Wednesday, April 12, 2017


જાસુસીનુ  મહા નાટક
                                                               કુલભુષણ જાદવ જે  નેવીના નિવૃત્ત  ઑફીસર છે.  જેમનુ  ઈરાનથી  અપહરણ કરી પાકિસ્તાન લાવવામા આવ્યા, અને .ઍનાપર જાસૂસીનો આરોપ લગાવી પાકિસ્તાની  સેનાની અદાલતે ફાંસીની સજા ત્વરિત ફરમાવી દીધી છે. પરંતુ જે ગતિથી સજા પૂરાવા પ્રસિધ્ધ કર્યા વગર કરવામા આવી છે ઍ શંકા જનક છે. ભારત સરકાર અને ભારતની જનતા ઍ ઍક અવાજે ઍનો વિરોધ કર્યો છે. પાકિસ્તાની મેડિયાઍ પણ ઍ બાબતમા શંકાઓ જગાવી છે. આમતો કુલભુષણ ધંધા અંગે ભારતના પાસસપોર્ટ પરઈરાન ગયેલા હતા પરંતુ પાકિસ્તાને ઍમને ભારતની જાસુસી સંસ્થા' રો' ના  જાસૂસ ઠેરવી દીધા છે.

                                              વાત પરથી લાગે છેકે આની પાછ ળ પાકિસ્તાનની ઉંડી ચાલ છે. થોડા વખત પહેલા જ પાકિસ્તાની નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ મોહમદ હબીબ નેપાળ સરહદ પરથી ગુમ થયા છે. અહેવાલ પ્રમાણે જે ટીમે કુલભુષણ નુ  અપહરણ ઈરાનથી કર્યુ હતુ ઍ ટીમના હબીબ પણ સભ્ય હતા. તે ઉપરાંત હબીબ પણ પાકિસ્તાની જાસુસી સંસ્થા 'આઇ ઍસ આઈ' ના સભ્ય છે ઍમ માનવામા આવે છે.આથી પાકિસ્તાનને હબીબની ચિંતા છે અને પાકિસ્તાન માનેછેકે હબીબ ભારતના હાથમા પડી ચૂક્યા છે.
                                            આથી કુલભુષણને કરવામા આવેલી ફાંસીની સાથે હબીબની ઘટનાની સાથે સબંધ છે. પાકિસ્તાન કદાચ મોહમદ હબીબને  છોડાવા માટે કદાચ કુલભુષણનો પણ ઉપયોગ કરે. આખરે તો  આઍક પાકિસ્તાની સરકાર દ્વારા રચાવામા આવેલા નાટકનો ભાગરુપ લાગે છે. પરંતુ મુદ્દાની વાતતો ગમે તેવા સંજોગોમા  કુલભુષણ જાદવના જીવનને બચાવવાની છે. ભારત સરકારને માટે ઍ મુશ્કેલ કામ કેવી રીતે પૂરુ પાડવુ ઍ ઍક કોયડો છે?
                                             ***********************************

Saturday, April 8, 2017


ઑસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા, આફ્રિકા અને ઇંડિયા
                                                                             ન્યૂજિલેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂગિનીના આદિવાસીઓ દેખાવમા ભારતીય જેવા જ દેખાય છે. ૪૦૦૦૦ હજાર વર્ષો પહેલા આવેલા જમીનના ફેરફારોમા ઍ બધા  ઍક હતા તે જુદા જુદા ખંડોમા  છવાઈ ગયા. આજે ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, સાઉથ અમેરિકા, ઇંડિયા હજારો માઈલ દૂર જુદા ખંડો બની ગયા છે.  પરંતુ ઍના ઍક હોવાના પૂરાવા આજે પણ મોજુદ છે.
૧) ઍમા રહેતા આદીવાસીઓના ચહેરા, કેટલાક રીતરીવાજો ભારતીયોને  મળતા આવે છે.
૨) ભારતીય સ્થાપત્યના નમૂનાઓ  પણ મળી આવ્યા છે.
૩)  ઑસ્ટ્રૅલિયાની' ઉરુ મેગાલિથિક સાઇટ' પાછળ સંસ્કૃત ભાષાનુ રહસ્ય રહેલુ છે. સંસ્કૃતમા 'ઉરુ' નો અર્થ પૃથ્વી થાય છે. અને  ઑસ્ટ્રેલિયાનો 'અસ્ત્રનો' અર્થ હથિયાર થાય છે.  અને અલિયાનો અર્થ  ઘર થાય છે.આથી ભારત સાથેના સબંધનો ઍમા મહિમા સમાયેલો છે.

