Monday, June 14, 2021

 


આદર્શ રાષ્ટ્ર ચરિત્ર- એનું ઘડતર 

                                               આજે જાપાન દુનિયામાં આદર્શ રાષ્ટ્ર મનાય છે. ત્યાંની પ્રજા આખી દુનિયામાં એમની શિસ્તબંધતા માટે પ્રખ્યાત છે. તે ઉપરાંત તે વિશ્વમાં સ્વચ્છતામાં અગ્રગણ્ય છે.  ગુનાઓનું પ્રમાણ પણ બધા દેશો કરતા એકદમ  ઓછું છે. જાપાન એક આદર્શ રાષ્ટ્ર  તરીકે કેવી રીતે ઉપસ્યું છે એ જાણવું ઘણું અગત્યનું છે.



                                                  જાપાનની શિક્ષણ પદ્ધતિ એ જાપાનનું ઉચ્ચ ચરિત્રનું નિર્માણ કર્યું છે. જાપાનના બાળકોને  નાનપણથીજ આદર્શ  જીવનના પાઠ ભણાવવામાં આવેછે. બાળકો રસ્તાઓ ઓળંગીને એને પ્રણામ કરેછે કારણકે સારા  રસ્તાઓજ એમના જીવનને શાળામાં જવામાટે સરળ બનાવે છે. તેમને નિર્જીવ  મશીનને પણ સારીરીતે વાપરવાની તાલીમ આપવામાં આવે છે. બીજાઓ સાથે નમ્રતા પૂર્વક વાત કરવાની બાળકોને તાલીમ આપવામાં આવે  છે.



                                                    બાળકોના માબાપ કદી બાળકોને મુકવા જતા નથી .દરેક બાળક  પોતાની રીતે જ  શાળામાં પહોંચે છે.શાળામાં પણ બાળકો પોતાનું ખાવાનું પોતે જ લઇ લે છે. ખાધા પછી  પોતાના વાસણો પોતેજ ધોઈ નાખે છે. આમ નાનપણથી એમને આત્મનિર્ભરતાના પાઠો શીખવવામાં આવે છે.



                                                      શાળામાં સાફસૂફી બાળકો જ કરે છે અને બાથરૂમો  સુધા બાળકો જ સાફ કરેછે . એથી શાળાઓને બાથરૂમની   સાફસૂફી મારે કોઈ માણસો રાખવા પડતા નથી.આથી બાળકોને સ્વચ્છતાના  પાઠ નાનપણથીજ શીખવવામાં આવે છે.



                                                       બાળકો તેમના માબાપને પણ મદદરૂપ  બનતા હોય છે. આવતાજતા તેઓ  ઘરને માટે જરૂરિયાતની વસ્તુઓ  ખરીદી કરતા હોય છે. નાંના બાળકોને રિસાયકલિંગના મશીનો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ ઘરના રિસાયકલિંગ કરવાની વસ્તુઓ મશીનો દ્વારા જાતે કરી શકતા હોય છે. આમ બાળકોને  નાનપણથી જ સારા નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે.

                                                    મૂળમાં તો આબધી તાલીમો ભાવિ નાગરિકોમાં ઉત્તમ ચરિત્ર ઘડવામાં મદદ રૂપ બને છે. આથી જાપાનમાં શિસ્ત , અને  ઉંચ્ચ વર્તણુંકનું વાતાવરણ છે. ટ્રેન માં ચડતી કે ઉતરતીવખતે   ધક્કામુક્કી થતી નથી. લોકો એક પછી એક ટ્રેનમાં ચડે છે. અને ઉતારનારાઓને પહેલા ઉતારી જવા દે છે. જયારે ઘણા દેશોમાં આવું શિસ્ત જોવા મળતું નથી.  જાપાની નાગરિકોમાં બીજાની કદર કરવાની  લાગણીઓ હોય છે. રમતો પુરી થયા પછી સ્ટેડિયમને લોકો જ સાફ કરી નાખે છે. 



                                                  એક્સલેટેર પર પણ શિસ્તપૂર્વક લાઈનમાં ઉભા રહે છે અને લાઈન ક્રોસ કરવાને કદી પ્રયત્ન કરતા નથી. ટૂંકા નાનપણથીજ આદર્શ નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે.  એથી  જ  જાપાન આજે દુનિયામાં સ્વચ્છ , શિસ્તબંધ,  અને ઊંચ ચરિત્ર ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે.


                                           ********************    

                                                  

                                   

Sunday, June 13, 2021

ઈરાન 

                                                    આજકાલ ઈરાન ચર્ચામાં છે. એકતો ઈરાનને અણુ બૉમ્બ  બનાવી ઇસ્લામી જગતમાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે. બીજું  ઇસ્લામમાં સુન્ની અને શિયા જે બે પંથો છે. તેમાં ઈરાનમાં શિયાઓની બહુમતી છે. એટલે સુન્ની એવા સાઉદી અરેબિયા સાથે દુશ્મની  છે.   ત્રીજું  ઈરાનને  ઇઝરાયેલ સાથે  દુશ્મની છે, એથી એ ધરતી પરથી ઇઝરાયેલનું નામનિશાન કાઢીનાખવા માંગે છે. 



