Wednesday, May 15, 2019


ભારતીય રાજકારણનું પતન
                                                                                ભારતના રાજકારણમાં અધઃ પતન  થયું છે એ આ વખતની   ચૂંટણીમાં ચાલી રહેલી રાજકારણીઓની  એક બીજા પ્રત્યેની  ગાળાગાળી પરથી આવી જાય છે.
                                                   એમાં કોઈ પણ હોદ્દા કે નેતાનું  માન જાળવવામાં આવતું નથી.
આપણા વડાપ્રધાનને  ફેકુ, નીચ, અને જુઠ્ઠા કહેવામાં જરાપણ શરમ રાખવામાં આવતી નથી. રાહુલ ગાંધીને પપ્પુ અને અણસમજ કહેવું એક સામાન્ય વાત થઇ ગઈ છે. જયા પ્રદા  જેવી અભિનેત્રી માટે રાજકારણમાં અનારકલી  તરીકે ઉલ્લેખ કરવો એ એક સારી અને સંસ્કારી બાબત તો નથી જ. વડા પ્રધાન સામે એક મુખ્ય પ્રધાન ઉશ્કેરાઈ ને કહી નાખે કે એમને થપ્પડ મારી દઉ એમ થાય છે.  જાણીતા અભિનેતા કમલ હસને તો નાથુરામ ગોડસેને  હિન્દૂઆંતક વાદી તરીકે ચીતરી દીધો.  એમાં એમનો 'આરએસએસ'  પર સીધો હુમલો હતો. 
                                                    આ બધું બતાવે છે કે આપણને  મળેલી  આઝાદી અને લોકશાહીને આપણે પચાવી શક્યા નથી. આપણે હજુ પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બજાવવામાં  નિસ્ફળ   નીવડી રહ્યા છે. સસ્તામાં મળી ગયેલી સારી વસ્તુઓને જવાબદારી પૂર્વક વાપરી  શકતા નથી.
                                                         આ આઝાદી અને લોકશાહી પ્રાપ્ત કરવામાં આપણા સ્વાતંત્ર સૈનિકોએ કેટલો ભોગ આપ્યો છે એનું એમને ખ્યાલ નથી. એક લેખકે સાચું જ લખ્યું છે કે '
કેવી રીતે મળી આઝાદી ---
કેવી રીતે મળી આઝાદી  એનો ખ્યાલ  આજે ન આવે
કેટલી માતાઓના સૂના થયા  તા ખોળા  આજે યાદ ન આવે
આજે અમને મળી આબાદી, કઈ પણ કરી શકવાની આઝાદી
ઊંચા મસ્તકે ફરવાની  આ ખુમારી  કેવી રીતે આવી
 એનો ખ્યાલ ના આવે,  કેવી રીતે મળી આઝાદી એનો ખ્યાલ ન આવે
પરતંત્ર  હતા તો નીચા મોઢે  અન્યાયો સહી લેતા હતા ત્યારે
પરદેશોમાં પણ ક્યાં હતી પહેચાનો આપણી  ત્યારે
માનપાન હવે બધે મળે છે  ચારેબાજુ  જયારે
ત્યારે ખબર નથી એની કિંમત કેટલી ચૂકવી છે આપણે
એનો ખ્યાલ ન આવે, કેવી રીતે મળી આઝાદી એનો ખ્યાલ ન આવે.
                                                                          આથી દરેક ભારતીયની ફરજ બની રહે કે જવાબદાર નાગરિક તરીકે વર્તણુક  કરે.  અને દેશની આબરૂનું રક્ષણ કરે.
                                 ************************************

Sunday, May 12, 2019


શાયરી અને ગુજરાતી સાહિત્ય
                                                                              ગુજરાતી સાહિત્યમાં ઘણા લેખકો છે જેઓએ ઘણી રસપ્રદ શાયરીઓનું પ્રદાન કરેલું છે. શાયરીઓનું જન્મ સ્થાન  ઉર્દુ છે જેમાં મિર્ઝા ગાલિબ જેવાએ સારું એવું પ્રદાન કરેલું છે એની અસર ગુજરાતીમાં સારી એવી છે.
                                                  મિર્ઝા ગાલિબ એક શાયરીમાં  કહે છે કે '  દર્દ  ઐઇસા  હૈ જો સિનેમે  સમાતા ભી નહિ , હસને દેતા ભી  નહિ ઔર રૂલાતા ભી નહિ '.

                                                   મશહૂર  શાયર આદિલ મન્સૂરી  કહે છે 'આમ તો હરદમ હજુરી હોય છે , આપણા મનમાં  જ દુરી હોય છે.  બીજી એક જગાએ કહે છે. ' ધોમ  ધાખમતા  રણ વિશે ચિંતા ન કર , રણ વચ્ચે પણ ખજૂરી હોય છે .'
         
