Wednesday, December 22, 2021



ભારતની મુશ્કેલિઓ - રૂઢિઓ અને જડતા      

                                                            ભારતમાં આજે પણ ભાગલા પછી આસરે ૨૦ કરોડ મુસ્લિમો છે. અને  જે પાકિસ્તાનમાં મુસ્લિમો  છે  એમાંના ઘણા ખરા હિંદુમાંથીજ મુસ્લિમ બનેલા છે. હિંદુઓમાં જે રૂઢિઓની જડતા છે એણે મુસ્લિમ બનેલા હિંદુઓને પાછા હિન્દૂ ધર્મમાં  લેવામાં હંમેશ ઇન્કાર કર્યો છે. એનું ખરાબ પરિણામ આજે ભારત ભોગવી રહ્યું  છે.  આવી જડતા ભરી રૂઢિઓને લીધે આજે પણ હિંદુમાંથી મુસ્લિમ બનેલા લોકોમાં હિંદુઓ પ્રત્યે ક્રોધની ભાવના છે. રાષ્ટ્રીય સેવક સંઘના નેતાઓ પણ કહેછેકે  'બહુમતી મુસ્લિમોનો 'ડીનએ ' હિંદુઓને  મળતો છે. 'એજ બતાવે છેકે ભારતમાં  બહુમતી મુસ્લિમો હિંદુમાંથી જ  મુસ્લિમ બન્યા  છે. જયારે બહુમતી મુસ્લિમોને હિંદુઓ પ્રત્યે એમની જડતા ભરી રૂઢિઓ પ્રત્યે ક્રોધ હોય તે ભારતના હિતમાં નથી. 

                                         મહમદઅલી ઝીણા જેણે ભારતના ભાગલા કરી મુસ્લિમો માટે પાકિસ્તાન બનાવ્યું એના બાપદાદા અને  પિતા પુંજાભાઈ હિન્દૂ હતા.  પુંજાભાઇએ પોતાના ભરણપોષણ માટે માછીમારીનો ધંધો અપનાવ્યો હતો જેનો હિન્દુઓએ તે વખતે  વિરોધ કર્યો ને  એમને ન્યાત બહાર કર્યા. એવા સંજોગોમાં એમણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. થોડા સમય  પછી એમણે હિન્દૂ ધર્મમાં  પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી પણ તે વખતના હિન્દૂ સમાજે એમને પાછા લેવાની ઘસીને ના પાડી દીધી. એમના જ  એકપુત્રે એટલેકે મહમદઅલી ઝીણાએ પાકિસ્તાન ઉભુંકરી  ભારતને ભયંકર નુકશાન કર્યું અને એના પરિણામ આજે પણ ભારત  ભૉગવી રહ્યું છે.



                                    પાકિસ્તાને આજે પણ કોઈ  ઉદ્યોગીક કે આર્થિક પ્રગતિ કરી નથી પણ ભારત સામેના રોષ અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા પોષાય કે ન પોષાય તો પણ  ' અટૉમ બૉમ્બ' બનાવી લીધા છે.જોવાનું તો એછે કે  એ બૉમ્બ ને બનાવનાર અને ઇસ્લામિક બોમ્બના પિતા અબ્દુલ કાદિરખાન  ખાનનો જન્મ ભારતમાં ભોપાલમા જ થયો હતો. એના પિતા એક સ્કૂલ શિક્ષક હતા.  અબ્દુલ કાદિરખાન સ્કૂલ માં  હોશિયાર વિદ્યાર્થી હતા . ભાગલા પછી પણ એનું કુટુંબ ભોપાલમાંજ રહ્યું હતું . પરંતુ વખત જતા એમના  કુટુંબમાં  ભોપાલમાં  બેચેની  વધતા પાકિસ્તાન ચાલી ગયું હતું. પછી તો એમણે' અટૉમ બૉમ્બ' પાકિસ્તાન માટે કેવી રીતે બનાવ્યો એ પણ  એક રસમય ઇતિહાસિક વાર્તા છે . મૂળમાં  એક વખત એ ભારતીય મુસ્લિમ હતા. આમ ભારતીય મુસ્લિમોએ જ ક્રોધમાં ભારતને નુકશાન કર્યું છે. 

                                                                        મુદ્દાની વાત એ છે કે હિંદુઓ એમની રૂઢિઓ અને એની જડતાને વળગી રહ્યા ન હોત તો આજે ભારતમાં આટલા મુસ્લિમો પણ ન હોત અને મુસ્લિમોને હિંદુઓ પ્રત્યે એટલો આક્રોશ પણ  ન હોત.  આપણે હવે બીજા ધર્મના લોકોને અપનાવવામાં વધુ  ઉદારતા દાખવવાવાની  જરૂરિયાત છે.

                                     ******************************      

Wednesday, December 15, 2021



જેવી સંગત તેવી અસર 

                                        વિશ્વમાં એક સામાન્ય માન્યતા છે કે જેવા મિત્રો તેનાથી માનવીની ગણતરી થાય છે. સારા મિત્રો સમાજમાં ઉચ્ચ સ્થાન અપાવે છે પરંતુ ખરાબ મિત્રો માનવીની કફોડી સ્થિતિ કરી નાખે છે. નબળી સંગત નુકસાન પહોંચાડે છે અને મજબૂત સંગત માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે.  અર્જુનની કૃષ્ણ  સાથેની સંગત એને વિજય અપાવે છે જયારે મજબૂત એવા વીર કર્ણ દુર્યોધનની સંગતે હાર પામી વીરગતિ પામે છે.

                                           આજના જમાનામાં પણ જો તમે સરકારી કામ માટે જાઓ તો તમે નિરાશાથી ઘેરાઈ જશો અને તમને લાગશે કે  જીવન બહુજ મુશ્કેલ છે. સરકારી આંટીઘૂટી કોઈને પણ નિરાશા તરફ ધકેલી  દે છે. કોઈ સારો અને હોશિયાર સરકારી  કર્મચારી લોકોની મુશ્કેલીઓ દૂર  કરી શકે છે.  આજ બતાવે છે સારા અને ખરાબ સંગતની અસર કેવી હોય છે.

                                        સાધુ ,સંત  જેવા માણસોનો સંગાથ  ઘણાને  બલિદાન  અને કોઈને આપવાની વૃત્તિને ઉત્તેજિત કરે છે.  કોઈની વસ્તુ પડાવી લેવાનો વિચાર કદી આવતો નથી.

                                         સારા શિક્ષકો  સારા નાગરિકો ઘડે છે. અને એવા  શિક્ષકો વિદ્યાર્થીઓમાં ભણવાની કે વધુ શીખવાની વૃત્તિ  ઉત્તેજિત કરે છે. એવીજ રીતે તમે  કોઈ વિદ્વાન વિજ્ઞાનિકને મળો તો તમને થશે કે  તમે કઈ જાણતા નથી એટલે કે તમે અજ્ઞાની છો. પરંતુ એવા સંગતથી તમે જરૂર કંઈક જાણવા મળશે .

                                       એજપ્રમાણે ખેડૂત અને મજૂરનું જીવન જોઈને તમને કદાચ વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળશે . વેપારીઓ સાથે વાત કરવાથી  અને એની કમાણી  જોઈને તમને થશે કે તમારી કમાણી એની વિસાતમાં કઈ નથી.

                                       રાજકારણી થવા માટે કોઈપણ જાતની વિશિષ્ટ લાયકાત જરૂરી નથી. એમને જોઈને થશે કે તમે જે લાયકાત મેળવવા મહેનત કરી એનો  કોઈ અર્થ નથી. રાજકારણીઓની સંગત ભણેલાઓ  માટે લગુ ગ્રંથિ ઉભી કરી દે છે. એવી જ રીતે સારા મિત્રો સ્વર્ગ ઉભું કરીશકે છે પરંતુ ખરાબ મિત્રો આજુબાજુ નર્ક ઉભું કરી દે છે. 

                                       એવી જ રીતે દારૂડિયાઓનો સંગત દારૂડિયા બનાવી દે છે અને વ્યક્તિ માટે એનું જીવન કુટુંબ અને સમાજ માટે  બોજારૂપ  અને નક્કામું બનાવી દે છે. 

                                       આજ બતાવે છેકે વ્યક્તિનું  સંગત જીવનમાં સુખ અને દુઃખનો આધાર બની રહે છે. એથી જીવનની ગતિ નક્કી કરવા માટે માણસે પોતે જ પોતાની સંગત શોધવાની હોય છે.

                                           ************************************     


Friday, December 10, 2021

 


ભારતના અનોખા ગામડાઓ 

                                                                                     શહેરો કરતા ગામડાઓનું જીવન વધારે શાંત, સુખી અને  ભયરહિત હોય છે.  ઉદ્યોગીક ક્રાંતિને કારણે શહેરો તરફ દોડ વધી ગઈ છે. એથી  માનવીનું જીવન તણાવવાળુંને અને  એકદમ મશીન જેવું બની ગયું છે. એમાંથી કેટલીયે શારીરિક અને માનસિક એવી ભયંકર બીમારિઓએ ભરડો લીધો છે . આથી ઘણીવાર જીવન દુઃખી અને  નરક સમાન પણ બની જાય છે. ત્યારે માનવીને પોતાનું નાનું ગામડાની યાદો આવેછે પરંતુ તે વખતે ઘણો  વિલંબ થઇ ગયો હોય છે. 



