Saturday, November 19, 2016


વશિષ્ટ  જીવન  કે પછી વયસ્થ જીવન
                                                                              વશિષ્ટ નાગરિક અને  વયસ્થ નાગરિકનો  તફાવતમા  બહુજ પાતળી રેખાઓ હોય છે. બધા  વયસ્થ નાગરિક વશિષ્ટ નાગરિક બની શકતા નથી. લોકોનો નિવૃતિનો અર્થ જ કેવો સમજે છે, ઍના પર ઍનો આધાર રહેલો હોય છે.
                                      નિવૃત્તિ ઍટલે  વખતને વેડફતા રહેવુ. બધી ચાલુ પ્રવૃત્તિઓ બંધ કરી દેવી.  ગપ્પાઑ મારતા રહેવુ ઍવો અર્થ કરો તો વશિષ્ટ નાગરિક બનવુ મુશ્કેલ છે. હા ઍવી શિથિલ જીવન શૈલીથી વયસ્થ નાગરિક જ રહી શકો છો. નિવૃત્તિ પછી તમારે વૈવાસીક પ્રવૃત્તિઓ બદલી તમારી મનગમતી પ્રવૃત્તિઓ શરૂ કરવાની હોય છે.જે સમય મળે  ઍમા સકારાત્મક પ્રવૃતિઓ કરવી રહી જેથી તમને અને તમારા કુટુંબને કોઈ જાતની  તકલીફ ન થાય અને તમે  સુખી જીવન જીવી શકો. તોજ તમે આદર્શ વશિષ્ટ નાગરિક બની શકો.

                                         વૃધ્ધાવસ્થામા તમને બાળકો જેવી જિંદગી જીવવાની આકાંશાઓ જાગે ઍ સ્વભાવિક છે કારણકે તમે જીવનમા અનેક મુશ્કેલીઓ અને જવાબદારીઓ નીભાવીને નિવૃત્તિ કમાવી છે. પરંતુ બાળકો જીવી નિર્દોષતા તમે ક્યાથી લાવશો? તમે બાળકોની જેમ બિનજવાબદાર જીદગી કેવી રીતે જીવી શકો?  ઍક  કવિઍ બાળપણને યાદ કરી લખ્યુ છેકે-
                                        " રોનેકી  વજહ ન થી, હસનેકા બહાના ન થા
                                          ક્યો હો ગયે ઈતને બડે, ઇસસે અચ્છા તો બચપનકા જમાના થા "
તમે ચાહો તો પણ બાળપણની જીદગી વૃધ્ધાવસ્થા અશક્ય છે, આથી પ્રયત્ન કરીને સુખી અને આનંદમય જીવન જીવવા માટે વશિષ્ટ નાગરિક ખરા અર્થમા બનવુ જરૂરી છે. ઍમા સામાન્ય નીયમો અપનાવવાની જરૂરત છે જેથી પોતે અને આજુબાજુના લોકો પણ શાંતીથી અને આનંદથી જીવી શકે. નીયમો સરળતાથી સ્વીકારી શકાય ઍવા અપનાવી લેવાની જરૂરત છે. જેવાકે-
-જીવનને  બધી જાતની પીડા અને મુશ્કેલી સહિત મજબૂતીથી જીવવુ જરૂરી છે.
-જરૂરી  બોલવામા હિત છે.
-બીજાને સલાહ આપવામાથી દૂર રહેવુ આવશ્યક છે.
-તમારા પ્રશ્નો બીજાને કહેવાથી દૂર રહેવુ કારણકે ઍક કવિે ઍ ક્હ્યુ છે કે " હાથ લંબાવતુ નથી કોઈ સહારો આપવા માટે તો,
ઈર્ષામા ઍક બીજાના જુઓ પગ ખેચતા કરી દીધા"
-કરકસરથી જીવતા રહેવુ સારુ
-'ઍકલા રહેવાની ટેવ પાડવી જોઇઍ'  રજનીશજીનુ જ કહેવુ છે.
- પુસ્તકો તમારા અંત સુધી સાથ આપશે ઍટલા માટે સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડવી આવશ્યક છે.
- જીવન પ્રત્યે સકારાત્મક  વિચારધારા જરૂરી છે.
- જીવનમા લખવુ  અને વાંચવુ સહેલુ છે પરંતુ જીવનમા ઉતારવુ મુશ્કેલ છે. નિયતિને સમજવૂ પણ મુશ્કેલ છે. માટે કૃષ્ણાઍ અર્જુનને કહ્યુ છે કે " તુ મારે શરણે આવ. ઍટલેકે ભગવાનની ઈચ્છાને તાબે થા."

