Friday, March 24, 2023

 


કુદરતનો ખોફ 

                                                    આજકાલ અનિયમિત હવામાનમાં કુદરતના  ક્રોધના   દર્શન છે.  વધારે પડતો વરસાદ કે પછી ઠંડી કે પછી ગરમીમાં કુદરતનો ખોફ  નજરે પડે છે. દરિયામાં સુનામી કે પછી નદીઓમાં પૂર પણ કુદરતી આક્રોશની નિશાની છે.

                                  ઉત્તર ધ્રુવમાં મોટી બરફ શિલાઓ છૂટી પડીને દરિયામાં તરવા માંડી છે જે દરિયાના સ્તરને ઉપ્પર લાવશે અને દુનિયામાં દરિયાકિનારે વસેલા શહેરોમાં તબાહી લાવશે એમાં શંકા નથી.

                                   તે ઉપરાંત ધરતી કંપ પણ તબાહી લાવી રહ્યા છે. તુર્કી , સીરિયા, અફગાનિસ્તાન, અને નેપાળ સુધી ધરતી કંપે તબાહી  મચાવી દીધી છે. હજારો માણસોના જાન અને અબજોની મિલકત  નાશ પામી છે. ધરતી કંપે  ઉત્તર ભારતની ધરતીને  પણ ધ્રુજાવી નાખી છે. એમાં દિલ્હી પણ બાકાત નથી.

                                 કમોસમી વરસાદે ઘણા ઉભા પાકોનો નાશ કર્યો છે અને ખેડૂતોનો ભયંકર નુકસાન કરી રહ્યો  છે. વરસાદના પાણી પુરથી તબાહી લાવી રહ્યા છે. આ બધું અકુદરતી  રીતે થઇ રહ્યું છે.

                                  વધારે પડતી ગરમી અને ઠંડીએ કોવિદ-૧૯ જેવા અનેક વાઇરસને  ફેલાવી લાખો લોકોના જીવ લઇ લીધા છે. આ વાઇરસોએ માનવ જીવનને બદલી નાખ્યું છે.

                                    મોટા જ્વાળામુખીઓ ફાટ્યા છેઅને આજુબાજુના લોકોમાં ભય અને તબાહી સર્જી રહયા છે. ઇન્ડોનેશિયા , આફ્રિકા , જાપાન  અને દક્ષિણ અમેરિકામાં જ્વાળામુખીઓ આગ ઓકી રહયા છે.  જાણે કુદરતના રોસનું પ્રતિબિંબ પાડી રહયા છે.

                                     સાઇકોલોન , ટોરનેડો  જેવા વાવાઝોડા  સામાન્ય થઇ ગયા છે. અને અમેરિકા જેવા રાજ્યને રંજાડે છે. સુનામી હવે સામાન્ય ઘટના બની ચુકી છે. 

                                      માનવીઓએ  કુદરત સાથે ચેડાં કરીને પૃથ્વીને કાર્બનથી ભરી દીધી છે. પૃથ્વીમાંથી અસુમાર ખનીજ ખોદીને એને લોહી લુહાણ કરી નાખી છે . જંગલો કાપી કાપી ને પૃથ્વીને વેરાન કરી નાખી છે.  ઝેરી પાણી નદીઓ અને દરિયામાં નાખી એને પ્રદુષિત કરી નાખ્યા છે.

                         એટલે હવે કુદરત મનુષ્યોને  આકરી સજા કરી એનો ખોફ બતાવી રહી છે.

                                       *****************************************

 

Sunday, March 19, 2023

 


વૃદ્ધાવસ્થાનું  ભવિષ્ય 

                                                 દુનિયામાં માનવીનું આયુષ્ય લાંબુ થઇ  રહ્યું છે એનું કારણ  સ્વાસ્થય ક્ષેત્રમાં થતા નવા નવા સંધોધનો  જવાબદાર છે.  પરંતુ મનુષ્યોના  લાંબા આયુષ્યને  કારણે  ઘણા નવા પ્રશ્નો  પણ ઉદ્ધભવશે.