૪)  ઈંગલીશ ઇતિહાસકારો ' ગીમ્પ સાઇટ' ને પિરામિડ કહે છે જે  ઇજીપ્તના લૉકૉ ઍ બનાવ્યો હોવાનુ માનવામા આવે છે. પરંતુ ઍનો આકાર  ગણેશજીની મૂર્તિ જેવો છે.

૫)  પદમાસન મુદ્રામા વેદિક દેવની મૂર્તિ પણ  ઑસ્ટ્રેલિયામાથી મળી આવી છે.
૬) અજબની વાતતો ઍ છેકે  ઑસ્ટ્રેલિયાના આદીવાસીઓના કપાળ પર ભારતીય  વિષ્ણુ ભક્તો જેવૂ ટીલુ કપાળપર લગાડેલુ હોય છે.
                                                                                આજે હજારો ભારતીયો  વિદેશી તરીકે ઑસ્ટ્રેલિયામા રહે છે ઍમણે કદાચ કલ્પ્યુ પણ નહી હોય કે ઍમના  પૂર્વજો ૪૦૦૦૦ વર્ષ પહેલા અહિઍ રહેતા હશે.
                                                   *************************************

Tuesday, April 4, 2017


દારૂનો જાદૂ
                                                                                 વધારે પડતો દારૂ પીવાથી શરીર તો ખલાસ થાય છે પણ  સાથે સાથે પૈસેટકે કુટુમ્બો પણ બરબાદ થાય છે.  આથી દારૂ પીવામા સંયમની જરૂર છે. કેટલાક લોકો દુખો ભુલવા, જીવનના દબાણોથી બચવા દારૂનો સહારો  લે છે ઍ ઍમના માટે વિનાશક બની રહે છે.  પશ્ચિમના દેશોમા દારૂ ઍ જીવન જીવવાની હળવી શૈલી માનવામા આવે છે. ઍમા સંયમ અને મર્યાંદા હોય છે.  ઍક તથ્ય છે કે અમર્યાદિત દારૂ પીનારાઓ ઍમના  કુટુંબને અને ઍમની અર્ધાંગિનીઓને દુખી અને બરબાદ કરી દે છે. આથી સ્ત્રીઓનો દારૂ સામે મોટો વિરીધ પણ છે.
                         દુનિયાના મોટા મોટા દેશો જેવાકે અમેરિકા અને રશિયાઍ પણ દારુબંધીનો પ્રયોગ  કરી લીધો પરંતુ ઍમા ઍમને નિષ્ફળતા મળેલી છે. તે છતા  ભારતમા ગુજરાત, બિહાર. કેરાલા, મણિપુર  અને  નાગાલેન્ડ જેવા રાજ્યોમા દારુબંધી ચાલુ છે. ઉત્તર પ્રદેશમા દારુબંધી માટે મહિલા આંદોલન ચાલુ છે. આ દારૂના દૂષણો સામેના પગલા છે.  વસ્તુ ખરાબ હોતી નથી પરંતુ ઍને સેવન કરનારાઓની આદતો ખરાબ હોય છે.  કેટલાક અહેવાલો પ્રમાણે જો દારૂનુ  મર્યાદામા અને કદીક દવા તરીકે સેવન કરવામા આવે તો માનવીને  ઘણી બિમારીઓમાથી બચવા મદદ કરી શકે છે.  જેમ કે -
બીયર- હદયની અને ઉંચા લોહીના દબાણની બીમારીઓ દૂર કરવામા અમુક અંશે મદદ રૂપ થાય છે.
રેડ  વાઇન - ઍ  જીવન સમય લંબાવવામા મદદ રૂપ  થાય છે. સારો  કૉલોસ્ટરાલ વધારે છે અને ખરાબ કૉલોસ્ટરાલ ઘટાડે છે.
વોડકા- મોઢાની દુર્ગંધ દૂર કરે. સ્ટ્રેસ અન સ્ટ્રૈઈનને ઑછા કરે, ચામળીને તંદુરસ્ત બનાવે અને  ઍંટીસેપ્ટિક તરીકે કામ કરે છે.
વિશ્કી- ગરમ પાણી સાથે વિશ્કીના કોગળાકરવાથી ગળાની બિમારીમા રાહત મળે. વિશ્કીથી સારો કૉલોસ્ટરાલ વધે અને  હૃદયને તંદુરસ્ત રાખે.
રમ-  હાર્ટ તંદુરસ્ત રાખે અને લોહીને પાતળુ રાખે.
                          આ થોડા નૂસકા ડૉક્ટરની સલાહ પ્રમાણે અજમાવવામા આવે તો દારૂ ઉપયોગી પણ થઈ શકે ઍવુ મનાય છે.
                                       **************************************