Friday, August 14, 2015


જાણવા જેવુ

                                                                                                                          ૧) સફરજન કેફિન કરતા સવારના ઉંઘ ઉડાડવા માટે વધુ અક્ષીર છે.
૨) દીવસના  ઍક સીગરેટનુ પૅકેટ પીનારાઓ દસ દસ વર્ષના અંતરે'૨' દાંતો ગુમાવે છે.
૩) લોકો ઘરમા પડી રહેવાથી માંદા પડે છે, બહારના ઠંડા હવામાનથી નહી.
૪) જ્યારે  છીક ખાવ ત્યારે  તમારા શરીરના બધા અંગો કામ કરતા બંધ થઈ જાય છે.
૫) દાંતના બ્રશની શોધ ૧૪૯૮મા થઈ હતી.
૬) ઘરમા ગણગણતી માખી  આશરે ૧ મહીનો જીવે છે.
૭) કોમ્પ્યુટરના ઉપયોગ કરનારાઓ  ઍક મિનિટમા ૭ વાર આંખ પટપટાવે છે.
૮)પોપટ અને સસલુ બે ઍવા પ્રાણીઓ છે જે ડોકી ફેરવ્યા વગર પાછળ જોઈ શકે છે.
૯) અમેરિકાના  સાઉથ કરોલિના રાજ્યના રાષ્ટ્રગીત પર માઈકલ જેકસનની માલિકી હતી.
૧૦)  જો કોકોકોલામા રંગ ભેળવવામા ન આવે તો ઍ લીલા રંગનુ જ દેખાય.
૧૧) ઇંગ્લેંડની રાજગાદીના બે વારસો પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ વિલીયૅમ કદી સાથે  મુસાફરી કરતા નથી.
                                      *******************************

Sunday, August 9, 2015


મોટા માણસની વિચિત્ર વાતો
                                                   
                                                          આલબર્ટ આઈનસ્ટાઈન  જ્યારે  વ્યાખ્યાન આપવા જતા ત્યારે ઍમનો ડ્રાઈવર  હૉલમા પાછળ બેસીને ઍમનુ વ્યાખ્યાન સાભળતો. ડ્રાઇવરે તો કહેવા માંડ્યુ કે  સાહેબની જેમ હૂ પણ વ્યાખ્યાન આપી શકુ. આથી ઍક વ્યાખ્યાન દરમિયાન આઈન્સ્ટાઇન ડ્રાઇવરના ડ્રેસમા પાછળ બેઠા અને ઍમના ડ્રાઇવરને વ્યાખ્યાન  આપવા ક્હ્યુ. ડ્રાઇવરે વ્યાખ્યાન  પણ સુંદર આપ્યુ પરંતુ જ્યારે પ્રશ્નોત્તરી નો સમય આવ્યો ત્યારે ડ્રાઇવરે હોશીયારીથી  ક્હ્યુ " મારો પાછળ બેઠેલો ડ્રાઇવર તમને યોગ્ય અને સુંદર જવાબ આપશે."
                                      આઈન્સ્ટાઈનને  કોઇઍ "  રિલેવીટીના સિધ્ધાંત વિષે પુછ્યુ"  તો ઍમણે સરળ ભાષામા સમજાવતા ક્હ્યુ "  ગરમ પ્રાઇમસ પર હાથ મુકોતો  ઍક મિનિટ પણ ઍક કલાક જેટલી લાગશે. અને કોઈ સુંદર  સ્ત્રી સામે કલાક સુધી બેસસો તો પણ મિનિટ જેટલો જ સમય લાગશે."
                                       આઈન્સ્ટાઈન જ્યારે પ્રિંસ્ટન વિશ્વ વિદ્યાલયમા કામ કરતા હતા ત્યારે  ઍક્વાર ઘરે જતી વખતે ઍમના ઘરનુ સરનામુ જ ભૂલી ગયા હતા. તેઓ  ટેક્ષીમા   બેઠા પણ ટેક્ષી ડ્રાઇવર  તેમને ઓળખી ન શક્યો તેમણે ટેક્ષી ડ્રાઇવર ને પુછ્યુ " આઈન્સ્ટાઈનનુ સરનામુ જાણે છે?  ટેક્ષી ડ્રાઇવ રે  જવાબ આપ્યો  " પ્રિંસ્ટનમા આઈન્સ્ટાઇનને કોણ નથી ઓળખતુ. તમારે આઈન્સ્ટાઇનને મળવુ છે.?"  આઈન્સ્ટાઇનઍ કહ્યુ  "હુ જ આઈન્સ્ટાઇન છુ. મારુ સરનામુ ભૂલી ગયો છુ. તુ મને મારે ઘરે  લઇ જઈ શકશે ?" ડ્રાઇવર ઍમને ઘરે લઈ ગયો અને ઉપરથી પૈસા પણ ન લીધા.
                                       ઍક્વાર આઈન્સ્ટાઇન ટ્રેનમા મુસાફરી  કરી રહયા  હતા.  ઍટલામા ટીકીટ ચેકર આવ્યો.  આઈન્સ્ટાઇને  ઍકે ઍક જગ્યાઍ ટીકીટ શોધી પણ મળી નહી.  ટીકીટ ચેકરઍ ક્હ્યુ'  આઈન્સ્ટાઇન હૂ તમને ઓળખુ છુ. તમે ટીકીટ લીધી જ હશે. ઍટલે તમે હવે ચિંતા ન કરો. આઈન્સ્ટાઇને  માથુ નમાવી ઍનો આભાર માન્યો .  ટીકીટ ચેકર આગળ વધ્યો પરંતુ પાછ ળ ફરીને જોયુતો આઈન્સ્ટાઇન  હજુ ટીકીટ શોધતા હતા. ટીકીટ ચેકરે  ફરીથી કહ્યુ ' સાહેબ  તમે ચિંતા ન કરો મારે તમારી ટીકીટ જોવી નથી.'  આઈન્સ્ટાઇને ટીકીટ ચેકર તરફ  જોઈને કહ્યુ "  મારા  મિત્ર મને ખબર છેકે હુ કોણ છુ,  પણ મને ખબર નથી કે મારે ક્યા જવાનુ છે?"
                                    વીદ્વાન માણસો  કેટલા ' ઍબસૅંટ માઇંડેડ'  અને વિચિત્ર હોય છે ઍના આ ઉત્તમ નમૂનાઓ છે.
                                           ***************************

