Monday, March 23, 2015


ગુજરાતનુ આંતરાષ્ટ્રીય નાણાકીય હાઇટેક શહેર
                                                                                                                                                   ગુજરાતના પાટનગર ગાંધીનગરની બાજુમા આંતરાષ્ટ્રીય કક્ષાનુ નાણાકીય શહેરનુ નિર્માણ ચાલુ છે. જે સિંગાપોરે, શંગાઈ, અને હૉંગકોંગ જેવુ નાણાકીય મથક બની રહેશે. ઍને ગિફ્ટ સિટીના પ્રૉજેક્ટ તરીકે  રજૂ કરવામા આવ્યુ છે. તે હાઈટેક સ્માર્ટ શહેર થવા આગળ વધી રહ્યુ છે.

                                                             .  ઍની વસ્તી અત્યારે ચાર મિલિયન ગણવામા આવી છે અને ઍક મિલિયન લોકોને રોજગારી આપવામા આવશે ઍમ ગણતરી કરવામા આવી છે. ઍને  છ લાઇનના ઍક્સપ્રેસ રોડ્સ વડે સારા ગુજરાત સાથે જોડવામા આવશે. ઍમા  નાણાકીય વ્યવસ્થા, સલામતી, ઉર્જા, વેપારી માર્કેટઑ મનોરંજન, ટ્રાન્સપોર્ટ,  પાણી પુરવઠો, શાળાઓ, હોસ્પિટલો હોટેલો,  ગગનને ચુંબતા મકાનો, રહેઠાણ અને ઑફીસ વિસ્તારોનુ આયોજન આંતરાષ્ટીય ધોરણે કરવામા આવશે. ઍનુ પોતાનુ બૅંકિંગ અને ઈન્સ્યુ રન્સ હબ હશે. ઍનુ પોતાનુ સ્ટૉક ઍક્સચેંજ હશે જે ૬૨ મિલિયન સ્ક્વેર ફીટમા પથરાયેલુ રહેશે.


                                                            પોતાની જ ઉર્જા અને ગૅસ વિતરણની વ્યવસ્થા હશે. વેસ્ટ અને કચરા માટેના નિકાલ તદ્દન આધુનીક   પ્લાન્ટ હશે. ૧૨૦૦૦૦ કાર પાર્ક કરી  શકાય ઍવી વ્યવસ્થા કરવામા આવશે. મેટ્રો, બી આર ટી ઍસ જેવી ટ્રાન્સપોર્ટ  વ્યવસ્થા  પણ હશે. અંડર ગ્રાઉંડ યૂટિલિટી ટનલ બનાવવામા આવશે જેથી રસ્તાઓવારેઘડી ખોદવા ની જરૂર ન પડે. સિસ્કો સિસ્ટમ  અને ટાટા કમ્યૂનિકેશન  સેંટ્રલ કંટ્રોલ સિસ્ટમ બનાવવામા મદદ કરશે. અત્યારે ૧૧૦ મકાનો અને બે લૅંડ માર્ક બિલ્ડિંગ બનાવવામા આવશે. ૧૫૦ બેડની હોસ્પિટલ, ૫૦૦૦ રૂમની હોટેલ્સ (આંતરાષ્ટ્રીય કક્ષાની), અને ૨ સ્કૂલસ બનાવવામા આવશે. ગિફ્ટ સિટીને ઇંટરનૅશનલ ઍરપોર્ટ સાથે જોડવામા આવશે. ૮૧૦૦૦ કરોડ ની ગિફ્ટ સિટી દુનિયાની સ્માર્ટ અને  હાઇ ટેક સિટી બની જશે અને ગુજરાતને  આંતરાષ્ટ્રીય નાણાકીય નકશા પર મૂકી દેશે.
                                         ********************************************

Friday, March 20, 2015


દેશવીદેશોની વાતો
                                                                                                                                                              દરેક દશની પોતાની સંસ્કૃતી અને વિચારશરણી હોય છે ઍના પરથી ઍની ખાશિયતોની ઓળખ થાય છે.
૧) આર્જેન્ટાઈનામા કહેવાય છેકે ' તમે વાંદરને ભલે સિલ્ક્ના કપડાથી સજાવો તો પણ ઍતો વાંદરો જ રહેવાનો.' ટૂકમા કપડા થી શણગારવાથી વસ્તુની પ્રકૃતી બદલાતી નથી.
૨)બેલ્જિયમમા લોકો માને છેકે ' જે લોકોનાનીવસ્તુઓમા રસ ધરાવતા નથી, ઍ લોકો  મોટી વસ્તુઓને લાયક નથી હોતા.'
૩)બ્રાજિલમા કહેવાય છેકે 'જેને કઈ પણ  ખબર નથી ઍને કોઈ શંકા હોતી નથી.' ઍવા લોકો બેફીકર જીવન જીવે છે. અને ઍમનુ જીવન વેડફાઇ જાય છે.
૪)ચીનમા કહેવાયુ છેકે ' કાનમા ગયેલી ઍક અફવા કેટલાઍ મુખમાથી નીકળે છે.' ઍટલે કે ઍક અફવા જુદા જુદા મોઢેથી જુદા જુદા સ્વરૂપે બહાર આવેછે.  અને અંતે હાનિકારક બની રહે છે.
૫)ડેન્માર્ક મા લોકો રસ્તો ભુલવા કરતા બીજાને બે વાર પૂછ વૂ સારુ ઍમ માને છે.
૬) બ્રિટનમા કહેવત છે કે ' મૂર્ખો ઍક ક્લાકમાઘણા પ્રશ્નો પુછ્સે જેના જવાબો હોશીયારો સાત વર્ષે આપી શકે.' મૂરખના સવાલો નકામા અને ટાઈમ બગાડનારા હોય છે.
૭)જર્મનિમા કહેવાય છેકે ' લાંબા કેસ કરતા, ટૂકુ ટચ  અગ્રીમેન્ટ  સારુ.'  ઍમા કાયદાકીય બાબત કરતા ઘણીવાર સમજદારી બહેતર હોય છે.

