Wednesday, May 1, 2024

 


ઈશ્વર ક્યાં છે?

                                      જીવનમાં ત્રણ જાતના માનવીઓ હોય છે. એક જીવનમાં થયેલ ખરાબ અનુભવોને કારણે ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી દે છે. બીજા ઈશ્વરમાં શ્રદ્ધા અને અતૂટ વિસ્વાસ ધરાવનારા હોય છે જે ખરાબ સન્જોગોમાં પણ ઈશ્વરમાં વિસ્વાસ ગુમાવતા નથી. અને ત્રીજા અંધશ્રધ્ધાળુ હોય છે. આ અંધ્ધશ્રધ્ધાળુઓ ઈશ્વરની ઓળખાણને વિકૃત  બનાવે છે. આથી ઘણા બુદ્ધિવાન એ વિકૃતિઓને જોઈને ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી  બેસે છે.

                              ઈશ્વરની સાચી  ઓળખાણ માનવીની કેટલીક  મર્યાદાથી શરુ થાય છે. જેમકે માનવીનો જન્મ અને  મૃત્યુ પર કોઈ કાબુ નથી.  કર્મની સફળતા પર માનવીનો કોઈ કાબુ નથી. તે ઉપરાંત કુદરતના પ્રકોપો પર માનવી અંકુશ ધરાવતો નથી. આ બધા કારણો જ ઈશ્વરજેવી કોઈ શક્તિના અસ્તિત્વની સાબિતી આપે છે. આવા ઘણા કારણો છે જે ઈશ્વરીય શક્તિનું અનુમોદન  કરે છે.

                              ગીતાના નવમા અધ્યાય માં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે ' હું જળના રસમાં છું.' એટલે કે ભગવાન કહોકે ઈશ્વર. આગળ ચાલતા એ કહે છેકે હું સૂર્ય અને ચંદ્રમાના પ્રકાશમાં છું. પુરુષોના પુરુષત્વમાં છું. હું પૃથ્વીમાં અને અગ્નિના તેજમાં છું. હું તપસ્વીઓના તપમાંછું . સંપૂર્ણ ભૂતોમાં જીવન છું. બુધ્ધિમાનોની બુદ્ધિમાં છું. તેજસ્વીઓનાં તેજમાં પણ હું છું.  બળવાનોનું બળ પણ હુંછું.  હું સત્વ, તમસ , અને રજો  ગુણથી  ઉત્પન્ન થતા ભાવોમાં પણ હુંજ છું. નિશ્ચય કરવાની શક્તિમાં હું છું. જ્ઞાન , ક્ષમા ,સત્ય જેવી શક્તિઓ હુંજ ઉત્પન્ન કરુંછું.  સુખ દુઃખની ઉત્પત્તિ , પ્રલય , અને જગતની ઉત્પત્તિનું  કારણ હું જ છું.હુંજ સર્વના આદિ ,મધ્ય અને અંત છું . અને છેલ્લે કહે છે ' હુંજ ચેતના , સમુદ્ર , વાયુ, કામદેવ અને યમરાજ છું. આમ કૃષ્ણ હજારો વર્ષ પહેલા અને જેની   આજે પણ  હિંદુઓ ભગવાનના  અવતાર તરીકે  પુંજે   છે. ગીતા જેમાં કૃષ્ણ એ આ વાત કરી છે એ ગ્રંથને પવિત્ર માનવામાં આવે છે.

                           ટૂંકમાં ઈશ્વરની ઓળખાણ આપણી  શક્તિઓની મર્યાદામાં છે. જન્મ મૃત્યુની જેના પર આપણો કોઈ અંકુશ નથી એ વજૂદ દાખલો છે.  આથી  મંદિરે  કે ગિરજાગ્રહમાં  , કે  મસ્જિદોમાં ભટકવા કરતા તર્કથી ઈશ્વરના અસ્તિત્વને સમજવાની જરૂર છે. 

                                            *******************************

                             

Saturday, April 13, 2024



  કેલિફોર્નિયા 

                                                                        કેલિફોર્નિયા એ અમેરિકાનું કુદરતી અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય છે. ત્યાં દુનિયાની સકલ ફેરવનાર સિલીકોન વેલી આવેલી જ્યાં વિશ્વના સમૃદ્ધ લોકો પણ  રહે છે. સાથે સાથે દુનિયાની  પ્રસિદ્ધ નગરી હોલિવુડ પણ છે. અને આનંદપ્રમોદ માટે ડિઝની લેન્ડ પણ છે. 




                               કુદરતી સૌંદર્ય ભગવાને અહીં સીંચી સીંચીને ભર્યું છે. એક બાજુ વિશાલ અને ગહેરો પ્રશાંત મહાસાગર છે તો બી બાજુ લીલાછમ ડુંગરમાળાઓ  પથરાયેલી છે. એક વખત સોનાની ખાણો માટી આવી હતી એટલે લોકોનો ધસારો થયો હતો પરંતુ ટીમે જતા સોનુ સુકાઈ ગયું અને એનો મોહ પણ ચસલી ગયો. તે છતાં આજે કેલિફોર્નિયા સોનેરા રાજ્ય તરીકે ઓળખાય છે એટલેકે 'ગોલ્ડ્ર્ન સ્ટેટ' તરીકે ઓળખાય છે.  



                               બીજીરીતે  કેલિફોર્નિયા  કોસ્મોપોલીટન રાજ્ય અને થોડું ખરચાર્ળ  એટલેકે મોંઘવારી વધારે છે. ઘરો પણ મોંઘા છે અને ટેક્સઓનો દર  પણ બીજા રાજ્યો કરતા  વધારે છે. પરંતુ અહીંની આબુહવા સારી છે અને એની કિંમત અહીંના  લોકોએ ચૂકવવી પડે છે .  



