Tuesday, December 19, 2023



 ચીનની આર્થિક  પડતી 

                                                   ચીન આખી દુનિયામાં પોતાનો સસ્તો માલ વેચીને આર્થિક સંપત્તિઓ ઉભી કરી છે. આથી એ અમેરિકા જેવા સુપર શક્તિશાળી દેશને પણ હંફાવવા પ્રયત્ન કરી રહ્યો છે. એક તો ચીન સરમુખત્યાર  દેશ છે અને  એના લોકોને ઓછા વેતન દ્વારા કામ કરાવી તૈયાર માલ પરદેશમાં વેચી  સારું એવું નાણું  ભેગું કરે છે. અને એ નાણાંની મદદથી દુનિયામાં પ્રભુત્વ જમાવી રહ્યું  છે.  ચીની માલ  દેખાવમાં સુંદર અને સસ્તો હોય છે પરંતુ એટલો ટકાવ  હોતો નથી.



                                     એક વાતમાં તથ્ય  છેકે ભેગીકરેલી સંપત્તિથી  ચીન આખી દુનિયા પાર દાદાગીરી કરી રહ્યું છે. દાદાગીરી એટલી હદે છે કે ચીનને અડીને આવેલા આશરે અઢાર જેટલા દેશો સાથે એનો સરહદ અંગેનો ઝગડાઓ છે. તે ઉપરાંત ગરીબ અને  પૈસાના તંગી વાળા દેશોની કુદરતી સંપત્તિઓ હડપ કરવા તેમને આર્થિક સહાય આપે છે અને પછી એનું શોષણ કરવાની એની નીતિ છે. એમાં તાજોજ દાખલો શ્રી લંકા અને આફ્રિકાના પણ અનેક દેશો છે. 

                                     અમેરિકન પ્રમુખ ટ્રમ્પએ જ્યારથી ચીન સાથે અસહકાર અને વેપારી લડત ચલાવી ત્યારથી ચીનની પનોતી બેઠી છે.  અત્યારના અમેરિકન  પ્રમુખ બાઇડને પણ એ લડત ઘણે અંશે ચાલુ રાખી છે. અમેરિકન કંપનીઓએ પણ પોતાની ઓફિસો ચીનમાંથી ખસેડવા માંડી છે. એનાથી ચીનને સારું એવું આર્થિક નુકશાન થયું છે. અમેરિકાએ   ઊંચ કક્ષાની હાઈ ટેક  માહિતી  ચીનને આપવા સામે પ્રતિબંધો લગાવ્યા છે.

                                     તે ઉપરાંત ચીનની આર્થિક નીતિ પણ હવે નિષફળતા તરફ જવા માંડી છે.  આર્થિક પ્રગતિનો વાર્ષિક દર  ૩.૨%  પહોંચી ગયો છે. ઘરોની કિંમત પણ ઓછી થઇ રહી છે. આથી ઘર બાંધતી કંપનીઓ હવે તકલીફમાં  આવવા માંડી છે. વેપારમાં રોકાણ , નિકાસ  અને  લોકોની ખરીદ શક્તિ ઓછી થઇ ગઈ છે. આખી દુનિયામાં અત્યારે ભાવ વધારો ચાલી રહ્યો છે જયારે ચીનમાં અત્યારે ચીજોના ભાવ તદ્દન ઉતરી  રહ્યા છે કારણકે લોકોની ખરીદ શક્તિ તદ્દન નીચે ગઈ છે. આ આર્થિક રીતે ખરાબ ચિન્હ છે.



                                  લોકોના દેવા પણ વધી રહ્યા છે. તે ઉપરાંત મજબૂત , સફળ અને સાહસિક ઉદ્યોપતિઓને  કાબુમાં રાખવા માટે  ૨૦૨૦માં એમના પર સરકાર દ્વારા   હુમલા  કરવામાં આવ્યા.  મજબૂત અને સફળ લોકો પર કાબુ જમાવવા જતા  એના પ્રત્યાઘાતો ઘણા વિપરીત પડ્યા અને એથી ચીનને આર્થિક રીતે સહન કરવો પડ્યો. આ બધા માટે સત્તાને એક જગાએ કેન્દ્રિત કરવાની નીતિ જવાબદાર માનવામાં આવે છે.  સરમુખત્યારીની આ મોટામાં મોટી નિર્બળતા હોય છે.

                                           ચીનની વસ્તી પણ હવે  વૃદ્ધાવસ્થા  તરફ આગળ  વધી રહી છે. ચીનનો જીડીપી ઘટી રહ્યો છે.  અમેરિકા એક વખત માનતું હતું કે ચીનની  આબાદી સાથે ચીનમાં લોકશાહીના ઉદયને  તક મળશે પરંતુ એનાથી ઉલટુંજ બની રહ્યું છે. સરમુખત્યારીના મૂળિયાં જડ બની રહ્યા છે અને અંતે ચીનની પ્રગતિને નુકસાન રૂપ બની ગયા છે.

                                          મૂળમાં સરમુખત્યારીનું  ચિંત્ર થોડા સમય માટે સુંદર લાગે પરંતુ અંતે તો તો એનું કદરૂપ ચહેરો બતાવી જ દે છે.

                                             ************************************

                                             

                                                

Tuesday, December 12, 2023



હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન   

                                 ભારતના વિકાસમાં નવસર્જન કરવાની  આવડતમાં  ભારતીય  યુવાનો પાછા પડે એમ નથી.  ભારતીય શિક્ષણ સંસ્થાઓ પણ તેમાં સહકાર આપી રહી છે. એમની ઉચ્ચ કક્ષાની સંસ્થાઓ ઇન્ડિયન  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ આખા વિશ્વમાં એવી વ્યક્તિઓ પુરી પાડી છેકે જેણે દુનિયાનો ચહેરો બદલી નાખ્યો છે.

                                 મોટી અમેરિકન કંપનીઓ  'માઇક્રોસોફ્ટ' અને  'ગૂગલ'  પણ હવે ભારતીયઓ જ ચલાવી રહ્યા. તે ઉપરાંત અનેક અમેરિકન કંપનીઓમાં ૪૦ % જેટલા ભારતીય યુવાનો  કામ કરી રહ્યા છે. એમાં  ઉચ્ચ  કક્ષાએ બેઠેલા કેટલાએ યુવાનો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના જ ફરજંદ છે. આવી જ એક ચેન્નાઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ તાજેતર દુનિયામાં નામ ઉજાળ્યું છે.  એના વિદ્યારથીઓએ પ્રવાસમાં ક્રાંતિ લાવે એવું એક 'હાયપરલૂપનું  'પ્રોટોટાઈપ મોડેલ '  રજુ કર્યું છે.



                                 તે  હાઈસ્પીડ ટ્રેન કરતા પણ વધુ ગતિથી દોડી શકે છે.  એરોપ્લેનની ગતિ સારી એવીહોય છે પણ એ અવાજ અને હવામાં પ્રદુષણ વધારે છે. તે ઉપરાંત એને  મોટા એરપોર્ટ અને એના માટે વિશાળ  જમીનની જરૂર પડે છે.  જયારે 'હાયપરલૂપ' વાહનમાં અવાજનું અને વાયનું  પ્રદુષણ થતું નથી અને એને ટ્રેન સ્ટેશન જેવી જ જગ્યા ની  જરૂર હોય છે.

                                     સવાલ એ છેકે હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન  છે શું ?  એ વેકક્યુમ ટ્યુબમાં ચાલે છે અને એની  ગતિ કલાકના  ૧૦૦૦ થી ૧૨૦૦ માઈલની  હોય છે. એટલે ચેન્નાઈથી બેંગ્લોર  ૨ કલાકમાં પહોંચી શકાય છે.  એમાં કોઈ પૈડાં હોતા નથી એથી ઘર્ષણ પણ ઓછું થાય છે.  એ એક બહુજ મોટો પ્રોજેક્ટ છે જેને ' ઇન્ડિયન રેલવે ' 'ટાટા સ્ટીલ ' અને  'એલ એન ટી 'જેવી કંપનીઓ આર્થિક મદદ કરી રહી છે.