                                              અણુબોમ્બ બનાવવાની ઈરાનની  પ્રવૃત્તિએ પશ્ચિમ જગત સાથે દુશ્મનાવટ ઉભી કરી છે. એથી આજકાલ અમેરિકાએ ઈરાન પર કડક પાબંધીઓ લગાવી દીધી છે. આ કારણે ઇરાનનના અખાતમાં આજકાલ તંગદિલી પ્રવર્તે છે. 

ઈરાનમાં આજકાલ કટ્ટર મુસ્લિમ મુલ્લાઓનું રાજ છે. એથી આજકાલ ઈરાન વિશ્વમાં એકદમ વિવાદાસ્પદ દેશ બની રહ્ય્યો છે.આ બધા વિવાદોમાં ઈરાન પાસે તેલોના ભંડાર છે એ મહત્વની બાબત છે જે ઈરાનનું મહત્વ વધારી દે છે. 


                                                  ઇતિહાસિક દ્રષ્ટિઓ જોઈએતો ઈરાન એક વખત બહુજ  સમૃદ્ધ અને સંસ્કારી દેશ હતો.પરંતુ મઘ્ય એશિયામાંથી આવેલા મોંગોલ અને હુન્ન આક્રમણોએ  એમની સંસ્કૃતિ, સમૃદ્ધિ, અને વિશાળ પુસ્તોકોના ભંડારોનો નાશ કર્યો . ભારતમાં આવેલા આર્યો  ઈરાન દ્વારા જ આવ્યા હતા . એથી ઇરાનનનો અર્થ આર્ય ભૂમિ થાય છે. ઈરાનમાં જ  લોખંડની અને અગ્નિની શોધ થયેલી . નહેરો દ્વારા ખેતીની પદ્ધતિ પણ ઈરાનથી શરુ થયેલી . ઈંટો દ્વારા ઘર બાંધવાની  શરૂઆત  ઈરાનથી થયેલી . ફિરદોશીના 'શાહનામામાં ' એનો ઉલ્લેખ છે.

                                                     પ્રેમાળ , કોમળ , મધુર  અને દયાવાન પારસીઓ પણ ઈરાનથી ભારત આવ્યા હતા.  પારસીઓ ઇરાનના રાજાઓ જમશેદ અને હોસંગેના ફરજંદ છે . પારસી પ્રજા ભારતને મળેલી ઈરાનની  એક અનોખી ભેટ છે. પારસીઓની વસ્તી ભારતમાં એક લાખથી વધારે નહિ હોય પણ એમનું પ્રદાન ભારતના વિકાસમાં  અનોખું છે.એવો ભાગ્યે જ પારસી જોશોકે જે ભૂખે મરતો હશે.  પારસી પંચાયત, પારસી હાઉસિંગ કોલોનીઓ ,  પારસી સમાજની દેન છે . ભારતમાં સ્ટીલ, ટ્રાવેલ , હોટેલ અને  અન્ય ઉદ્યોગોમાં પણ પારસીઓ આગળ છે. આમ ઈરાન અને ભારતના સબંધો બહુજ પ્રાચીન અને ઊંડા છે.

                                            **************************

   

Friday, June 4, 2021



નિષ્ણાતો 

                                                   ગમેતેવા ગુંચવાયેલા પ્રશ્નોનો  ઉકેલ નિષ્ણાતો દ્વારા લાવવામાં આવે છે . પરંતુ એમના અનુમાનો પણ ઘણી વખત ખોટા પુરવાર થાય છે  એ બાબતમાં ટાટા ઉદ્યોગના  વડા રતન ટાટા કહે છે કે ઘણી બાબતોમાં નિષ્ણાતો નિસ્ફળ નીવડ્યા છે. 

                               બીજા વિશ્વ યુદ્ધને અંતે જાપાન પાયમાલ થઇ ગયું હતું અને નિષ્ણાતોનુ  માનવું હતું કે જાપાનને હવે કોઈ ભવિષ્ય નથી પરંતુ ત્રણ દાયકામાં જાપાને  અમેરિકાના  માર્કેટને પણ મહાત  કરી નાખ્યું. 

                              એજ પ્રમાણે રાજકીય નિષ્ણાતો માનતા  હતા કે અરબો ઈઝરાયેલને  વિશ્વના  નકશા પરથી નાબૂદ કરી નાખશે પરંતુ ઇઝરાયેલ હજુ  અડગ ઉભું છે.

                               અમુક પક્ષીઓના સાઈઝને કારણે અને  એરોડાયનેમિક્સના નિયમો પ્રમાણે ઉડી જ ન શકે એવું વિદ્વાન માને છે તે છતાં બૂમબલ  નામનું પક્ષી  ઉડી શકે છે કારણકે એમને એરોડાયનામિક્સ નિયમોની ખબરજ હોતી નથી. 

                       ક્રિકેટ નિષ્ણાતોના મતે ભારત ૮૩ ના વર્લ્ડ કપમાં નઝરમાં જ ન હતું પણ ભારતે એ કપ મેળવ્યું  હતું. જેનું જીવન સામાન્ય ન હતું એવી અરૂણિમા સિંહા પણ માઉન્ટ એવરેસ્ટ  ચડી ગઈ હતી .



                     નિષ્ણાતોએ  કોરોનાને કારણે આર્થિક પડતીની આગાહી કરી છે.  પણ રતન ટાટા માને છે કે  આપણે કોરોનાને પરાજય આપી ને આર્થિક રીતે સધ્ધર થઇ  મહાનતાથી આગળ વધશું એમાં શંકા નથી .

                                                              *****************