                                    જેમકે અત્યારે નિવૃત્તિ વય 60 વર્ષની છે અને જો માનવીનું  સરેરાશ વય જો 80 વર્ષનું થાય તો માનવી નિવૃત્તિ પછી 20 વર્ષની નિવૃત્તિ  સમય માટે એના જીવન ચલાવવાની  વ્યવસ્થા કરવી રહી . જો પત્ની ૫ થી ૧૦ વર્ષ નાની હોય તો વધુ ૫ થી ૧૦ વર્ષની વ્યવસ્થા પણ કરવી રહી. આથી ટૂંકમાં  ૨૫ થી ૩૦ વર્ષની વધુ વ્યવસ્થા કરવી રહી. એ પણ એક નવી જ સમસ્યા છે. 



                                     બીજું સ્ત્રીઓનું આયુષ્ય  ૫ વર્ષ પુરુષોથી  વધુ   હોય છે.  તેનો વિચાર કરવો આવશ્યક છે. એનાથી લાગેછેકે ભવિષ્યની  વૃદ્ધાવસ્થા આજના કરતા મુશ્કેલ બની રહેશે .

                                         એથી વૃદ્ધોએ તેમની મિલ્કતો પોતે બંને જીવે  ત્યાં સુધી પોતાની પાસે રાખવી  પડશે જેથી કોઈના પર પણ એમને  નિર્ભર ન થવું પડે . એમાં સગાવહાલા કે સંતાનો પ્રત્યે લાગણીઓને કોઈ સ્થાન ન હોવું જોઈએ. 



                                             વૃધ્ધો એમનો પ્રેમ . અને લાગણીઓ એમના સંતાનો અને સગાઓની વચ્ચે વહેંચી શકે છે. પરંતુ મિલકત  વૃદ્ધ પતિ પત્નીના   મોત સુધી કબજામાં રાખવી જરૂરી એજ ભવિષ્યની સમસ્યાઓનો ઉકેલ છે.

                                         **********************************   

Thursday, March 16, 2023



સત્ય નાડેલાના વિચારો અને લાગણીઓ    

                                      સત્ય  નાડેલા અમેરિકાની પ્રસિદ્ધ કંપની માઈક્રોસોફટના વડા છે.  એમના અનુભવો લાગણીઓ  અને વિચારો  એટલા જ મહત્વના છે. 

                                        એમણે એમની દાદી સાથે વાત કરી ત્યારે તેમણેકહ્યું  હતું કે 'સફળતાતો  એને જ  કહેવાય કે જયારે  ભૂતકાળનું તમારું જીવન અને  યાદોને  યાદ કરતા  તમે આનંદથી પુલકિત થાવ.' 

                                          એકવાર નાડેલાના પાલતું કુતરાનો અકસ્માત થયો અને મરી રહ્યો હતો ત્યારે એ નાડેલાની  આંખમાંથી વહેતા આંશુઓને લૂછી રહ્યો હતો. પ્રાણીઓ પણ માનવીની જેમ લાગણીશીલ હોય છે એમાંથી માનવતા શીખવાની જરૂરિયાત છે.



                                         ઘણીવાર કામના બોજને લીધે તેમની  માં સાથે તેઓ અને  એમના ભાઈબહેનો  મળી શકતા ન હતા  . નાડેલાના માં જયારે એની મરણપથારીએ હતા  ત્યારે  બધા  ભાઈ બહેનો  ભેગા થયા હતા ત્યારે માએ લાગણીશીલ થઇ  કહ્યું  હતું કે ' અત્યારે તમને બધાને સાથે જોઈને  મને તમારા પ્રેમનો જે અનુભવ થઇ રહ્યો છે.  એ જોઈને લાગે છે કે  આવી રીતે વારંવાર મળતા રહેવું જોઈતું હતું. '  એમાં  નાડેલાને  માને વારંવાર  ન મળી શકવાનો ખેદ દેખાય છે.

                                          નાડેલાએ પોતાના પિતાના મૃત્યુબાદ એમના કપાળ પર ચુંબન કર્યું હતું તે વખતે  એમને યાદ આવ્યું હતું  કે આવું  ચુંબન મેં  બાલ અવસ્થામાં જ તેમને કર્યું હતું .  માનવી જીવનમાં ગમે  એટલી ઊંચ્ચી કક્ષાએ પહોંચે પણ લાગણીઓમાં કઈ ફર્ક પડતો નથી.

                                        આગળ ચાલતા તેઓ કહેછેકે  માનવીએ બીજાની સાથે વસ્તુઓ અને  સુખ  વહેંચતા  શીખવું જોઈએ. જે મળે તેને જીવનમાં આનંદથી માણતા શીખવું જોઈએ.