                                      આ પ્રોજેક્ટનો જો   સફળતા પૂર્વક અમલ કરવામાં આવશે તો ભારતના 'પ્રવાસન' અને ટ્રાન્સપોર્ટેશન 'ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દેશે  અને ભારતને દુનિયામાં સુપર પાવર તરીકે ઉભારવામાં બહુ જ મદદરૂપ થશે એમાં શંકા નથી.

                                  *********************************

 

Sunday, December 3, 2023



સુખનું  રહસ્ય 

                                               સુખનું રહસ્ય  માણસના પોતાના હાથમાં જ હોય છે. માણસના પોતાની જીવવાની રીત પરએનો આધાર છે. માણસની પોતાના શોખ , શરીરની તંદુરસ્તી  અને એની માનસિક   સ્થિતિ , અને આદતો પણ એના સુખને માટે જવાબદાર હોય છે.

                                             શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરિયાત પૂરતી ઊંઘ  લેવી જરૂરી છે.દરરોજ કસરત કરીને  શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. તે ઉપરાંત  કુદરતને શરણે જવાથી શરીર તાજગી અનુભવે છે. ખુલ્લી હવામાં ફરવું અને પર્વતો પર મર્યાદામાં  ચઢાણ કરવું કે  પછી નિયમિત ચાલવું પણ  આવશ્યક છે . આપણામાં કહેવત  છેકે ' જાતે નર્યા એ પહેલું સુખ છે.

                                             તમારા શોખ  પણ  એવા  હોવા  જોઈએ કે જેમાં તમને  રસ  હોય  અને તમને આનંદ આપતા હોય . નવી નવી જગાઓનો પ્રવાસ  અને તે પણ મિત્રો અને કુટુંબના સભ્યો સાથે જેની સાથે સારો મેળ હોય. લેખન અને સાહિત્યમાં  રસ લેવાથી પણ અનોખો આનંદ મળે  છે. સંગીત અને નૃત્યમાં રસ લેવાથી પણ મન આનંદિત રહે છે.



                                              તે ઉપરાંત સારી માનસિક આદતો પણ માણસને  માનવીય બનાવી અનોખો આનંદ આપે છે. કોઈ પણ માણસ જો તમને કોઈ પણ જાતની નાની મોટી મદદ કરે છે તો એના તરફ કૃતજ્ઞતા બતાવવાથી માનવીય સુખ મળે છે. બીજાને નિશ્વાર્થ ભાવથી મદદ કરવાથી પણ  માનવી સુખ અનુભવી શકે છે.તે ઉપરાંત બીજાની સાથે હસતું મુખ રાખવાથી  બીજાને અને પોતાને પણ સંતોષનો  અનુભવ થાય છે. તે ઉપરાંત જો કોઈ તમને દુઃખ પહોંચાડે તો  એને માફ કરવાથી  દિલ હલકું થઇ જાય છેને દુઃખ પણ દૂર થતું જાય છે. અને સુખનો અનુભવ થાય છે.  સુખી થવાનો  એક રસ્તો એવો છેકે   માનવીએ પોતાની વર્તણુક  હંમેશા બીજાની સાથે  સારી હોવી જોઈએ જેથી બીજાને દુઃખ ન  થાય. કારણકે બીજાના સુખમાં પણ આપણે ઘણીવાર  આંનંદ અનુભવીએ છીએ .



                                     જો માનવી પોતાની મર્યાદાઓ સમજી જાય તો એને દુઃખનું કારણ રહેતું નથી અને એ સુખી રહે છે. જો માનવીએ મર્યાદા સમજવી હોય તો એને તત્વજ્ઞાનની જરૂરિયાત છે.  ધ્યાન , પ્રાર્થના ,અને પ્રભુમાં શ્રદ્ધા રાખવાથી માનવીય મર્યાદાનું જ્ઞાન સહેલાયથી પચી જાય છે અને પછી દુઃખને સ્થાન હોતું નથી અને માનવી સુખની પ્રાપ્તિ થાય છે.

                                    આજ સુખનું રહસ્ય છે.

                                   ************************************


   

                                      

Saturday, November 18, 2023

 


મનોમંથન 

                                                               ચિંતા એ એવી વસ્તુ છે ઘણીવાર કાલ્પનિક હોય છે. અને એના પર માનવીનો કોઈ અંકુશ નથી. એથી જ ચિંતાને ચિતા સમાન ગણવામાં આવે છે.  ખોટી ચિંતા એ સમયનો વ્યર્થ છે. તે ઉપરાંત ઘણી વાર ચિંતા માનવીની તંદુરસ્તી પર અસર કરે છે અને માનવીની કામ કરવાની  શક્તિને વ્યય કરી નાખે છે. આથી ચિંતાથી દૂર રહેવાની જરૂર છે. 

                         એજ પ્રમાણે માનવીની ધન માટેની દોડ પણ ગાંડપણ છે. ધન માણસને ફક્ત થોડી સગવડો અપાવી શકે છે પરંતુ એ માનવીને સન્માન , સંસ્કૃતિ , પ્રેમ , અને ધીરજ  આપી શકતા નથી. એનાથી સંપૂર્ણ  શારીરિક  અને માનસિક તંદુરસ્તી  પણ  ઉપલબ્ધ થતી નથી. બીજા અર્થમાં ધન  હોવા છતાં ઘણા દાખલાઓ છે કે જેમાં ધનવાનો તેમના ધન ને  માણી શક્યા  નથી.

                        માનવીએ  હંમેશા એના વર્તમાનમાં જ રહેવું જોઈએ . ભૂતકાળમાં  જવાની થયેલી  ભૂલોને લીધે દર્દની  અનુભૂતિ થાય છે.  ભવિષ્યની યોજના  પણ ઘણી વાર વર્તમાનમાં ઘડી શકાય છે.  વર્તમાનના વિકટ પ્રશ્નોનો  સામનો  પણ વર્તમાનમાં રહેવાથી  વધારે  શક્તિ પૂર્વક કરી શકાય છે.  



                            માનવી સારા કર્મો કરે તો એને સારા પરિણામો મળે છે. તે ઉપરાંત જે લોકો  વિકટ સંજોગોનો  સામનો કરીને કદી પણ નિરાશ થતા નથી એવાને  જ સફળતા મળે છે. ટૂંકમાં  સારા કામો કરવાથી  હંમેશા સારા ફળો મળે  છે. 

                            જીવનમાં ક્રોધને કાબુમાં રાખવાની જરૂરત છે. કારણકે કે ક્રોધ તો થોડા વખતમાં ચાલી જશે પણ એ દરમ્યાન  બોલેલા શબ્દો  બીજાને જીવનભર  યાદ રહે છે અને એ તમારા દુશ્મન બનીને રહે છે. 



                              ઘણીવાર જયારે માનવી કુદરતનો પ્રકોપ  જુએછે ત્યારે એને ખાતરી થાય છે કે આ દુનિયામાં ઘણી વસ્તુઓ પર  એનો  કોઈ કાબુ નથી. અને એને પ્રશ્ન થાય છે કે એ કોણ છે? પરંતુ જયારે એ પ્રકોપ પસાર થઇ જાય છે અને બધું શાંત થઇ જાય છે એટલે  માનવીઓની એની અણસમજ પાછી જાગૃત  થઇ જાય છે અને એ કુદરતની છેડછાડ શરૂ કરી દે છે.  કુદરત પણ એના અપરાધને છોડતી નથી વારેઘડીએ પૃથ્વી પર  વિનાશ  નોતરે છે.   હવામાનનો બદલાવ પણ એનો જ એક દાખલો છે. કેટલી જગાએ અસહ્ય ગરમી અને કેટલી જગાએ અસહ્ય ઠંડી.  તેઉપરાંત  સર્વત્ર પૂર અને વાવાઝોડા એ પણ કુદરતી પ્રોકોપ જ છે.

