Wednesday, April 10, 2024

 


દહીં 

                                              દૂધમાં મોળવણ  નાખવાથી  દહીં બને છે. જે ઉમુક પ્રમાણમાં અને યોગ્ય  વખતે ખાવાથી શરીર માટે ઉત્તમ છે.  એમાં કેલ્શિયમ. પ્રોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , મેગ્નેસિયમ , વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા તત્વો હોય છે જે શરીરની સ્વાસ્થ્ય  માટે ઉપયોગી હોય છે .

                                               દહીં ખાવાનો યોગ્ય સમય સવાર અને બપોરેનો છે.શિયાળામાં  અને ઉનાળામાં દહીં ખાવું આવકાર્ય છે. 

                                            તાજું દહીં શરીરના  મેટાબોલીઝમાં  સુધારો કરે છે.  રોગની સામે પ્રતિકાર કરવાની શક્તિ વધારે છે.   પેટના રોગને ઘટાડે છે.  બ્લડ પ્રેસર નિયમિત કરે છે અને હાંડકા મજબૂત કરે છે. ભૂખ વધારે છે અને ત્વચા સબંધિત સમસ્યાને દૂરકરે છે. તે ઉપરાંત દહીં શરીરના તાપમાનને  કાબુમાં રાખે છે અને   શરીરને ડી હાઇડ્રેશનથી પણ બચાવે છે.  પાચનશક્તિ વધારવામાં  દહીં મદદ રૂપ થાય છે.



                                            સૂર્યાસ્ત પછી દહીં  ન ખાવું જોઈએ . દહીં સાથે તળેલા પદાર્થો ને ખાવાથી પાચનશક્તિ મંદ પડે છે. એની સાથે લીધેલા ખાંટા પદાર્થો ગેસ,એસીડીટી , કબજિયાત , અપચો  જેવી બીમારી લાવી શકે છે. કેરી સાથે દહીં  ખાવાથી  કફ  ,ઉધરસ , અને  સાંધાના દુખાવાની સમસ્યા થઇ શકે છે.   તે ઉપરાંત ડેરી પ્રોડક્ટ સાથે દહીં ખાવાથી સોજાની સમસ્યા ઉભી થઇ શકે છે. 

                                          ટૂંકમાં  યોગ્ય સમયે  દહીંને  ખાવાથી ફાયદાકારક છે પરંતુ  જયારે એને અયોગ્ય પદાર્થો સાથે લેવામાં  આવે તો શારીરિક સમસ્યાઓ  ઉભી થઇ શકે છે.

                                           ********************************* 

No comments:

Post a Comment