Friday, December 14, 2018


શાયરીની મહેફીલ
                                                                          શુન્ય પાલનપુરી કહે છે-
'કદમ અસ્થિર હો જેના કદી રસ્તો નથી જડતો
અડગ મનના  મુસાફરને હિમાલય પણ નથી નડતો'

'મોતની તાકાત શી મારી શકે જિંદગી  તારો ઈસારો જોઇઍ
જેટલુ  ઉચે જવુ હો માનવી તેટલા ઉન્નત વિચારો  જોઇઍ'

'હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓનો પુકાર
જો  ઉષાને દર્પણે  તારા જીવન કેરો ચિતાર'

'પરિચય છે મંદિરોમા  દેવો મારો
અને મસ્જિદોમા ખુદા  ઓળખે  છે
નથી મારુ વ્યક્તિત્વ  છાનુ કોઈથી
તમારા પ્રતાપે  બધા ઓળખે છે'


                                                                           શાયર  મરીઝ  કહે છે-
'ઍવો કોઈ દિલદાર જગતમા નઝર આવે
આપી દે મદદ કિંતુ  ન લાચાર બનાવે'

'હમદર્દ બની જાય જરા સાથમા આવે
આ શુ કે બધા દૂરથી રસ્તા જ બતાવે'

'રડવાની જરૂરત પડે ત્યા  સૂકા નયન હો
ની હસતો રહુ ત્યાજ જ્યા હસવુ નહી આવે'



                                                                           શેખ આદમ આબુવાલા ઍ  મૃત્યુની બાબતમા સચોટ ક્હ્યુ છે-
'ન ગાતી હૈ  ગુનગુનાતી હૈ મૌત
મૌત જાબબી આતી હૈ
ચુપકેસે  ચલી આતી આતી હૈ'
                                                               
                                                                              ઍક અનામી શાયરે  કૃષ્ણ  ભક્તિમા લખ્યુ છે કે-                                                   
'અર્જુન થવુ નથી મારે
મને સુદામા જ રહેવા . દયો
જોઈને દ્વાર પર મને
ઍને ઉઘાડે પગલે  દોડવા દયો'

                                                             
                                                                  કેટલાક પરદેશમા રહેનારાઓને પોતાનો દેશની યાદ સતાવે છે, પરંતુ તેઓ પોતાને દેશ જઈ શકતા નથી ઍમની મથામણ માટે હરનીશ જાની લખે છે કે-

'આજે જશુ કાલે જઈશૂ ટેટ હવેતો  છોડો
કબર ખોદાઇ ગઈ છે  તમારી અમેરીકામા'

                                                                   બુઢાપા સાથે  જુવાનીનો મેળ પડતો  નથી. ઘણીવાર  જુવાનો બુઢાપાથી અંતર રાખે છે ત્યારે -

' આજે છે તે કાલે નથી
  ઍનો જવાની ને ક્યા ખ્યાલ છે
  વર્તમાનમા રાચતી જવાની
  ભવિષ્યને ભૂલી જાય છે'
                                                                 
                                           **********************************

Sunday, December 9, 2018


રતન ટાટા
                                                                                        રતન ટાટા 'ટાટા સામ્રાજ્યના' સર્વોચ્ચ હતા અને તેઓ ૨૦૧૨ ના ડિસેંબરમા નિવૃત્ત થયા હતા ઍમના આગેવાની નીચે ટાટા  ઉદ્યોગો ઍ સારી ઍવી પ્રગતિ કરેલી. ટાટાની છબી ઍમણે ઉજવળ રાખેલી. રતન ટાટા કોઈ પણ  સંજોગોમા ઍમના વેપાર ધંધામા નીતિ નીયમો જોડે સમાધાન કરતા  ન હતા. . ઍથી  વેપાર ધંધામા ઍમનુ નામ ઉચ્ચ કક્ષા ઍ રહયુ છે. જ્યા કુશળ નેતા હોય છે ત્યા પ્રગતી થતી જ રહે છે. આથી રતન ટાટા શુ વિચારે છૅ અને કેવુ જીવન વિતાવે છે ઍ જાણવુ આવશ્યક છે.
                                                                                       ઍક વાર  રતન ટાટાઍ નિવૃત થઈ સાઇરસ મિસ્ત્રીને ટાટાનુ સુકાન સોપ્યુ હતુ પરંતુ જ્યારે ઍમને લાગ્યુ કે બધુ બરાબર નથી ચાલતુ તો ફરીથી ઍને હાથમા લેતા વાર લાગી ન હ્તી. ઍવા રતન ટાટા સ્વાસ્થ્યને સાંભળવાનુ  ધ્યાન રાખતા જેથી સફળતા પૂર્વક  પોતાની ફરજ બજાવી શકાય. ઍમનુ કહેવુ  છેકે '  દરેકે ખોરાક દવાની જેમ જ ખાવુ નહીતો વખત આવે દાવાને ખોરાકની જેમ ખાવાનો સમય પણ આવી શકે છે'  ઍમનુ માનવુ છે કે સૂર્ય પ્રકાશ  માણસની તંદુરસ્તી વધારે છે. તે ઉપરાંત કસરત અને ખોરાકમા સંયમ શરીર સારુ રાખે છે.  સારા મિત્રો અને આત્મ વિસ્વાસ માણસ માટે ડૉક્ટરની ગરજ સારે છે.

                                                                                         કુદરત પણ કઈક સંદેશો આપતુ રહેતુ હોય છે જેમ કે ચાંદનીના સૌદર્યમા ભગવાનના દર્શન થાય છે. સુર્યમા ભગવાનની શક્તિના  દર્શન થાય છે. તે ઉપરાંત આરસામા ભગવાનની બનાવેલી વસ્તુના દર્શન થાય છે. ઍટલે દરેકે પોતાની જાતમા વિસ્વાસ કેળવવો જોઇઍ જે સફળતાની કેડી છે. તૅઓ માને છેકે'  માણસ હોવુ અને માણસ થવુ ઍમા ઘણો તફાવત છે.
                                                                                            તેમણે  ઍક મૂલ્યવાન મંત્ર આપ્યો છે-  ' તમારે તેજ ગતિથી ચાલવુ  છે તો ઍકલા ચાલો પરંતુ  તમારે દૂર સુધી ચાલવુ છે તો લોકો સાથે ચાલવાનુ રાખો.' આજ ઍમની સફળતાનો રાઝ છે.
                                                 ****************************

Tuesday, December 4, 2018


ઉત્તમ દેશભક્તિ
                                                                                   બીજા  વિશ્વ યુધ્ધનો સમય હતો. જર્મન ફોજો  યુરોપ ને રગદોળી રહી હતી. ફ્રાન્સના મોટા ભાગનો કબજો કરી લીધો હતો. જેના સામ્રાજ્યમા કદી સૂરજ ડૂબતો ન  હતી ઍવા બ્રિટનની સ્થિતિ પણ કફોડી હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ   જમીન, આકાશ, અને દરિયા પર લડી લેવાની વાત કરી બ્રિટિશ  નાગરિકોનો ઉત્ત્સાહ વધારવા પ્રયત્ન કરી રહયા હતા. ઍવા વખતે ફ્રાંસના ઍક સામાન્ય લશ્કરી  અમલદારે બ્રિટનના વડા  પ્રધાન વિન્સ્ટન  ચર્ચિલ પાસે આસરો આપવાની વિનંતી કરી.  ચર્ચિલને  ખાતરી આપીકે તે જર્મની સામેના યુધ્ધમા મદદ કરશે અને ફ્રાન્સને મુક્ત કરાવવા પણ પ્રયત્ન કરશે.  ચર્ચિલને ઍ  સામાન્ય  ફ્રેંચ  અમલદારમા  બહુ વિશ્વાસ ન  હતો પણ તે રાજકીય મુશ્કેલી ન ઉભી કરે ઍ શરતે બ્રિટનમા રહેવા પરવાનગી આપી.  ચર્ચિલ કદાચ ઍનો રાજકીય મહોરા તરીકે ઉપયોગ કરવા માંગતા હતા.
                                     ઍ ફ્રેંચ લશ્કરી અમલદારનુ નામ હતુ ' ચાલ્સ ડી ગોલ'. ડી ગૉલે હતાશ ફ્રેંચ નાગરિકો સાથે પારો ચઢાવતી મનની વાતો રેડીઓ દ્વારા કરવા માડી. ફ્રેંચ પ્રજાને  કહ્યુ  જેની પાસે હથિયારો હોય તેમણે જર્મન લશ્કર સામનો કરવો જોઇઍ. કોઈ પણ સંજોગોમા શરણાગતી સ્વીકારવી  નહિ.  હૂ તમારી સાથે છુ અને અહિઍ પણ  જર્મનો સામે લડવા માટે લશ્કર તૈયાર કરી રહયો છુ. આથી ફ્રેચોમા જર્મન લશ્કરનો સામનો  કરવા માટેનો ઉત્ત્સાહ વધતો ગયો. ડી . ગોલની લોકપ્રિયતા પણ ઍની સાથે વધતી જ ગઈ.

