Monday, January 29, 2024



ભારતની શિક્ષણ પદ્ધતિ - બ્રિટિશ રાજ પહેલા 

                                                                     બ્રિટિશરો ભારતમાં વેપારી તરીકે આવ્યા  અને ભારતની આંતરિક પરોસ્થિતિનો  લાભ  લઇ ભારતમાં પોતાનું રાજ જમાવી લીધું. પરંતુ તે વખતે ભારતની જાહેજલાલી ટોચ પર  હતી. એટલેકે આપણા સાધનો અને લોકોનો લાભ લઈને પોતાનું રાજ જંમાવી લીધું. 

                                                                         1858 માં ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઉત્તરમાં 98 % એન્ડ દક્ષિણમાં 100% હતું. આ  સર્વે પણ  બ્રિટિશ પાર્લામેન્ટે મોકલેલ  એક સભ્ય  મોકાલેનું  જ  હતુંએમનું કહેવું હતું કે તે વખતે ભારતમાં એક પણ ભિખારીને  જોયો ન હતો. અને  એની શિક્ષણ પદ્ધતિ ઉત્તમ હતી. તે વખતે ભારતમાં આશરે 732000 ગુરુકુળ હતા અને તેઓ આખા દેશમાં પથરાયેલા હતા.  ગ્રામોદ્યોગઓ સારા દેશમાં વિકસિત થયેલા હતા. અને ભારતનો માલ પરદેશમાં વેચાતો હતો. લોકોનું  વ્યક્તિવ  બહુ ઉંચુ હતું. દુનિયાના વેપારના જીડીપીના 30 % જેટલો ભારતનો વેપાર હતો.

                                                                     તે વખતે  ગુરુકુલોમાં 50 થી વધારે  વિષયોનું જ્ઞાન આપવામાં આવતું  હતું.  તેમાં મહત્વના અને આધુનિક  વિષયોમાં  ધાતુ વિદ્યા , વાયુ વિદ્યા,સ્પેસ સાયન્સ , સૂર્ય વિદ્યા , મેઘ વિદ્યા ,( હવામાન વિદ્યા ), બેટરી વિદ્યા ( પદાર્થ વિજ્ઞાન ), સૂર્ય શક્તિ, ભૂગોળ વિદ્યા , કાળ વિદ્યા. એસ્ટ્રોનોમી , વીમાન જ્ઞાન.અગ્નિ વિદ્યા , વેપાર શાસ્ત્ર , ખેતી શાસ્ત્ર , પ્રાણી શાસ્ત્ર, વાહન ડિઝાઇનિંગ , રત્ન શાસ્ત્ર , કાપડ ઉદ્યોગ , ઘરેણાં બનાવટ , લુહારુ જ્ઞાન , ડેરી ઉદ્યોગ , આર્કિટેક્ટ , પાક શાસ્ત્ર , નદી મૅનેજમેન્ટ ,વન મૅનેજમેન્ટ ,  અને આંકડા શાસ્ત્ર જેવા વિષયનું  જ્ઞાન  પણ  સામેલ હતા .  

                                                                      અને અનુસંધાનમાં મોકાલેનું કહેવું હતું કે આપણે ભારત પર રાજ કરવું હોય તો એમની શિક્ષણ પદ્ધતિનો નાશ કરવો  પડશે અને જે કઈ ઇંગલિશ છે એજ શ્રેષ્ટ છે એમ  ભારતીયોના મગજમાં ઠસાવવું પડશે.  ભારતીયોના મગજમાં માનસિક રીતે એ  ઠસાવવા માટે ઇંગલિશ શિક્ષણ પદ્ધતિ દાખલ કરવી પડશે.

                                                                આવી રીતે  અંગ્રેજોએ  ભારતના લોકોના માણસને ગુલામ બનાવી દીધું . અને આપણા વિશાળ દેશ પર એ લોકો  ૨૦૦ વર્ષો રાજ કરી ગયા. આપણા દેશની એક કમનશીબી  છે કે આપણે આજે સ્વતંત્ર છે પણ કેટલાએ લોકો હજુ પણ અંગ્રેજોએ રોપેલા ગુલામી માનસમાં હજુ પીડાઈ રહયા છે.  એમાંથી એ લોકો જેટલા જલ્દી   બહાર આવશે એટલી ભારતની પ્રગતિમાં વધારો થશે.

                                        ********************************************

 

Monday, January 15, 2024



ચાહ 

                                                             દુનિયામાં ચાહ જેવું  કોઈ પ્રખ્યાત પીણું નથી. ચીનથી માંડીને તે અમેરિકા સુધી અને ઉત્તર ધ્રુવથી  તે દક્ષિણ ધ્રુવ સુધી પીવાય છે. સવારના કે પછી મોંડી રાત સુધી લોકો એની ચુસ્કી લેતા હોય છે અને તાજાંકી મેળવતા હોય છે.  ગરીબથી તે ધનવાનોમાં ચાહ પ્રિય છે. એથી એ દુનિયાનું  સર્વ માન્ય પીણું બન્યું છે. ચાહ છોડો  ડુંગરોના ઢાળ પર ઉગતા હોય છે  એનું મુખ્ય ઉત્તપાદન ચીન અને ભારત જેવા દેશોમાં થાય છે.

