Monday, February 25, 2013


આંતકવાદ           
======
આંતકવાદ આજ કાલ આખી દુનિયામા ફેલાયેલો છે. કેટલીક જગ્યાઍ તો હદ વટાવી ચૂક્યો છે.
ભારતમા પણ સંકલનનો અભાવ હોવાથી જ્યા ત્યા બૉમ ધડાકા થતા જ રહે છે. સેંકડો નિર્દોષ માણસો મરી રહયા છે.
અત્યારેજ હૈદરાબાદમા બોમ્બ ધડાકા થયા ૨૦ જેટલા મરી ગયાને ૧૦૦ ઉપરાંત માણસો ઘાયલ થયા. કેન્દ્ર સરકારે દોષનો ટોપલો રાજય સરકાર પર નાખ્યો અને રાજ્યે પણ કેન્દ્ર પર નાખી હાથ ધોઈ નાખ્યા. આમા મરો લોકોનો જ છે. ભારતમા સરકારો રાજકારણમા ઘણી બધી ડુબેલી છૅ આથી પોલીસો પણ નાસીપાસ થઈ જઈ તદ્દન નિષ્ક્રિય થઈ રહી છે. દરેક દેશે પોતેજ ઍ પ્રશ્નને હલ કરવો પડશે.
                         આ બાબતમા અમેરિકા પાસે ઘણુ  શીખવાંનુ છે. અમેરિકામા ન્યૂયોર્કના ટ્રેડ સેંટર પરના ત્રાસવાદિ હુમલા બાદ તેમણે અફઘાનીસ્થાન પર હુમલો કરી તાલિબાન ત્રાસવાદીઓને સાફ કરી નાખ્યા. વર્ષો સુધી કાવતરાના સુત્રધારની શોધ કરીને પાકિસ્તાનની ધરતી પર ખતમ કરી નાખ્યો.  મુંબઇ હુમલાના ત્રાસવાદીને સજા કરવામા ભારતે વર્ષોના વર્ષો લીધા,પરંતુ ઍ હુમલાના મુખ્ય આરોપી હેડલી, અને રાણા ને વર્ષો સુધીની સજા ૬ મહિનામા જ અમેરિકાની કોર્ટે ફટકારી દીધી. કારણકે ઍ હુમલામા ઘણા અમેરિકન નાગરિકોને પણ મારી નાખવામા આવ્યા હતા. ઈસરાયલનો જ દાખલો લેવા જેવો છે. ઍમના પર કોઈ ત્રાસવાદી હુમલો થાઈ તો દુશ્મનના પ્રદેશમા જઈ તે ત્રાસવાડીઓનો ખુરદો જ  કરી નાખે છે. ઘણીવાર જો આગળથી હુમલાની ખબર પડે તો ઍ પહેલા જ ઍમનો ખુરદો કરી નાખે છે. આજ બતાવે છેકે રાષ્ટમા આવા ભયાનક તત્વોનો સામનો કરવાની ઇચ્છા શકિત હોવી જોઇઍ અને ઍના માટે વ્યવસ્થા શક્તિ હોવી જોઇઍ. ભારતમા ઍ બન્ને શક્તિનો અભાવ હોય ઍમ લાગે છે. નબળી નેતાગિરીના પણ ઍમા પડછાયા દેખાય છે.
ઘણીવાર પ્રશ્નો થાય છે જેના જવાબો નથી!
માનવી માનવોની કતલ કરે અને જીવતાને જલાવી દે
ઍ ધર્મ છે તો અધર્મ શુ ?
માનવી માનવોના મસ્તક ઉડાવી દે અને છાતીમા છરો ભૉકી દે
ઍ પુણ્ય છે તો પાપ શુ ?
માનવો માનવીઓના ઘર બાળી નાખે અને લોકોને લૂંટે
ઍ ન્યાય કહેવાય તો અન્યાય શુ?
માનવો ઍ બધાને સહી માને અને સ્વર્ગની ખેવના કરે
ઍ જો સત્ય હોય તો પાગલપન શુ?
ભારત દેસાઈ
                                       *****************************************

