Sunday, December 23, 2012












બળાત્કાર
======
                             દુનિયામા બળાત્કારના  કિસ્સાઓ બધે જે બનતા હોય છે. ઍમા ધનિક,  ગરીબ, અભણ  કે  અશિક્ષિત દેશોમાથી કોઈ પણ અપવાદ નથી. ઍમા કામ ભૂખ અને આધુનિક જમાનાની વિકૃતિઍ કેરોસિન જેવો પદાર્થ નાખી ઍ આગને ભડકાવી છે.
                            થોડા દિવસ પહેલાજ દિલ્હીની ઍક બસમા કરુણ બળાત્કારનો કિસ્સો નોધાયો છે. ઍમા છ નારાધમોઍ ઍક પછી ઍક ૨૩ વર્ષની  યુવાન સ્ત્રી પર બળાત્કાર કરી અર્ધનગ્ન અવસ્થામા છોડી દીધી હતી. કોઇઍ ઍના શરીરને ઢાંકવાનો પણ પ્રયત્ન ન કર્યો. ઍને હોસ્પિટલમા  લઇ જવાની દરકાર પણ ન કરી. ઍનો ગુનો ઍ હતો કે ઍ મિત્રને મળી ઘરે જવા માટે  ખોટી બસમા ચઢી ગઈ હતી.
                             હજુ પણ ઍ કેટલી વાર ઍ ભયાનક  પ્રસંગને યાદ કરી બેભાન થઈ જાય છે. ઍના આંખમાથી હજુ પણ આન્શુઓ સુકાતા નથી. ઍના ભવિષ્યમા ઍને અંધકાર જ દેખાય છે.
                              ઍ બાળાત્કારને કારણે આખો દેશ ધ્રુજી ઉઠ્યો છે. ભારતની રાજધાનીમા પણ મહિલાંઓની કોઈ સલામતી નથી. ઍનાથિ સારો સમાજ કંપી ઉઠ્યો છે. મહિલા સમાજે, અને મહિલા સંસ્થાઓે ઍ દેખાવો યોજ્યા છે. મહિલા અને અન્ય નેતાઓે ઍ લોકસભામા અને રાજ્યસભામા  હંગામો મચાવ્યો છે. પોલીસ પણ જાગૃતિ પૂર્વક તપાસ ચલાવી રહી છે. ગુનેગારો પકડાઈ પણ જશે પરંતુ પછિ શુ?   ઍ મોટો પ્રશ્ન છે.
                              લોકોની માગણી છે કે ' કાયદાઓ બદલી ઍને સખત બનાવી  ગુનેગારોને સખત સજા થવી જોઇઍ જેથી ગુનેગારો પર ધારી અસર થાય અને આવા બનાવો બનતા અટકી જાય.  ઍ કોઈની તો બહેન હશે અથવા કોઈ ની પુત્રી હશે ઍમ માનીને ચાલવા કરતા આપણી પુત્રી અને બહેન માની સખ્ત કાયદા માટે બધોજ સહકાર આપવો જોઈેઍ.

આવી હેવાનિયતભરી ઘટનાને કારણે પ્રભુ પણ ઘણો દુખી હશે!  આથી
ઍના અનુસંધાનમા લખુ છુ.
માધવ તારી આંખોમા-----
માધવ તારી આંખોમા આંસુઓ  દીઠા છે અપાર
માનવો ઍ મૂકી માનવતા તેથી તૂ છે લાચાર
માધવ તારી આંખોમા---
ધોળે દિવસે રસ્તા વચ્ચે અબળાઓ લૂટાઇ છે
રાત્રીના અંધકારમા કેટલા ઍ દેહો ચુંથાઈ છૅ
નરાધમોની ઈચ્છા ચાલે ને સજ્જનો ઘરમા થથરે છે
દૂરજનોની વાહ જોઈને ધર્મ બિચારો કંપે છે
માધવ તારી આંખોમા ---
ક્યા લગી તૂ મુગો મુગો જોતો રહેશે આવા પાપચાર
ક્યા લગી તૂ મંદિરેથી  જોતો રહેશે આવા અત્યાચાર
હવે તો પાર્થને કહી દેકે ચઢાવે ઍના ધનુષ બાણ
વીંધી નાખે પાપીઓને સ્થાપવા ધર્મ તણો આચાર
માધવ તારી આંખોમા---
ભારત દેસાઈ
                                                 


                                                *********************************

Thursday, December 20, 2012












ભારતનુ સૌદર્ય
--------------
પ્રભુઍ ભારતને ખોબે ખોબે ભરીને કુદરતી સૌદર્ય આપેલુ છે. ઉત્તરમા હિમાલય દક્ષિણમા કન્યાકુમારી તો પૂર્વમા બંગાળનો મહાસાગર અને પશ્ચિમમા પશ્ચિમઘાટની ગીરીમાલાઑ પથરાયેલી છે. ઍના સૌદર્ય નો  આનંદ  અદભૂત છે. ઍ બધામા  ઉત્તરમા હીંમાલયમા ઍવરેસ્ટ  અને કાંચનજંઘાના હિમાદિત શીખરોનુ પ્રભાતનુ  સોનેરી સૌદર્ય સ્વર્ગમય હોય છે. ઍના વિષે  લખવા માટે શબ્દો નથી પરંતુ લખવા નમ્ર પ્રયત્ન કર્યો છે.
કાંચનજંઘા
----------
વહેલી સવારનો સમય હતો
પર્વતો ખેડીને આવ્યાનો શ્રમ હતો
શીતલ હવા છરીની જેમ તીવ્ર હતી
મુખમાથી ગરમ વરાળ  વહેતી હતી
વહેલી સવારનો---
સૂર્યોદય થવાની થોડી વાર હતી
જાણે અંધારુ સરકતુ હતુ
ત્યાતો થયો અદભૂત ચમકારો
સુવર્ણમય બની ગયુ શીખર સારુ
ધરતી પર જાણે સ્વર્ગ સર્જાયુ
વહેલી સવારનો સમય હતો
હદયે સ્વર્ગ દ્વારે પહુચવાનો આનદ હતો
ભારત દેસાઈ

દક્ષીણમા કન્યાકુમારીનો સાગર જ્યા સ્વામી વિવેકાનંદ સત્યની ખોજમા  બેઠા હ્તા. ત્યાનો સુર્યાસ્ત પણ અદભૂત હોય છે.
કન્યાકુમારી
-----------
જ્યા ત્રણ સાગરોનુ મિલન થાય
ત્યા ભૂરા, ભૂખરા, લીલા રંગોની રંગોળી રચાય
જમીનનો ઍક  ટુકડો જ્યા સાગરને વીંધે
ત્યા દેવિ કાન્યાકુમારીનુ સ્થાન કહેવાય                                      
જ્યા ત્રણ---
ક્ષિતિજ સુધી છે  પાણી પાણી જ્યા
વચ ટાપુ પર  છે મંદિર ત્યા.
ઍક સંતે લગાવી હતી ધૂણી જ્યા
ભારતના આત્મ સન્માનની કરવા ખોજ અહા
જ્યા ત્રણ---
સુર્યાસ્ત જ્યા સપ્ત રંગોમા થાય
દૂર દૂર અગન ગોળો  સરકી જાય
જ્યા સપ્ત રંગોની રંગોળી પુરાય
આભ મંડળમા જાણે સ્વર્ગ રચાય
જ્યા ત્રણ સાગરોનુ---
ભારત દેસાઈ
                                    ==============================

Monday, December 3, 2012


અમેરિકા ઍટલે જ અમેરિકન
==================
ભારતમા લોકો અમેરિકાની સમૃધ્ધિ પર આફરીન છે પરંતુ ઘણાને ઍ ખબર નથી કે ઍ સમૃધ્ધિ અમેરિકનો પર આધારિત છે. ઍટલા માટે અમેરિકનોને સમજવાની જરૂરત છે. અમેરિકનો ઘણા પ્રેરણાદાયી છે. ઍ ખાસિયતો ઍમને ઇતિહાસીક વારસામા  મળેલી છે.અમેરિકનો ઘણા સાહસિક,  જબરી મહેનત કરનારા, અને  કલ્પનાને  હકીકત બનાવનારા છે. ઍ લોકો જીવનમા ડર વગર જંપલાવનારા છે. ઍટલે કે નિષ્ફળતાને પાચાવનારા છે. બેંજામીન ફ્રેક્લીનની જેમ પ્રયોગો કરીને ઍમાથી સફળતા મેળવવાંનો આત્મવિસ્વાસ ધરાવે છે.
               અબ્રાહમ લિંકનની જેમ સફળતા માટે દુશ્મનોનો પણ ઉપયોગ કરી જાણે છે. પૈસા કમાવવા માટે ગમે તે તળજોડ કરવા તૈયાર છે. રેનાલ્ડ રેગન માનતા હતા કે અમેરિકનો મુળભુત રીતે  ઉમદા,   અને ઉદાર, પ્રજા છે.  તે ઉપરાંત અમેરિકાની રચના કોઈ જાતી, વિચાર, કે ધર્મ,પર થયો નથી ઍટલે ઍનૂ ભાવી  અજોડ જ રહેશે. લિંકનના કહેવા પ્રમાણે  ગમે તેવા વાતાવરણમાથી આવેલા માણસોને પણ અમેરીકામા  ઍમનુ ઉંચ ભાવી લાગે છે. આથી અમેરીકામા મહત્વકાંક્ષી ઍવા વસાહતીઓની ભૂમિ બની રહી છે. અમેરીકામા રહી પોતાના મૂળને સાચવી દરેક અમેરિકન જીવી શકે છે ઍ મહત્વની વાત છે. યૂરોપીયન લોકો પહેલ કરવામા ઘણા નબળા પડે છે પરંતુ અમેરિકનો કહ્યા સિવાય કરનારી પ્રજા છે. અમેરિકોનોને માટે સમૃધ્ધિ, સ્વતંત્રતા, અને સાહસીકતા સમાનતા કરતા પણ વધારે મહત્વના છે. અમેરિકનો માટે  સ્વતંત્ર દ્રષ્ટી મહત્વની છે. વધારે પડતી સરકારી દરમ્યાનગીરીથી અમેરિકનો નો સ્વાસ રૂંધાય છે.  દરેક અમેરીકન નાગરિક સ્વતંત્રતાની કિંમત ચૂકવવા તૈયાર છે.   આથી અમેરિકાની આંધળી નકલ કરવા કરતા ભારતીયોયે અમેરિકન પ્રજાના ગુણ ઉતારવા આવશ્યક છે.
                                           *******************************

