Wednesday, December 17, 2014


વાવેલા બીજના ફળો
                                                                                                                                        રશિયાને અફઘાનીસ્તાનમાથીતગેડી મૂકવાં માટે પાકિસ્તાન અને અમેરિકા ઍ ઍક  ભુત ઉભુ કરેલુ તેનુ જલ્લાદ સ્વરુપ આજના તાલિબાનો છે. હવે ઍ ભૂતે ભયંકર સ્વરુપ ધારણ કર્યુ છે અને જુદા જુદા સ્વરૂપે ઍ ભુત હવે સારી દુનિયાને ધ્રુજાવી રહ્યુ છે. ઍ દુનિયામા ગમેત્યા પ્રદેશમા ગમે ત્યારે ત્રાટકી પડે છે. કોઈક વાર ભારતમા તો કોઇક્વાર ઓસ્ટ્રેલિયા કે પછી અમેરિકા કે કૅનડા પર પણ તૂટી પડે છે. યૂરોપ, અને મુસ્લિમ દેશો પણ ઍનાથી બાકાત નથી.  તાલિબાનો, અલકાયદા, આઈ ઍસ આઈ ઍસ ઍ બધા જુદા જુદા નામે આંતકવાદ ફેલાવે છે અને નિર્દોષ માનવોની હત્યા કરવામા આવે છે. ઍ હત્યાઓમાથી સ્ત્રીઓ, બાળકો, અને મુસ્લિમો પણ બાકાત નથી.


                                                   આ લોકો ઍટલા ક્રુર હોય છેકે માસૂમ બાળકોની પણ હત્યા કરતા અચકાતા નથી ઍ પણ ઍક દુખ દાયક ઘટના છે. આંતકવાદીઓઍ ૨૦૦૪ મા બેસલાન, રશિયામા ૧૮૬ બાળકો અને બીજા ૯૯ માણસોને મારી નાખ્યા હતા.  ઍ પણ  સ્કૂલ પર હુમલો હતો.  તેવોજ હુમલો ૧૬ મી ડિસેંબરના દિવસે પેશાવરમા આર્મી સ્કૂલ પર કરવામા આવ્યો અને ૧૪૧ માણસોને મારી નાખવામા આવ્યા. ઍમા ૧૩૨ સ્કૂલના બાળકો જ હતા. પાકિસ્તાની લશ્કરના તાલિબાનો સામેના પગલાના વિરૂધ્ધમા ઍ ક્રુર હત્યાકાંડ કરવામા આવ્યો હતો. ઍ હત્યાકાંડથી આખુ પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યુ છે. આખા  વિશ્વનો પાકિસ્તાન પ્રત્યે ઍ બાબતમા સહાનુભુતિ અને ટેકો છે.

                                                  "પોતે કરેલા પોતાને હૈયે વાગે"ઍવી હાલત અત્યારે પાકિસ્તાનની છે.   પાકિસ્તાન તાલિબાન અને આંતકવાદ દ્વારા અદ્રશ્ય યુધ્ધ ભારત સાથે લડતુ રહ્યુ છે, કારણ કે સીધુ યુધ્ધ ભારત સામે લડવામા મુશ્કેલી છે. પરંતુ હવે પોતે કરેલા ખરાબ કૃત્યો ઍને જ નડી રહયા છે.  આથી  પેશાવરના બાળસંહાર પછી પાકિસ્તાન ઍમાથી શીખી તાલિબાન અને આંતકવાદ સામેની લડતમા આખી દુનિયા સાથે જોડાઈ જવુ જ઼ોઈઍ. તાલિબાન અને આંતકવાદને કોઈ પણ સ્વરુપમા પાકિસ્તાને વખોડી કાઢવુ જ઼ોઈઍ.
                                           **************************************