                                               આ  બધુ ઍટલા માટેકે જીવનના  અસ્તાચલમા સુખી અને  આનંદમય જીવન જીવવા માટે અમુક નીયમો સ્વીકારવા રહયા અને જે વસ્તુ પર આપણો કાબૂ નથી ઍમા પ્રભુ  શ્રધ્ધા રાખવી જરૂરી  છે. તોજ આપણે આદર્શમય વશિષ્ટ જીવન જીવનને અંતે જીવી  શકાય.
                                                 **************************************************૮

Tuesday, November 15, 2016


આકરા આર્થિક પગલા
                                                                        કાળા નાણાઍ ૮૦% ભારતીય  આર્થિક નાણાકિય સ્થિતિ પર કબજો જમાવી દીધેલો છે. ઍનો  ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃતીઓમા, ગુનાખોરીમા અને  મોજમજાહમા કરવામા આવે છે. આથી અર્થતંત્ર નબળુ બનતુ જાય છે. તે ઉપરાંત સરકાર અબજો રૂપિયાની આવક ગુમાવીરહી છે જેનો ઉપયોગ લૉક ઉપયોગી કાર્યમા થઈ શકે. કાળા નાંણા ગુનાઓનો પણ વધારો કરતુ રહે છે. ભાવોના પર કાબૂ  રાખવાનુ પણ  સરકાર માટે મુશ્કેલ બની રહ્યુ છે.
                                      આથી સરકારે ૮ મી નવેમ્બરે મધ્ય રાત્રીથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને રદ કરવાનો આકરો નીર્ણ ય લીધો હતો જેમા લોકોઍ બહુત્તર કાળા નાણા   સંઘરેલા હોય છે. ભારત ઘણો વિશાળ દેશ છે અને ૧૨૦કરોડની વસ્તીને કારણે તદ્દન સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ છે. ઍનો લાભ ખરાબ તત્ત્વો લઇ રહ્યા છે. નવી નોટો અને અન્ય  રૉકળ રકમોની અછતનો અસામાજીક તત્વો અને વિરોધી રાજકીય પક્ષો લાભ લઈ રહ્યા છે. સામાન્ય જનતાને કેશની અછતને કારણે હાડમારીઓ લાંબી લાંબી લાઈનોમા ઉભા રહીને ભોગવવી  પડી છે. પરન્તુ સારા પરીણામો માટે ઍ પીડા  ભોગવવી જ રહી.
                                         ભારતીય બંધારણની રચના વખતે  ડૉક્ટર આંબેડકરે કહ્યુ હતુ કે ' બંધારણની સફળતા, ઍનો ઉપયોગ કરનારા પર જ રહેશે.'  આથી કોઈ પણ દેશહિતના પગલાની સફળતા ઍમના લોકો પર જ હોય છે. આથી  સામાન્ય જનતાનો સાથ મળી રહેતા પગલા સફળ થવાની પુરી શક્યતા છે. તે છતા પગલાને નિષ્ફળ બનાવવા જે ચાલી રહયુ છે ઍનુ અવલોકન કરવુ જરૂરી છે. કાળા નાણાંને સફેદ કરવા માટે કેટલાક લોકો
૧) ગામડાઓના લોકોના બૅંક ખાતામા  પોતાના કાળા પૈસા  જમા કરાવી રહયા  છે. સરકારની ગરીબ લોકો માટેની 'લોકધન' ખાતાઑનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
૨) ઉધ્યોગપતિઓ પોતાના નોકરિયાતના  ખાતાઓનો પણ ઉપયોગ કરી  રહયા છે.
૩)  કેટલાકે કાળા નાણા કાળાબજારને ભાવે  સોનૂ. હીરા અને સોનાના ઘરેણાઓમા રોકાણ  કરી લીધુ છે.
૪) સામાન્ય માણસના ખાતાઓમા પણ  કમિશન આપીને  કાળાનાણા કાયદાકિય રીતે જે જમા કરાવ્યા છે.
                                          આતો  દાખલાઓ  છે જેના પર પણ સરકારની કડી નજર છે. આવા આર્થિક કડક પગલાની  અસર રુપે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાઓની નોટો  કચરા પેટી અને નદીઓમા દેખાવા માંડી છે. આ પગલાઓથી નકલી નોટોનો પણ નાશ નિશ્ચિત બન્યો  છે.  રાષ્ટ્રવિરોધી અને અસામાજીક તત્વોના ગુનાઓ પર પણ અંકુશ આવશે.  બૅંકોની ડિપૉજ઼િટો વધશે. સરકારની આવક વધશે.
                                           આ  યોજના કેટલા અંશે સફળ થશે  ઍનુ  પરિણામ આવવાને હજુ વાર લાગશે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઍ માંગેલા ૫0 દિવસો સુધી રાહ જોવી પડશે.
                                                ********************************************