Tuesday, November 13, 2012












દિવાળી અને નવુંવર્ષ
===========

દિવાળી  પ્રકાશ લાવી અંધકારનો નાશ કરે છે. અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનનો  પ્રકાશ ફેલાવે છે. અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરે છે. આપણા જીવનમા પણ ઍ સુખ શાંતિ અને સમૃધ્ધિ લાવે ઍવી પ્રભુને પ્રાર્થના કરિયે. દિવાળીની શુભેચ્છાઓ અંને સાલ મૂબારક સહિત-
દિવાળી આવીને ---
દિવાળી આવીને લાવી દીવા
નવસમાજની રચના કરવા
ધનવાનો માટે લાવી સંદેશા
ગરીબો સાથે વહેચી ખાવા
મજાદૂરો માટે લાવી નવ આશા
વધુ પસીનો વડે સમરુધ્ધિ મેળવવા
નેતાઓ માટે લાવી નવ પ્રેરણા
ત્યાગ ભાવે કરો લોકસેવા
આવો આજે  નિર્ણય  કરિયે
ઍકતા અને પરિશ્રમ વડે દેશને ઉગારિયે
દિવાળી આવીને  લાવીદીવા
નવસમાજની  રચના કરવા
ભારત દેસાઇ
                                   *****************************

Monday, November 12, 2012


ઈંદિરા ગાંધી- મરણતિથી ૩૧મી ઑક્ટોબર
===========================
ઈંદિરા ભારતના પ્રથમ મહિલા પ્રધાન મંત્રી હતા. આથી ભારતની મહિલાઓમા પણ તેઓ ઘણા લોકપ્રિય છે. તૅઓ પાકા રાજકારણી હતા. ઘણી વાર તૅઓ કોની સાથે રાજકારણ રમી રહ્યા ચ્હે તેનુ ધ્યાન ન રાખતા આથી ઍમને ખાલિસ્તાન ચળવળમા શિખોને હાથે સહન કરવુ પડ્યુ અને તેમના શિખ અંગરક્ષક ની ગોળી ઍ મરવુ પડ્યુ. જય પ્રકાશ જેવા પ્રામાણિક અને ગાંધીવાદી નેતાને પડકારતા ચૂંટણી મા પરાજય ભોગવવો પડ્યો. ઈંદિરાજીના સલાહકારો નિપુણ હતા પણ ઍમની સાથીઓની પસંદગી નીચી કક્ષાની હતી જેથી તેઓ તેમને કાબૂમા રાખી શકે. તે ઉપરાંત તેમના કરતુકોનિ ફાઇલ રાખી શકે અને ઍમનુ ધ્યારુ કરાવી શકે. જાણીતા પત્રકાર અરૂણ પુરીઍ લખ્યુ છેકે ' ઈંદિરાજી મા નિર્ણય લેવાની શક્તિ છે પણ ઍમને ઍના પરિણામોનો ખ્યાલ હોતો નથી.' આવા ઍમણે ઘણા નિર્ણયો લીધા હતા.
                                         ઍમના રાજકીય નિર્ણયોમા બૅંકોનૂ રાષ્ટ્રીયકરણ, રાજાઓના સાલિયાનાની નાબુદી, દેશ પર કટોકટીની લાદણી. બૅંક ઓના રાષ્ટ્રીયકરણના વિપરીત પરિણામો દેશ ભોગવી ચૂક્યો છે. રાજાવીઓના સાલિ યાનાની રકમ ઍમણે આપેલા ભોગની સામે કઈ ન હતી જે સમય સાથે નાબૂદ થવાની હતી. ઍ ઍમનો સામન્ય માણસોના મત લેવા માટેનો તૂક્કો હતો. દેશ પર કટોકટી લાદવાનો નિર્ણય ઍમની સત્તા બચાવવા માટે હતો. ઍમ શાહ કમિશને પણ ઠેરવ્યૂ હતુ  બંગલા દેશની મુક્તિ અને પ્રથમ ઍટમ ધડાકો ઍમના પ્રસનસિય નિર્ણયો હતા.
                                          ઈંદિરાજી માટે ભ્રષ્ટાચાર  વિશ્વમય પ્રશ્ન હતો. આથી ભ્રષ્ટાચાર વધ્યો હતો. તેઓ રાજકારણમા નીતિમત્તાને મહત્વ આપતા ન હતા આથી  કટોકટી દરમિયાન' મેંટેનેન્સ ઓફ ઇંટર્નલ સેક્યૂરિટી'  કાયદા હેટળ રાજકીય નેતાઓની ધરપક્ડ ન કરવાની બાહેંન્ધારી આપી હોવા છતા જય પ્રકાશ નારયણ, મોરારજીભાઇ, અટલ બિહારી બજપાઇ અને અન્ય સેકડો નેતાઓની  ધરપકડ કરી હતી. ટૂંક મા  ડેમૉક્રેસી  સસ્પેંડ કરી નાખી હતી. ઍમના ઍ બધા કાર્યોં નો વૈશ્વિક વિરીધ થયો હતો. આખરે ઍમણે કટોકટીને હટાવવી પડી હતી અને ચૂંટણિમા પરાજય ભોગવવો પડ્યો હતો.
                                                   ==========================

Sunday, November 11, 2012


સરદાર પટેલ-જન્મ દિવસ ૩૧મી ઓક્ટોબર
===============================                          
 સરદાર લોખંડી પુરુષ હતા પરંતુ જરૂરીયાત પ્રમાણે મૃદુ રાજદ્વારી હતા.  ઍંમના મિત્રો, કાર્યકરો માટે તૅઓ ઘણા પ્રેમાળ અને લાગણીશીલ હતા. ગાંધીજી પ્રત્યે ઍમની લાગણી અને વફાદારી અપાર હતી. સ્વતંત્રતા બાદ વડા પ્રધાનની પસંદગી વખતે સરદારની કોંગ્રેસમા બહુમતી હતી પરંતુ બાપુના આદેશને માન આપી ઍમણે વડાપ્રધાન પદ નેહરુની તરફેણમા જતુ કર્યુ હતુ. ઍ ઍમના ત્યાગનો અદભૂત નમૂનો છે.
                               ઍમણે રાજાઓને લોખંડી હાથે ભારતના સંઘમા ભેળવી દીધા, પરંતુ તેઓ રાજાઓના બલિદાનની કદર કરતા હતા. ભાવનગરના સંસ્કારી રાજાની કદર કરી મદ્રાસના રાજ્યપાલ બનાવ્યા હતા. સચિનની બેગમ ને આર્થિક મદદ પોતાના પૈસે ઍક બહેન તરીકે કરી હતી. પ્રતાપસિંહ ગાયકવા ડ ની ગેરવર્તન માટે ઍને પદભ્રષ્ટ કરી નાખ્યા હતા. હૈદરાબાદનો કબજો લઈ નિજાંમને ઍમનો પરિચય આપ્યો હતો. નહેરૂ ઍમને કેબિનેટ મીટિંગમા ગુસ્સામા આવી કોમવાદી કહ્યા છતા દેશના હિતમા હૈદરાબાદના પ્રશ્નનો નિકાલ ઍક અઠવાડિયામા કરી નાખ્યો હતો પરંતુ ત્યારબાદ કદી કેબિનેટ મીટિંગમા હાજર રહ્યા ન હતા. આજ બતાવે છેકે દેશના હિત આગળ પોતાના માન સન્માનને આગળ લાવતાં નહી.  કાશ્મીરના પ્રશ્ન પર તેઓ સયુકત રાષ્ટ્રમા જવાની વિરૂધ્ધ હતા. તેમને તો પેશાવર સુધી જઈ કાશ્મીર પરના આપણા દાવાને પાકિસ્તાન પાસે તેજ વખતે કબૂલ કરાવી લેવો હતો. પરંતુ તેઓ નેહરુની જીદ્દ આગળ મજબૂર હતા. ચીનના બદ ઈરાદા વિષે ઍમણે નહેરુને ૧૯૬૨ પહેલા ચેતવણી આપી હતી. તેની
 કોઈ નોંધ લેવામા આવી ન હતી. સરદારને પગલે જો દેશ ચાલ્યો હોત તો આજે ઘણા પ્રશ્નોનો નીવડો આવી ગયો હતો. ગાંધીજી અને સરદારની મુલાકાત ગાંધીજીનુ મૃત્યુ થયુ ઍના  ૩૦મિનિટ પહેલા જ થઈ હતી જેમા સરદારે નહેરૂ સાથેના મતભેદોને લીધે સરકારમાથી  મુક્ત થવા દેવાની  ગાંધીજીને વિનંતી કરી હતી. દેશ હિત આગળ ઍમને સત્તાની પડી ન હતી.
                                 ઍમનુ જીવન તદ્દન સાદુ હતુ. તૅઓ રાજકારણમા પણ પ્રામાણિક જીવન જીવતા હતા. આથી ઍમાના મૃયૂ વખતે ઍમની પાસે ઍવી કોઈ મિલકત ન હતી. ઍમાના નામનો  ગેર ઉપયોગ કરવા બદલ તેમણે ઍમના ઍક્ના ઍક પુત્ર ડાહ્યાભાઈને પણ દૂર કર્યા હતા. ઍવા નેતા આજે ક્યા જોવા મળે છે?
                                          -----------------------------------------------