                                          આથી જોઈએ કે કેટલાક ગામડાઓનું જીવન કેટલું આદર્શ હોય છે!  મહારાષ્ટ્રમાં શેની શિંગળાપુર નામનું એક ગામ છે ત્યાં ઘરોમાં બારણા કે પછી બારીઓ પણ નથી. એટલેકે ઘરો તદ્દન ખુલ્લા રાખેલા હોય છે.  ત્યાં કદી ચોરી થતી નથી એટલે પોલીસ સ્ટેશન પણ નથી. આવું સ્વર્ગ તો દેવોની ભૂમિમાં જ જોવા મળે! બીજા એક ગામ 'હિવારે બજારમાં'  કોઈ પણ ગરીબ નથી.  ગામમાં ૬૦ જેટલા  કરોડપતિ  છે  અને ગામનો જીડીપી ઘણો ઊંચો છે. 


                                              ગુજરાતમાં  'પુંસરી 'ગામમાં  દરેક ઘરમાં સીસી ટીવી , વાઇફાઇ , છે અને દરેક સ્ટ્રીટમાં ' સોલર' શક્તિથી ચાલતી લાઈટો  છે. 



                                             કર્ણાટકના' કુલઢેરાં ' ગામમાં  કોઈ નથી રહેતું  પણ ત્યાંના દરેક મકાનો સુરક્ષિત  રહે છે.  બીજા એક ગામ' મત્તુર' માં  લોકો એટલા શિક્ષિત છે કે ગામના દરેક માણસ સંસ્કૃત જાણે છે અને સંસ્કૃતમાં જ  વાત કરે છે.  



                                             મેઘાલયનું એક ગામ ' માલવિયોંગ'એ  એશિયાનું  સ્વચ્છમાં સ્વચ્છ  ગામ તરીકે જાણીતું છે. 

                                               ભારતના  ગામડાઓનો ઉપ્પર ઉલ્લેખ છે  જ્યા સ્વર્ગીય વાતાવરણ છે અને લોકો સુખી છે.  તે ઉપરાંત ગામડાઓમાં વાતાવરણ શાંત, અને સુખી છે. એને આધુનિક સગવડો આપવાની જરૂર છે. જેથી ગામડામાંથી  શહેર તરફ જતો જન પ્રવાહને અટકાવી શકાય છે. એનાથી લોકો સુખ શાંતિથી  પોતાના વતનમાં રહી શકે. શહેરોના દુષણો , ઝુપડપટ્ટીઓ,  ગંદકી, કોન્ક્રીટના જંગલોને દૂર કરી શકાય એમ છે એમાં શંકા નથી.

                             *******************************************  

Tuesday, November 16, 2021

 


હિન્દૂ ધર્મ 

                                                                એક વખત હતો જયારે  પરદેશમા હિન્દૂ ધર્મ વિષે ઘણી ગેરસમજ હતી. બ્રિટિશો એને અંધશ્રધ્ધાળુ દેશમાં ખપાવતા હતા. સપેરાઓનો દેશ, જે સાપોને નચાવી આનંદલેનારો દેશ મનાતો હતો. તેઓ તદ્દન એને અભણ એવા દેશમાં ખપાવતા હતા.



                                                      એમને ખબર પણ ન હતીકે ભારતીય ઋષિમુનિઓ પોતાની બુદ્ધિ કૌશલ્યથી દરેક વિજ્ઞાનમાં પ્રગતિ સાધી હતી. રામસેતુથી માંડી  રામના પુષ્પક વિમાનને પણ કલ્પના ગણી ઘણા ઠેકડી  ઉડાવતા રહેતા. મહાભારતમાં સંજય હસ્તિનાપુરમાં બેઠા બેઠા  અંધ ધુતરાષ્ટ્રને કુરુક્ષેત્રના યુદ્ધનો અહેવાલ આપતો   રહેતો હતો. વિજ્ઞાને આબધી વસ્તુઓને આજે સત્ય પુરવાર કરી છે. વિડિઓ  અને વિમાનો આજના  જમાનાની આવૃત્તિઓ છે. અમેરિકાની સંસ્થા નાસાએ રામસેતુ ભારત અને શ્રી લંકા વચ્ચે દરિયામાં મોજુદ છે એનું  અનુમોદન પણ કર્યું છે. આથી ભારતીય સંસ્કૃત્તિની વાતો  કોઈની કલ્પના નહિ પણ તથ્ય પર આધારિત  છે.



                                                         હવે પરદેશીઓ એટલેકે પશ્ચિમી લોકોં ભારતને બરાબર સમજવા માંડ્યા  છે.  નાસાએ અત્યારે જાહેર કર્યું છેકે સૂર્યમાંથી જે અવાજ આવે છે તે ઓમઃ સમાન છે. જેનું ભારતીય સંસ્કૃત્તિમાં બહુજ  મહત્વ છે. 



                                                        ગૌ મૂત્રનો ઉપયોગ ભારતીય શાસ્ત્રોમાં આરોગ્ય  માટે ઉત્તમ ગણવામાં આવ્યું  છે. એનો ઉપયોગ કેન્સર જેવા રોગોમાં પણ થઇ શકે છે એવું માનવામાં આવે છે.  હજુ સુધીમાં 'ચાર પેટેન્ટઓ' ગૌ મૂત્રની અમેરિકામાં નોંધાવવામાં આવી છે. આ ગૌ મૂત્રની ઉપયોગીતા પુરવાર કરે છે.



                                                         હવે 'ગીતા ' અમેરિકન યુનિવરસિટીમાં શીખવવામાં  આવે છે. ઇન્ડોનેશિયા જેવા દેશે તો પોતાની એરલાઈન્સનું  નામ 'ગરુડ' આપેલું છે. એના ચલણી  નોટ પર શ્રી ગણેશનો ફોટો રાખવામાં આવ્યો છે.  પૃર્વ પ્રમુખ બારાક ઓબામા એના ગજવામાં  હનુમાનનો  ફોટો રાખે છે . આ પણ ભારતીય હિન્દૂ  સંસ્કૃતિનું  ગૌરવ છે.



                                                           જર્મન એરલાઈન્સ 'લુફથાન્સા'નું નામ સંસ્કૃત  શબ્દ પરથી આવેલું છે.જેનો અર્થ એરોપ્લેન થાય છે. હિન્દૂકુશ પર્વત  'અફઘાનિસ્તાનમાં 'આવેલો  છે. ચાર હજાર વર્ષ પુરાણા હિન્દૂ મંદિરો વિયેતનામમાં  આવેલા છે. 

                                                            આ બતાવે છેકે  હિન્દૂ સંસ્કૃતિ અને માન્યતાઓ  તથ્ય અને વિજ્ઞાન

પર આધારિત છે. એનો પ્રભાવ આખા વિશ્વમાં ફેલાયેલો છે. 

                                         **********************************************     

Thursday, November 11, 2021

  


હાઈ ટેકમાં બધાથી આગળ - જાપાન 

                                                                         જાપાન આદર્શ દેશ છે  અને એની પ્રજા પણ શિસ્તબંધ અને ઉદ્યમી  છે. વિજ્ઞાનિક શોધોનો ઉપયોગ જાપાને એમના નાગરિકોની  સુવિધાઓ વધારવામાં ઉપયોગ કર્યો છે.

                                                      સ્ત્રીઓને પ્રસંગો અનુરૂપ કપડાં બદલવાની આદતો હોય છે. જાપાને એવી જાતનું કાપડ બનાવ્યું છે કે એનો રંગ આપોઆપ બદલી શકે છે.  એથી કપડાં બદલવાની જરૂરિયાત જ  ઉભી થતી નથી. એ પણ એક નવી વિજ્ઞાનિક સુવિધા છે.

                                                       આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એવી ખુરસીઓ બનાવી છેકે તાળી પાડીને એને અમુક જગ્યાએ ગોઠવી શકાય છે. એટલે ટેબલની પાસે જઈને એની જાતે પાર્ક થઇ શકે છે. આનાથી ખુરસીઓનો ઉપયોગ જુદા જુદા પ્રસંગો માટે એને ઉંચક્યા વગર ફક્ત સેન્સરથી એને ખસેડી અને ગોઠવી શકાય છે.

                                                       પાટા વગર ટ્રેક પર ચાલે એવી ચાર ટ્રેક વાળી મોનો ટ્રેનની  સુવિધા ત્યાંના નાગરિકોને  આપવામી આવી છે.  ટ્રેન  આવે એટલે એના ટ્રેકો આપોઆપ બદલાઈ  જાય છે.   અને એમાં ઘણી સારી સગવડો આપવામાં આવી છે. 



                                                           સોનન ટ્રેન ટ્રેકની નીચે દોડે છે જે જમીનથી ૧૦ ફીટ ઉપ્પર દોડે  છે. શહેરના ટ્રાફિકને પણ એનાથી રાહત મળે છે. લટકતી ટ્રેનના  ટ્રેકને મોટા થાંભલાઓથી જોડેલા હોય છે. ટ્રેનની મુસાફરી તદ્દન આરામદાયક હોય છે. આ લટકતી દોડતી ટ્રેન ચુમ્બકીય સિદ્ધાંતો પર દોડે છે.    



                                                         ઊંચી  બહુમાળી ઇમારતોમાં જે લિફ્ટો હોય છે એમાં ટોઇલેટની પણ સુવિધા આપવામાં આવે છે.  ઇલેક્ટ્રિક નિસ્ફળતાને કારણે નાગરિકોને તકલીફ ન થાય એટલા માટે આવી સગવડો આપવામાં આવી હોઈ છે. 

                                                            જાપાનમાં  ઝડપી ટ્રેનો દોડે છે એની ગતિ ૫૮૧  માઈલ પર  કલાકની હોય છે. એને ચુમ્બકીય શક્તિથી ચલાવવામાં આવે છે. ટ્રેનમાં ઑટોમૅટિક  દરવાજા હોય છે જે ટ્રેન સ્ટેશન પર આવે ત્યારે ખુલે છે અને ટ્રેન ઉપડે એટલે બંધ થઇ જાય છે. આથી અકસ્માત થવાની શક્યતા ઓછી થઇ જાય છે. જાપાની નાગરિકો પણ શિસ્તબંધ રીતે પહેલા  ટ્રેનમાંથી ઉત્તરે  છે અને ત્યારબાદ લોકો  ટ્રેનમાં ચડે છે. 