                                     ફ્રેંચ સંસ્થાનો જેમા કઠપુતળી સરકારો હ્તી ઍવા  ગેબન, કામરુન,  ફ્રેંચ કૉંગો, જેવા આફ્રિકી દેશો પર ડી ગોલે કબજો જમાવી દીધો. બે વર્ષમા  પરિસ્થિતિ બદલાતા ચાર્લ્સ ડી ગોલનુ કદ અને   શક્તિ વધી ગયા.  જર્મની પણ હારની નજદિક પહોચી ગયુ હતુ.  ૧૯૪૪મા  જર્મની હારી ગયુ ઍટલે  ડી ગોલ  ફ્રાંસ આવ્યા અને ફ્રાંસના હીરો બની ગયા.  ડી ગોલે ફ્રાંસનુ  આત્મસન્માન પાછુ અપાવ્યુ હતુ અને તેમનુ નામ નેપોલીયન કરતા પણ ઉચ્ચ કક્ષામા પહોચી ગયુ.
                                         તેઓ બે વાર ફ્રાન્સના પ્રમુખપદે રહયા અને ફ્રેંચ ઇતિહાસમા ઍમનુ નામ અમર થઈ  ગયુ. ચાર્લ્સ ડી ગોલનુ જીવન ઉચ્ચ દેશભક્તીનુ નમૂનો હતુ. ઍક સામાન્ય માણસ દેશભક્તીથી પોતાના દેશ માટે શુ કરી શકે ઍનો ઍક દાખલો છે.
                                    ****************************************

Wednesday, November 14, 2018


માયા ઍ સર્વ દૂષણોનૂ મૂળ
                                                                          દુનિયામા જે  સંગર્ષો, યુધ્ધો, ખુનામરકી, ખાના ખરાબી, વેરવૃત્તિ અને  ઇર્ષા જેવી ભયંકર પ્રવૃત્તિઓનુ મૂળ માનવીઓની માયામા છે.  કોઈને ધન સંપત્તિ, તો કોઈ સત્તા માટે કૃત્યો કરે છે.  કેટલાક પોતાની તિવ્ર માયાને  અહમ્ અને વેરવૃત્તિમા ફેરવી નાખે છે અને વિશ્વમા, સમાજમા અને કટૂંબમા વિનાશ નોતરે છે. માયા ઍ જીવનમા ઍક વ્યર્થ વસ્તુ છે જેમા કોઈ સ્થૂળતા નથી. આખરે તો ઍક્જ સત્ય છે કે મનુષ આ જગતમા ઍકલો રડતા રડતા આવે છે, અને ખાલી હાથે  સ્વજનોને રડતા મૂકીને જવુ પડે છે. વચલા સમયમા માયાનો ભોગ બને છે.  ઍટલા માટે  વિશ્વ વિજેતા સિકંદર ઍના મૃત્યુ સમયે નિરાશ હતો અને ઍની છેલ્લી યાત્રા દરમિયાન ઍના બે ખાલી હાથ જનાનાની બહાર રાખવામા આવ્યા હતા. લોકો જોઈ શકે કે ઍ ખાલી હાથે જઈ રહયો છે. ઍના આખા જીવન દરમિયાન માયામા આવી સત્તા માટે જુજમતો રહ્યો. ટુંકામા મૃત્યુ  બાદ ઍના સુકર્મો અને દુરચાર જ જીવંત રહે છે. માયાતો અદ્રશ્ય થઈ જાય છે. તે છતા માનવી માયાને વળગી રહે છે કારણકે  ઍ માનવા તૈયાર નથી કે  ' મૃત્યુ સત્ય છે'

                                                          સોનાના મૃગના મોહમા સીતા આવી જતા  રામ- રાવણનુ યુધ્ધ ઉભુ થયુ અને દ્રૌપદીની ઝેરી વેધક વાણીને લઈને મહાભારત ઉભુ થયુ.  પદ્માવતીના રૂપના મોહમા આવી  અલાઉદ્દિન ખીલજી ઍ મેવાડ સામે યુધ્ધ કર્યુ. સિધ્ધરાજ જૈસિહે રાણાક દેવી માટે રાખેંગારનો વધ કર્યો. આ બધી કોઈને કોઈ જાતના મોહ અને અંતે તો માયાની વાતો છે. પરીણામતો ખૂનામરકી જ હતુ.આથી જે માયાને વશ કરે ઍ જ સુખ અનુભવી શકે.

                                                              ઍટલા માટે માયાને  સમજી વશમા રાખવી જીવનમા આવશ્યક છે.  આથી-

જિંદગી તુ માયા તણી મહાજાળ છે
મૃગજળની જેમ  તારો ન કોઈ આધાર
સ્વજનો, મિત્રો, ભગિની અને ભાઈઓ
કાળા વાદળોમા સરકી જતી ચાંદની સમાન
મૃત્યુના આવતા સ્મશાન સુધીના સાથીદાર બધા
ઍકલો આવ્યો અને ઍકલો મૂકી જનાર સર્વદા.
તારા સુકરમો અને કુકરમો  યાદ કરશે તારી વિદાય બાદ
કારણ મૃત્યુ સત્ય છે ન માયા જાળ.
 ભારત દેસાઈ
                                                         *********************************

Saturday, November 3, 2018


મુસ્લિમોનુ  પવિત્ર ધામ -   સાઉદી અરેબિયા
                                                                                            મુસ્લિમ  ધર્મનો પાયો  સાઉદી અરેબીયામા થયો હતો. મક્કા અને . મદીના ઍ બે પવિત્ર શહેરો છે જેનો મુસ્લિમ ધર્મના સ્થાપક મહમ્મદ પૈગંબર સાથે સીધો સબંધ છે.  મુસ્લીમનો અર્થ અરેબિક્મા' ઍક જ ઈશ્વરમા માનનાર' ઍવો થાય છે. સાઉદી અરેબીયામા ૧.૮ બીલ્યન મુસ્લિમોના પવિત્ર સ્થળો આવેલા છે. આજે દુનિયામા મુસ્લિમો આસરે ૫૦ દેશોમા પથરાયેલા છે.
                                                                    આથી  ઈસ્લામના ઍટલેકે કુરાનના સખત નિયમોનુ સાઉદી અરેબીયામા પાલન કરવામા આવે છે.  ઍના ભંગ કરનારને સખત સજા કરવમાઆવે છે.  સાઉદી અરેબીયામા  લોકો માટે નીચેના કાયદાઓનુ અવલોકન કરવુ જરૂરી છે.
૧) દારુ પીવાની અને બનાવવાની સખત મનાઈ છે. કાયદો તોડનારને ફટકા મારવાની સજા થાય છે.
૨) હોમો સેક્ષુયલ માટે અહી મોતની સજા છે.
૩)  ખુન. ચોરી,  અને આડસબંધ માટે મોત સુધીની સજા હોય છે.
૪) મક્કા અન મદીના જેવા પવિત્ર શ  હેરોમા બિન મુસ્લિમ માટે પ્રવેશ બંધ છે.
૫)સ્રીઓના ફોટા લેવાની મનાઈ છે. અને પુરુષોના ફોટા માટે તેમની પરવાનગી લેવી જરૂરી છે.
૬)જમણા હાથને વસ્તુ લેવા માટે  અને હાથ મિલાવવા માટે પવિત્ર માનવામા આવે છે.
૭) ફાંસીની સજા માટે માથુ કાપી નાખવામા આવે છે. હવે તલવારોના અભાવને કારણે ફાંસીની સજા ગોળી મારીને પણ કરવામા આવે છે.
૮)કુટુંબ નિયોજનની અહિઍ મનાઈ છે.
 ૯) સ્ત્રીઓને ગાડી ચલાવવા દેવામા આ દેશ છેલ્લો છે. સ્ત્રીઓ બૅંક અકાઉંટ ન ખોલી શકે અને પ્રવાસ પણ ન કરી શકે. સ્ત્રીઓને નોકરી અને નોકરી માટે વડીલોની પરવાનગી લેવી પડે છે, સ્ત્રીઓને ૨૦૧૫મા જ મતાધિકાર આપવામા આવ્યો હતો.

                                                            તે ઉપરાંત સાઉદી અરેબિયાની કેટલીક બીજી બાજુ પણ જાણવા લાયક છે.
૧) અહિઍ ઓઈલ કરતા પાણી મોંઘુ છે.
૨) બે  પૈ ડા .પર ગાડી ચલાવવી અહીની જાણીતી રમત છે.
૩) સાઉદીઑ સામાન્ય રીતે ઉં ટનુ માંસ ખાય છે.
૪) મોટા ભાગની જમીન પર રણ  પથરાયેલ છે. ફક્ત ૨% જમીન જ સારી છે.  સમુદ્રના પાણીને પીવા લાયક બનાવી ઍનો ઉપયોગ પીવામા કરવામા આવે છે.
૫) સ્કૂલ અને આરોગ્ય સેવા અહિઍ મફત  આપવામા આવે છે.
૬) સાઉદી અરેબીયામા   રાજાશાહીની સ્થાપના ૧૯૩૨ મા થઈ હતી અને રાજ કુટુમ્બ પાસે અત્યારે ૧૪ ટ્રિલિયન જેટલી મિલકતો છે.
                                                              ઍનો વિસ્તાર  ૮૩ હજાર સ્ક્વેર માઈલ  છે અને ઍમા ચાર  જેટલી પુરાતન  અવશેષો આવેલા છે જેને યુનોસ્કો દ્વારા  હેરીટેજ  અવશેષો તરીકે માન્યતા  આપેલી છે.
                                        **********************************************

