Saturday, March 19, 2016

સંસારનો સાર
                                                                            ઍક્વાર સ્વામી ચિન્મયાનન્દે ઍમના પ્રવચનમા ક્હ્યુ કે આજીવનમા દરેકે બની શકે ઍટ લી મદદ જરૂરીયાત જનોને કરવી જોઇઍ. ત્યારે ઍમને ઍક શ્રોતાઍ પુછ્યુ ' જે લોકો અમારી પ્રગતિની વચમા આવ્યા હોય ઍમને મદદ શા માટે કરવી?' સ્વામીજી ઍ  તર્ત ક્હ્યુ' ઍ લોકો છે તો તમારી સફળતાની કીમત છે. માટે તમારે ઍમને મદદ કરવી જોઇઍ.'  ટૂકમા સફળ માનવીઓઍ જરૂરીયાત મન્દો ને સહાય કરવી જોઇઍ.
                                                                           કબીરતો અભણ પણ જ્ઞાની હતા.  મોટા માણસનો શુ અર્થ છે જે બીજાને મદદ ન કરે?  ઍમણે ઍમના દોહામા કહ્યુ છે કે 'બડા હુઆતો ક્યા હુઆ, જૈસે પેડ  ખજુર, પંથી કો છાયા નહી, ફળ લાગે અતી દુર.'
                                                                           જીવનમા ઘણા લોકો દુખમા જભગવાનને  યાદ  કરે છે.  સુખમા પ્રભુને ભૂલી જાય છે. આથી દુખ અસહ્ય થઈ જાય છે.  કબીર ઍટલા માટે કહે છે ' દુઃખમે સુમરન સબ કરે, સુખમે કરે ન કોય. જો સુઃખમે સુંમરીન  કરે, તો દુઃખ કાહે હોય?
                                                                          બીજુ જીવનમા જેવી દ્રષ્ટી તેવી દુનિયા તમને નજરે આવે છે. ઍટલે આપણી દ્રષ્ટિને સકારાત્મક રાખવી ઉચિત છે.  ઍ બાબતમા કબીરનુ કહેવુ છે કે 'બુરા જો દેખન મે ચલા, બુરા ન મિલિયા કોઈ. જો દિલ ખોજા  અપના, મુજાસા બુરા ન કોઈ.
                                                                           સારા અને ખરાબ દિવસો તો જીવનમા આવ્યા જ કરે, પરંતુ દરેક પીડિત પર કરુણા અને દયા રાખવી જરૂરી છે. આપણે પણ ક્યારે બુરી દશામા આવી પડીઍ ઍ વિષે આપણ ને પણ ખબર નથી. ઍ બાબતમા કબીર સચો ડ શબ્દોમા કહ્યુ છે ' માટી કહે કુંભારકો  તૂ કાયે રોંધે મોય,, ઍક દિન ઐસા આયેગા, મે રોંધે તુય. 'આવુ  અસામાન્ય જ્ઞાન અભણ વણકરમા હતા.
                                                                          ઍટલે   જ્ઞાન બાબતમા પ્રકાશ પાડતા ઍ આગળ કહે છે '  પોથી  પઢકર  જગ મુઆ,  પંડિત ભયા ન કોય. ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.' વાંચવાથી ફક્ત જ્ઞાન આવતુ નથી સાથે સાથે  પ્રેમ પૂર્વક સમજીને વાંચવુ જરૂરી છે.
                                                                            કબીર હિન્દુ હતા કે મુસલમાન હતા. કોઈ ને ખબર નથી. પરંતુ  ઍમને ઉછેરવામા મુસ્લિમ ગરીબ  વણકર હતો. તેઓ હિન્દુ શાશ્ત્રઓની ભાષા બોલતા હતા. સાઇ બાબા નૉ  પણ  ઉછેર પણ ઍક મુસ્લિમે કર્યો હતો પણ ઍમની ઉપદેશિક ભાષા  હિન્દુ ફિલોસોફી પર આધારિત હતી. આજ  ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે.
                                      ***********************************************

Thursday, March 17, 2016

હોળી


                                                                                                   ૨૩ મી માર્ચે  ભારતમા હોળીનો તહેવાર રંગેબેરંગી રંગોથી મનાવવામા આવશે. હોળી  ઍટલે વસંતનુ આગમન અને રંગેબેરંગી ફૂલોની ઋતુ. કુદરત ઍના સૌદર્યથી લોકોના દિલ મોહી લેશે. હોળી આમતો આધ્યાત્મ, અને આંતરિક રસ ઉત્તપન કરનારો તહેવાર છે, જેમા વેર જેરને દફનાવી કે દૂર કરી પ્રેમ અને ભાઈચારો વધારવાનો અવસર છે. પરન્તુ આજકાલ તો ઍમા શ્રુગાર રસ વધારે હોય છે. ઍમાથી ઘણા દૂષણો ઉત્ત્પન્ન થયા છે.  જેથી ઍ નીર્દોષ તહેવારને કલકિત બનાવી દે છે.