Tuesday, February 5, 2013



જીવન અને મૃત્યુ
==========
                             જીવન ગમે તેટલુ  સંતાપ જનક હોય તોપણ માનવીને મરવુ ગમતુ નથી. જીવન અને મૃત્યુ બન્ને આપણા હાથમા નથી. પરંતુ જીવન આવકારદાયક છે અને મૃત્યુનો ડર હોય છે. મૃત્યુનો ડર શા માટે? કારણકે ક્યા જવાનુ છૅ ઍ વિષે આપણે અજ્ઞાન  છીઍ. રાજા અને રંક બધાનો ઍજ અંત છે. તે છતા ઘણા ભ્રમમા હોય છેકે ઍ મરવાના જ નથી. સાથે કઈ લઈ જવાના નથી ઍ જાણતા હોવા છતા મૂરખની જેમ ભમતા હોય છે. આખરે તો ખાલી હાથે ચાલી જતા હોય છે. આથી વિશ્વ વિજેતા સિકંદર ઍના સરદારો ને સૂચના આપી હતી કે ઍના મૃત્યુ બાદ  ઍની  સ્મશાન યાત્રામા ઍના હાથને કોફિનની બહાર રાખવા જેથી લોકોને ખબર પડે કે  મહાન વિજેતા ખાલી હાથે જ આ દુનિયામાથી વિદાય હતો. પરંતુ સામાન્ય અને મહાન માણસો પણ મૃત્યુને સામાન્ય ગટના તરીકે લઇ શકતાં નથી.
                           કુરુક્ષેત્રે  કૃષ્ણઍ અર્જુનને  ગીતાનો બોધ આપ્યો હતો છતા અભિમન્યુના મૃત્યુના કારણે અર્જુને વિલાપ કર્યો હતો અને બાદમા વિષાદમા  ગરકાવ થઈ ગયો હતો.  આવી જ રીતે ધર્મ રાજા ઍ હિમાલયમા ભાઈઓને ગુમાવ્યા બાદ વિલાપ કર્યો હતો.
                           બધા જાણે  છે કે મૃત્યુ અનીવાર્ય છે તે છ્તા તેનાથી   ડરે છૅ. મહાભારતમા હિમાલયમા  ધર્મરાજા સાથે પણ ઍવૂ બને છે.

મહાભારતનુ અંતિમ પર્વ
===============
હિમાલયની નીરવ શાંતિમા ધર્મરાજ  આંસુઓ વહાવે
કુદરત પણ વિલાપ કરતી હતી  પડઘાઓના અવાજોમા
રખડી રખડી થાકેલા  પોતાના ભાંડુઓને શોધે
ક્યા ગયા મારા ભાંડુઓ? કદી ન મને છેહ દેનારા
હિમાલયની---
શરીર તૂટે છે, માથુ ફાંટે છે, દબાવી  આપનાર નકુલ ક્યા?
ખભે બેસાડી લઇ જનારો મહાબલી ભાઈ ભીમ ક્યા?
કપરા કાળનો સહારો પૅલો અનુજ સહદેવ ક્યા?
ઍકજ શબ્દે ગાંડીવ ખેચનારો વીર ધનૂર્ધર અર્જુન ક્યા?
હિમાલયની---
ત્યાતો આકાશવાણી થઈ 'શાને તમે વિષાદ કરો?
ઍ માનવો  હતા હિમમા પીગળી ગયા
તમારુ સત તમને ફળ્યુ ફક્ત નરોવા કુંજારવા જ નડી ગયુ
તમે બચ્યા પણ ઍક આંગળી હિમ ગળી ગયુ
હિમાલયની---
દુખી યુધિશ્ટીરને  સ્વર્ગ દ્વાર સામે દેખાયુ
સ્વર્ગમા જઈ થાક ઉતારીશ ઍમ સમજી દિલ હરખાયુ
દરવાને નમન કર્યાને  નમ્રતાથી સ્વાગત કર્યુ
બાજુમા ઉભેલા સ્વાનને જોઈ મોઢુ બગાડ્યૂ
હિમાલયની---
સારુ જીવન મારો સાથ નીભાવ્યો અને મૃત્યૂમા ઍનો સાથ છે
ઍને  મૂકી સ્વર્ગના સુખને  હુ ન માંણી શકુ!
દ્વારપાળને દયા આવીને  સ્વાનનુ પણ સ્વાગત કર્યુ
સત્યવાદીની સાથે પેલા સ્વાનનો પણ ઉધ્ધાર થયો
હિમાલયની--
ભારત દેસાઈ
                     ******************