Saturday, December 13, 2014


કલીયુગ
                                                                                                                                                                    મહાભારતના યુધ્ધ બાદ યુધિષ્ઠીરે ભિસ્મપિતાને પુછ્યુ હતુકે" અમારે તો યુધ્ધ જોઇતુ જ ન હતુ. અમારાપર યુધ્ધ લાદવામા આવ્યુ હતુ. આવુ શા માટે બને છે? જ્યારે નિર્દોષ અને ભલા માણસોં હેરાન થાય છે. ભિસ્મપિતાને ત્યારે ખબર ન હતી કે ઍ કલીયુગના પડછાયા હતા.  આજની પરિસ્થિતિથી કોઈ પણ સદ્દ્ગ્રહસ્થ વ્યક્તિ  ખુશ  ન  હશે ઍનુ કારણ આપણે કલીયુગમા જીવી રહ્યા છે
                આપણા ઋષીમુનિઑ વીદ્વાન  અને પ્રખર ભવિષ્યવેતા હતા કે ઍમણે સતયુગમા જ આવનારા ખરાબ સમયના ઍંધાન ભાખી નાખ્યા હતા. તેમણે આપણે અત્યારે જે કલીયુગમા રહિઍ છિઍ ઍનુ વર્ણન આપણા પુરાણોમા કરી નાખ્યુ હતુ. ઍમણે શ્રીમદ્ ભગવદમા જે કઈ કલીયુગ વિષે લખ્યુ છે તેમાથી આપણે પસાર થઈ રહ્યા છે. અત્યારે ઘણુ કરીને અસત્યનો અને દૃષ્ટોનો જ  વિજય પ્રવર્તે છે.
                   શ્રીમદ્ ભાગવદમા કલીયુગના લક્ષણો સ્પષ્ટરીતે વર્ણવામા આવ્યા છે જે આજની પરિસ્થિતિ પ્રમાણે જ છે.

૧) કલીયુગમા ધર્મ, સત્ય,સ્વચ્છતા, સહનશીલતા,દયા, સ્મૃતિ,શારીરિક શક્તિ, વગેરેનો લય થશે.
૨)  ઘનથી જ માણસ ઓળખાશે. ન્યાય, અને કાયદા સત્તાને આધીન હશે.
૩) ફક્ત  બનાવટ અને આકર્ષણને લીધે સ્ત્રી પુરુષો સાથે રહેશે. લુચ્છાઈથી જ વેપારમા સફળતા મળશે. સ્ત્રી પુરુષની શક્તિ તેમની કામનાની નિપુણતામા જ ગણાશે. બ્રાહ્મણો ફ્ક્ત જનોઈ પહેરવાથી જ ઓળખાશે.
૪) બહારના દેખાવ પરથી માણસની આધ્યાત્મિક શક્તીનુ મૂલ્યાકન થશે. જે  શબ્દોમા રમી શકશે ઍને જ .વીદ્વાન માનવામા આવશે.
૫)પૈસા વગરના માણસને અપવિત્ર માનવામાઆવશે.  બાહ્ય દેખાવને ગુણ માનવામા આવશે. મૌખિક વચનો પર લગ્ન નક્કી થશે. ફ્ક્ત સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જશે.
૬) પવિત્ર સ્થળો જળ સંગ્રાલયની નજીક લઇ જવાશે. વાળ ઓળવાની શૈલી પરથી સુંદરતા નક્કી થશે. પેટ ભરીને ખાવાનુ જ જીવનનુ  ધૈય બની જશે. જે કુટુંબનુ ભરણપોષણ કરી શકે ઍને જ સશક્ત મનાશે. ધાર્મિક સીધ્ધાંતોનો ફક્ત આબરૂ જાળવવાં માટે જ ઉપયોગ કરવામા આવશે.
૭) દુનિયા ભ્રષ્ટાચારી ઓથી ભરપુર રહેશે. સત્તા ફક્ત આવા શક્તિશાળી  લોકોના હાથમા ચાલી જશે.
૮) દુકાળ, આકરા કરો ને લીધે લોકો પાંદળા, કન્દમૂળ, માંસ, ફળ અને ફૂલો ખાવા પડશે. લોકોનુ જીવન બરબાદ થશે.
૯)લોકો શરદી,હવા, ગરમી, વરસાદ, અને સ્નોથી પીડાશે.  લોકો ભૂખ, તરસ, વગેરેથી દુખી થશે.
૧૦) મનુષ્યનુ આયુષ્ય ૫૦ ની આજુબાજુ રહેશે.
૧૧) પોતાના વડીલોનુ રક્ષણ કરવામા લોકો નિષ્ફળ રહેશે.
૧૨) માણસો પૈસા ખાતર ઍક બીજાને નફરત કરશે, અને પૈસા માટે મિત્રો, સ્નેહીઓ, પોતાની જાતનુ બલિદાન આપવા તૈયાર હશે. ભગવાનના નામથી લોકો પૈસા ઉઘારાવશે. પોતાનુ જીવન ચલાવવા  સાધુંના વસ્ત્રો ધારણ કરશે. આવા માણસો ઉચ્ચસ્થાન પર બેસી ધર્મના સીધ્ધાંતો પર પ્રવચનો આપશે.

