Sunday, August 16, 2020


 સફળ જીવન  

                                                                       દરેક પોતાના જીવનમાં સફળતા અને નિસ્ફળતા વિષે વિચારતા હોય છે પરંતુ એકને માટે સફળતા એ કોઈક બીજા માટે નિસ્ફળતા બની રહે છે એટલા માટે સફળતા માટે કોઈ એવો કોઈ માપદંડ હોવો જોઈએ જે સામાન્ય  લોકોને સ્વીકાર હોય. અમુક બાબતોને ધ્યાન રાખી માનવીના જીવનને મૂલવી  શકાય છે.

                            જેમ કે માનવીના જન્મ બાદ એકવર્ષમાં જો એ ચાલવાનું શીખી લીધું હોય તે સારી વાત કહેવાય. બાળકો લાંબી ઉંમર સુધી એના પેન્ટમાં જ પીસાબ કરી નાખતા હોય છે પરંતુ જો કોઈ પણ બાળકને  ૪ વર્ષની ઉંમરમાં એ પ્રકિયા પર અંકુશ આવી જાય તો એ એની એક સફળતા સમજી શકાય છે. કેટલાયે  બાળકો ઘરની  બહાર જાય પછી એના ઘરે  પાછા આવવા માટે ફાંફાં  મારવા પડે છે. ૮ વર્ષે એટલી આવડત આવી જાય તો બાળકની એ સફળતા ગણવી જોઈએ .


                              બાળ અવસ્થામાં ૧૨ વર્ષની કિશોરે ઉંમરે મિત્રો બનાવવાની કળા સફળતા માટે આવશ્યક છે અને ૧૮ વર્ષની ઉંમરે મોટર કાર ચલાવતા આવડવું જોઈએ અને એનું લાઇસન્સ પણ મેળવી લેવું જોઈએ .      

                                    ૨૩ વર્ષની ઉંમરે  સ્નાતક થઇ  અને ૨૫ વર્ષની ઉંમરે જો કોઈ કમાવા માંડે તો એ  એ સફળ જીવનની નિશાની છે.  ૩૦ વર્ષની ઉંમરે જો કોઈ કુટુમ્બીક માણસ ન બને તો એ સારી નિશાની નથી . જીવનના સંગર્ષમાં ૪૫  વર્ષેની વયે પણ તમે યુવાન જ દેખાવા જોઈએ. તમારા પુત્રો અને પુત્રીઓ 50 વર્ષની વયે સારું શિક્ષણ લેતા હોવા જોઈએ . તમારી ફરજો  પણ તમે  ૫૫ વર્ષે સારી રીતે બજાવવી જોઈએ. 

                                     ૬૦વર્ષે તમે કાર ચલાવતા હો  અને ૬૫ વર્ષે કોઈ પણ રોગના ભોગ ન બન્યા હોય તો એજીવન માટે સારી નિશાની છે.  ૭૦ વર્ષે તમે કોઈના પર બોજા  રૂપ નહિ બનો, અને ૭૫  વર્ષે પણ મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હોવું એ એક સફળ જીવનની નિશાની છે. 

                                        વધારે આનંદ જનક અને સુખદાયી ઘટના તો એ છે કે તમે ૮૦ વર્ષે પણ ઘર ભૂલ્યા સિવાય પાછા ફરી શકો છો . ૯૦ વર્ષની ઉંમરે તમેજો તમારી બધી જ ઇન્દ્રિયો પર કાબુ રાખી શકો અને જો કોઈની પણ મદદ વગર ચાલી શકો તો એ ખરેખર સફળ જીવનની નિશાની છે.

                               સામાન્ય માણસ માટે સફળ જીવનની એ બધી  નિશાનીઓ છે. 

                                            ***********************************          

Wednesday, August 12, 2020

 

અભિનેતા સુશાંતસિંગ  રાજપૂતની આત્મહત્યા 

                                               અભિનેતા સુશાંતસિંગના  મૃત્યુની કહાની આજે ભારતમાં બહુજ  ચર્ચાસ્પદ વાત બની ગઈ છે.  એક બીજો  પ્રશ્નતો એની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી સાથેના સબંધો અને એમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રશ્નોએ  તરખાટ મચાવી દીધો છે. લગ્નસંબંધો સિવાય બંનેની સમજૂતી પ્રમાણે સાથે રહેવાની પ્રથા જેને ઇંગ્લીશમાં ' લિવિંગ ઈન રિલેશનશિપની' પ્રથા પણ ચર્ચામાં આવી ચુકી છે. આજકાલ આ પ્રથા આધુનિક યુગમાં બહુજ પ્રચલિત બની ચુકી છે. પહેલા તો પશ્ચિમ સંસ્કૃતિમાં આવી અને હવે એ પ્રથા ભારત જેવા  દેશમાં પણ પ્રચલિત થવા માંડી છે.  એમાં લગ્નના બંધન સિવાય કોઈજાતની જવાબદારી વગર એકબીજાની મરજીથી બિન્દાસ જીવવાની છૂટ સમાન બની રહે છે. 

                                                સુશાંતસિંઘના  મૃત્યુ બાદ  આક્ષેપબાજીઓ  ચાલી  રહી છે. એમાં એનું મૃત્યુ આપઘાત છેકે પછી એનું ખૂન થયું છે? એવી વાતો પણ ચાલી રહી છે. સુશાંતસિંહ ના સબંધીઓ અને એના પિતાના કહેવા પ્રમાણે એની મિત્ર રીયા ચક્રવર્તીએ  સુશાંતસિંઘના  પૈસા વગે કરી દીધા હતા અને એને એના સગા સબંધીઓથી એને  દૂર કરી દીધો હતો. એનાથી સુશાંતસિંઘને  આપઘાત કરવા પ્રેયરાઓ  હતો. એના  માટે સુશાંતસિંઘના પિતાએ કેશ પણ નોંધાવ્યો છે .  એ બાબતો અત્યારે પોલીસે તપાસ નીચે છે.

