Monday, December 19, 2022

 


લોકશાહી હોય તો આવી

                                           ભારત એ દુનિયાની મોટામાં મોટી લોકશાહી ગણાય છે. તે ઉપરાંત ભારતમાં લોહશાહી  પુરાણીક વખતમાં પણ મોજુદ હતી એમાં ગૌરવ લેવાય છે. પરંતુ હજારો વર્ષની ગુલામીએ ભારતની એની ઉચ્ચ ભાવનાઓને કચડી નાખી.  લોકો સત્તા અને પૈસા સામે વામણા બની ગયા.  અને લઘુ ગ્રંથીતી પીડાવા માંડ્યા છે. આજે લોકશાહી હોવા છતાં પણ   ભારતની લોકશાહી પરિપક્વ બની નથી.  ભારતના બંધારણના  ઘડવડીયા  બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું કે ' ભારતના લોકોની   હીરો ભક્તિથી આપણે લોકશાહીને બચાવવાની છે કારણકે આખરે તો તેઓ પણ  મનુષ્યો છે.'  એમની વાતમાં ઇતિહાસિક તત્વ સમાયેલું હતું. આથી ભારતીય લોકશાહીને પરિપક્વ બનાવવા માટે ઘણું હજુ ઘણું કરવાંનુ છે.

                                       અમેરિકામાં પણ લોકશાહી છે પરંતુ ત્યાં અધિકતમ લોકો શિક્ષિત અને સચિત છે. પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટણી હારી ગયા ત્યારે તેમણે ચૂંટણી પદ્ધતિ સામે આંદોલન ચલાવ્યું હતું અને એમાં અમેરિકન સંસદ પાર હુમલો પણ થયો હતો. પરંતુ અમેરિકાનું  લોકશાહી તંત્ર કોઈની શરમ રાખતું નથી. ભલે અમેરિકાની આબરૂને લાંછન લાગ્યું હોય પણ પરિસ્થિતિ કડકાઈથી સાંભળી લીધી હતી.

                                      ત્યારબાદ ટ્રમ્પની  સામે મહવિયોગનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો. જોકે અસફળ નીવડ્યો હતો.  ટ્રમ્પ સામે તપાસ આગળ વધારવા સંસદીય સમિતિ નોમાવામાં આવી હતી.હવે એનો અહેવાલ હવે આવી રહ્યો છે. એમાં ટ્રમ્પ સામે  સરકાર સામે બળવો કરાવવાનો, સરકારી  કામમાં અવરોધ ઉભો કરવાનો , અને સરકાર સામે કાવતરું કરી  ઠગાઈ કરવાના આરોપો મુકવામાં આવ્યા છે . જો એ સાબિત થશે તો ટ્રમ્પને જેલ જવાનો વારો આવે એમ છે. તે ઉપરાંત  ટ્રમ્પની  બે કંપનીઓ કરચોરીમાં દોષિત જાહેર કરવામાં આવી છે. અને ટ્રમ્પના આવકના અમુક વર્ષોના  ફોર્મો  પણ  જાહેર કરવાની અમેરિકન કોર્ટે મંજૂરી  આપી દીધી છે. આથી ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે. આનો અર્થ એજ છેકે અમેરિકન કોર્ટો, અમેરિકન વહીવટ તંત્ર અને સંસદ  આગળ કોઈ પણ વ્યક્તિ ઉપ્પર નથી પછી ભલે એ વ્યક્તિ પ્રમુખ  હોય કે પછી ધનવાન હોય . અમેરિકન લોકશાહી કોઈની સામે  ઝૂકતી નથી. 

                                             ભારતમાંતો કોઈ પણ સત્તાધારી નેતાને કે ધનવાનોને કાયદાની ચુંગાલમાં લાવી સજા કરાવવામાં તો  બહુજ મુશ્કેલ કામ  છે. એથી ભારતે લોકશાહી સંરથાઓને વધુ મજબૂત કરવા કેટલા વર્ષો હજુ જશે એનો કોઈ ખ્યાલ નથી. 

                  લોકશાહીના દુષણો કરતા લોકોને ફાયદાઓ મળવા જોઈએ એ સમયનો તકાદો છે. 