                                                         ટ્રેનો મકાનોમાંથી પસાર થતી જાપાનમાં  જોવા મળે છે. એનું કારણ કે  ટ્રેનના પાટા નાખવા માટે જમીન  આપવાની જમીનના માલિકોએ નકારી હતી. આથી નાગરિકોની અડચણને દૂર કરવા મકાનોમાંથી ટ્રેનનો માર્ગ બનાવ્યો હતો.



                                                            તે ઉપરાંત પ્લાસ્ટિકનો  રિસાયકલિંગ  એ જગતમાં  મુશ્કેલ પ્રશ્ન  બની ગયો છે પરંતુ જાપાનમાં દરેક સ્ટેશન પર રિસાયકલિંગ  મશીનો નાખવામાં આવ્યા છે. નાગરિકો એમાં પ્લાસ્ટિકની વાપરેલી વસ્તુઓ નાખે છે અને સામેથી સરકાર પૈસા આપે છે.

                                                ટૂંકમાં જાપાને  વિજ્ઞાનનો ઉપયોગ નાગરિકોની સુવિધા વધારવામાં કર્યો  છે. અને એમાં લોકોનો પણ સારા નાગરિકો તરીકે સંપૂર્ણ સહકાર હોય છે. આથી જાપાન એક આદર્શ રાષ્ટ્ર બની ચૂક્યું છે.

                                                     ****************************



                                                            


     

                                                               

Friday, November 5, 2021

 


તમાકુ -એનો કાળોકેર 

                                             તમાકુનો ઉપયોગ ખાવામાં કે પછી  મોઢા  વડે હુક્કા, બીડી અને સિગરેટે દ્વારા માણવામાં  આવે છે. આ આદત કેટલાએ યુગોથી ચાલી આવે છે. જુના જમાનામાં વિજ્ઞાન આગળ વધેલું ન હતું એટલે  અગણિત માણસો એની લતને લીધે મરી જતા પરંતુ એનો કોઈને ખ્યાલ ન આવતો.

                                  આજના વખતમાં વિજ્ઞાને સાબિત  કર્યું છે કે જે લોકોને કોઈ પણ જાતની  તમાકુની લત   હોય  તેને કેન્સર જેવી ભયંકર બીમારી થવાની સંભાવના છે. એટલા માટે એવી લત ધરાવનાર માટે સરકારે પણ ચેતવણી આપી પગલાં ભર્યા છે. તમાકુ ધરાવતા પેકેટો પર અને ફિલ્મોમાં પણ તમાકુના સેવન સામે ચેતવણી આપવામાં આવે છે. તમાકુથી ઘણાને મોઢાના, ફેફસાના કૅન્સરો થાય છે અને એવા કેસો આવતાજ રહે છે.



                                     આજકાલ યુવાનોમાં સિગરેટ પીવાની એક ફેશન બની ગઈ છે ક્યાંતો ઘણાને એની લત લાગી ગઈ છે. એ આવતા જનરેશન માટે પણ  ભયની ઘંટી બની ગઈ છે. આશ્ચર્યની વાતતો એ છેકે હવે આજની કેટલીક આધુનિક સ્ત્રીઓ પણ સિગરેટ  પીવા માંડી છે. ઘણાને એમાંથી તાજગી મળે છે એવા દાવા પણ આગળ આવે છે. પરંતુ લાંબા ગાળે એ નુકસાનકારક છે એવો ખ્યાલ  બહુ ઓછાને હોય છે.



                                          જેને તમાકુના મસાલા ખાવાની આદત હોયછે તેઓ અઠવાડિયામાં  ચાર  આઉન્સ તમાકુ ચાવે છે. તે આશરે  વાર્ષિક 17 અને  ૧/૨ પાઉન્ડ જેટલો ખરાબ  પદાર્થ  થાય.  એમાં રેતી , પાંદડા,  ઓલિવનું તેલ , બીજા હાનિકારક  પદાર્થો પણ હોય છે.  એ માનવીના દાંતો પર કેમિકલ અને મિકેનિકેલ અસર પણ કરે છે. ઘણીવાર દાંતો પીળા, કાળા  કે  ફીકા પડી જાય છે એવા પણ ડેન્ટલ સંઘઠનના  અહેવાલ છે. જે લોકો પાઇપ પીવે છે એમને પણ મોઢાના કેન્સર થવાના દાખલા છે. તે ઉપરાંત તમાકુને  લીધે  વર્ટિગો, ખોટા વિચારો, અપચો , નર્વસનેસ , અને ખોરાક પણ  ઓછો થઇ જાય  એવા રોગો  થઇ  જાય છે. 

                                           મૂળમાં તમાકુ માનવીના  સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એના માટે  વધુ લોકજાગૃતિ લાવવી જરૂરી છે.

                                          ***************************************

 

Wednesday, October 20, 2021



ભવિષ્યનું યુદ્ધ 

                                         આજના અને ભૂતકાળમાં યુધ્ધે  સૈનિકોનો અને લોકોમાં ભયાનક વિનાશ વેર્યો હતો. સમ્રાટ અશોકનો કલિંગના યુદ્ધમાં સૈનિકો અને લોકોમાં જે  મહાવિનાશ  થયો એને જોઈને  હૃદય પલટો થઇ ગયો હતો.  બીજા વિશ્વ યુદ્ધમાં  લાખો  લોકોનો, સૈનિકોના નાશ થયો. કેટલાએ દેશોમાં રસ્તાઓ, મકાનો, પુલો, બંદરો. એરપોર્ટ   અને બંધોનો વિનાશ બોમ્બમારાથી  થયો હતો.  ઘણા વિનાશોતો યુદ્ધના લક્ષ્યથી  પર હતા .

                               હવે પછીના યુદ્ધો ઉચ્ચ  ટેક્નોલોજી  દ્વારા લડવામાં આવશે જેનું લક્ષ્ય ઓછા વિનાશથી વધારેમાં વધારે લાભ મેળવવાનો  હશે. એમાં સૈનિકોને , યુદ્ધ વિમાનોને , દરિયાયી યુદ્ધ વાહનોને , ટેન્કોને અને યુદ્ધને લગતા બધા સાધનોને  ઉચ્ચ ટેકનોલોજીથી  સજ્જ કરવામાં આવશે. જેથી યુદ્ધ ઓછા નુકશાન સાથે જીતી શકાય .



                                 હવે લશ્કરમાં  હાઈટેકની 'આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ'  નો પણ ઉપયોગ થવા માંડ્યો  છે. દાખલા તરીકે  જેનાથી ચહેરાની પહેચાનનો ઉપયોગ થશે .  દીવાલની કે  ઝાડીઓની  બીજી બાજુનું ચહલપહેલ  પણ જાણી શકાય છે. તે ઉપરાંત હવે દરેક સૈનિકોને પણ  નવી ટેક્નોલોજી 'વાસ્તવિકતાની નજદીક જતી ટેક્નોલોજીથી ' સજ્જ કરવામાં આવશે.એને' ઔગ્મેન્ટેડ  સિસ્ટમ' કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં એને ' ટેકટિકલ ઇન્ટેલિજન્સ' પણ કહેવામાં આવે છે.

                                    એને સૈનિકોના માથા પર લગાડેલી હેલમેટમાં  લગાડવામાં આવશે જેથી એ યુદ્ધ મેદાનમાં ક્યાં સુરંગો લગાડવામાં આવી છે તે જાણી શકાશે આજુબાજુનું પાણી  કેટલું  ઝેરી છે તે પણ જાણી શકાશે. તે ઉપરાંત દૂર દુશ્મન   સૈનિકોની હિલચાલ કેવી છે  તે પણ જાણી શકાશે. સેન્સર દ્વારા દુશ્મન  સૈનિકોની  કેટલા અંતરે  હિલચાલ ચાલી રહી છે તે પણ જાણી શકાશે.  આવી  માહિતીઓ સૈનિકોને  વધારે રક્ષણ આપશે અને  જીવની ખુવારી ઓછી થઇ જશે. તે પણ અજાણી યુદ્ધભૂમિમાં  બની શકશે . યુદ્ધમાં  એમાંના ઘણા હાઈટેક સાધનો સૈનિકો છાતીએ પણ લગાવી શકશે.

                                    આવા હાઈટેકના સાધનો 'હોલોલેન્સ' નેવીના યુદ્ધ વાહનો પર પણ થઇ શકશે. ટેન્કમાં  બેઠેલા  સેનિકો અંદર બેઠા બેઠા આજુબાજુની બધી માહીતોઓ મેળવી યુદ્ધ નીતિ નક્કી કરી શકશે.

                                ફક્ત આ ટેક્નોલોજી યુદ્ધ મેદાનથી દૂર બેઠેલા સેનાપતિઓ સૈનિકો કદાચ 'પપેટની' જેમ ઉપયોગ કરી શકશે પરંતુ  ટેક્નોલોજીથી  સજ્જ સૈનિકો સેનાપતિઓની ઉપયોગીતા પણ ઓછી કરી નાખી શકે છે. તે ઉપરાંત કોઈ પણ સંજોગોમાં જો  હાઈટેક સાધનો યુદ્ધમાં નિસ્ફળ નીવડે નો તો મોટી મૂંઝવણ પણ ઉભી કરી શકે છે. આતો સંભાવનાઓની  વાત થઇ. પરંતુ  એક વાત ચોક્કસ છેકે હવે પછીના યુદ્ધો હાઈ ટેકની મદદથી જ લડાશે જેમાં ઓછા નુકસાને વધારે લક્ષ્યો મેળવી શકાશે અને  યુધ્ધો લાંબા સમય સુધી નહિ ચાલે.