                                       હવે કેલિફોર્નિયામાં હવા બદલાઈ રહી છે. મોંઘવારીને લીધે વેપારધંધા કેલિફોર્નિયાની બહાર જવા માંડ્યા છે. લોકો બીજા રાજ્યોમાં જવા લાગ્યા છે. એમાં કૅલિફૉર્નિયાએ ૩૦ બીલીઓન ડોલર ટેક્ષ  ગુમાવ્યો છે.  કૅલિફૉર્નિયાનો બેરોજગારી દર  ૫.૪%ઘટાડો છે  જે બીજા રાજ્યો કરતા અને  રાષ્ટ્રીય દર ૪% કરતા વધારે છે. નવા રોજગારીની તક ૦. ૮ એક  બેરોજગાર વ્યક્તિ દીઠ  છે જયારે બીજા રાજ્યોમાં એ રેશિઓ ૧.૬ છે. રાજ્યના બજેટમાં  ૩૮ બિલ્લીઓન ડોલરની  ડેફિસિટની ગવર્નરે  જાહેરાત કરેલી છે. કદાચ વાસ્તવિકમાં વધુ હશે એમ માનવામાં આવે છે.  વસતી  ઘટાડો થઇ રહ્યો છે એ પણ રાજ્યની પરિસ્થિતિ પાર પ્રકાશ નાખે છે.





                              આમ એક વખતના બહુજ સમૃદ્ધ  મનાતું  અને સિલીકોન વેલી ને લીધે જે જગપ્રસિદ્ધ  બન્યું છે.  જેની  કુદરતી સમૃદ્ધિ આપાર છે. એવા રાજ્યના આર્થિક પાયા ધ્રુજી  રહયા છે  એ આશ્ચર્ય જનક  છે. વધારે ટેક્સ નાખી શકાય છે પણ વધુ લોકો રાજ્ય છોડી જાય એવી પણ એક ભીતિ છે. 

                             ********************************

                                

  

                                

 

Wednesday, April 10, 2024

 


દહીં 

                                              દૂધમાં મોળવણ  નાખવાથી  દહીં બને છે. જે ઉમુક પ્રમાણમાં અને યોગ્ય  વખતે ખાવાથી શરીર માટે ઉત્તમ છે.  એમાં કેલ્શિયમ. પ્રોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , મેગ્નેસિયમ , વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા તત્વો હોય છે જે શરીરની સ્વાસ્થ્ય  માટે ઉપયોગી હોય છે .

                                               દહીં ખાવાનો યોગ્ય સમય સવાર અને બપોરેનો છે.શિયાળામાં  અને ઉનાળામાં દહીં ખાવું આવકાર્ય છે. 

                                            તાજું દહીં શરીરના  મેટાબોલીઝમાં  સુધારો કરે છે.  રોગની સામે પ્રતિકાર કરવાની શક્તિ વધારે છે.   પેટના રોગને ઘટાડે છે.  બ્લડ પ્રેસર નિયમિત કરે છે અને હાંડકા મજબૂત કરે છે. ભૂખ વધારે છે અને ત્વચા સબંધિત સમસ્યાને દૂરકરે છે. તે ઉપરાંત દહીં શરીરના તાપમાનને  કાબુમાં રાખે છે અને   શરીરને ડી હાઇડ્રેશનથી પણ બચાવે છે.  પાચનશક્તિ વધારવામાં  દહીં મદદ રૂપ થાય છે.



                                            સૂર્યાસ્ત પછી દહીં  ન ખાવું જોઈએ . દહીં સાથે તળેલા પદાર્થો ને ખાવાથી પાચનશક્તિ મંદ પડે છે. એની સાથે લીધેલા ખાંટા પદાર્થો ગેસ,એસીડીટી , કબજિયાત , અપચો  જેવી બીમારી લાવી શકે છે. કેરી સાથે દહીં  ખાવાથી  કફ  ,ઉધરસ , અને  સાંધાના દુખાવાની સમસ્યા થઇ શકે છે.   તે ઉપરાંત ડેરી પ્રોડક્ટ સાથે દહીં ખાવાથી સોજાની સમસ્યા ઉભી થઇ શકે છે. 

                                          ટૂંકમાં  યોગ્ય સમયે  દહીંને  ખાવાથી ફાયદાકારક છે પરંતુ  જયારે એને અયોગ્ય પદાર્થો સાથે લેવામાં  આવે તો શારીરિક સમસ્યાઓ  ઉભી થઇ શકે છે.

                                           ********************************* 

Saturday, April 6, 2024

 


સ્વાસ્થ્ય 

                                                                   શરીરની તંદુરસ્તીની જાળવવા માટે  દરેકે પોતાનો આહાર , અને કુટેવો પર ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર ભાવતી વસ્તુઓનો ત્યાગ કરી તંદુરસ્તીને લાયક ખોરાક ખાવાની જરૂરિયાત છે. તેજ પ્રમાણે હાનિકારક   શોખોને  છોડીને શરીરને અનુરૂપ શોખો સાથે જવાની વૃત્તિ હોવી પણ જરૂરી છે.

                                આહારમાં  વધારે  લીલા શાકભાજી  ખાવાની જરૂરિયાત હોય છે.  બીટ અને ગાજર શરીર માટે  સારા  છે . તે ઉપરાંત ટામેટા , કારેલા,કાંકડી , ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. દૂધી પણ   લોહીની  શુદ્ધિ માટે ઉપયોગી છે.