Monday, October 22, 2012









નવરાત્રિ અને દશેરો
==========
નવરાત્રિ બાદ દશેરા નો તહેવાર આવે છે. નવરાત્રિ ઍ મહા શક્તિ દેવીનો તહેવાર છે જ્યારે દશેરો  અસત્ય પર સત્યનો જયનો દિવસ છે.  તે ઉપરાંત દશેરોના  અર્થ સંસ્કૃતમાથી આવેલો દશ અને હારા ઍટલે' ખરાબ વસ્તુનો નાશ કરવાનો'. ઍટલા માટે રાવણ ના વધનો દિવસ ઍટલે દશેરાનો ઉત્સવ તરીકે ઉજવવામા આવે છે. જોકે નેપાળમા અને મૈસોરમા ઍને મા દુર્ગાના પર્વ તરીકે ઉજવવામા આવે છે.  માતા દ્વારા મહિસાસુરના વધ પરથી મૈસોર રાજ્યનુ નામ આપવામા આવેલુ હતુ.
નવરાત્રિ ઍ સ્ત્રી શક્તીનુ પણ પર્વ છૅ. નવરાત્રિમા સ્ત્રીના નવ ગુણોને પણ સમાવેશ થાય છે. સ્ત્રીઓની સહનશીલતા, પ્રેમ, ધીરજ, બલિદાન, બહાદુરી, લાગણી, સહિષ્ણુતા, નર્માસતા, અને ઍનો ક્રોધ ગમે તેવા દૃષ્ટોનો નાશ કરી શકે છે.
                                                          તે ઉપરાંત નવરાત્રીમા ઉપવાસ આત્મા સુધ્ધિ માટે કરવામા આવે છે. મૌન પણ રાખવામા આવે છે. જે માણસને આંતરિક શાંતિ અર્પે છે. અને દેવીની પૂંજાથી સ્ત્રીઑ તરફ માન અને આદર વધે છે.
નવરાત્રિ
=====
નવરાત્રિઍ નારી શક્તીનુ પર્વ   છે
નારીના ગુણોને પૂજવાનુ  પ્રતીક છે
ઍક ગુણ છે સહન શક્તિ,
તો બિજુ રુદ્ર સ્વરુપ છે
જન્મ આપી આરક્ષણ કરવુ
ઍ માતાનુ સ્વરુપ છે
બહેન બની ભૈલાને રક્ષે
ઍ પણ નિર્મળ રૂપ છે
ભાભી બની નિર્મળ  પ્રેમ વહાવે
ઍ માતા સમાન પવિત્ર જરનુ છે
સહન કરેતો ભાર ધરતી સમ સહે
રુદ્ર સ્વરૂપે ધરતીને ફાડે
ચારે ઑર આગ આગ વર્ષાવે
નવરાત્રિ ઍ નારી શક્તીનુ પર્વ છે
નારીના ગુણોને પુંજવાનુ પ્રતીક છે
ભારત દેસાઈ

Tuesday, October 16, 2012









નહેરૂ કુટુમ્બ અને ગુજરાત
===================
 નહેરૂ કુંટુંબે બારત  પર  વધારેમા વધારે રાજ કર્યુ છે. જવાહરલાલ નહેરૂથી શરૂ થયેલી ગાથા સોનિયા ગાંધીને આવી ઉભી છે. હવે રાહુલ ગાંધીની તાજપોષીની રાહ જોવાઈ રહી છે. મોતીલાલ નહેરૂ અને ગાંધીજીની રહેણી કરણી તદ્દન જુદી હતી. ભારતની સ્વતંત્રતા મેળવવાનુ  ધ્ધેય ઍક હશે. આથી બંનેનો મેળાપ રચાયો હશે.
                                                  લંડનમા શિક્ષણ પામેલા અને યૂરોપીયન ક્રાંતિથી પ્રભાવિત જવાહરલાલ નેહરુને ગાંધી વિચારધારા સાથે બહુ મેળ ન હતો. તે છ્તા સ્વતંત્રતાના જંગમા નેહરુ જોડાયા હતા. ધીમે ધીમે ઍમણે ગુજરાત સાથે નાતો મજબૂત બનાવ્યો હતો. નેહરુની ઍક બહેન વિજયાલક્ષ્મીના લગ્ન રાજકોટના પંડિત કુટુંબમા થયા તો, કૃષ્ણાના લગ્નઅમદાવાદના હટીસિંગ કુટુંબમા થયા હતા. ઈંદિરાના લગ્ન ફિરોસ ગાંધી સાથે થયા તૅઓ મૂળ ભરુચના પારસી કુટુંબના હતા. સ્વતંત્રતાની લડાઈ વખતે ગાંધીજી અને સરદાર જેવા મજબૂત ગુજરાતી સાથે નહેરુને કામ કરવુ પડ્યુ હતુ. સરદારતો નહેરુની નેતાગીરી સામે પડકાર સમાન હતા. ગાંધીજીની દરમિયાનગીરીને લીધે જ નહેરૂ વડા પ્રધાન  થઈ શક્યા હતા. ટુંકમા ૧૯૪૭ સુધી ગુજરાતના નેતાઓનુ વર્ચસ્વ હતુ. આને કારણે નહેરૂ કુટુંબને ગુજરાત સાથે  પ્રેમ અને કટૂતાનો સબંધ રહ્યો  હ્શે!
                                                 મોરારજીભાઇ સાથે નહેરુને ઘણો જ સારો સબંધ હતો પરંતુ જ્યારે ઈંદિરાજીને વડા પ્રધાન બનાવવાનો પ્રશ્ન આવ્યો ત્યારે મોરારજીભાઇઍ સીધો વિરોધ નોધાવ્યો. ઍના પરિણામ રૂપે ઍમની ગુજરાત અને મહારાષ્ટ્રની નેતાગીરીને  રફેદફે કરી નાખવામા આવી. આ રમતમા નહેરુનો ગુસ્સો ગુજરાત પ્રત્યે વધ્યો હતો કારણકે ઍમની નેતાગિરીને સીધો પડકાર હતો. નહેરૂ કુટુંબની નારાજગીને લીધે મોરારજીભાઈને વડા પ્રધાન થતા ૧૫વર્ષ લાગ્યા હતા.
                                                    ગુજરાત આમ પણ આર્થિક સામાજીક અને બૌધ્ધિક રીતે પણ સમૃધ્ધછે. નર્મદા યોજના  ગુજરાતની સમૃધ્ધિને ચાર ચાંદ લગાવી દેશે ઍ ઈર્ષામા ઘણા રાજ્યો ઍ પણ ઍના પર અવરોધો ઉભા કર્યા છે. હવે ગુજરાતના મુખ્ય પ્રધાન  નરેન્દ્રા મોદી ઍ પરોક્ષ રીતે વડા પ્રધાન માટે ઉમેદવારી નોધાવી છે આથી બળતાં મા ઘી હોમાયુ છે. નેહરુ કુટુમ્બ ઍનાથિ પણ નારાજ હોય તો નવાઈ નહી.
                                                           *******************

Tuesday, October 9, 2012



આધુનિક જીવનનો પાયો મોબાઇલ ફોન
=========================
                                            મોબાઈલ હવે આધુનિક જીવનનો પાયો બૅની ગયો છે. ભારતમા ટોયલેટઑ કરતા મોબાઇલ વધારે છે. ઍ આપણી  સિધ્ધિ છે કે કમનસીબી કહેવુ ઍ મુશ્કેલી છે. ભારતમા તો પ્લમબરથી માડી  ધનવાન માણસો હાથમા મોબાઈલ લઈને ફરતા હોય છે.
                                            મોબાઈલનો ઉપયીગ, સંદેશાઓ મોકલવામા, ફોટાગ્રાફીમા,નૅવિગેશનમા,સોશિયલ નેટવર્કિગમા, ગેમ્સ રમવામા, હવામાન જાણવામા,  ખરીદી કરવામા, વીડિયો વાતચીતમા,અને જાહેરાતમા પણ ઉપયોગ થાય છે. આગળ વધીને હવે મોબાઇલ દ્વારા બિલ આપવાની સગવડો પણ ગૂગલ અને સ્ક્વેર ઍપ્લિકેસન દ્વારા આપવામા આવે છે.
                                                 હવે  તો ઍવો વખત આવી રહ્યો છે ક ગજવામા પાકીટ કે પ્લાસ્ટીકના કાર્ડ રાખવાની જરૂર રહેશે જ નહી. અમેરીકામા હોમ ડેપો,  જંમ્બા જૂસ, ગૂગલ વૉલ્લેટ દ્વારા મોબાઇલ પરથી બિલ ની ચૂકવણી લે છે. ચાઇ કાર્ટ  સ્ક્વેર અપ્લિકેશન દ્વારા બીલની ચૂકવણી  મોબાઇલ પરથી લે છે. સ્ટારબક પણ હવે સ્ક્વેર દ્વારા મોબાઇલ પરથી બિલની ચૂકવણી કરશે.
                                                મોબાઈલના ડેટા દ્વારા થોડા વખત પહેલા બેન્ક લુટનારા ગુનેગાઆરોને પકડવામા આવ્યા હતા. સરકારી ખાતાઓ પણ મોબાઇલના ડેટા દ્વારા  ઘણાંના અંગત જીવન પર નજર રાખે છે. આથી અમેરિકન કૉંગ્રેસ પણ ઍ બાબતમા કાયદો કરવા ગંભીરતાથી વિચારી રહી છે.
                                                 મોબાઇલઍ  માનવીના જીવનમા ક્રાંતિ આણી છે. મોબાઇલઍ  ૬૦ % થી વધારે લોકોને ભારતમા અને યૂકેમા કુટુંબની  નજદિક લાવ્યા છે. ૭૯ % ચિનાઓને રોજબરોજના સમાચારોથી માહિતગાર રાખે છે. બ્રાજિલના ૬૨% લોકો મોબાઇલ દ્વારા  મિત્રોના સંપર્કમા રહે છે. ૩૨% સાઉથ કોરિયોનને મોબાઇલ ને લીધે વિચાર કરવાનો વખત મળતો નથી. ૭૬% અમેરિકાનો મોબાઈલ ને ઘણુ ઉપયોગી સાધન માને છે. આમ મોબાઇલ ઍ સામાન્ય માનવીનુ જીવન બની ગયુ છે.
                                                   --------------------------------------