                                       ************************************** 

Sunday, October 10, 2021

 


અર્થવ્યવસ્થાના પાયામાં 

                                                        અર્થવ્યવસ્થા દુનિયાના બધા દેશોમાં મુખ્ય ભાગ ભજવેછે. દેશની પ્રગતિમાં પણ  અર્થવ્યવસ્થા મહત્વની હોય છે. નાણાકીય અંધાધૂંધીએ  ઘણા દેશોમાં ક્રાંતિ લાવી દીધી છે. ફ્રાન્સ, રશિયા અને ચીન જેવા મોટા દેશો  પણ ક્રાંતિની ચુંગાલમાં  આવી ચુક્યા છે.

                                            દુનિયામાં અર્થવ્યવસ્થાને કેવી રીતે ચલાવવામાં આવે એના માટે ઘણી વિચારશરણી છે. તેમાં મૂડીવાદી , સામ્યવાદી અને સમાજવાદી  જેવી વિચારધારાઓ  પ્રસિદ્ધ છે. સામ્યવાદમાં જબરજસ્તીથી સમાજમાં સમાનતાની વાત છે જયારે સમાજવાદમાં સામાજિક સમાનતા સમજાવટ અને લોકશાહીના દ્વારા લાવવાની વિચારશરણી ધરાવે છે. જયારે મૂડીવાદમાં  સમાજના  લોકોનું વ્યાપક પણે લાભ ઉઠાવી થોડા લોકો દ્વારા લાભ લેવાની એક સરળ વાત છે. પરંતુ મૂળમાં તો લોકોનો હોશિયાર વ્યક્તિઓ દ્વારા નિર્બળ લોકોની  લાભ લેવાની સામાન્ય વૃત્તિ હોય છે. એમ પણ કહેવાય છેકે  મૂડીવાદમાં બહુ લોકો નિર્બળ લોકોનો લાભ લે છે જયારે સામ્યવાદમાં  થોડા લોકો બહુજનનો લાભ લે છે.

                                            પરંતુ રોમન કાળમાં માર્ક્સ સીકેરો એ જે વાત ૪૩ બીસી માં કરેલી છે તે આજે પણ  અર્થ વ્યવસ્થાને  લાગુ પડે છે. ગરીબો આખી જિંદગી કામ કરતા રહે છે. અને પૈસાદારો એમના ભોગે મઝા કરતા  હોય છે. જયારે સૈનિકો પર એ બંનેની રક્ષા કરવાની જવાબદારી હોય છે.

                                            ટેક્સ ભરનારાઓ  એ ત્રણે વર્ગના માટે પૈસા ભરતાહોય છે. બેન્કરો એ ચારો વર્ગના પૈસાને વાપરી લૂંટતા હોય છે . વકીલો આ બધાને ઊંધે રસ્તે વાળી પૈસા બનાવતા હોય છે. અને છેલ્લે સ્વાસ્થ્ય બગડતા એ બધા વર્ગો  ડોક્ટરોના બિલ ભરતા રહે છે. સમાજના ગુંડાઓ તો આ બધાને  ડરાવી જીવે છે.  જ્યારે મુદ્દાની વાત તો એ છે કે  ' રાજકારણીઓ એ બધા વર્ગોને ભોગે આરામથી જીવે છે.

                                           ટૂંકમાં અર્થવ્યવસ્થાના મૂળ તો માનવીની વૃત્તિ પર અવલંબે છે. ફક્ત સમાજના હોશિયાર  લોકો એને જુદી જુદી વિચારશરણી દ્વારા રજુ કરે છે.  કહેવાય છે કે ' મોટી માછલી હંમેશા નાની માછલીઓને  ખાઈ જાય છે એ મુખ્ય સિદ્ધાંત છે.

                                   *********************************  

                                              

Sunday, October 3, 2021

 


ઊડતી રકેબી- એક નઝર 

                                         આજે વિશ્વમાં પરગ્રહવાસીઓ પર એક ઉત્સુકતા છે.  ત્યાં  રહેવાસીઓ હશે ? હોય  તો શું  તેઓ આપણા કરતા વધારે આગળ વધેલા હશે? આવા અનેક પ્રશ્નો નિષ્ણાતોમાં ઉદ્ભવે છે .

                                          એ બાબતમાં આકાશમાં અજાણી  ઊડતી રકાબીઓએ લોકોમાં  ઉત્સુક્તાઓ વધારીદીધી છે. લોકોએ એકાંત જમીન પર  ઉતારેલા કે પછી આકાશમાં ઊડતી  રકાબી જેવા  અજાણ વાહન જોયા હોય  એવા પણ દાવાઓ  કરેલા છે .  વિમાન ચાલકો એ પણ આકાશમાં  એવી વસ્તુઓ  જોઈ હોય એવા અહેવાલો આપેલા છે.  આ બધા  સમાચારોએ લોકોમાં સારો એવો રસ ઉભો કરેલો છે. 



                                         આ ઉપરાંત કેટલાક લોકોએ એ દિશામાં વધુ સંશોધન સંરક્ષણની દ્રષ્ટિએ પણ કરવા માંડ્યું છે. ૨૦૦૪ થી ૨૦૨૧ સુધીમાં અમેરિકામાં  ૧૪૪ એવા અહેવાલો છે જેમાં વિવિધ  સ્થળે અજાણ્યા એવા નહિ ઓળખાઈ શકેલા  પદાર્થો જોવામાં આવેલા છે  જેને અજાણ્યા પરગ્રહવાસી  વસ્તુઓ માનવામાં આવે છે. ઇંગ્લીશમાં એને (યુએફઓ )  અનઆઇડેન્ટીફાઇડ  ફોરેન ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. ઘણા એણે તૂટી ગયેલા બલૂનના ભાગો તરીકે ઓળખાવે છે અથવા અજાણ વસ્તુઓ છે.

                                             આથી અમેરિકાની સંસદે એની તપાસ કરવા માટે એક કમિશનની નિમણુંક કરી હતી પરંતુ કમિશન પણ એના પર સ્પષ્ટતાથી કોઈ પ્રકાશ પાડી શક્યું નથી અને એ વસ્તુ  રહસ્ય જ રહ્યું છે.



એમનું માનવું છે કે ૧) એ આકાશમાં જન્મેલા ડ્રોન જેવા પદાર્થો છે. ૨)  કોઈ દેશના બહુજ સેક્રેટ આધુનિક વિમાનના સંધોધનમાંથી  ઉત્પન્ન થયેલું  વાહન પણ હોય શકે? ૩) બાહ્યગ્રહ પરથી આવતું  વાહન વિષે પણ વિચારી શકાય? આજ બતાવેછેકે  કમિશનનનો રિપોર્ટમાં  સ્પષ્ટતા નથી. અને ઊડતી રકાબીનું રહસ્ય વધુ ને વધુ ગાઢ થતું જાય છે.  અમેરિકાના લશ્કરી નિષ્ણાતોને બેજ વસ્તુ સતાવે છે કે પરગ્રહનું વાહન વિશ્વની સંરક્ષણ માટે અને આકાશમાં ઊડતી વિમાની સેવાઓ માટે પણ જોખમરૂપ છે.

                                            એવું પણ માનવામાં આવેછેકે રડાર અને સેન્સર સિસ્ટમની ચૂકને લીધે પણ  આવા પદાર્થોનો  આભાસ થઇ શકે છે. તે છતાં આ રહસ્યમય  પદાર્થ પર નઝર રાખવા એક કાયમી સંઘઠનની  જરૂરિયાત ઉભી છે એમ માનવામાં આવે છે.

                             વિશ્વનો દરેક માનવી ઇચ્છેછે કે  આ રહસ્ય પરથી જલ્દી પરદો ઉઠે .

                                         **************************

    


                     

Sunday, September 26, 2021



વૉરેન બુફેટ 

                                                      વૉરેન બુફેટ એ અમેરિકાના  આર્થિક નિષ્ણાત અને પૈસાદાર વ્યક્તિ છે. એમના આર્થિક જ્ઞાનને  માટે અમેરિકનોને એમના માટે ઘણું જ માન છે. એમના પૈસાનું અમેરિકન શેર બજારમાં રોકાણ કરી એમને અબજો ડોલરની કમાણી કરી છે. આથી વિશ્વના રોકાણકારો  એમની સલાહને દિલમાં રાખીને ઉતારે છે.

                        એમનું માનવું છેકે કમાણી  તો તમે સુતા હોતો પણ ચાલુ રહેવી જોઈએ નહિ તો પછી તમારે આખી જિંદગી કામ કરવું રહ્યું. શેરમાર્કેટમાં પૈસાવાળાનું  રોકાણ સારા પરિણામો માટે  વધુ ધીરજ માંગે છે એવું બ્રુફેનનું માનવું છે.  ખર્ચા  કાઢીને પછી બચત કરવી એ સારી ટેવ નથી . એના કરતા પહેલા બચત કરવી અને પછી ખર્ચ કરવું સારું.  બીજા  ડરતા હોય એવામાં રોકાણનું સાહસ કરવું જરૂરી છે. એકજ આવક પર આધાર રાખવા કરતા બીજી કોઈ આવક ઉભી કરવાનો  પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. એવું વોરેન બુફેટનું  માનવું છે.

                             બુફેટ કહે છે કે એક જ જગ્યાએ બધું રોકાણ કરવું અયોગ્ય છે. તે ઉપરાંત તમે અયોગ્ય વસ્તુઓને ખરીદતા જશો તો પછી તમારી પાસે જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાના પૈસા નહિ રહેશે. સામાન્ય માણસ પાસે પ્રમાણિકતાની આશા રાખવી નકામી છે કારણકે પ્રામાણિકતા  માટે મોટો ભોગ આપવો પડે છે. કોઈ નદીની ઉંડાણ માપવા માટે બન્ને પગો નદીમાં નાખવા જોખમી છે, એમ રોકાણમાં પણ એજ સિદ્ધાંત લાગુ પડે છે. 