                          આથી માનવી એ દરેક બાબતમાં યોગ્ય આત્મસંધોધન  કરવાની જરૂર છે.

                                                 ******************************************



                         

Wednesday, November 15, 2023



એલોન મસ્ક

                                                                       એલોન મસ્ક અમેરિકાના અબજોપતિ ધનવાન  અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ પણ છે. એમનામાં લક્ષ્મી અને કાબેલિયતનો સંગમ છે. તેઓ રોકેટ, ઇન્ટરનેટ , સ્પેસ, ઇલેક્ટ્રિક મોટરકાર, ઉદ્યોગમાં અને હવે સોશ્યિલ મીડિયામાં ટ્વિટરના પણ માલિક છે.

                       તેમની સોચ બહુજ અજીબ છે.  અને એમની સાહસિકતાની કોઈ સીમા નથી . ઘણા એમને વિચિત્ર માનવી તરીકે પણ ઓળખે છે  પરંતુ એવા માણસોજ દુનિયામાં કૈક નવું આપી જાય છે. તેઓની કલ્પના શક્તિ અજબની છે. તેઓ દુનિયામાં આવનારા ભવિષ્યને  પણ જોઈ શકે છે . આથી એમની ચાલ એ રીતે જ ચાલે છે. ટ્વિટરને ખરીદતી વખતે તેમણે વિચાર્યું હતું કે ટ્વિટર વિરોધી વિચારો પ્રત્યે  સહિષ્ણુ નથી એથી એમાં સુધારો લાવવો જરૂરી  છે. આથી એમણે ટ્વિટરના સ્ટાફ સહીત એનું નામ પણ બદલી નાખ્યું છે ( એનું નામ'  એક્સ ' રાખ્યું છે)

                      મસ્ક માને  છે કે જે લોકો એની વિચારધારાને વરેલા હોય અને વફાદાર હોય એવા માણસો સાથે જ કામ કરવું .  રશિયા અને યુક્રેઈનની લડાઈમાં  એમણે ઉક્રેઈંનને   ઈન્ટરનેટ કવર પુરુપાડી મદદ  પણ કરી છે.  ઘણા એમને વિચિત્ર વ્યક્તિ પણ કહે છે પરંતુ વિચિત્ર માણસો જ દુનિયામાં કૈક આપી જાય છે. અને વિચિત્ર માણસો જ બીજા કરતા કૈક જુદુંજ વિચારતા હોય છે ,એટલે બીજા સાથે મેળ કરી શકતા નથી.

                      મસ્કનું બાળપણ ઘણુંજ  મુશ્કેલ હતું.  એમને એમની માંએ ઉછેરેલા  હતા.   શાળામાં પણ એમને સહન કરવું પડ્યું હતું . એથી બહુજ મુસીબતોમાંથી તેઓ આગળ આવ્યા છે. મસ્કને 'આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં' બહુ  વિસ્વાસ  નથી કારણકે એ એમની અને માનવીય હોશિયારીને પડકાર રૂપ છે.

                           મસ્કએ  'ઓન લાઈન'  બેન્કિંગ સેક્ટરમાં પણ ફાળો આપ્યો છે જે આગળ જતા ' પે પાલ ' તરીકે ઓળખાય છે. આજ બતાવે છકે  મસ્ક  કોઈ પણ ઉદ્યોગમાં કયારે પણ દાખલ થઇ શકે છે. એજ એમની કાબિલિયતનો નમૂનો છે.

                                         ********************************



                         

 




























Thursday, November 9, 2023



 દારૂનું દુષણ 

                                                        દરેક વસ્તુના  ગુણ અને અવગુણ એના ઉપયોગ કરનાર પર આધાર રાખે છે.દારૂપણ એના ઉપયોગ અને ઉપભોક્તાઓના અનાચારને કારણે વધારે બદનામ થઇ ગયો છે. એનો ઉપયોગ નિયમનમાં કરવામાં આવે તો માનવ સમાજને દવા તરીકે ઉપયોગી થઇ શકે છે.  એક પ્રખ્યાત લેખકે લખ્યું છે કે' થોડો દારૂ પીવાથી કઈ  લાભ થતો હોય તો એ નુકશાન કારક નથી'.  મૂળમાં લાગણીશીલ, નશાકારી  અને વધારે તંગ રહેતા માણસોના એના વધારે પડતા સેવનથી પણ દારૂ વધારે બદનામ થયો છે. ગરીબો માટે તો એમની કારમી આપવીતીઓને કારણે દારૂને શરણે જવું પડે છે. જયારે ધનવાનો માટે દારૂઘણીવાર સમય પસાર કરવાનું કારણ બની જાય છે.  ગરીબો માટે  એના કુટુંબો માટે  પીડાનું સાધન બની જાય છે. જયારે ધનવાનો માટે ઘણીવાર  એમની સમૃદ્ધિના નાશનું પણ કારણ બની જાય છે. મૂળમાં અધિક અને વધારે માત્રામાં એનો ઉપયોગ માણસ અનેસમાજ માટે  શાપ રૂપ બની જાય છે.

                                           ગાંધીજીથી માંડીને બધા વ્યહવારું  અને બુદ્ધિશાળી  માણસો દારૂ અને એના દુષણોને લીધે એનો વિરોધ કરતા રહ્યા છે. અમેરિકા અને રશિયા જેવા દેશો પણ દારૂ નિયમનનો પ્રયોગ  કરી ચુક્યા છે.પરંતુ લોકોના અસહકારને લીધે એમને નિષફળતા મળી હતી. રશિયાના એક વખતના સરમુખત્યાર  ક્રુશ્ચોવ   ભારતને પ્રવાસે આવ્યા  હતા તે વખતે તે વખતના મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજીભાઈએ એમના હાથમાં એક પરમિટ પધરાવી દીધી હતી કારણકે મુંબઈ રાજ્યમાં દારૂબંધી હતી. એમનો ઉદ્દેશ પરદેશી મહેમાનને દારૂ વગર તકલીફ ન પડવી જોઈએ.  પરંતુ ક્રુશ્ચોવે એ પરમીટ પરત આપતા એમને અભિનંદન આપ્યા કહ્યું ' અમે બહુ પ્રયત્નો દારૂબંધી માટે રશિયામાં કર્યા છે પરંતુ નિષફળ નીવડ્યા છે. અહીએ દારૂબંધી  છે એ આનંદની વાત છે. હું આ રાજ્યમાં કાયદાનું પાલન કરીશ'.



                                             અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ કેટલાએ લોકો દારૂના વધુ સેવનથી મરી જાય છે. દારૂ પીને વાહનો ચલાવવાથી  અકસ્માતોમાં  મરી  જાય છે. અમેરિકામાં વર્ષે ૧૫૦૦૦૦ માણસો  દારૂના કારણે મરે છે. અને અમેરિકામાં દારૂ મૃત્યુનું  એ ચોથું મોટું કારણ બની ચૂક્યું છે. દારૂના વધુ સેવનને અટકાવવા કેટલીઓ  દવાઓ કાઢી છે પણ એની કોઈ અસર નથી.

