Saturday, January 26, 2013












ડીઍનઍ અને જીન
============
                                 ડીઍનઍ અને જીન  સાયન્સે  મેડિકલ વિભાગમા અદભૂત પરિવર્તન લાવ્યા છે. કેટલાઓ ગુનાઑ અને સામાજીક પ્રશ્નોને ઉકેલવામા મ દ દ કરી છે. ભૂતપુર્વ  ગવર્નર ઍન ડી તિવારી ને જ્યારે ઍમના લોહીના નમુના  ઉચ્ચ અદાલતે ઍક  વિવાસ્પદ કેસમા આપવાની ફ્રરજ પાડી ત્યારે મોટો હોબાળો મચી ગયો હતો. ઍમની આનાકાની પણ તદ્દન  સમજી શકાય ઍમ છે કારણકે ઍમના પિતૃત્વની  પરીક્ષા ઍમના ડી ઍન ઍ  દ્વારાજ થઈ શકે ઍમ છે.
                                  ઍજ પ્રમાણે  ગુગલના  સ્થાપક સરજી બ્રિનની પત્નીને જ્યારે ઍમના જીન રિપોર્ટ પરથી ખબર પડીકે ઍમના જીનમા અમુક ઉણપો છે જેનાથી ઍમના બાળકોને અમુક રોગો થવાના સંભવ છે તો ઍણે અત્યારથી ઍ પ્રમાણે કાળજી પોતાના બાળકોની લેવા માંડી છે.  પરંતુ  સાયન્સની આગેકૂચે કેટલીક બાબતોને ગુચવાડા ભરી બનાવી દીધી છે. દરેક વસ્તુની માહિતી વખતસર થવી જોઇઍ. જલ્દી કે વિલંબમા ગુંચવાડો ઉભો થાય છે. લોકો માટે ચિંતાનો વિષય બની જાય છે. જીન શોધનો ઉપયોગ ઍવા રોગો માટે થવો જોઇઍકે જેના માટેના પગલા તર્ત લેવાની જરૂરીયાત હોય. ભવિષ્યના થવાના રોગોની આગાહિથી હાયતોડો કરવાથી શુ ફાયદો?
                                   તેથી ઘણા ડોક્ટોરોને નિષ્ણાતો માને છેકે જીન વિશેની માહિતી વેબ પર જ રાખવી જોઇઍ અને જરૂરીયાત પૂરતી જ માહિતી દરદીને પુરી પાડવી જોઇઍ. ઍક વાત ચોક્કસ છેકે જીનની લગતી શોધોઍ શરીર શાસ્ત્રનો ભંડારો ખોલી નાખ્યો છે. પરંતુ દરેકને ડીઍનઍ અને જીન વિષે જાણવાની ઉત્સુકતા તો જરૂર થાય જ !
                                   માનવીના શરીરના બધા જીનોની શોધખોળમા ૨.૭ બિલિયન ડૉલર્સ વાપરવામા આવ્યા છે. ઍક ચમચી લોહી ને અમુક રસાયણ સાથે ભેળવી ડી ઍન ઍ મેળવ્યા બાદ મશીન દ્વારા માનવીના સંપૂર્ણ જીનો વિષે માહિતી મેળવી શકાય છે.  ૨૧ જીનોની ઉણપ દ્વારા જાણી શકાય કે કઈ સ્ત્રીઓના સ્તન કૅન્સરની  કઇ જાતની કેમીઓથેરેપિ વડે સારવાર આપી શકાય. આથી ઘણો ખર્ચો બચી જાય છે.  ઍપીઑઈ૪ જીન બાળકમા હોય તો ઍને મગજને લાગતો રૉગ થવાઁની શક્યતાઑ વધી જાયછે. આથી હવે ડાયાબિટીસ, કૅન્સર, અન પારકિનસન જેવા રોગોની આગાહી જીન સાયન્સ પરથી કરી શકાય છે. પરંતુ આગાહીઓ માનવીના જીવનને સુખી કરવા કરતા દુખી વધારે કરે છે. કારણકે ઍનો નજદિકમા કોઈ ઉપાય હોતો નથી. આ બતાવે છેકે ઘણીવાર જાણકારી કરતા અજાણતા આશીર્વાદ રૂપ બની રહે છે.  તે છતા માનવીના આરોગ્યમા જીન શાશ્ત્રે  ક્રાંતિ લાવી દીધી છે.
                                              ****************************

