામી વિવેકાનંદ સત્યની ખોજમા  બેઠા હ્તા. ત્યાનો સુર્યાસ્ત પણ અદભૂત હોય છે.
કન્યાકુમારી
-----------
જ્યા ત્રણ સાગરોનુ મિલન થાય
ત્યા ભૂરા, ભૂખરા, લીલા રંગોની રંગોળી રચાય
જમીનનો ઍક  ટુકડો જ્યા સાગરને વીંધે
ત્યા દેવિ કાન્યાકુમારીનુ સ્થાન કહેવાય                                      
જ્યા ત્રણ---
ક્ષિતિજ સુધી છે  પાણી પાણી જ્યા
વચ ટાપુ પર  છે મંદિર ત્યા.
ઍક સંતે લગાવી હતી ધૂણી જ્યા
ભારતના આત્મ સન્માનની કરવા ખોજ અહા
જ્યા ત્રણ---
સુર્યાસ્ત જ્યા સપ્ત રંગોમા થાય
દૂર દૂર અગન ગોળો  સરકી જાય
જ્યા સપ્ત રંગોની રંગોળી પુરાય
આભ મંડળમા જાણે સ્વર્ગ રચાય
જ્યા ત્રણ સાગરોનુ---
ભારત દેસાઈ
                                    ==============================

Monday, December 3, 2012


અમેરિકા ઍટલે જ અમેરિકન
==================
ભારતમા લોકો અમેરિકાની સમૃધ્ધિ પર આફરીન છે પરંતુ ઘણાને ઍ ખબર નથી કે ઍ સમૃધ્ધિ અમેરિકનો પર આધારિત છે. ઍટલા માટે અમેરિકનોને સમજવાની જરૂરત છે. અમેરિકનો ઘણા પ્રેરણાદાયી છે. ઍ ખાસિયતો ઍમને ઇતિહાસીક વારસામા  મળેલી છે.અમેરિકનો ઘણા સાહસિક,  જબરી મહેનત કરનારા, અને  કલ્પનાને  હકીકત બનાવનારા છે. ઍ લોકો જીવનમા ડર વગર જંપલાવનારા છે. ઍટલે કે નિષ્ફળતાને પાચાવનારા છે. બેંજામીન ફ્રેક્લીનની જેમ પ્રયોગો કરીને ઍમાથી સફળતા મેળવવાંનો આત્મવિસ્વાસ ધરાવે છે.
               અબ્રાહમ લિંકનની જેમ સફળતા માટે દુશ્મનોનો પણ ઉપયોગ કરી જાણે છે. પૈસા કમાવવા માટે ગમે તે તળજોડ કરવા તૈયાર છે. રેનાલ્ડ રેગન માનતા હતા કે અમેરિકનો મુળભુત રીતે  ઉમદા,   અને ઉદાર, પ્રજા છે.  તે ઉપરાંત અમેરિકાની રચના કોઈ જાતી, વિચાર, કે ધર્મ,પર થયો નથી ઍટલે ઍનૂ ભાવી  અજોડ જ રહેશે. લિંકનના કહેવા પ્રમાણે  ગમે તેવા વાતાવરણમાથી આવેલા માણસોને પણ અમેરીકામા  ઍમનુ ઉંચ ભાવી લાગે છે. આથી અમેરીકામા મહત્વકાંક્ષી ઍવા વસાહતીઓની ભૂમિ બની રહી છે. અમેરીકામા રહી પોતાના મૂળને સાચવી દરેક અમેરિકન જીવી શકે છે ઍ મહત્વની વાત છે. યૂરોપીયન લોકો પહેલ કરવામા ઘણા નબળા પડે છે પરંતુ અમેરિકનો કહ્યા સિવાય કરનારી પ્રજા છે. અમેરિકોનોને માટે સમૃધ્ધિ, સ્વતંત્રતા, અને સાહસીકતા સમાનતા કરતા પણ વધારે મહત્વના છે. અમેરિકનો માટે  સ્વતંત્ર દ્રષ્ટી મહત્વની છે. વધારે પડતી સરકારી દરમ્યાનગીરીથી અમેરિકનો નો સ્વાસ રૂંધાય છે.  દરેક અમેરીકન નાગરિક સ્વતંત્રતાની કિંમત ચૂકવવા તૈયાર છે.   આથી અમેરિકાની આંધળી નકલ કરવા કરતા ભારતીયોયે અમેરિકન પ્રજાના ગુણ ઉતારવા આવશ્યક છે.
                                           *******************************