Thursday, October 4, 2012


ગાંધી જયંતિ - ૨જી અક્ટોબર ૨૦૧૨
=======================
ઍક ગાંધીવાદી કાર્યકર્તા કહી રહ્યા હતા કે ' આજના ભારતની પરિસ્થિતિ જોઈને ગાંધીજી સ્વર્ગમા પણ વિલાપ કરતા હશે. ' ઍમની આંખોમા આંસુઓ જોઈ મારી પણ આંખો ભીની થઈ હતી. ગાંધીજીનુ જીવન જ ઍમનો સંદેશ હતો. આજનુ ભારત ઍમની વિચારધારાથી તદ્દન વિપરીત છે.
-ગાંધીજીઍ પોતાની જૂનવાણી પત્ની કસ્તુરબા પાસે પણ જાંજરાઓ સાફ કરાવ્યા હતા કારણકે અસ્પૃત્યતા નાબુત કરવાની જુંબેશ પોતાના ઘરેથી શરૂ કરવાની હતી.
-ભારતમા જ્યારે ઍમણે ગરીબાઈ જોઈ અને કેટલા લોકોને વસ્ત્રહીન જોયા ત્યારે ઍમણે નક્કી કેરી લીધૂકે હવે  શરીર ઢાંકવા જેટલા ઓછામા ઓછા કપડા પહેરવા અને ભારતની ગરીબ પ્રજાના આમ પ્રતિનિધિ તરીકે રહેવુ. ઍમની લંડન મુલાકાત વખતે અને રાજાની સાથેની મુલાકાતમા પણ ઍજ વસ્ત્રોમા ગયા હતા. ઍટલા માટેજ ચર્ચિલે ઍમને'' નેકેડ ફકીર 'તરીકે બીરડાવ્યા હતા. ઍમના સાદા જીવનનને લીધે લોકો ઍમના પ્રત્યે આકર્ષાયા હતા.
-ગાંધીજી  બીજાની નીર્બળતા જોવા કરતા તેમના ગુણો જોતા. તૅઓ કહેતા કે મારામા જ  ઘણી નબળાઈયો છે તો  બીજાની નબળાઈઑ જોવાનો શો અર્થ?
- ગાંધીજીનુ હમેશા સત્યની શોધમા રહેતા. આથી ઍમાના માટે સત્ય બદલાતુ રહેતુ. આથી ઘણી વાર આત્મ ચિંતન કરી પોતાની ભૂલો સુધારી લીધી હતી. કેટલાઍ આંદોલનોમા ઍમને ભુલ લાગવાથી સમેટી લીધા હતા.
- ભિન્ન મત ઘરાવતા લોકો સાથે પણ તેમણે  સ્વતંત્રતા  મેળવવા કામ કર્યુ.  જવાહરલાલ નહેરૂ, સી રાજગોપાલ ચારી, સુભાષચંદ્ર બૉસ,  જય પ્રકાશ નારાયણ, ગાંધીજી સાથે બધી બાબતોંમા સાથે ન હતા  પરંતુ બાપુઍ બધાનો સાથ અને આદર મેળવ્યો હતો.
- તૅઓ માનતા કે રાજકારણમા નેતાઓ પ્રજાની સેવા કરવા આવેલા છે નહી કે પોતાના  સગાસબંધીઓની. આથી ગાંધી કુટુંબમાથી આજે કોઇ પણ વ્યક્તિ રાજકારણમા જોવાં મળતી નથી.
- ગાંધીજીઍ સ્વતંત્રતા મળ્યા બાદ મંત્રીઓને નાના મકાનમા રહેવાનુ અને ૫૦૦ રૂપિયાથી વધારે પગાર ન લેવાનુ સુચવ્યૂ હતુ. પરંતુ ઍમના સાથીઓે ઍ ઍમના સૂચનને ફગાવી દીધુ હતુ. ગાંધીજીની સાદાઈ, પ્રામાણિકતા,અને સ્વચ્છ જીવનને લોકો હજુ પણ દરરોજ યાદ કરે છૅ. જ્યારે ઍવા પણ ભારતીયો છે જેઓ ઍમના જન્મ દીવસે ઍમને યાદ કરી ઍમના નામને  વટાવી ખાય છે. ખરેખર તો ઍમના જીવનને અનુસરવૂ ઍજ ઍમને સાચી અંજલી છે.


                                                    *************************

Thursday, September 27, 2012



હિન્દુઍ ધર્મ નથી પણ જીવન જીવવાની ઍક રીત છે.
===============================
હિન્દુ ધર્મ કેટલા ઍ આક્રમણો સામે ટકી રહ્યો છૅ ઍના બે કારણો છે . ઍકતો ઍ સમયની સાથે બદલવા તૈયાર છે. અને બિજુ કારણ કેટલાઍ વીદ્વાનો ઍ ઍનૂ સિંચન ક્રર્યુ છે. કેટલાઍ પંથઑને સમાવી લીધા છે. આક્રમણકારોને પણ પોતાનાંમા સ્થાન આપ્યુ છે.
                               હિન્દુ ધાર્મિક ગ્રંથો પણ પણ વીદ્વાનો દ્વારા વખતો વખત સિંચાયેલા છે. રામાયણ., મહાભારતમ, ગીતા, અને ઉપનીષદોમા કૅટલાઍ વીદ્વાનોનૂ  જ્ઞાન સમાયેલૂ . સારા માણસો સગૂણી હોય છે પરંતુ દૂષ્ટ માણસોની શક્તિમા પણ સગુંણો શોધવા પ્રયત્નો કરવામા આવ્યા છે.
                                  રામ આદર્શ પુરુષ હતા. કૃષ્ણ દિવ્ય શક્તિવાળા, વીદ્વાન રાજપુરુષ હતા. લક્ષ્મણ અને ભરત આદર્શ ભાઈઓ હતા. હનુમાનમા રામ પ્રત્યેની વફાદારી અને નિષ્ઠા પ્રગટ થતી હતી. અર્જુનમા યોધ્ધા હોવા છ્તા મૃદુતા હતી. આમ્ આવા ગૂણોમાનવો  પોતાના જીવનમા ઉતારે માટે વિવિધ  પાત્રો દ્વારા ઉલ્લેખ કરવામા આવ્યો છે.
                                   ઍવી પણ ઉદારતા બતાવવામા આવી છે કે ખરાબ પાત્રોમા લોકો ઍ ઍના ગુણ જોવા જ઼ોઈઍ. આથી જીવન વધૂ સુખી નીવડે અને કોઈ પણ વ્યક્તિને તિરસ્કારથી જોવામા નહી આવે. આપણે સંસારમા રહેવાનુ છે ઍટલે સારા અને નરસા સાથે રહેતા શીખવુ  પડે છે. ઍમા સકારાત્મક વિચારધારા જરૂરી છે.
                                     રામાયનમા રાવણ ઘણો વીદ્વાન હતો ઍટલા માટે રામે લક્ષ્મણને  મૃત્યુ આરે ઉભેલા રાવણ પાસે રાજનીતિના પાઠ શીખવવા મોકલાવે  છે. દુર્યોધન મહાભારતમા અભીમાની અને દૂષ્ટ  બતાવવામા આવ્યો છે પણ ઍ રાજ્ય વ્યવસ્થામા નિપુણ બતાવામા આવ્યો છૅ. ભગવાન શ્રી કૃષ્ણા દુર્યોધનને નરકમાથી બહાર કાઢવા હાથ લંબાવે છે પરંતુ દુર્યોધન સહાય લેવાનો ઈન્કાર કરે છે કારણકે ઍની સ્વાભિમીનતા ઘણી ઉંચ હતી.  કર્ણ જાણતો હતો કે તે અધર્મ સાથે છે અને ઍનો પરાજય અને મૃત્યુ નિસ્ચીત . તે દુર્યોધનના ઉપકારોથી દબાયેલો હતો આથી ઍણે વફાદારી દ્વારા ઍની કીમત ચૂકવી હતી. આમ દૂશ્ટોના ગૂ ણો બતાવીને  ઍને જીવનમા ઉતરવાનો હિન્દુ ધર્મમા ઈશારો કરવામાઆવ્યો
                                     યૂગો યુગોથી જેનુ સિંચન કરવામા આવ્યુ ઍવી વિચારધારાને  કેટલાઍ  દિગ્ગજો ઍ સમૃધ્ધ બનાવી છે ઍજ઼ સનાતન હિન્દુ ધર્મ તરીકે પ્રચલિત છે.  ઍથી કોઈ પણ ધર્મની ખૂટતી કડી હિન્દુ ધર્મમા મળી આવે છે. ઍટલા માટે સ્ટીવ જોબ થી માંડીને તે બીટલ સુધીના  જગપ્રસિધ્ધ પરદેશીઓ  પણ ઍની જ્ઞાન ગંગામા સ્નાન કરી ગયા છે.
                                                  *********************************

