Tuesday, May 18, 2021



 કોરોના અને  ઊંડો શ્વાસ 

                                               કોરોના એ અત્યારે કાળોકેર વર્તાવ્યો છે. એમાં શ્વાસોશ્વાસ અને કોરોના મૃત્યુને સીધો સબંધ છે. કોરોના ફેફસાને નબળા કરી નાખે છે  અને એના ભોગ બનેલા વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી  ઉભી થાય છે . અને પછી બધી જાતની માવજત આપ્યા છતાં ઘણીવારવ્યક્તિનું  મૃત્યુ થાય છે. ટૂંકમાં ફેફસા જો મજબૂત હોય અને શરીરને શ્વાસોશ્વાસ  દ્વારા પૂરતા પ્રમાણમાં  ઓક્સિજન મળતો રહેતો હોય તો  વ્યક્તિની રોગ સામે સામનો કરવાની  શક્તિ વધી જાય છે.  આથી શ્વાસોશ્વાસની પદ્ધતિ સુધારવાથી  કોરોના જેવા વાઇરસનો મજબૂત સામનો શરીર કરી શકે છે.

                                                    ફેફસાને સુધારવા માટે ઊંડા શ્વાસ લેવાની જરૂરિયાત હોય છે. કહેવાય છે કે ' ઘણીવાર જીવનના સંગર્ષમાં  માણસને શ્વાસ લેવાની પણ ફૂરસત નથી હોતી ' એજ જીવન માટે ભયજનક બની રહે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બીલ ક્લિન્ટનને  એના તબીબે સલાહ આપી હતી કે' જયારે વખત મળે ત્યારે પાંચ મિનિટ માટે ઊંડા શ્વાસ લેવા જે તેમની તંદુરસ્તી  જાળવવામાં મદદ કરશે . ' આથી ઊંડા શ્વાસો લેવાથી એક નહિ ઘણા ફાયદા છે.

                                           ઊંડા શ્વાસો શરીરના ઝેરી પદાર્થોનો નાશ કરી એને બહાર ફેકી દે છે. અને લાંબેગાળે  માણસની  કાર્યકુશળતા  વધારી દે  છે . એ શરીરમાં ઓક્સીજનનનું  પ્રમાણ વધારે છે . શરીરમાં ટૉક્સિકનું પ્રમાણ ઓછું કરી તંદુરસ્તી  વધારે છે. ઊંડા શ્વાસો  સારા હાર્મોનસોમાં  વધારો કરી શરીરમાં થતા  નૈસર્ગીક દુઃખાવોને  ઓછા કરી નાખે છે.

                                           ઊંડા શ્વાશોશ્વાસને લીધે તણાવ પણ ઓછો થાય છે.  એ  કોલોસ્ટ્રોલ ઓછો કરે છે  અને  હૃદયના ધબકારા પણ ધીમા કરે છે. ઊંડા શ્વાસો લેવાથી લોહીનું  સર્ક્યુલેશન વધે છે જે લોહીના ઝેરી પદાર્થોને બહાર ફેકી દે છે.  એ સારી ઊંઘમાં વધારો કરે છે જે ભયાનક રોગોનો સામનો કરવાની શક્તિ આપે છે. 

                                             કોરોના સામેના જંગમાં પણ ઊંડા શ્વાસોશ્વાસ  લેવાની ક્રિયા બહુજ મદદ રૂપ બની રહે છે.

                                                    *************************

  

                                                    

Tuesday, May 11, 2021

 


 'વણસતું  વાતાવરણ ' અને   વિજ્ઞાનનો અંકુશ?

                                                                              વાતાવરણમાં આવતા બદલાવને ' પ્રદુષિત હવાને ' દોષિત ગણવામાં આવેછે. એ આધુનિક જગતમાં ઘણો જ ચર્ચાસ્પદ વિષય  બની રહ્યો છે. આથી ઉદ્યાગોથી પ્રદુષિત થતું વાતાવરણને અટકાવવા દુનિયાના સર્વો દેશોએ સહમતી સાધી છે. એના અનુસંધાનમાં  પેરિસ કરાર પણ કરવામાં આવ્યા છે.  ઉદ્યોગો જે કાર્બન બહાર ઓકે છે એ વાતાવરણને વધુને વધુ પ્રદુષિત કરતુ જાય છે.આથી કોલસાને બદલે બીજી  કોઈ સાધનથી  ઉદ્યોગો ચલાવવા માટે  પ્રયત્નો થઇ રહયા છે.  એમાં સૂર્ય શક્તિ અને વાયુ શક્તિ નો ઉપયોગ વિજ્ઞાનિકોએ  શરુ કર્યો છે. એમાં  હાઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ હવે થવા માંડ્યો છે.