                                                                                                  હોળીમા અગ્નિને વધારે મહત્વ આપવામા આવ્યુ છે જે કચરાને બાળીને વાતાવરણને શુધ્ધ બનાવી દે છૅ અને દરેકને પ્રેરણા આપે છેકે આંતરિક દૂષણો પણ દૂર કરી મનુષ્યઓઍ શુધ્ધ થવુ જોઇઍ. પરંતુ ઘણુ ખરુ ઍની પાછળ નો મર્મ જ  ભૂલાઇ  ગયો છે. આથી હોળી તો આવે ને જાય છે પરંતુ સમાજમાનો કચરો તો ઍમનો ઍમ જ રહે છે.
હોળી ઍટલે---
હોળી જુદી જુદી જાતની હોય છે.
કભી કભી હિંસાની, તો કભી ઈર્ષાની.
 કામલીલાકી, ઔર સંસાર સંગર્ષની પણ હોળી હોય છે.
હોળી ઍટલે---
પણ ઍવી પણ હોળી હોય છે
જે જીવનને રંગોથી ભરી  દે,
દિલોને દિલોથી મિલાવી દે
નયા ઉમંગોથી ભરી દે
ઔર મૌસમોમા મસ્તી ભરી દે
હોળી ઍટ લે---
માનવીઓના મન ને નિર્મળ કરવા વાળી
દૂષણોને ભગાડ નારી પણ હોળી હોય છે.
ભારત દેસાઈ
                                                                ***********************************

Monday, March 14, 2016

ગુજ્જુઓ શા માટે  ઈર્ષાના ભોગ બન્યા છે?
                                                                  ગુજરાતીઓને મજાકમા ગુજ્જુભાઇ કહીને બોલાવવામા આવે.  શા માટે? ઍના કારણો જાણવા માટે બહુ દૂર જવુ  પડે  જવુ પડે ઍમ નથી. ગુજરાતીઓ મુળથી જ વેપારી અને સાહસિક પ્રજા છે. પોતાનો રસ્તો પોતાની રીતે શોધી કાઢે છે.
૧) ૨૦૦૧ મા  ભયંકર ધરતીકંમ્પ કચ્છ અને ગુજરાતમા આવ્યો હતો અને લોકોને ઍમ કે ગુજરાત હવે બેઠુ નહી થઈ શકશે. પરંતુ થોડા સમયમા જ ગુજરાત રાજ્ય અને કચ્છ જીલ્લો  ઍકદમ વિકસીત બની ગયા. ૨૦૦૨ ના હૂલ્લડો બાદ ગુજરાતમા શાંતિનો ભંગ થયો. લોકોને હતુકે ગુજરાતમા અસલામતી વધી જશે પણ ૨૦૦૨ પછી કોઈ પણ હૂલ્લડો થયા નથી. સ્ત્રી સલામતીની બાબતમા દેશમા ઉંચ નંબર પર છે. અમદાવાદ ૨૦૧૦મા તો આખા  ઍશિયીયામા જડપથી વિકસતુ  શહેર બની ગયુ હતુ.  આ બધી ઈર્ષાની બાબત નથી?
૨) દુનિયાની કોઈ પણ ખૂણે તમને ગુજરાતી મળશે. તેમની કમાણીના કરોડો રૂપિયા ગુજરાતમા  થલવાઇ રહયા છે. દુનિયાને ખૂણે ખૂણે સ્વામીનારાયણ ના મંદિરો બાંધીને  ગુજરાતીઓે ઍ ભારતીય સંસ્કૃતી અને કલાનો પ્રચાર કર્યો છે. અમેરીકામા પટેલો ઍ પોતાની મોટેલ રૂમોમા શ્રીમદ્ ભગવદ ગીતાની કૉપીઑ  રાખવાની હિમ્મતો રાખી ચૂક્યા છે.
૩)  ગુજરાતીઓ  વિશ્વના ૯૦% હીરાના પૉલિશ કરવાના વેપાર પર  પ્રભુત્વ ધરાવે. આથી ઍ હિરાઓને સ્પર્શ કરનારા વિશ્વ નાગરિકો ઍની ચમક અને સુંદેરતા જોઈને ગુજરાતીઓને બિરદાવતા હશે. ઍ જોઈને  સ્વભાવિક રીતે ઈર્ષા થાય ઍમા કઈ આશ્ચર્ય પામવા જેવુ નથી.


૪) ગુજરાતમા દારુબન્ધી, અને રાજ્ય શાકાહારી પણ છે.  અમેરિકાના અશ્વેત નેતા માર્ટિન લુથેર કિંગ અને આફ્રિકાના નેલ્સન મંડેલાના ગુરુ મહાત્મા ગાંધીની ગુજરાત જન્મ અને કર્મભૂમિ છે.  તથા ભારતને બે પ્રધાન મંત્રીઓ મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીની ગુજરાત જન્મ અને કર્મભૂમિ પણ છે.




૫)  ગુજરાતે  ધીરુભાઇ અંબાણી, આજીમ પ્રેમ જી, વિક્રમ સારાભાઈ. સામ પિત્રોદા. હોમી ભાભા,  ટાટા, સુનિતા વિલિયમ,વાડીયાસ, જેવી વિશ્વ વિખ્યાત વ્યક્તિી ઓની ભેટ પણ આપી છે.
                                                                  આથી જો  ગુજરાતીઓને ગુજ્જુભાઇ કહેવામા આવતા હોય અને કેટલાકને ઈર્ષા થતી હોય તો દરેક ગુજરાતીને ગર્વ  થવો  જોઈ ઍ.
                                      ***************************************