                                            દારૂબંધીથી ગરીબોની ગરીબી દૂર થઇ છે એમ સરકારી આંકડાઓ  કહે છે. કારણકે દારૂ પાછળ વેડફાતા નાણાઓ સમાજ અને કુટુંબો માટે વપરાતા થયા છે.  ઘણા બુદ્ધિશાળીઓ અને ધનવાનો પણ દારૂબંધીના વિરોધી છે. એ લોકો માને છેકે કાયદાથી દારૂ પીતા લોકોને રોકી શકાય નહિ.  ધનવાનો પોતાના સાધનોને  કારણે ગમે ત્યાં જઈ,દારૂ પી શકે છે.  અને ગરીબોતો સસ્તો અને દેશી દારૂપીને ચલાવી લે છે. એમાં ઝેરી દારૂ પીવાથી સેંકડો ગરીબ માણસો મારી મરી  ચુક્યા છે. આથી લોકોના સહકાર વગર દારૂની બદીને દૂર કરવી મુશ્કેલ છે. એટલે ઘણા દેશોમાં દારૂબંધી  નિસ્ફળ નીવડી છે. એ  બદીની બાબતમાં સામાજિક અને શિક્ષણિક ઝુંબેશ  જરૂરી છે. ગાંધીજી ભારતની ગરીબીજોઈને અને એનું કારણ દારૂની બદીને પણ જણાવ્યું  હતું. એથી જ તેઓ ભારતમાં  દારૂબંધીનામોટા હિમાયતી હતા . પૂર્વ વડા પ્રધાન  મોરારજીભાઈ પણ દારૂબંધી મોટા હિમાયતી હતા કારણકે તેઓ માનતા હતા કે ગરીબી દૂર કરવામાં દારૂબંધી  મોટો ભાગ ભજવી શકે છે. દારૂબંધી બાદ રસ્તા પર દારૂના નશામાં  ઝુમતા લોકો ઓછા થઇ શકે  છે. અને કાયદાકીય પરિસ્થિતિમાં સુધારો થઇ શકે છે એ પણ એક સત્ય છે.

                                                     તે  છતાં દારૂની બદીને દૂર કરવા માટે લોકજાગૃતિ , લોકસહકાર , અને લોકોને શિક્ષિત કરવાની વધુ જરૂરી છે.

                                           ***************************

Sunday, October 22, 2023

 


મિત્ર 

                                            સાચા મિત્રનું સ્થાન જીવનમાં ઘણું હોય છે. એની સાથે મન ખોલીને વાત કરી શકાય છે. જીવનના ઉકળતા પ્રશ્નો વિષે સાચી સલાહ પણ મેળવી શકાય છે. સાચો મિત્રનો  અભિપ્રાય ગમે તેટલો કઠોર પણ હોય તેને અવગણતા પહેલા એના પર ઊંડાણ પૂર્વક વિચાર કરવો જોઈએ. એની સાથે તમે ભૂતકાળ , વર્તમાન  અને ભવિષ્ય વિષે પણ નિખાલસ પૂર્વક ચર્ચા કરી શકાય છે.  મિત્રનું સ્થાન કુટુંબ કરતા ઘણી બાબતોમાં  વધી જાય છે.

                     મિત્રતા જેટલી જૂની હોય તેટલી એની મધુરતા વધી જાય છે. એથી નાનપણના મિત્રો એટલેકે શાળાના મિત્રોની મિત્રતા  વધારે  ગહેરી બની રહે છે.  સાચી મિત્રતા કદી ગુમાવી શકતી નથી.તે ઉપરાંત એ મહત્વનું નથી તમે કોની સાથે વધારે સમય પસાર કરો છે પરંતુ તમે કોની સાથે જીવનનો ઉત્તમ સમય પસાર કરો છે. એમાં મિત્રનું સ્થાન બહુજ અગત્યનું આવે છે.



                    સાચા મિત્રને દરરોજ ન  પણ મળો અને એની સાથે વાત ન કરો તો પણ મિત્રતામાં કોઈ ફરક પડતો નથી. ખરી મિત્રતામાં એકબીજાના પ્રશ્નો સંભાળી લેવામાં આવે છે. જેથી  પ્રશ્નો સરળ બની જાય છે. સાચો મિત્ર તો તમારું દર્દ તમારી આંખમાંથી પારખી જાય છે એના માટે તમને ઢંઢોળવાની જરૂરિયાત રહેતી નથી.

                  લોકો જે તમારી પાછળ બોલતા હોય છે તે તમારો સાચો મિત્ર  તમારા મોઢા પર કહેતા અચકાશે નહિ . બધા જ દર્દનો ઉપાય સાચા મિત્ર સાથે  સહવાસથી  જ પ્રાપ્ત થાય છે . આથી સાચો મિત્ર મળવો એ જીવનની મોટામાં મોટી બક્ષિસ  છે.

                                         **********************************

Friday, October 20, 2023



અદાણી 

                                                          અદાણી અત્યારે ભારતમાં રિલાયન્સ પછી વધુ તેજીથી ઉપસી રહેલી કંપની છે. એ ચોખાથી માંડીને કોલસા અને રિન્યૂએબલ ઉર્જામાં પણ કામ કરી રહી  છે.   એણે ઝારખંડમાં થર્મલ પાવર પ્રોજેક્ટ અને રાજસ્થાનમાં સોલાર ઉર્જાનો પ્રોજેક્ટ પણ પૂર્ણ કર્યો છે. એનો ઑસ્ટ્રેલિયામાં કોલસાની ખાણનો પ્રોજેક્ટ પણ બહુ ચર્ચાસ્પદ બની ચુક્યો છે.  કરોડો ડોલરનો પેટ્રોકેમિકેલ  પ્રોજેક્ટ અત્યારે એણે અનુકૂળ સંજોગોને કારણે પડતો મુક્યો છે. પરંતુ અદાણી પાસે ભારતના મોટા એરપોર્ટના અને  અનેક બંદરોનો વહીવટ કરવાના હક્કો પણ  મળેલા છે.એની કંપનીઓ ૨૦૦ બિલ્લીઓન ડોલર જેટલી હતી પરંતુ અનુકૂળ માર્કેટ સંજોગોને લીધે એ ૧૦૦ બિલ્લીઓન ડોલર પર પહોંચી ગઈ હતી . હવે ધીમે ધીમે એના શેરો ફરીથી ઉપ્પર આવી રહ્યા છે.



                      અદાણી કંપનીના શેરોના ભાવ નીચા જવા માટે અમેરિકાની હિંડેનબર્ગ  રિસેર્ચ કંપનીનો અહેવાલ જવાબદાર  છે. એ અહેવાલમાં  અદાણી પર  શેરોનું ઈન સાઈડ વેચાણ કરવાનું અને આર્થિક ગોટાળા કરવાનો આરોપો કરવામાં આવ્યા છે. પરંતુ અદાણીએ એ આરોપોનો ઇન્કાર કર્યો છે.  આંતરાષ્ટ્રીય  પત્રકાર સંઘે પણ અદાણી પર આરોપો મુક્યા છે. સુપ્રીમ કોર્ટે પણ ભારતના સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડને પણ અદાણી વિશે  અહેવાલ આપવાનો ઓર્ડર કર્યો હતો.



                       આ ઉપરાંત  ભારતના વિરોધ પક્ષ દ્વારા પણ  ભારત સરકાર પર અદાણીના વડાપ્રધાન સાથેના સબંધો પર આરોપો મુક્યા છે. તે છતાં અદાણીના શેરો આગળ વધી રહ્યા છે.  અદાણીનો નફો પણ વધી રહ્યો છે. એની ઘણી લોનો શેરવેચીને ભરી દેવામાં આવી છે.



                       ભારત જેવો દેશ જેની  આર્થિક વ્યવસ્થા પ્રગતિ કરી રહી છે એવા દેશને અદાણી જેવી કંપની ઓની   જરૂરિયાત છે જે દેશની પ્રગતિમાં મદદ રૂપ બની રહે .  એથી આવી બીનાઓ આર્થિક કારણોને લીધે કે પછી હરીફાઈઓને લીધે બનતી જ રહેવાની . એમાં કઈ નવાઈની વાત નથી.

                       મૂળમાં અદાણીની  પ્રગતિ હજુ પણ ચાલુ છે એ દેશને માટે પણ સારી વાત છે.

