Saturday, November 18, 2023

 


મનોમંથન 

                                                               ચિંતા એ એવી વસ્તુ છે ઘણીવાર કાલ્પનિક હોય છે. અને એના પર માનવીનો કોઈ અંકુશ નથી. એથી જ ચિંતાને ચિતા સમાન ગણવામાં આવે છે.  ખોટી ચિંતા એ સમયનો વ્યર્થ છે. તે ઉપરાંત ઘણી વાર ચિંતા માનવીની તંદુરસ્તી પર અસર કરે છે અને માનવીની કામ કરવાની  શક્તિને વ્યય કરી નાખે છે. આથી ચિંતાથી દૂર રહેવાની જરૂર છે. 

                         એજ પ્રમાણે માનવીની ધન માટેની દોડ પણ ગાંડપણ છે. ધન માણસને ફક્ત થોડી સગવડો અપાવી શકે છે પરંતુ એ માનવીને સન્માન , સંસ્કૃતિ , પ્રેમ , અને ધીરજ  આપી શકતા નથી. એનાથી સંપૂર્ણ  શારીરિક  અને માનસિક તંદુરસ્તી  પણ  ઉપલબ્ધ થતી નથી. બીજા અર્થમાં ધન  હોવા છતાં ઘણા દાખલાઓ છે કે જેમાં ધનવાનો તેમના ધન ને  માણી શક્યા  નથી.

                        માનવીએ  હંમેશા એના વર્તમાનમાં જ રહેવું જોઈએ . ભૂતકાળમાં  જવાની થયેલી  ભૂલોને લીધે દર્દની  અનુભૂતિ થાય છે.  ભવિષ્યની યોજના  પણ ઘણી વાર વર્તમાનમાં ઘડી શકાય છે.  વર્તમાનના વિકટ પ્રશ્નોનો  સામનો  પણ વર્તમાનમાં રહેવાથી  વધારે  શક્તિ પૂર્વક કરી શકાય છે.  



                            માનવી સારા કર્મો કરે તો એને સારા પરિણામો મળે છે. તે ઉપરાંત જે લોકો  વિકટ સંજોગોનો  સામનો કરીને કદી પણ નિરાશ થતા નથી એવાને  જ સફળતા મળે છે. ટૂંકમાં  સારા કામો કરવાથી  હંમેશા સારા ફળો મળે  છે. 

                            જીવનમાં ક્રોધને કાબુમાં રાખવાની જરૂરત છે. કારણકે કે ક્રોધ તો થોડા વખતમાં ચાલી જશે પણ એ દરમ્યાન  બોલેલા શબ્દો  બીજાને જીવનભર  યાદ રહે છે અને એ તમારા દુશ્મન બનીને રહે છે. 



                              ઘણીવાર જયારે માનવી કુદરતનો પ્રકોપ  જુએછે ત્યારે એને ખાતરી થાય છે કે આ દુનિયામાં ઘણી વસ્તુઓ પર  એનો  કોઈ કાબુ નથી. અને એને પ્રશ્ન થાય છે કે એ કોણ છે? પરંતુ જયારે એ પ્રકોપ પસાર થઇ જાય છે અને બધું શાંત થઇ જાય છે એટલે  માનવીઓની એની અણસમજ પાછી જાગૃત  થઇ જાય છે અને એ કુદરતની છેડછાડ શરૂ કરી દે છે.  કુદરત પણ એના અપરાધને છોડતી નથી વારેઘડીએ પૃથ્વી પર  વિનાશ  નોતરે છે.   હવામાનનો બદલાવ પણ એનો જ એક દાખલો છે. કેટલી જગાએ અસહ્ય ગરમી અને કેટલી જગાએ અસહ્ય ઠંડી.  તેઉપરાંત  સર્વત્ર પૂર અને વાવાઝોડા એ પણ કુદરતી પ્રોકોપ જ છે.

                          આથી માનવી એ દરેક બાબતમાં યોગ્ય આત્મસંધોધન  કરવાની જરૂર છે.

                                                 ******************************************



                         

Wednesday, November 15, 2023



એલોન મસ્ક

                                                                       એલોન મસ્ક અમેરિકાના અબજોપતિ ધનવાન  અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ પણ છે. એમનામાં લક્ષ્મી અને કાબેલિયતનો સંગમ છે. તેઓ રોકેટ, ઇન્ટરનેટ , સ્પેસ, ઇલેક્ટ્રિક મોટરકાર, ઉદ્યોગમાં અને હવે સોશ્યિલ મીડિયામાં ટ્વિટરના પણ માલિક છે.