Saturday, September 22, 2012



ભારતની પરદેશી કંપનીઑ લગતી નીતિ
============================
અત્યારે ભારતમા ઍફ ડી આઇ  વિશેની નીતિની બાબતમા મોટો હોબાળો મચ્યો છે. વિરોધીઓનુ કહેવુ છૅકે મોટી મલ્ટી નૅશનલ કંપનીઑ નાના વેપારીઓને ખાય જશે અન બેકારી વધશે. આથી ડાબેરીઓ, સોસિયાલિસ્ટ પાર્ટી, મમતા બેનેરજી અને મુલાયમસિંગ જેવા નેતાઓપણ ઍનો વિરોધ કરી રહ્યા છૅ. મનમોહનસિંગની સરકાર ઉંચી ઍફ ડી આઇના અમલ માટે અધિરવી થઈ ગઈ લાગે છે. ઍના બેજ કારણો હોઇ શકે. ઍકતો સરકારને જવુ પડે  ઍ પહેલા ઍફ ડી આઇ ની નીતિનો અમલ કરવો અથવાતો ભારત સરકાર મલ્ટી નૅશનલ કંપનીઓના દબાવને વશ થઈ રહી છે.
                                                          ચીન પણ ઍ નીતીમા આગળ્ વધવામા હવે સાવચેત થઈ ગયુ છૅ. ઍમણે ઍ નીતીમા લગામ ખેચી છૅ કારણકે ઍમને ઍ નીતિ હવે ઍમના માટે અનુકુળ લાગતી નથી. ઍથી લોકોમા અસંતોષ, બેકારી, અને વેપાર ધંધાને નુકશાન થાય છે.
                                                         ઍફ ડી આઇ મર્યાદાને વધારી પરદેશી કોંપનીઓને ૫૧% હિસ્સો આપવાથી ઍમનુ વર્ચસ્વ વધવા સંભવ છે. લોકોને ઍમના પર પરાણે  નાખવા જેવુ થશે અને લોકો પાસે મનભાવતા ભાવ વસુલ કરી શકશે. અને નાના વેપારીઓનુ અકાળે નાશ થશે.
                                                        ઍ બાબતમા વોલમાર્ટનો દાખલો લેવા જેવો છે. અમેરીકામા પણ ઍની રીતરસમો સામે વિરોધ ચાલી રહ્યો છે. વોલમાર્ટે નાના વેપારીઓને નુકશાન કર્યુ છે અને ઍના કામદારો પ્રત્યેનૂ વલણ યોગ્ય નથી.  આથી વોલમાર્ટ સામે અમેરિકન રાજધાની વોશિંગ્ટનમા વિરોધ પ્રદશન ચાલી રહ્યુ હતુ. આથી ભારત સરકારે પણ  ઍફ ડી આઇ નીતીમા સાવધાનીથી આગળ વધવાની જરૂર છે.

                                        ***********************************

Sunday, September 9, 2012


























જ્યુસ
=======================================
-ચિત્રમા ઉપરથી નીચે- આલબર્ટ આઈન્સ્તાઈન, હેનરી કૈઈસનજર(અમેરિકન રાજકારણી), જેરી લુઈસ( કોમેડિયિન-હૉલીવુડ), પદ્મશ્રી રૂબેન ડેવિડ(અમદાવાદ), સંદરા બૂલોક( હૉલીવુડ હિરોઈન), સ્ટીવેન સ્પીલબર્ગ( હૉલીવુડ દિગ્દર્શક)-
---------------------------------------------------------------
આખી  દુનિયામા  ૧૪ મિલિયન જ્યુસો  છે.  જેરૂસલંમ ત્રણ મહત્વના ધર્મોનુ પવિત્ર સ્થાન છે ઍમા ઈસ્લાંમ, ઈસાઈ, અને જ્યુસોનો પણ સમાવેશ થાય છે. આખા વિશ્વમા પથરાયેલા જ્યુસોઍ બીજા વિશ્વ યુધ્ધ પછી  જેરૂસલમ ની આજુબાજુમા પોતાનુ રાષ્ટ્ર ઇજરાયલ સ્થાપી દીધુ છે.  મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલૂ ઈજારાયલ પોતંનુ અસ્તિત્વ જાળવી રાખ્યુ છે. ઍની પાછ ળ ઍમની બુધ્ધિમતા, મહેનત અને ઉંચ ચારીત્રની શક્તિ છે.
                                                                 જ્યુસ પ્રજાનુ રાજકારણ, સાયંન્સ, કલા, અને રમતગમત ક્ષેત્રે  ઘણુ પ્રદાન રહ્યુ છે. વધારેમા વધારે નોબેલ પ્રાઇજ઼  જ્યુસો ઍજ મેળવ્યા છે. પોલીયો, લુકેમિયા, હેપીટીસીસ-બી, સિફિલિસ, જેવા રોગોની રસી ઑ જ્યુસ વિજ્ઞાનિકો શોધી છે.  માઈકરોપ્રોસેસિંગ ચીપ, ન્યૂક્લિયર રિયેક્ટર, ઓપ્ટિકફાઈબર કેબલ, ટ્રાફિકલાઇટ, સાઉંડ મૂવી, સ્ટેનલેસ સ્ટીલ, ટેલિફોન માઈક્રોફોન, વીડિયો ટેપ રેકૉર્ડર, વગેરે શોધનારા પણ જ્યુસો હતા.
                              વ્યાપારમા  પોલો, લેવી જીન્સ, સ્ટારબક,ગૂગલ,ડેલ કોમ્પ્યુટર, બાસ્કીન રૉબિન્સ, ડંકીન ડોનેટ્સ, ઓરેક્લ, જેવી કંપનીઓ ઉભી કરનારા જ્યુસો જ હતા. રાજકારણમા હેન્રી કૈસિંગેર, ઍલન ગ્રીનસ્પાન, (અમેરિકાના) માઈકલ હાવર્ડ,(બ્રિટન), ડેવિડ મારવલ જેવી અનેક વ્યક્તિઓ જ્યુસોમાથી આવી છૅ. આલ્બર્ટ આઈનસ્ટાઈન પણ જુયૂસ હતા ઍ તો બધાજ જાણે છૅ.
                               હોલીવૂડની સ્થાપનામા જ્યુસોનો મોટો હાથ હતો. અમેરિકાના વૉલ સ્ટ્રીટ મા ઍમનુ પ્રભુત્વ છે. હેરીસન ફોર્ડ, ટોની કરટીશ, કૅરી ગ્રાન્ટ,ચાર્લ્સ બ્રૉન્સન, સેન્ડરા બૂલોક, કર્ક ડગલાસ, માઈકલ ડગલાસ,પૉલ ન્યૂમન, જેર્રી લુઈસ, બેન કિંગલી, વૂડી ઍલન ઍ બ ધા હોલિવુડના કલાકારો જ્યુસ સમુદાયના છે.  જાણીતા હોલિવુડના દિગ્દર્શકો સ્ટીવેન સ્પિલબર્ગ, ઓલિવર સ્ટોન,મેલ બ્રુક, નીલ સાઈમન, અને માઈકલ મૅન ઍ બધા જ્યુસો છે.
                                દુનિયાના કોઈ પણ દેશમા જ્યુસો હમેશા અગ્ર સ્થાને હોય છૅ. અમદાવાદમા ડેવિડ રુબેનને ઘણા ઓળખતા હશે. આમ જ્યુસો પોતાની મહેનત અને હોશીયારીથી આગળ રહ્યા છૅ અને સાબિત ક્રર્યુ છેકે  જીવનમા આગળ્ વધવા માટે ગુણવત્તા મહત્વની છે. ભલે તમારી જાતિની સંખ્યા ઑછી
 હોય.
                                   ********************************

Friday, August 31, 2012


ભારતની આર્થિક પરિસ્થિતિ                                                                                                      
===================
ભારતની આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે.                                              


મોંઘવારી કાબૂ બહાર જઈ રહી છે, અને ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ઍ પણ ભારતની આર્થિક નીતીની આલોચના કરી છે તે ઘણા ભારતીયોને પસંદ નથી. ભારતીય કંપનીઓના પ્રોફીટ્મા ૫૬% ઘટાડો થયો છે. ઉત્પાદનમા પણ ધટાડો થયો છે. ઍક્ષપોર્ટમા ૬.૫% નો ઘટાડો થયો છે. તે ઉપરાંત વિકાસ દરમા ઘટાડો દેખાય રહ્યો છે. ભારતનો વિકાસ દર અત્યાર સુધી સારોજ રહ્યો છે પરંતુ તે નીચે આવી રહ્યો છૅ તે આપેલા આ આંકડાઓ બતાવે છે.
૧૯૫૦-૧૯૮૦=૩.૫%
૧૯૮૧-૨૦૦૨=૭%
૨૦૦૨-૨૦૦૮=૮%થી ૯%
૨૦૦૯-૨૦૧૧=૬.૫%
૨૦૧૨=૫.૬%નો માનવામા આવી રહ્યો છે.
ભારતના કથળેલા વહીવટ તંત્ર પણ આ માટે જવાબદાર  છે
                             ****************************************

