Monday, July 19, 2021



  અફઘાનિસ્તાનની અવદશા 

                                                                 અફઘાનિસ્તાન સાથે ભારતના હજારો વર્ષોના સબંધ છે. મહાભારતની ગાંધારીનું અફઘાનિસ્તાન પિયર હતું અને દુશાશન ગાંધાર દેશનો રાજ કુમાર હતો . આજે પણ અફઘાનિસ્તાન એક પ્રાન્તનું નામ ગાંધાર છે. અફઘાનિસ્તાનમાં હિન્દૂ અને બુદ્ધ સંસ્કૃતિના અવશેષો છે. મધ્ય એશિયામાંથી મુસલમાન આક્રમણોએ અફઘાનિસ્તાનને  મુસ્લિમ રંગોથી ભરી દીધો અને એ ભારતીયતાથી અલગ કરી દીધી . તે છતાં ત્યાંની મુસ્લિમ પ્રજા ઉમદા, બહાદુર, વફાદારીમાં અજોડ છે. રવીન્દ્રનાથની પેલી વાર્તા 'કાબુલીવાલા' એક ઉમદા પઠાણની કહાની છે, જે આજે પણ વંચાય છે.

                                            અફઘાનિસ્તાન ડુંગરાળ પ્રદેશ છે એટલે એના પર  કબજો કરવો મુશ્કેલ છે. કબજો જમાવાય તો પણ એના પર કબજો જમાવી રાખવો મુશ્કેલ છે. આમ પણ  એની પ્રજા પણ લડાયક અને બહાદુર છે.  પહેલા રશિયાએ એના પર કબજો જમાવ્યો હતો . એક લાખથી વધારે સૈન્ય એમણે  ઉતાર્યું હતું . એ સામે પઠાણો સામે પડ્યા હતા. અમેરિકાને પણ રશિયાનો  કબજો ખડકતો હતો. તાલિબાન નામનું  ધાર્મિક પઠાણોનું એક  સંઘઠન  પાકિસ્તાનની મદદથી ઉભું કરી રશિયા સામે મોરચો ઉભો કરી દીધો. આમ પણ પાકિસ્તાન અફઘાનિસ્તાનનું  સારું ભાઈબંધ રહ્યું નથી.  તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં એવું યુદ્ધ  આદર્યું કે રશિયા અફઘાનિસ્તાનના  ડુંગરોમાં   ખોવાઈ ગયું.  રશિયા એ આખરે બિસ્તરા પોટલા બાંધીને અફઘાનિસ્તાનમાંથી  નીકળી જવાની ફરજ પડી. તાલિબાનોએ  અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો અને ઇસ્લામિક રાજ્ય સ્થાપી દીધું .ઇસ્લામિક આંતકવાદીઓએ પણ અફઘાનિસ્તાનમાં આશરો મળવા લાગ્યો . એમાં ઉસ્માન બિન લાદેને પણ અફઘાનિસ્તાનમાં 'અલ કાયદા' નામની સંસ્થા દ્વારા ઇસ્લામિક આંતકવાદને પ્રોત્સાહન આપવા માંડ્યું . એમાંથી જ અમેરિકા પર હુમલો કરવાનું  કાવતરાનો જન્મ થયો. 



                                                  'વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ 'પરના આંતકવાદી હુમલાની યોજના અફઘાનિસ્તાન જ થઇ હતી અને એથી અમેરિકા તાલિબાનો પર હુમલો કર્યો અને અફઘાનિસ્તાનનો કબજો લીધો. એમાં અફઘાન પ્રજા અને એની સંપત્તિનો નાશ થયો . વિમાની હુમલાઓએ અફગાનિસ્તાનમાં તબાહી મચાવી દીધી. ત્યારથી અફઘાનિસ્તાનની દશા બેઠી છે. એક તરફ અમેરિકાએ અફઘાનિસ્તાનને લોકશાહી સરકાર આપી તો બીજી બાજુ તાલિબાનોએ  ગોરીલા યુદ્ધ ચાલુ રાખ્યું . એ આંતરિક યુદ્ધમાં અફઘાનિસ્તાનની અવદશા થઇ ગઈ છે. પાકિસ્તાન હજુ પણ તાલિબાનોને મદદ કરી રહ્યું છે. હવે અમેરિકા પણ અફઘાનિસ્તાનમાં  હાંફી ગયું છેઅને અફઘાનિસ્તાનમાંથી નીકળી જવા માટે તૈયારી કરી દીધી છે. તાલિબાનો સાથે અમેરિકા સાથે સંધિ કરી છે પણ તાલિબાનો એ સંધિને પાળશે કે નહિ એ મોટો પ્રશ્ન છે.