                                     
                                                  શૂન્ય પાલનપુરી કહે છે ' મોતની તાકાત શી મારી શકે ? જિંદગી તારો ઇસારો જોઈએ.' આગળ એક જગાએ કહ્યું છે કે ' જેટલે ઊંચે જવું ' હો માનવી તેટલા ઉન્નત વિચારો જોઈએ .'.  એક જગાએ તેઓ કહે છે. ' સહન કરતા આવડતું હો તો મુસીબતમાંય  રાહત છે,  ર્હુદય જો ભોગવી  જાણે તો દુઃખ પણ એક દોલત છે.'
 
                                               
                                                     અમૃત ઘાયલ એક  મશહૂર શાયરે લખ્યું છે કે ' મરણને કહો પગ ઉપાડે ઝડપથી , નહીતો હવે શ્વાસ  ઠોવાઇ જશે .'  આગળ કહે છે ' કદી દાનની  વાત ઉચ્ચારસોમાં ,  કર્યું કરાવ્યું નહીં તો ધોવાઈ જાશે .'  પછી કહે છે ' નિહાળ્યા કરો જે કઈ થાય છે તે , વિચારો નહિ, મન વલોવાઈ  જાશે .'
                                                 એક ઉગતા શાયર  પરાજિત ડાભી લખે છે ' દિવસમાં સૂર્યનો રંજાડ  રહેવાની પડી  આદત,  મને જળહળ થતી રાતની  બહુ બીક લાગે છે .'
                                                 યુવાની બૂઢાપાને કેમ અવગણે છે  એ બાબતમાં એક શાયરે લખ્યું છેકે ' બૂઢાપાને  જોઈને જવાની થથરી જાય છે,  જેમ સુખા પાંદળા જોઈને લીલા ચીમળાઈ જાય  છે. ઘણીવાર  જવાની  બુઢાપા પર હસ્યા કરતી હોય છે,  પણ એને ખબર નથી કે એની  પાછળ બુઢાપો ઉભો જ હોય છે.'
                            આમ શાયરીનું સાહિત્ય પણ ઝડપથી ગુજરાતીમાં સમૃદ્ધ થઇ રહ્યું છે.
                                            *************************************** 
   

Friday, May 10, 2019


બલરાજ  સાહની - અભિનેતા
                                                                                 બલરાજ સાહનીએ  વર્ષો સુધી ભારતીય  ફિલ્મ જગત  પર એમના અભિનય દ્વારા આધિપત્ય જમાવ્યું હતું. એમની '  દો વીંઘા જમીન ',  'કાબુલીવાળા'
 અને  'વખ્ત' જેવી ફિલ્મો હજુ પણ લોકપ્રિય છે.  તેઓ અભિનેતા ઉપરાંત એક સારા  લેખક અને નાટ્ય કલાકાર પણ હતા. તેમણે ગુરુદેવ ટાગોરની વિશ્વ ભારતી, શાંતિનિકેતનમાં પણ કામ  કર્યું હતું.
                                                         બલરાજ સહાનીનો જન્મતો  પાકિસ્તાનના રાવલપિંડીમાં  થયો હતો પરંતુ આખરે એમની કર્મ ભૂમિ મુંબઈને બનાવી હતી.  તેમના ભાઈ  ભીષ્મ  સાહની પણ પ્રખ્યાત લેખક હતા. 'તમસ' એમની બહુજ પ્રખ્યાત નવલકથા છે.

                                                            બલરાજ સાહની એક અભિનેતા, લેખક અને અચ્છા ચિંતક પણ હતા. તેઓ પોતાના  વિચારો નીડરતાથી રજુ કરતા રહેતા. તેઓ માનતાકે આપણા ફિલ્મકારો  વિદેશી ફિલ્મોની અસરથી મુક્ત નથી અને તેઓ મૌલિક સર્જન કરી શકતા નથી.
                                                            ભારતમાં પોલીસ આપણા લોકોને મદદ કરવાને બદલે  ડરાવે છે કારણકે તેઓને  બ્રિટિશ લોકોએ એ રીતે ટ્રેનિંગ આપેલી છે. તેઓ  માનતા કે જ્યારે માનવી માનસિક રીતે ગુલામ બની જાય છે ત્યારે  ગુલામી હંમેશ માટે પાકી થઇ જાય છે . આઝાદ માણસ પાસે  વિચારવાની  શક્તિ હોય છે .  નિર્ણયો લેવાની અને તેનો અમલ કરવાની ક્ષમતા હોય છે. ગુલામો પાસે  આ ચીજો હોતી નથી.  તે હંમેશા બીજાની જેમ વિચારે  છે  અને પોતાના નિર્ણયો જાતે લઇ શકતા નથી અને જોખમો ખેડવાની હિમ્મત  કરી શકતા નથી.
                                                              આજ બતાવે છે કે ભારતમાં આઝાદી બાદ પણ  પ્રવરતી  ગુલામી માનસના તેઓ  વિરોધી હતા. તેઓ ઉત્તમ અભિનેતા હતા પણ ક્રાંતિકારી વિચારક પણ હતા.
                                              ****************************