Sunday, November 16, 2014



જમ્મૂ અને કાશ્મીરને લગતી કલમ ૩૭૦ શુ છે?
                                                                                                                                                            ૧)જમ્મૂ અને કાશ્મીર ના લોકો પાસે ડ્યૂયેલ નાગરિકતા છે અને જમ્મૂ કાશ્મીરનો ફ્લૅગ પણ જુદો છે.
૨)જમ્મૂ અને કાશ્મીરની ધારાસભાની મુદત ૬ વર્ષની છે જ્યારે ભારતના રાજ્યોની મુદત પાંચ વર્ષની હોય છે.
૩)ભારતના ફ્લૅગ કે કોઈ પણ રાસ્ટ્રિય ચિન્હોનુ અપમાન જમ્મૂ અને કાશ્મીર રાજ્યમા ગુનો બનતો નથી.
૪) ભારતની સુપ્રીમ કોર્ટ ના કોઈ પણ ચૂકાદાઓ જમ્મૂ અન કાશ્મીર રાજ્યમા લાગુ પડતા નથી.
૫)ભારતની પાર્લામેંટ મર્દાયિત ક્ષેત્રમા જ જમ્મૂ કાશ્મીર માટે કાયદાઓ બનાવી શકે છે.
૬) જમ્મૂ અને કાશ્મીર રાજ્યની સ્ત્રી ભારતના કોઈ નાગરિક સાથે  લગ્ન કરે તો ઍ જમ્મૂ અને કાશ્મીર રાજ્યની નાગરિકતા ગુમાવી દે છે પરંતુ જમ્મૂ અને કાશ્મીર રાજ્યની કોઈ સ્ત્રી પાકિસ્તાની સાથે લગ્ન કરે તો . ઍ પાકિસ્તાની નાગરિકને જમ્મૂ અને કાશ્મીર રાજ્યની નાગરિકતા મળી શકે છે.
૭) શેરિયત કાયદો જમ્મૂ અને કાશ્મીરની સ્ત્રીને લાગુ પડે છે.
૮) જમ્મૂ અને કાશ્મીર રાજ્યના બહારનો કોઈ પણ નાગરિક મિલકતની માલિકી જમ્મૂ અને કાશ્મીરમા ધરાવી શકે નહી.
૯) પંચાયત રાજ્યનુ જમ્મૂ અને કાશ્મીરમા અસ્તિત્વ નથી. લઘુમતી જેવીકે હિન્દુ અને શિખોને ૧૬% રિસરર્વેશન જમ્મૂ અને કાશ્મીરમા નથી.
૧૦) આર ટી આઇ, સી ઍ જી, આર ટી ઈ, અને કોઈ પણ ભારતીય કાયદાઓ જમ્મૂ અને કાશ્મીર રાજ્યમા લાગુ પડતા નથી.

                                         બીજી રીતે જોઈેતો જમ્મૂ અંને કાશ્મીર રાજ્ય ભારતમા સ્વતંત્રતા ધરાવતુ રાજ્ય બની રહ્યુ છે. આથી ૩૭૦ મી કલમ ચાલુ  રાખવી કે કાઢી નાખવી ઍ ભારતના લોકોે ઍ વીચારવાનો સમય આવી ગયો છે.
                                         *****************************************

Sunday, November 9, 2014


સ્થિતપ્રજ્ઞતા
                                                                                                                                                        માનવી ઈન્દ્રીઓની વિષય વાસનાને લીધે માયુષ થઈ જાઇ છે અને દુઃખી દુઃખી થઈ જાય છે. બધા દૂષણોના મુળમા પણ વાસનાઑ જ છે. ગીતામા કૃષ્ણ અર્જુનને કહે છેકે તારી વાસના અને માયાઍ તને નીર્બળ બંનાવી દીધો છે. આથી તૂ તારા કર્મમાથી વિચલિત થઈ ગયો છે.  અર્જુન બહુ જ દુઃખી હતો કારણકે તેણે ઍની ઈન્દ્રીયો પર કાબૂ ગુમાવી દીધો હતો.  તારી  ઈન્દ્રીઓજ તને મિથ્યા અભિમાન કરાવે છે કે તુ સામે ઉભેલા બધા શત્રુઓને મારી નાખવાનો છે. સત્ય તો ઍ છેકે ઍ મરેલા જ છે અને ઍમનુ મૃત્યુ નિસ્ચીત છે. તુ તો ફક્ત નિમિત માત્ર છે. આખરે કહે છે તુ સ્થિતપ્રજ્ઞ થઈ જા જેથી તારા બધા દુઃખો દૂર થઈ જશે.


                                      સ્થિતપ્રજ્ઞતા  સાગરની શાંતિમા છે કારણકે કેટલીેઓ નદીઓ ઍનામા આવી પડે છે પરંતુ ઍ સાગરને અશાંત કરી શકતી નથી. જેમ કેટલીઓ મુશીબતો યોગિની શાંતીને હણી શકતી નથી. સ્થિતપ્રજ્ઞતામા માનવી તોફાની નદીમા સ્થિર નાવ જેવી સ્થિતિ અનુભવે છે. જેવી રીતે વિચારોના વંટોળમા બુધ્ધિ સ્થિર રહે ઍ પણ સ્થિતપ્રજ્ઞતાનો ઍક દાખલો છે. જે અહંકાર, મમતા, વિકારને ત્યાગે ઍજ પરમ શાંતિ અને સુઃખ પામે છે.