                                ********************************************

Saturday, December 17, 2022



વોલમાર્ટ અમરિકાની એક અજાયબી 

                                                                          વોલમાર્ટ એ અમેરિકાનો એક રાક્ષસી સ્ટોર છે એને ચલાવવાની ગોઠવણી અદભુત છે. કોઈ એક દેશનો વહીવટ ચલાવવા જેવી આવડત માંગી લે છે કારણકે દર એક કલાકે અમેરિકનો $ ૩૬૦૦૦૦૦૦/- જેટલી ખરીદી એના સ્ટોરો દ્વારા કરે છે, અને દરેક મિનિટે વોલમાર્ટ $૨૦૯૨૮/- નો નફો કરે છે.



                                                    તે ઉપરાંત વોલમાર્ટ  અમેરિકાના કેટલાએમોટા  સ્ટોરો જેવાકે હોમ ડીપો, ટાર્ગેટ , કોસકો , કે માર્ટ , ભેગા કરો તો પણ મોટો છે.  એના વિવિધ જગ્યાએ ફેલાયેલા સ્ટોરોમાં લાખોં લોકો કામ કરે છે. આમ એ ઇતિહાસિક દ્રષ્ટિએ પણ મોટામાં મોટો નોકરી આપનાર સ્ટોર બની ચુક્યો છે.



                                                     દુનિયાના કોઈ પણ સ્ટોર કરતા વધારે ખાદ્ય પદાર્થ વેચનાર સ્ટોર છે .એના પોતાના ૩૯૦૦ સ્ટોરો છે. એ સ્ટોરો કોઈ પણ અમેરિકેનો ઘરથી ૧૫  માઈલ કરતા દૂર નથી. એથી અમેરિકેનો માં ઘણો પ્રખ્યાત છે.



                                                     આટલા મોટા સ્ટોરનો  વહીવટ એટલો અદભુત છે કે કોઈ રાજ્યના વહીવટને પણ વટાવી જાય છે. એથી એનો વહીવટ   દુનિયાના વેપારીઓ માટે પ્રેરણા દાયક છે. 

                                      *********************************************  

Wednesday, December 7, 2022



ચોગડીયું 

                                                           હિન્દૂ ધર્મમાં સારું  ચોગડીયું એ કોઈ પણ શુભ  કામના શરૂઆત માટે  પસંદ કરવાંમાં આવે  છે. ચોગડીયું કામની સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે.  એટલે લોકો શુભ મુર્હત છેપણ જોવડાવે છે. એમાં ચોગડિયાની પસંદગી પણ આવી જાય છે. 

                              દિવસના આઠ ચોગડીયા હોય છે જે  દોઢ કલાકને અંતરે બદલાય છે. પહેલું ચોગડીયું   અને છેલ્લું ચોગડીયું એક જ હોય છે. એટલેકે પહેલું  અંતે પાછું આવે છે. ટૂંકમાં જેવી શરૂઆત એવો દરેક વસ્તુનો અંત  હોય છે. એજ જીવનનો મુખ્ય સંદેશ છે. આજ બતાવે છેકે  હિન્દૂ ધર્મમાં દરેક વસ્તુ પાછળ  તર્ક  અને  વજૂદ કારણો હોય છે.



                               મૂળમાં આઠ ચોગડિયામાં  ચલ  શુભ લાભ, અમૃત , ઉદ્વેગ રોગ  અને કાળ હોય છે  જેમાએક ચોગડીયું બે વાર આવે છે. એમાં ઉદ્વેગ  રોગ , અને કાળ નકારત્મક  હોય છે જ્યારે શુભ , લાભ અને અમૃત હકારત્મક હોય છે. એટલે શુભ કામ માટે  હકારત્મક વાતાવરણની જરૂરિયાત હોય છે. જયારે ચલને તટસ્થ માનવામાં આવે છે.



                                  ટૂંકમાં વિજ્ઞાનક અને તર્ક ભર્યા કાર્યોં માટે શુભ સમયની જ પસંદગી કરવામાં આવેછે. એથી કાર્યોં સફળતા પૂર્વક પુરા થાય છે. એના માટે શુભ અને અશુભ સમય દિવસ દરમિયાન  બતાવવામાં આવે છે. આથી જ હિન્દૂ માન્યતાઓ તર્ક અને વિજ્ઞાનિક કારણો પર આધારિત  હોય છે. 