                             મૂળમાં વૉરેન બુફેટની આર્થિક બાબતોમાં સફળતા પાછળ ઉપરના સિદ્ધાંતોને સમજવા જરૂરી છે અને ઉપયોગી છે.

                                           ************************************    

                                

   

Saturday, September 18, 2021

 


માં તે માં             

                                 મનુષ્યના જીવનના ઘડતરમાં માનું અનોખું પ્રદાન હોય છે. વિશ્વમાં એવો એક માનવી બતાવો કે જે એની માને પ્રેમ અને આદર ન કરતો હોય કારણકે માં સારા કી નરસા છોકરાઓ તરફ સરખોજ પ્રેમ ધરાવતી હોય છે. અને તે પણ નિસ્વાર્થ પ્રેમ! એવી આ એક વાત છે. જેમાં એક માએ પોતાના નિર્બળ પુત્રને કેવી રીતે મહાન   બનાવ્યો  હતો ?



                                  એક માને એના પુત્રના શાળામાંથી એના શિક્ષકનો એક પત્ર આવ્યો હતો. પુત્રે પૂછ્યું માં એમાં શું લખ્યું છે? માની આંખમાં આંસુ હતા. તારા શિક્ષક લખે છે કે ' તમારો પુત્ર એટલો  હોશિયાર છે કે અમારી નાની શાળામાં એને ભણાવવા માટે યોગ્ય શિક્ષક નથી. એટલે તમેજ એને ભણાવો. દીકરો માના આંસુ જોઈને સમજ્યો કે એ હર્ષના આંસુ હશે. 



                                   વર્ષો પછી એની માં  મૃત્યુ પામી અને પેલો છોકરો દુનિયાનો મહાન વિજ્ઞાનિક બની ચુક્યો હતો.એ જયારે માની જુની વસ્તુઓ  ફંફોળતો હતો ત્યારે પેલો પત્ર એના હાથમાં આવ્યો. અને એ આતુરતાથી વાંચવા માંડ્યો  એમાં લખેલા શબ્દો વાંચીને એની આંખમાં ફરીથી આંસુઓ આવ્યા. એમાં લખ્યું હતુંકે ' તમારો છોકરો માનસિક રીતે નિર્બળ છે. એથી એને અમે શાળામાં રાખી શકીયે એમ નથી. '



                                   એ છોકરો બીજું કોઈ નહિ પણ મહાન વિજ્ઞાનિક થોમસ આલવા એડિસન હતા.  એક માએ એક માનસિક રીતે નિર્બળ છોકરાને વિશ્વનો મહાન  વિજ્ઞાનિક બનાવી દીધો હતો. આ છે માનો નિસ્વાર્થ પ્રેમ અને આત્મશક્તિથી  ઉછેરનો એક ઉત્તમ નમુંનો!  આવા દુનિયા કેટલાએ ચમકતા તારાઓ  કેટલીયે અજાણી માતાઓની અથાક મહેનતને પ્રતાપે જ હોય છે.

                                    ******************************** 


Wednesday, September 1, 2021

 


જન્માષ્ટમી 

                                            ગઈકાલે જ ભગવાન કૃષ્ણનો  જન્મદિવસ ગયો.દરેકે પોતાના પ્રમાણે જન્મદિવસ ઉજવ્યો.  ઘણા લોકો કૃષ્ણના જન્મ દિવસને શ્રુંગાર સ્વરૂપે ઉજવે છે ક્યાંતો ભક્તિ રૂપમાં ઉજવે છે. 

                                             કૃષ્ણના શ્રુંગાર સ્વરૂપને  ઘણા રાસ , ગરબા ગાઈને પણ ઉજવે છે. ઘણા જન્માષ્ટમીની રાત્રીએ  જુગાર રમીને ઉજવે છે. પરંતુ ભગવાનના એ સ્વરૂપને સમજી શક્યા નથી. જીવનના બોજ અને પ્રશ્નો હળવા કરવા શ્રુંગારને સાચા અર્થમાં સમજવાની જરૂરિયાત છે.  યાદવો પણ દારૂમાં અને જુગારની લતમાં એક બીજાની સાથે લડી મારી ગયા હતા. એ પણ એક શ્રુંગાર રસનું એક વિકૃત સ્વરૂપ હતું.  એના શોકમાં ભગવાને ૧૨૫ વર્ષે પ્રભાસ પાટણમાં દેહ ત્યાગો હતો. સોમનાથના  દરિયા કિનારે જ  યાદવાસ્થળી થઇ હતી.

                          કૃષ્ણને  અને એના સંદેશને સમજીને ઉતારવાની જરૂરિયાત છે. જેથી જીવનના વિકટ પ્રશ્નોનો પણ નીવડો  આવી  શકે છે.   એના માટે કૃષ્ણ જીવનને  અને એના સંદેશો ને સમજવા જરૂરી છે. 

                            કૃષ્ણ એ ત્યાગ , પ્રેમ , કર્મ  અને આત્મા શુદ્ધિ માટે ઘણું કહ્યું છે.   જન્મ સાથે મોત નિશ્ચિત છે , ફક્ત આત્મા જ અમર છે. શરીર નાશવંત છે.  આથી  જીવનમાં આત્મા શૃદ્ધિની જરૂરિયાત છે. સારા કર્મો જ માણસને લોકોમાં  અમર બનાવે છે . નિષ્ઠા પૂર્વક આસક્તિ વિના સારા  કર્મો જ માનવીના જીવનમાં સુખ અને  શાંતિ લાવે છે.  બધું છોડીને જવાનું છે ત્યારે શા માટે લોકો  જીવનમાં પાપ , કપટ, વેર , ધિક્કાર , ઈર્ષા કર્યા કરે છે એ એક પ્રશ્ન છે?

                                         મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ ગાંધારી પાસે શોક પ્રગટ કરવા ગયા હતા  ત્યારે ગાંધારી એ એમને કહું હતું કે' મારા પુત્રોના સંહાર માટે તમેજ જવાબદાર છો. આજ પ્રમાણે તમારા વંશનો પણ નાશ થશે.' ત્યારે કૃષ્ણે એ સ્વીકારી 'તથાસ્તુઃ'  કહ્યું હતું.  આજ બતાવે છેકે કર્મનું ફળ તો ભગવાનને પણ ભોગવવું પડે છે. ભલે પછી એ કર્મ લોકકલ્યાણ માટે કેમ ન હોય? આથી જ કૃષ્ણએ કહ્યું છે ' ફળની આશા વિના જ કર્મ કરવું રહ્યું. ભલે પછીએ એ સારું કે  ખરાબ પણ  હોય.

                                         ભગવાન કૃષ્ણનો ૧૬ હાજર ઈન્દ્રીઓ પર કાબુ હતો એમાં એની રાણીકે ગોપીઓની ગણતરી કરી એને વિકૃત સ્વરૂપ આપવાની શી જરૂર છે ?

                                         મૂળમાં ભગવાન  કૃષ્ણનો માનવો માટે સંદેશો બહુજ સ્પષ્ટ  છે.

૧) જે બની ગયું તે સારા માટે જ હતું . જે બની રહ્યું છે એ સારા માટે જ છે. અને જે ભવિષ્યમાં બનશે એ પણ સારા માટે જ  હશે , એમ સમજવાથી જીવનના ઘણા પ્રશ્નો હળવા થઇ શકે છે.

૨)કર્મમાં મનુષ્ય નિમિત્ત માત્ર હોય છે કારણકે ફળ એના હાથમાં નથી.

૩) મનુષ્ય એકલો આવે છે અને મૃત્યુ  બાદ એકલો જાય છે.  ફક્ત વચમાં મોહ સાથે જીવન જીવી જાય છે. પરંતુ એ કેવું જીવન જીવે છે એ મહત્વનું છે.

૪)મનુષ્યે વર્તમાનમાં કામ કરીને ભવિષ્યની યોજના બનાવવી જોઈએ.

૫) ખરાબ થતું અટકાવવું   એની ફરજ છે.

૬) જીવનમાં સારા કામો માટે સંગર્ષથી ડરવું નહિ અને એના માટે ત્યાગ અને બલિદાન આપવામાટે તૈયાર રહેવું જોઈએ.

                                                 ટૂંકમાં કૃષ્ણના કાર્યો અને જીવનને સમજી  એને જીવનમાં યોગ્ય રીતે અનુસારવાથી જીવનના ઘણા પ્રશ્નોનો ઉકેલ મળી શકે છે . એ આપણા જ હાથમાં છે.

                                          ************************************* 

 


                                           

                                          


   

                         

Friday, August 13, 2021

 


હવાનું  પ્રદુષણ - સર્જેલી વિશ્વની પાયમાલી

                                                        એ  જાણીને  આશ્ચર્ય  થશેકે  ભારત , પાકિસ્તાન અને ચીન  આજે દુનિયામાં વધારેમાં વધારે પ્રદુર્શીત હવા લઇ રહયા છે . તે ઉપરાંત જગતના વધારે  ૫૦ પ્રદુર્શીત  શહેરો પણ એશિયામા જ  આવેલા છે. દિલ્હીનું  પ્રદુષણ વર્લ્ડ હેલ્થ સંસ્થાએ નક્કી કરેલા  માપદંડ  કરતા દસ ગણું વધારે છે. બાંગલાદેશમાં ૨૦%  મોત માટે પ્રદુષણ જવાબદાર છે . પાકિસ્તાન અને મોંગલીયાની  પણ એ બાબતમાં ગણી ખરાબ સ્થિતિ છે. પૂર્વ અને દક્ષિણ યુરોપ પણ એમના ઉદ્યોગોમાં, ખેતીમાં અને વાહન વ્યહવારમાં વપરાતા  પેટ્રોલ, ડીઝલ અને કોલસાને કારણે પ્રદુષણની પરિસ્થિતિ વિફરી છે. અમેરિકામાં પશ્ચિમ કાંઠે  ૨૦૨૦ જગલોની આગે પણ પ્રદુષણ એશિયા જેવા  સ્તરે  પહોંચાડી દીધું હતું. દિલ્હીમાં પણ આજુબાજુના પ્રદેશોમાં ખેતીના બાકી રહેલા વેસ્ટને બાળવામમાં આવે છે એ પણ દિલ્હીના પ્રદુષણમાં વધારો કરે છે. આફ્રિકામાં  પણ જંગલોની આગો પ્રદુષણ વધારી મૂકે છે. ઘણીવાર જંગલોમાં વીજળી પડવાથી આગો ભડકે છે, અને એનો ધુમાડો પ્રદુષણ માં વધારો કરે છે


 .

