Monday, September 17, 2018


કર્મનુ ફળ
                                                                                                 વિશ્વમા ઘણીવાર સારા કર્મ કરનારા અને સંસ્કારી માણસોને દુઃખી થતા જોઇઍ છે, અન નરસા માણસોને  મજા કરતા જ઼ોઈઍ છે ત્યારે  ભગવાનના ન્યાયમાથી વિશ્વાસ ઉડી જાય છે. ઍમા ચાણક્યે ક્હ્યુ છે કે'  સીધા ઉગેલા  છોડૉ પહેલા કપાય છે ઍટલે માણસે સીધા રહેવુ  સારુ નથી.'  આ વાક્ય સીધા માણસો માટે અગ્નિ મા ઘી હોમવા જેવુ છે કેમકે સારા માણસો ભગવાનના અન્યાય સામે દુભાયેલા હોય છે.  ઍક ગુજરાતી કવિ કરસનદાસ માણેક લખ્યુ છેકે-
મને સમજાતુ નથી કે આવુ શાને થાય છે
ફૂલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે
ઘર હીણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર
ને ગગન  ચુમ્બી મહેલો  જૂના સૂના રહી જાય છે
                                                            આમા કવિનો સકર્મિઑને થતા અન્યાય સામેનો વિરોધનુ પ્રતિબંબ પડે છે. પરંતુ સકર્મ સાથે ઘણીવાર દોષ પણ હોય છે. જેમકે મનુષ્યે  જીવવા માટે   શ્વાસ લેવાનુ આવશ્યક છે પરંતુ સાથે સાથે  જીવાણુઑ  શરીરમા જવાના અને મરવાના  પણ ખરા. ઍનો દોષ તો લાગવાનો જ  પણ ઍનાથી શ્વાસ લેવાનુ થોડુ બંધ કરાય.  તે છતા ઍ કર્મથી થતા દોષનુ ફળ બીજી રીતે ભોગવવુ  જ રહ્યુ. ગીતામા ક્હ્યુ છે કે' સારા કર્મની સાથે  દોષ હોય તો પણ છોડવુ ન જોઇઍ.'  ઍટલે સારા કર્મો કરનારાઓઍ  પણ ઍની સાથે દોષના ફળ  પણ ભોગવવા રહ્યા. આથી સારા માણસોને પણ સહન કરવુ પડે છે.  માહભારતના યુધ્ધમા ધર્મની સ્થાપના કરવા જતા  પાન્ડવોને પણ ઍમના ગુરુ  અને વડીલોને મારવાનો દોષ લેવો પડયો હતો અને ઍમને અત્યંત દુખ સહન કરવુ  પડ્યુ હતુ. આજ બતાવે છે કે સારા માણસો હમેશા સહન કરતા આવ્યા છે. ઍમા સકર્મ સાથે રહેલા દોષ કારણભુત હોય છે.
                                                              આથી આ બાબતમા ગીતા સ્પષ્ટ છે કે ' કે કર્મના ફળની આશા રાખ્યા વગર કર્મ કરે જાઓ. કર્મનુ ફળ શુભ, અશુભ કે  શુભાશુભ પણ હોય શકે. મુળમા સકર્મ કરનારની આશા જ સર્વ સંતાપનુ મૂળ છે. જેનો ઉલ્લેખ ઉપ્પર કવિતામા કવિેઍ કરેલ છે.
                                                                    **********************************

Wednesday, September 12, 2018


 દુનિયાનુ પવિત્રમા પવિત્ર શહેર જેરૂસલમ
                                                                                                                                 જેરૂસલમ ઍ દુનિયાનુ પવિત્ર અને ઘણુ પ્રાચીન શહેર છે.  ઍ આરબ પ્રદેશમા  જ્યુડિયન પર્વતમાળાઓની ખીણ પ્રદેશમા અને મેડીટરીયન સમુદ્ર અને ડેડ સમુદ્રની વચમા આવેલા પ્રદેશ પર વસેલુ શહેર છે. યહૂદિઓના પ્રદેશ  ઇઝરાયલની રચના ૧૯૪૮ મા થઈ ત્યાર બાદ ઍ શહેરને પૂર્વ અને  પશ્ચિમ શહેર ઍમ બે ભાગ કરવામા આવ્યા છે. ઍક ભાગ ઇઝરાયલના કબજામા છે જ્યારે બીજો ભાગ મુસ્લિમ આરબોના હાથમા ઍટ લેકે પેલેસ્ટિન ના હાથમા છે. ઍ બતાવે છેકે યહૂદીઓ અને મુસ્લિમો બન્ને ઍ શહેર પર દાવો કરે છે.
                                                                                                                                   યહુદિઓનુ પવિત્ર સ્થળ 'ટેંપલ માઉંટ' પણ આજ શહેર મા આવેલુ છે. મુસ્લિમોની પવિત્ર  મસ્જિદ 'અલ અક્સા' પણ ઍ શહેરમા જ આવેલી છે. તે ઉપરાંત ખ્રિસ્તીઓનુ પવિત્ર ચર્ચ  ' ચર્ચ ઓફ હોલી સેમસ્કર' આ શહેરમા આવેલુ છે.  આથી આ ત્રણે ધર્મો ઍ શહેર પર પોતાનુ આધિત્ય જમાવવા સક્રિય છે.  અમેરિકા ઍ તો ઍને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા પણ આપી દીધી છે. આથી આ શહેર સંગ ર્ષના દાવાનળ પર બેઠેલુ છે.