                                                આજે પણ તાલિબાનો અફઘાનિસ્તાનના  ૩/૪ વિસ્તાર પર કબજો ધરાવે છે. રાજધાની કાબુલ પણ  સલામત નથી એવી વિપરીત પરિસ્થિતિ  છે. એવા સંજોગોમાં ભારતે અફઘાનિસ્તાન માં મૈત્રી રૂપે રસ્તા , બંધ , સ્વાસ્થ , વગેરેમાં સારું એવું રોકાણ કર્યું છે. જે હવે જોખમમાં છે. અને હવે અફઘાનિસ્તાનની અવદશા બેઠી છે એમાંથી કેવી રીતે બહાર આવશે એ એક મોટી સમસ્યા છે. 

અફઘાનિસ્તાનની  ઉમદા પ્રજાને  વગર વાંકે  સહન કરી રહી છે.

                                 *************************************

Friday, July 16, 2021

  


આર્યોની વૈદિક સંસ્કૃતિનું મૂળ

                                                                     ભારતની વૈદિક  સંસ્કૃતિ આર્યોને આભારી છે. પરંતુ એમના  વિષે ઘણા વિવાદો ચાલે છે. કેટલાકનું માનવુંછે કે આર્યો મધ્ય એશિયામાંથી ઉતરી ઉત્તરમાંથી ભારતમાં આવ્યા હતા તો કેટલાક એ માનવાતૈયાર નથી અને માને છેકે આર્યો મૂળ ભારતના જ હતા.

                                              ભારતમાં  શ્યામ રંગના આદિવાસી મૂળની કેટલીએ જાતિઓ છે. તેઉપરાંત જેમ દક્ષિણ ભારતમાં જાવ તેમ લોકોની ચામડીઓ શ્યામ થતી જાય છે. જયારે ઉત્તર ભારતમાં બહુજન  લોકોની ચામડી ધોળી હોય છે. એથી ભારતમાં બહારથી આવેલા કેટલાક  લોકોની શક્યતા વધી જાય છે. ઇતિહાસકારોએ પણ એ બાબતમાં સારું એવું સંધોધન કર્યું છે એ પરથી લાગે છેકે આર્યો વૈદિક સંસ્કૃતિ સાથે બહારથી ભારતમાં આવ્યા હોય એવી શક્યતા વધી છે.



                                             વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ ૫૦૦૦ થી ૧૦૦૦૦વર્ષ જૂનો છે.  રૂસમાં થયેલા સંધોધન પ્રમાણે  આર્કેટિક મહાસાગરની દક્ષિણે અને રશિયાની ઉત્તરે  ઉરલ પર્વતમાળા આવેલી છે. જેના ૨૦૭૨ મીટર ઉંચા શિખરનું  નામ ' માઉન્ટ નારદ નાયા ' તરીકે ઓળખાય છે. એટલેકે નારદ મુનિના નામથી નારદ શિખર તરીકે ઓળખવામાં આવેછે. ૧૯૧૭ની રશિયન ક્રાંતિ વખતે એનું સમર્થન કરવામાં આવ્યું હતું. નારદ મુનિ વીણા સાથે સારી દુનિયામાં ફરતા રહેતા એ વાત પણ બહુ પ્રચલિત છે.

                                          સ્ટીફન્સ કાનાકે કરેલા ૨૦૦૭ ના સંધોધન પ્રમાણે દસમી સદીની ભગવાન વિષ્ણુની  પ્રતિમા પણ રશિયામાં મળી આવી છે. એ જે વિસ્તારમાં મળી આવી છે એ વિસ્તાર 'સરાયા મેના' તરીકે ઓળખાયછે જેનો ઋગ્વેદમાં ઉલ્લેખ છે.



                                               તે ઉપરાંત રશિયામાં જુનવાણી ચર્ચ  થતી વિધિઓ હિન્દૂ  મંદિરમાં થતી વિધિ જેવી જ હોય છે.રશિયામાં ભારતમાં ઉજવાતો હોળી જેવો જ  તહેવાર'મસ્લેનીત્સા' ઉજવાય છે.રશિયા અને ભારતની આંકડા ગણવાની પદ્ધતિમાં પણ સામ્યતા છે.

                                                  રશિયામાં' ગૂડબાય'  ને રશિયન  ભાષામાં  ' ડોસ વિદાયન્યા' કહે છે જેમાં વિદાય શબ્દ  સંસ્કૃતમાંથી આવેલો છે. રશિયાની નદીઓના નામો  વ્યાસ , કામા ,નારા,  મોક્ષા, શિવા વગેરે પણ સંસ્કૃત ભાષામાંથી જ આવ્યા હોય એવું જ લાગે છે. રશિયામાં શહેરના નામની પાછળ 'ગોરોડ' લગાડવામાં આવેછે તે ભારતના શહેરોને લગાડતા ગઢ શબ્દને મળતો આવે છે.