                                     પ્રદુષણ માનવીના મગજથી  માંડી , હાર્ટ , સ્વાસોસ્વાસ , કિડની , નર્વ સિસ્ટમ  અને ડાયાબિટસ જેવા રોગોને પણ વધારી દે છે અને ઘણા માણસોના  મૃત્યુ માટે  કારણભૂત  બને છે.  ૨૦૧૯ માં ભારતમાં  ૧૭ લાખ જેટલા માણસો પ્રદુષણને કારણે મૃત્યુ પામ્યા હતા,  જ્યારે ચીનમાં  ૧૮ લાખ માણસોનો પ્રદૂષણે ભોગ લીધો હતો. અમેરિકાએ પણ એ સમયમાં  ૬૦૦૦૦ જેટલા લોકોને ગુમાવ્યા હતા. આથી પ્રદૂષણ કોઈ પણ રોગચાળાથી ઉતરતી વસ્તુ નથી.



                                         એટલા માટે પ્રદૂષણથી બચવા લોક અને સત્તાધારીઓમાં જાગૃત્તિ લાવવાની જરૂર છે .  પેટ્રોલ અને ડિઝલના બળતણને દૂર કરી  થોડું ચાલીને કે પછી  સાઇકલ  જેવા વાહનોનો ઉપયોગ કરવાની આદત પાડવી જોઈએ . ઇલેકટ્રીક બેટરીથી ચાલતી મોટર કાર વાપરવી જોઈએ. શહેરોમાં લાકડા, કોલસા , પાંદડા ,  અને નકામી વસ્તુઓ બાળવાની બંધ  કરવી જોઈએ. ફટાકડાઓનો ધુમાડો પણ પ્રદુષણ વધારે છે. વધારે પડતા વાહનો ચાલતા હોય એવા વિસ્તારોથી દૂર રહેવું આવશ્યક છે. તે ઉપરાંત પ્રદુષણ દૂર કરવા માંગતા નેતાઓને પણ ટેકો  આપવો જોઈએ.

                  મૂળમાં જો પ્રદુષણને કાબુમાં નહિ રાખીએતો એ માનવ જાતને ભરખી જશે .                                            

                                             ************************  

                                                          

                                                               

 

                                                  

Sunday, August 8, 2021

 


મિત્ર 

                                                          મિત્રની મિત્રતા એટલે સીઝર અને બ્રુટસના  જેવી કે, મરતા મરતા બ્રુટસના  છરાના ઘાઓ સહન કરતા એકજ રટણ હતું 'બ્રુટસ તું પણ '. કૃષ્ણની સુદામાની મિત્રતા, જે   વર્ષો પછી મિત્ર સુદામાને મળવા માટે તડપતા કૃષ્ણની  વિરહ દોડમાં હતી . અંગ્રેજ મિત્ર ફોર્બસના મરણના  શોકમાં ડૂબેલા કવિ દલપતરામના આંશુઓમા પણ  મિત્રતા ટપકતી  હતી.આને  મિત્રતા કહેવાય!

                               શાળાના મિત્રોમાં મિત્રતા તદ્દન નિદોષ અને નિર્મળ હોય છે. કોલેજની મિત્રતામાં આદર્શ, લાગણી અને રંગીલાપણું વધારે ટપકે છે. એમાં નક્કરતાનો અભાવ હોય છે પણ મધુર હોય છે. જીવનની દોડમાં મિત્રતા એક બીજાને  મદ્દદ કરવાની ભાવનામાંથી જન્મે છે. પણ મિત્રતાએ મિત્રતા છે એક બીજાનો સહારો બનવાનની તમન્ના હોય છે. ઘણીવાર લંગોટિયા મિત્રોની મિત્રતા બહુ જ મધુર અને મીઠા સ્મરણોથી ભરપૂર છે અને એના ગાંઠ બહુ મજબૂત હોય છે.



                                ઘણા લેખકો અને કવિઓએ મિત્રતા વિષે ઘણું લખ્યું છે. મિત્રો ઘણીવાર નજદીકના સ્નેહો  કરતા પણ વધુ ટેકારૂપ બની રહે છે. આથી સારા મિત્રો મળવા એ પણ ભગવાનની કૃપા હોય છે. મિત્રતામાં ઊંચ નીચને કોઈ સ્થાન નથી. એક બીજાની નિર્બળતાને દોહરાવવાનો  પણ મિત્રતામાં કોઈ સ્થાન નથી. દિલોનો મેળાપ જ એક બીજાના મિત્રતાથી બાંધી દે છે. મિત્રતામાં ઈર્ષા ,અહમને કોઈ સ્થાન નથી. એટલેકે ખરી મિત્રતા નિર્મળ પ્રેમ પર અને સ્વાર્થ રહિત હોય છે. 

                              ' મિત્રતા ' પર જાણીતા લેખક  જય વસાવડાની કહે છે,

 મિત્ર 

                શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ છે

                મિત્ર તું ભગવાનથી પણ ખાસ છે 

                ઘા સમય જે રૂઝવી શકતો નથી 

                તું એ રૂઝવે છે , મને અહેસાસ છે.

                કેવા ઝગડા આપણે કરતા હતા 

                યાદ કરવામાંય  શો ઉલ્લાસ છે !

                વીતી વીતે વીતશે  તારા વગર

                એ પળો જીવન નથી  ઉપહાસ છે

                હાસ્ય ભેગા થઇ કરે જાગરણ 

                તકલીફો  કાયમી ઉપહાસ છે 

                એ ખભો નહિ હોય તો નહિ ચાલશે 

                એ ખભો ક્યાં છે ? એ મારો  શ્વાસ  છે 

                 મેરે વો  દોસ્ત હૈ  સારે જ્હાકો હૈ માલુમ 

                 દગા કરે વે કિસીસે , તો  શર્મ આયે મુઝે .  

                                     ********************************** 

                

                

                                   

                                   

                                     

Wednesday, August 4, 2021



કોરોનાનો પ્રકોપ -૨૦૨૦

                                         કોરોના વાઇરસની  બીમારીએ આખી દુનિયાનો સિનારો બદલી નાખ્યો છે. ૨૦૨૦ માં  એના પ્રકોપે  દુનિયાના સમાજ . ઉદ્યોગો , લોકોની રહેણીકરણીમાં , ફેરફારો લાવી દીધા છે. કોરોનાને લીધે અવાજનું પ્રદુષણ પણ દુનિયામાં ૫૦% ઘટી ગયું છે.  વાહન વ્યહવાર ઘટવાથી બીજી જાતના પ્રદુષણ પણ ઘટી ગયા છે. પરંતુ  સામાન્ય લોકોની પાયમાલી વધી ગઈ હતી.

                                            ઘણાને સમાજ , કુટુંબ  અને મિત્રોને પણ મળવાનો દરરોજના જીવન સંગ્રામમાંથી    વખત  ન હતો, તેવા લોકો પણ હવે એકબીજાની નજદીક આવી ગયા  છે.  કોરોનાએ બીજી બાજુ વિશ્વને  મોટો ફટકો માર્યો છે, જેથી ગરીબી અને  બેરોજગારી  વધી ગઈ છે. ૨૦૨૦ માં મહિનાઓ સુધી ડોક્ટરો અને સ્વાથ્ય કર્મચારીઓ પાસે કોરોના બીમારી ની કોઈ વેકસિન  નહતી . આથી દુનિયાભરમાં ૭૦૦૦ જેટલા સ્વાથ્ય કર્મચારીના પણ મૃત્યુ થયા . એક મિલિયનથી  વધારે લોકો એ બીમારીનો ભોગ બન્યા હતા અને ભૂખમરો વધ્યો હતો. કેટલાએ દેશોમાં મારી ગયેલા લોકોની લાશોને નિકાલ કરવા માટે સૈન્યની  મદદ લેવી પડી હતી . કેટલાએ દેશમાં લોક આઉટ થયો હતો  ને કામધંધા બંધ થઇ ગયા હતા.  લાખો લોકોએ  એક જગ્યાએથી  બીજી જગ્યાએ આશરો લોધો હતો અને લોકોની હાડમારીનો કોઈ હિસાબ નથી.



                                                        લાખો  કર્મચારીઓને ઘરેથી કામ કરવાની ફરજ પડી હતી અને એ પદ્ધતિ હવે કાયમ થશેકે શું ? સ્કુલો બંધ થવાથી વિશ્વભરમાં  ૧.૬ બીલીઓન  વિદ્યાર્થીઓ ઘરે બેઠા એમાંથી ૨૪ મિલિયન વિદ્યાર્થીઓએ  સ્કૂલો છોડી દીધી હતી. એમાંથી ઘણા બાળકો કદાચ  કામ પર લાગી જાય તો નવાઈ નહિ ! પ્રવાસ ઉદ્યોગ  જે વિશ્વમાં ૩૨૦ બિલિયનનો  છે તેમાં પણ ૯૮%  ઘટાડો થયો છે.  એનાથી વિમાની ઉદ્યોગને પણ નુકશાન થયું છે. લોકો ઘરમાં રહેવાથી હોટેલ ઉદ્યોગ પણ બીમાર છે. એમ કહેવાય રહ્યું છે કે આખરે ૨૦૨૦ નું  વર્ષ  ' એકાંતનું ' વર્ષ બની ગયું છે.