                              તળેલી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે.  પુરી , પકોડી જેવી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. પીઝા, પાઉં અને ઈંડા  પણ વધુ પ્રમાણમાં ખાવાથી  તંદુરસ્તી માટે નુકશાનકારક  છે. વધારે પડતા તીખા ખોરાક પણ લાંબેગાળે શરીરને  નુકશાન કરે છે. 



                               તમાકુ , ગુટકા ખાવાની આદતો નુકસાન કારક છે. એનાથી કેન્સર જેવી ગંભીર બીમારી  થઇ શકે છે એનું અનુમોદન  ડોક્ટરો પણ કરી ચુક્યા છે. જે જલદી સુવે અને જલદી ઉઠે એ તંદુરસ્ત રહે છે.

                                જેમનું પેટ સાફ રહે છે એ હંમેશા તંદુરસ્ત રહે છે. થોડું પેટ ખાલી રાખીને ખાવાથી પણ શરીર સારું રહે છે. અનુભવ કહે છેકે'લોકો  ગમેતેમ ખાવાથી મરી જાય છે પરંતુ ભૂખથી બહુ ઓછા મરે છે'. ઘણીવાર અનિયમિત જીવન અને ગમે તેમ ખાવાથી પેટ બહાર આવી જાય છે  એ પણ શરીરની તંદુરસ્તી માટે સારું નથી.

                              શરીર માટે કોઈને કોઈ કસરત આવશ્યક  છે. એટલા માટે દરેક વ્યક્તિએ   દિવસમાં ઓછામાં ઓછા  ૩૦ મિનિટ ચાલવું  આવશ્યક છે. કઈ નહીતો ૧૦૮ વાર તાળી પાડવાથી પણ તંદુરસ્તી જળવાઈ રહે એવું પણ માનવામાં આવે છે.



                             આયુર્વેદ પણ તંદુરસ્તી  માટે ઘરની આજુબાજુ  સારી એવી લીલોતરી હોવી જોઈએ જે વાતાવરણ સારું રાખે. તુલસીનો છોડ પણ ઘરના માટે આરોગ્યદાયક ગણાય  છે. ઘણા લોકો  તાંબાના લોટામાંનુ  પાણી તંદુરસ્તી માટે પીવે છે.

                  મૂળમાં સારી આદતો, તંદુરસ્ત ખોરાક અને અનુરૂપ કસરત જ શરીરને તંદુરસ્ત રાખે છે.

                                          **********************************

Tuesday, March 26, 2024



સેમ અલ્ટમેન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ 

                                                                         આજે સેમ અલ્ટમેનનું નામ આર્ટિફિશ્યલ ઇન્ટિલિજન્સ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો   સદઉપયોગ કરવાનો ઉદ્દેશની  જવાબદારી એમણે લીધેલી છે. તેઓ ટેક્નોલોજી  કંપની   'ઓપન -એઆઈ' ના  મુખિયા  છે.

                                                                 એમણે 'ચેટ જીપીટી'  બહાર પાડીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માં ક્રાંતિ લાવી દીધી છે અને એનાથી આગળ વધીને ચેટ જીપીટી -૪ સુધારેલું  બોક્સ બહાર પાડવાની તૈયારીમાં છે. એમના ઉદ્દેશમાંથી ચલિત થવાની શંકા થવાથી  એમની કંપનીએ એમને વિલંબિત કરી નાખ્યા હતા પરંતુ એમની કંપનીના કામદારોના અને કંપનીના રોકાણકારોના ટેકાથી એમને પાછા લેવા પડ્યા છે. એના ટેકામાં ગુગલ જેવી માતબર કંપની પણ હતી જેણે એમાં સારું એવું રોકાણ પણ કરેલું છે. પરંતુ આ બનાવની પાછળના કારણો જાણવા જરૂરી છે. 

                                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દુનિયાને ઉપયોગી ક્રાંતિ પણ લાવી શકે છે ,પરંતુ એનો દુરુપયોગ પણ થઇ શકે છે. જોકે એ ટેક્નોલોજીમાં હજુ ગણું કરવાનું બાકી છે. તે છતાં એ કવિતાઓ , લેખો , ડિઝાઇન , અને પેઇન્ટિંગ જેવી કલામાં પણ ઉતરી શકે છે. એ કલાકારો , લેખકો , કવિઓ, ડિઝાઈનરો વગેરેના કોપી રાઈટ ને માટે ભયરૂપ બની શકે છે. બીજા અર્થમાં મનુષ્યની કૈક  નવું રજુ કરવાની  હોશિયારીને નુકશાન કરી શકે છે. એ દ્રષ્ટિએ એ માનવતા માટે ભય રૂપ છે. માનવોની રોજગારીને પણ નુકશાન કરી શકે છે. આથી એનો ઉપયોગ માનવોની ઉન્નતિ કરવા માટે ઉપયોગ કરવો જરૂરી  છે. એ ટેકનોલોજી જો ગુનેગારોના હાથમાં પડી જાય તો એનો દુરુપયોગ પણ થઇ શકે છે . એટલા માટે ઘણા દેશો એના પરઅંકુશ મુકવાના કાયદાઓ પણ ઘડવા લાગ્યા છે.



                                                     એના અનુસંધાનમાં  'ઓપન -એઆઈ ' કંપનીની રચના કરવામાં આવી છે. એના મુખિયા સેમ  અલ્ટમેન  પર  મોટી જવાબદારી છે.  એલન મસ્ક પણ એક વખત એ કંપની સાથે જોડાયેલા હતા. વચમાં કંપનીના કેટલાક ડિરેક્ટરોને અલ્ટમેનની વર્તણુક શકાસ્પદ લાગી અને તેઓ એના ઉદ્દેશથી ખસીરહ્યા હોય એમ લાગવાથી એમને બરખાસ્ત કરી નાખ્યા હતા. પરંતુ હવે ફરીથી એમને કંપનીની દોર સોંપવામાં આવી છે.તેઓની ગણના વિશ્વના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના  ઉચ્ચ  ટેકનોલોજી વિઝાર્ડ  માનવામાં આવે છે. 