Wednesday, August 5, 2015


જીવનનુ રહસ્ય

                                                                                                                      ૧) તમારા સ્વાસ્થ્યની સભાળ તમારા સગાવાલા અને મિત્રો જ કરશે બિજુ કોઈ નહી.
                              ૨) તમારે દલીલો દ્વારા હંમેશ જીતવુ જરૂરી નથી પરંતુ તમારી જાતની સાથે સાચા રહેવુ જરૂરી છે.
                               ૩) ભગવાન સાથે ગુસ્સે થઈ શકો છો કારણકે ઍ ગુસ્સાને સહી લેવા સમર્થ છે.
                               ૪)તમારી જાતને બીજા સાથે સરખાવવાની જરૂર નથી કારણ કે બીજાના જીવનમા આંતરિક રીતે શુ ચાલી રહ્યુ છે ઍના વિષે તમને કોઇ માહિતી નથી.
                               ૫) જો બીજાની સાથે સબંધોમા કોઈ ખાનગી બાબત જેવુ હોય તો ઍ સબંધો જાળવવા જેવા નથી.
                 
   
       
                                ૬)ઉંડો શ્વાસ લેવાથી મનને અનહદ શાંતિ મળે છે.
                                ૭) બિનજરૂરી વસ્તુઓ  ખરીદવાનો કોઈ અર્થ નથી.
                                ૮)  ભૂતકાળને યાદ કરી કરીને વર્તમાનને શા માટે બગાડવો?
                                ૯) સુખ તમારા જ  હાથમા છે બીજા કોઈ ઍમા મદદરૂપ થઈ શકે નહી.
                             ૧૦) કોઈને ભુલ માટે ક્ષમા ભલે આપો પણ ઍની ઍ ભુલને ભૂલો નહી.
                             ૧૧) બીજા તમારા વિષે શુ વિચારે છે ઍને બહુ મહત્વ ના આપો.
                             ૧૨) વખત ગમે તેવા આઘાત નુ  ઑસ ડ છે.
                             ૧૩) ગમે તેવો સારો કે ખરાબ વખત પસાર થઈ જવાનો છે, ઍમ સમજીને ચાલવુ.
                             ૧૪) ઈર્ષા  ઍ વખતનો બગાડ છે. આથી તમારી પાસે જે છે ઍને સ્વીકારો. અને તમારી પાસે નથી જે તમે ઈચ્છો છો તેને ભૂલી જાવ.
                             ૧૫) હજુ  સારામા સારુ આવવાનુ છે ઍમ સમજીને આશાવાદી બનો.

                                                **********************************