                                               ********************************

                         

Wednesday, October 4, 2023

 


વસ્તી ઘટાડો -એક પ્રશ્ન 

                                                         ઘણા લોકો ચીન અને ભારત જેવા દેશના વસ્તી વધારેના પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આખી  દુનિયાના એટલે  કે  ધનવાન અને ગરીબ દેશોના વસ્તી ઘટાડાથી ચિંતા અનુભવી રહ્યા છે.  અમેરિકા અને જાપાન જેવા દેશોના  આર્થિક નિષ્ણાતો  પણ વસ્તી ઘટાડાથી ચિંતિત છે.  વસ્તી ઘટાડાથી વૃદ્ધોની  વસ્તી વધી રહી છે. અને એ  દેશોને  વૃદ્ધોના  પેંશન વધારોના   ખર્ચ  પજવી રહ્યો છે.  તે ઉપરાંત વૃદ્ધોની આરોગ્યના ખર્ચાઓ પણ આખરે તો એમના કુટુંબ પર કે પછી રાજ્યો પર આવવાનો છે.



                                     યુવાનો પાસે વધુ કામ કરવાની શક્તિ અને નવીન શોધો કરવાનો ઉત્સાહ હોય છે. જે રાજ્યની પ્રગતિમાં સારું એવું પ્રદાન કરી શકે છે. બીજું યુવાની વૃદ્ધોના અનુભવને પુરા કરવામાં મદદ રૂપ બને છે.  યુવાનોને પ્રગતિમાં વધુ રસ અને ઉત્સાહ હોય છે. આથી ઘટતી જતી વસ્તી એ નિષ્ણાતોને મતે ભયજનક છે. જાપાન એનો એક જાગતો દાખલો છે. ત્યાં યુવાનોની વસ્તી ઘટતી જાય છે. અને વૃદ્ધોની વસ્તી વધતી જાય છે.

                                      ૨૦૦૦માં દુનિયાનો દરેક સ્ત્રીનો  વસ્તી વધારવાનો દર ૨.૭ હતો તે વધારે હતો પરંતુ અત્યારનો દર ૨.૩ છે જે ઓછો છે.તે ઉપરાંત દુનિયાની વધારેમાં વધારે  જીડીપી ધરાવતા દેશોની વસ્તી પણ ઓછી થઇ રહી છે એ પણ ચિંતા નો વિષય છે. વૃદ્ધોની વસ્તી વધી  રહી છે એવા દેશોમાં જાપાન અને અમેરિકા સિવાય  ઇટાલી , બ્રાઝીલ , મેક્સિકો , અને  થાઇલેન્ડ જેવા દેશો પણ છે.  તેઉપરાંત ચીન અને ભારત જેવા વસ્તીવાળા દેશોમાં પણ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં વધુ રહે છે. ક્યાંતો વધારે શિક્ષિત નથી. એ પણ એક ચિંતાજનક બાબત છે.



                                         ઘણા વિચારે છેકે  ' આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ '  એટલેકે રોબેટિક ટેક્નોલોજી  વસ્તી ઘટાડાને  પૂરક બની રહેશે . એ  માનવીય હોશિયારીને પણ પૂરક બનશે.



                                         એનો અર્થ માનવીય  હોશિયારીનો  ઉપયોગ ઓછો અને  ટેકનોલોજીનો ઉપયોગ વધારો થશે. એ પ્રશ્ન પણ માનવીય હોશિયારીએ જ ઉકેલવો પડશે. 

                                          આશ્ચર્યની વાતતો એછેકે  વસ્તી વધારા પ્રશ્નની સામે વસ્તી ઘટાડાનો પ્રશ્ન પણ કોયડા રૂપ બની રહ્યો છે.

                                     **************************************** 

                                             

                                                


Wednesday, September 20, 2023



દલાઈ લામા 

                           દલાઈ લામા તિબેટના  આદ્યાત્મિક અને રાજકીય વડા છે. જયારે ચીને તિબેટનો કબજો લીધો ત્યારે દલાઈ લામા ભાગીને ભારત આવ્યા અને તિબેટની બહારની   સરકારની રચના કરી . તેઓને અત્યારે હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે રહે છે.જ્યાં તેમને ભારત સરકારે  આશરો આપ્યો છે. તેઓની પ્રતિષ્ટા કહી દુનિયામાં પથરાયેલી છે. એમને શાંતિનો નોબલ પુરષ્કાર પણ આપવાંમાં આવ્યા છે.  તેઓ દુનિયાભરમાં ફરેછે અને આધ્યાત્મિક પ્રવચનો પણ આપે છે. અને સાથે સાથે તિબેટની આઝાદી માટે પણ ઝુંબેશ ચલાવે છે . તેમના આધ્યાત્મિક વિચારો એટલાજ પ્રખ્યાત છે. 

                                                                      તેઓ  માનેછે કે સર્વોચ્ચ ધર્મ એ છે કે જે માનવીને ઈશ્વર નજદીક લઇ જાય છે. ધર્મ માનવીને  ઉત્તમ માનવી બનવામાં મદદ કરે છે.  એ માનવીને  વધારે જાગૃત બનાવે છે મોહમાંથી મુક્તિ અપાવી ત્યાગી બનાવે છે. માનવીને જે માનવતા યુક્ત બનાવે છે ઉત્તમ ધર્મ છે.

                                                                      માનવીને વધારે જવાબદાર બનાવે તે ઉત્તમ ધર્મ છે એમ દલાઈ  લામા  માને છે. તેઓ મને છે કે ધાર્મિક હોવું એટલું મહત્વનું નથી પરંતુ તમે તમારા કુટુંબ,  સમાજ અને દુનિયા સામે કેવી વર્તણુક કરો છે એ મહત્વનું છે.



                                                                          એમનું માનવું છે કે  જોકોઈ સારી વર્તણુક કરે તો એને બીજા તરફથી સારો પ્રતિભાવ મળે છે. અને ખરાબ કામોથી ખરાબ પરિણામો જ આવે છે. આ સત્ય આપણા બાપદાદાઓ પણ કહી ગયા છે. એટલા માટે તમારું સુખદ  ભાવિ એ તમારાજ હાથમાં છે.



                                                                          તેઓનું માનવું છે કે  તમારા વિચારોમાં  સંયમ રાખો કારણકે વિચારોમાંથી જ શબ્દો ઉત્ત્પન થાય છે. તમે તમારા શબ્દો પર પણ સંયમ રાખો જે અંતે તો અમારા કાર્યોમાં  જ પરિણમે  છે. અને તમારા કાર્યો જ આખરે તમારું ચરિત્રને ઘડે   છે . તમારું ચરિત્ર તમારું ભાવિ ઘડવામાં નિમિત્તરૂપ  બની રહે છે. અને તમારું ભાવિ જ તમારું જીવન ઘડે છે.

                                                                          અંતે તેઓ માને છેકે  સત્ય કરતા કોઈ ઉંચો ધર્મ નથી . એટલે સત્યને  પામવા માટે જ આદ્યાત્મિકતા એક ઉત્તમ રસ્તો છે.  એજ માનવીને સત્ય તરફ દોરી જાય છે.

                                                ********************************                                                     


  

 

Thursday, September 14, 2023



એકાંત અને એકલતા 

                                         જીવનમાં એટલા બધા પ્રશ્નો હોય છે અને જીવન એટલું ગતિશીલ અને હરીફાઈઓમાં ગૂંચવાયેલું હોય છે કે આજકાલ માણસોને એકલા કે પછી એકાંત મળવું મુશ્કેલ બની ગયું છે. શરૂઆતમાં એટલેકે વિદ્યાર્થી અવસ્થામાં ભણતર, ત્યારબાદ નોકરી ધંધા સાથે  ગ્રહસ્થિમાં,  અને અંતે  ઘડપણમાં એના અસ્તિવ અને વ્યક્તિવ જાળવવાની  ગડમથલમાંથી પોતાના અને  અને દુન્યવી  પ્રશ્નો વિષે  બહુ ઊંડાણથી વિચારવાનો વખત જ મળતો નથી. એથી એનું મનુષ્ય જીવન મશીનમય  વીતી જાય છે.  આથી જીવનના પ્રશ્નો, એને  સંગર્ષ  અને દુઃખથી ભરી દે છે. આવા સંજોગોમાં એને વિચાર કરવાનો સમય જ ક્યાં મળે છે?