                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ હજુ પૂર્ણતા પર પહોંચી નથી કારણકે એના ચેટ   બોક્સ  બધાજ પ્રશ્નોના સાચા ઉત્તર આપવામાં સફળ થયા નથી. તે છતાં માનવતાના હિતમાં એ ટેક્નોલોજીના વિકાસમાં  પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. કારણકે એનાથી દુનિયામાં નવી ક્રાંતિ આવી શકે છે, પરંતુ એના દુરુપયોગથી નુકશાન પણ થઇ શકે છે.

                                    ********************************** 

Wednesday, March 13, 2024



 દારૂનું સેવન 

                                    દારૂના સેવનને નૈતિકતાની દ્રષ્ટિથી કે પછી  સામાજિક દુષણો તરીકે જોવા કરતા એને બીમારી તરીકે જોવાની જરૂરિયાત છે. એનો ઈલાજ પણ રીતે થવો જોઈએ . વિશ્વમાં કાયદાથી એને કાબુમાં લાવવા પણ પ્રયત્નો થયા છે, પરંતુ અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો પણ એમાં નિસ્ફળ નીવડ્યા છે.

                                દારૂનું સેવન પુરાતન કાળથી થતું આવ્યું છે.ભારતમાં તો એ સોમરસ નામે ઓળખાતો હતો.  એના સામાજિક જડ પણ બહુ  શક્તિશાળી વર્ગમાં  મજબૂત રહયા  છે.એથી એના કાબુંમાટે તર્ક પણ વાપરવાની જરૂરત છે.



                               તર્કની દ્રષ્ટિએ છેલ્લા દાયકાથી દરરોજના એક કે બે કપ વાઈન પીવાથી  હૃદય મજબૂત બને છે. એમ માનવામાં આવતું હતું. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનઆ અહેવાલ પ્રમાણે દારૂ કોઈ પણ પ્રમાણમાં લેવાથી એ તંદુરસ્તી માટે હાનિકારક છે. આથી અમેરિકામાં અને  કેનેડામાં એનું સેવન  કરવાની મર્યાદાઓ ઓછી કરવામાં આવી છે.



                                   એક વાતમાં તથ્ય છેકે દારૂના સેવનથી લીવર પર ખરાબ અસર થાય છે. અને અનેક જાતના કેન્સર પણ થઇ શકે છે. આથી દૂરના સેવનની સ્વાચ્છીક  મર્યાદા લાવવી જરૂરી છે. આલ્કોહોલ સેવનથી આયુષ્ય પણ ઓછું થઇ શકે છે. તે ઉપરાંત ૧૫% જેટલા બ્રેસ્ટ કેન્સર દારૂના સેવનથી થાય છે. 'વિશ્વ હૃદય   સંઘઠને  '  ૨૦૨૨ જાહેર કયુંછેકે આલ્હોહોલ માનવીની તબિયતને આડ અસર કરે છે. એટલે હૃદયની તંદુરસ્તીને પણ  એ લાગુ પડે છે.

          આથી દારૂ સેવનના  પ્રશ્નને  સ્વાસ્થ્યને ધ્યાનમાં  રાખીને લેવાની જરૂરત છે જેથી એને કાબુમાં લાવી શકાય. એને કાયદાથી  ઉકેલવામાં મુશ્કેલી રહેલી છે કારણકે એમાં સમાજનો  શકિશાળી  વર્ગ  અને  બહુમતી ગરીબ લોકો પણ દારૂ સેવનમાં સંડોવાયેલા હોય છે. 

                                *****************************

                                         

                                        

Sunday, March 3, 2024



 વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિ 

                                                      ઘણા  વૃધ્ધો  વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિનો અનુભવ થાય છે. અને એમાંથી અલ્ઝેમર જેવા ભયંકર રોગોના પણ કેટલાક લોકો ભોગ બને છે. અલ્ઝેમર જેવા રોગોમાં ઘણા પોતાની  પાર કાબુ પણ ગુમાવી દે છે અને નિરાધાર હાલતમાં દયામય સ્થતિમાં જીવતા હોય છે. આથી એવા રોગીઓની માટે  હંમેશા એક વ્યક્તિની સંભાળ રાખવાની જરૂરત રહે છે. એવો કરુણ દાખલો અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનાલ્ડ રેગનનો  હતો .  તેઓ અલ્ઝેમરના ભોગ બન્યા હતા.ઘણીવાર  એમનો  પૌત્ર એમને એમની લાકડી પકડી  કેલિફોર્નિયામાં સેંતા મોનિકા દરિયા કિનારે ફરવા દોરી જતો  જોવા મળતો  હતો.

                                      વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોએ  કાળજી લેવી જરૂરી છે જેથી તેમની  વિસ્મૃતિ દયામય સ્થિતિએ ન પહોંચી જાય કે એમને અલ્ઝેમર  રોગ સુધી દોરી જાય. વિશ્વના વિજ્ઞાનીકોએ વૃદ્ધોની  વિસ્મૃતિની બાબતમાં સારી એવી શોધો કરી રહયા છે. તેઓ માને છે કે  વૃદ્ધો નવી નવી વસ્તુઓ શીખવાથી  વિસ્મૃતિને  દૂર કે કાબુમાં રાખી શકે  છે. માનવીની  કેટલીક શક્તિઓ પર 30 વર્ષની ઉંમરથી આડ અસર શરુ થાય છે અને 60 વર્ષની ઉંમરની આજુબાજુ  એ ત્રીવ બને છે. 