                                         એક વાત ચોક્કસ છે કે ૨૦૨૦ ના વર્ષે  દુનિયામાં ઘરખમ બદલાવ લાવી દીધો  છે અને કોરોનાના પ્રકોપે લોકો,  અને અર્થવ્યવસ્થામાં  પાયમાલી સર્જી છે. ગીતા તો કહે છે કે જે થાયછે એ સારા માટે હોય  છે. માટે એના સારા પરિણામોની પણ રાહ જોવી રહી. 

                                   ***************************************** 

                                        

                                            

Monday, July 19, 2021



  અફઘાનિસ્તાનની અવદશા 

                                                                 અફઘાનિસ્તાન સાથે ભારતના હજારો વર્ષોના સબંધ છે. મહાભારતની ગાંધારીનું અફઘાનિસ્તાન પિયર હતું અને દુશાશન ગાંધાર દેશનો રાજ કુમાર હતો . આજે પણ અફઘાનિસ્તાન એક પ્રાન્તનું નામ ગાંધાર છે. અફઘાનિસ્તાનમાં હિન્દૂ અને બુદ્ધ સંસ્કૃતિના અવશેષો છે. મધ્ય એશિયામાંથી મુસલમાન આક્રમણોએ અફઘાનિસ્તાનને  મુસ્લિમ રંગોથી ભરી દીધો અને એ ભારતીયતાથી અલગ કરી દીધી . તે છતાં ત્યાંની મુસ્લિમ પ્રજા ઉમદા, બહાદુર, વફાદારીમાં અજોડ છે. રવીન્દ્રનાથની પેલી વાર્તા 'કાબુલીવાલા' એક ઉમદા પઠાણની કહાની છે, જે આજે પણ વંચાય છે.

                                            અફઘાનિસ્તાન ડુંગરાળ પ્રદેશ છે એટલે એના પર  કબજો કરવો મુશ્કેલ છે. કબજો જમાવાય તો પણ એના પર કબજો જમાવી રાખવો મુશ્કેલ છે. આમ પણ  એની પ્રજા પણ લડાયક અને બહાદુર છે.  પહેલા રશિયાએ એના પર કબજો જમાવ્યો હતો . એક લાખથી વધારે સૈન્ય એમણે  ઉતાર્યું હતું . એ સામે પઠાણો સામે પડ્યા હતા. અમેરિકાને પણ રશિયાનો  કબજો ખડકતો હતો. તાલિબાન નામનું  ધાર્મિક પઠાણોનું એક  સંઘઠન  પાકિસ્તાનની મદદથી ઉભું કરી રશિયા સામે મોરચો ઉભો કરી દીધો. આમ પણ પાકિસ્તાન અફઘાનિસ્તાનનું  સારું ભાઈબંધ રહ્યું નથી.  તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં એવું યુદ્ધ  આદર્યું કે રશિયા અફઘાનિસ્તાનના  ડુંગરોમાં   ખોવાઈ ગયું.  રશિયા એ આખરે બિસ્તરા પોટલા બાંધીને અફઘાનિસ્તાનમાંથી  નીકળી જવાની ફરજ પડી. તાલિબાનોએ  અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો અને ઇસ્લામિક રાજ્ય સ્થાપી દીધું .ઇસ્લામિક આંતકવાદીઓએ પણ અફઘાનિસ્તાનમાં આશરો મળવા લાગ્યો . એમાં ઉસ્માન બિન લાદેને પણ અફઘાનિસ્તાનમાં 'અલ કાયદા' નામની સંસ્થા દ્વારા ઇસ્લામિક આંતકવાદને પ્રોત્સાહન આપવા માંડ્યું . એમાંથી જ અમેરિકા પર હુમલો કરવાનું  કાવતરાનો જન્મ થયો. 



                                                  'વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ 'પરના આંતકવાદી હુમલાની યોજના અફઘાનિસ્તાન જ થઇ હતી અને એથી અમેરિકા તાલિબાનો પર હુમલો કર્યો અને અફઘાનિસ્તાનનો કબજો લીધો. એમાં અફઘાન પ્રજા અને એની સંપત્તિનો નાશ થયો . વિમાની હુમલાઓએ અફગાનિસ્તાનમાં તબાહી મચાવી દીધી. ત્યારથી અફઘાનિસ્તાનની દશા બેઠી છે. એક તરફ અમેરિકાએ અફઘાનિસ્તાનને લોકશાહી સરકાર આપી તો બીજી બાજુ તાલિબાનોએ  ગોરીલા યુદ્ધ ચાલુ રાખ્યું . એ આંતરિક યુદ્ધમાં અફઘાનિસ્તાનની અવદશા થઇ ગઈ છે. પાકિસ્તાન હજુ પણ તાલિબાનોને મદદ કરી રહ્યું છે. હવે અમેરિકા પણ અફઘાનિસ્તાનમાં  હાંફી ગયું છેઅને અફઘાનિસ્તાનમાંથી નીકળી જવા માટે તૈયારી કરી દીધી છે. તાલિબાનો સાથે અમેરિકા સાથે સંધિ કરી છે પણ તાલિબાનો એ સંધિને પાળશે કે નહિ એ મોટો પ્રશ્ન છે.



                                                આજે પણ તાલિબાનો અફઘાનિસ્તાનના  ૩/૪ વિસ્તાર પર કબજો ધરાવે છે. રાજધાની કાબુલ પણ  સલામત નથી એવી વિપરીત પરિસ્થિતિ  છે. એવા સંજોગોમાં ભારતે અફઘાનિસ્તાન માં મૈત્રી રૂપે રસ્તા , બંધ , સ્વાસ્થ , વગેરેમાં સારું એવું રોકાણ કર્યું છે. જે હવે જોખમમાં છે. અને હવે અફઘાનિસ્તાનની અવદશા બેઠી છે એમાંથી કેવી રીતે બહાર આવશે એ એક મોટી સમસ્યા છે. 

અફઘાનિસ્તાનની  ઉમદા પ્રજાને  વગર વાંકે  સહન કરી રહી છે.

                                 *************************************

Friday, July 16, 2021

  


આર્યોની વૈદિક સંસ્કૃતિનું મૂળ

                                                                     ભારતની વૈદિક  સંસ્કૃતિ આર્યોને આભારી છે. પરંતુ એમના  વિષે ઘણા વિવાદો ચાલે છે. કેટલાકનું માનવુંછે કે આર્યો મધ્ય એશિયામાંથી ઉતરી ઉત્તરમાંથી ભારતમાં આવ્યા હતા તો કેટલાક એ માનવાતૈયાર નથી અને માને છેકે આર્યો મૂળ ભારતના જ હતા.

                                              ભારતમાં  શ્યામ રંગના આદિવાસી મૂળની કેટલીએ જાતિઓ છે. તેઉપરાંત જેમ દક્ષિણ ભારતમાં જાવ તેમ લોકોની ચામડીઓ શ્યામ થતી જાય છે. જયારે ઉત્તર ભારતમાં બહુજન  લોકોની ચામડી ધોળી હોય છે. એથી ભારતમાં બહારથી આવેલા કેટલાક  લોકોની શક્યતા વધી જાય છે. ઇતિહાસકારોએ પણ એ બાબતમાં સારું એવું સંધોધન કર્યું છે એ પરથી લાગે છેકે આર્યો વૈદિક સંસ્કૃતિ સાથે બહારથી ભારતમાં આવ્યા હોય એવી શક્યતા વધી છે.



                                             વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ ૫૦૦૦ થી ૧૦૦૦૦વર્ષ જૂનો છે.  રૂસમાં થયેલા સંધોધન પ્રમાણે  આર્કેટિક મહાસાગરની દક્ષિણે અને રશિયાની ઉત્તરે  ઉરલ પર્વતમાળા આવેલી છે. જેના ૨૦૭૨ મીટર ઉંચા શિખરનું  નામ ' માઉન્ટ નારદ નાયા ' તરીકે ઓળખાય છે. એટલેકે નારદ મુનિના નામથી નારદ શિખર તરીકે ઓળખવામાં આવેછે. ૧૯૧૭ની રશિયન ક્રાંતિ વખતે એનું સમર્થન કરવામાં આવ્યું હતું. નારદ મુનિ વીણા સાથે સારી દુનિયામાં ફરતા રહેતા એ વાત પણ બહુ પ્રચલિત છે.

                                          સ્ટીફન્સ કાનાકે કરેલા ૨૦૦૭ ના સંધોધન પ્રમાણે દસમી સદીની ભગવાન વિષ્ણુની  પ્રતિમા પણ રશિયામાં મળી આવી છે. એ જે વિસ્તારમાં મળી આવી છે એ વિસ્તાર 'સરાયા મેના' તરીકે ઓળખાયછે જેનો ઋગ્વેદમાં ઉલ્લેખ છે.



                                               તે ઉપરાંત રશિયામાં જુનવાણી ચર્ચ  થતી વિધિઓ હિન્દૂ  મંદિરમાં થતી વિધિ જેવી જ હોય છે.રશિયામાં ભારતમાં ઉજવાતો હોળી જેવો જ  તહેવાર'મસ્લેનીત્સા' ઉજવાય છે.રશિયા અને ભારતની આંકડા ગણવાની પદ્ધતિમાં પણ સામ્યતા છે.