Saturday, August 18, 2012



નાણાકીય હેરાફેરી
==========
નાણાનો મોહ ઍવો છેકે ઍની કોઈ મર્યાદા જ નથી. તે ઉપરાંત મુલ્યોની અવગતિ થવાથી ગેરકાયદિય નાણાની રવાનગી સ્વિસ બેન્ક કે ટેક્સ હેવન જેવા દેશોમા વધી ગઈ છે. ભારતના ધનિક લોકોના ૧૪૫૦ કરોડ ડૉલર સ્વિસ બૅંક મા પડેલા છે ઍમ માનવામા આવે છે. સ્વતંત્રતા બાદ ૨૫ જેટલા નાના મોટા ગોટાળા ઑ થયા છે. ઍમા હાલમા રૂપિયા ૧.૭૩ લાખ હજારનો સ્પેક્ટ્ર્મ, રૂપિયા૧. ૮૬ લાખ કરૉડ્ના કોલસા ના ગોટાળો અને બીજા નાના મોટા ગોટાળા ઑનો પાર નથી. ઍમાથિ ઉભા થતા ગેરકાયદિય નાણા ક્યા જાય છે?
                                                           અમેરિકાના પણ ૧૦૦ બિલિયન ડૉલર જેટલા નાણા દરવર્ષે અમેરિકાની બહાર જાય છે. ઍ બધા નાંણા સ્વિસ બૅંક, ટૅક્સ સ્વર્ગ ઍવા પનામા, કારેબિયન, સિંગાપોરે જેવા દેશોમા મોકલવાંમા આવે છે પરંતુ લગતા વળગતા દેશોને ઍનાથિ ઘણુ જ નુકશાન છે. ઍમની નાણાકીય સ્થિતિને નુકશાન રૂપ છે.
                                                             દુનિયા અત્યારે વિપરીત નાણાકીય પરિસ્થિતિમાથી પસાર થઈ રહી છે. અમેરિકા અને યૂરોપ ની પરિસ્થિતિ પણ વિકટ છે આથી સ્વિસ બૅંક માથી ગેરકાયદિય નાણા પરત મેળવવા માટેના પ્રયાસો તીવ્ર બન્યા છે. ઍના પરિણામ રૂપ અમેરિકા ૪૦૦૦ વ્યક્તિઓના નાણા ઓની બાબતમા સફળતા મેળવી છે. સ્વિસ બૅંક ઍ પોતાની નીતિ હળવી બંનાવી ઘણા દેશો સાથે સંધી કર્રી માહિતીઓ પુરી પાડવા માંડી છે. આની અવળી અસર રૂપે સ્વિસ બેન્કમા થી નાણા બીજે મોકલવામા આવી રહ્યા છે. આથી સ્વિસ બેન્કમા ૫% નાણાનો ઘટાડો થયો છે અને કારેબિયન તથા પનામામા ૧૭% વધારો થયો છે. હૉંગકોંગ અને સિંગાપોરેમા ૩૬% નો વધારો થયો છે.
                                                               આથી આ ગેરકાયદિય અને ભ્રષ્ટાચારના કાળા નાણાંને નાથવા માટે વિશ્વના બધા જ દેશોનો સહકાર અનિવાર્ય છે. સાથે સાથે બધા દેશોમા નીતિમત્તા નુ ધોરણ ઉંચુ લાવ્યાવીના બીજો કોઈ રસ્તો નથી. આ પરિસ્થિતિ નહીતો સામાન્ય લોકોને વધુને વધુ પીડાતી  જશે. ઍના પરિણામો વિપરીત આવશે ઍમા શંકા નથી.
                                                  *************************************

Wednesday, August 8, 2012




રાજનીતિ અને ભ્રષ્ટ આચાર
==================
રાજનીતીમા અધર્મ સામે મહાભારત થયુ હ્તુ અને ચંદ્રગુપ્ત મૌર્યે અને ચાણક્યે રાજા ધનનંદ સામે યુધ્ધ ખેલ્યુ હતુ. ઇતીહાસ ઍનો સાક્ષી છે. જ્યારે ઍક દેશ બીજા દેશને સાથે ભ્રષ્ટ આચરણ કરે તો ઍ પોતાના દેશને ધનવાન બનાવવા માટેનુ આચરણ છે જે અનૈતિક છે. બ્રિટિશ શાસકોઍ ભારત સાથે ઍવુ જ કર્યુ હતુ. આપણે ઍને આપણને ચુસવાની ક્રીયા ઓળખાવી હતી. બ્રિટિશ પ્રજા ઍ ક્રીયાને દેશભક્તિમાની બિરદાવી હશે. ઍક બાજુ નૈતિકતા અને બીજી બાજુ પૂરેપૂરી અપ્રામાણિકતા હતી. પરંતુ સ્વતંત્રતા પછી જે ભારતમા ભ્રષ્ટાચાર થયો છે જેમા ૨૫ ઉપરાંત મોટા કૌંભાંડ ઑ થયા છે જેમા હજારો કરોડ રૂપિયાની હેરાફેરી થઈ ચૂકી છે. ભારતનુ ધન ઍમા પરદેશમા પણ ખેચાઈ ગયુ છે. આપણા જ લોકો હવે આપણને લૂટી રહ્યા. ઍમા કોઇ નૈતિકતાનુ તત્વ નથી.
                          અન્ના હજારે જેવા ઍકલ દોકલ નેતા ઍનિ સામે પડ્યા તો ઍમને પણ રાજનીતીના ચક્રવ્યુહમા થાક લાગ્યો છે. ઍમને પણ જેની સામે  વિરોધ હતો ઍ રાજનિતિને શરણે જવુ પડ્યુ છે. ઍમના જેવા પ્રામાણિક સજ્જન માટે રાજકારણ ભલે નર્ક સમાન હોય તો પણ દેશને ખાતર કોઇ પણ  બલિદાન ઑછુ નથી. ઍમા ઍમને સફળતા મળવી થોડી મુશ્કેલ છૅ પણ ઍમનો પ્રયત્ન પ્રસંશનીય છે. આથી આપણો પુરો ટેકો જરૂરી છે.  પ્રજાનો પુરો સહકાર મળી રહેશે ઍમા શંકા નથી.

                      સ્વતંત્રતા મેળવવામાટે  કેટલા બલિદાનો અપાયા છે, ઍ નો ખ્યાલ આજે નથી. આજેતો આપણા જ લોકો આપણને લૂટી સ્વતંત્રતાને ખતરામા મૂકી રહ્યા છે. આજે આપણે કોને ફરિયાદ કરિઍ! આપણી ઍ કમનસીબી છે. આપણે તો ઍટલૂ જ યાદ કરાવિયે કે-
કેવી રીતે મળી------
કેવી રીતે મળી સ્વતંત્રતા, ઍનો ખ્યાલ ન આવે
કેટલી માતાઓના ખોળા સૂના, દુખનો ઍ અણસાર ન આવે.
અમને મળી આબાદી,  કરવાની પુરી  મનમાની
ઉંચા મસ્તકે ઘુમવાની ખુમારી ક્યાથી આવી?
કેવી રીતે મળી----
પરતંત્ર હતા તો સહી લેતા હતા અન્યાયૂ અને અનાચાર,
હવે કોણ અટકાવે છે,ઍ દૂષણોનો સામનો કરવાને?
કેમ તૈયાર નથી થતા, સ્વતંત્રતાની કિંમત ચૂકવવાને
કારણકે ખબર નથી કેવી રીતે મળી સ્વતંત્રતા!
કેવી રીતે મળી----
ભારત દેસાઇ


                                        *****************************

Saturday, July 14, 2012


માતા અને પિતા- ૨૨મી જુલાઈ 'પેરન્ટ દિવસ' નીમીત્તે
====================================
માતા અને પિતા ઍ કુટુંબની મુખ્યકડીઓ  છે. ઍના પર આખો સમાજ નિર્ભર હોય  છે. આજે જે સમાજમા જે કરુપતા જોવામા આવે છે ઍની પાછળ માતા પિતાનો અનાદાર જ જવાબદાર છે. આર્થિક સમૃધ્ધિ ઘણીવાર કુટુંબનો  નાશ કરેછે, કારણકે ઍનાથિ અભિમાન, અને સ્વાર્થ વધે છે. સમૃધ્ધ દેશોમા ઍને કારણે  કુટુંબ પ્રથાનો નાશ થયો છે. વૃધ્ધોની દશા કફોડી થઈ છે. ઍમણે વડીલ દિવસ મનાવવાનુ શરૂ કર્યુ છે.
                                            પસ્ચિમના દેશો હવે ઍશયાની કુટુંબ વ્યવસ્થાની પ્રશંસા કરવા લાગ્યા છે.  પુત્રો પુત્રીને ઉછેરવા માટે પૈસા આપવા પડતા હોય, વિકલાન્ગોને સરકારે પોસવા પડતા હોય, યુવાનો ભણવાને વખતે આડે રસ્તે ચડી જતા હોય, ત્યારે સરકારોના ખર્ચા વધી જતા હોય છે. ઍ ચિંતાનો વિષય છે. ત્યારે ઍનો વિકલ્પ કુટુંબ પ્રથા જ્ છે. આથી ઍમણે કુટુંબ પ્રથાને પ્રોત્સાહન આપવા માંડ્યુ છૅ.
                                               અમેરિકાના ભૂતપુર્વ પ્રમુખ જોર્જ બુશ  કુટુંબ પ્રથાના સમર્થક હતા. તૅઓ કુટુંબ દ્વારા જ શિક્ષણને સુધારી શકાય ઍમ માનતા હતા. અત્યારે પરિસ્થિતિ મા બાપ માટે વિકટ બની રહી છે. આધુનિક જમાનામા યુવાનોને સમરુધ્ધિ મેળવવાના લોભમા પોતાના માબાપ માટે સમય નથી. ઍ પણ સમાજની કમનસીબી છે.                            
                                                માબાપના પ્રેમ સમજવા મા અથવા બાપ થવુ પડે છે. સંતાનો ઍમના કામમા ઍટલા વ્યસ્ત હોય છે કે ઍમને ખબર નથી હોતી કે ઍમના માબાપ વૃધ્ધ થયા છે. ઘણીવાર માબાપો પણ ભૂલી જાય છે કે સંતાનો મોટા થઈ ગયા છે. ઍક સત્ય છે કે પૂર્વના દેશોમા ઘણાખરા માબાપ  આર્થિક રીતે  નીર્બળ હોય છે જ્યારે પશ્ચિમના દેશોમા  માબાપ માનસિક રીતે સહન કરતા હોય છે.
                                                          **********************************