                                                                             ગૂગલના વડા  સુંદર પીચાઈ કહેછે કે વાતાવરણના બદલાવને નિયમનમાં લાવવા માટે હવે કોમ્પ્યુટોર ટેકનોલોજી  અગત્યનો ભાગ ભજવશે . કાર્બન રહિત વાતાવરણને બનાવવામાં યુરોપે સારા  પ્રયત્નો શરુ  કરી દીધા છે. કોલસાથી ઉત્પન્ન થતી ઇલેકટ્રીસિટી એનર્જીને  બદલે  સૂર્ય અને પવન એનર્જીનો ઉપયોગ શરુ કરી દેવામાં આવ્યો છે. 

                                                                         એમાં 'હાઈ ટેક્નોલોજી' હવે સૂર્ય અને પવનમાંથી ઉત્પન્ન થતી એનર્જીની કિંમતમાં ૭૦%થી તે ૮૦% ઘટાડો લાવવાના પ્રયત્નો કરી રહી છે.  એને સારી રીતે સંગ્રહ કરવાના  પ્રયત્ન દવારા અને  એનો બગાડ ઓછો થાય એવી શોધો કરવા પ્રયત્નો કરી રહી છે. ' હાઈ ટેક 'જે એનેર્જી વાપરી રહી છે એમાં ૩૦% એનેર્જી ઓછી વપરાય એવા સાધનો શોધ્યા છે. આજ વસ્તુનો ઉપયોગ  એરપોર્ટ , વ્યાપારી સ્થળો અને મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સમાં થઇ શકશે . એમાં  'આટ્રીફિશ્યિલ ઇન્ટેલલિજન્સ' વિજ્ઞાનનો  પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

                                                                         ભવિષ્યમાં 'હાઈ ટેક'  સેટેલાઇટ  દ્વારા ગહન કાર્બન ફેકતા સ્થળોને શોધી એને દૂર કરવાની કાર્યવાહીમાં  મદદ રૂપ થશે. જે કાર્બન  એમિશનને  દૂર કરવામાં વધારે મદદરૂપ થશે . 'હાઈ ટેક ' બદલતા વાતાવરણ અને એનાથી માનવજાત પર  થતી અસર વિષે  પણ માર્ગદર્શન  આપી શકશે . 



                                                                         સેટેલાઇટ માહિતી વડે જંગલોની  'આગો' એના પ્રસારણોના વિસ્તારો અને એની કેટલાએ વિસ્તારોમા વધુ પ્રસારણોની આગાહી 'હાઈ ટેક ' કરી શકાશે. તે ઉપરાંત નદીઓમાં પૂર ક્યારે અને કેટલું પાણી આવશે એની માહિતી એકટી શકશે. એનાથી વખતસર  પગલાં લેવાથી નુકસાનને ઓછું કરવામાં મદદ રૂપ થશે. 'આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સની' મદદ વડે  ક્યારે અને કેટલો વરસાદ થશે એ  જાણી  શકાશે.  જે સામાન્ય હવામાન જાહેરાત કરતા વધારે સાચી હશે. 'હાઈ ટેક'  માને છેકે ૧૦૦% કાર્બન રહિત એનેર્જી શક્ય છે. અને આર્થિક દ્રષ્ટિએ પણ એને સસ્તી પુરી પાડી શકાય છે. 



                                                                      મૂળમાં  દુનિયાની સામે દરેક યુગમાં  કોઈને કોઈ ચુનોતી આવતી જ હોય છે. એમાં આ યુગની મોટામાં મોટી ચુનોતી  'વાતાવરણ બદલાવનો 'છે જેનો સામનો  લોકો અને સરકારોના સહકારથી સફળતા પૂર્વક કરી શકાય છે.

