Monday, July 30, 2018


અનાવિલ
                                                                                            અનાવિલ  બ્રાહ્મણ જ્ઞાતિ ગુજરાતમા  વસ્તીના પ્રમાણમા ઘણી નાની છે. ઍમ કહેવાય છેકે તેઓનો દક્ષિણ ગુજરાતમા તાપી નદી અને વાપી શહેરની વચ્ચે વસવાટ હતો. અનાવિલોનો ૧૦૦૦ ઉપરના વર્ષોનો  ઇતીહાસ છે, જેને  રામના  યુગની સાથે સબંધ છે. આમતો અનાવિલ બ્રાહ્મણો  દક્ષિણ ગુજરાતના અનાવલ ગામથી જોડાયેલા છે.  અનાવલમા સુખલેશ્વર મહાદેવના મંદિર સાથે ઍમને ઘાડ સબંધ છે. અંબિકા નદીને અડીને આવેલુ  અનાવલ ગામ બહુ જ સુંદર સ્થળ છે.
                                                                           જોકે હવે તો વ્યયસાવને કારણે આખા ગુજરાતમા રહેતા થયા છે. દેસાઇ નામ ઍમના મૂળ વ્યયસાય સાથે સંકળાયેલો છે. ઇતિહાસીક પૂરાવા પ્રમાણે મોગલોઍ તેમને જમીન વેરો ઉઘારાવવા માટે હક્કો  આપેલા હતા. પરન્તુ  જેટલા ગામોમાથી વેરો ઉગરાવવાના હક્કો મળેલા તે  પ્રમાણે તેમની  સમૃધ્ધિ અને દરજ્જા જુદા જુદા હતા. આમ ગામોમાથી જમીન વેરો ઉઘારાવતા લોકો દેસાઈ કહેવાયા. મરાઠા વખતમા પણ ઍમના હક્કો ચાલુ રાખવામા આવ્યા હતા. મરાઠા અમલ દરમિયાન જમીન ટેક્ષ ઉગરાવવાના હક્કોનૂ લીલામી થતી, આથી દેસાઈઓનો પ્રભાવ વધ્યો. દેસાઈ અટક તમને પારસી, પટેલ, મુસ્લિમ, બ્રાહ્મણ વગેરે અનેક જ્ઞાતિમા જોવા મળશે.  અનાવિલોની સ્થિતિ ઘણી સારી રહેતી કારણકે ઍમને  વેરાઓની ઉઘરાણિમા સારો ઍવો હિસ્સો મળી રહેતો  અને સાથે સાથે લાગતા વળગતા ગામો પર ઍમનુ પ્રભુત્વ પણ રહેતુ. ટુંકમા અનાવીલોમા તમને ક્ષત્રીયોના ઍટલેકે  સામન્ત શાહીના ઘણા ગુણો અવગુણો જોવા મળશે. જેવા કે કેટલાક ગુણો વહીવટ નિપુણતા, પ્રામાણિકતા, આત્મ સન્માનની ભાવનાઓ  અને  સત્ય પ્રીયતા પરંતુ ઍની સાથે આવતા અવગુણોમા તોછડાઇ, મિથ્યા અભિમાન, અને અત્યંત નશો કરવાની આદતો સામાન્ય બની રહી. ઍમની આર્થિક પડતીમા ઍમના અવગુણો ઍમને માટે વધારે  અસહ્ય બની ગયા. ઍમા ઘણા કુટુમ્બો આર્થિક રીતે તબાહ પણ  થયા. તે છતા ઍમના ગુણોઍ  જ્ઞાતીમાથી ઘણાને ટોચ પર પણ મૂકી દીઘા છે. જેવા કે મહાદેવ દેસાઈ(મહાત્મા ગાંધીના સેક્રેટરી), ભુલાભાઇ દેસાઈ(પ્રખ્યાત  ધારાશાસ્ત્રી), મોરારજી દેસાઈ(ભારતનાપૂર્વ પ્રધાનમંત્રી), ખંડુભાઇ દેસાઈ(ભારતના પૂર્વ મજુર પ્રધાન), ધીરુભાઇ દેસાઈ,(સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ) અને ઍમ જે દેસાઈ (ફોરેન સેક્રેટરી) , ઝીણા ભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ- પ્રખ્યાત ગુજરાતી સાહિત્ય કાર),ઍમ ઍન દેસાઈ, (પૂર્વ કુલપતિ, ગુજરાત  યૂનિવર્સિટી) જેવા અગ્રગણ્ય  વ્યક્તિઓેઍ ભારતના રાજકારણમા, ન્યાયક્ષેત્રમા, સાહિત્ય, શિક્ષણ અને સિવિલ સર્વિસ ક્ષેત્રમા પણ સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. તે ઉપરાંત દેસાઈઓઍ  ઈન્સ્યુરૅન્સ,  બૅંકિંગ, રેલવે,  શિક્ષણ, અને વહીવટી ક્ષેત્રે પણ સારુ ઍવુ પ્રદાન કરેલુ છે.