                                      ઘણા મનુષ્યો માને  છેકે નિવૃત્તિ એટલે બધી પ્રવૃત્તિઓ છોડીને મઝા અને  આરામ કરવો. એવાજ લોકો અલ્ઝેમરના અથવા વિસ્મૃત્તિના  ભોગ બનતા હોય છે. માનવીના મગજને પ્રવૃતિઓ જ  જીવિત અને વધુ ત્રીવ બનાવે છે . એનાથીજ એની યાદ શક્તિ વધે છે.  નિવૃત્તિ એટલે  માનવીની પ્રવૃતિઓમાં બદલાવ નહિ કે બધી પ્રવૃત્તિઓને તદ્દન બંધ કરી દેવી. ટૂંકમાં તમે તમારા જીવનસંગ્રામમાં  જે પ્રવૃતિઓ ન કરી શક્યા હોય એવા તમારા શોખો  પ્રવાસ, વાંચન, સંગીત , લેખન  વગેરે તમે નિવૃત્તિ સમયમાં વિકસાવી  શકો છો. મિત્રો અને સગા સબંધીઓ સાથે વધારે  ગાઢ બનાવી શકો છો. આવી પ્રવૃતિઓ પણ તમારી  યાદશક્તિનો  વિકાસ  કરી શકાય  છે.

                                                            તે ઉપરાંત નિવૃત્તિમાં નવી નવી વસ્તુઓ જેમાં રસ હોય એ વિષે શીખવા પણ પ્રયત્ન કરવો જોઈએ જે તમારા મગજને વધુ ત્રીવ બનાવે.  'આઈ પેડનો' ઉપયોગ કરતા પણ શીખી શકાય .બીજુ ફોટોગ્રાફી ,જુદી જુદી ભાષાઓ શીખવી  અને સંગીતની નવી કૃતિઓ પણ બનાવી શકાય છે. આવી પ્રવૃતિઓ સ્મૃતિને  વધારી અને મજબૂત બનાવી શકે છે.



                                                         અત્યારે કેટલાક  વિજ્ઞાનીઓ  એવા પણ સંધોધન  પર આવ્યા છેકે  ઘણા વખતથી વિટામિન્સ લેનારા  વૃધ્ધોને  વિસ્મૃતિનો ભય ઓછો રહે છે. આ બધા સૂચનો સાથે વૃદ્ધોને માટે સકારત્મક વાતાવરણ ની જરૂરી છે જેથી તેઓ તંદુરસ્ત જીવન જીવી વિસ્મૃતિ જેવી બીમારીથી બચી શકે.

                                           ******************************************

Monday, February 12, 2024



હોશિયારી અને ડહાપણ      

                                               હોશિયારી  અને ડહાપણ હંમેશા સાથે જતા નથી. એટલેકે એકજ વ્યક્તિમાં  એ બંને ગુણો સાથે હોવા મુશ્કેલ છે. અને જ્યા એ બંને સાથે જોવામાં આવે છે તે વ્યક્તિ માટે સફળતા હંમેશા વરમાળા પહેરાવે છે. એનું કારણ એ બંને ગુણોમાં તફાવત પણ છે.

                                               હોશિયાર વ્યક્તિઓ હંમેશા તર્ક અને વિજ્ઞાનિક કારણોને વધારે મહત્વ આપે છે.  હોશિયારો હંમેશા ચર્ચા અને વિવાદ કરતા હોય છે. જયારે ડહાપણ વાળા સમાધાન શોધતા હોય છે.  હોશિયારો પોતાના જ્ઞાનની શક્તિ બતાવતા હોય છે.



                                               ડહાપણવાળા પોતાના આત્મબળથી આગળ વધે છે. એ  લોકો લાગણી અને પ્રેમથી બીજાને જીતવા  પ્રયત્ન કરે  છે. અને  હરીફ ને માફ કરી દે છે. તેઓ નેતાગીરીને બદલે લોકોને માર્ગદર્શન આપે છે. તેઓ અનુભવમાંથી શીખવા માગે છે. એમની વિચારશરણી બહુજ મરડાય એવી હોય છે. અને એ બીજાઓને શિખામણ આપે છે અને પછી એનો અમલ એ વ્યક્તિ પાર છોડી દે છે. તેઓ લાંબા પ્રવચનોને સાંભળી લે છે પણ જે કહેવાનું રહી ગયું હોય છે એનું પણ અધ્યયન કરી લે છે. ડહાપણ ધરાવતી વ્યક્તિઓ જરૂર કરતા વધારે બોલતા પણ નથી.



                                              હોશિયાર માણસોની પ્રકૃતિ જુદી  હોય છે. એ હંમેશા પોતાના જ્ઞાનથી બીજાને શિખામણ આપે છે.અને ઘણીવાર કહે  છે કે 'એને બધુજ જ્ઞાન છે'. તેઓ દરેક વસ્તુમાં પોતાના મતને વળગી રહેવા પ્રયત્ન કરે છે. એમનામાં નેતાગીરી કરવાની તમન્ના હોય છે. એમને ઘણીવાર વણમાગી સલાહ આપવાની વૃત્તિ હોય છે. એ  બીજા  જે કહે એને સમજી શકે છે.  હોશિયારો  હજારો અને લાખોને  કાબુમાં રાખવા પણ પ્રયત્ન  કરે છે. 

                                                    ટૂંકમાં હોશિયારી એ સારી વસ્તુ છે  પરંતુ ડહાપણ પણ સારું પરિણામ લાવે છે. એ બંનેનો મેળાપ એ સોનામાં સુગંધ જેવો છે.

