Thursday, September 27, 2012



હિન્દુઍ ધર્મ નથી પણ જીવન જીવવાની ઍક રીત છે.
===============================
હિન્દુ ધર્મ કેટલા ઍ આક્રમણો સામે ટકી રહ્યો છૅ ઍના બે કારણો છે . ઍકતો ઍ સમયની સાથે બદલવા તૈયાર છે. અને બિજુ કારણ કેટલાઍ વીદ્વાનો ઍ ઍનૂ સિંચન ક્રર્યુ છે. કેટલાઍ પંથઑને સમાવી લીધા છે. આક્રમણકારોને પણ પોતાનાંમા સ્થાન આપ્યુ છે.
                               હિન્દુ ધાર્મિક ગ્રંથો પણ પણ વીદ્વાનો દ્વારા વખતો વખત સિંચાયેલા છે. રામાયણ., મહાભારતમ, ગીતા, અને ઉપનીષદોમા કૅટલાઍ વીદ્વાનોનૂ  જ્ઞાન સમાયેલૂ . સારા માણસો સગૂણી હોય છે પરંતુ દૂષ્ટ માણસોની શક્તિમા પણ સગુંણો શોધવા પ્રયત્નો કરવામા આવ્યા છે.
                                  રામ આદર્શ પુરુષ હતા. કૃષ્ણ દિવ્ય શક્તિવાળા, વીદ્વાન રાજપુરુષ હતા. લક્ષ્મણ અને ભરત આદર્શ ભાઈઓ હતા. હનુમાનમા રામ પ્રત્યેની વફાદારી અને નિષ્ઠા પ્રગટ થતી હતી. અર્જુનમા યોધ્ધા હોવા છ્તા મૃદુતા હતી. આમ્ આવા ગૂણોમાનવો  પોતાના જીવનમા ઉતારે માટે વિવિધ  પાત્રો દ્વારા ઉલ્લેખ કરવામા આવ્યો છે.
                                   ઍવી પણ ઉદારતા બતાવવામા આવી છે કે ખરાબ પાત્રોમા લોકો ઍ ઍના ગુણ જોવા જ઼ોઈઍ. આથી જીવન વધૂ સુખી નીવડે અને કોઈ પણ વ્યક્તિને તિરસ્કારથી જોવામા નહી આવે. આપણે સંસારમા રહેવાનુ છે ઍટલે સારા અને નરસા સાથે રહેતા શીખવુ  પડે છે. ઍમા સકારાત્મક વિચારધારા જરૂરી છે.
                                     રામાયનમા રાવણ ઘણો વીદ્વાન હતો ઍટલા માટે રામે લક્ષ્મણને  મૃત્યુ આરે ઉભેલા રાવણ પાસે રાજનીતિના પાઠ શીખવવા મોકલાવે  છે. દુર્યોધન મહાભારતમા અભીમાની અને દૂષ્ટ  બતાવવામા આવ્યો છે પણ ઍ રાજ્ય વ્યવસ્થામા નિપુણ બતાવામા આવ્યો છૅ. ભગવાન શ્રી કૃષ્ણા દુર્યોધનને નરકમાથી બહાર કાઢવા હાથ લંબાવે છે પરંતુ દુર્યોધન સહાય લેવાનો ઈન્કાર કરે છે કારણકે ઍની સ્વાભિમીનતા ઘણી ઉંચ હતી.  કર્ણ જાણતો હતો કે તે અધર્મ સાથે છે અને ઍનો પરાજય અને મૃત્યુ નિસ્ચીત . તે દુર્યોધનના ઉપકારોથી દબાયેલો હતો આથી ઍણે વફાદારી દ્વારા ઍની કીમત ચૂકવી હતી. આમ દૂશ્ટોના ગૂ ણો બતાવીને  ઍને જીવનમા ઉતરવાનો હિન્દુ ધર્મમા ઈશારો કરવામાઆવ્યો
                                     યૂગો યુગોથી જેનુ સિંચન કરવામા આવ્યુ ઍવી વિચારધારાને  કેટલાઍ  દિગ્ગજો ઍ સમૃધ્ધ બનાવી છે ઍજ઼ સનાતન હિન્દુ ધર્મ તરીકે પ્રચલિત છે.  ઍથી કોઈ પણ ધર્મની ખૂટતી કડી હિન્દુ ધર્મમા મળી આવે છે. ઍટલા માટે સ્ટીવ જોબ થી માંડીને તે બીટલ સુધીના  જગપ્રસિધ્ધ પરદેશીઓ  પણ ઍની જ્ઞાન ગંગામા સ્નાન કરી ગયા છે.
                                                  *********************************