                         ચાહ માં એવું શું છે કે જેથી આટલું લોકપ્રિય પીણું બની ગયું છે?  એમાં કોફીનનું  તત્વ રહેલું છે જે તાજગી અને ઉત્તેજના આપે છે.  માનવીને નવીન શક્તિ આપે છે. પરંતુ એનો કેફ દારૂ જેવો  વધારે જલદ નથી.  કેટલાક ચાહ ને દૂધ સાથે પણ પીએ જ્યારે કેટલાક દૂધ વગરની ચાહના ગરાળી છે. હવે ઘણી ફ્લેવરોમાં ચાહ મળવા માંડી છે. ટૂંકમાં ચાહ દુન્યવી પીણું બની ચૂક્યું છે.



                        ચાની લત દારૂથી ઓછી હોતી નથી. ઘણા લોકોતો આંઠથી  દસ કપ ચાહ દિવસના પી જતા હોય છે. ઘણાલોકો એનો ઉપયોગ નિદ્રાથી બચવા પણ કરતા હોય છે જયારે ઘણા ચાહ પીને ઘસઘસાટ ઉંધી પણ જતા હોય છે. એક વાત ચોક્કસ છે કે વધારે પડતી ચાહ પીવાથી શરીર માટે નુકશાન કરતા પણ છે.

                        વધારે પડતી ચાહ પીવાથી ઘણી વાર બેચેની વધે  છે અને શરીરની  તંદુરસ્તીને  નુકશાન પણ થાય છે. તે ઉપરાંત લાંબેગાળે ઊંઘને પણ નુકશાન થાય છે. વધારે પડતી ચાહ પીવાથી પેટને લાગતા રોગો થવાની પણ સંભાવના છે. પેટમાંથી ઉબકા આવવા પણ માંડે છે. ગર્ભવતી સ્ત્રીઓએ પણ ચાહ થી દૂર રહેવું જોઈએ. કારણકે એ ચાહની આડ અસરની ભોગ બની શકે છે.

                          મૂળમાં વસ્તુનો ઉપયોગ મર્યાદામાં થવો જોઈએ નહીતો એ શરીરને  નુકશાન પહોંચાડી શકે છે .વસ્તુ મર્યાદામાં ખરાબ હોતી નથી પણ એનો અતિશય ઉપભોગ માનવીને નુકસાન પહોંચાડી શકે છે.

                                       ****************************************** 

                                              

Sunday, January 7, 2024

 


ચિંતકોનું મનોમંથન 

                               ઘણા ચિંતકોએ વધતી જતી  વયના પ્રશ્નો પર હળવું હાસ્ય ઉત્પન્ન  કરેલું છે. માર્ક ટ્વેઇન  કહે છેકે 'જેમ મારી ઉંમર વધતી  જાય છે . તેમ  મને  નહિ બનેલી  વાતો યાદ આવે છે.'  એ એક વિચિત્ર વાત છે.  જ્યારે લિઓ રોસનબેર્ગ કહે છે વૃદ્ધાવસ્થામાં  પહેલા લોકોના નામની  વિસ્મૃતિ થાય છે. લોકોના ચહેરાઓ ભુલાઈ જાય છે. છેલ્લે તો પાટલૂનની  ઝીપ ઉતારવાની અને ચઢાવવાની  પણ વિસ્મૃતિ થાય છે. એક બીજા ચિંતક   સર નોર્મન   વિશદમ કહે છે. 'વૃદ્ધાવસ્થામાં  ત્રણ વસ્તુ બને છે. પહેલા તમારી યાદશક્તિ  ચાલી જાય છે અને બીજી બે સમસ્યા  યાદ નથી આવતી.


                              મૌરિસ કોલ્લી  બહુ સરસ રીતે વૃદ્ધાવસ્થા વિષે કહ્યું છે કે ' વૃધ્દ્ધાવસ્થા એટલી ખરાબ નથી જો તમે બીજી કોઈ પ્રવૃત્તિઓ વીશે  વિચારો.  એટલે કે વૃદ્ધ વયમાં  તમારી ઇન્દ્રિઓને પ્રવૃત્તિમય  રાખોતો તમારા  સ્વાથ્ય માટે પણ સારું રહે અને  સમય પણ સરળતાથી  પસાર  થાય.   માર્ક ટ્વેઇન  કહે છેકે ' જ્યારે તમારા મિત્રો કહેવા માંડે કે તમે બહુજ યુવાન દેખાવ છે ત્યારે તમારે સમજવુંકે  ' વૃદ્ધ અવસ્થા આવવાની એ  નિશાની છે.

                                          ^***************************************