                                     ***************************************** 

Sunday, February 11, 2024

 


આલ્બર્ટ  આઈન્સ્ટાઈનની    સલાહ

                                                               આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક  મહાન વિજ્ઞાનિક સાથે એક ચિંતક પણ હતા. તેઓ મહાત્મા ગાંધીની વિચારધારાના પ્રશંસક હતા. એમની વિચારધારા એક મહાન વિવેચક અને ઊંડા વિચારક જેવી હતી.

                                               એમણે કહ્યું છેકે જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રશ્નનો સામનો કરવો પડે છે પણ એનો સામનો કેવી રીતે કરવો એ દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. તે છતાં એ બાબતમાં આઈન્સ્ટાઈનનું કહેવું છે કે અમુક બાબતમાં બીજી  વ્યક્તિને કહેવા પર સાવચેત રહેવું જોઈએ.



                                                  એમનું માનવું છે કે ' પોતાને મળેલી સફળતાનું રહસ્ય બીજાને કહેવું જોઈએ નહિ.' કારણકે તમારા સંજોગો અને બીજાના સંજોગોમાં ફરક હોય છે. બીજુકે કોઈ તમારી રીતે ચાલવા જાય તો એને કદાચ સફળતા ન પણ મળે. અને પછી નિસ્ફળતા માટે તમને દોષ પણ દે . તે ઉપરાંત બીજાની સફળતામાં બધાજ રાજી થતા હોય એવું હોતું નથી. 

                                                     તમારા પ્રશ્નોને બીજાને કહેવાથી  કોઈ ફાયદો થતો નથી. બધા તમારા હિતેચ્છુઓ હોતા નથી. ઘણા એવા પણ હોય છેકે તમારા વિકટ પ્રશ્નોમાંથી લાભ લેવા પણ પ્રયત્ન કરે છે. આથી લોકો પર વિશ્વાસ કરતા પહેલા વિચારવું આવશ્યક છે. બધી  બાબતમાં બીજા પર  પર વિશ્વાસ કરવો ન જોઈએ.

                                                  તમારી સપનાઓ અને તમારી યોજનાઓને લોકોને કહેતા રહેવું ન જોઈએ. કારણકે કેટલાક વિઘ્ન સંતોષીઓ એમાં ફાચર પણ મારી શકે છે. કેટલાક એવા હોય છેકે જેઓ તમારી યોજનાઓને તમારા કરતા જલ્દી અમલમાં મૂકી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

                                                     તમારી આવક વિષે કોઈને કહેવું જોઈએ નહિ. એના વિષે ગુપ્તતા જાળવવી આવશ્યક  છે. કારણકે ઘણાને એ ઈર્ષાનું કારણ બની શકે છે. 



                                                    છેલ્લે તમારા કુટુમ્બીક પ્રશ્નો પણ કોઈની સાથે ચર્ચા કરવી જોઈએ નહિ, કારણકે દરેક તમારા હિતેચ્છુ છે એમ માની શકાય નહિ. કેટલાક  વિઘ્નસંતોષી  લોકો મદદ રૂપ થવા કરતા એમાંથી આનંદ લે છે. અને પ્રશ્ન વધુ વિકટ  બને  છે.

                                                       આથી આલ્બર્ટ  આઇન્સ્ટાઇને  પોતાના અનુભવોને કારણે  ઉપરની પાંચ બાબતોમાં બીજા  લોકો  સાથે  વિચારીને વિનિમય કરવો જોઈએ.

                                             **********************************  

Saturday, February 3, 2024

 


જીવન જીવવાના જાપાનીસ મંત્રો 

                                                               દુનિયામાં અમુક રાષ્ટ્રોની પ્રજાનું ચરિત્ર ઉચુંછે. જેમ કે ઇંગલિશ, જર્મન , વગેરે પ્રજા  પણ  દેશભક્તિવાળી, મહેનતુ અને ઉચ્ચ ચરિત્ર ધરાવતી પ્રજા તરીકે ઓળખાય છે. જાપાન એક નાનો  દેશ છે પરંતુ પ્રગતિશીલ છે. ત્યાં વારેઘડીએ ધરતીકંપ , વાવાઝોડા , દરિયાયી તોફાનો આવે છે.  જાપાની પ્રજા એનો બહાદુરીપૂર્વક સામનો કરે છે. જાપાન છેલ્લા વિશ્વ યુદ્ધમાં  અમેરિકાએ નાખેલા બે  એટમબોંબનું પણ ભોગ બન્યું હતું. પણ આજે વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બની રહ્યું છે.  જાપાનની સફળતા પાછળ એની પ્રજાનું ઉચ્ચ ચરિત્ર અને રાષ્ટ્ર ભક્તિ  છે. જાપાનના ઉચ્ચ ચારિત્રનો પાયો એના જીવન જીવવાના ઉચ્ચ સિદ્ધાંતોને કારણે છે.



                                                 જાપાનીસ  જીવનમાં પોતાને માટે જીવવા કરતા  બીજાને માટે જીવવા માટે  અને બીજાને પ્રત્યે વધારે  ધ્યાન આપવાનું મહત્વ છે. તે ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાને આનંદ આપે એવી પ્રવૃત્તિઓ કરી જીવનનો આનંદ માનવો જોઈએ. જાપાનીઓ પોતાની  ઉણપો જોઈ જીવન કુદરતી રીતે જીવતા હોય છે.  જે કઈ મળ્યું હોય તેને  વેડફયા વગર  ભગવાનની મહેરબાની માની લોકો એમનું જીવન જીવતા હોય છે. મન અને શરીર પર કાબુ રાખી  એમની આદતો ઘડતા હોય છે. કારણકે સ્વસ્થ શરીર સંયમી મન જ સારા જીવનના પાયા છે.