                                                  પુરાતન કાળમાં  વૈદિક સંસ્કૃતિ  ઉરલ પર્વત માળા અને વોલ્ગા નદીના પ્રદેશમાં વિક્સિત થઇ હતી એમ માનવામાં આવે છે . આથી ભારત રશિયાના સબંધો ૧૦૦૦૦ વર્ષો પુરાણા છે. ત્યાંથીજ આર્યો આખા જગતમાં ફેલાયા એટલેકે યુરોપ અને અન્ય જગાએ.  લેટિન ભાષાનું મૂળ પણ સંસ્કૃત છે એ પણ ઉપરની માન્યતાને નિશ્ચિત કરેછે. એ પણ સત્ય છેકે બધી યુરોપીઅન ભાષાઓનું મૂળ લેટિન ભાષામાં છે.  આથી જર્મન લોકો પણ માને છે કે ભારતને અને જર્મનીને  પુરાતન સાંસ્કૃતિક સબંધો છે. હિટલરે તો જર્મની  માટે ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક  પ્રતીક સ્વસ્તિકને  રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવ્યું હતું. 

                                                    આ બતાવે છે કે ભારતીય વૈદિક  સંસ્કુતિ દુનિયાની પુરાણી સંસ્કૃતિ છે. જેના મૂળિયા અને ડાળીઓ જગત ભરમાં પથરાયેલા છે.

                                    ************************************

 

                                                

      

Wednesday, July 7, 2021



 બ્રેઈન 

                                                                                બ્રેઈન (મગજ ) એ શરીરનું અગત્યનું અંગ છે. એમાંથી ઉદ્ધભવતા રોગો માનવીને  પાંગળા બનાવી દે છે. સ્ટ્રોક , અલ્ઝેમેઇર  જેવા રોગો મગજમાંથી જ ઉત્ત્પન થાય છે માટે મગજને તંદુરસ્ત રાખવું આવશ્યક છે.

                             એના માટે મગજને અમુક કસરતોની જરૂરિયાત હોય છે. જલ્દી ચાલવાથી શરીરમાં લોહીમાં વધુ ઓક્સિજન મળે છે અને મગજને વધુને વધુ શુદ્ધ લોહી મળે  છે. આથી યાદ શક્તિ વધે છે  અને મગજને તંદુરસ્ત બનાવે છે. 

                              જ્ઞાન ને માટે કોઈ પણ મર્યાદા નથી. જીવનમાં માણસ વધારેને વધારે જ્ઞાન મેળૅવતા રહેવું જોઈએ જેથી મગજ વધુ ત્રીવ  અને તંદુરસ્ત રહે. જેટલું મગજનો વધારે ઉપયોગ કરો તેટલા  શરીરના બીજા અંગો  વધારે કાર્યક્ષમ બને   છે. માનસિક રમતો , વાંચન , વગેરે મગજને વધારે તંદુરસ્ત અને કાર્યક્ષમ બનાવે છે.એ દ્રષ્ટિએ લેખન પ્રવૃત્તિ પણ પણ એમાં ઉપયોગી થઇ શકે છે. મધુર સંગીત  ઘણીવાર મગજને રાહત પહોંચાડે છે. ટૂંકમાં મગજને અને શરીરને સારું રાખવા માટે સકારત્મક પ્રવૃત્તિઓ જરૂરી છે.



                               માનવી એ સામાજિક પ્રાણી છે એટલે  ઘાઢ સામાજિક સબંધો રાખવા પણ જરૂરીછે. સારા મિત્રો અને સામાજિક પ્રવૃત્તોમાં  તરબોળ રહેવાથી પણ મગજ એકટીવ રહે છે. લોકો સાથે સંપર્કમાં રહેવાથી મગજ દ્વારા બીજા શરીરના અંગોને પણ શક્તિ મળે છે. એકલતા એ માનવીનો મોટો દુશ્મન છે. એ માણસના મગજમાં  તણાવ, અરક્ષિતતાની  ભાવના, અને ડિપ્રેશન  લાવે છે જે મગજને નબળું બનાવે છે. એમાંથી કેટલીયે માંદગીઓ  ઉત્પન્ન થાય છે અને માનવીને મૃત્યુ તરફ દોરી જાય છે.

                               કેટલીયે બીમારીઓ માનસિક હોય છે જે બીમાર મગજના સંકેત આપે છે.  કેટલાએ દર્દો માનસિક હોય છે જેનું કોઈ નિવારણ નથી. આથી તંદુરસ્ત મગજ જ શરીરને સારું રાખે છે. તંદુરસ્ત મગજ જીવનમાં પ્રેમ, શક્તિ, સકારત્મકતા લાવે છે અને જીવનને આનંદમય બનાવે છે. એટલા માટે માનસિક તંદુરસ્તી જીવનમાં આવશ્યક છે.

                                                  ***************************