Sunday, August 18, 2013


રૂપિયાની તો દશા બેઠી છે

                                ૧૯૪૭મા રૂપિયો અત્યાર જેટલો નીર્બળ ન હ્તો. ઍ ડૉલર્સ જેટલો જ હ્તો. ત્યારે ભારતને માથે  આટલુ બધુ દેવુ પણ ન  હ્તુ. ભારતના બીજા વિશ્વ યુધ્ધ પેઠે ઇંગ્લેંડ પાસે પૈસા  નીકળતા હતા. ત્યારે રૂપિયાના આનાનુ પણ ચલણ હ્તુ. સામાન્ય લોકો ૧૨ આનામા આગલી  હરોળમા બેસી પિક્ચર પણ જોઈ શકતા હતા. રૂપિયાની દશા પંચવરર્ષીય યોજના શરૂ થઈ અને વિશ્વમાથી ભારતે જ્યારથી લોનો લેવા માંડી ત્યારથી શરૂ થઈ છે.
                            ૧૯૪૮મા ૪.૭૯ રૂપિયા ૧ ડૉલર બરાબર હતી. ઍ મૂલ્ય ૧૯૬૬ સુધી ચાલુ હતુ.
૧૯૬૭મા રૂપિયાનુ અવમૂલ્યન થયુ અને ઍ ની કીમત ડૉલર સામે૭.૫૭ જેટલી થઈ. ત્યાર બાદ ૧૯૭૫ ઍનુ અવમુલ્યન ૮.૩૯ થયુ. ૧૯૮૫ ડૉલર સામે ઍનુ મૂલ્ય ૧૨ રૂપિયા હતુ. ૧૯૯૧મા  ૧૭.૯૦ રૂપિયા અને ૧૯૯૩ મા ડૉલર સામે રૂપિયો ૩૧.૩૭ પર જઈને બેઠો. આમ રૂપિયાની અવદશા  શરૂ થઈ અને રૂપિયો ૨૦૦૧ થી ૨૦૧૦ વચમા આશરે ૪૫ સુધી નીચે ગયો. ઑગસ્ટ ૨૦૧૩ ઍ ૬૧.૮૦ સુધી નીચે ગયો છે.
                              ભારતીય નાંણા સ્થિતિ બગડતા  રૂપિયાની  પડતી શરૂ થઈ છે. ભારત સરકાર રૂપિયાના અવમુલ્યન અટકાવવા હવાતિયા મારી રહી છે કારણકે ઍના થકી ભારતીય નિકાસને ભયંકર નુકશાન થઈ રહ્યુ છે.  ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થઈ રહ્યુ છે.
                               રૂપિયાને બચાવવા ભારત સરકારે સોના /ચાંદી જેવી ધાતુઑ પર જકાત વધારી દીધી છે. ઘરોમા પડેલા સોનાના જથ્થા ને બહાર લાવવા માટે ગોલ્ડ બોન્ડ લાવવાનુ વિચારી રહી છે. પરદેશી ચલણની ડીપોજીટો પરના ઇંટ્રેસ્ટ રેટ વધારવાની બૅંકો ને પરવાનગી પણ આપી છે. આ બધા રૂપિયાના વધુ અવમુલ્યન રોકવામાટે છે. ટુંકમા ભારતનુ અર્થતંત્ર નાજુક સ્થિતિમાથી પસાર થઈ રહ્યુ છે. જો સખત પગલા નહી લેવાય તો નાણાકીય સ્થિતિ વધુ નાજુક થવાની સંભાવના છે.
                                      *************************************

Wednesday, August 14, 2013



શારીરિક  સ્વાસ્થ્ય

                                         પેરાલિસિસનેથી બચવાના ઉપાયો- હાર્વર્ડ મેડિકલ સ્કૂલ
                                           -------------------------------------------------------
૧)ડોક્ટોરના સૂચન મુજબ તમારુ વજન કાબૂમા રાખો.
૨) દારૂ પીતા હો તો ઍનૂ પ્રમાણ ઓછુ કેરી નાખો. પુરુષો માટે દિવસના બે વાર અને સ્ત્રીઓ માટે ઍક વાર દારૂ પીવો યોગ્ય રહેશે. તે પણ ૧.૫ ઔંસ થી વધુ  દારૂ  ઍક વારના ગ્લાસમા ન હોવો જ઼ોઈઍ.
૩)૫૧ વર્ષના અંદરના ઍ ૨૩૦૦ મિલીગ્રામ દિવસનુ અને ૫૧ વર્ષના ઉપરના ઍ ૧૫૦૦ મિલીગ્રામ દિવસના મીંઠુ ખાવુ જ યોગ્ય રહેશે. ડાયાબિટીસ, અને કિડ્ની જેવા રોગો માટે ઍ નિયમ વધારે લાગુ પડે છે.
૪)ચરબી, અને સુગરવાળા પદાર્થો થી દૂર રહેવુ. પરંતુ ફળો, લીલા શાકભાજી, મચ્છી,  કઠોર, વગેરે ખોરાક શરીર માટે સારા હોય છે.
૫) બેઠાળૂ જીવન ઘણીવાર પેરાલિસિસને નોતરે છે. થોડુ ચાલવાનુ રાખો અને તમારા ડૉક્ટર ના સૂચન મુજબ કસરત કરતા રહો.
                                      દરરોજની પ્રવૃતિમા  આવી વસ્તુઓનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
                                      -------------------------------------------------------------
-ઉભા ઉભા કામ કરવાની ટેવો સ્વાસ્થ્ય માટે સારી છે.
-ટી વી જોવામા ઑ છો સમય ગાળો. તેને બદલે વધારેને વધારે તમારી શારીરિક પ્રવૃતિ  થાય ઍવી પ્રવૃતિઓ વધારો.
-ઍક કલાકના આરામ બાદ ૧૦ મિનિટનુ હલન ચલણ જરૂરી છે.
- લાંબુ ચાલવા કરતા ખાધા પછી ટૂંક પ્રમાણમા ચાલવા થી સુગર ઓછી થાય છે.
-તમે લોકોની સાથે ચાલો તો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારુ છે. ઍ ની સાથે તમારા સામાજીક સબંધો પણ વધે છે.
                                                      સિનિયરો માટેના સૂચનો
                                                       ----------------------
-બદલતા સમય સાથે પગ મિલાવવા જરૂરી છે
-તમને ગમતી પ્રવૃતીઓમા ભાગ લેવો જરૂરી છે.
-મિત્રો સાથેનો સંપર્ક જાળવી રાખો
-ઉંઘ પુરી લેવી જરૂરી છે.
-પૂરતો ખોરાક  અને જરૂરી પ્રવાહી લેવુ પણ જરૂરી છે.
-તમને ગમતી કસરત કરવી જરૂરી છે.
-તમારા મગજને સતેજ રાખવા  નવી નવી વસ્તુઓ શીખવી જરૂરી છે.
                                 ********************************************