Sunday, July 9, 2017


સફળ માનવીઓનુ ચિંતન
                                                                                                   રાજકીય અને સરકારી બાબતો બહુજ  રસદાયક હોય છે અને ઍમા પડેલા રાજકારણીયો સારી રીતે વાકેફ હોય છે. ઘણા રાજકારણીઓે ઍ નિખાલસ પ્રમાણે  ઍના પર પોતાના વિચારો રજૂ કરેલા છે.  તે ઉપરાંત રાજકારણીઓ માટે કોઇ જાતની આવડતની જરૂરીયાત હોતી નથી. ઘણીવાર જાનતાને ભોગે ઍ લોકો ઘણુ શીખી લે છે.

                                                                                                        ઍ બાબતમા અમેરિકન રાજકારણી   જૉન આદમઍ કટાક્ષમા કહ્યુ છે કે "  મારા વર્ષોના અનુભવ પરથી કહુ છુકે ઍક નકામો માણસ શરમજનક બની રહે છે. જ્યારે  બે નકામા માણસો કાયદાકીય કંપની પણ બનાવી શકે છે. અને મારુ માનો  તો ત્રણ થી વધારે નકામા માણસોની સરકાર બની રહે છે."  માજી અમેરિકન પ્રમુખ રેનોલ્ડ રીગન આગળ વધી કહે છેકે " સરકાર ઍક તરફ  ઍવી કડી છે જે વધારેને વધારે સત્તાની ભૂખ ધરાવતી  સંસ્થા છે પણ બીજી  તરફ બિનજવાબદાર હોય છે" રોનાલ્ડ રીગન સરકાર ઑછામા ઑછી સત્તા વાપરે  ઍ મતના હતા.  ટૂકમા રાજકારણીઓ પાસે ઑછી સત્તા હોય અને પ્રજા વધુ સ્વતંત્ર હોય ઍ દેશના હિતમા હોય છે.  ઍઑસોપ ન નામનાચિંતક્નો  રાજકારણીયો વીશેનો  અભિપ્રાય જાણવા જેવો છે. ઍ  માનતા કે'  સામાન્ય ચોરને ફાંસી પર લટકાવી દેવામા આવે છે અને મોટા ચોરોને ઉચ્ચ સામાજીક ઓધ્ધા પર મુકવામા આવે છે.'

                                                                                                        આપણને ખબર છેકેચાર્લી ચેપ્લિન હાસ્યના બેતાજ બાદશાહ હતા પરંતુ  ઍમના જીવનના અનુભવો જાણવા જેવા છે.  ઍમનુ માનવુ  હતુ કે' દુનિયામા કોઈ પણ ચીજ કાયમી નથી. મુશ્કેલીઓ પણ નહી'.  આખી દુનિયાને હસાવનારે ક્હ્યુ કે '  મને વરસાદમા ચાલવુ ગમે છે કારણકે કોઈ પણ મારા આંસુ જોઈ ન શકે.'   હાસ્ય ઍમનુ જીવન હતુ. ઍ માનતા કે જે દિવસે હસ્યા ન હોઇઍ ઍ વ્યર્થ દિવસ છે. ટૂકમા  દુખ અને મુસીબતોમા પણ માણસે હસતા રહેવુ જોઇઍ જેથી દુખ ઑછુ થાય.

                                                                                                            બધા દુખોના મુળમા માણસની આકાંશાઓની નિષ્ફળતા છે. ડેલ કારનેગી કહે છેકે' સફળતા ઍને જ મળે છે જે દિલ લગાવીને કામ કરે છે'. તે ઉપરાંત બીજાના ભલા માટે કરેલ કામની સફળતામા જે  આનંદ  મળે ઍ અનોખો હોય છે. ઍટલે આલ્બર્ટ  આઈનસ્તાઈન  કહે છે કે ' બીજાના માટે જીવવુ જ ઉત્તમ છે.'  ઍ બધા દુખોનુ ઑસડ છે.

                                                    *********************************

Thursday, July 6, 2017


નીંદર
                                                                                     દરેક માનવી ઍના જીવનનો ૧/૪ ભાગ  ઉંઘવામા કાઢે છે.  તે ઉપરાંત જો કોઈને ૧૦ દિવસ સુધી ઉંઘ ન આવે તો ઍ મોતને ભેટી શકે છે. આથી ઉંઘ ઍવી ચીજ છે  જે માનવીના મગજના તંતુઓને નવુ જીવન આપે છે અને શરીરના  શુક્ષમ સેલોની માવજત પણ કરે છે. ઉંઘ દરમિયાન  લોહીમા અગત્યના હોરમન્સ પણ ઉત્ત્પન થાય છે. ઍથી ઉંઘ માનવીના જીવનનુ અગત્યનુ અંગ છે.
                                                                                       નાના બાળકો દિવસના ૧૬ કલાક જેટલુ ઉંઘે છે, જ્યારે યુવાનો દિવસના દસ કલાક ઉંઘે છે. જેમ ઉંમર વધતી જાય છે ઍમ ઍમ ઉંઘ ઑછી થતી જાય છે. આથી  મધ્યમ વયના લોકો આંઠ કલાક ઉંઘે છે અને વૃધ્ધો ૬ કલાકો જ ઉંઘે છે. ઘણા વૃધ્ધો તો  ઈનસોમિયાની બિમારીથી પીડાતા હોય છે.