                                                                                                                                   
                                                                                                                                      યહુદિઓનુ ઍક આસ્થાનુ સ્થળ છે જ્યારે  મહમદ પૈગંબરે  સ્વર્ગીય આત્માઓ સાથે આ શહેરમા જ  ચર્ચાઓ કરી હતી.  'ઈસુ  ક્રાઇસ્ટ'ને આજ  શહેર મા ફાંસીને માચડે ચડાવી દેવામા આવ્યા હતા. આથી ત્રણે ધર્મો માટે આ શહેર તેમના ધર્મોનુ પવિત્રમા પવિત્ર શહેર બની રહયુ છે. ઈઝરાયલ અને પેલેસ્ટિનના યુધ્ધમા ઘણા લોકોનો સફાયો થઈ ગયો છે.  ધાર્મિક પ્રશ્નનો સમાધાન લાવવુ ઘણુ મુશ્કેલ છે. પરંતુ જેરૂસલમ દુનિયાના ત્રણ ધર્મોનુ પવિત્રમા પવિત્ર સ્થળ છે ઍમા કોઈ શંકા નથી. ઍ સ્થળ ત્રણ  'અબ્રાહમિક' ધર્મોના પવિત્ર સ્થળ તરીકે પણ ઓળખાય છે.  સંત 'અબ્રાહમને' ઍ બધા ધર્મોમા માનની દ્રષ્ટીથી જોવામા આવે છે.
                                            ***************************************                     

Wednesday, September 5, 2018


શિક્ષક દિવસ- ૫મી સપ્ટેંબર
                                                                                               પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્નનો આજે જન્મ દિવસ છે જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામા આવે છે.  શિક્ષકો સમાજ અને રાષ્ટ્ર ઘડતરમા જે મહત્વનો ભાગ ભજવે છે ઍનો ઍ દિવસે કદર કરવામા આવે છે.  વિશ્વમા કોઈ પણ સફળ વ્યક્તિની પાછ ળ ઍના શિક્ષકનો હાથ હોય છે.  શિક્ષક ઘણીવાર ઍના શીષ્યમા ચરિત્ર, સંસ્કાર, અને ઍના ધ્યેયનુ સિંચન કરે છે.
                                                                                                ચાણકય જેવા શિક્ષકે તો ઍના શિષ્ય  ચન્દ્રગુપ્તને ઍક મજબૂત સામ્રાજ્યનો સમ્રાટ બનાવી દીધો હતો.   .  વિશ્વ વિજેતાસિક્ન્દરે  કહ્યુ છે કે'   મહાન શિક્ષકઍના શિષ્યના જીવન  ચણતરમા  પ્રભાવિત  ભાગ ભજવે છે'. આધુનિક  ટર્કી ના નેતા  મુસ્ત્તફા ક્માલ   અટાટર્કઍ ક્હ્યુ છેકે ' સારો શિક્ષક મીણબત્તીની જેમ  પ્રકાશ ફેલાવા માટે  પોતાની જાતને વાપરી નાખે છે.'

                                                                                                    આધુનિક યુગમા જ્યારે શિક્ષણ નુ  વેપારીકરણ થઈ રહ્યુ છે ત્યારે આદર્શ શિક્ષક મેળવવા મુશ્કેલ થઈ રહયુ છે  શિક્ષણ નુ ધોરણ પણ નીચુ જઈ રહયુ છે ત્યારે સારા શિક્ષકો કોને કહેવા ઍવો પ્રશ્ન ઉદ્દભવે છે?  ત્યારે શિક્ષકો માટે થોડા આવા સામાન્ય નીયમો આવશ્યક છે.