Friday, October 19, 2018


અલ્હાબાદથી  પ્રયાગરાજ
                                                                                થોડા વખત પહેલા જ ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન  આદિત્યનાથે જાહેરાત કરી છેકે 'અલ્હાબાદ' નુ નામ બદલીને તેનુ પ્રાચીન વૈદિક નામ પ્રયાગરાજ રાખવાનુ સરકારે નક્કી  કર્યુ છે. આઝાદી પછી શહેરોના નામો બદલવાના સિલસિલા ચાલુ છે. નામમા શુ છે ઍમ  શેકેસપિયરે કહેલુ છે. નામ 'પ્રયાગરાજ' રાખો અને ખુલ્લા મંડપમા ગુંડાઓ  છડેચૉક ગોળીઓ વર્ષાવતા હોય તો નામ બદલવાનો શો અર્થ? બોમ્બેનુ 'મુંબાઇ' થયુ, મદ્રાસનુ 'ચેન્નાઈ 'નામ થયુ ઍમા શુ ફરક પડ્યો? શહેરોના નામ બદલવાથી કઈ લોકો દેશભક્ત થોડા થઈ જવાના છે. ઘણીવાર ઍના માટે રાજકીય કારણો પણ હોય છે.
                                                                                ઍવુ પણ બને છેકે  શાસકને અનુકુળ હોય ઍવુ નામ શહેર આપવામા આવે છે. 'અલ્હાબાદનુ' નામ હિન્દુ પુરાણોમા 'પ્રયાગ' જ હતુ. ઋગ્વેદમા ઍ શહેરને ઘણુ જ પવિત્ર માનવામા આવેલુ છે કારણકે ઍ  ગંગા, જમૂના અને આલોપ થઈ ગયેલી સરસ્વતી નદીઓનુ સંગમ સ્થાન છે.  કહેવાય છેકે શિવ અન પાર્વતીના પુત્ર 'યયાતી' અહી રાજ કરતા  હતા. ઋગ્વેદમા ઍ 'સપ્તસીંધુ પ્રદેશ' તરીકે જાણીતો હતો. કુંભ મેળો પણ અલ્હાબાદમા વખતો વખત યોજાય છે અને ઍમા  કરોડો યાત્રી ઑ/ સાધુઓ  ભેગા થાય છે.  ઍ પણ ઍક વિશ્વ વિક્રમ છે. 

                                     
                                                                                 મોગલ સમ્રાટ અકબરે ૧૫૭૫ પ્રયાગને ' ઇલ્લાહબેસ'  (ઍટલેકે 'ભગવાનનો વાસ} નામ આપ્યુ જે વખત જતા ' ઈલ્લહાબાદ'  થઈ ગયુ.   અંગ્રેજોઍ તેનો ઉચ્ચાર 'અલ્હાબાદ'કરી નાખ્યો.  ૬૪૪ ઍડીમા ચીની પ્રવાસી હ્યૂઍન સાંગે પ્રયાગમા ભરાતા પુરાણિક વાર્ષિક મેળાનો ઉલ્લેખ કરેલો છે. અકબરના દરબારના ઍક રત્ન અબુલ  ફઝલે અલ્હાબાદનો ઉલ્લેખ 'પિયાગ 'તરીકે કરેલો છે.
                                                                                આથી અલ્હાબાદ  પુરાણિક,અને પવિત્ર શહેર છે ઍમા કોઈ શંકા નથી. પ્રયાગ રાજ ઍની  પવિત્રતા જાળવી રાખશે ઍવી શુભેચ્છાઓ  સાથે.
                                                                         *******************************                            

Monday, October 15, 2018


દુનિયા પર આંતરરાષ્ટ્રીય કંપનીઓનુ વર્ચસ્વ
                                                                          દુનિયાના વેપાર પર થોડી  મોટી  કંપનીઓઍ  ઍમનુ વર્ચસ્વ જમાવેલુ છે.  મોટી કંપનીઑ નાની કંપનીઑને ગળી જાય છે જેમ મોટી માછલીઑ નાની  માછલીઑને ગળી જાય છે. ઍની પાછળ ઍમની મુરાદ ઍમના હરીફોને માર્કેટમાથી હટાવવા, અને બીજી  કંપનીઓના સારા માલને પચાવી પાડી માર્કેટમા ઍકહથ્થુ સર્વોપરીતા ભોગવવી. ઍને અટકાવવા માટે અમેરિકા જેવા સમૃધ્ધ દેશોથી માંડીને ભારત જેવા ઉપ્પર આવી રહેલા દેશોઍ પણ  સરકારી સંસ્થાઓ બનાવી છે જે મોટી અને મજબૂત કંપનીઑ પર નજર રાખે છે અને વેપારમા સ્પર્ધાંમકતા જાળવવા પ્રયત્ન કરે છે. જેથી લોકોને સસ્તો અને સારો માલ મળી રહે. તે છતા રાક્ષશી કંપનીઑ પોતાની નાણાકીય તાકાત અને રાજકીય સબંધો દ્વારા  પોતાની શક્તિ જમાવતી જ રહે છે.

                                                                          આનો પુરાવો ઍ કંપનીઑ ઍના અંકુશ નીચેની કંપનીઓની યાદી જોતા આવી જાય છે.  આથી ઍવુ લાગે છે દુનિયાનો મહત્વના વેપાર પર મોટી કંપનીઑ વર્ચસ્વ ધરાવે છે. ઍટલેકે ઍ કંપનીઑ જ દુનિયાના વેપાર પર અંકુશ ધરાવે છે. દાખલારૂપે નીચેની યાદી પરથી જોઈ શકાશે દુનિયાની  ૧૪ કંપનીઑ કેવી રીતે વેપાર પર અંકુશ ધરાવી રહી છે.


કંપનીનુ નામ                        વેપારિક પ્રવૃત્તિ                            કંપનીની માલિકી                                    -                                                                                                                                                                                                                                                                                                                                           ૧) નેસ્લે                            -પ્રોસેસ ફુડ      -  યૂરીના, ઍરો, કિટકેટ, મિલ્કિબાર, શ્રેડેડ વીટ, ગેરબેર, હોટપિકલ્લસ.   
૨)લોરેલ                           - કૉસમેટિક      -  ગાર્નિયર,બૉડી સોપ, મેય હેલીન, (૨૩% વૅપારનો હિસ્સો)
૩)કેલૉગ                          - પ્રોસેસ ફુડ     -   ઍગો, પ્રિઁગેલેસ,  ચિજ઼ૅયિટ્સ.
૪) ક્રાફ્ટસ                       - ચોકલેટ          -  ઓરેઓ, કૅડબરી
૫)પેપ્સી                           - પીણા, ફુડ      -   ચીટોસ,ટ્રોપિકા, વેજી માઇટ, ક્યોકર.
૬)લૉક હિડ માર્ટિન          -  શસ્ત્રો            -    ઇઝરાયેલ, જર્મની, ભારત જેવા દેશોમા ઍની ફેક્ટરીઑ છે.
૭) કાઉંટા કોમ્પ્યુટર         - કોમ્પ્યુટર        -  પડદા પાછળ અકુશ- જીપીઑસિસ્ટમ, ઍપલ, ડેલ,ઍચપી,સોની,ટૉસીબા.
૮)ફ્રાઈઝર                         - દવા              -ઍનઍચઍસ, સ્યુડૂલેડ.
૯) ઍબી ઈન્બેવ               -  દારૂ              -સ્ટેલા,કોરોના,આરટીઑસ, બુડીઓસર,  મોડેલો.
૧૦)ડિઝની                        -ફિલ્મ              - ઍબીસી, ઍસ્પાન, ઇતિહાસીક ચેનલ, માર્લેસ્સ, લુનાસ.
૧૧)ગુગલ                           -ઇંટર નેટ          -આલ્ફાબેટ,ઇન કૉર્પોરેશન, ફૉર્બ્સ, ગુગલ મૅપ, ઑટોમૅટિક કાર, યૂ ટ્યૂબ.
૧૨) પિયર્સન                      -પ્રકાશક             -હાર કોર્ટ, પ્રેંટિકા, હૉલ, પેંગ્વિન, અને સ્કૂલ પબ્લિકેશન્સ.
૧૩)મોનસેંટો                     -ખેતી પ્રૉડક્ટ      -  અગ્રિકલ્ચર ટેકનોલોજી, કૉર્ન, ટૂથપેસ્ટ.
૧૪) આઇસીબીસી           - નાણાકીય          -  પડદા પાછળ અંકુશ,- બૅંક ઓફ અમેરિકા,                                                                                                  સ્ટાન્ડર્ડ બૅંક, ટેક સ્ટીલ બૅ,બૅંક ઓફ ચાઇના.
                                                                                      આજ બતાવે છે કે દુનિયાની થોડી  મોટી કંપનીઑ સારા વિશ્વના વેપાર પર  રાજ કરી રહી છે.
                                               **************************************            

Thursday, October 11, 2018


શરીર સ્વાસ્થ્ય
                                                                                               આપણામા કહેવત  છેકે 'સુઃખી નર તે જાતે નર્યો'  ઍ ટલે કે સુખની ચાવી  દરેકની તંદુરસ્તીમા છે.  અને  તન્દુરસ્ત શરીરનો  આધાર દરેકની રહેણીકરણી પર આધારિત છે. આપણા વડીલો પણ કહેતા આવ્યા છે કે' જલ્દી સુવાની અને જલ્દી ઉઠવાની આદત શરીરને સ્વથ રાખે છે. ' આધુનિક  વિજ્ઞાન પણ હવે ઍનુ સમર્થન કરી રહયુ છે.
                                                                                               ગ્રામીય લોકો સામાન્ય રીતે તંદુરસ્ત હોય છે કારણકે  ઍ લોકો જલ્દી સુવે છે અને વહેલી સવારે  જાગી જાય છે.  હવે વિજ્ઞાન પણ કહે છે કે -
                                                                                             રાતના ૧૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી લોહીનુ  ભ્રમણ વધૂ કેન્દ્રિત માનવીના  લિવરમા થાય છે.  તે દરમિયાન શરીર ઍના કચરાને (ટૉક્સિકને) સાફ કરવાનુ કામ કરે છે. આથી ઍ સમય દરમિયાન માનવી ઍ સૂવુ  આવશ્યક છે. આથી  સારી તંદુરસ્તી માટે માનવીેઍ રાતના ૧૧ વાગ્યા પહેલા સૂવુ આવશ્યક છે.

