Friday, December 30, 2011


૨૦૧૧નુ વર્ષ
=========
૨૦૧૧ ના વર્ષમા જનતા મોંઘવારી, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદીમા સબડતી રહી છે. જનતાની ઍ પીડાનો અંત ક્યારે આવશે તે કહેવુ મુશ્કેલ છે પરંતુ ઍમા રાહત મળે તો પણ બહુ છે. બીજી બાજુ ભ્રષ્ટાચારને નાથવા માટે ભારતમા પણ યુધ્ધ ચાલી રહ્યુ છે. ઍક વયોવૃધ્ધ સ્વચ્છ ગાંધીવાદી અન્ના હજારેઍ ભ્રષ્ટાચાર સામે અને ઍને નાથવામાટે કેટલી વાર અન્નશન કરવા પડ્યા છે. દરેક વખતે ભ્રષ્ટાચાર સામે મજબૂત લોકપાલનો કાયદો લાવવાના વચનો આપિને ભારત સરકારે અન્નશનો તોડાવ્યા છે. આખી વાતમા કરૂણતાતો ઍ છેકે ઍક દેશપ્રેમી વયોવૃધ્ધને ભોગે કેટલા ઍ માણસો પોતાના રોટલા શેકી રહ્યા છે. પરંતુ ભ્રષ્ટાચારનો રાક્ષસ તો ત્યાનો ત્યા જ્ છે. આતો મહાભારત જેવુ યુધ્ધ છે જેમા કૌરવો બાજુમા વિચિક્ષ્ણ યોધ્ધાઓ છે અને બીજી બાજુ ધર્મ, ધીરજ અને આંદોલન છે. લોકશાહી રીતે દરેક પ્રશ્ન હલ થઈ શકે છે. શાંતિમય રીતે જો ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નોનો ઉકેલ ના આવે તો ઍના પરિણામોઘણા વિપરીત જ હોય છે. ઘણા ઇતિહાસમાથી પણ શીખવા તૈયાર નથી ઍ પણ ઍક ક્મનશીબી છે. આપણે અન્ના જેવા નેતાને જ ટેકો આપી દેશ પ્રત્યેની આપણી શુભેચ્છાઓ વ્યક્ત કરીઍ. ૨૦૧૨ નુ વર્ષ સર્વને માટે સુખી સમરુધ્ધ અને આનંદમય નીવડે ઍવી પ્રભુને પ્રાર્થના.
"વતન તારા હાલ જોઈને ખુદાને દયા આવી
પણતને લુટનેવાળા દેશવાશીને દયા ના આવી
સ્વાતંત્ર સૈનિકો ઍ સર્વ પોતાનુ આપી દીધુ હતુ
આવી વતનની હાલત થશે ઍ કદી વિચાર્યુ ન હતુ"
ભારત દેસાઈ
૩૧મી ડિસેમ્બર ૨૦૧૧

Thursday, December 29, 2011



સર્વ દુખોનુ મૂળ?
===========
સ્વાધ્યાય આંદોલનના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આથવલે માનતા હતા કે "સર્વ દુખોનુ મૂળ આશક્તિમા છે. તે છતા આશક્તિ વગરનુ જીવન પણ જીવન નથી. બુધ્ધિ દ્રષ્ટીથી ઍનુ નિયમન જરૂરી છે." ગાંધીજી આગળ વધીને કહે છેકે' મારામા પણ કેટલીક નબળાઈઑ છે ઍટલે બીજાની નબળાઈઑ માટે શુ કહેવુ?આથી ગાંધીજી બીજાના ગુણોને જ જોતા અને ઍમના અવગુણો તરફ ઍ સહાનુભુતિ રાખતા." સુખ અને દુખ ઍ જીવનની પ્રક્રિયાઑ છે જેને બુધ્ધિથી જ હલ કરવી રહી.
સર્વ દુખોનુ મૂળ છે વાસના
ઍ વધી બને કામના
કામનાથી વધુ ત્રાસ આપનારી તૃષ્ણા
જે લાવે આશક્તિને કરવા માનવીને ફના
આશક્તિ વગરનુ જીવન શુ?
બૌધિકતાજ કરી શકે ઍનુ નિયમન
જે આશક્તીઓથી નિયમન કરે
ઍજ આ જગમા આનંદમયો રહે
સર્વ દુખોનુ મૂળ છે વાસના
જે માનવીને કરે અહા ફના
ભારત દેસાઈ
------------------------------