                                              ************************************** 

Tuesday, March 14, 2023



તંદુરસ્ત  જીવન 

                                                   ઘણા લોકો  જીવવા માટે જીવતા હોય છે જ્યારે  ઘણા જીવન જીવી જતા હોય છે.  જીવન જીવવું એ પણ એક  કલા  છે. તંદુરસ્ત અને સુખી જીવન માનવ જીવનને આનંદથી ભરી દે છે.  પરંતુ એવું જીવન જીવવા માટે પણ જીવનને  શિસ્ત પૂર્વક જીવવું આવશ્યક છે. 

                                                  આહાર  પણ તંદુરસ્ત  હોવો જોઈએ . જેમકે લીલા શાકભાજી , ફળો  અને સૂકોમેવો   જેવો હોવો જોઈએ .  ખરાબ  આદતોથી દૂર રહેવું  જરૂરી છે. સિગરેટે  પીવા જેવો શોખ હાનિકારક હોય છે . પરંતુ નારિયળનું પાણી શરીર માટે  નિર્દોષ  પીણું છે.



                                                ચાર કિલોમીટર દરરોજ ચાલવું  અને અઠવાડિયામાં એક વાર કસરત તંદુરસ્ત શરીરની જરૂરિયાત છે.  શરીરના બધા અંગોને તંદુરસ્ત રાખવા માટે  કેરેમ, ચેસ , લુડો  અને સૂડોકો જેવી રમતો  રમતા રહેવું જોઈએ.

                                              નવા નવા લોકોને મળતા રહેવાથી  શરીરને તાજગી મળે છે .  અને  મન ગમતી પ્રવૃતિઓમાં  વ્યસ્ત રહેવાથી  નકારાત્મક વિચારોમાંથી  મુક્તિ મળે છે .  નવું  નવું શીખવાથી  માનસિક રીતે  પણ  તંદુરસ્તી  પણ વધતી રહે છે. 



                                            આંઠ  કલાકની ઊંઘ  શરીરને તાજગી  આપે છે અને શરીરની  સુસ્તી દૂર કરે છે . તે ઉપરાંત આત્મવિશ્વાસ  હોવો પણ જરૂરી છે .  નાની નાની બાબતોમાં ચિંતા શરીરને નુકશાન કરી શકે  છે.  આથી ચિંતાથી દૂર રહેવા માટે એના કારણોને દૂર કરવા જોઈએરસ્ત જીવનની ચાવી છે. 

                                  ****************************************** 

Saturday, March 11, 2023

 


ભારતના  કંગાળ પડોસીઓ 

                                                     ભારતની બાજુમાં  આપણું પાડોસી પાકિસ્તાનની બધી જ રીતે વિકટ પરિસ્થિતિ થઇ છે. ફૂગાવો આસમાને  પહોંચી ગયો છે.  નાણાકીય રીતે પણ પાકિસ્તાન  દેવાળિયું થવાની એની પર છે. લોકો બે વખતના ભોજન માટે પણ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા છે. ગરીબ લોકો પીસાઈ   રહયા છે ત્યારે સરકાર અને નેતાઓ એક બીજા પર આક્ષેપબાજી  કરી રહ્યા છે. આવા સંજોગોમાં પણ પાકિસ્તાની સરકારી લશ્કરી  બજેટ ૯.૫ અબજ ડોલર રાખ્યું છે. આજ બતાવેછેકે  પાકિસ્તાની સરકાર અસલામતીની લાગણીઓથી પીડાઈ રહી છે.

                                                 પાકિસ્તાનનું વિદેશી  દેવું  ૧૨૧ અબજ ડોલર છે જે ભરવાને તે અસમર્થ છે. આઈ એમ એફ  પાસે  અને દુનિયાના  કેટલાએ દેશો અને મુસ્લિમ દેશો  પાસે પણ  પાકિસ્તાન લોન માંગી રહ્યું છે પણ કોઈ પૈસા  આપવા તૈયાર નથી  કારણ કે પાકિસ્તાને  લોન પરત કરવાની વિસ્વાસનીયતા  ગુમાવી દીધી છે.



