Wednesday, June 24, 2015


 સિલિકન વેલીની બીજી બાજુ

                                                                                                         અમેરીકામા સિલિકન વેલી ઍક સમૃધ્ધ પ્રદેશ છે ત્યા ગૂગલ, ઍપલ, ઈન્ટેલ, સિસ્કો, અને ફેસ બુક જેવી સમૃધ્ધ કંપનીઓ આવેલી છે. આખા અમેરિકાની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $૩૬૦૦૦ ની સામે સિલિકન વેલી ની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $ ૪૪૦૦૦ જેટલી છે. ઍનુ કારણ હાઈ ટેક્ની સમૃધ્ધિ છે
                                                                પરંતુ  ઍ સમૃધ્ધિના ચન્દ્ર સમાન  સૌદર્યમા ઘણા લોકો ઘરબાર વગરના  છે, અને ઍ લોકો રસ્તા પર કે પછી તોતીંગ પુલોની નીચે કે પછી નદી નાલાઓને કિનારે જીવન વિતાવે છે. ઍમા કેટલાક નિવૃત્ત સૈનિકો પણ છે. ઍમાના કેટલાક તો માનસિક રીતે પડી ભાંગેલા કે પછી માનસિક રોગિષ્ટ પણ છે.
                                                                આજના સરવે પ્રમાણે ૨૦૧૫ મા ૬૫૫૬ ઘરબાર વગરના લોકો હજુ પણ રસ્તા પર રખડે છે.  ૨૦૧૩ મા ઍવા ૭૬૩૧ વ્યક્તિઓ હતા.  આથી સંતોષ લેવાની વાત છે કે હોમલેસ માણસો ઑછા થયા છે અને સત્તા વાળાના અને ખાનગી સંસ્થાઓનાપ્રયત્નો  થોડે અંશે સફળ થયા છે.
                                                                     તે છતા ઍક બાજુ  અઢળક  સમૃધ્ધિ અને બીજી બાજુ આવી કંગાળતા ઍ વ્યાજબી નથી. ટૂકમા આજે દુનિયાંમા ઍક બાજુ સમૃધ્ધિ અન બીજી બાજુ કંગાળતા ફેલાયેલી છે ઍમાથી અમેરિકા પણ થોડે અંશે ઘેરાયેલ લાગે છે.
                                           ********************************************

Monday, June 22, 2015



ફાધર ડે ઍટલે કે પિતાને પ્રત્યે માન  દાખવાનો અવસર-૨૧જુન ૨૦૧૫

                                                                      અમેરીકામા ૨૧મી જૂને ફાધર ડે ઉજવાઈ ગયો. ઘણા પુત્રો અને પુત્રીઓેઍ ઍને આદરથી ઉજવ્યો. પૂર્વની સસ્કૃતિમા તો પિતાને 'પિતરુદેવ' કહેવામા આવે છે  અને પિતાને આદરપૂર્વક જોવામા આવે છે. પશ્ચિમમા (અમેરીકામા) પણ વર્ષના ઍક દિવસે પિતાના દિવસ તરીકે ઉજવાય છે, ઍટલેકે ૨૧ જુન.
                                                                   પિતા ઍ કુટુંબના નેતા સમાન હોય છે અને ઍને કુટુંબના હિતમા ઘણા અપ્રિય અને દુખદ નિર્ય ણો લેવા પડે છે. ઍથી ઍની સ્થિતિ ગણી મુશ્કેલ હોય છે. ઍને ઍની લાગણીઓને દબાવી રાખવી પડે છે. પ્રેમના આવેશને દબાવી રાખવો પડે છે. ઍને બધુ કુટુંબમા આંધાધુંધી ફેલાતી અટકાવવામાટે કરવુ પડે છે. ઍથી ઍ હમેશા બલીના બકરા જેવી હાલતમા હોય છે.
                            પિતા જે નથી કેરી શકતા તેની ઉણપ માતા પુરી કરે છે, ઍટલા માટે બાળકો હમેશા માતા ના પર ઍમનો પ્રેમ વધારે વરસાવતા રહે છે.  નાનપણમા બાળકો પિતા સાથે રમતા રહે છે. ઍમની જરૂરીયાતો પણ પિતા દ્વ્રારા સંતોષતા રહે છે. પરંતુ મોટા થતા જેટલી દાખવવી જોઇઍ ઍટલી ઉદારતા દાખવી શકતા નથી ઍનુ કારણ પિતાના તેમની બાબતમા સખત નિર્યણો ઘણીવાર  જવાબદાર હોય છે.
                            ઍમ કહેવાય છેકે નાનપણમા પિતા ઍના બાળકો માટે મહાન અને વિદ્દ્વાન હોય છે.  મધ્ય ઉંમરમા  બાળકોને પિતા ક્રોધી, અને સમયને અનુકુળ લાગતા નથી. આગળ જતા ઍમના માટે પિતા મુશ્કેલ બનતા જાય છે. પરંતુ ઍજ બાળકો જ્યારે ૪૦ ની ઉપ્પર વયના થાય અને ઍમને પણ સંતાનો હોય ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે અમારા પિતાઍ અમને કેવી રીતે  ઉછેર્યા હશે? અને જ્યારે ઍ ઘરડા થાય  ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે ઍમના પિતા કેટલા ભવિષ્યવેતા અને કેટલી હોશીયારીથી ઍમનુ જીવન ઘડ્યુ હતુ. ત્યારે જ ઍમને પિતાની નિપુણતાનો ખ્યાલ આવે છે. પરંતુ  ઍ વખતે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે. કદાચ પિતા હયાત પણ નહી હોય. આજ પિતાની કહાનીનો કમનશીબ ભાગ છે.
                           ઍક વાત ચોક્કસ છે કે પિતા કુટુંબનો ભાર જ નથી ઉપાડતા પણ દરેક સભ્યની ઉણપોનો ભાગ ઉપાડી ઍને સલામત  સ્થળે પહોચાડે છે. ઍટલા માટે ભારતીય સંસ્કૃતિમા પિતાને વંદનીય સ્થાન પર મુકવામા આવેલા છે.
                                      *********************************  