Sunday, July 8, 2012




ભારતે ગૌરવ લેવાજેવી ઍક ઇતિહાસીક બાબત        
==============================
થોમસ આલ્વા ઍડિસન ૧૯મી સદીના મહાન વિજ્ઞાનિક હ્તા. ઍમણે સિનેમાના કેમેરા, ઈલેક્ટ્રીક લાઇટ અને ગ્રામોફોનની શોધ કરી હતી. ઍમને કોઈક વીદ્વાન વ્યક્તિનો અવાજ સૌથી પહેલા રેકૉર્ડ કરવો હતો. આથી ઍમણે જર્મન વીદ્વાન પ્રોફેસર મૅક્સ મુલ્લરને વિનંતી કરી. મૅક્સ મુલ્લરે ઍમને યુરોપના વીદ્વાનોના સંમેલનમા આમંત્રણ આપ્યુ.
                                                           ઍ સંમેલનમા ઍમણે જે  પ્રવચન આપ્યુ તે ઍડીસનનુ વિશ્વમા પ્રથમ રેકૉર્ડ કરેલુ પ્રવચન હ્તુ. ઍમનુ રેકૉર્ડ થયેલુ પ્રવચન બીજી સેશનમા સાંભળાવવામા આવ્યુ. ઘણા લોકોને ઍ સમજવામા મુશ્કેલી પડી કારણકે ઍ સંસ્કૃતમા હતુ.  આથી મૅક્સ મુલ્લરને સભાસદોને સમજાવવુ પડ્યુકે તૅઓ વિશ્વના જુનામા જૂના ગ્રંથ રિગ વેદમા થી , 'અગ્નિ મીલે પુરોહિતમ' પર બોલ્યા હતા.  જેમા અગ્નિને ઉદ્દેશી કહેવાયુ છે કે "હે અગ્નિ તૂ અંધકારમા પણ પ્રજ્જવલે છે. અમે તારી પૂંજા કરી અંજલી અર્પણ કરીઍ છે. તૂ  અમારા કલ્યાણ માટે હમેશા પિતા જેમ પુત્ર માટે તત્પર હોય ઍમ તત્પર રહેજે."
                                                            'જ્યારે આખુ વિશ્વ ગુફા યુગમા હતુ. શરીરને ઢાંકવાનો જ્યારે ગમ ન હતો. ત્યારે ભારતમા આવી મહાન સંસ્કૃતી પ્રવર્તતી હતી. ત્યારે આ અધભૂત ગ્રંથ' વેદ' લખવામા આવ્યો હતો,' ઍમ તેમણે ઉમેર્યુ હતુ.
ભારત માટે ખરેખર ગૌરવની બાબત છે.

હે અગ્નિ ---
-----------
હે અગ્નિ તૂ અંધકારમા  પ્રકાશ છે
તો પ્રકાશની અજબ શક્તિમા
તૂ જન્મ ઉત્તસવના દીપકોમા છે
તો અંતિમ મૃત્યુંની ચિતામા
તૂ સૂર્યની પ્રચંડ જ્વાલાઓમા છે
તો  જબુકતા તારાઓના પ્રકાશમા
 તૂ ક્યા નથી? ઍ શોધવુ મુશ્કેલ!
કારણ તૂ પ્રાણી માત્રના ઉદરમા
હે અગ્નિ  સ્વીકારો પ્રણામ અમારા
 કારણ તૂ વિશ્વના પાયામા.
હે અગ્નિ---
ભારત દેસાઈ
**********

                             ===================================

Friday, June 29, 2012



વિશ્વની આર્થિક પરિસ્થિતિ- ૨૦૧૨
======================
આજે આખા વિશ્વમા આર્થિક પરિસ્થિતિ ઘણી વિષમ છે.  અમેરિકા અત્યારે આર્થિક સંકટમા સપડાયેલૂ છે.
રોજગારી, રીયલ ઍસ્ટેટ,  અને આર્થિક સંસ્થાઓ વિકટ  પરિસ્થિતિમા છે. અમેરિકાનો જી ડી પી  વૃધ્ધિ ૨૦૧૦મા ૨%  જેટલી હતી.
અમેરિકન કંપનીઓે ઍ સસ્તા ભાવે ઍશિયાયિ દેશોમા કામ કરાવવાના લોભમા અમેરીકામા ઍમનો ઉધ્યોગીક પાયો ગુમાવી ચૂકી છે. ઍનિ અસર અમેરિકાની રોજગારી પર ઘણી અવળી થઈ છે.
                                         યુરોપની કમાણી કરતા ખર્ચા વધુ કરવાની વૃત્તિેઍ સ્પેન, ઈટાલી, અને ગ્રીસ જેવા દેશોમા દેવાડિયા જેવી સ્થિતી ઉભી કરી છે. યુરોપની પરિસ્થિતિેઍ પણ અમેરિકાની પરિસ્થિતિને વધારે ખરાબ બનાવી છે.
                                          ચીનનો  જી ડી પી વધારો પણ ૨૦૧૧ મા ઘટીને ૮% પર આવી ગયો છે. ચીનમા પણ હવે ઉગ્ર પરિસ્થિતિ ઉભી થઈ છે જેથી બીજી ક્રાંતિ લાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. આથી આ વર્ષના અંત સુધીમા ઍના ઉંચ રાજકીય સત્તા ધરાવતા પોલિટ બ્યુરોમા ધરખમ ફેરફારો આવી રહ્યા છે. બ્રા જીલ, અને ભારતના વૃધ્ધિ દર પણ ઑછા થઈ ગયા છે.
                                            અમેરિકાની આર્થિક પરિસ્થિતિનો આધાર બીજા દેશોની ઍના માલના માંગ પર આધારિત છે, જે અત્યારે મંદ છે.  આથી આખુ જગત મંદીમા સપડાયેલૂ છે. તે ઉપરાંત આખુ વિશ્વ ઉંચ મોંઘવારી દરથી પીડાય રહી છે.
                                            ટુંકમા વિશ્વ ઍક ગ્રામ સ્વરુપ બનિ રહ્યુ છે, અને કોઇ પણ દેશ ઍક્બિજાની અસરથી પર નથી.
આપણે જોઈેતો આખા વિશ્વની આર્થિક પરિસ્થિતીનુ અવલોકન નીચે પ્રમાણે છે. નીચે પ્રમાણે દેશોનો હિસ્સો વિશ્વ વેપારમા છે
૧)અમેરિકા- ૨૨%
૨)યુરોપ યૂનિયન-૧૮%
૩)બ્રાજીલ/ રશિયા/ ભારત/ ચીન-૨૦%
૪) બાકીના દેશો-૪૦%
                                        મૂક્ત્ત વેપારના જમાનામા હવે  હરીફાઈને સ્થાન છે, પરંતુ  શોષણને સ્થાન નથી. આથી ગરીબીને વિશ્વમાથી નાબૂદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
                                                      *****************************************

Sunday, June 24, 2012


ભારતનોરાષ્ટ્રીય ધ્વજ
================
અમેરીકામા ૧૪જૂને ફ્લેગ દિવસ તરીકે ઉજવવામા આવે છે. આથી ભારતના રાષ્ટ્રીય ધ્વજ વિષે પણ લખવાની પ્રેરણા જાગી.
સ્વતંત્રતાની લડાઈ દરમ્યાન કોંગ્રેસે તીરંગો અને વચમા રેટીયાવાળો ધ્વજ અપનાવેલો હતો, પરંતુ ૨૨મી જુલાઇ ૧૯૪૭ મા
તીરંગો અને વચમા આશૉક ચક્ર વાળો ધ્વજ ભારતીય રાસ્ટ્રિય ધ્વજ તરીકે અપનાવ્યો.
                                                 ઉપરનો ભગવો બહાદુરી અને બલિદાનનુ પ્રતીક છે તો વચમાનો સફેદ રંગ સત્ય અને પવિત્રતાનો પ્રતીક છે. જ્યારે નીચેનો લીલો રંગ શાન્તિ અને જહેજલાલીનો સંદેશો આપે છે. વચમાનુ આશૉક ચક્ર ધર્મના સાશનનુ  પ્રતીક છે.
                                                 રાષ્ટીય તહેવારો પ્રસંગે આપણે ઍને સલામી આપિયે અને રાસ્ટ્રિય શોકને પ્રસંગે ઍને અડધી કાઠીઍ ચડાવિયે પણ ખરા! તે છતા ઘણી વાર થાય છે કે આપણે ઍના ઉદ્દેશોને રાષ્ટ્રીય  જીવનમા ઉતાર્યા છે ખરા! આવો ઍક  વિચાર આવે છે?
                                          ********************************