                                             વિચાર કરવા માટે પણ એકાંતની જરૂરત પડે છે. તે પણ એને મળતું નથી. એવું કહેવાય છેકે માણસ જીવી જાય છે એ અગત્યનું નથી પણ કેવું જીવે છે એ અગત્યનું છે.  પરંતુ માણસને એ બાબતમાં  વિચારવા માટે એકાંતની જરૂર હોય છે.  એકાંત એ જીવનમાં આવશ્યક છે કારણકે એ મનુષ્યને  આત્મમંથનની તક આપે છે. તમારા ખોટા પગલાંઓને સુધારવાની તક આપે છે. માનવીય વીટમ્બણાના ઉકેલોમાં મદદ કરી શકે છે. આથી એકાંત થોડા સમય માટે મેળવવું પડે છે.  આથી એકાંત માંગેલી વસ્તુ બની શકે છે.

                                       જયારે એકલતા ઘણીવાર  માણસે માગેલું હોતું નથી પણ લાદવામાં આવેલું હોય છે.  એકલતા માણસને વિહ્વળ કરી નાખે છે. એને ઘણીવાર ભારરૂપ બની જાય છે. દુઃખનું કારણ બની જાય છે. ઘણીવાર માણસને એકલતાને લીધે જીવન નિરસમય લાગે છે અને એની તંદુરસ્તીને પણ અસર થાય છે.  અને એને દુનિયાથી દૂર કરી  નાશ તરફ દોરી જાય છે.

                                         ઋષિઓ પણ એકાંત શોધતા હતા એકલતા નહિ. તેઓ પણ ઘણીવાર એમના કુટુંબ કબીલા સાથે રહેતા પરંતુ એમનો વધુ સમય એકાંતમાં ચિંતનમાં પસાર કરતા. અને પોતાનું જ્ઞાન પણ વધારતા રહેતા. તેમના એકાંતવાસમાં જ એમણે દુનિયાની ઘણી સાયન્સ અને સાંસ્કૃતિક  કૃતિઓનું સર્જન કર્યું છે. જયારે દુનિયા અંધકારમાં હતી ત્યારે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો કઈ જગ્યા પર ક્યારે હશે એવી ગણતરીઓ તેઓ કરી શકતા હતા. આર્યુવેદ જેવું   શાસ્ત્રની પણ રચના કરી.  આવી અસંખ્ય શોધો તેમના એકાન્તવાસની ઉપજ છે.

                                          આથી એકાંત મનુષ્ય માટે ઉપયોગી બને છે પરંતુ એકલતા ઘણીવાર  અનેકઃ દુઃખોનું કારણરૂપ બની રહે છે. 

                                  **********************************************  

Saturday, September 2, 2023



મરી મસાલા 

                                                           જુના જમાનાથી ભારત એના મરી મસાલા માટે જાણીતું હતું અને એથી જ યુરોપના દેશો મરી મસાલા એટલેકે  કાળું સોનુ અને અને સમૃદ્ધિ પ્રત્યે ભારત પ્રત્યે આકર્ષાયા હતા. એની શોધમાં યુરોપીઅન લોકો ભારત આવ્યા અને અંતે ભારત ઇંગ્લેન્ડ, પોર્ટુગીઝ , અને ફ્રેન્ચ લોકોનું સંસ્થાન બની રહ્યું.  અંતે ઇંગ્લેન્ડે ભારત પર કબજો જમાવ્યો અને દીવ , દમણ , ગોઆમાં , પોર્ટુગીઝોએ  પગદંડો જમાવ્યો. ફ્રેન્ચોએ પણ ચંદ્રનગર અને પોન્ડિચેરીમાં  પોતાના સંસ્થાન  સ્થાપ્યા. 

                           ભારતની સમૃદ્ધિ અને મરી મસાલા ભારત માટે શાપ રૂપ બની રહ્યા.  સમૃદ્ધિતો અંગ્રેજો લૂંટી ગયા  અને ભરપૂર મરી મસાલા અહીંથી લઇ જતા રહ્યા.

                             મરી મસાલામાં શું ખૂબી છે એના ઉપયોગ પરથી અને એના  ગુણો  પરથી જાણી શકાય છે. એમાં તજ જે ઝાડની છાલ છે એનો ઉપયોગ ચાહના મસાલામાં ઉપયોગ થાય છે. તે ઉપરાંત તે વિવિધ વાનગીઓ તૈયાર કરવાંમાં ઉપયોગી હોય છે. તાજનો વઘારમાં પણ ઉપયોગ થાય છે. જેથી વાનગી સુગંધી અને  સ્વાદિષ્ટ  બને છે. તજ એન્ટિસેપ્ટિક છે અને ફૂગનો  નાશ કરે છે.  તે ઉપરાંત એનો ઉપયોગ અપચો, ગેસ , કોલોસ્ટ્લ જેવી બીમારી ને દૂર કરવાંમાં થાય છે .



                        મરીનો ઉપયોગથી રસોઈમાં સ્વાદ અને સુગંધ લાવેછે.  અને બીજી રીતે ગુણોમાં ઠંડા અને તીખા હોય છે. એમાં બે જાતના મરીઓ હોય છે સફેદ અને કાળા.એનો ઉપયોગ શરદી ,ઉધરસ ,તાવ , ગળાના આંતરડાના અને મરડા જેવા રોગોમાં કામ આવે છે. વજન પણ ઉતારવામાં મરી ઉપયોગી બને છે. બજારમાં  મરીની કિંમત ઘણી સારી છે.



                       અજમો  પાચનમાં સુધારો કરે છે.એનો ઉપયોગ શરદી,ખાંસી ,અસ્થમા, કોલેરા ,ઝાડા  જેવા રોગોમાં થાય છે. 



                        લવિંગ  દાંતના દુખાવાને  દૂર કરવામાં ઉપયોગ થાય છે. તે ઉપરાંત છાતીનો દુખાવો , અપચો , તાવ , ઉધરસ અને શરદીમાં પણ ઉપયોગ થાય છે.



                       આદુનો ઉપયોગ રસોઈમાં  સ્વાદ સુધારવામાં થાય છે. તે ઉપરાંત એનો ઉપયોગ  ઉલટી ,કબજિયાત .હાઇપરટેંશન  જેવી બીમારીઓમાં  થાય છે. તે ઉપરાંત એનો ઉપયોગ  દાળ , શાક , અને ચટણીને સ્વાદિષ્ટ બનાવવામાં પણ થાય છે.  

              આમ  મરી મસાલા રસોઈ અને અનેક બીમારીઓમાં થાય છે. એથી એની મહત્વતા વધુ છે.

                                   ************************************


 

  

Friday, August 25, 2023



તંદુરસ્તી - ૭૫ મી વયે 

                                જ્યારે ઉંમર ૭૫ ની ઉપ્પર જાય છે ત્યારે વૃદ્ધો માટે તંદુરસ્તી જાળવવી મુશ્કેલ બનતી જાય છે. બધા શરીરના અંગો નબળા વધુ થતા જાય છે. ત્યારે સારી તંદુરસ્તી જાળવવી મુશ્કેલ થતી જાય છે.   

                                  તે વખતે   ઊંઘનું  બરાબર ધ્યાન  રાખવું  જરૂરી છે. ઓછામાં ઓછી  સાત કલાકની ઊંઘ લેવી જરૂરી છે. એ  જીવનને સફૂર્તીમય રાખે છે.

                                  ધ્યાન અને અધ્યાત્મક્તા  પણ જીવનના તંગ અને દબાણ લાવતા  પ્રશ્નોનો સામનો કરવા જરૂરી છે. ધ્યાન  જીવન સંગ્રામના પ્રશ્નોના  સામનો કરવામાં મદદ કરે છે અને રાહત પણ આપે છે.  