                                                  રશિયામાં' ગૂડબાય'  ને રશિયન  ભાષામાં  ' ડોસ વિદાયન્યા' કહે છે જેમાં વિદાય શબ્દ  સંસ્કૃતમાંથી આવેલો છે. રશિયાની નદીઓના નામો  વ્યાસ , કામા ,નારા,  મોક્ષા, શિવા વગેરે પણ સંસ્કૃત ભાષામાંથી જ આવ્યા હોય એવું જ લાગે છે. રશિયામાં શહેરના નામની પાછળ 'ગોરોડ' લગાડવામાં આવેછે તે ભારતના શહેરોને લગાડતા ગઢ શબ્દને મળતો આવે છે.

                                                  પુરાતન કાળમાં  વૈદિક સંસ્કૃતિ  ઉરલ પર્વત માળા અને વોલ્ગા નદીના પ્રદેશમાં વિક્સિત થઇ હતી એમ માનવામાં આવે છે . આથી ભારત રશિયાના સબંધો ૧૦૦૦૦ વર્ષો પુરાણા છે. ત્યાંથીજ આર્યો આખા જગતમાં ફેલાયા એટલેકે યુરોપ અને અન્ય જગાએ.  લેટિન ભાષાનું મૂળ પણ સંસ્કૃત છે એ પણ ઉપરની માન્યતાને નિશ્ચિત કરેછે. એ પણ સત્ય છેકે બધી યુરોપીઅન ભાષાઓનું મૂળ લેટિન ભાષામાં છે.  આથી જર્મન લોકો પણ માને છે કે ભારતને અને જર્મનીને  પુરાતન સાંસ્કૃતિક સબંધો છે. હિટલરે તો જર્મની  માટે ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક  પ્રતીક સ્વસ્તિકને  રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવ્યું હતું. 

                                                    આ બતાવે છે કે ભારતીય વૈદિક  સંસ્કુતિ દુનિયાની પુરાણી સંસ્કૃતિ છે. જેના મૂળિયા અને ડાળીઓ જગત ભરમાં પથરાયેલા છે.

                                    ************************************

 

                                                

      

Wednesday, July 7, 2021



 બ્રેઈન 

                                                                                બ્રેઈન (મગજ ) એ શરીરનું અગત્યનું અંગ છે. એમાંથી ઉદ્ધભવતા રોગો માનવીને  પાંગળા બનાવી દે છે. સ્ટ્રોક , અલ્ઝેમેઇર  જેવા રોગો મગજમાંથી જ ઉત્ત્પન થાય છે માટે મગજને તંદુરસ્ત રાખવું આવશ્યક છે.

                             એના માટે મગજને અમુક કસરતોની જરૂરિયાત હોય છે. જલ્દી ચાલવાથી શરીરમાં લોહીમાં વધુ ઓક્સિજન મળે છે અને મગજને વધુને વધુ શુદ્ધ લોહી મળે  છે. આથી યાદ શક્તિ વધે છે  અને મગજને તંદુરસ્ત બનાવે છે. 

                              જ્ઞાન ને માટે કોઈ પણ મર્યાદા નથી. જીવનમાં માણસ વધારેને વધારે જ્ઞાન મેળૅવતા રહેવું જોઈએ જેથી મગજ વધુ ત્રીવ  અને તંદુરસ્ત રહે. જેટલું મગજનો વધારે ઉપયોગ કરો તેટલા  શરીરના બીજા અંગો  વધારે કાર્યક્ષમ બને   છે. માનસિક રમતો , વાંચન , વગેરે મગજને વધારે તંદુરસ્ત અને કાર્યક્ષમ બનાવે છે.એ દ્રષ્ટિએ લેખન પ્રવૃત્તિ પણ પણ એમાં ઉપયોગી થઇ શકે છે. મધુર સંગીત  ઘણીવાર મગજને રાહત પહોંચાડે છે. ટૂંકમાં મગજને અને શરીરને સારું રાખવા માટે સકારત્મક પ્રવૃત્તિઓ જરૂરી છે.



                               માનવી એ સામાજિક પ્રાણી છે એટલે  ઘાઢ સામાજિક સબંધો રાખવા પણ જરૂરીછે. સારા મિત્રો અને સામાજિક પ્રવૃત્તોમાં  તરબોળ રહેવાથી પણ મગજ એકટીવ રહે છે. લોકો સાથે સંપર્કમાં રહેવાથી મગજ દ્વારા બીજા શરીરના અંગોને પણ શક્તિ મળે છે. એકલતા એ માનવીનો મોટો દુશ્મન છે. એ માણસના મગજમાં  તણાવ, અરક્ષિતતાની  ભાવના, અને ડિપ્રેશન  લાવે છે જે મગજને નબળું બનાવે છે. એમાંથી કેટલીયે માંદગીઓ  ઉત્પન્ન થાય છે અને માનવીને મૃત્યુ તરફ દોરી જાય છે.

                               કેટલીયે બીમારીઓ માનસિક હોય છે જે બીમાર મગજના સંકેત આપે છે.  કેટલાએ દર્દો માનસિક હોય છે જેનું કોઈ નિવારણ નથી. આથી તંદુરસ્ત મગજ જ શરીરને સારું રાખે છે. તંદુરસ્ત મગજ જીવનમાં પ્રેમ, શક્તિ, સકારત્મકતા લાવે છે અને જીવનને આનંદમય બનાવે છે. એટલા માટે માનસિક તંદુરસ્તી જીવનમાં આવશ્યક છે.

                                                  ***************************

Monday, June 14, 2021

 


આદર્શ રાષ્ટ્ર ચરિત્ર- એનું ઘડતર 

                                               આજે જાપાન દુનિયામાં આદર્શ રાષ્ટ્ર મનાય છે. ત્યાંની પ્રજા આખી દુનિયામાં એમની શિસ્તબંધતા માટે પ્રખ્યાત છે. તે ઉપરાંત તે વિશ્વમાં સ્વચ્છતામાં અગ્રગણ્ય છે.  ગુનાઓનું પ્રમાણ પણ બધા દેશો કરતા એકદમ  ઓછું છે. જાપાન એક આદર્શ રાષ્ટ્ર  તરીકે કેવી રીતે ઉપસ્યું છે એ જાણવું ઘણું અગત્યનું છે.



                                                  જાપાનની શિક્ષણ પદ્ધતિ એ જાપાનનું ઉચ્ચ ચરિત્રનું નિર્માણ કર્યું છે. જાપાનના બાળકોને  નાનપણથીજ આદર્શ  જીવનના પાઠ ભણાવવામાં આવેછે. બાળકો રસ્તાઓ ઓળંગીને એને પ્રણામ કરેછે કારણકે સારા  રસ્તાઓજ એમના જીવનને શાળામાં જવામાટે સરળ બનાવે છે. તેમને નિર્જીવ  મશીનને પણ સારીરીતે વાપરવાની તાલીમ આપવામાં આવે છે. બીજાઓ સાથે નમ્રતા પૂર્વક વાત કરવાની બાળકોને તાલીમ આપવામાં આવે  છે.



                                                    બાળકોના માબાપ કદી બાળકોને મુકવા જતા નથી .દરેક બાળક  પોતાની રીતે જ  શાળામાં પહોંચે છે.શાળામાં પણ બાળકો પોતાનું ખાવાનું પોતે જ લઇ લે છે. ખાધા પછી  પોતાના વાસણો પોતેજ ધોઈ નાખે છે. આમ નાનપણથી એમને આત્મનિર્ભરતાના પાઠો શીખવવામાં આવે છે.



                                                      શાળામાં સાફસૂફી બાળકો જ કરે છે અને બાથરૂમો  સુધા બાળકો જ સાફ કરેછે . એથી શાળાઓને બાથરૂમની   સાફસૂફી મારે કોઈ માણસો રાખવા પડતા નથી.આથી બાળકોને સ્વચ્છતાના  પાઠ નાનપણથીજ શીખવવામાં આવે છે.



                                                       બાળકો તેમના માબાપને પણ મદદરૂપ  બનતા હોય છે. આવતાજતા તેઓ  ઘરને માટે જરૂરિયાતની વસ્તુઓ  ખરીદી કરતા હોય છે. નાંના બાળકોને રિસાયકલિંગના મશીનો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ ઘરના રિસાયકલિંગ કરવાની વસ્તુઓ મશીનો દ્વારા જાતે કરી શકતા હોય છે. આમ બાળકોને  નાનપણથી જ સારા નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે.

                                                    મૂળમાં તો આબધી તાલીમો ભાવિ નાગરિકોમાં ઉત્તમ ચરિત્ર ઘડવામાં મદદ રૂપ બને છે. આથી જાપાનમાં શિસ્ત , અને  ઉંચ્ચ વર્તણુંકનું વાતાવરણ છે. ટ્રેન માં ચડતી કે ઉતરતીવખતે   ધક્કામુક્કી થતી નથી. લોકો એક પછી એક ટ્રેનમાં ચડે છે. અને ઉતારનારાઓને પહેલા ઉતારી જવા દે છે. જયારે ઘણા દેશોમાં આવું શિસ્ત જોવા મળતું નથી.  જાપાની નાગરિકોમાં બીજાની કદર કરવાની  લાગણીઓ હોય છે. રમતો પુરી થયા પછી સ્ટેડિયમને લોકો જ સાફ કરી નાખે છે. 



                                                  એક્સલેટેર પર પણ શિસ્તપૂર્વક લાઈનમાં ઉભા રહે છે અને લાઈન ક્રોસ કરવાને કદી પ્રયત્ન કરતા નથી. ટૂંકા નાનપણથીજ આદર્શ નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે.  એથી  જ  જાપાન આજે દુનિયામાં સ્વચ્છ , શિસ્તબંધ,  અને ઊંચ ચરિત્ર ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે.


                                           ********************