Thursday, June 14, 2012


પિતાને ઍક અંજલી ('ફાધર્સ દિવસ'-૧૭ જૂન ૨૦૧૨ નીમીત્તે)
=====================================================================
(ઉપર ચિત્રમા રામના વનવાસ વખતે દશરથનો વિષાદ અને બીજા ચિત્રમા મહાત્મા ગાંધી ઍમનાંપુત્ર હીરાલાલ સાથે)
----------------
-પિતા ઍ  કુટુંબનુ છત્ર છે, ઍના જવાથી કુટુમ્બ અસલામતી અનુભવે છે.
-પિતા ઍક અચકાઓને સહન કરતુ યંત્ર છે જેઍના કટૂંબીઓને આફતો  અને દુખોથી દૂર રાખે છે.
-માતા ખુલ્લા મને રડી નાખે છે, જ્યારે પિતાને તો ઓસીકામા મોઢુ છુપાવી રડવુ પડે છે, કારણકે ઍનિ ઉંઘાડી નિરબળતા કુટુંબમા અરાજકતા લાવી શકે છે.
- માતાનો પ્રેમ કોમળ અને અચળ હોયછે, તો પિતાઍ પોતાનો પ્રેમ બાજુઍ મૂકી તો કટૂંબના હિતમા ખડકની જેમ મજબૂતજ રહેવુ પડે છે.
-માતા માટે પુત્રોઅને પુત્રીઓને અખુટ પ્રેમ હોય છે. પિતાને તૅઓ ઘણીવાર વિલન સ્વરૂપે નિહાળે છે કારણકે પિતાને જ તેમના હિતમા અથવા તો કુટુંબના હિતમા કડવા નિર્ણયો લેવા પડે છે
-માતાનો પ્રેમ વહેતી નદી જેવો છે તો પિતાનો પ્રેમ દરિયા જેવો ગહેરો છે.
-પિતા ઍના સંતાનોમા ઍનૂ પ્રતિબિંબ જુઍ છે.
પિતા સંતાનોને લીધે ગર્વ પણ અનુભવે છૅ, તો કદીક પિતા માટે સંતાનો દુખના ભારરૂપ બની રહે છે.
દશરથને માટે રામ ગર્વ રૂપ હતા પરંતુ કૃષ્ન્ન માટે ઍનો પુત્ર પીડારૂપ હતો. શાહજી માટે શિવાજી મહાન પુત્ર હતા પરંતુ મહાત્મા ગાંધીને ઍમાના પુત્ર હીરાલાલ ખુબજ દુખ રૂપ હતા. ઘણી વાર દૂષ્ટ સંતાનોને લીધે પિતાનુ જીવન દુખી થઈ જાય તો ઘણીવાર સંતાનોને લીધે પિતાનો ઉધ્ધાર થઈ જાય છે. ઍવો ભાગ્યે પિતા હશે જેને ઍના સંતાનો પ્રત્યે પ્રેમ નહી હોય? પિતાનો પ્રેમ દૂર વર્ષતા વરસાદ જેવો છે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી પણ ઠંડક તો જરૂર અનુભવી શકાય છે. આથી પિતાના અસ્તિત્વની જરૂરીયાત હોય છે.
                    પિતા---
તમે નથી તો  મુસીબતોમા શુ કરુ ઍવો પ્રશ્ન થાય છે?
તમારી જીવનની ડાયરી ખોલુ તો ઍનો જવાબ મળી જાય છે
આજે જીવનમા  સંઘર્ષો ખેલુ, ત્યારે તમારી કઠીન પળોની યાદો આવે છે
અનેતમે બતાવેલા માર્ગોથી જ  મારા કોયડા ઑ ઉકલી જાય છે.
ભારત દેસાઈ

                                       ---------------------------------

Friday, June 1, 2012


ભારતનુ સરવૈયુ-જુન ૨૦૧૨
===================


 આશાજનક
  =======

૧)વસ્તી- ૧.૨ બિલિયન, જેમાંની બહુમતી યુવાનો
૨)ખરીદ શક્તિને  આધારે દુનિયાની ત્રીજો દેશ
૩)ખેતીની બાબતમા સ્વાલમ્બિ
૪)બૌધિકતામા પણ સ્વાલમ્બિ
૫)અણુ અને મિસાઇલ્સ શસ્ત્રોથી સજ્જ
૬)જીડીપી ૭૧/૨%
૭) આંતરાસ્ટ્રીય નાણાનુ ભંડોળ ૨૯૦ અબજ ડૉલર.
૮) ૧૩% લોકો ઍશ આરામથી જીવી રહ્યા છે.
૯) સોનાનો ભંડાર ૨૬.૨૧ અબજ ડૉલર
.----------------------------------------

નિરાશાજનક
=========
૧) મોંઘવારી ૭% થી ૧૦%
૨)૩૧% જનતા હજુ ગરીબીમા સબળે છે.
૩)૫૬% જનતા જીવન ટકાવવા સંઘર્ષ કરી રહી છે.
૪) મોબાઇલ ફોન ઘણા છે, પણ ઘણી જગાઍ  ટોયલેટ નથી.
૫) ઘણી મોટી મોટરકારો બને છે, પણ મોટા રસ્તાઓ નથી.
૬) સ્વતંત્રતામા સ્વચ્છંદતા છે પણ સૂરાજ્ય નથી,
--------------------------------------------------

Wednesday, May 23, 2012




 નરસામા પણ સારુ જુઓ
===============

આ દુનિયાની દરેક ચીજમા અને વ્યક્તિમા કોઈને કોઈગુણ  હોય . ઍ ને જોવા માટે સકારાત્મક વલણની જરૂરત છે. વિનોબાજી ઍ કહ્યુ છે તેમ "જ્ઞાન કરતા દ્રષ્ટી નુ મહત્વ વધુ છે."
-કારેલા કડવા હોય છે પરંતુ ઍ શારીરિક રીતે ઘણા ઉપયોગી હોય છે. તેવી જ રીતે ખરાબ વ્યક્તિઓમા પણ કઈક સારી વસ્તુ હોય છે.
-રાવણ રામાયનમા વિલન હતો પણ જ્ઞાનનો ભંડાર હતો. રાજનીતીમા ઍ નિપુણ હતો. રામે પણ ઍ સ્વીકાર્યુ હતુ.
-દુર્યોધન ઍક સારો રાજા હતો. તે સ્વભીમાની અને બહાદુર યોધ્ધો હતો. મહાભારતના યુધ્ધમા ઍક વખતે ઍને સલાહ આપવામા આવી હતીકે 'તેણે પાંડવઑ સાથે સમાધાન કરી દેવુ જોઇઍ કારણ કે તેની જીતવાની શક્યતા નથી.' તેનો જવાબ ઘણો  સચોટ હતો. ' સાચો યોધ્ધોતો રણમેદાનમા જીત મેળવે છે, અથવા લડતા લડતા મૃત્યુને ભેટે છે. કહેવાય છે કે  દુર્યોધનઍના મૃત્યુબાદ સજા ભોગવવા નર્ક મા ગયો હતો. ઍ ની સજા પુરી થતા કૃષ્ણ ઍ ઍને બહાર કાઢવા હાથ આપ્યો, ત્યારે પણ ઍ ણે ઍનુ આત્મસન્માન છો ડ્યુ ન હતુ. હૂ મારી જાતે નીકળીશ કહી કૃષ્ણની મદદનો અસ્વીકાર કર્યો હતો.
-ઍડૉલ્ફ હિટલર જેનો બીજા વિશ્વ યુધ્ધમા પરાજય થયો હતો,તે ઘણો ક્રુર સરમુખત્યાર હતો. લાખો યહુદિઓની ઍણે કત્લ કરાવી હતી. ઘણા દેશોને ઍની સેનાઍ કચડી નાખ્યા હતા. પરંતુ ઍ ઉચ્ચ કક્ષાનો નેતા હતો જેના માટે જર્મન પ્રજા જાન આપવા તૈયાર હતી. ઍ ણે જર્મનિને મજબૂત રાષ્ટ્ર બનાવ્યુ હતુ જેને માટે દરેક જર્મનો ગર્વ શકે ઍમ હતુ. તે ચિત્રકાર હતો. દેશપ્રેમી હતો. યુરોપના સંસ્થાનવાદ નીચે સબળતા ગરીબ દેશોને મુક્તિ અપાવવામા આડકતરી રીતે મદદ કરી હતી. સુભાષચંદ્ર બોજને પણ ભારતની સ્વાતંત્રની લડાઈમા સહાય કરી હતી. ભારતની આર્ય  પ્રજા માટે ઍને માન હતુ અને સ્વસ્તિકને જર્મન રાષ્ટ્રનુ પ્રતીક તરીકે અપનાવ્યુ હતુ.
-બુરાઈની બાબતમા ગાંધીજીના વિચારો બહુ સ્પષ્ટ હતા. ગાંધીજી લોકોની સારાઈનો ઉપયોગ સારા કામો માટે કરતા અને ઍમની બુરાઈઓ માટે તેમણે સાહનુભુતિ હતી. તેઓ કહેતા" મારા પોતાનામા ઘણી નબળાઈઓ છે તો બીજાની ક્ષતિઓને કેવી રીતે મુલવી શકુ."

                                             *********************************