Tuesday, November 12, 2019


 મોહ
                                                                                                   મોહ જ બધા દુઃખોના મૂળમાં હોય છે . મોહમાંથી જ માયા ઉત્ત્પન થાય છે જે એક મૃગજળ સમાન છે . ઘણા સંતો વિદ્વાનો ,અને ચિંતકોએ મોહ પર   સારું એવું લખી કે કહી ગયા છે.  પુત્ર મોહ, પૈસામોહ , કીર્તિ મોહ અને અહમને સંતોષવાના મોહે જ દુનિયામાં મોટા સંગર્ષો, અને  દુષણો  ઉભા કર્યા  છે.  મોહ એ એક મૃગજળ સમાન શા માટે માનવામાં આવે છે? એ બાબતમાં એક વિદ્વાને કહ્યું છેકે ' આજે જે તમારું છે જે ગઈકાલે બીજાનું હતું. આવતી કાલે એ કોઈ ત્રીજાનું થઈને રહેશે .આવી વસ્તુને તમે તમારું છે એમ માનીને આનંદ માણો છે. એ  મૃગજળ સિવાય બીજું શું  છે.?  આમાં તમે ખોટ્ટો આનંદ અનુભવી રહયા છો એજ આ દુનિયાનું  મોટામાં  મોટું દુઃખ અને શોકનું  કારણ છે.
                                                                                 તે ઉપરાંત મોહને વશ થઇ માનવી પોતાના શરીરની તૃપ્તિ  અર્થે પણ ઘણું કરે છે. પરંતુ એ  શરીર પણ  માનવીને ખબર નથી કે તેમનું નથી રહેવાનું અને માનવી પણ તેની સાથે રહેવાનો નથી . કારણકે મૃત્યુ એક સત્ય છે , અને મૃત્યુ  બાદ શરીરનો નાશ થાય છે. મૂળમાં તો માનવી એ વિચારવું જોઈએકે ' એની પાસે જે છે તે એ જન્મ વખતે સાથે લાવ્યા નથી . અહીં  જ મેળવ્યુંછે   અને મ્ર્ત્યુ બાદ સાથે લઇ જવાના નથી. જન્મ અને મ્ર્ત્યુ સત્ય છે એમ  ગીતાએ કહ્યું છે. આથી તમે અહીં આવવાની  અને  દુનિયામાંથી જવાની પક્રિયામાં કઈ મેળવ્યું નથી  અને કઈ ગુમાવ્યું પણ નથી. એથી જ તો કહેવાય છે કે આ દુનિયા મિથ્યા છે.

                                                                                   આથી જીવનમાં જે મળે છે એમાં સંતોષ માની આનંદ માનવો આવશ્યક  છે. આપણે માંગેલું  મળે એમાં આનંદ માનવા કરતા પ્રભુ ને ગમે અને આપે એમાં જ આનંદ માની લેવું જોઈએ. એથી જ ગીતા કહે છે  'કર્મનું ફળ ઈશ્વર પર છોડી દેવું જોઈએ.' મિથ્યા મોહમાંથી બહાર રહેવાથી જ જીવનમાં સાચો આનંદ મળે છે.

                                                                  એક કવિએ એથી વૈરાગીની જેમ વિચારીને લખ્યું છે કે-
હરિને ભજનારાને --
હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ
હરિનો આવે બુલાવોતો એને કોઈ ગમ નહિ
એને ભાઈઓ શું અને ભાંડુઓ શું?
ભગિની અને  પત્ની   શું?
પ્રભુના  મિલન સિવાય એને કોઈ રસ નહિ
એને ઈર્શા ના અને અભિમાન  નહિ
અહંમ તણો એનામાં અંશ નહિ
પ્રભુનો આવે બુલાવોતો  એને કોઈ ગમ નહિ
હરિને ભજનારાઓને -
                                                                  આથી માયાને દૂર કરવાથી જ બધા દુઃખો દૂર થઇ શકે છે.
સુખમય જીવન જીવી શકાય છે.
                                                ************************************
 
                                                                     
                                                        

Friday, November 8, 2019

 આ જગ્યાઓ પર જવાની મનાઈ

                                                           દુનિયાની એવી કેટલીઓ જગ્યા છે  જ્યા લોકોને જવાની મનાઈ છે. આથી કોઈકને  પણ આશ્ચર્ય  થાય અને પ્રશ્ન  પણ થાય કે એવી કઈ  બાબત છે જેનાથી દુન્યવી  માણસોને એ  જગ્યાઓથી  દૂર રખાય છે. એના કારણોમાં પણ વજૂદ છે.