                                       બધા જ દુઃખો અને સંતાપોના મુળમા માયા, જે ઈન્દ્રીઓને કાબુની બહાર દોરવી જાય છે. આથી નિરમોહિતા જ  સ્થિતપ્રજ્ઞતાનુ ઍક સ્વરુપ છે. માનવીઓ ઍ  દિશામા પ્રયત્નો કરતા રહે ઍમા જ ઍમનુ હિત છે. ઍજ ગીતાનો સાર છે.
                                  *******************************************. 

Tuesday, November 4, 2014


કાળુ નાણુ
                                                                                                                                                                 અત્યારે કાળા નાણા વિષે પાનાઓ ભરી ભરીને મીડિયામા સમાચારો આવતા રહે છે. લોકોને પણ કહેવામા આવ્યુ છેકે જે કરોડો રૂપીયા ગેરકાયદા પૂર્વક પરદેશોમા પડેલા તે દેશમા લાવવામા આવેતો દેશની ગરીબી હટાવવામા મદદ રૂપ થાય ઍમ છે. ૧૪૫૦ અબજ ડોલરનુ કાળુ નાણુ પરદેશમા પડેલુ છે ઍવુ અનુમાન કરવામા આવે છે. ગયી ચૂંટણીમા ઍ પ્રશ્નને રાજનેતાઓે દ્વારા પણ ચગાવવામા આવ્યો હતો. આથી લોકોની અપેક્ષાઓ પણ વધી ગઈ છે.
                          સરકાર પાસે જે નામો આવ્યા છે તે અમુક પ્રક્રિયાઓ પુરી કર્યા સિવાય બહાર પાડી શકાય ઍમ નથી. બિજુ જેના નામો ઍમા છે તેઓે ઍ કદાચ પૈસા ઉપાડી પણ લીધા હોય તો ઍમા કઈ નવાઈ નહી કારણ કે સરકારે હજુ સુધી ઍ ગેરકાયદેસર ખાતાઓને સ્થગિત પણ કર્યા નથી.
                            રાજકારણીઓ આ પ્રશ્નને ઍક્બિજાને બ્લૅકમેલ કરવા માટે ઉપયોગ કરતા દેખાય છે. ઍમા મુખ્ય મુદ્દો તો બાજુ પર જ રહી જાય છે. વડા પ્રધાન કાળાનાંણા ને પરત લાવવાની બાહેદારી આપે છે પરંતુ ઍમની પાસે પણ કેટિલી ગેરકાયદેસર રકમ પરદેશમા પડેલી છે તેની માહિતી નથી.
                             સરકારે કાળા નાણા માટે ઍક કમિશન સુપ્રીમ કોર્ટની સૂચનાથી નિમેલુ છે જે સરકારે આપેલા નામોની પણ તપાસ કરી રહયુ છે.  તે દરમ્યાન સામાજીક વેબ સાઇટ પર ઍક બિજુ લીસ્ટ પ્રગટ થયુ છે, જેમા રાજ઼ કરતી "બીજેપી" ના નેતાઓના નાંમ પણ કાળા નાણા ની બાબતમા પ્રસિધ્ધ થયા છે. આથી પ્રશ્ન ગુચવાતો જાય છે અને ઍમા નાટકીય તત્વ ઉમેરાતુ જાય છે.
                              આથી દેશમા અસંતોષનુ મોજુ પ્રસરતુ જાય છે.   ભારતીય જનતા પાર્ટી ના નેતા સુબ્રમણિયમ સ્વામી ઍ વડા પ્રધાનને પત્ર લખી માગણી કરી છે કે પરદેશની બેન્કમા ગેરકાયદેસર રાખેલા પૈસાને દેશની સંપતી ગણી લેવાનો  વટહુકમ સરકારે બહાર પાડવો જોઈ ઍ અને ઍ પૈસા પાછા લાવવાની ભારતીય નાગરિકોને ફરજ પાડવી જોઇઍ.લિસ્ટમા જેના નામો છે ઍ બધાની સામે યોગ્ય કારવાહી કરવી જોઇઍ. ઍમા પરદેશી દેશો સાથેની ગુપ્તતાનિ કોઈ સમજૂતી લાગુ પડતી નથી.

                              આખા પ્રશ્નનોના મુળમા દેશનો ચાલી રહેલો ભ્રષ્ટાચાર પણ છે. દેશમા સરકારી નોકરો, વેપારીઓ અને રાજકારણીઓજ  ભ્રષ્ટાચાર, અને યોગ્ય કર ન ભરવાથી કાળુ નાણુ પેદા કરેછે. જે  આખરે પરદેશી બેન્કોમા પહોચી જાય છે. આથી ભારતમા મિડ્લ સ્તરે જ મોઘવારી વરતાય છે. બહારનુ આર્થિક વાતાવરણ જોઈને ભારતમા મોંઘવારી છે ઍ સાંભળીને આશ્ચર્ય જ થાય ઍવી પરિસ્થિતિ છે.  આથી દેશમા ઉત્પન્ન થતી કાળા નાણાની ટંકશાલને નાથવી ઍ વિકટ પ્રશ્ન છે.ઍક વાત ચોક્કસ છે કે કાળાનાંણા ને નાથવામા ભારત જો નિષ્ફળ જશે તો દેશ આર્થિક  રીતે પાયમાલ થઈ જશે.