Saturday, September 22, 2012



ભારતની પરદેશી કંપનીઑ લગતી નીતિ
============================
અત્યારે ભારતમા ઍફ ડી આઇ  વિશેની નીતિની બાબતમા મોટો હોબાળો મચ્યો છે. વિરોધીઓનુ કહેવુ છૅકે મોટી મલ્ટી નૅશનલ કંપનીઑ નાના વેપારીઓને ખાય જશે અન બેકારી વધશે. આથી ડાબેરીઓ, સોસિયાલિસ્ટ પાર્ટી, મમતા બેનેરજી અને મુલાયમસિંગ જેવા નેતાઓપણ ઍનો વિરોધ કરી રહ્યા છૅ. મનમોહનસિંગની સરકાર ઉંચી ઍફ ડી આઇના અમલ માટે અધિરવી થઈ ગઈ લાગે છે. ઍના બેજ કારણો હોઇ શકે. ઍકતો સરકારને જવુ પડે  ઍ પહેલા ઍફ ડી આઇ ની નીતિનો અમલ કરવો અથવાતો ભારત સરકાર મલ્ટી નૅશનલ કંપનીઓના દબાવને વશ થઈ રહી છે.
                                                          ચીન પણ ઍ નીતીમા આગળ્ વધવામા હવે સાવચેત થઈ ગયુ છૅ. ઍમણે ઍ નીતીમા લગામ ખેચી છૅ કારણકે ઍમને ઍ નીતિ હવે ઍમના માટે અનુકુળ લાગતી નથી. ઍથી લોકોમા અસંતોષ, બેકારી, અને વેપાર ધંધાને નુકશાન થાય છે.
                                                         ઍફ ડી આઇ મર્યાદાને વધારી પરદેશી કોંપનીઓને ૫૧% હિસ્સો આપવાથી ઍમનુ વર્ચસ્વ વધવા સંભવ છે. લોકોને ઍમના પર પરાણે  નાખવા જેવુ થશે અને લોકો પાસે મનભાવતા ભાવ વસુલ કરી શકશે. અને નાના વેપારીઓનુ અકાળે નાશ થશે.
                                                        ઍ બાબતમા વોલમાર્ટનો દાખલો લેવા જેવો છે. અમેરીકામા પણ ઍની રીતરસમો સામે વિરોધ ચાલી રહ્યો છે. વોલમાર્ટે નાના વેપારીઓને નુકશાન કર્યુ છે અને ઍના કામદારો પ્રત્યેનૂ વલણ યોગ્ય નથી.  આથી વોલમાર્ટ સામે અમેરિકન રાજધાની વોશિંગ્ટનમા વિરોધ પ્રદશન ચાલી રહ્યુ હતુ. આથી ભારત સરકારે પણ  ઍફ ડી આઇ નીતીમા સાવધાનીથી આગળ વધવાની જરૂર છે.