                                                                                             રાતના ૩ વાગ્યા પછી અને ૫ વાગ્યા સુધી  લોહીનુ  ભ્રમણ વધારે ફેફસામા થતુ હોય છે. ઍ સમય દરમ્યાન કસરતો કરવાથી શરીરને લાભ થાય છે.
                                                                                           સવારના ૫ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી લોહીનુ  ભ્રમણ વધારે પેટમા થતુ હોય છે . આથી આ વખતે   ન્યુટ્રિયસ ખોરાક લેવાથી શરીર માટે ફાયદાકારક નીવડે છે. આથી સવારનો  નાસ્તો ઍ સમય દરમિયાન લેવો જોઇઍ.  આમ  જોઈ શકાય છે કે  શારીરિક વિજ્ઞાન પણ  'જલ્દી સૂવુ અને જલ્દી ઉઠવું ' ની પૃષ્ટિ કરે છે.
                                                                                           ઍક વાતતો સ્પષ્ટ છે કે જ્યારે કોઈ મોંડુ સુઇને મોંડુ ઉઠે છે ત્યારે ઍ બીજા દિવસે અત્યંત થાક અનુભવે છૅ પરંતુ જ્યારે જલ્દી સુઇને જલ્દી સવારના  જાગી જાય તો ઍ  સ્ફૂરતી અનુભવે છે. ઍની પાછળ શારીરિક અને વિજ્ઞનાનિક કારણ જ હોય છે. ઍથી સુખી અને તંદુરસ્ત જીવન જીવવા માટે સારી આદતો ઍકદમ આવશ્યક છે.
                                                           *********************************** 

Monday, September 17, 2018


કર્મનુ ફળ
                                                                                                 વિશ્વમા ઘણીવાર સારા કર્મ કરનારા અને સંસ્કારી માણસોને દુઃખી થતા જોઇઍ છે, અન નરસા માણસોને  મજા કરતા જ઼ોઈઍ છે ત્યારે  ભગવાનના ન્યાયમાથી વિશ્વાસ ઉડી જાય છે. ઍમા ચાણક્યે ક્હ્યુ છે કે'  સીધા ઉગેલા  છોડૉ પહેલા કપાય છે ઍટલે માણસે સીધા રહેવુ  સારુ નથી.'  આ વાક્ય સીધા માણસો માટે અગ્નિ મા ઘી હોમવા જેવુ છે કેમકે સારા માણસો ભગવાનના અન્યાય સામે દુભાયેલા હોય છે.  ઍક ગુજરાતી કવિ કરસનદાસ માણેક લખ્યુ છેકે-
મને સમજાતુ નથી કે આવુ શાને થાય છે
ફૂલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે
ઘર હીણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર
ને ગગન  ચુમ્બી મહેલો  જૂના સૂના રહી જાય છે
                                                            આમા કવિનો સકર્મિઑને થતા અન્યાય સામેનો વિરોધનુ પ્રતિબંબ પડે છે. પરંતુ સકર્મ સાથે ઘણીવાર દોષ પણ હોય છે. જેમકે મનુષ્યે  જીવવા માટે   શ્વાસ લેવાનુ આવશ્યક છે પરંતુ સાથે સાથે  જીવાણુઑ  શરીરમા જવાના અને મરવાના  પણ ખરા. ઍનો દોષ તો લાગવાનો જ  પણ ઍનાથી શ્વાસ લેવાનુ થોડુ બંધ કરાય.  તે છતા ઍ કર્મથી થતા દોષનુ ફળ બીજી રીતે ભોગવવુ  જ રહ્યુ. ગીતામા ક્હ્યુ છે કે' સારા કર્મની સાથે  દોષ હોય તો પણ છોડવુ ન જોઇઍ.'  ઍટલે સારા કર્મો કરનારાઓઍ  પણ ઍની સાથે દોષના ફળ  પણ ભોગવવા રહ્યા. આથી સારા માણસોને પણ સહન કરવુ પડે છે.  માહભારતના યુધ્ધમા ધર્મની સ્થાપના કરવા જતા  પાન્ડવોને પણ ઍમના ગુરુ  અને વડીલોને મારવાનો દોષ લેવો પડયો હતો અને ઍમને અત્યંત દુખ સહન કરવુ  પડ્યુ હતુ. આજ બતાવે છે કે સારા માણસો હમેશા સહન કરતા આવ્યા છે. ઍમા સકર્મ સાથે રહેલા દોષ કારણભુત હોય છે.
                                                              આથી આ બાબતમા ગીતા સ્પષ્ટ છે કે ' કે કર્મના ફળની આશા રાખ્યા વગર કર્મ કરે જાઓ. કર્મનુ ફળ શુભ, અશુભ કે  શુભાશુભ પણ હોય શકે. મુળમા સકર્મ કરનારની આશા જ સર્વ સંતાપનુ મૂળ છે. જેનો ઉલ્લેખ ઉપ્પર કવિતામા કવિેઍ કરેલ છે.
                                                                    **********************************

Wednesday, September 12, 2018


 દુનિયાનુ પવિત્રમા પવિત્ર શહેર જેરૂસલમ
                                                                                                                                 જેરૂસલમ ઍ દુનિયાનુ પવિત્ર અને ઘણુ પ્રાચીન શહેર છે.  ઍ આરબ પ્રદેશમા  જ્યુડિયન પર્વતમાળાઓની ખીણ પ્રદેશમા અને મેડીટરીયન સમુદ્ર અને ડેડ સમુદ્રની વચમા આવેલા પ્રદેશ પર વસેલુ શહેર છે. યહૂદિઓના પ્રદેશ  ઇઝરાયલની રચના ૧૯૪૮ મા થઈ ત્યાર બાદ ઍ શહેરને પૂર્વ અને  પશ્ચિમ શહેર ઍમ બે ભાગ કરવામા આવ્યા છે. ઍક ભાગ ઇઝરાયલના કબજામા છે જ્યારે બીજો ભાગ મુસ્લિમ આરબોના હાથમા ઍટ લેકે પેલેસ્ટિન ના હાથમા છે. ઍ બતાવે છેકે યહૂદીઓ અને મુસ્લિમો બન્ને ઍ શહેર પર દાવો કરે છે.
                                                                                                                                   યહુદિઓનુ પવિત્ર સ્થળ 'ટેંપલ માઉંટ' પણ આજ શહેર મા આવેલુ છે. મુસ્લિમોની પવિત્ર  મસ્જિદ 'અલ અક્સા' પણ ઍ શહેરમા જ આવેલી છે. તે ઉપરાંત ખ્રિસ્તીઓનુ પવિત્ર ચર્ચ  ' ચર્ચ ઓફ હોલી સેમસ્કર' આ શહેરમા આવેલુ છે.  આથી આ ત્રણે ધર્મો ઍ શહેર પર પોતાનુ આધિત્ય જમાવવા સક્રિય છે.  અમેરિકા ઍ તો ઍને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા પણ આપી દીધી છે. આથી આ શહેર સંગ ર્ષના દાવાનળ પર બેઠેલુ છે.

                                                                                                                                   
                                                                                                                                      યહુદિઓનુ ઍક આસ્થાનુ સ્થળ છે જ્યારે  મહમદ પૈગંબરે  સ્વર્ગીય આત્માઓ સાથે આ શહેરમા જ  ચર્ચાઓ કરી હતી.  'ઈસુ  ક્રાઇસ્ટ'ને આજ  શહેર મા ફાંસીને માચડે ચડાવી દેવામા આવ્યા હતા. આથી ત્રણે ધર્મો માટે આ શહેર તેમના ધર્મોનુ પવિત્રમા પવિત્ર શહેર બની રહયુ છે. ઈઝરાયલ અને પેલેસ્ટિનના યુધ્ધમા ઘણા લોકોનો સફાયો થઈ ગયો છે.  ધાર્મિક પ્રશ્નનો સમાધાન લાવવુ ઘણુ મુશ્કેલ છે. પરંતુ જેરૂસલમ દુનિયાના ત્રણ ધર્મોનુ પવિત્રમા પવિત્ર સ્થળ છે ઍમા કોઈ શંકા નથી. ઍ સ્થળ ત્રણ  'અબ્રાહમિક' ધર્મોના પવિત્ર સ્થળ તરીકે પણ ઓળખાય છે.  સંત 'અબ્રાહમને' ઍ બધા ધર્મોમા માનની દ્રષ્ટીથી જોવામા આવે છે.
                                            ***************************************                     

Wednesday, September 5, 2018


શિક્ષક દિવસ- ૫મી સપ્ટેંબર
                                                                                               પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્નનો આજે જન્મ દિવસ છે જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામા આવે છે.  શિક્ષકો સમાજ અને રાષ્ટ્ર ઘડતરમા જે મહત્વનો ભાગ ભજવે છે ઍનો ઍ દિવસે કદર કરવામા આવે છે.  વિશ્વમા કોઈ પણ સફળ વ્યક્તિની પાછ ળ ઍના શિક્ષકનો હાથ હોય છે.  શિક્ષક ઘણીવાર ઍના શીષ્યમા ચરિત્ર, સંસ્કાર, અને ઍના ધ્યેયનુ સિંચન કરે છે.
                                                                                                ચાણકય જેવા શિક્ષકે તો ઍના શિષ્ય  ચન્દ્રગુપ્તને ઍક મજબૂત સામ્રાજ્યનો સમ્રાટ બનાવી દીધો હતો.   .  વિશ્વ વિજેતાસિક્ન્દરે  કહ્યુ છે કે'   મહાન શિક્ષકઍના શિષ્યના જીવન  ચણતરમા  પ્રભાવિત  ભાગ ભજવે છે'. આધુનિક  ટર્કી ના નેતા  મુસ્ત્તફા ક્માલ   અટાટર્કઍ ક્હ્યુ છેકે ' સારો શિક્ષક મીણબત્તીની જેમ  પ્રકાશ ફેલાવા માટે  પોતાની જાતને વાપરી નાખે છે.'