Sunday, November 6, 2016


ધનવાન અને શ્રીમંત
                                                                                                                                                           ભારતીય સંસ્કૃતીઍ  ધનવાન અને શ્રીમંત વચ્ચે બરાબર અંતર જાળવી રાખ્યુ છે. ઍટલેકે બધા ધનવાન શ્રીમંત હોતા નથી અને શ્રીમંતોને તમે ધનવાન સાથે સરખાવી ન  શકો. ઍમની  ઓળખાણ જ તદ્દન જુદી છે,
                                      ધનવાનો પૈસાને માટે તડપતા હોય છે અને તેઓ બધી રીતે સુખી હોતા નથી. ઘણીવાર ધન ધનવાનો માટે સજા રૂપ બૅની રહે છે. કેટલાક ધનવાનોની ધન પ્રાપ્તિમા શોષણ, દગા, લુચ્છાઈ અને લોકોના નિશાશાઓ  પણ હોય છે. ધનવાનોંમા લોભ, મોહ, ઈર્ષા, અહંકાર પણ સામેલ હોઈ શકે છે. તે ઉપરાંત ધનવાનો જલ્દીથી ધનનો ત્યાગ પણ કરી શકતા નથી. આથી ટૂકમા ધનવાનોમા સાત્વિકતા અને અધ્યામિકતા જેવા ગુણોનો અભાવ હોય છે.


                                      જ્યારે શ્રીમંતો સાથે  અધ્યામિકતા. સાત્ત્વિકતા, અને  જ્ઞાન ધનની સાથે જોડાયેલુ છે. તેઓ સાક્ષર, વિચારક, ચિંતક, પંડિત અને ધનવાન પણ હોય છે. તેઓ ઉજળા, અમીર, ઉમદા દિલવાળા, ઠરેલ અને અન્યોને મદદરૂપ થનારા હોય છે. શ્રીમંતોની શ્રીમંતાઈ સમરુધ્ધિ બનીને રહે છે. શ્રીમંતો ધન પ્રાપ્તિ  ઍકાગ્ર ચિત્તથી પ્રાપ્ત કરે છે. લક્ષ્મીના  ગુણો  જેવાકે  ધાન્ય, ધૈર્ય, ગજ, સંતાન, વિજય, વિદ્યા,ધન, સુખ, અનેશુભ નસીબ  શ્રીમંતોમા હોય છે.  રુગવેદમા શ્રીમંતોને શુભ સૌભાગ્ય માનવામા આવ્યા છે. અથર્વવેદમા શ્રીમંતોને શુભ નસીબ,  સંપતી, સમૃધ્ધિ, સફળતા અન સુખનો સમનવય માનવામા આવે છે.


                                    આવો તફાવત ધનવાનોઅને શ્રીમંતો વચ્ચે રહેલો છે. તમે સહેલાઈથી ધનવાન તો બની શકો છો પરંતુ શ્રીમંત બનવુ મુશ્કેલ કામ છે.
                                              ********************************************