                                                                           અંગ્રેજ  રાજે  ૧૮૦૦ મા ' રૅયેટ વારી' પ્રથા જમીન ટેક્સ ઉઘરાવવા માટે દાખલ કરી કારણ કે ઍમને વચલા માણસોને દૂર કરવા હતા.  અંગ્રેજ રાજે અગ્રગણ્ય અનાવિલ કુટુમ્બોની નોધણી કરી તેમને માસિક ભથ્થુ' દેસાઈગીરી ' આપવાનુ નક્કી કર્યુ. અને ઍનાથી અનાવિલોની આર્થિક પરિસ્થિતિને  ધક્કો લાગ્યો. ઍજ  'દેસાઈગીરીને '  ભારત સ્વતંત્ર થયા બાદ ૧૯૫૮ મા નાબૂદ કરવામા આવી.અનાવિલઓની આર્થિક પડતીના બીજા કારણો પણ ઘણા .છે.' વાંકડો' પ્રથા, ઉંચા દેસાઈઅને નીચા દેસાઈ જેવી માન્યતાઓ. નીચા દેસાઈઓ 'ભાટેલા' અને 'હાજીદ્રાસ' (હળથી ખેતી કરનારા) તરીકે ઓળખતા.  નીચા  દેસાઇઓને  ઉચ્ચ દેસાઇની  કન્યા માટે સારા ઍવા પૈસા વાકડા તરીકે આપવો પડતો. અને આ પ્રથા ઍ આગળ જતા સામાન્ય રિવાજ  સ્વરુપ ધારણ કરી લીધુ.  આ બધી પ્રથાઓઍ  અનાવિલોની આર્થિક પરિસ્થિતિ વિપરીત બનાવી મૂકી. તેમા ઉચા દેસાઈ કુટુમ્બો જેવાકે' પેઢીવાળા ', 'દરવાજાવાળાનો' દરજ્જો ઘણો ઉંચો  ગણાવવા લાગ્યો. 'પેઢીવાળા' કુટુમ્બો પાસે ઘણા ગામોના હક્કો હતા. અને તેઓ ઘણાસમૃધ્ધ હતા. બીજા 'દરવાજાવાળા' કુટુમ્બો પાસે અમુક ગામોના રક્ષણની પણ જવાબદારીઓ રહેતી. તેમની પાસે થોડી સત્તાઓ હતી આથી ઍ કુટુમ્બો પણ સમૃધ્ધ હતા.  પલસાણા, મહુવા, ગણ દેવા જેવા ગામો ઉચ્ચ  'પેઢીવાળા' દેસાઈ કુટુંબોના ગામો ગણાય છે, જ્યારે પુની, ઉંટડી ગામો 'દરવાજાવાળા' ઉચ્ચ દેસાઇ કુટુંબોના ગામો ગણાય છે.  તે ઉપરાંત વલસાડના મદનવાડ / દીક્ષિત મહોલ્લાના દેસાઇઓ અને ભદેલીના  દેસાઈ કુટુમ્બોની ગણતરી ઉચ્ચ દેસાઈઓમા થાય છે.
                                                                          દેસાઇઓની વસ્તી સુરત અને વાપીની વચમા મુખ્યત્વે ઓલપાડ, કામરેજ, ચોરાસી, પલસાણા, નવસારી, ગણદેવા, વલસાડ, હરિયા, ચણવઈ, ભદેલી, ઉંટડી, ચીખલી, ખરસા ડ, ઍરૂ, કાલિયાવાડી, મહુવા, બુહારી, વ્યારા, સુરભોણ, સંદલપૂર, વેસમા, પુની, મરોલી, પરુજણ, તલન્ગપોર, ડેલાડવા, કતારગામ, કોસ્મારા, વહાયૂ, દિહણ, દેસાઈપારીમા વધારે હતી.
અનાવિલ દેસાઈઓ આચક  બ્રાહ્મણો નથી પરંતુ  બ્રાહ્મણોંના નીતિ નીયમો પાડે છે. ઍક્જ 'પિંડ' અને 'ગોત્રમા' લગ્ન  કરવાની મના છે. 'પિંડ ' ઍટલે કે વરકન્યાના વડદાદામા પણ સગપણ હોય તો લગ્નની મનાઈ છે. અને ઍકજ 'ગોત્ર 'ઍટલેકે વરકન્યા ઍકજ કટૂંબના હોય તો ઍવા લગ્નની પણ મનાઈ છે. અનાવિલ કુટુંબોમા દરેક કુટુંબના 'ગોત્રો' ઋષિઓના નામોથી ઓળખાય છે.  ગોત્રોના નામો ગરગયા, વત્સસયના,કૌંદિન્યા, અગત્સ્ય, ભારદ્વાજ, ગૌતમ, કાશ્યપ, વશીસ્ટ, વિશ્વામિત્ર, કથાયના, લવના, ક્રિશ્નાત્રીસ,અને વલ્કિલ્ય જેવા છે. અનાવીલોમા' સાટા' પ્રથા લગ્નમા હતી.' સાટા' પ્રથામા બે કુટુમ્બો સામસામે પુત્ર અને પુત્રીને લગ્ન દ્વારા જોડતા. આ પ્રથા પાછળ આર્થિક કારણો પણ હતા.                                         
                                                                        પારડી પછીના દક્ષીણના ગામોના દેસાઈઓની ગણતરી નીચા દેસાઇઓમા થતી ઍટલે કે  'ભાટેલા' કહેવાય, અને. તેઓની અટક નાયક, વશી,  મહેતા જેવી  હોય છે.  ઉંચા અને નીચા દેસાઈની પ્રથાઍ દેસાઈઓમા અંતર વધારી દીધુ  અને લગ્નમા પણ હાડમારી વધારી દીધી હતી. અને ઍ પણ અનાવિલોની આર્થિક પડતીનુ મુખ્ય કારણ બની ગયુ. પરંતુ નાની ઍવી જ્ઞાતિઍ  ઍની ખુમારીને અને આવડત વડે સમાજમા પોતાનુ ઉચ્ચ સ્થાન જમાવી લીધુ છે.
                                                ********************************