                                         જાપાનીસ જીવનમાં ગુરુનું પણ એટલુંજ મહત્વ છે. ગુરુના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું અને જીવનમાં એનો અનુભવ લેવો. નવા પ્રયોગો કરવા અને જીવનને એના પરિણામો પ્રમાણે આગળ વધારવું. તેઓ માને છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ અમર નથી. આથી આધ્યાત્મિક થઇ વસ્તુઓ પ્રત્યેનો મોહ  ઓછો કરી નાખવો જોઈએ. તે ઉપરાંત નિસ્વાર્થભાવે  સેવા કરવી જોઈએ . એમાં કોઈ અપેક્ષાને સ્થાન નથી. લોકો સાથે ચર્ચા વિનિમય કરી  એના વિષે સર્વ  લોકોને માહિતગાર કરવા જોઈએ.


                                          જીવનમાં કોઈને કોઈ લક્ષ્ય  હોવું જોઈએ . અને જીવનમાં જે મળે એનાથી સંતોષ માની પ્રભુના હંમેશા આભારી રહેવું જોઈએ.  જીવનમાં આવતા પરિવર્તનોને હંમેશા સ્વીકારી લેવા જોઈએ.આવા જીવનથી મનુષ્ય જીવન આનંદદાયી અને  ચારિત્રવાન બને છે. એવો જાપાનીઓનો સંદેશ છે.

                                          ********************************

                                                    



Monday, January 29, 2024



ભારતની શિક્ષણ પદ્ધતિ - બ્રિટિશ રાજ પહેલા 

                                                                     બ્રિટિશરો ભારતમાં વેપારી તરીકે આવ્યા  અને ભારતની આંતરિક પરોસ્થિતિનો  લાભ  લઇ ભારતમાં પોતાનું રાજ જમાવી લીધું. પરંતુ તે વખતે ભારતની જાહેજલાલી ટોચ પર  હતી. એટલેકે આપણા સાધનો અને લોકોનો લાભ લઈને પોતાનું રાજ જંમાવી લીધું. 

                                                                         1858 માં ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઉત્તરમાં 98 % એન્ડ દક્ષિણમાં 100% હતું. આ  સર્વે પણ  બ્રિટિશ પાર્લામેન્ટે મોકલેલ  એક સભ્ય  મોકાલેનું  જ  હતુંએમનું કહેવું હતું કે તે વખતે ભારતમાં એક પણ ભિખારીને  જોયો ન હતો. અને  એની શિક્ષણ પદ્ધતિ ઉત્તમ હતી. તે વખતે ભારતમાં આશરે 732000 ગુરુકુળ હતા અને તેઓ આખા દેશમાં પથરાયેલા હતા.  ગ્રામોદ્યોગઓ સારા દેશમાં વિકસિત થયેલા હતા. અને ભારતનો માલ પરદેશમાં વેચાતો હતો. લોકોનું  વ્યક્તિવ  બહુ ઉંચુ હતું. દુનિયાના વેપારના જીડીપીના 30 % જેટલો ભારતનો વેપાર હતો.

                                                                     તે વખતે  ગુરુકુલોમાં 50 થી વધારે  વિષયોનું જ્ઞાન આપવામાં આવતું  હતું.  તેમાં મહત્વના અને આધુનિક  વિષયોમાં  ધાતુ વિદ્યા , વાયુ વિદ્યા,સ્પેસ સાયન્સ , સૂર્ય વિદ્યા , મેઘ વિદ્યા ,( હવામાન વિદ્યા ), બેટરી વિદ્યા ( પદાર્થ વિજ્ઞાન ), સૂર્ય શક્તિ, ભૂગોળ વિદ્યા , કાળ વિદ્યા. એસ્ટ્રોનોમી , વીમાન જ્ઞાન.અગ્નિ વિદ્યા , વેપાર શાસ્ત્ર , ખેતી શાસ્ત્ર , પ્રાણી શાસ્ત્ર, વાહન ડિઝાઇનિંગ , રત્ન શાસ્ત્ર , કાપડ ઉદ્યોગ , ઘરેણાં બનાવટ , લુહારુ જ્ઞાન , ડેરી ઉદ્યોગ , આર્કિટેક્ટ , પાક શાસ્ત્ર , નદી મૅનેજમેન્ટ ,વન મૅનેજમેન્ટ ,  અને આંકડા શાસ્ત્ર જેવા વિષયનું  જ્ઞાન  પણ  સામેલ હતા .  

                                                                      અને અનુસંધાનમાં મોકાલેનું કહેવું હતું કે આપણે ભારત પર રાજ કરવું હોય તો એમની શિક્ષણ પદ્ધતિનો નાશ કરવો  પડશે અને જે કઈ ઇંગલિશ છે એજ શ્રેષ્ટ છે એમ  ભારતીયોના મગજમાં ઠસાવવું પડશે.  ભારતીયોના મગજમાં માનસિક રીતે એ  ઠસાવવા માટે ઇંગલિશ શિક્ષણ પદ્ધતિ દાખલ કરવી પડશે.

                                                                આવી રીતે  અંગ્રેજોએ  ભારતના લોકોના માણસને ગુલામ બનાવી દીધું . અને આપણા વિશાળ દેશ પર એ લોકો  ૨૦૦ વર્ષો રાજ કરી ગયા. આપણા દેશની એક કમનશીબી  છે કે આપણે આજે સ્વતંત્ર છે પણ કેટલાએ લોકો હજુ પણ અંગ્રેજોએ રોપેલા ગુલામી માનસમાં હજુ પીડાઈ રહયા છે.  એમાંથી એ લોકો જેટલા જલ્દી   બહાર આવશે એટલી ભારતની પ્રગતિમાં વધારો થશે.