                                 જેમ જેમ વય વધતી જાય તેમ તેમ લોકોનો સંમ્પર્ક ઓછો થતો જાય છે જે એકલતા સર્જે છે.. એમાંથી ઘણીવાર માનસિક વ્યથાઓ ઉત્ત્પન્ન થાય છે. આથી લોક સંમ્પર્કમા સતત રહેવું જરૂરી છે. એનાથી લોકો સાથેના સંપર્ક વધતા અને વાતચીતમાં  વ્યસ્ત રહેવાથી માનસિક અને શારીરિક તંદુરસ્તી સારી રહે છે.



                                   વધતી ઉંમરમાં બને ત્યાં સુધી થઇ શકે એવી કસરતો કરવી જરૂરી છે  અને હળવી રમતો જેવીકે કેરમ રમવી . તે ઉપરાંત  ગાર્ડનિંગ   પણ કરી શકાય.  દરરોજ ૩૦ મિનિટ ચાલવાથી  પણ શરીર સારું રહે છે.  પાણીમાં તરવા જેવા શોખો પણ શરીરને સારા રાખવામાં મદદ રૂપ થાય છે. 



                                  આજના ટેક્નોલોજીના જમાનામાં ઈન્ટરનેટથી   જ્ઞાન પણ વધારી શકાય છે.  એમાં સારી રીતે સમય પસાર કરવાથી શરીર માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રાખી શકાય છે. માણસ જીવે ત્યાં સુધી નવું શીખવાની ઉત્સુકતા જાળવી રાખવી જોઈએ. 



                                   તે ઉપરાંત ખોરાકમાં પણ  સંયમ જાળવવો જોઈએ જેથી શરીર સારું રહે.  જેમ બને તેમ  પેટમાં જરૂરિયાત કરતા ઓછી જગ્યા રાખવી જોઈએ.   ખાંડ અને  કાર્બોહાઇડ્રેટ  જેવા પદાર્થો વાળા ખોરાકો ઓછા લેવા જોઈએ.  ફળો અને લીલા શાકભાજીઓ  વધારે ખાવા જોઈએ જેથી શરીરને પચાવવામાં સહેલું પડે .

                                    મૂળમાં વધતી વયે વધારે સંયમ રાખી હળવું અને તંદુરસ્તી ભર્યું જીવન જીવી જવું જોઈએ.  કેટલા વર્ષો જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું અને કેટલું તંદુરસ્તીથી જીવ્યા એ મહત્વનું છે.

                                        ***************************** 

Saturday, August 19, 2023

 


આદર્શ ભારથા

                                     પત્નીને સંસ્કૃતમાં  ભારથા કહેવામાં આવે છે. એટલેકે આદર્શ પત્ની પુરુષનો ઉદ્ધાર કરી શકે છે  આપણામાં કહેવત પણ છેકે એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રી એટલેકે પત્ની હોય છે. આથી  સારી પત્ની મેળવવી એક  સારા  નસીબની નિશાની છે.  એકસારી પત્ની  પોતાના પતિના કુટુંબને પણ સુખી કરી શકે છે. જ્યારે ખરાબ પત્ની પતિના  કુટુંબ અને ભવિષ્યને  રોળી શકે છે. 

                                    આદર્શ પત્ની માટે કોઈ વ્યાખ્યા નથી પણ એના ગુણોથી પણ માપી શકાય છે. પત્ની જો પ્રેમાળ અને કુટુંબ પ્રત્યે લાગણીઓ ધરાવતી હોય  તો દરેક  ચીજોમાં સમાધાન  કરનારી હોય તો કુટુંબમાં ક્લેશ ઓછો થાય છે. એને માટે એ વધારે વખત એના પતિને આપી એને સમજવા પ્રયત્નશીલ હોવી જોઈએ.



                                     જીવનમાં સફળતા માટે  પતિને હંમેશા  ટેકો અને એના કામમાં પ્રોત્સાહિત કરતી  હોવી જોઈએ. ટૂંકમાં પતિની સફળતામાં જ પોતાની સફળતા  નિહાળતી પત્નીની દ્રષ્ટિ હોવી જોઈએ . પત્ની માટે પતિ અને એનું કુટુંબ પ્રાથમિક હોવું જોઈએ.



                                       પતિ પત્નીનો  સબંધ મિત્રતા ભર્યો હોવો જોઈએ અને એક બીજા પ્રત્યે માન અને આદરથી જોવાથી સમાજમાં પણ સારી છાપ ઉભી થાય છે. એમાં પત્નીની ભૂમિકા મહત્વની હોય છે. પતિને જિંદગીમાં સંગર્ષ કરવો પડતો હોય છે. એસંગર્ષમાં પત્નીએ પણ પ્રશ્નોના ઉકેલમાં પતિને સહાય કરવી આવશ્યક છે. આથી જીવન સંગ્રામમાં પતિ પત્નીએ એક ટીમ તરીકે કામ કરવાની જરૂરિયાત છે.

                                   પતિ પત્નીની વચ્ચે રંગીલા અને રોમાંચિત સબંધ નહિ હોય તો  જીવન શુષ્ક  બની રહે છે.  પત્ની અને પતિ વચ્ચે  વિચારોની આપલેમાં તદ્દન સ્પષ્ટતા  હોવી જરૂરી છે જેથી પત્ની  પતિને  એના  શ્રેષ્ટ ગુણો અને હોશિયારીને  બહાર લાવવામાં મદદરૂપ થઇ શકે. પતિને શાંતિથી સાંભળીને  યોગ્ય સલાહ સૂચન આપી  પતિને એના  ધ્યેયોને સિદ્ધ કરવામાં મદદરૂપ થવામાં પણ પત્ની મોટો ભાગ ભજવી શકે છે.

                                      પત્નીના વિચારો સકારત્મક અને પ્રામાણિક  હોય તો એ પતિની  સફળતામાં  મહદ અંશે ભાગીદાર  બની શકે છે. ભારતની સંકૃતિમાં  મહદ અંશે  મહાન વ્યક્તિઓની સફળતામાં એમની પત્નીના ફાળાને  હંમેશા નવાઝવામાં આવ્યો છે.  એજ ભારતીય સંસ્કૃતિની  મહાનતા છે.

                                                  *******************************                                     

 

                                      

Tuesday, August 8, 2023

 


 ઉદ્યોગીક  કાબિલિયત 

                                                 ઉદ્યોગો ચલાવનારાઓનો  ઉધોગીક પ્રગતિમાં મોટો ફાળો હોય છે.  નાની કંપનીઓ જ જે વસ્તુઓ પુરી પાડે છે એના પર મોટી કંપનીઓ નીભતી હોય છે. આથી અમેરિકા જેવા  વિકસિત દેશો પણ નાની નાની ચાલુ કરાતી કંપનીઓને મદદ કરે છે. એમાં ભારત પણ પાછળ નથી. ભારત સરકારે ૭૦૦૦ જેટલી નાની કંપનીઓને સારી એવી મદદ કરી છે. એજ દેશમાં વિકાસ અને પ્રગતિમાં સારો એવો ફાળો આપે છે.



                                           એવી નાની કંપનીઓની પ્રગતિમાં એના વહીવટ કર્તાઓનો મોટો ફાળો હોય છે. એમાં એમની કાબેલિયત પર આધાર રહે છે.  એમાં કંપનીમાં કામ કરનારનો  વહીવટ કરનારાઓમાં વિશ્વાસ અને આદર હોવો જરૂરી હોય છે. કંપનીમાં કામ કરનાર એના નોકરીયાતો ખુશ અને સંતોષી હોવા જોઈએ.  એમની સાથેનો ઉપરી અને  ઉચ્ચ વહીવટ કરનારાઓનો અભિગમ ઉમદા હોવો જોઈએ. તોજ કામ કરનારાઓનો  ઉત્સાહ વધે અને કંપનીને  સફળતા  મળે .  કંપનીની ઉદારતા અને કદર  કંપનીનું ઉત્પાદન વધારવા મદદ રૂપ બની રહે છે.