Tuesday, July 24, 2018



શાયરીઓ



                                                                                                "લાગણીઓનો જમાનો નથી
                                                                                                 લોકો કેવા રમી જાય છે
                                                                                                 જેને પોતાના માન્યા જીંદગીભર
                                                                                                 ઍને બીજા ગમી જાય છે"




"ઘણુ દૂર જવુ પડે છે ફક્ત ઍ જોવા કે આપણી   નજદીક કોણ  છે?"


"દૂધ પાઇને ગમે તેવા  ઝેરી સાપને પાળીશકાય
પ્રેમ આપીને વાઘ સિંહની પાસે પણ ધાર્યુ કામ કરાવીશકાય
પરંતુ બધુ આપ્યા  છ્તા માણસને  વિશ્વાસમા ન લઇ શકાય"

" કશુ ન હોય ત્યારે આભાવ નડે છે.
   થોડુ હોય ત્યારે ભાવ નડે છે
   બધુ હોય ત્યારે સ્વભાવ નડે છે"

                     


  " આપવાની મજાહ શુ હોય છે ઍ જાણવા વૃક્ષ કે વાદળને મળી આવી ઍ"






 કદો કદી જીવનના અનુભવોમાથી શાયરોને શાયરીઓ મળી જાય છે. ઍને સાંભળવાની મજાહ આવી જાય છે.