Monday, June 15, 2015


હોશીયારી અને સફળતા

                                                                                                                                     સફળતા ઍ માનવીને સમાજમા ઉચા સ્થાન પર પહોચાડી દેછે.પરન્તુ હોશીયારી ને સફળતા સાથે ગાઢ સબંધ છે. આથી સફળ માનવી હોશીયારી વગર સમાજમા ટકી શકતો નથી. આથી હોશીયારીનુ વિવરણ કરવુ જરૂરી છે. ઍટલેકે હોશીયારી કોને કહેવાય?
                                હોશીયારી નુ ઘણા ચિન્તકોઍ પોતાના શબ્દોમા  વર્ણન કર્યુ છે. તેનો નિચોડ આ મુજબ છે.
૧)હોશીયાર માણસો પોતાની  મુશ્કેલી અને મર્યાદાને સમજે છે  આથી સંજોગોને વશ  થઈને વર્તે છે.
૨) ઍમને ખબર હોય છેકે ઍમનુ  જ્ઞાન કેટલુ છે અને ઍમની ઉણપને પુરી કરવા પ્રયત્ન કરે છે.
૩) ઍમની કતુહલતા  અપાર હોય છે. આથી ઍ કતુહલતાને સંતોષવા  ઍમની પાસે પ્રશ્નો પણ તૈયાર હોય છે.
૪) ઍ લોકો તદ્દન સ્પષ્ટ પ્રશ્નો  પૂછી લા છે અને ઍના ઉત્તરો મેળવીને જ જમ્પે છે.
૫) ઍ લોકો બીજાના વિચારોને અને લાગણીનેં સમજી શકે છે. બીજાના સારા વિચારો અને માન્યતાને અપનાવી લે છે.
૬) ઍ લોકો  ઉદ્દાર માનસ ધરાવતા હોય છે.
૭) ઍક અગત્યની વાત ઍ છે કે જ્યા સુધી  કોઈ પણ વસ્તુ પૂરાવા સહિત મગજમા ન ઉતરે ત્યા સુધી હોશિયાર લોકો ઍને અપનાવતા નથી.
                               આથી કહેવાય છે કે માનવીય સફળતા માનવીની  હોશીયારીને વરેલી છે.
                              ***********************************************

Thursday, June 11, 2015

કેટલીક આશ્ચર્યજનક વાતો----

                                                 
                                                                                                                                         ૧)ચીનના સામ્યવાદી ક્રાંતિના નેતા માત્સે તુંગનૅ નેતાગીરીના પાઠ ઍની માતાઍ  શીખવ્યા હતા. ઍમા ધીરજની બહુ જરૂરીયાત હોય છે. માતાઍ આપેલા ઍક છોડને મોટો કરતા કરતા માઓનો દમ નીકળી ગયો હતો.
૨) ગાંધીજીઍ ઍમના મોટા પુત્ર હીરાલાલની બાબતમા કહ્યુ હતુકે" હુ આખી દુનિયાને સંસ્કાર આપી શક્યો પરંતુ મારા પુત્રના સંસ્કારની બાબતમા નિષ્ફળ નીવડ્યો છુ."

૩)હિટલરને ટાઇમ  મેગે જિને  'મૅન ઓફ ધ  ઇયેર' ૧૯૩૮મા જાહેર કર્યો હતો.  ૧૯૩૯મા ઍજ હિટલર નુ નાંમ  નોબલ શાંતિ પ્રાઇજ઼ માટે મોકલવામા  આવ્યુ હ્તુ.  પરંતુ  બિજુ વિશ્વ યુધ્ધ ૧૯૩૯મા શરૂ થયુ.

૪) લાસ વેગસ કેસિનોમા ક્યાક્ પણ ઘડિયાળ દેખાસે નહી.
૫) ઍપ્રિલ ૪, જુન ૬, ઑક્ટોબર ૧૦, અને ડિસેંબર ૧૨  અઠવાડિયાના ઍક્જ દિવસે પડે છે.
૬) ઍક વર્ષમા ૬૭૦૦૦ જેટલા લોકો મૃત્યુને ભેટે  છે. જેના માટે ડૉક્ટરઓના લપસતા હસતાઅક્ષરો જવાબદાર હોય છે.
૭) ગ્રીસના રાષ્ટ્રીય ગીતમા ૧૫૮  પંકતીઓ છે.

૮) મેરલિન મનરોનો 'આઇ ક્યૂ' (૧૬૩) આલબેર્ટ  આઇનસ્ટાઇન કરતા ૩ પોઈન્ટ વધારે હતો.
                                       *************************************