                                                            બ્રાઝીલ પાસે  એક એવો   ટાપુ   છે   જે  જાત  જાતના    સાપોથી ભરપૂર  છે. એમાંના ઘણા સાપો  ખુબ ઝેરીલા  હોય છે  જે  કરડે તો  તો માનવી મ્ર્ત્યુ પામે છે. એથી એ ટાપુ પર જવાની મનાઈ છે.

                                                            અંદામાન, નિકોબાર નજદીક આવેલા એક ટાપુ પર ૫૦૦૦૦ વર્ષથી આદિવાસીઓ  રહે છે, જેમનો આપણી દુનિયા સાથે કોઈ  સંપર્ક નથી. તેઓનું જીવન તદ્દન                    જંગલીયાત ભર્યું  છે અને તેઓ   હિંસક  છે. જેઓ એ ટાપુ પર જવા પ્રયત્ન કર્યા છે. તેઓ પાછા ફર્યા નથી. એટલેકે મોતને ભેટયા છે. આથી એ ટાપુ પર જવા માટે મનાઈ છે.

                                                            નોર્વે દેશમાં એક વોલ્ટ છે જે પ્રલય જેવી આફતને માટે રાખવામાં આવ્યો છે . એમાં અનાજના બીઓ પણ રાખવામાં આવ્યા છે. એને વર્ષના પાંચથી છ દિવસ જ ખોલવામાં આવે છે. એથી એને બીજા  વોલ્ટની  જેમ ખોલી શકાતા નથી. એમાં મુકેલી વસ્તુઓ પૃથ્વીના પ્રલયપછી  કામ લાગે  એવી વસ્તુઓ રાખવામાં  આવી છે. એથી અને ગમે ત્યારે ખોલવાની મનાઈ છે . એને 'ડૂમ ડે વોલ્ટ' કહેવામાં આવે છે.


                                                            વેટિકનની બહુજ ખાનગી લાયબ્રેરીમાં કોઈ જઈ શકતું નથી એમાં પોપના ખાનગી પત્ર વ્યહવાર, ખ્રિસ્તી ધર્મના ખાનગી અને પ્રાચીન  દસ્તાવેજઓ  પણ રાખવામાં આવેલા છે. વેટિકન એ ક્રિશ્ચન ધર્મનું વડુ મથક અને સ્વતંત્ર રાજ્ય છે. આથી એ ખાનગી  લાઈબ્રેરીમાં જવાની મનાઈ છે.

                                                          કોકોકોલાનું  વડુ મથક અમેરિકાના  જોર્જિયા રાજ્યમાં આવેલું છે ત્યાં ૧૨૫ વર્ષ જૂનું કોકોકોલાનું  મ્યુઝિયમ આવેલું છે. એને 'કોકોકોલા વોલેટ' કહેવામાં આવે ત્યાં ખાનગીમાં  કોકોકોલાની ફોર્મ્યુલા રાખવામાં આવેલી છે. એની જાણ ફક્ત બે વ્યક્તિઓને જ  હોય  છે.

                                                           ચીનના પહેલા સમ્રાટ  કયૂન શી હુઆંગ નું ૨૦૦૦૦ વર્ષ પહેલા ઊંડે  દફનાવેલા શબને પિરામિડ માં રાખવામાં આવેલું છે. ત્યાં  જવાની મનાઈ છે. કારણકે માનવીઓએ  ઉત્સુકતામાં ઘણી કબરો ખોદી કાઢી છે.