Wednesday, December 28, 2011



સૌદર્ય
=====
"જ્ઞાન કરતા દ્રષ્ટી મહત્વની છે" ઍમ વિનોબાજી માનતા હતા. અહિઍ દ્રષ્ટી ઍટલે દિવ્ય દ્રષ્ટિંની વાત છે. જેમકે સૌદર્ય માણી શકાય છે. અનુભવી શકાય છે. અને દિવ્ય શક્તીથી જોઈ પણ શકાય છે. ફક્ત સૌદર્ય સાથે વધુ રમવાથી તેનો નાશ થાય છે. ફૂલો ઍના સચોટ દાખલાઓ છે આથી સૌદ્રયને અનુભવમા, માણવામા, અને દિવ્ય દ્રષ્ટીથી જોવામા જ અનોખો આનંદ મળે છે.
"સૌદર્યને જુઓ ભવ્યતામાં
હરીની બંદગિમા
સંતોની પવિત્રતામા
તો બીજાની આનંદની પળોમા
દિન દુખીના કામોમા
ઍની ઝલખ દેખાય છે
વીરોની વિરતામા
ઍનુ તો પ્રતિબિંબ દેખાય છે
મહાન માનવની માનવતામા
ઍના નિજ દર્શન થાય
જંગલી પશુઓની ભયંકર્તામા
કદીક સૌદર્યના દર્શન થાય
સૌદર્યને જુઓ ભવ્યતામા
તો કદીક જંગલી પશુઓની ભયંકર્તામા"
ભારત દેસાઈ
===============

Friday, December 23, 2011


દીકરી ઍ ઍની માતાનો પડછાયો હોય, તો પિતાનુ ઍ હૃદય હોય છે.
દીકરી
========
તૂ હતી તો બહારે હ્તી
જીવનમા કઈક હરીયાળી હતી
ઘર ગુજતુ હતુ કિલ્લોલથી,
આંગણ રંગોળીથી ભરપુર હતુ
તૂ હતી તો --
જીવનના ચઢાવમા થાક જો લાગતો
તારુ હાસ્યને જોઈને ઉતરી જતો
તારે ઍકદિ જવાનુ છે જાણી
ચહેરો ઍક્દમ ઉતરી જતો
તૂ હતી તો--
ઍ દિવસ પણ આવી ગયો
તૂ ધીમે પગલે આન્શુ સાથે નીકળી ગઈ
અમને અજાણ્યા બંનાવી બીજે ઘરે ચાલી ગઈ
શરીર સાસરિયે પણ દિલ અમારી પાસે આપી ગઈ
તૂ હતી તો--
હજુ તૂ આવે જ્યારે દિલ અમારા ફંફોળે,
પેલી બહારોની યાદોને વાગોળે
જતા પહેલા અમારી આંખોમા આંખો પરોવે
જાણે મૂકી ગયેલી ઍના દિલને અમારા હદયે ઢંઢોળે
અમારા આન્શુઓને આંખોમા જોઈને
ઍના દિલને નીહાળીને દૂરદૂર જવા નિહરે.
તૂ હતી તો--
ભારત દેસાઈ