                                  **********************************


                            

Friday, December 2, 2022



એક વનવાસી નેતા  

                                          ધર્મ  પ્રત્યેની લાગણીઓ  દરેક મનુષ્યમાં હોય છે. પછી ભલે એ  ઉચ્ચ શિક્ષિત  સનાતની  હોય કે પછી એ અશિક્ષિત  આદિવાસી હોય .  ભારતમાં અંગ્રેજો આવ્યા બાદ ક્રિશ્ચન મિશીનરીઓનીપ્રવૃત્તિઓ વધી અને આજે આપણે જોઈએ છેકે પછાત પ્રદેશોમાં ગરીબ અને અશિક્ષિત લોકો ક્રિશ્ચન બની ચુક્યા છે. એમાં મિશીનરીઓ તરફથી અપાતી આર્થિક અને શિક્ષણિક લાભો પણ જવાબદાર છે.

                                          આવી ક્રિશ્ચન   મિશીનરીઓની પ્રવૃત્તિ સામે ગુલામીના વખતમાં પણ ઘણા આદિવાસી નેતાઓએ લોકોને જાગૃત કરી એમાં  બિરસા    મુંડાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.  ઇતિહાસમાં એની જોઈએ એવી નોંધ લેવાંમાં આવી ન હતી પણ સ્વતંત્ર ભારતે હવે એની નોંધ લીધી છે અને આદિવાસી નેતા   બિરસા  મુંડાને એના ક્રિશ્ચન મિશીનરીઓ સામેની  લડત અને  બલિદાન માટે નવાજવામાં આવ્યા છે.



                                               ૧૫૦ વર્ષ પૂર્વે ક્રિશ્ચન મિશીનરીઓ ઓરીસ્સા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ  જેવા પછાત પ્રદેશોમાં વધારે પ્રવૃત્તિમય હતી ત્યારે  બિરસા   મુંડાએ તેમની સામે લડત ઉપાડી હતી અને હિંદુઓને  ક્રિશ્ચન બનાવવા સામે ઉગ્ર લડત ચલાવી હતી. તેની   સામે અંગ્રેજ સરકારે  આદિવાસીઓ  પર   જુલમ ગુજાર્યો   હતો. જેલોમાં તેમને નાખી દઈ એમના પર અસહ્ય જુલમ ગુજાર્યો હતો.

                                                   બિરસા   મુંડા નો જન્મ  ઝારખંડના લોહરદગા ગામમાં ૧૮૭૫ માં આદિવાસી કુટુંબમાં થયો હતો. એમનો જન્મ બૃહસ્પતિ વારે થયો હતો એથી એમનું નામ બિરસા  રખ્ખા રાખવામાં આવ્યું હતું. શિક્ષણ અને બીજી મદદો માટે એમણે ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો અને એમનું નામ  બિરસા  ડેવિડ રાખવામાં આવ્યું. એમણે મિશીનરી સ્કૂલોમાં ક્રિશ્ચન ધર્મનો પ્રચાર અને હિન્દૂ ધર્મની અવગણના જોઈ એથી એમનું ર્હદય દ્રવી ઉઠ્યું  અને ફરીથી ધર્મ બદલી અને ક્રિશ્ચન મિશીનરીઓ  સામે લડત ચલાવી જેનું નામ ' ઉલ ગુલામ  ' આપ્યું એટલે કે ' ભારી કોહરામ '. એ ક્રાંતિકારી લડતમાં અનેક આદિવાસીઓને  ગોળી મારવામાં આવી ને જલિયાંવાલા જેવો હત્યા કાંડ કરવામાં આવ્યો. એમનું ૨૪ વર્ષની ઉંમરમાં જેલમાં જ મૃત્યુ થયું . માનવામાં આવે છે કે જેલમાં એમને આરસનિકનું  ઝેર આપવામાં આવ્યું હતું.



                                                 તેઓ આદિવાસી હતા પણ સ્વાતંત્ર સૈનિકની જેમ અંગ્રેજો સામે જુજમ્યા હતા અને શાહિદ થયા હતા. તેઓ આદર્શવાદી હતા. માંસ, શરાબના વિરોધી હતા. ગાય અને તુલસીની પૂંજાને  હિન્દૂ સનાતન સંસ્કૃતિ પ્રમાણે પ્રોત્સાહન આપતા હતા.

                                                    તેમણે ૧૩ વર્ષ સુધી આદિવાસીઓના ટેકા સાથે અંગ્રેજ રાજ સામે લડતા રહયા હતા. એક દેશ ભક્ત સ્વતંત્ર વીરની જેમ  વનવાસીઓમાં જાગૃતિ લાવી સ્વતંત્રતાની ચીંગારી પ્રજવિત કરી હતી.  જે મુશ્કેલ કામ હતું. ભારત એમના માટે આજે પણ એમનું ઋણી  છે.

                                                       ********************************