                                                   તે ઉપરાંત પાકિસ્તાને ઉભા કરેલા આંતકવાદીઓ  એને જ નુકસાન પહોચાડી રહ્યા છે. દરરોજ  આંતકવાદીઓ   હુમલો કરી સેંકડો  નિર્દોષ પાકિસ્તાનીઓને મારી રહ્યા છે.  અફઘાનિસ્તાનમાંથી પણ  આંતકવાદીઓ  હુમલા કરી રહ્યા છે જેમને અફઘાનિસ્તાનમાં સત્તા અપાવવામાં  પાકિસ્તાની  લશ્કરે જ મદદ કરી હતી.  એ પણ પાકિસ્તાનની કમનસીબી છે.  એક કહેવત છેને કે 'જેવું વાવો  એવું લણો '.



                                                        બીજા ભારતીય  પાડોસી અફઘાનિસ્તાનની પણ નાણાકીયરીતે હાલત ઘણી બુરી છે. બહુમતી દેશોએ તાલિબાની  અફઘાનિસ્તાનને માન્યતા પણ આપી નથી. કોઈ પણ દેશ શરત વગર લોન આપવા કે મદદ કરવા તૈયાર નથી.  અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ   સ્ત્રીઓની હાલત બહુ ખરાબ કરવામાં આવી છે.  સ્ત્રીઓ માટે શાળા . કોલેજ , નોકરી માટેના દરવાજાઓ બંધ કરવાંમાં આવ્યા છે. સ્ત્રીઓ માટે  બુરખા પહેરવા  ફરજીયાત છે અને સ્ત્રીઓ પુરુષના સાથ  વગર નીકળવાની મનાઈ છે.  આવા સંજોગોમાં કોઈ પણ દેશ મદદ કરવા તૈયાર ન હોય એ સ્વભાવિક છે. આથી અંતે પ્રજા ગરીબાઈમાં સબળી રહી છે.               

                                                            આમ બંને આપણા પાડોસી દેશો ગરીબાઈમાં  છે. પરંતુ ભારત જેવા પ્રગતિશીલ  દેશ માટે એ ખતરાની ઘંટી  છે. એટલે ભારતે વધુ સતર્ક રહેવાની જરૂર છે.

                                               *********************************

                                                  

Monday, March 6, 2023

  


ભારતીય વિદ્યાર્થીઓનું પરદેશ ગમન

                                                                         ભારતીય સરકાર લાખો વિદ્યાર્થીઓ પાછળ કરોડો  રૂપિયા  વાપરે છે . પરંતુ  તેનો ઉપયોગ પરદેશોને જ મળે છે.  એ એક કોયડો છે.   અત્યારે લાખો ભારતીય  વિદ્યાર્થીઓ   અમેરિકા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, રશિયા , ચીન અને  યુક્રેઇન જેવા દેશોમાં ભણે છે જયારે ભારતમાં ઉચ્ચ શિક્ષિત વિદ્યાલયો છે. એ એક કમનસીબી છે.



                                                           પરંતુ એના કારણો જાણવાની પણ જરૂરત છે. ભારતના વહીવટીઓ  કુશળ  નથી અને લાંચિયા હોય છે તેમની સાથે કામ લેવું મુશ્કેલ હોય છે. તે ઉપરાંત ભારત માં  સારી નોકરીની તકો ઓછી હોય છે . પરદેશમાં  જીવન પણ સરળ હોય છે .



                                                              ભારતીય યુનિવરસિટીઓમા  શિક્ષણનું  સ્તર પણ બહુ ઉંચ્ચ   હોતું નથી. તે ઉપરાંત  ઇન્ફ્રાસ્ટ્રકચર , અને વાહનવ્યહવારમાં પણ મુશ્કેલી  છે. જે પરદેશ જેટલા સરળ નથી .

                                                           એટલા બધા વિદ્યાર્થીઓ પરદેશ ગમન  કરતા હોવા છતાં અને દેશનું  મૂલ્યવાન પરદેશી નાણું વપરાતું હોવા છતાં  સરકારે જરૂરી પગલાં લીધા નથી. વારે  ઘડીએ દેશમાં  પડતી હડતાલો અને બંધોએ  પણ શિક્ષણને નુકસાન પહોચાડ્યું  છે.



                                                           આવા કારણોને  લીધે હોશિયાર વિદ્યાર્થીઓનો પ્રવાહ પરદેશ તરફ વધી ગયો છે. એને અટકાવવા જરૂરી પગલાંઓ આવશ્યક છે.

                                         ***********************************