Thursday, December 22, 2011


સ્ત્રી શક્તિ
======
આ ૭૦ વર્ષ પહેલાની સાચી કથા છે. મોકેલે નાશ કરેલી ભારતીય શિક્ષણ પ્રથામાથી બચી ગયેલી અને સ્ત્રી શક્તિઍ બચાવેલી આપણી ઍક પેઢીની વાત છે. આવીતો ઘણી વાર્તાઓ હશે પરંતુ કાગળ પર ઉતરાઈ નહી હોય. આપણી માતાઓ, બહેનો અને પત્નીઓ ઉભી કરેલી ઍ પેઢી જ તો લડી લડીને આપણને અમૂલ્ય સ્વતંત્રતા અપાવી છે.
ઍ દક્ષિણ ગુજરાતના નાના ઍવા શહેર વલસાડમા ઍ વિધવા ચાર પુત્રીઓ અને૨ પુત્રો સાથે રહેતી હતી. ઍક પુત્રતો સ્વાતંત્રતાના ગીતો અને કવિતાઓ લખવામા મશગુલ હતો આથી કોઈ આર્થિક મદદ ન હતી. જ્યારે નાનો પુત્ર કુટુંબ માટે ૫૦ રૂપિયા લાવતો ઍમાથી કુટુંમબનો નિર્વાહ ચાલતો. ગરીબી હતી પરંતુ ગરીમા હતી. સાથે સાથે દિલની વિશાળતા હ્તી. ઍના પોતાની પુત્રીના દીકરાઓ સાથે પીતરાઈના દીકરાઓ પણ ભણતા. જાણે આશ્રમશાળાનો નમૂનો હતો.
દરેકને માટે સરખા નીયમો હતા, બધાઍ સાથે તથા સરખુ ખાવાનુ. ખાતા પહેલા હાથ પગ બરાબર સાફ કરવાના, અનાજનો ઍક પણ દાણો બગાડવાનો નહી, રમવાને વખતે રમવાનુ પરંતુ અમુક નક્કી સમય સુધી અચૂક ભણવાનુ. પેલી વિધવા પાસે ઍક નેતરની સોટી પણ હતી જે સંજોગો પ્રમાણે તથા ભૂલચૂક પ્રમાણે ઉપયોગ પણ કરતી. જેટલી શિક્ષણની બાબતમા કડક હતી ઍટલી જે પ્રેમ આપવાની બાબતમા ઉદાર હતી. પોતપોતાની વસ્તુઓ દીકરાઓ પોતાની જગ્યા પર વ્યવસ્થિત રાખે તેનુ ધ્યાન રાખતી. ચારીત્રની બાબતમા જરા પણ સમાધાન કરતી નહી. અસત્ય, ચોરી, જુઠાનુ માટે સખત સજા થતી. આથી ઘરનુ વાતાવરણ ઘણુ પવિત્ર રહેતુ. ઍના કડક વલણ માટે સીધો જવાબ હતોકે 'મારી જવાબદારી પર મે તમને ભણવાને રાખ્યા ઍટલે તમારા ભવિષ્ય માટે પણ હૂ જવાબદાર ગણાવુ."
આટલા કડક નીયમો સાથે સર્વત્ર પ્રેમ, બંધુતાનુ વાતાવરણ હતુ. ત્યા રહેનારમાથી ઘણા આગળ જતા સ્વાતંત્ર સૈનિક બન્યા તો કેટલાકે તો ભારતીય મજુર આંદોલનમા નેતા પણ બન્યા.
ઍક સામાન્ય નિર્ધન વિધવા શુ પ્રદાન આપ્યુ ઍનો આ ઉત્તમ નમૂનો મે રજૂ કર્યો . મને પણ ઍ ઘરેલુ શાળામા બચપનમા લાભ મળ્યો હતો કારણકે પેલી ઉચ્ચ ચારિત્ર, આત્મ શક્તિવાળી, સ્ત્રી મારી નાની હતી.
**********************************

Tuesday, December 20, 2011


જીવનમા સુખ અને દુખ ઍ પ્રક્રિયાઓ છે ફક્ત માયાવી દુનિયાના ચક્રવ્યૂહમા આપણાથી ફસાઈ જવાય છે. સુખતો બધાની સાથે માણવાનુ છૅ, પરંતુ દુખતો ઍકલાઍ જ ભોગવવાનુ છે.
શરાબખાનાની શરાબ----
શરાબખાનાંની શરાબ તો હમેશ સાથે છે
જૂની જૂની યાદો પણ હંમેશ સાથે છે
આપણીરોટી ખાઈને કુતરાઓ પણ સાથે છે
પણ આપણા પોતાનામાથી કેટલા સાથે છે?
સુખમા તો બધા સાથે રહે
કારણકે સુખની મજાતો માણવા મળે
દુખમા બધા દુર ભાગે
કારણકે દુખ બધાને કારમુ લાગે
જીવનનુ આ કડવુ સત્ય સમજવૂ મુશ્કેલ છૅ
પણ જે ઉતારે તે જ રાજી રાજી છે
શરાબખાનાની શરાબ તો હમેશ સાથે છે
પણ આપણા પોતાનામાથી કેટલા સાથે છે?
ભારત દેસાઈ

Sunday, December 18, 2011


કેટલાક માને છેકે ઈશ્વર છે જ નહી. ઍથી ઍમને કોઈનો ડર નથી. તો કેટલાક ઈશ્વરની શોધમા મંદિરો મસ્જિદો,અને ચર્ચોમા ભટકતા રહે છે. પરંતુ ઍમના વાણી અને વર્તન કઈક જુદા જ્ છે. આ જોતા આસ્તીક અને નાસ્તિક્મા શુ ફર્ક ચ્હે છે? ઍક વિખ્યાત સાયંટિસ્ટ કાર્લ સાગને કહ્યુ છેકે ' તમારી પાસે સાબિતી નથી ઍ કારણે વસ્તુ નથી ઍ માનવુ યોગ્ય નથી' ઍજ વસ્તુ પ્રભુંના અસ્તિવ માટે પણ લાગુ પડે છે. આ જગતમા જે ચાલી રહ્યુ છે ઍથી આપણામાના ઘણા નાખુશ છે તો પ્રભુને શુ પુચ્છવુ?
"આજકાલતો તો પ્રભુ પણ બેચેન છે
દુખનો માર્યો ઍ ક્યાક્ ગુમ થઈ ગયો છૅ
મંદિરોના ઘંટારવમા, અને મસ્જિદોની બંદગિમા
ગુરૂદ્વારાની ગુરુભક્તિયોમા, અનેચર્ચોની પ્રાથનાઓમા
બનાવતની ઍને બદબૂ આવે છે
પોતે બનાવેલા રમકડાઓઍ જ
ઍને ઍક રમકડુ બનાવી દીધુ છે
આથી તો પ્રભુ ઘણો બેચેન છે
શરમનો માર્યો બધેથી ગુમ છે"
ભારત દેસાઈ