                                        ********************************************

 

Monday, January 15, 2024



ચાહ 

                                                             દુનિયામાં ચાહ જેવું  કોઈ પ્રખ્યાત પીણું નથી. ચીનથી માંડીને તે અમેરિકા સુધી અને ઉત્તર ધ્રુવથી  તે દક્ષિણ ધ્રુવ સુધી પીવાય છે. સવારના કે પછી મોંડી રાત સુધી લોકો એની ચુસ્કી લેતા હોય છે અને તાજાંકી મેળવતા હોય છે.  ગરીબથી તે ધનવાનોમાં ચાહ પ્રિય છે. એથી એ દુનિયાનું  સર્વ માન્ય પીણું બન્યું છે. ચાહ છોડો  ડુંગરોના ઢાળ પર ઉગતા હોય છે  એનું મુખ્ય ઉત્તપાદન ચીન અને ભારત જેવા દેશોમાં થાય છે.

                         ચાહ માં એવું શું છે કે જેથી આટલું લોકપ્રિય પીણું બની ગયું છે?  એમાં કોફીનનું  તત્વ રહેલું છે જે તાજગી અને ઉત્તેજના આપે છે.  માનવીને નવીન શક્તિ આપે છે. પરંતુ એનો કેફ દારૂ જેવો  વધારે જલદ નથી.  કેટલાક ચાહ ને દૂધ સાથે પણ પીએ જ્યારે કેટલાક દૂધ વગરની ચાહના ગરાળી છે. હવે ઘણી ફ્લેવરોમાં ચાહ મળવા માંડી છે. ટૂંકમાં ચાહ દુન્યવી પીણું બની ચૂક્યું છે.



                        ચાની લત દારૂથી ઓછી હોતી નથી. ઘણા લોકોતો આંઠથી  દસ કપ ચાહ દિવસના પી જતા હોય છે. ઘણાલોકો એનો ઉપયોગ નિદ્રાથી બચવા પણ કરતા હોય છે જયારે ઘણા ચાહ પીને ઘસઘસાટ ઉંધી પણ જતા હોય છે. એક વાત ચોક્કસ છે કે વધારે પડતી ચાહ પીવાથી શરીર માટે નુકશાન કરતા પણ છે.

                        વધારે પડતી ચાહ પીવાથી ઘણી વાર બેચેની વધે  છે અને શરીરની  તંદુરસ્તીને  નુકશાન પણ થાય છે. તે ઉપરાંત લાંબેગાળે ઊંઘને પણ નુકશાન થાય છે. વધારે પડતી ચાહ પીવાથી પેટને લાગતા રોગો થવાની પણ સંભાવના છે. પેટમાંથી ઉબકા આવવા પણ માંડે છે. ગર્ભવતી સ્ત્રીઓએ પણ ચાહ થી દૂર રહેવું જોઈએ. કારણકે એ ચાહની આડ અસરની ભોગ બની શકે છે.

                          મૂળમાં વસ્તુનો ઉપયોગ મર્યાદામાં થવો જોઈએ નહીતો એ શરીરને  નુકશાન પહોંચાડી શકે છે .વસ્તુ મર્યાદામાં ખરાબ હોતી નથી પણ એનો અતિશય ઉપભોગ માનવીને નુકસાન પહોંચાડી શકે છે.

                                       ****************************************** 

                                              

Sunday, January 7, 2024

 


ચિંતકોનું મનોમંથન 

                               ઘણા ચિંતકોએ વધતી જતી  વયના પ્રશ્નો પર હળવું હાસ્ય ઉત્પન્ન  કરેલું છે. માર્ક ટ્વેઇન  કહે છેકે 'જેમ મારી ઉંમર વધતી  જાય છે . તેમ  મને  નહિ બનેલી  વાતો યાદ આવે છે.'  એ એક વિચિત્ર વાત છે.  જ્યારે લિઓ રોસનબેર્ગ કહે છે વૃદ્ધાવસ્થામાં  પહેલા લોકોના નામની  વિસ્મૃતિ થાય છે. લોકોના ચહેરાઓ ભુલાઈ જાય છે. છેલ્લે તો પાટલૂનની  ઝીપ ઉતારવાની અને ચઢાવવાની  પણ વિસ્મૃતિ થાય છે. એક બીજા ચિંતક   સર નોર્મન   વિશદમ કહે છે. 'વૃદ્ધાવસ્થામાં  ત્રણ વસ્તુ બને છે. પહેલા તમારી યાદશક્તિ  ચાલી જાય છે અને બીજી બે સમસ્યા  યાદ નથી આવતી.


                              મૌરિસ કોલ્લી  બહુ સરસ રીતે વૃદ્ધાવસ્થા વિષે કહ્યું છે કે ' વૃધ્દ્ધાવસ્થા એટલી ખરાબ નથી જો તમે બીજી કોઈ પ્રવૃત્તિઓ વીશે  વિચારો.  એટલે કે વૃદ્ધ વયમાં  તમારી ઇન્દ્રિઓને પ્રવૃત્તિમય  રાખોતો તમારા  સ્વાથ્ય માટે પણ સારું રહે અને  સમય પણ સરળતાથી  પસાર  થાય.   માર્ક ટ્વેઇન  કહે છેકે ' જ્યારે તમારા મિત્રો કહેવા માંડે કે તમે બહુજ યુવાન દેખાવ છે ત્યારે તમારે સમજવુંકે  ' વૃદ્ધ અવસ્થા આવવાની એ  નિશાની છે.

                                          ^***************************************