                                                                                                    આધુનિક યુગમા જ્યારે શિક્ષણ નુ  વેપારીકરણ થઈ રહ્યુ છે ત્યારે આદર્શ શિક્ષક મેળવવા મુશ્કેલ થઈ રહયુ છે  શિક્ષણ નુ ધોરણ પણ નીચુ જઈ રહયુ છે ત્યારે સારા શિક્ષકો કોને કહેવા ઍવો પ્રશ્ન ઉદ્દભવે છે?  ત્યારે શિક્ષકો માટે થોડા આવા સામાન્ય નીયમો આવશ્યક છે.

૧) સારા શિક્ષકે વર્ગમા આવતા પહેલા  ઍમને આપવામા આવેલા વિષયમા તૈયારી કરીને આવવુ  આવશ્યક છે.
૨) શિક્ષક વર્ગમા  તથ્ય  વગર વિષય પર બોલેતો શીષ્યોમા અંધશ્રધ્ધા ઉભી થવાનો સંભવ છે.
૩)  શિક્ષકે ઍના શીષ્યોને ઍના પોતાના બાળકો જેવા જ માનવા જોઇઍ.
૪) વર્ગમા ઍક મિનિટ પણ  નકામી બાબતો વિષે ચર્ચા થાયતો શીક્ષકને . પશ્ચાતાપ થવો જોઇઍ.
૫)  શિષ્યની નિષ્ફળતામા શિક્ષકે પોતાની નિષ્ફળતા નિહાળવી જોઇઍ.
 ૬) શિષ્યની નિષ્ફળતાની  ચર્ચા ખાનગીમા ઍને  બોલાવી કરવી આવશ્યક છે પરંતુ શિષ્યની  સફળતાને લોકોમા વખાણવી   બહુજ અગત્યની વાત છે.
  ૭) પુસ્તકોમા આપેલા  જ્ઞાન  સાથે જીવન જીવવાનુ વાસ્તવિક જ્ઞાન પણ આપવુ જોઇઍ.
                                                                                                       આધુનિક જીવનમા આટલી બાબતો સારા શિક્ષકો ઘણી સહેલાઈથી કરી શકે છે.  ઍનાથી આજનો આપણો શીક્ષક દિવસ પણ સાર્થક બની રહેશે.
                                                             ******************************

Sunday, September 2, 2018


ભારતની બિમારી
                                                                                            ભારતમા સ્વતંત્રતા બાદ ઘણી પ્રગતી કરી છે પરંતુ ઍનો લાભ લોકોને મળ્યો નથી. ઍનુ કારણ છડેચૉક નીતિ નીયમો અન કાયદાઓના ચિંથરા ઉડાડવામા આવે છે.  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ કલામે ક્હ્યુ છેકે' ભારતીયો જે નીયમો  અને કાયદાઓપરદેશમા પાડે છે ઍના ચિંથરા ભારતમા ઉડાડે છે'.
                                                                                             ઍનુ કારણ કે ઍમને ભારતીય નીતિ નીયમો અને કાયદાઓનો ડર નથી.  તેઓ માને છેકે દેશના કાયદાઓનો ભંગ કરી શકે છે અને  પૈસા, લાગવગ, અને રાજકીય સબંધોના જોરથી ઍની સજામાથી બહાર નીકળી શકાય છે. કાયદાઓના જે ખુલ્લેખુલ્લા ભંગ થાય છે જેમા કેટલાક રાજકીય નેતાઓનો સહકારનો અભાવ છે. ઍક કહેવત છે 'જેવો રાજા ઍવી પ્રજા'. જો રાજકર્તાઓનો સહકાર ન હોય તો નિતિ નીયમો અને કાયદાઓનો અમલ કેવી રીતે થઈ શકે?
                                                                                               આ બાબતમા ઍક ઉંચ ભારતીય પોલીસ અધિકારીે ઍ પોતાની વેદના  થાલવી છે કે ' ઍમની નીચેના અધિકારીઓ પોતાની ફરજ પ્રામાણિકતાથી બજાવવાને બદલે સિસ્ટમને શરણે ચાલી જાય છે કારણકે ઍમાથિ ઍમને સ્વૈચ્છિક લાભ થાય છે '. આથી પ્રામાણિક અધિકારીઓને સહન કરવાનુ આવે છે.   જેમકે કોર્ટં નુ 'નોનબૈલેબલ'  વોરંટ પૂર્વ મુખ્ય મંત્રી સામે હોય તો પણ ધરપકડ કરવી મુશ્કેલ થઈ જાય છે.  કેટલાક રાજકીય નેતાઓને કાયદા વિરૂધ્ધ જેલમા વધારાની સગવડો આપવામા આવે છે. આનાથી લોકોમાથી કાયદામાથી વિસ્વાસ ઉતરી જાય છે અને પોલીસોમા પણ  કાયદાના અમલ કરાવવામા પણ સ્થગિતતા આવી જાય છે. ઍજ સ્થિતીનુ આજે ભારતમા નિર્માણ થયુ છે. અને નીતિ નીયમો અને કાયદાઓના લીરા ઉડી રહ્યા છે.
                                                                                                    કેટલાક પ્રામાણિક પોલીસ અધિકારી જો  કાયદાઓનો  અમલ કરાવવા જાય તો ઍમની બદલી કરવામા આવે છે અથવાતો ઍમને  બેઈજ્જતીનો દાવાનો કે કન્ટેમ્પ્ટ નોટીસ નો સામનો કરવો પડે  છે.  આથી કાયદાઓનો અમલ કરાવનાર વહીવટી સંસ્થાઓનુ નૈતિક ધોરણ બહુ જ નીચે ચાલી ગયુ છે અને લોકો સહન કરી રહ્યા છે. હવે તો દેશના ઉધ્ધાર માટે ઍ વિષમય  પરીસ્થિતિના નાશ થવાની રાહ ક્યા સુધી જોવાની?
                                                   *********************************** 

Tuesday, August 14, 2018


 કવિતામા સકારાત્મકતા-
                                                                   ઘણા લોકોને જે મળ્યુ હોય ઍમા સંતોષ નથી પરંતુ બીજા પાસે છે ઍ મારી પાસે નથી ઍનો અસંતોષ હોય છે.   ભગવાન પણ નટખટ છે જે મનુષ્યને  ગમે ઍ આપતો નથી પણ ઍ લાયક હોય અને ઍના હિતમા હોય ઍટલુ જ આપે છે.  આથી દરેકે  જીવનમા મળ્યુ હોય તેમા આનંદ અનુભવવો જોઇઍ. બધામા સારુ જોઈ અને અણગમતી વસ્તુને સ્વીકારી સકારાત્મકતા રાખવી આવશ્યક છે  ઍજ સુખી રહેવાનો સરળ રસ્તો છે.
                                                                       ઍક જગાઍ કવિઍ ક્હ્યુ છે કે ઍને જીવનમા સારી વસ્તુઓમા આનંદ માણી  ખરાબ વસ્તુઓને ભૂલી જઈને જીવનનો આનંદ માણવો છે અને ઍમાજ સુખનુ રહસ્ય સમાયેલુ છે.
આશાની પાંખે-
આશાની પાંખે જીવવુ છે મારે
 કલ્પનાને ખોળે ને શ્રધ્ધાની આંખે

પંખી બનીને  ઘુમુ આકાશે
માછલી બનીને વિહરુ હૂ સાગરે
જીવનના ગમને સાંભરવા ના મારે
ગમના બોજે મારે મરવુ નથી
આશાની પાંખે જીવવુ છે મારે

ઉંચા શીખરો પર બેસીને મારે
અવનિનુ સૌદર્ય  જોવુ છે મારે
કાળા ખડકોને  અવગણીને
લીલી હરીયાળીને નીચે જોવી છે મારે
આશાની પાંખે જીવવુ છે મારે.
ભારત દેસાઈ
                                                                       કવિતામા  કવિ આજુબાજુની ખરાબ વસ્તુઓને  જોઈ દુઃખી થવા કરતા ભગવાને રચેલી બધી સૌદર્યમય વસ્તુઓમાથી આનંદ લેવા માંગે છે.