                                                             ઇટાલીની નજદીકમાં આવેલા પૉવા ગલિયાના ટાપુ પર જવાની મનાઈ છે. ભૂતકાળમાં ઈટાલીના ૧૬૦૦૦  માનવીઓ જે ચેપી રોગથી પીડાતા હતા તેઓને ત્યાં તેમના છેલ્લા દિવસોમાં રાખવામાં આવ્યા હતા. આથી એ ટાપુને  પ્રદુષણ ગ્રસ્ત મનાય છે.  આથી ત્યાં જવાની મનાઈ છે.
                                                             દુનિયામાં  બીજી પણ ઘણી જગ્યાઓ છે  જ્યા જવાની મનાઈ છે. કારણકે એ જગ્યાઓ પર જવું એમના હિતમાં નથી.
                                  ****************************************
                                                             
                                                                          

Monday, November 4, 2019


ચાલવાના ફાયદાઓ 
                                                                                        માનવીને સ્વસ્થ જીવન જીવવા માટે થોડી સામાન્ય કસરતોની જરૂર હોય છે. આથી શરીરને  સરળ ઉપાયો દ્વારા પણ તંદૂરસ્ત રાખી શકાય છે. સરળમાં સરળ ઉપાય તો  દરરોજ સવારસાંજ ૧૫ મિનિટ ચાલવાથી પણ ફાયદો થાય છે. ધીમે ધીમે શાંતિપૂર્વક અને કોઈના જાતના તણાવ વગર પ્રફૂલ  હૃદયે  ચાલવાથી શરીરને  માનસિક, અને  શારીરિક ફાયદો પણ થાય છે.
                                      ચાલવાથી શરીરની કેલેરીઓ  વપરાઈને માણસની તંદુરસ્તીને  વધારે છે. હ્રદયને મજબૂત બનાવે છે.શરીરના સાંધાઓના દુખાવાને ઓછા કરે છે. રોગોનો સામનો કરવાની શરીરની  શક્તિમાં  વધારો કરે છે.  માનવની ઉર્જામાં વધારો કરી એની ઉંમરમાં વધારો કરે છે. માનવીનું લોહીનું દબાણ પણ ચાલવાથી  ઓછું થાય છે  અને  માનવીના  મનને  પ્રફૂલ્લિત બનાવી  એને નવજીવન અર્પે છે.

                                       થોડું પણ ચાલવાથી માનવીના પગ મજબૂત થાય છે અને પગના  સ્નાયુઓ પણ મજબૂત થાય છે.  માનવીની સર્જનાત્મક શક્તિમાં પણ વધારો થાય છે. આથી બને એટલું સવારસાંજ ચાલવું જોઈએ.  વખતનો અભાવ હોય તો  પણ દિવસના ૩૦ મિનિટ ચાલવું માનવીની તંદુરસ્તી માટે એકદમ આવશ્યક છે.
                                       ગમે ત્યાં કે પછી ગમે તે વખતે ચાલવું બરાબર નથી.  બને ત્યાં સુધી  ચાલવા માટેની ફુટપાટો કે પાર્કમાં  ચાલવું. સવાર અને સાંજના આછા અજવાળામાં કમર  બેટરી કે પછી રેફ્રેક્ટર લગાડી ચાલવાથી અકસ્માત  નિવારી શકાય છે . ચાલવાને અનુરૂપ બુટ અને થોડા હળવા કપડા પહેરવાથી  ચાલવું સુગમ પડે છે . સૂરજના તાપથી  બચવા માટે સન સ્ક્રીન પહેરવું આવશ્યક છે. ચાલવા પહેલા અને ચાલ્યા બાદ વધારે પાણી પીવું જોઈએ જે ડિહાડ્રેશનથી શરીરનું રક્ષણ કરે છે.

                                      જરૂરી બધા પગલાં લઈને ચાલવાથી શરીર જરૂર તંદુરસ્ત રહે છે. એટલા માટે થોડો સમય  ચાલવા માટે દરેક માનવીએ દિવસના અંતે આપવો  એ એમના  સ્વાસ્થ્યના  હિતમાં છે .
                                        ************************************