Wednesday, February 17, 2021

 


પ્રીતિ પટેલ - બ્રિટનના  ગૃહ પ્રધાન 

                                                     પ્રીતિ પટેલ  બ્રિટિશ રાજકારણની એક ચપળ નેતા છે. સતત સંગર્ષ અને વર્ષોની મહેનત પછી  એ આવા અગત્યના સ્થાન પાર પહોંચ્યા છે.  એ ગુજરાતી મૂળના છે પરંતુ એમના પિતા સુશીલભાઈ યુગાન્ડામાં  હોટેલના વ્યવસાવમાં હતા. યુગાન્ડાના સરમુખત્યાર  ઈદી અમીને  ૮૦૦૦૦જેટલા એશિયાવાસીઓને   યુગાંડામાંથી   હાંકી કાઢ્યા હતા. તે વખતે સુશીલભાઈ લંડનમાં  આવીને વસ્યા અને  ફરીથી ન્યૂઝ પેપર એજન્ટ તરીકે ધંધો વિકસાવ્યો.  સાથે સાથે કોફી શોપ પણ શરુ કરી અને  બ્રિટનમાં પ્રસ્થાપિત થયા .

                                                       પ્રીતિ પટેલ  રાજકારણના પાઠ એમના પિતા પાસે પણ અમુક અંશે શીખેલા છે. તેમણે રાજકારણના વિષય સાથે પોસ્ટ ગ્રજ્યુએશન કરેલું છે. ૧૭ વર્ષની વયથી બ્રિટનની કોંઝર્વેટીવ   પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ પાર્ટીનું  પ્રેસ /મીડિયા ખાતું સંભાળી એના  પ્રવકતા તરીકે કામ કરી ચૂકેલા છે. તેઓ તેમના પિતાની જેમ રાઈટ વિંગના પહેલેથી સમર્થક રહયા છે.તેઓ એકવાર નોટિંગહામમાંથી ચૂંટણી હારી ગયા હતા પરંતુલોકો સાથે સંપર્ક જાળવી રાખી અંતે 'વિચલ'ની  સીટ પરથી  સફળ નીવડ્યા હતા..

                                                         બ્રિટનના માજી વડા પ્રધાન ડેવિડ કેમરીનની કેબિનેટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ, રોજગાર ખાતું અનેપછી પરદેશ ખાતું પણ સંભાળતા હતા. બ્રિટિશ સરકારની પરવાનગી વગર ઈઝરાઈલ સરકાર સાથે   ખાનગી મિટિંગ કરવા માટે  એમનું રાજીનામુ માંગી લેવામાં આવ્યું હતું . આમ તે રાજકારણમાં હંમેશા વિવાસ્પદ રહયા છે. તેઓ યુરોપિયન યૂનિઓનમાંથી' બ્રિટને  નીકળી જવું જોઈએ 'એના  પ્રખર ટેકેદાર રહયા છે. આથી બોરિક  જોનસનના પ્રધાન મંડળમાં હોમ સેક્રેટરીનું સ્થાન પામ્યા હતા.

                                                              તેમણે  ૨૦૧૪ માં  ટેક સલાહકાર એલેક્ષ નાસ્ડેક સાથે લગ્ન કર્યા હતા અને હવે એમનો ફ્રેડી નામનો પુત્ર પણ છે. તેઓ સુંદર પ્રભાવશાળી  અંગ્રેજી બોલે છે . તેઓ બોલે છે ત્યારે  ગાલમાં ખાડા પડેછે. તેઓ  પુરી માહિતી સાથે  વિશ્વાસથી બોલે છે એજ એમની સફળતાનું રહસ્ય છે. તેઓ સુંદરતા સાથે બહુજ હોશિયાર રાજકારણી છે.

                                                                  જે બ્રિટેને ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું એજ બ્રિટનમાં એક ભારતીય મૂળની  દીકરી  બ્રિટનના પ્રધાન મંડળમાં બીજા સ્થાને બિરાજે છે . એ કોઈ નાની સુની વાત નથી . એના માટે દરેક ભારતીય ગર્વ લઇ શકે છે. 

                                   **************************************  

                                                              

Tuesday, February 9, 2021



લાબું અને સુખી જીવન

                                                                       આપણા ઋષિ મુનિઓ  વેદિક વખતે જીવનમાં સદીઓ ફટકારી જતા એવા દાખલાઓ છે. પરંતુ એમના જીવનનો અભિગમ બહુજ ઉચ્ચ કોટિનો હતો . એમનું જીવન નિયમિત,  સાદો અને શુદ્ધ ખોરાક, સતત લોકઉપયોગી જીવન ,  સાથે આધ્યાત્મિક જીવન પણ જીવતા. એમાંથી લોકોને પણ લાબું જીવવાની પ્રેરણા મળતી રહેતી. પરંતુ   ધીમે ધીમે એ બધું પ્રગતિમય જીવનને નામે છોડી દેવાયુંકે ભુલાય ગયું . એથી જીવનની દોરી પણ ઓછી થવા માંડી. તે છતાં આજે પણ જાપાન જેવા દેશો છે જ્યા ૧૦૦ વર્ષની વયના સેંકડો માણસો મળી આવે છે જેઓ તંદુરસ્ત , સુખી , લાબું જીવન જીવે છે .