                                                                           કેટલાકમા નકારત્મકતા  ભારોભાર ભરી હોય છે. ઍમા અમુક ગુણોની કે લાગણીઓની  ઉણપ હોય છે. જેમકે જેને દેશ માટે અભિમાન કે પછી દેશ ભક્તિ ન હોય તેને બધુ જ ખરાબ દેખાય છે અને પરદેશનુ બધુ જ ઉત્તમ દેખાય છે, જેમકે પરદેશના લોકો, પરદેશી ભાષા, પરદેશી રીતરીવાજ, પરદેશી વસ્તુઓ, અને ત્યાનુ કુદરતી સૌદર્ય. ઘણા તો પરદેશના જેવુ  કુદરતી સૌદર્યનો પોતાના દેશમા અભાવ બતાવી પણ ખામીઓ કાઢે છે.  ટુંકમા પોતાના દેશમા ખામીઓજ શોધ્યા કરે છે.  જ્યારે કેટલાક દેશ ભક્તો પોતાના દેશની ખામીઑ વિષે જાણે છે પરંતુ ઍની દરેક સારી વસ્તુઓથી પણ અજ્ઞાત નથી.  ઍક દેશપ્રેમી ઍના દેશને કેવી રીતે ચાહે છે ઍની વાત નીચેની કવિતામા કહે છે-

અહી ભવ્ય  ડુંગરમાળાઑ છે
નદીઓના વહેતા નિર્મળ નિર છે
પ્રભાતના સોનેરી કિરણો અહા

રૂપેરી ચાંદનીની અદભૂત મઝા
ખરેખર કુદરત છે આફરીન અહી

પણ વતનની માટીની મહેક ક્યા?
ફળફૂલોથી લચકતા બગીચાઓ  છે
પંખીઓના  મીઠા કલરવ પણ છે
મદ મસ્ત આબુહવા છે અહિઍ

પણ વતનની ખુશબૂભરી લહેરો ક્યા?
લીલીછમ જાજમોથી  છવાયેલી ખીણો છે
જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતર્યુ છે અહિઍ

પણ આપણા  દેશ જેવી માનવતા છે ક્યા?
ભારત દેસાઈ
                                                                                   આમાં કવિનો સકારાત્મક દેશપ્રેમનો ભાષ થાય છે.  નાની બાબતોને પણ કવિઍ સકારત્મક  રીતે ઉછાળી છે. આથી દરેક વસ્તુઓમા અવગુણ જોવા કરતા ઍમા સારી વસ્તુઓ જોઈ આનદ લેવામા જ આનંદ મળે છે.
                                                  ********************************

Thursday, August 9, 2018


અનામત નીતિ
                                                                                          અનામતની નીતિને સમજાવી જરૂરી અને ઍના મૂળિયા ક્યાથી આવ્યા ઍ સમજવુ પણ આવશ્યક છે.  અનામતની નીતીમા અન્યાયની ગંધ પણ આવે છે.  અનામતમા ગુણવત્તાને સ્થાન નથી. આથી ઍ અપ્રિય પણ છે. પરંતુ પછાત પ્રજાની અનામતની માંગ છે. હજારો  વર્ષોથી  અન્યાય અને શોષણ કરાતી જાતીઓની પણ માંગ છે.  ઍમા મતભેદ ઍના અમલની નીતિનો છે.
ઍમા રાજકારણ વિલનતાનો ભાગ ભજવી રહ્યુ છે.  શિક્ષણમા, નોકરીઓમા, બઢતિમા, અનામત દાખલ કરીને ગુણવત્તાનો દાટ  વાટી નાખવામા આવ્યો છે.  ડોક્ટરો,  ઍંજીનરિંગ,  વહીવટ જેવા  ધંધામા આનામત  સામાજીક હિતમા નથી ઍ તો દરેક સમજદાર વ્યક્તીઑ સમજી શકે છે જ્યારે ફક્ત હિત ધરાવનારા લોકોજ  ઍની સામે  આંખઆડા કાન કરે છે.

                                                                   ભારતમા ઍના બીજ અંગ્રેજી રાજે નાખેલા છે. ઍમા ઍમની ભાગલા પાડીને રાજ કરવાની નીતિ હતી. ભારતના ભાગલા હિન્દુ મુસ્લીમને  લડાવી કર્યા અને બીજા ભાગલા હિન્દુઓમા સવર્ણો અને પછાત/ દલિતોને લડાવીને કરવા હતા. ઍને માટે દલિતો અને પછાતો ને જુદા મતાધિકાર આપવાનો  હતો,  ગાંધીજીઍ ઍનો તીવ્ર વિરોધ નોંધાવી અપવાસ કર્યા અને દલિતોના નેતા ડૉક્ટર આંબેડકર સાથે વાત કરી સમાધાન કર્યુને ૧૦ વર્ષ  માટે અનામત આપવાનુ નક્કી  કર્યુ હતુ. તેનુ ભારતીય રાજકારણીઓેઍ પોતાના હીતમા હમેશને માટે દાખલ કરી દીધુ છે. હવે ઍ દૂષણ પણ બની ચુક્યુ છે.
                                                              યોગ્ય પછાતો/ દલિતોને ગુણવત્તા પ્રમાણે  સહાય કરવી આવશ્યક છે. નાણાકીય સહાય પણ આપી શકાય. પરંતુ બધી સહાય પછી ગુણવત્તા વગર શિક્ષણ, સરકારી નોકરીઓમા અને બઢતીઓમા અનામત પધ્ધતિ દાખલ કરવી ઍ સમાજ અને દેશને માટે નુકશાન રૂપ બની રહયુ છે.

                                                     દક્ષિણ આફ્રિકા જ્યારે સ્વતંત્ર થયુ ત્યારે ત્યાની આદિવાસી પ્રજા ભારતની પછાત અને દલિત જાતો જેવી જ  સ્થિતિમા હતી, ઍમની પણ અનામત માટે માંગણીઓ હતી જેને તેમના નેતા નેલ્સન માંડેલાઍ ઍમ કહીને નકારી કાઢી હતી કે " અનામત આખા દેશને નાશ કરવાને સમર્થ છે. ઍમાથી ઉભા થતા ધંધાદારીઓ જેવાકે
- ડોક્ટરોને હાથે દર્દીઓ  બેમોતે  મરશે.
- ઇંજિનેરોઍ  બાંધેલા મકાનો તૂટી પડશે.
- આર્થિક સલાહકારો  લોકોના પૈસાનુ સત્યાનાશ કરશે.
-  ધાર્મિક  નેતાઓ લોકોમાથી માણસાઈનો નાશ કરશે.
-  ન્યાયધીશો ન્યાયનો ઉપહાસ કરશે
- ટુંકમા શિક્ષણનુ પતન રાષ્ટ્રનો નાશ કરશે.
                                                                                   નેલ્સન માંડેલા આ અવતરણો' દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીના' પ્રવેશ દ્વાર પર ઍક તખતી દ્વારા ઉલ્લેખ કરવામા આવ્યો છે.  અનામત આર્થિક પરીસ્થિતિ અને ગુણવત્તા પર હોવી જોઇઍ નહી કે જાતી પર. અત્યારની ભારતીય અનામત પધ્ધતિ અન્યાયી,  જાતી વાદિ અને ગુણવત્તાથી પર છે. ઍ રાજકીય અને જાતી  દ્વારા શોષણ પર ઉભી થયેલી છે ઍમા શંકા નથી.
                                                             ************************************

Saturday, August 4, 2018


ગુલામી માનસ
                                                                              ૧૫૦ વર્ષના બ્રિટિશ શાસને  ભારતીયોના મગજમા ઍમની સંસ્કૃતી, અને ભાષા, વિષે લઘુતા ગ્રંથી ઉભી કરી છે. સત્તા, સંપતિવાન, અને ગુંડા તત્વો સામે ડરીને ચાલવાની વૃત્તિઓ ઉભી કરી છે.  પોતાની માતૃભાષામા ભુલ થાય તો ઍમને પડી નથી. પરંતુ અંગ્રેજિમા વોઝ અને' ઈઝની' ભુલ થાય તો મરવા જેવુ લાગે છે. પોતાના બાળકો અંગ્રેજી ફાકડુ બોલ ઍટલે ગર્વ અનુભવે પરંતુ પોતાની માતૃભાષા  લન્ગડાટી બોલેતો ઍની પરવાહ નથી. અંગ્રેજોે ઍ ભારતીયોના મગજમા ઉતારી દીધુ છે 'ચામડીથી માંડીને ઍમની ભાષા, વસ્તુઓ,ઍમના રીત રીવાજો, ભારતીયોના કરતા ઉત્તમ છે.
                                                                               આ અંગ્રેજોની કે અંગ્રેજી ભાષાની વિરૂધ્ધની વાત નથી  પરંતુ તમે જુઓતો ચીનાઓ, જાપાનીઑ, રૂસીઓ, જર્મનો અંગ્રેજી ભાષા સારી રીતે  જાણતા નથી તો પણ પ્રગતી કરી છે. તે ઉપરાંત ઍમને ઍમની ભાષા અને સંસ્કૃતી વિષે ગર્વ છે  અમેરીકન લોકો પોતાની અંગ્રેજી જ   બોલે છે. અને અંગ્રેજીના કેટલાક શબ્દોની સ્પેલિંગ પણ સરળ બનાવી દીધી છે. આજ બતાવે છેકે તેઓ ખરા અર્થમા સ્વતંત્ર છે. જ્યારે કેટલાક ભારતીયો હવે અંગ્રેજો કરતા પણ સારુ અંગ્રેજી બોલવાની ડન્ફાસ મારતા હોય છે. ઍ પણ ગુલામી માનસનો નમૂનો છે.