Saturday, January 19, 2013











ભારતની વિષમ પરિસ્થિતિ
=================
તાજેતરના ગેંગ બાળાત્કારના બનાવ બાદ ભારતની આબરૂનુ ધોવા ણ થઈ ગયુ છે. લોકોમા અને સ્ત્રીઓમા પણ અસલામતીની ભાવના ઉત્પન થઈ છે. વહીવટ અને ન્યાય તન્ત્રોના વિલંબને કારણે લોકોમા રોસ ભભુકી ઉઠ્યો છે.
                               ભારતની નાણાકીય, આંતરિક, અને આંતરાસ્ટ્રીય પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે. પાકિસ્તાન, ચીન, નેપાળ, અને બાંગ્લાદેશ જેવા વિરોધી  દેશો વચ્ચે ભારત ઘેરાયેલૂ લાગે છે. દેશમા ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને મોંઘવારી પર કોઈ કાબૂ નથી રહ્યો. ધનવાનો અને ગરીબો વચ્ચેનો તફાવત વધતો જાય છે.
                                ૨૦૧૨મા નિકાસમા ૭.૪%નો ઘટાડો થયો છે. પેટ્રોલ અનેસોનાની માંગને કારણે દેશ પર નાણાકીય બોજ વધતો જાય છે. જીડીપી ઘટીને ૨૦૧૨ મા ૫.૩% પર રહ્યો છે.  કરંટ અકાઉંટ  ડેફિસિટ  જીડીપી ની ૫% છે.  ઍ ૧૯૪૯ ના આંકડાઓ કરતા પણ ખરાબ છે.  આ પરિસ્થિતિની અસર રૂપિયા પર થઈ છે અને રૂપિયો ડૉલર સામે રૂપિયા ૫૫ પર પહોચ્યો છે. નિષ્ણાતોનુ માનવુ છેકે રૂપિયાની કિંમત ઘટીને ૬૦ સુધી પહોચી શકે છે. કરંટ અકાઉંટ ડેફિસિટ ૨૨.૩ બિલિયન ડૉલર સુધી પહુચિ ચૂકી છે. આ બતાવે છેકે ભારત નાણાકીય સંકટ નો સામનો કરી રહ્યુ છે.
                                 આ વિષમ સંકટોમા થી બચવા માટે પ્રામાણિક અને લોખંડી નેતાની  જરૂરીયાત છે. ત્યા સુધી ભગવાન જ  ભારતને બચાવે.
                                 *****************************************

Tuesday, January 8, 2013



ગુલામી કાળના કાયદાઓ
====================
                                          ભારત હજારો વર્ષોથી ગુલામ હ્તુ અને અંગ્રેજોઍ ભારતને વ્યવસ્થિત રીતે ગુલામ બનાવ્યુ હતુ. ઍમણે આપણા લોહીમા ઉતારી દીધુ છે કે ઍમણે સ્થાપેલી બધી વસ્તુઓ ઉત્તમ છે અને ભારતીય બધી વસ્તુઓ ઉતરતી કક્ષાની છે. તેથી આપણી આધુનિક પેઢી પણ ઍમાથી બહાર આવી નથી. સ્વતંત્રતાને માણવા માટે સ્વતંત્ર માનસિક અવસ્થાની જરૂરત છે. આવતી મુક્ત પેઢીજ કદ્દાચ ઍ અવસ્થામાથી ભારતને મુક્ત કરાવશે.
                                    ભારતમા હજુ પણ અંગ્રેજી યુગના ઘણા કાયદાઓ ચાલુ છે. આપણા બંધારણમા, ક્રિમિનલ અને સિવિલ કાયદાઓમા, ન્યાય પધ્ધતિમા હજુ પણ અંગ્રેજી કાયદાઓં અને પધ્ધતિઓ ચાલે છે.
                                    અમેરિકા અને આધુનિક દેશોમા, ખરાબ રીતે ઘાયલ લોકોને, કે પછિ જીવલેણ હુમલામા મદદ કરવી ઍ લોકસેવાનુ કાર્ય ગણવામા આવે છે જ્યારે ભારતમા ઍને કાયદાની ચુગાળમા ફસાવા સમાન માનવામા આવે છે. આથી માનવતા ભૂલી કોઈ ઍમા પડવા માંગતુ નથી. અરે ગુનેગાર પકડાઈ જાય તો પણ ઍને સજા થતા વર્ષોના વર્ષો નીકળી જાય છે. અને સાક્ષીઓને હેરાન ગતિનો પાર હોતો નથી. આથી ઍવા દાખલાઓમા કોઈ જલ્દી મદદ કરવા આગળ આવતુ નથી. ઍ ભારતીય વ્યવસ્થા પધ્ધતિની કમનશીબી છે.
                                     દાખલા રૂપ અત્યારના જ સમુહ બાળાત્કારના કૅસમા દિલ્હીના રસ્તા પર ઘાયલ  સ્ત્રી નગ્ન અવસ્થામા લાંબો સમય પડી રહી ઍ શરમ જનક ઘટના હતી.  ઍની પાછ ળ કાયદાની ચુંગાળમા ન ફસાવવાની લોકોની વૃત્તિ જ કામ કરી ગઈ હતી. પોલીસો પણ ઍ સ્ત્રીને મદદ કરવામા વિલંબ કર્યો હતો કારણકે તેઓ કાયદાની ચુંગાળમા ફસાયેલા હોય ઍવી વર્તનૂક કરી હતી.
                                    આથી કાયદાઓને સમય પ્રમાણે બદલવાની જરૂરીયાત છે. જૂના કાયદાઓંનુ અવલોકન કરી નવા કાયદાઓ બનાવવાની પણ જરૂરીયાત છે. ઘાયલ અને વીપત્તિમા આવેલા લોકોને પહેલા મદદ મળવી જોઇઍ, પછી કાયદાકિય પ્રક્રિયા થવી જોઇઍ.  નાગરિકોઍ પણ આવા કિસ્સાઓમા ઍમની ફરજ જરૂર પડે તો બલિદાન આપિને બજાવવી જોઇઍ. સ્વતંત્રતા હમેશ  દેશવાસીઓનુ બલિદાન માગે છે.
આથી કહેવાય છેકે-
સ્વાતંત્રતા
---------
સ્વાતંત્ર વીરો પોતાનુ  ફના કરી સ્વાતંત્ર અપાવી ગયા
ઍને જાળવવાની  ફરજ દેશવાસીઓને   સોપતા ગયા
મેળવવા જેટલુ આપ્યુ ઍનાથી જાળવવા વધુ જોઈશે
કારણ કે  સ્વતંત્રતા કદી મફતમા ક્યા મળે છે?
તમે ઍને રક્ષણ ન આપો, તો ઍ પાછી ભાગી જશે.
ભારત દેસાઈ
                                         =============================