                                    જાપાન બહુ નેનો દેશ છે પરંતુ આર્થિક રીતે દુનિયામાં બહુ  સધ્ધર દેશ છે. જાપાનમાં ઓકિનાવા શહેરમાં કેટલાએ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો તંદુરસ્ત, સુખી અને આનંદમય જીવન જીવે છે.  એને માટે એમનો સકારાત્મક જીવન જીવવાની કળા જવાબદાર છે.

                                      ઓકિનાવા શહેરમાં  દરેક ૧૦૦ નાગરિકોમાંથી ૨૪ નાગરિકો ૧૦૦ વર્ષથી વધુ વયના છે. તેઓની  લાંબી વયનું કારણ સીધું સાદું જીવન અને સાદો ખોરાક છે.  તેઓ હસમુખ જીવન જીવે છે અને મિત્રો  સાથે પ્રેમ અને લાગણીમય સબંધો સાથે આનંદમય જીવન વિતાવે છે . તેઓ વહેલી સવારે બહાર નીકળી જાયછે અને પુત્રો, સગા સબંધીઓ સાથે આનંદ માણે છે. જીવનમાં ચિંતાને દૂર રાખે છે જેથી એમના જીવનને અસર થતી નથી. પોતાની જાતને લોકસેવામાં પરોવી દે છે .



                                      તેઓ પોતાને આવડતું અને  ગમતું કામ કરતા રહે છે. તેઓ  સતત કાર્યશીલ રહે છે. માણસ નો ખાવામાં  પણ સંયમરાખી ૮૦% જેટલી જ ભૂખને સંતોષે છે. સાથે જરૂરી કસરતો પણ કરતા રહે છે. તેઓ માનસિક તણાવ રહે એવી પ્રવૃતિઓથી  દૂર રહે છે.  ધ્યાન  કરી  આધ્યાત્મિકતાનો વધારો કરે છે.  તેઓ   વધારેને વધારે કુદરતને માણી યુવાનીનો આનંદ માણે છે. કારણકે યુવાની અને વૃદ્ધાવસ્થામાં  બહુ ફરક નથી . એતો મનુષ્યની માનસીક સ્થિતિ છે.  નાની નાની વસ્તુઓનો ત્યાગ કરીને જ જીવનની દરેક પણ માણી શકાય છે. ટૂંકમાં વૃદ્ધાવસ્થા અને માણસની જીવનદોરી વચ્ચે મનુષ્યનો અભિગમ જ અગત્યનો ભાગ ભજવે છે.

                                     આથી જાપાનીસોની લાંબી વય તેમના જીવન પ્રત્યેના સાકરાત્મક અભિગમને જ આભારી છે . એને અપનાવીને  કોઈપણ લાબું, તંદુરસ્ત અને આનંદમય જીવન વિતાવી શકે છે.

                               **************************************  

                                          

Monday, February 1, 2021




આદર્શ નેતાઓ - લોકો માટે એક દ્રષ્ટાંત 

                                                                         ઉત્તમ નેતાઓજ દુનિયામાં બદલાવ લાવી શકે છે.  ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮માં   એક શખ્સે  મહાત્મા ગાંધીને ગોળીઓથી વીંધી નાખ્યા હતા . એવીજ રીતે અબ્રાહમ લિંકનને પણ એક સભાગૃહમાં વીંધી નાખ્યા હતા. પરંતુ બંને નેતાઓએ એમની કારકિર્દીમાં અજબ બદલાવ  લાવ્યા હતા . મહાત્મા ગાંધીએ ભારતને આઝાદી અપાવી અને એમના  માર્ગ દુનિયાના બીજા પરાધીન  દેશોને પણ આઝાદી માટે તૈયાર કર્યા અને તેમને પણ આઝાદી અપાવી. એમનું જીવન શુદ્ધ અને આદર્શમય હતું. લોક સેવા સિવાય એમને બીજો કોઈ ઉદ્દેશ ન હતો. 'મારું જીવન જ મારો સંદેશ છે'  દ્વારા એમણે કરોડો લોકોને સાદું, નીતિમય અને ધાર્મિક જીવન જીવતા શીખવ્યું . 