                                                                              ભારતમા કેટલાક  લોકો ઇંગ્લીશ રાજમા ગોરા લોકોની ખુશામત કરતા. સ્વતંત્રતા પછી નહેરૂ વંશની ચપલાશી કરતા અને પછી જે રાજકર્તાઓ આવ્યા ઍની  ખુશામત કરતા રહ્યા. આજે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા પાછળ પણ સત્તાની પાછળ કેટલી ખુશામત છે ઍનો નીવડો લાવવો મુશ્કેલ છે. આમા પણ ગુલામી માણસની જ ગંધ આવે છે.  ઍમા પણ રાજકીય મુલ્યાકનમા સમતોલતા હોવી જરૂરી છે નહીતો ઍ સત્તાની બંદગી બની રહે છે. ગુલામી માનસોવાળાઓ  પણ રાજકારણીઓને ગેરરસ્તે દોરી જાય છે.

                                     ભાષા, પહેવેશ, સંસ્કૃતિં,ચાલચલણમા પોતાની વસ્તુઓનુ ગર્વ ઍજ પ્રજાની મુક્ત માનસિક અવાસ્થાની નિશાનીઓ છે.  અંગ્રેજો ભારતની પ્રજા પર રાજ કરતા હતા અને  પ્રજાને ભયભીત કરવા માટે  પોલીસો અને લશ્કરના માણસોના કાફલો સાથે ફરતા, પરંતુ આપણા ગુલામી  માનસે ઍ પ્રથા આપણા જ માણસોને ડરાવવા સત્તાધારીઓેઍ ચાલુ રાખી છે. તમે અમેરીકામા જોશો તો  'વીઆઇપી ' ક્યારે પસાર થઈ જાય છે ઍની ખબર પણ પડતી નથી. સત્તા લોકોની સેવા માટે હોય છે, ભભકો બતાવી લોકોને ડરાવવા માટે હોતો નથી.ઍ સ્વતંત્ર અને મુક્ત માનસની નિશાનીઑ  છે. ઍવી રીતે સંપતીવાન માણસો પણ ઍમની સંપતીનુ પ્રદર્શન કરતા નથી.  ઍ કઈ લોકોને ડરાવવા માટેનુ સાધન નથી. જોકે ગુલામી માનસ ધરાવનારાઓ બીજાને ડરાવવા માટે સત્તા અને સંપત્તિ ઑનો ઉપયોગ કરતા હોય છે. જ્યા સુધી લોકો સત્તા અને સંપત્તીથી ડરતા રહેશે ત્યા સુધી ગુલામી માનસમાથી મુક્તિ મેળવવી મુશ્કેલ રહેશે.
                                     દરેક ધર્મ અને  પંથમા ઉણપો હોય છે ઍને સુધારવી જોઇઍ. તેને બદલે પોતાના ધર્મને ઉતારી પાડી પારકા ધર્મની પ્રસંસા કરવી ઍ પણ ગુલામી માનસનુ પ્રતિબિંબ જ હોય  છે.. આથી માણસોે પોતે ઍમની ગુલામી વૃત્તિમાથી બહાર આવવુ આવશ્યક છે. તોજ મુક્ત સ્વતંત્રતાનો આનદ માણી શકાય છે.
                                                    ********************* 

Monday, July 30, 2018


અનાવિલ
                                                                                            અનાવિલ  બ્રાહ્મણ જ્ઞાતિ ગુજરાતમા  વસ્તીના પ્રમાણમા ઘણી નાની છે. ઍમ કહેવાય છેકે તેઓનો દક્ષિણ ગુજરાતમા તાપી નદી અને વાપી શહેરની વચ્ચે વસવાટ હતો. અનાવિલોનો ૧૦૦૦ ઉપરના વર્ષોનો  ઇતીહાસ છે, જેને  રામના  યુગની સાથે સબંધ છે. આમતો અનાવિલ બ્રાહ્મણો  દક્ષિણ ગુજરાતના અનાવલ ગામથી જોડાયેલા છે.  અનાવલમા સુખલેશ્વર મહાદેવના મંદિર સાથે ઍમને ઘાડ સબંધ છે. અંબિકા નદીને અડીને આવેલુ  અનાવલ ગામ બહુ જ સુંદર સ્થળ છે.
                                                                           જોકે હવે તો વ્યયસાવને કારણે આખા ગુજરાતમા રહેતા થયા છે. દેસાઇ નામ ઍમના મૂળ વ્યયસાય સાથે સંકળાયેલો છે. ઇતિહાસીક પૂરાવા પ્રમાણે મોગલોઍ તેમને જમીન વેરો ઉઘારાવવા માટે હક્કો  આપેલા હતા. પરન્તુ  જેટલા ગામોમાથી વેરો ઉગરાવવાના હક્કો મળેલા તે  પ્રમાણે તેમની  સમૃધ્ધિ અને દરજ્જા જુદા જુદા હતા. આમ ગામોમાથી જમીન વેરો ઉઘારાવતા લોકો દેસાઈ કહેવાયા. મરાઠા વખતમા પણ ઍમના હક્કો ચાલુ રાખવામા આવ્યા હતા. મરાઠા અમલ દરમિયાન જમીન ટેક્ષ ઉગરાવવાના હક્કોનૂ લીલામી થતી, આથી દેસાઈઓનો પ્રભાવ વધ્યો. દેસાઈ અટક તમને પારસી, પટેલ, મુસ્લિમ, બ્રાહ્મણ વગેરે અનેક જ્ઞાતિમા જોવા મળશે.  અનાવિલોની સ્થિતિ ઘણી સારી રહેતી કારણકે ઍમને  વેરાઓની ઉઘરાણિમા સારો ઍવો હિસ્સો મળી રહેતો  અને સાથે સાથે લાગતા વળગતા ગામો પર ઍમનુ પ્રભુત્વ પણ રહેતુ. ટુંકમા અનાવીલોમા તમને ક્ષત્રીયોના ઍટલેકે  સામન્ત શાહીના ઘણા ગુણો અવગુણો જોવા મળશે. જેવા કે કેટલાક ગુણો વહીવટ નિપુણતા, પ્રામાણિકતા, આત્મ સન્માનની ભાવનાઓ  અને  સત્ય પ્રીયતા પરંતુ ઍની સાથે આવતા અવગુણોમા તોછડાઇ, મિથ્યા અભિમાન, અને અત્યંત નશો કરવાની આદતો સામાન્ય બની રહી. ઍમની આર્થિક પડતીમા ઍમના અવગુણો ઍમને માટે વધારે  અસહ્ય બની ગયા. ઍમા ઘણા કુટુમ્બો આર્થિક રીતે તબાહ પણ  થયા. તે છતા ઍમના ગુણોઍ  જ્ઞાતીમાથી ઘણાને ટોચ પર પણ મૂકી દીઘા છે. જેવા કે મહાદેવ દેસાઈ(મહાત્મા ગાંધીના સેક્રેટરી), ભુલાભાઇ દેસાઈ(પ્રખ્યાત  ધારાશાસ્ત્રી), મોરારજી દેસાઈ(ભારતનાપૂર્વ પ્રધાનમંત્રી), ખંડુભાઇ દેસાઈ(ભારતના પૂર્વ મજુર પ્રધાન), ધીરુભાઇ દેસાઈ,(સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ) અને ઍમ જે દેસાઈ (ફોરેન સેક્રેટરી) , ઝીણા ભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ- પ્રખ્યાત ગુજરાતી સાહિત્ય કાર),ઍમ ઍન દેસાઈ, (પૂર્વ કુલપતિ, ગુજરાત  યૂનિવર્સિટી) જેવા અગ્રગણ્ય  વ્યક્તિઓેઍ ભારતના રાજકારણમા, ન્યાયક્ષેત્રમા, સાહિત્ય, શિક્ષણ અને સિવિલ સર્વિસ ક્ષેત્રમા પણ સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. તે ઉપરાંત દેસાઈઓઍ  ઈન્સ્યુરૅન્સ,  બૅંકિંગ, રેલવે,  શિક્ષણ, અને વહીવટી ક્ષેત્રે પણ સારુ ઍવુ પ્રદાન કરેલુ છે.
                                                                           અંગ્રેજ  રાજે  ૧૮૦૦ મા ' રૅયેટ વારી' પ્રથા જમીન ટેક્સ ઉઘરાવવા માટે દાખલ કરી કારણ કે ઍમને વચલા માણસોને દૂર કરવા હતા.  અંગ્રેજ રાજે અગ્રગણ્ય અનાવિલ કુટુમ્બોની નોધણી કરી તેમને માસિક ભથ્થુ' દેસાઈગીરી ' આપવાનુ નક્કી કર્યુ. અને ઍનાથી અનાવિલોની આર્થિક પરિસ્થિતિને  ધક્કો લાગ્યો. ઍજ  'દેસાઈગીરીને '  ભારત સ્વતંત્ર થયા બાદ ૧૯૫૮ મા નાબૂદ કરવામા આવી.અનાવિલઓની આર્થિક પડતીના બીજા કારણો પણ ઘણા .છે.' વાંકડો' પ્રથા, ઉંચા દેસાઈઅને નીચા દેસાઈ જેવી માન્યતાઓ. નીચા દેસાઈઓ 'ભાટેલા' અને 'હાજીદ્રાસ' (હળથી ખેતી કરનારા) તરીકે ઓળખતા.  નીચા  દેસાઇઓને  ઉચ્ચ દેસાઇની  કન્યા માટે સારા ઍવા પૈસા વાકડા તરીકે આપવો પડતો. અને આ પ્રથા ઍ આગળ જતા સામાન્ય રિવાજ  સ્વરુપ ધારણ કરી લીધુ.  આ બધી પ્રથાઓઍ  અનાવિલોની આર્થિક પરિસ્થિતિ વિપરીત બનાવી મૂકી. તેમા ઉચા દેસાઈ કુટુમ્બો જેવાકે' પેઢીવાળા ', 'દરવાજાવાળાનો' દરજ્જો ઘણો ઉંચો  ગણાવવા લાગ્યો. 'પેઢીવાળા' કુટુમ્બો પાસે ઘણા ગામોના હક્કો હતા. અને તેઓ ઘણાસમૃધ્ધ હતા. બીજા 'દરવાજાવાળા' કુટુમ્બો પાસે અમુક ગામોના રક્ષણની પણ જવાબદારીઓ રહેતી. તેમની પાસે થોડી સત્તાઓ હતી આથી ઍ કુટુમ્બો પણ સમૃધ્ધ હતા.  પલસાણા, મહુવા, ગણ દેવા જેવા ગામો ઉચ્ચ  'પેઢીવાળા' દેસાઈ કુટુંબોના ગામો ગણાય છે, જ્યારે પુની, ઉંટડી ગામો 'દરવાજાવાળા' ઉચ્ચ દેસાઇ કુટુંબોના ગામો ગણાય છે.  તે ઉપરાંત વલસાડના મદનવાડ / દીક્ષિત મહોલ્લાના દેસાઇઓ અને ભદેલીના  દેસાઈ કુટુમ્બોની ગણતરી ઉચ્ચ દેસાઈઓમા થાય છે.
                                                                          દેસાઇઓની વસ્તી સુરત અને વાપીની વચમા મુખ્યત્વે ઓલપાડ, કામરેજ, ચોરાસી, પલસાણા, નવસારી, ગણદેવા, વલસાડ, હરિયા, ચણવઈ, ભદેલી, ઉંટડી, ચીખલી, ખરસા ડ, ઍરૂ, કાલિયાવાડી, મહુવા, બુહારી, વ્યારા, સુરભોણ, સંદલપૂર, વેસમા, પુની, મરોલી, પરુજણ, તલન્ગપોર, ડેલાડવા, કતારગામ, કોસ્મારા, વહાયૂ, દિહણ, દેસાઈપારીમા વધારે હતી.
અનાવિલ દેસાઈઓ આચક  બ્રાહ્મણો નથી પરંતુ  બ્રાહ્મણોંના નીતિ નીયમો પાડે છે. ઍક્જ 'પિંડ' અને 'ગોત્રમા' લગ્ન  કરવાની મના છે. 'પિંડ ' ઍટલે કે વરકન્યાના વડદાદામા પણ સગપણ હોય તો લગ્નની મનાઈ છે. અને ઍકજ 'ગોત્ર 'ઍટલેકે વરકન્યા ઍકજ કટૂંબના હોય તો ઍવા લગ્નની પણ મનાઈ છે. અનાવિલ કુટુંબોમા દરેક કુટુંબના 'ગોત્રો' ઋષિઓના નામોથી ઓળખાય છે.  ગોત્રોના નામો ગરગયા, વત્સસયના,કૌંદિન્યા, અગત્સ્ય, ભારદ્વાજ, ગૌતમ, કાશ્યપ, વશીસ્ટ, વિશ્વામિત્ર, કથાયના, લવના, ક્રિશ્નાત્રીસ,અને વલ્કિલ્ય જેવા છે. અનાવીલોમા' સાટા' પ્રથા લગ્નમા હતી.' સાટા' પ્રથામા બે કુટુમ્બો સામસામે પુત્ર અને પુત્રીને લગ્ન દ્વારા જોડતા. આ પ્રથા પાછળ આર્થિક કારણો પણ હતા.                                         
                                                                        પારડી પછીના દક્ષીણના ગામોના દેસાઈઓની ગણતરી નીચા દેસાઇઓમા થતી ઍટલે કે  'ભાટેલા' કહેવાય, અને. તેઓની અટક નાયક, વશી,  મહેતા જેવી  હોય છે.  ઉંચા અને નીચા દેસાઈની પ્રથાઍ દેસાઈઓમા અંતર વધારી દીધુ  અને લગ્નમા પણ હાડમારી વધારી દીધી હતી. અને ઍ પણ અનાવિલોની આર્થિક પડતીનુ મુખ્ય કારણ બની ગયુ. પરંતુ નાની ઍવી જ્ઞાતિઍ  ઍની ખુમારીને અને આવડત વડે સમાજમા પોતાનુ ઉચ્ચ સ્થાન જમાવી લીધુ છે.
                                                ********************************