                                                      આજે કયો યુગ ચાલે છે ઍ તો આપણે સહેલાઈથી નક્કી કરી શકિઍ ઍમ છે. તે છતા કળીયુગનો ઍક મહત્વનો ગુણ છે ઍ પણ ભૂલવો ન જોઇઍ કે  " કળીયુગમા ભગવાનનુ નામ શ્રધ્ધાથી લેવાથી ભૌતિક લોકમાથી નિર્વાંણ મેળવી શકાય છે. ઍવુ પણ આપણા શાસ્ત્રઑ કહી ગયા છે.
                                            *******************************************

Sunday, December 7, 2014



ત્રીજા વિશ્વ યુધ્ધ તરફ-
                                                                                                                                                             આજે વિશ્વભરમા  આંતકવાદ ફેલાયેલો છે અને અમેરિકાથી તે રશિયા, ચીન  સુધી ઍના મૂળિયા ફેલાયેલા છે. આખુ વિશ્વ આંતકવાદની વેદનાથી પીડાઈ રહ્યુ છે. ભલે ઘણા વિષયો પર મતાંતર હશે પરંતુ આંતકવાડના સામના માટે ઘણા ખરા રાષ્ટ્રો ઍક છે. તેઓ સયુક્ત મોર્ચો આંતકવાદ સામે ખોલવા તૈયાર થયા છે. ઍનુ મુખ્ય કારણ આંતકવાદ લોકોના વિકાસ સામેનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે.

                           આંતકવાદના મુળમા શિક્ષણ અને રોજગારીનો આભાવ તથા ગરીબી, અને અંધશ્રધ્ધા છે. આમા મુસ્લિમસમાજ વધુ ને વધુ ભોગ બન્યો છે જે ઉપલા બધા અભાવોથી પીડિત છે. તે ઉપરાંત મુસ્લિમ ધર્મગુરુઓ ઍમા ઘી હોમવાનુ કામ કરે છે. આથી આફ્રિકાથી તે પાકિસ્તાન સુધી મુસ્લિમ જગત આંતકવાદની  પીડા ઍક કે બીજા સ્વરૂપે અનુભવી રહ્યુ છે.



                         
                      મુસ્લિમ રાષ્ટ્રોમા લોકશાહીઍ ધર્માંધતા સામે માથુ ટેકવી દીધુ છે ઍટલે લોકશાહી લાંબો વખત ટકતી નથી અને  ઍમાથિ જ  આંતકવાદનો ઉધ્વવ થવા માંડ્યો છે.  આથી ધાર્મિક તત્વો ધીકતી ધરાની નીતિ અપનાવી રહ્યા છે. આજે અમેરિકા, બ્રિટન, યુરોપ, રશિયા, ચીન ભારત, આફ્રિકા અને બધા ખંડો આંતકવાદમા હોમાઈ ગયા છે.


                                                  કેટલાક રાષ્ટ્રો જેવાકે ઑસ્ટ્રેલિયા, કેનેડા, અને જાપાને  તો મુસ્લિમ સમાજને તેમના કાયદા પ્રમાણે જીવવાની નોટીસ આપી દીધી છે.  તે ઉપરાંત વિશ્વ અભિપ્રાય હવે આંતકવાદની સામે ઍક થઈ રહ્યો છે જે આંતકવાદને ઉત્પન કરનારા દેશો સામે મોર્ચો માંડવા તત્પર બન્યા છે. ઍમાથિ વિશ્વ યુધ્ધની ચિનગારીના તણખા દેખાઈ રહ્યા છે ઍની નોંધ લેવી જરૂરી છે.
                          .*******************************************