                                                                                          ઉંઘમા સ્વપ્નાઓ પણ આવે છે. ઍમા માણસોને ૭૦% સ્વપ્નો જાણીતા ચહેરાઓ વિષે આવે છે.  ઍમાના ૧૨% જેટલા સ્વપ્નો સામાન્ય રીતે   બ્લૅક/ વાઇટ મા હોય  છે.
                                                                                           માનવીની સુવાની આદત પરથી  ઍના સ્વભાવને નક્કી કરતુ  શાસ્ત્ર પણ અસ્તિત્વમા છે.

                                                                                             પશુ અને પક્ષીઓમા પણ ઍમની આદતો જૂદી જુદી હોય છે.  કોઅલાસ (ઔસ્ટરાલિયાનુ  પ્રાણી) દિવસના ૨૨  કલાક  ઉંઘે છે જ્યારે ઍશિયન હાથીઓ દિવસના  આસરે ૩ કલાક જ ઉંઘે છે.  ઉંઘમા ડૉફલિનનુ અડધુ મગજ ચાલુ હોય છે જ્યારે બિજુ અડધુ મગજ ઍને   શ્વાસોશ્વાસ  લેવામા  મદદ કરે છે.

                                                                                              આંધળાઑ જોઈ શકતા નથી પરંતુ ઉંઘમા  સપનાઓમા  આકૃતિઓ જોઈ શકે  છે. આ બધી નીંદરની અજાયબીઓ છે. પરંતુ ઍક વાત સત્ય છે કે જે માનવીને સંતોષકારક ઉંઘ આવતી હોય ઍ સુખી અને નસીબદાર ગણાય છે અને ઍનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે  છે.

                                                                     ***************************************

Saturday, July 1, 2017


યુરોપનુ મુસ્લીમીકરણ
                                                                                   ઍક જમાનમા યુરોપના ઘણા દેશોઍ પોતાની રાજ્ય સત્તાઓ ઘણા દેશોમા સ્થાપેલી હતી. ઍ ગુલામ દેશોના લોકોની સમૃધ્ધિને નીચોવી પોતાના દેશોમા લઈ ગયા. જ્યારે ઍમાથી યુરોપના ઘણા દેશોઍ પોતાનો  ઉધ્ધાર પણ કર્યો. પરંતુ હવે ઍવુ લાગે છે કે પછાત અને ગરીબ દેશોના લોકોઍ યુરોપ તરફ દોટ મૂકી છે. ઍમાથી મુસ્લિમો પણ બાકાત નથી. બીજુ યૂરોપને સસ્તા મજુરોની પણ જરૂર છે ઍમા કેટલાઍ મુસ્લિમોને નિરાશ્રિત તરીકે પણ સમાવવામા આવ્યા છે. આંતકવાદના  ઉધ્ધભવે ઍમાના કેટલાક મુસ્લિમોઍ યૂરોપને આંતકવાદની હોળીમા હોમી દીધુ છે.

                                        ઘણા લોકો તો ઍટલે સુધી કહી નાખ્યુ છે કે ' યુરોપનુ મુસ્લીમીકરણ થવા માંડ્યુ છે ' પરંતુ ઍ કથન વધારે પડતુ અને ક્સમયનુ છે.  છતા યુરોપની મુસ્લિમ વસ્તીના આંકડાઓ જોતા ઍના  પડછાયા દેખાઈ રહયા છે. યુરોપના મુસ્લિમ વસ્તીના નીચે બતાવેલા  આંકડાઓ જોતા જણાશે કે  યૂરોપમા મુસ્લિમોની વસ્તી ઍક દાયકામા ૧% લેખે વધી રહી છે.  ફ્રાન્સમા મુસ્લિમો ઍની વસ્તીના ૭.૫% છે. જ્યારે   બેલ્જિયમ મા ૫.૯ % છે.  બ્રુસેલ્સમા  તો ઍક ઍવો ઍરિયા છે જે તદ્દન મુસ્લિમ છે જ્યા જવા માટે પોલીસે પણ પૂરતી તૈયારી કરીને જવુ પડે છે.  જર્મનીમા મુસ્લિમો વસ્તીના ૫.૮ %  છે, જ્યારે 'યૂકે' મા વસ્તીના ૪.૮  છે.  પરંતુ બધે મુસ્લિમ સંઘથિત છે અને મળતા બધા સામાજીક ફાયદાઓનો લાભ ઉઠાવે છે.

                                             આ  બાબતમા ' યુકે' નો દાખલો જોવા જેવો છે.   નવ મોટા શહેરોના મેયરો મુસ્લિમો છે. ઍમા લંડનનો પણ સમાવેશ થાય છે.  'યૂકે' મા ૩૦૦૦ જેટલી મસ્જિદો છે.  ૧૩૦ મુસ્લિમ શેરિયત કોર્ટ છે, અને ૫૦ મુસ્લિમ શેરિયત કાઉન્સિલ છે. ૭૦% મુસ્લિમ સ્ત્રીઓ અને ૬૩% મુસ્લિમ પુરુષો કામ કરતા નથી અને  ફ્રી મળતા સામાજીક અને રહેઠાણ ની  સગવડોનો ફાયદો ઉઠાવે છે. આમ ૪ મિલ્લિયનમુસ્લિમો  ૬૬ મિલિયનની  વસ્તીમા ફાયદાઓ મેળવે છે, ઍજ ઍમનો પ્રભાવ બતાવે છે.
                                                      *****************************************