                                          *******************************                           

Saturday, July 21, 2018


 ડ્રોન ટેક્નોલોજી
                                                                                                                ડ્રોન ઍટલેકે  હવામા ઉડતુ  માણસ વીનાનુ  ઈલક્ટ્રોનીક મશીન જેનુ સંચાલન જમીન પરથી /દૂરથી કરવામા આવે છે.  ઍનો ઉપયોગ ઍટલો વ્યાપક થઈ ગયો છેકે ૨૦૧૭,  ૩ મિલિયન ડ્રોન્સનુ દુનિયાભરમા  વેચાણ થયુ  છે.  ડ્રોનનો જન્મ આધુનિક ટેકનોલોજીમાથી જ થયો છે. ઍનો ઉપયોગ વાહન વ્યહવાર, લશ્કર,  વેપાર, અને રેડાર તરીકે પણ કેરી શકાય છે.
                                                                                   અફઘાનીસ્તાનમા આંતકવાદીઓને  શોધી ઍને મારવામા પણ ડ્રોન્સનો ઉપયોગ અમેરિકાઍ સારી રીતે કર્યો છે. ઍમા જાનહાની પણ ઘણી થોડી થાય છે. અમેરિકાઍ મોટા મોટા આંતકવાદી નેતાઓનો ખાતમો ડ્રોનો દ્વારા કર્યો છે.  ઍ બાબતમા અમેરિકાઍ ઍમ-૧ અને ઍમ-૯  ડ્રોન્સ બનાવ્યા છે જે  મીસ્સાઈલસ, અને ૫૦૦  રતલ વજનનો બોમ્બ પણ  ફેકી શકે છે. તે ઉપરાંત અમેરિકઍ ડ્રોન્સને નાથવા માટે  ઈલેક્ટ્રોનિક  જામર જેવા સાધનો પણ બનાવ્યા છે.

                                                                                    ડ્રોનનો ઉપયોગ  હૉલીવુડ ના ચિત્રોમા પણ કરવાંમા આવી રહ્યો છે.  ઍક જગ્યાથી બીજી જગ્યા ઍ તાકીદના વખતમા ખોરાક કે દવાઓ પહોચાડવામા પણ  ડ્રોનસ નો ઉપયોગ થવા  માંડ્યો છે.   ઍમોજોન જેવી મોટી કંપનીઓ ઍમનો માલ ઑર્ડર પ્રમાણે ઘરાકોને  પહોચાડવા માટે ડ્રોન્સના ઉપયોગ કરવાના પ્રયોગો કરી રહ્યા ચ્હે. ઍમાજો સફળતા મળી  જશે તો વેપાર ધંધામા ક્રાંતિકારી ફેરફારો આવી જશે.  મિલકતોના વેચાણના ધંધામા પણ ડ્રોન્સ દ્વારા  ઉપ્પરથી  ફોટાઓ લેવામા પણ ઉપયોગ થવા માંડ્યો છે. પર્વતોમા ભૂલા પડેલાકે પછી ખોવાઈ ગયેલાઓને શોધવામા પણ ડ્રોન્સ ઘણા ઉપયોગી થઈ રહ્યા છે.

                                                                                      નવાઈની વાતતોઍ છે કે  કેટલાક લોકો  ડ્રોનનો ઉપયોગ  પાઇલટ લેસ હવાઈ ટૅક્સી બનાવવા પાછળ પડ્યા છે.  ઍનો દુરૂપયોગ નસીલા પદાર્થોને પહોચાડવામા ઘણા અસામાજીક તત્વો કરી રહયા છે.
                                                                                        ડ્રોન ટેક્નોલોજી અસલામતી પણ ઉભી કરી રહી છે. ઍથી ઍના પર અંકુશ રાખવો આવશ્યક બન્યુ છે. આથી અમેરિકન સરકારે  ડ્રોનના રેજિસ્ટ્રેશન ની પધ્ધતિ દાખલ કરી છે જેથી ડ્રોન ટેક્નોલોજી પર અંકુશ ધરાવી શકાય.
.                                                  **************************************