Tuesday, July 24, 2018



શાયરીઓ



                                                                                                "લાગણીઓનો જમાનો નથી
                                                                                                 લોકો કેવા રમી જાય છે
                                                                                                 જેને પોતાના માન્યા જીંદગીભર
                                                                                                 ઍને બીજા ગમી જાય છે"




"ઘણુ દૂર જવુ પડે છે ફક્ત ઍ જોવા કે આપણી   નજદીક કોણ  છે?"


"દૂધ પાઇને ગમે તેવા  ઝેરી સાપને પાળીશકાય
પ્રેમ આપીને વાઘ સિંહની પાસે પણ ધાર્યુ કામ કરાવીશકાય
પરંતુ બધુ આપ્યા  છ્તા માણસને  વિશ્વાસમા ન લઇ શકાય"

" કશુ ન હોય ત્યારે આભાવ નડે છે.
   થોડુ હોય ત્યારે ભાવ નડે છે
   બધુ હોય ત્યારે સ્વભાવ નડે છે"

                     


  " આપવાની મજાહ શુ હોય છે ઍ જાણવા વૃક્ષ કે વાદળને મળી આવી ઍ"






 કદો કદી જીવનના અનુભવોમાથી શાયરોને શાયરીઓ મળી જાય છે. ઍને સાંભળવાની મજાહ આવી જાય છે.



                                          *******************************                           

Saturday, July 21, 2018


 ડ્રોન ટેક્નોલોજી
                                                                                                                ડ્રોન ઍટલેકે  હવામા ઉડતુ  માણસ વીનાનુ  ઈલક્ટ્રોનીક મશીન જેનુ સંચાલન જમીન પરથી /દૂરથી કરવામા આવે છે.  ઍનો ઉપયોગ ઍટલો વ્યાપક થઈ ગયો છેકે ૨૦૧૭,  ૩ મિલિયન ડ્રોન્સનુ દુનિયાભરમા  વેચાણ થયુ  છે.  ડ્રોનનો જન્મ આધુનિક ટેકનોલોજીમાથી જ થયો છે. ઍનો ઉપયોગ વાહન વ્યહવાર, લશ્કર,  વેપાર, અને રેડાર તરીકે પણ કેરી શકાય છે.
                                                                                   અફઘાનીસ્તાનમા આંતકવાદીઓને  શોધી ઍને મારવામા પણ ડ્રોન્સનો ઉપયોગ અમેરિકાઍ સારી રીતે કર્યો છે. ઍમા જાનહાની પણ ઘણી થોડી થાય છે. અમેરિકાઍ મોટા મોટા આંતકવાદી નેતાઓનો ખાતમો ડ્રોનો દ્વારા કર્યો છે.  ઍ બાબતમા અમેરિકાઍ ઍમ-૧ અને ઍમ-૯  ડ્રોન્સ બનાવ્યા છે જે  મીસ્સાઈલસ, અને ૫૦૦  રતલ વજનનો બોમ્બ પણ  ફેકી શકે છે. તે ઉપરાંત અમેરિકઍ ડ્રોન્સને નાથવા માટે  ઈલેક્ટ્રોનિક  જામર જેવા સાધનો પણ બનાવ્યા છે.

                                                                                    ડ્રોનનો ઉપયોગ  હૉલીવુડ ના ચિત્રોમા પણ કરવાંમા આવી રહ્યો છે.  ઍક જગ્યાથી બીજી જગ્યા ઍ તાકીદના વખતમા ખોરાક કે દવાઓ પહોચાડવામા પણ  ડ્રોનસ નો ઉપયોગ થવા  માંડ્યો છે.   ઍમોજોન જેવી મોટી કંપનીઓ ઍમનો માલ ઑર્ડર પ્રમાણે ઘરાકોને  પહોચાડવા માટે ડ્રોન્સના ઉપયોગ કરવાના પ્રયોગો કરી રહ્યા ચ્હે. ઍમાજો સફળતા મળી  જશે તો વેપાર ધંધામા ક્રાંતિકારી ફેરફારો આવી જશે.  મિલકતોના વેચાણના ધંધામા પણ ડ્રોન્સ દ્વારા  ઉપ્પરથી  ફોટાઓ લેવામા પણ ઉપયોગ થવા માંડ્યો છે. પર્વતોમા ભૂલા પડેલાકે પછી ખોવાઈ ગયેલાઓને શોધવામા પણ ડ્રોન્સ ઘણા ઉપયોગી થઈ રહ્યા છે.

                                                                                      નવાઈની વાતતોઍ છે કે  કેટલાક લોકો  ડ્રોનનો ઉપયોગ  પાઇલટ લેસ હવાઈ ટૅક્સી બનાવવા પાછળ પડ્યા છે.  ઍનો દુરૂપયોગ નસીલા પદાર્થોને પહોચાડવામા ઘણા અસામાજીક તત્વો કરી રહયા છે.
                                                                                        ડ્રોન ટેક્નોલોજી અસલામતી પણ ઉભી કરી રહી છે. ઍથી ઍના પર અંકુશ રાખવો આવશ્યક બન્યુ છે. આથી અમેરિકન સરકારે  ડ્રોનના રેજિસ્ટ્રેશન ની પધ્ધતિ દાખલ કરી છે જેથી ડ્રોન ટેક્નોલોજી પર અંકુશ ધરાવી શકાય.
.                                                  **************************************