Sunday, February 3, 2013



સુખ અને દુખ
========
                                                   સુખ અન દુખ મનુષ્યની દ્રષ્ટીના બે વિભાગ છે. અનુકુળતા  ઍટલે સુખ અને પ્રતિકૂળતા ઍટલે દુખ. આથી સુખ અન  દુખ ઍ મનમા પ્રવર્તતી સ્થિતિ છે. ઘણીવાર આપણે દુખ માટે પ્રભુને દોષ દઈઍ છે. પરંતુ ઘણીવાર  દુખ પણ આપણે માંગી લીધેલુ હોય છે. કોઈના સુખને જોઈને અને તેની સાથે રહેલા દુખને  જાણ્યા વગર સુખને માંગી લીધેલુ હોય છે. આથી દરેક સુખની સાથે દુખને જોઈ ત્રાસી જવાય છે. ઍમા પ્રભુનો શો વાંક? પ્રભુ આપણને જન્મ આપે અને પછિ મોત આપે તે પણ દુખ રૂપ હોય છે. આથી પ્રકૃતીને બદલવા કરતા આપણે બદલાવવાની જરૂર છે.
                                                   આનો સહેલો ઉપાય છે કે પ્રભુ આપે ઍમા સંતોષ હોવો જોઈ ઍ.  આપણા દુખનુ મૂળ તો આપણી મનોવ્રુત્તિ જ હોય છે. કોઈની પાસે મારા કરતા વધારે છે ઍ દુખનુ કારણ છે અથવા મારા કરતા કોઈની પાસે વધુ ન હોવુ જોઇઍ ઍમ માનવુ ઍજ બધા દુખોનુ કારણ છે.
                                                   આપણી પાસે જો બધુ ન હોય તો નરસી મહેતાની જેમ માનવુ કે " ભલુ થયુ ભાંગી જંજાળ સુખે ભજીશુ શ્રી ગોપાલ" તો દુખનુ કારણ રહેશે નહી.  ગીતામા કૃષ્ણ ઍ કહ્યુ છેકે "દુખનુ કારણ ઈર્ષા પણ હોય છે. કોઈની સાથે હરીફાઈ કરવી ઍ યોગ્ય છે પરંતુ હરીફ પાછળ રહી જાઇ ઍમ ઈચ્છવુ ઍ ઈર્ષા છે" આથી ઍવી મનોવરત્તિનો ત્યાગ કરવો ઍમા જે સુખ રહેલુ છે.  ગાંધજી ઍ કહ્યુ છેકે ' ભગવાન જેના પર ઍનો આશીર્વાદ વરસાવવાનો હોય તેની બરાબર પરીક્ષા લે છે"  આથી દુખને આફત માણવા કરતા આપણને વધુ મજબૂત અને યોગ્ય બનાવવાના આશીર્વાદ માનવુ. આવા દ્રષ્ટિકોણથી જીવન આનંદમય બની રહે છે.
                                                આથી ભગવાન જે આપે તે આનદથી સ્વીકારી લેવુ. ઍનો અર્થ ઍ વો નથી કે પ્રયત્નો પણ ન કરવા. પ્રયત્નો કરવાથી પણ જે મળે તે સ્વીકારી લેવુ કારણકે  કુદરત કહો કે પ્રભુ આગળ્ આપણી મર્યાદાઓ છે. આ બાબતમા ઍક કવિ ઍ ક્યુ છે કે " મને ઉદાસ જોઈને ખુદા ઍ કહ્યુ ' મારી હયાતી મા તને કોઈ દુખી નહી કરી શકે.' ઍમ જ.બન્યુ!
'જીવનમા દુખો મળ્યા  ઍ  ઍણે આપ્યા.'  આમા માનવીની બેબસતા કરતા મર્યાદાની વાત છે. આથી દુખોને આનંદ પૂર્વક અપનાવી લેવામા જ સુખ સમાયેલુ છે.
                        આથી સુખ દુખને પ્રભુને ચરણે ધરી દેવા અને જીવનનો આનંદ માનવો.
પ્રભુજી તારે શરણે આવ્યો છુ-
તે આપેલા સુખ દુખ, તને ધરવા આવ્યો છુ
ભકતોને કાંટા અને દૂરજનોને ફૂલમાળા
તારિઍ અજબ લીલાને સમજવા આવ્યો છે
પ્રભુજી તારે શરણે આવ્યો છુ-
ભારત દેસાઈ
                      ****************************************************