                                                આ બધી બાબતોમાંથી  ' લિવિંગ ઈન રિલેશનશિપ ' પ્રથા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એ પ્રથામાં સ્ત્રી અને  પુરુષ બંન્ને ઘણુંખરું પુખ્ત વયના હોયછે . એથી એમાં લાગણીમાં તણાયા સિવાય બંન્ને બાજુએ પોતપોતાની   માનસિક અને નાણાકીય  બાબતો પર અંકુશ રાખવો જરૂરી છે  નહિ તો એના ગંભીર પરિણામો આવી શકે છે.  સુશાંતસિંઘનો મામલો એનો સચોટ દાખલો છે. જરૂરી એવો કાયદો પણ એ બાબતમાં લાવવો જરૂરી છે  જેનાથી આજની  અને ભવિષ્યની  પેઢીને રક્ષણ મળી શકે.  આજની આર્થિક  અને સામાજિક પરિસ્થિતિ  આવા વધુને વધુ મામલાઓ ઉભા થવાની શક્યતા વધારી દે છે.

                                                       ******************************     

Monday, August 3, 2020


માનવીય સબંધો 
                                                                         માનવીય  સબંધોને કોરોના  આફતે  વધારે  નજદીક લાવી દીધા છે. માનવ  સમાજ  બેબસ બની અને ઘરના ચાર ખૂણામાં ગોંધાઈ  રહેવાને મજબુર બન્યો છે. એમાંથી માનવ સબંધોનો નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. માતા પિતાનો   પોતાના સંતાનો સાથેના સબંધો ગાઢ  થવા માંડયા છે. પતિપત્નીના સબંધો વધારે વિકસાઈ રહયા છે.  મિત્રતાના સબંધો  વધારેને વધારે વિકસી રહયા છે. ઘરોમાં હવે વિવિધ વાનગીઓ બનાવી મિજબાની થવા માંડી છે. આમ માનવીય સંબંધોમાં સારી દિશામાં વળાંક આવ્યો છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ  કહ્યું છેકે ' જે થાય છે તે સારા માટે જ હોય છે.'
                                  પરંતુ  માનવીય સંબંધોને સમજવાની અને એને વિકસાવવાની પણ કળા છે . ઘણીવાર લોકો કૈક કહી નાખે છે અને પછી કહે છે ' એતો મજાક કરતો હતો .' પરંતુ એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ . 
કદાચ એનામાં શબ્દોમાં કોઈ સત્ય પણ છુપાયું  હોય શકે છે.  કોઈ કહેકે 'મને કોઈ ફરક પડતો નથી તો સમજવું જોઈકે એના કહેવા પાછળ કોઈ લાગણીઓ છુપાયેલી  હોય છે .'
                                  ઘણીવાર લોકો  એલફેલ  બોલીએને  નાખે છે . અને સામે વાળા એને એમ કહીને ટાળી દે છે કે ' કઈ વાંધો નહિ '.  પરંતુ એની પાછળ એક ગહન દર્દ છુપાયેલું હોય છે એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ.  ઘણા પોતાની જાતને બધાથી અલગ કરી દે  તો  સમજવું જરૂરી  છે કે એ વ્યક્તિને સંબંધોની વધુ જરૂરત છે  જે એની મદદ  કરી શકે . માણસની ખામોશીની  પાછળ કેટલીયે વેદનાનો દરિયો પડ્યો હોય છે .
                                     બહાર  બહુજ હસતા લોકો  અંદરખાને  બહુજ એકલા હોય છે.  ઘણા માણસો બહાર બહુ મજબૂત દેખાતા હોય છે અને કદી રડતા પણ દેખાતા નથી પણ  એવાજ  લોકો અંદરથી  બહુ કમજોરે  હોય છે. એવા લોકોને બીજા સમજી સકતા નથી.  જ્યારે કોઈ નાની નાની બાબતોમાં  રડી પડતા હોય છે તે નાજુક હૃદયના  હોય છે.
                                             સંબંધોને તોડવા કરતા એમાં અંતર જાળવતા શીખવું જોઈએ. અને કોઈ પણ સંબંધને તોડતા પહેલા બે વાર વિચારવું  જોઈએ.  પોતાને જ  પ્રશ્ન પૂછવો જોઈએકે  કે આટલો  વખત સબન્ધ શા માટે જાળવ્યો ?  સબંધો તૂટે છે અહંમ કે પછી વહેમને કારણે  જ . 
                                               આપણા નજદીકના સંબંધોમાં માણસે હાર માનવાની વૃત્તિ કેળવવી જોઈએ.
કારણકે બધા સબંધો બદલી શકાય છે પરંતુ લોહીના સબંધો બદલી શકાતા નથી. 
                                                  ટૂંકમાં કોરોના જેવી આફતે માનવીને સબંધો સુધારવાની અને સમજવાની  તકો આપી છે તેનો સદ્ઉપયોગ કરવો જોઈએ  અને માનવીને સાચા અર્થમાં સમજવા પ્રયત્નો કરવા જોઈએ . 
કદાચ આપણે કલ્પેલું સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવે.
                                        *****************************************