                                              તે ઉપરાંત કંપનીના વડાઓમા નીતિમત્તા પણ હોવી અગત્યની છે. જે કંપનીના કામદારોમાં દાખલો બેસાડે છે. કંપનીની સફળતામાં કામદારોની પસંદગી પણ અગત્યની છે. કામદારો પણ પ્રામાણિક અને કામ પ્રત્યે લગાવ હોવા વાળા હોવા જોઈએ અને એમના નેતામાં  વિશ્વાસ અને આદર હોવો જોઈએ . એમને ખાતરી હોવી જોઈએકે  કંપનીની સફળતામાં એમનું ઉત્તમ ભવિષ્ય સમાયેલું છે. સારી કંપનીના નેતા અને કામદારોએ એક ટીમ તરીકે કામ કરવાની અવશ્ક્યતા  હોય છે.  કામમાં કામદારોને પણ સૂચવવાનો  હક્ક હોવો જોઈએ.

                                            નેતામાં પણ પોતાનું સપનું સાર્થક કરવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ જે કામદારો માટે પ્રેરણારૂપ બની રહે. નેતાના કામમાં એના કુટુંબનો , મિત્રોનો  અને સમાજનો પણ સાથ હોવો જરૂરી છે. જે નેતાની શક્તિને વધારી શકે એવું આદર્શ વાતાવરણ ઉભું કરી કંપનીની સફળતામાં મદદ રૂપ  બની  રહે . વેપારમાં ઘણી વાર તર્ક કરતા સાહસિકતા વધારે ઉપયોગી  બની શકે છે જે સફળતામાં મોટો ફાળો આપેછે. અસફળતાનો ડર, શંકાઓ  અને અનિશ્ચતાને  સાહસિકતા જ પાર કરી શકે છે. 



                                                કંપનીની સફળતામાં કંપનીની બનાવેલી વસ્તુઓને વાપરનારાઓનો  અને એમના સલાહ સૂચનો તથા કંપનીના   આર્થિક નિયંત્રણો પણ અગત્યના હોય છે. આધુનિક યુગમાં નાના ઉધોગોનું જયારે મહત્વ વધતું જાય છે ત્યારે એના વહીવટમાં આર્થિક સહાય સાથે  એને  ચલાવનારા નેતાઓ અને કામદારોમાં જે અગત્યના  ગુણો જરૂરી છે  તે જાણવું જરૂરી છે.

                             ***************************************************

 

Tuesday, July 18, 2023

 


સ્ત્રી અને પુરુષ -તફાવત 

                                          સ્ત્રી અને પુરુષોની વચમાં સરખામણી કરવી મુશ્કેલ છે કારણકે બંનેમાં કેટલાક ગુણો અને અવગુણો હોય છે. પરંતુ એનું વિવેચન કરવાથી જીવનના  ઘણા પ્રશ્નો હલ કરવામાં સહાયતા મળે છે.

                                            સ્ત્રીઓ ઘણું કરીને સમાધાન  કરવામાં વધારે તેજ હોય છે. એને ઘણા લોકો શરણે  જવા માટેનો અવગુણ સમજે છે પણ એજ  લગ્ન ને  ટકાવવામાં મદદ રૂપ બની રહે છે અને એ લગ્ન સંસ્થાની મજબૂતી માટે સદગુણ બની ને રહે છે. જ્યારે પુરુષ મક્કમ હોય છે એને સ્ત્રી પર પ્રભુત્વ જમાવવાળો અવગુણ માનવામાં આવે છે. પરંતુ એજ અવગુણ ઘણી વાર કુટુમ્બીક જીવનને શિસ્તમાં રાખે છે અને ખોટે રસ્તે જતા રોકે છે. આવા સંજોગોમાં એ સદગુણ બની રહે છે. આજ બતાવે છે કે અવગુણ અને સદગુણ બંને જીવનમાં સંજોગો પ્રમાણે એમનો રોલ ભજવે છે.



                                          પુરુષ પોતે કમાઈ ને કુટ્મ્બને પાળે પોષે છે. એથી એ વધારે સ્વાતંત્ર રીતે વિચારી શકે છે. જ્યારે સ્ત્રી ને મર્યાદાઓ નડે છે. એટલે ઘણી બાબતોમાં પુરુષ પર અવલંબે છે . પરંતુ હવે આર્થિક રીતે સ્ત્રીઓ કમાય છે. તે નમતું આપવા હંમેશા તૈયાર હોતી નથી . આથી લગ્ન જીવનમાં તકલીફ વધી છે. આથી દરેક વસ્તુને મર્યાદામાં રહીને ઉપયોગ થવો જોઈએ નહિ તો કુટુમ્બીક જીવન વેરવિખેર  થઇ  જાય છે.

                                           સ્ત્રીઓ ઘણી લાગણીશીલ  હોય છે.  જ્યારે પુરુષ ઘણો  નક્કરતા પૂર્વક જીવતો હોય છે . વધારે પડતી લાગણીશીલતાને  લીધે   માનવીને વધારે સહન કરવું પડે છે. પરંતુ પુરુષની નક્કરતા પણ ઘણી વાર જીવનમાં પ્રશ્નો ઉભા કરી દે છે . એટલે સ્ત્રી પુરુષે બંને એ સમજણ પ્રમાણે  નક્કરતા અને લાગણીશીલતાનો  ઉપયોગ  કરવો જોઈએ જેથી કુટુમ્બીક જીવન સરળતાથી ચાલે.



                                             પુરુષો   દરેક વસ્તુનો પૃથક્કરણ કરીને નિર્ણય  લેછે. જયારે સ્ત્રીઓ પોતાના માનસિક   અવાજ પ્રમાણે નિર્ણય  લે છે.  આથી બંનેની વિચારશરણીમાં  ફરક પડી જાય છે,  પરંતુ  સ્ત્રી શક્તિનો અવાજ કદીક  મજબૂત હોય છે. જયારે પુરુષની પૃથક્કરણનો નિર્ણય કદીક નબળો પડી જાય છે. પરંતુ એ   બે વિચારશરણીમાંથી ચર્ચા કરી માધ્યમ માર્ગ જ ઉત્તમ હોય છે. એટલે પ્રશ્નના નિકાલમાં  મધ્યમ માર્ગ  જ ઉત્તમ છે. કુદરતે આમ પુરુષ અને સ્ત્રીની જુદી  વિચારશક્તિની   અદ્દભુત રચના કરી જીવનને સરળ બનાવ્યું છે.

                                             પુરુષ બહુજ મહત્વાકાંક્ષી હોય છે. જયારે સ્ત્રી જેટલું મળે એમાં સંતોષ માને છે. આથી જીવનમાં  વધારે પડતી મહત્વકાંક્ષાથી જીવનમાં નિરાશા મળે ત્યારે સ્ત્રીની સંતોષી ગુણ એને કાબુમાં રાખે છે. આથી જીવનમાં સુખ માટે સ્ત્રી અને પુરુષનો સહકાર અને સમન્વય  જરૂરી છે.



                                             જીવનમાં પુરુષ જીવનની હરીફાઈઓમા વ્યસ્ત રહે છે.જ્યારે સ્ત્રી  હંમેશા દરેક પ્રશ્નનો હલ સમાધાન પૂર્વક કરવા ઈચ્છે છે. જે પુરુષની હરીફાઈ વૃત્તિને  નીયંત્રીત  કરે છે. જે  સંગર્ષમાંથી ઉગારે છે.

                                             આમ સ્ત્રી પુરુષની રચના કરી કુદરતે  જીવનને  સમતોલ કરવા પ્રયત્ન કર્યો છે પરંતુ ઘણીવાર માનવીઓ જીવનના એ રહસ્યને સમજ્યા વગર એનાથી ઉલટું કરવા જાય છે ત્યારે જીવન છિન્નભિન્ન થઇ દુઃખી થઇ જાયછે. એમાં મનુષ્યોનો જ વાંક હોય છે. બીજા કોઈનો વાંક કાઢવાથી કઈ ફાયદો નથી. 

                                           **************************************