૧) સારા શિક્ષકે વર્ગમા આવતા પહેલા  ઍમને આપવામા આવેલા વિષયમા તૈયારી કરીને આવવુ  આવશ્યક છે.
૨) શિક્ષક વર્ગમા  તથ્ય  વગર વિષય પર બોલેતો શીષ્યોમા અંધશ્રધ્ધા ઉભી થવાનો સંભવ છે.
૩)  શિક્ષકે ઍના શીષ્યોને ઍના પોતાના બાળકો જેવા જ માનવા જોઇઍ.
૪) વર્ગમા ઍક મિનિટ પણ  નકામી બાબતો વિષે ચર્ચા થાયતો શીક્ષકને . પશ્ચાતાપ થવો જોઇઍ.
૫)  શિષ્યની નિષ્ફળતામા શિક્ષકે પોતાની નિષ્ફળતા નિહાળવી જોઇઍ.
 ૬) શિષ્યની નિષ્ફળતાની  ચર્ચા ખાનગીમા ઍને  બોલાવી કરવી આવશ્યક છે પરંતુ શિષ્યની  સફળતાને લોકોમા વખાણવી   બહુજ અગત્યની વાત છે.
  ૭) પુસ્તકોમા આપેલા  જ્ઞાન  સાથે જીવન જીવવાનુ વાસ્તવિક જ્ઞાન પણ આપવુ જોઇઍ.
                                                                                                       આધુનિક જીવનમા આટલી બાબતો સારા શિક્ષકો ઘણી સહેલાઈથી કરી શકે છે.  ઍનાથી આજનો આપણો શીક્ષક દિવસ પણ સાર્થક બની રહેશે.
                                                             ******************************

Sunday, September 2, 2018


ભારતની બિમારી
                                                                                            ભારતમા સ્વતંત્રતા બાદ ઘણી પ્રગતી કરી છે પરંતુ ઍનો લાભ લોકોને મળ્યો નથી. ઍનુ કારણ છડેચૉક નીતિ નીયમો અન કાયદાઓના ચિંથરા ઉડાડવામા આવે છે.  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ કલામે ક્હ્યુ છેકે' ભારતીયો જે નીયમો  અને કાયદાઓપરદેશમા પાડે છે ઍના ચિંથરા ભારતમા ઉડાડે છે'.
                                                                                             ઍનુ કારણ કે ઍમને ભારતીય નીતિ નીયમો અને કાયદાઓનો ડર નથી.  તેઓ માને છેકે દેશના કાયદાઓનો ભંગ કરી શકે છે અને  પૈસા, લાગવગ, અને રાજકીય સબંધોના જોરથી ઍની સજામાથી બહાર નીકળી શકાય છે. કાયદાઓના જે ખુલ્લેખુલ્લા ભંગ થાય છે જેમા કેટલાક રાજકીય નેતાઓનો સહકારનો અભાવ છે. ઍક કહેવત છે 'જેવો રાજા ઍવી પ્રજા'. જો રાજકર્તાઓનો સહકાર ન હોય તો નિતિ નીયમો અને કાયદાઓનો અમલ કેવી રીતે થઈ શકે?
                                                                                               આ બાબતમા ઍક ઉંચ ભારતીય પોલીસ અધિકારીે ઍ પોતાની વેદના  થાલવી છે કે ' ઍમની નીચેના અધિકારીઓ પોતાની ફરજ પ્રામાણિકતાથી બજાવવાને બદલે સિસ્ટમને શરણે ચાલી જાય છે કારણકે ઍમાથિ ઍમને સ્વૈચ્છિક લાભ થાય છે '. આથી પ્રામાણિક અધિકારીઓને સહન કરવાનુ આવે છે.   જેમકે કોર્ટં નુ 'નોનબૈલેબલ'  વોરંટ પૂર્વ મુખ્ય મંત્રી સામે હોય તો પણ ધરપકડ કરવી મુશ્કેલ થઈ જાય છે.  કેટલાક રાજકીય નેતાઓને કાયદા વિરૂધ્ધ જેલમા વધારાની સગવડો આપવામા આવે છે. આનાથી લોકોમાથી કાયદામાથી વિસ્વાસ ઉતરી જાય છે અને પોલીસોમા પણ  કાયદાના અમલ કરાવવામા પણ સ્થગિતતા આવી જાય છે. ઍજ સ્થિતીનુ આજે ભારતમા નિર્માણ થયુ છે. અને નીતિ નીયમો અને કાયદાઓના લીરા ઉડી રહ્યા છે.
                                                                                                    કેટલાક પ્રામાણિક પોલીસ અધિકારી જો  કાયદાઓનો  અમલ કરાવવા જાય તો ઍમની બદલી કરવામા આવે છે અથવાતો ઍમને  બેઈજ્જતીનો દાવાનો કે કન્ટેમ્પ્ટ નોટીસ નો સામનો કરવો પડે  છે.  આથી કાયદાઓનો અમલ કરાવનાર વહીવટી સંસ્થાઓનુ નૈતિક ધોરણ બહુ જ નીચે ચાલી ગયુ છે અને લોકો સહન કરી રહ્યા છે. હવે તો દેશના ઉધ્ધાર માટે ઍ વિષમય  પરીસ્થિતિના નાશ થવાની રાહ ક્યા સુધી જોવાની?
                                                   ***********************************