                       તેમની સોચ બહુજ અજીબ છે.  અને એમની સાહસિકતાની કોઈ સીમા નથી . ઘણા એમને વિચિત્ર માનવી તરીકે પણ ઓળખે છે  પરંતુ એવા માણસોજ દુનિયામાં કૈક નવું આપી જાય છે. તેઓની કલ્પના શક્તિ અજબની છે. તેઓ દુનિયામાં આવનારા ભવિષ્યને  પણ જોઈ શકે છે . આથી એમની ચાલ એ રીતે જ ચાલે છે. ટ્વિટરને ખરીદતી વખતે તેમણે વિચાર્યું હતું કે ટ્વિટર વિરોધી વિચારો પ્રત્યે  સહિષ્ણુ નથી એથી એમાં સુધારો લાવવો જરૂરી  છે. આથી એમણે ટ્વિટરના સ્ટાફ સહીત એનું નામ પણ બદલી નાખ્યું છે ( એનું નામ'  એક્સ ' રાખ્યું છે)

                      મસ્ક માને  છે કે જે લોકો એની વિચારધારાને વરેલા હોય અને વફાદાર હોય એવા માણસો સાથે જ કામ કરવું .  રશિયા અને યુક્રેઈનની લડાઈમાં  એમણે ઉક્રેઈંનને   ઈન્ટરનેટ કવર પુરુપાડી મદદ  પણ કરી છે.  ઘણા એમને વિચિત્ર વ્યક્તિ પણ કહે છે પરંતુ વિચિત્ર માણસો જ દુનિયામાં કૈક આપી જાય છે. અને વિચિત્ર માણસો જ બીજા કરતા કૈક જુદુંજ વિચારતા હોય છે ,એટલે બીજા સાથે મેળ કરી શકતા નથી.

                      મસ્કનું બાળપણ ઘણુંજ  મુશ્કેલ હતું.  એમને એમની માંએ ઉછેરેલા  હતા.   શાળામાં પણ એમને સહન કરવું પડ્યું હતું . એથી બહુજ મુસીબતોમાંથી તેઓ આગળ આવ્યા છે. મસ્કને 'આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં' બહુ  વિસ્વાસ  નથી કારણકે એ એમની અને માનવીય હોશિયારીને પડકાર રૂપ છે.

                           મસ્કએ  'ઓન લાઈન'  બેન્કિંગ સેક્ટરમાં પણ ફાળો આપ્યો છે જે આગળ જતા ' પે પાલ ' તરીકે ઓળખાય છે. આજ બતાવે છકે  મસ્ક  કોઈ પણ ઉદ્યોગમાં કયારે પણ દાખલ થઇ શકે છે. એજ એમની કાબિલિયતનો નમૂનો છે.

                                         ********************************



                         

 




























Thursday, November 9, 2023



 દારૂનું દુષણ 

                                                        દરેક વસ્તુના  ગુણ અને અવગુણ એના ઉપયોગ કરનાર પર આધાર રાખે છે.દારૂપણ એના ઉપયોગ અને ઉપભોક્તાઓના અનાચારને કારણે વધારે બદનામ થઇ ગયો છે. એનો ઉપયોગ નિયમનમાં કરવામાં આવે તો માનવ સમાજને દવા તરીકે ઉપયોગી થઇ શકે છે.  એક પ્રખ્યાત લેખકે લખ્યું છે કે' થોડો દારૂ પીવાથી કઈ  લાભ થતો હોય તો એ નુકશાન કારક નથી'.  મૂળમાં લાગણીશીલ, નશાકારી  અને વધારે તંગ રહેતા માણસોના એના વધારે પડતા સેવનથી પણ દારૂ વધારે બદનામ થયો છે. ગરીબો માટે તો એમની કારમી આપવીતીઓને કારણે દારૂને શરણે જવું પડે છે. જયારે ધનવાનો માટે દારૂઘણીવાર સમય પસાર કરવાનું કારણ બની જાય છે.  ગરીબો માટે  એના કુટુંબો માટે  પીડાનું સાધન બની જાય છે. જયારે ધનવાનો માટે ઘણીવાર  એમની સમૃદ્ધિના નાશનું પણ કારણ બની જાય છે. મૂળમાં અધિક અને વધારે માત્રામાં એનો ઉપયોગ માણસ અનેસમાજ માટે  શાપ રૂપ બની જાય છે.