                                                          એવી જ રીતે અબ્રાહમ લીન્કને અમેરિકામાં ગુલામી પ્રથા દૂર કરી રંગભેદ ને નાબૂદ કર્યો.  એમણે એમના જીવનમાં અમુક સિદ્ધાંતોનું પાલન કરીને લોકોમાં દાખલા  બેસાડ્યા. એમના દીકરાને એની સ્કૂલમાં બીજા બધા વિદ્યાર્થીની જેમ જ  ગણવાની એના શિક્ષકોને તાકીદ કરી હતી.  એમનો  શિક્ષકને લખેલો એ  પત્ર  આજે પણ  ઇતિહાસિક  બની ગયો છે. તેઓ માનતા કે દરેકને 'સમાન માનવાના' બંધારણીય હક્કો છે. એમનું સાદું જીવન અને આદર્શમય સિદ્ધાંતો અમેરિકન લોકો માટે એક સંદેશ રૂપ બની ચુક્યા છે.



     


                                                   

 નેતાઓ સાદું અને સિદ્ધાંત પ્રેરિત જીવન સમાજમાં લોકોની દ્રષ્ટિમાં પણ બદલાવ લાવે છે. સ્વાર્થી અને નીતિ વગરના નેતાઓ સમાજમાં  દુરાચાર ફેલાવી શકે છે.  એથી નેતાઓના દુરાચારને લીધે જ આજે દુનિયામાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. લાલબહાદુર જેવા નેતાઓને આજે પણલોકો યાદ  કરે છે કારણકે એમણે એમના સાદા અને સ્વચ્છ જીવન દ્વારા લોકોમાં દાખલો બેસાડ્યો હતો. એમણે કાર ખરીદવા માટે બેંક પાસેથી લોન લીધી હતી.  ભારતના  વડા  પ્રધાન હોવા છતાં એમની પાસે કોઈપણ મૂડી ન હતો. તેઓ પ્રધાન હોવા છતાં પણ એની જાણ એમની માતાને  ન હતી કારણકે  તેઓ માનતા કે તેમની ' માં' ભૂલથી પણ એમના હોદ્દાનો ઉપયોગ ન કરે. એમનું જીવન જ લોકો માટે એક દ્રષ્ટાંત બની રહ્યુ  છે .  પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ એમની જે કઈ થોડી બચત એમના સરકારી આવકમાંથી મળી હતી તે કુટુંબ ને આપવાને બદલે  વિદ્યાપીઠને આપી દીધી હતી. એમને મળેલી નાની મોટી કિંમતી  ભેટો પણ લોકસંસ્થાઓને આપી દીધી હતી.  આજે તો કેટલાક નેતાઓએ રાજકારણને  એક આર્થિક ઉત્પાદનનો  ધંધો બનાવી દીધો છે જે લોકોને  ગલત સંદેશો આપે છે.



                                          અમેરિકન પ્રમુખ  ટ્રુમેન સામાન્ય કુટુંબમાંથી  આવતા હતા અને ધંધામાં પણ એમને સફળતા મળી ન હતી .  તે છતાં મહેનત અને ઈમાનદારીથી અમેરિકાના પ્રમુખના પદે પહોંચ્યા હતા.  બીજા વિશ્વ યુદ્ધનો અંત લાવી  શાંતિ સ્થાપવામાં એમનો મોટો ફાળો હતો.  એમણે અમેરિકાને યુદ્ધ દરમિયાન   બહાદુર નેતાગિરી  પુરી  પાડી  હતી.  પરંતુ એમનું જીવન સાદું અને પ્રામાણિક હતું.  વાઈટ હૉઉસ છોડ્યા પછી એમની પાસે રહેવાનું ઘર ન હતું એટલે એમણે એમના સાસુના ઘરમાં રહેવું પડ્યું હતું. નિવૃત્ત પ્રમુખને મળતું ૨૫૦૦૦ ડોલરના વાર્ષિક પેંશનમાંથી જ પોતાનું  જીવન વિતાવ્યું હતું. એ પહેલા પ્રમુખ હતા જેણે રાજ્ય તરફતી મળતા સ્વાસ્થ્ય લાભ' મેડિકેર' નો ઉપયોગ કર્યો હતો.  કેટલાએ પ્રમુખો એમના નિવૃત્તિ સમયમાં કરોડો ડોલરના માલિકો હોય છે.  ટૂંકમાં  'ટ્રુમેન વાઈટ હૉઉસમાં   કઈ પણ  લીધા વગર આવ્યા હતા ને કઈ પણ લીધા સિવાય સામાન્ય માણસની જેમ  ગયા હતા' . આજ એમના સ્વચ્છ  રાજકીય જીવનનો પુરાવો છે.  લોકો માટે અને રાજકારણીઓ માટે ઉમદા દ્રષ્ટાંત છે.

                                           આદર્શ  નેતાઓજ  સમાજમાં બદલાવ લાવી શકે છે.

                                       *********************************************