૮) ભારતમા મનાય છેકે ' સાપ તો ડંખ મારવાનો જ છે ભલે તમે ઍની પ્રત્યે ગમે તેટલી દયા બતાવો.'આથી દૂષ્ટજે માણસોથી દૂર રહેવામા જ હિત રહેલુ છે.
૯) ફ્રેંચ લોકો કહે છેકે ' સ્વચ્છ અંતરાત્મા જેવો કોઈ પૉંચો તકીઓ નથી. આમ સ્વચ્છ આત્મા જ પરમ શાંતિ આપી શકે છે.
૧૦) હંગેરીમા લોકો માને છે કે ' જ્યા મહત્વ કાંક્ષાનો અંત આવે છે, ત્યાથી સુખની શરૂઆત થાય છે.' માણસની મુરાદો જ જીવનમા દુખનુ સિંચન કરે છે.
૧૧) ' હસતા હસતા જીવો અને પ્રભુનો  સાથ માણો.' ઍવુ જાપાન ના લોકો માને છે. ઍટલે કે પ્રત્યેક હસતુ જીવનમા પ્રભુનો વાસ છે.
૧૨)રશિયામા કહેવામા આવે છે કે 'સફળતા અને આરામ બંને સાથે જતા નથી, ઍટલે સફળતા હંમેશ સતત શ્રમ માંગે છે જ્યા આરામને સ્થાન નથી.
૧૩)નૉર્વેમાલોકો 'નશીબને  ઉધારથી લીધેલી વસ્તુ માનવામા આવે છે, કારણકે ઍના પર કોઈની માલિકી નથી.' ટૂકમા નસીબ પર ભરોસો રાખવો  ઍ મુર્ખામી છે.
૧૪) 'સારાપણુ ફક્ત  ગુનગુને છે, જ્યારે દૂષ્ટતા બૂમ બારાડા પાડે છે. ' ઍવુ તિબેટમા મનાય છે. ઍટલેકે  સારાઈ ઍની  પ્રસિધ્ધિ કરતી નથી, જ્યારે બુરાઈ  ખોટી ખોટી બડાઈ મારે છે.

                                      *****************************************

Sunday, March 1, 2015


પ્રાર્થના
                                                                                                                                                           પ્રભુની ભક્તિમા અનોખી શક્તિ સમાયેલી હોય છે. વસ્તુને શુની શુ બનાવી દે છે!  બીજા અર્થમા ઍ માનવીના જીવનમા કઈક નવો જ બદલાવ લાવી દે છે. રસ્તા પર પડેલો પથ્થરને જેમ શિલ્પી મંદિરમા પૂંજાતો કરી નાખે છે. ઍવી જ અજાયબી પ્રાર્થનામા હોય છે. ભક્તિ ઍવી વસ્તુ છે જે લુંટારામાથી ઋષિ વાલ્મિકીનુ પણ સર્જન કરી નાખે છે
       જ્યારે પ્રાર્થના સાથે  ખાવાનો ખોરાક મૂકાય છે ત્યારે ઍ પ્રસાદ કહેવાય છે.
       જ્યારે પ્રાર્થના સાથે  અન્નસન થાય છે તેને ઉપવાસ કહેવાય છે.
       જ્યારે પ્રાર્થના સાથે પવિત્ર જળ પ્રભુને અર્પણ કરાય તેને પંચામૃત કહેવાય છે.
       જ્યારે પ્રાર્થના સાથે પ્રવાસ યોજાય છે તે યાત્રા બની જાય છે.
       જ્યારે પ્રાર્થના સાથે સંગીત ભળે છે ઍ કિર્તન કહેવાય છે.
       જ્યા બધા પ્રાર્થના કરે છે ઍ સ્થળ મંદિર બની રહે છે.
       જ્યા પ્રાર્થના સાથે કામ થાય ચ્હે ઍ સત્કર્મ કહેવાય છે.
       જ્યારે કોઈ પણ સ્ત્રી પુરુષ પ્રાર્થનામા તલ્લીન થઈ જાય છે ત્યારે ઍ લોકો ખરેખર માનવી બની રહે છે.
             આવી શક્તિ પ્રભુ પ્રત્યેની પ્રાર્થનામા હોય છે.
              ******************************************