                                           ગાંધીજીથી માંડીને બધા વ્યહવારું  અને બુદ્ધિશાળી  માણસો દારૂ અને એના દુષણોને લીધે એનો વિરોધ કરતા રહ્યા છે. અમેરિકા અને રશિયા જેવા દેશો પણ દારૂ નિયમનનો પ્રયોગ  કરી ચુક્યા છે.પરંતુ લોકોના અસહકારને લીધે એમને નિષફળતા મળી હતી. રશિયાના એક વખતના સરમુખત્યાર  ક્રુશ્ચોવ   ભારતને પ્રવાસે આવ્યા  હતા તે વખતે તે વખતના મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજીભાઈએ એમના હાથમાં એક પરમિટ પધરાવી દીધી હતી કારણકે મુંબઈ રાજ્યમાં દારૂબંધી હતી. એમનો ઉદ્દેશ પરદેશી મહેમાનને દારૂ વગર તકલીફ ન પડવી જોઈએ.  પરંતુ ક્રુશ્ચોવે એ પરમીટ પરત આપતા એમને અભિનંદન આપ્યા કહ્યું ' અમે બહુ પ્રયત્નો દારૂબંધી માટે રશિયામાં કર્યા છે પરંતુ નિષફળ નીવડ્યા છે. અહીએ દારૂબંધી  છે એ આનંદની વાત છે. હું આ રાજ્યમાં કાયદાનું પાલન કરીશ'.



                                             અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ કેટલાએ લોકો દારૂના વધુ સેવનથી મરી જાય છે. દારૂ પીને વાહનો ચલાવવાથી  અકસ્માતોમાં  મરી  જાય છે. અમેરિકામાં વર્ષે ૧૫૦૦૦૦ માણસો  દારૂના કારણે મરે છે. અને અમેરિકામાં દારૂ મૃત્યુનું  એ ચોથું મોટું કારણ બની ચૂક્યું છે. દારૂના વધુ સેવનને અટકાવવા કેટલીઓ  દવાઓ કાઢી છે પણ એની કોઈ અસર નથી.

                                            દારૂબંધીથી ગરીબોની ગરીબી દૂર થઇ છે એમ સરકારી આંકડાઓ  કહે છે. કારણકે દારૂ પાછળ વેડફાતા નાણાઓ સમાજ અને કુટુંબો માટે વપરાતા થયા છે.  ઘણા બુદ્ધિશાળીઓ અને ધનવાનો પણ દારૂબંધીના વિરોધી છે. એ લોકો માને છેકે કાયદાથી દારૂ પીતા લોકોને રોકી શકાય નહિ.  ધનવાનો પોતાના સાધનોને  કારણે ગમે ત્યાં જઈ,દારૂ પી શકે છે.  અને ગરીબોતો સસ્તો અને દેશી દારૂપીને ચલાવી લે છે. એમાં ઝેરી દારૂ પીવાથી સેંકડો ગરીબ માણસો મારી મરી  ચુક્યા છે. આથી લોકોના સહકાર વગર દારૂની બદીને દૂર કરવી મુશ્કેલ છે. એટલે ઘણા દેશોમાં દારૂબંધી  નિસ્ફળ નીવડી છે. એ  બદીની બાબતમાં સામાજિક અને શિક્ષણિક ઝુંબેશ  જરૂરી છે. ગાંધીજી ભારતની ગરીબીજોઈને અને એનું કારણ દારૂની બદીને પણ જણાવ્યું  હતું. એથી જ તેઓ ભારતમાં  દારૂબંધીનામોટા હિમાયતી હતા . પૂર્વ વડા પ્રધાન  મોરારજીભાઈ પણ દારૂબંધી મોટા હિમાયતી હતા કારણકે તેઓ માનતા હતા કે ગરીબી દૂર કરવામાં દારૂબંધી  મોટો ભાગ ભજવી શકે છે. દારૂબંધી બાદ રસ્તા પર દારૂના નશામાં  ઝુમતા લોકો ઓછા થઇ શકે  છે. અને કાયદાકીય પરિસ્થિતિમાં સુધારો થઇ શકે છે એ પણ એક સત્ય છે.

                                                     તે  છતાં દારૂની બદીને દૂર કરવા માટે લોકજાગૃતિ , લોકસહકાર , અને લોકોને શિક્ષિત કરવાની વધુ જરૂરી છે.

                                           ***************************