Tuesday, July 10, 2018

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને ઍમની નીતીઓ
                                                                                                                  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અત્યારે  વધારેને વધારે  વિવાદાસ્પદ બનતા જાય છે. ઍમની  ઇમ્મિગ્રેશન અને અમેરિકાના હિતને લગતી બાબતો ઘણી વાર ભારતનાહિતને  નુકશાન કરે ઍવી પણ છે. દરેક દેશ પોતાનુ હિત જુઍ છે. જેમકે ભારત પોતાના લોકોને નોકરીઓ મળે અને પોતાના દેશમા બધા માલનુ  ઉત્પાદન થાય, અને વેપારમા કોઈ અન્ય દેશ   ગેરલાભ ન લઇ જાય ઍનુ ધ્યાન રાખે છે. ઍના અનુસંધાનમા અમેરિકાની નીતીઓ જોવાની જરૂર છે.
                                                                                                                  ટ્રંપ આમતો ભારત પ્રત્યે આદરથી જુવે છે પરંતુ  જ્યા અમેરિકાના હિતના પ્રશ્નો આવે ત્યા ટકરાવ પણ આવે છે. ગેરકાયદેસર રહેતા લોકો પ્રત્યે  ઍમને રોષ છે. બહારના લોકોઍ ઑછા પગારે મેળવેલી નોકરી અને ઍને લીધે અમેરીકામા વધતી બેકારી પ્રત્યે ઍમને અણગમો છે.  ઍમને અમેરિકાની  સમરુધ્ધિ સરખે ભાગે  અને જરૂરી હોય ત્યા આપવી છે પરંતુ લુટાવવી નથી. જેમ કે યુનાઇટેડ નેશન્સને ચલાવવાનો ખરચો બધા દેશો સરખા ભાગે  ભોગવે, ઍજ પ્રમાણે 'નાટો' નો ખર્ચો પણ બધા દેશો  સરખે ભાગે ભોગવે. અત્યાર સુધી ઘણો ખરો ખર્ચો અમેરિકા જ ભોગવતુ હતુ. ટ્રંપ રાજકારણી કરતા વેપારી વધારે છે ઍથી બહુ જ સખત શબ્દોમા કહી નાખ્યુ છે કે' અમેરિકા કઈ પીગી બૅંક નથી.'
                                                                              ટુંકમા અમેરિકાને બીજા દેશોનુ બ્રૈઈન ડ્રેન જોઇઍ છે.  બીજા  દેશમા ન ચાલી શકે ઍવા લોકોની અમેરિકાને જરૂર નથી. ઍચ-૭ વીસા  પર કામ કરતા લોકો પર ઍની નજર છે કારણકે ઍમની સંખ્યા ૭૦૦૦૦ થી વધારે છે જે અમેરિકાના ભણેલા ગણેલા લોકોની નોકરી માટે અડચણ રૂપ  છે. અમેરીકામા  ઉચ્ચ શિક્ષણ બહુ જ ખર્ચાળ છે તે અમેરીકન ઇંડિયનનોને પણ ખબર છે. ઍટ લેકે અમેરિકાના શિક્ષિત યુવાનોને ભોગે, સસ્તામા પડતા બહારના શિક્ષિત લોકોને નોકરી જો મળતી હોય તો ઍ અમેરિકાની કમનશીબી છે. બીજુ ઍચ૧ બી વીસામા ઘણી ગેરનીતી નજરે આવી છે આ અનુસંધંમા ટ્રુંપની નીતિઑને નીહાળવી રહી. ચીન, જેવા દેશો ઍમનો માલ મોકલીને અને અમેરિકાનો ઑછો માલ લઈને અમેરિકાને દેવાળીયુ બનાવી દીધુ છે. ઍની સામે પણ ટ્રંપનો વિરોધ છે. આ બધા કારણોના  ધ્યાનમા રાખી  ટ્રમ્પની નીતીની આલોચના કરવી આવશ્યક છે.  ટ્રંપની બોલવાની રીત રાજકારણીઓ અને મીડિયાને પસંદ નથી. ઍનુ કારણ કે ઍ રાજકારણી કરતા અબજો પતિ વેપારી તરીકે  વધારે બોલે   છે.  ઍ કદાચ દરેક વસ્તુને વેપારના નફો અને નુકશાન  તરીકે તોલતા લાગે છે.
                                                                                                             ટ્રંપનો ચૂટણી વિજય ઍ અમેરિકૅના અમુક વર્ગને કારણે છે અને શક્તિશાળી  બીજા ઍક વર્ગની સામે છે. ટ્રમ્પની  ચૂટણી જીત ઍની  પોતાની રિપબ્લિકેન પાર્ટીના અમુક નેતાઓને પણ પસંદ  પડી નથી. અર્રિજોનાના રિપબ્લિકેન સેનેટર  'મેક જૉન' કે જે અત્યારે  કેન્સરથી પીડાઈ રહયા છે તેમને તો ઍમના મરણ બાદ ઍમની છેલ્લી વિધિઓમા ટ્રંપ ન આવે ઍવી ઈચ્છા પ્રગટ કરી છે.
                                                                                                           ડોનાલ્ડ ટ્રંપ પોતે  ચૂંટણી  દરમિયાન ઍમના મતદારોને આપેલા વચનો પૂરા કરવાની  ઉતાવળમા છે.ઍમા દુનિયામા શુ અસરો થશે ઍતો ભાવી જ કહેશે પરન્તુ   ડોનાલ્ડ  ટ્રંપ ને સમજવા માટે ઍ શુ ઉચ્ચારે છે ઍને મહત્વ આપવા કરતા ઍમણે મતદારોને શુ વચનો આપેલા ઍને ધ્યાનમા લેવાની જરૂર છે.
                                           **********************************