Thursday, December 8, 2011


"તમારે જો દુનિયામા પરિવર્તન લાવવુ હોય તો તમારે જ પરિવર્તન બનવુ પડશે."
ગાંધીજી
આજ વસ્તુ લેખકોને પણ લાગુ પડે છે. લેખકોને માથે પણ પરિવર્તનની સામાજીક જવાબદારી હોયછે. પરંતુ જવાબદાર લેખકો કેટલા છે?
આવા પણ લેખકો --
આવા લેખકો હોય છે જેણે કલમ વેચી નાખી છે
બીજાને ખુશ કરવા માટે કઈ પણ લખી નાખે છે
ઍમના લખાણોમા કોઈ પ્રેરણા નહી, તો સંદેશનોતો સવાલ ક્યા?
ધન દોલત કીર્તિને માટે વેચી નાખ્યો છે આત્મા યહા
પોતાની પ્રસંસા માટે કઇ પણ કરવા તૈયાર છે
લેખનમા ફક્ત શબ્દો છૅ પણ ચેતના ત્યા છે ક્યા?
બીજાની ખુશામત દ્વારા સ્વાર્થ નીજનોકરતા રહે
સચ્ચાઈને લખવાનો ઍમનામા દમ પણ છે ક્યા?
સારો લેખક ઍવો હોય જેના દિલમા પ્રેમ હોય
ભાવનાઓથી તરબોળ અને સાગરની જેવી ગહરાઈ હોય
ધન ક્દી ખરીદી ના શકે તો સત્તા પણ નમાવી ના શકે
દિલ ભલે કઠીન હો પણ દિન દુખિયાનો બેલી હો
ભારત દેસાઈ
============================

Wednesday, December 7, 2011


દોસ્તી
====
દોસ્તી ઍવી ચીજ છે જે, કરવાથી થતી નથી
ઍતો ઍવી ચીજ છે જે આપોઆપ થઈ જાય છે
સિગારેટ અને શૂરાની દોસ્તી, ઍ દોસ્તી નથી
દોસ્તીમા શરીર અલગ પણ દિલદિમાગમા કોઈ ફર્ક નહી.
દોસ્તી હોય તો અર્જુન કૃષ્ણ જેવી જે ભાવ અને પ્રેમથી ભરપુર છૅ
કૃષ્ણ અને સુદામા જેવી હો જેમા સ્વાર્થનૅ કોઇ સ્થાન નહી
દોસ્તી ઍવી ચીજ છે જે કરવાથી થતી નથી
ઍતો ઍવી ચીજ છે જે આપોઆપ થઈ જાય છે
ભારત દેસાઈ
====================
હળવી પલો
==========
૧)ઍક સમસ્યા?
મારો પડોશી વારવાર બહાર આવી ઍનો મેલ બૉક્સ ખોલી રહ્યો હતો
હૂ દેખી થયો હેરાન!
મે પુછયુ 'શુ સમસ્યા છે?
'મારૂ કોમ્પ્યુટર કહી રહ્યુ છે ' તારુ મેલ બૉક્સ ખોલ'
ઍ તો મારી સમસ્યા છે,' પડોશીઍ જવાબ આપ્યો.
-------------------
૨) રસ્તામા પોલીસને પુછ્યુ 'હોસ્પિટલનો શોર્ટકટ બતાવ?
'પેલી ટ્રકની સાથે તારી કાર ટકરાવી દે.' પોલીસે હસતા હસતા જવાબ આપ્યો.
-------------------

Tuesday, December 6, 2011


લોકોઍ સ્વર્ગની ઍક કલ્પના કરેલી છે. અને માનવોઍ તો ઍનો અમલ કરી દીધો છે. દાખલા તરીકેલાસ વેગાસમા શુ છે?
ઇન્દ્ર શુ સ્વર્ગ બનાવે છે
માનવો પણ કમ નથી
ચારેબાજુ રંગીન લાઇટો હોય
તારોની જેમ તે જબૂગતી હોય
પલકોમા રંગો બદલતી હોય
ઍ સ્વર્ગથી શુ કમ છે?
સુંદર સજેલી સુંદરીઓ,
કમનીય કમરને હલાવતી હોય
અપ્સરાઑ આની સામે શુ?
તો ઍ સ્વર્ગ નહી તો શુ છે?
ભારત દેસાઈ
===============