                                        ***********************************

Sunday, September 9, 2012


























જ્યુસ
=======================================
-ચિત્રમા ઉપરથી નીચે- આલબર્ટ આઈન્સ્તાઈન, હેનરી કૈઈસનજર(અમેરિકન રાજકારણી), જેરી લુઈસ( કોમેડિયિન-હૉલીવુડ), પદ્મશ્રી રૂબેન ડેવિડ(અમદાવાદ), સંદરા બૂલોક( હૉલીવુડ હિરોઈન), સ્ટીવેન સ્પીલબર્ગ( હૉલીવુડ દિગ્દર્શક)-
---------------------------------------------------------------
આખી  દુનિયામા  ૧૪ મિલિયન જ્યુસો  છે.  જેરૂસલંમ ત્રણ મહત્વના ધર્મોનુ પવિત્ર સ્થાન છે ઍમા ઈસ્લાંમ, ઈસાઈ, અને જ્યુસોનો પણ સમાવેશ થાય છે. આખા વિશ્વમા પથરાયેલા જ્યુસોઍ બીજા વિશ્વ યુધ્ધ પછી  જેરૂસલમ ની આજુબાજુમા પોતાનુ રાષ્ટ્ર ઇજરાયલ સ્થાપી દીધુ છે.  મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલૂ ઈજારાયલ પોતંનુ અસ્તિત્વ જાળવી રાખ્યુ છે. ઍની પાછ ળ ઍમની બુધ્ધિમતા, મહેનત અને ઉંચ ચારીત્રની શક્તિ છે.
                                                                 જ્યુસ પ્રજાનુ રાજકારણ, સાયંન્સ, કલા, અને રમતગમત ક્ષેત્રે  ઘણુ પ્રદાન રહ્યુ છે. વધારેમા વધારે નોબેલ પ્રાઇજ઼  જ્યુસો ઍજ મેળવ્યા છે. પોલીયો, લુકેમિયા, હેપીટીસીસ-બી, સિફિલિસ, જેવા રોગોની રસી ઑ જ્યુસ વિજ્ઞાનિકો શોધી છે.  માઈકરોપ્રોસેસિંગ ચીપ, ન્યૂક્લિયર રિયેક્ટર, ઓપ્ટિકફાઈબર કેબલ, ટ્રાફિકલાઇટ, સાઉંડ મૂવી, સ્ટેનલેસ સ્ટીલ, ટેલિફોન માઈક્રોફોન, વીડિયો ટેપ રેકૉર્ડર, વગેરે શોધનારા પણ જ્યુસો હતા.
                              વ્યાપારમા  પોલો, લેવી જીન્સ, સ્ટારબક,ગૂગલ,ડેલ કોમ્પ્યુટર, બાસ્કીન રૉબિન્સ, ડંકીન ડોનેટ્સ, ઓરેક્લ, જેવી કંપનીઓ ઉભી કરનારા જ્યુસો જ હતા. રાજકારણમા હેન્રી કૈસિંગેર, ઍલન ગ્રીનસ્પાન, (અમેરિકાના) માઈકલ હાવર્ડ,(બ્રિટન), ડેવિડ મારવલ જેવી અનેક વ્યક્તિઓ જ્યુસોમાથી આવી છૅ. આલ્બર્ટ આઈનસ્ટાઈન પણ જુયૂસ હતા ઍ તો બધાજ જાણે છૅ.
                               હોલીવૂડની સ્થાપનામા જ્યુસોનો મોટો હાથ હતો. અમેરિકાના વૉલ સ્ટ્રીટ મા ઍમનુ પ્રભુત્વ છે. હેરીસન ફોર્ડ, ટોની કરટીશ, કૅરી ગ્રાન્ટ,ચાર્લ્સ બ્રૉન્સન, સેન્ડરા બૂલોક, કર્ક ડગલાસ, માઈકલ ડગલાસ,પૉલ ન્યૂમન, જેર્રી લુઈસ, બેન કિંગલી, વૂડી ઍલન ઍ બ ધા હોલિવુડના કલાકારો જ્યુસ સમુદાયના છે.  જાણીતા હોલિવુડના દિગ્દર્શકો સ્ટીવેન સ્પિલબર્ગ, ઓલિવર સ્ટોન,મેલ બ્રુક, નીલ સાઈમન, અને માઈકલ મૅન ઍ બધા જ્યુસો છે.
                                દુનિયાના કોઈ પણ દેશમા જ્યુસો હમેશા અગ્ર સ્થાને હોય છૅ. અમદાવાદમા ડેવિડ રુબેનને ઘણા ઓળખતા હશે. આમ જ્યુસો પોતાની મહેનત અને હોશીયારીથી આગળ રહ્યા છૅ અને સાબિત ક્રર્યુ છેકે  જીવનમા આગળ્ વધવા માટે ગુણવત્તા મહત્વની છે. ભલે તમારી જાતિની સંખ્યા ઑછી
 હોય.
                                   ********************************