                                            ********************************

   

                                              

                          

Thursday, May 6, 2021



 મમતા બેનરજી

                                                                   તાજેતરના પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામોએ મમતા બેનરજીની 'ટીએમસી' ને બહુમતી આપી છે. આ વખતે મુખ્ય ટક્કર 'બીજેપી' અને ટીએમસી' વચ્ચે જ હતી. 'બીજેપી'  પોતાની બધી શક્તિ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી હતી પરંતુ મમતા બેનરજીએ એનો સામનો કરી જીત મેળવી લીધી.

                               મમતા બેનરજીને બંગાળની સિંહણ તરીકે આલેખવામાં  આવે છે. એમની રાજકીય કારકિર્દી  હંમેશા  સંગર્ષમય રહી છે અને અત્યાર સુધી એમાં એમણે સફળતા  મેળવી છે. પહેલા એમનો સંગર્ષ કોંગ્રેસ સામે અને પછી કૉમ્યૂનિસ્ટ સામે હતો . એ બંને  સામે એમણે સફળતા મેળવી હતી . બીજેપી સામેનો વિજય એ એમનો આખરી વિજય છે.

                                 મમતા એના ગરમ મિજાજ માટે  જાણીતા છે પરંતુ લોકોની  નાળને  બરાબર પારખી શકે છે. ટાટાની 'નેનો કાર પ્રોજેક્ટ' સામે લોકોનો રોષ પારખીને એમણે આગેવાની લીધી અને એમાં પણ સફળતા મેળવી હતી. તેઓ પોતાના મંતવ્ય સામે  કોઈની પણ શરમ રાખતા નથી.  તે છતાં એમની લોકપ્રિયતા પાછળ શું રહસ્ય છે એ જાણવું આવશ્યક છે.

                                  મમતાએ સંસદ તરીકેનું  પેંશન  અને મુખ્ય પ્રધાનનો રૂપિયા ૧૦૦૦૦૦/- પગાર પણ લીધો નથી. તેઓ બહુ સાદાઈથે  જીવન જીવે છે. ઘણે ભાગે તેઓ સામાન્ય ચંપલ પહેરીને ફરે છે. તેઓ સામાન્ય સાળી પહેરીને જ લોકોમાં રહે છે.  તેઓ ઇકોનોમિક ક્લાસમાં જ મુસાફરી કરે છે. સરકારી કારને બદલે પોતાની કારનો જ ઉપયોગ કરે છે.  તેઓ રાજ્યના પ્રવાસ દરમ્યાન  સરકારી ગેસ્ટ  હાઉસનું  ભાડું પોતાના પૈસામાથી  આપે છે . ચાના  પૈસા પણ આપવાનું ચુકતા નથી. આજ એમની લોકપ્રિયતાનું  રહસ્ય છે.  લોકોને એમની સાદગી અને નાણાકીય પ્રામણિકતા  ગમે છે.

                                  તેઓ નિપુણ રાજકારણી  છે  અને એમના રાજકીય હરીફોને એમની  ભાષામાં જ જવાબ આપે છે. એ પણ એમની સફળતાનું એક કારણ છે.

                                  મમતા બેનરજી બહુજ  વિવિધતા  ભર્યું  વ્યક્તિત્વ ધરાવે છે . તેઓ પ્રખ્યાત  લેખક , સંગીતકાર અને ચિત્રકાર પણ છે.  તેમણે ૬૨ લોકપ્રિય પુસ્તકો લખ્યા છે.  તેમણે કેટલાએ ગીતો લખ્યા છે અને એનું સંગીત પણ આપ્યું છે. મમતાજીના દોરેલા ચિત્રો પણ લોકપ્રિય બન્યા છે અને સારા ભાવે વેચાય છે. 

                                   એકવાર પત્રકારોએ એમણે પૂછ્યું હતું કે એમનું જીવન કેવી રીતે ચાલે છે? એની સ્પષ્ટતા કરતા એમણે કહ્યું કે' મને મારા પુસ્તકોની ૧૨ લાખ રૂપિયા  જેટલી નીયમીત  રોયલ્ટી મળે  છે એમાંથી મારુ જીવન સહેલાઈથી ચાલી જાય છે. તે ઉપરાંત મારા ચિત્રોમાંથી જે આવક થાય છે તે હું દાનમાં આપી દઉં  છું. ' આવા નેતા લોકપ્રિય હોય એમાં શું નવાઈ?

              કદાચ આજ મમતા બેનરજીની તાજેતરની  ચૂંટણીના  જીતનું રહસ્ય  પણ હોઈ શકે છે!

                                      ****************************************