Thursday, July 16, 2020


નાલંદા-  પુરાણીક અને ઇતિહાસિક યુનિવરસિટી
                                                                                                                આજે ભારતમાં હજારો  યુનિવરસિટીઓ  છે પરંતુ એમાનું  એક પણ દુનિયાના પહેલા ૧૦૦ ની યાદીમાં આવતા નથી એ ભારતની કમનસીબી છે . એક વખત ભારત દુનિયા માટે   જ્ઞાનનું  ક્ષેત્ર હતું  જયારે આજે ભારતના વિદ્યાર્થીઓ દુનિયા ભરમાં જ્ઞાન માટે ભટકી રહયા છે . એકલા અમેરિકામાં જ ભારતના ૨૫૦૦૦૦ વિદ્યાર્થોઓ  અમેરિકન યુનિવરસિટીમાં ભણી રહ્યા છે.
                        ઇંગલિશ લોકો ભારતમાં આવ્યા ત્યારે  ત્યાંના એક પાર્લામેન્ટના સભ્ય મોકેલેની   ભારતની મુલાકાત બાદ  એના રિપોર્ટમાં લખ્યું હતુંકે  ' અહીએ એક ભિખારી દેખાતો નથી .  પ્રજાનું મોરૅલ ઘણું ઊછું છે . જ્યા સુધી આપણે એની શિક્ષણ પદ્ધતિનો  નાશ નહિ કરીએ તો આપણા માટે અહીં રાજ કરવું અશક્ય છે. અંગ્રેજોએ ત્યારબાદ ભારતની શિક્ષણ પદ્ધતિનો ધીમે ધીમે નાશ  કર્યો અને એમના માટે કામ કરે એવા ગુલામો ઉત્ત્પન કરે , એવી શિક્ષણ પદ્ધતિ ભારતમાં દાખલ કરી દીધી . એમાંથી ભારત સ્વતંત્ર થયું હોવા  છતાં હજુ એમાંથી ભારત બહાર આવી શક્યું નથી.
                         ભારતમાં તે વખતે આશ્રમ શાળાઓ  હતી ત્યાં જ્ઞાનથી માંડીને તે માનવ બનવાની  બધી શિક્ષાઓ આપવામાં આવતી . ભગવાન કૃષ્ણના  કાળથી તે પછી રાજાઓના રાજકુમાર પણ આવી જ શાળામાં શિક્ષણ લેતા.  તે ઉપરાંત ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે યુનિવરસિટી કક્ષાની  સંસ્થાઓ પણ હતી.  પરંતુ  એક ચીના મુસાફરે લખ્યુંકે ' ભારતમાં જ્યારથી બહારથી જ્ઞાન લાવવાનું  અને એનો ઉપયોગ કરવાનું બંધ કર્યું.  અને ભારતના  લોકોને ભારત બહારજવાની મના ફરમાવવામાં  આવી ત્યારથી ભારતની પડતી શરુ થઇ ગઈ .
                              આમ ભારતની શિક્ષણ પદ્ધતિની પડતી થઇ . એના અનુસંધાનમાં  ભારતની  પુરાણી નાલંદા અને તક્ષશિલા  યુનિવરસિટીઓનો અહીએ ઉલ્લેખ કરવો જરૂરી છે. નાલંદા ઉત્તરભારતમાં પંજાબની  નજદીકમાં  આવેલી હતી અને નાલંદા ,બિહારમાં આવેલી હતી. એ યુનિવરસિટીઓમાં આંતરાષ્ટ્ય  વિદ્યાર્થોઓ આવતા રહેતા. આજ બતાવેછેકે દુનિયામાં ભારતની મહાવિદ્યાલયોની  પ્રતિષ્ટા હતી.
                                    આજે બિહારની હાલત ભલે ખરાબ હોય પરંતુ એક વાર પાટલીપુત્ર (પટના) સમૃદ્ધિ અને સંસ્ક્રુતિમાં  આગળ હતું. મુસ્લિમ આક્રમણકારોએ  ભારતની સમૃદ્ધિને લૂંટી અને એના જ્ઞાનના ભંડાર સમાન પુસ્તકોની લાઈબ્રેરીઓનો  નાશ કરી નાખ્યો  અને શિક્ષણ શાસ્ત્રીઓની કતલ કરી.  નાલંદાની યુનિવરસિટીનો  પણ મુસ્લિમ આક્રમણકારોએ  નાશ કરીને જમીનદોસ્ત  કરી નાખી.

                                      નાલંદાનો ઇતિહાસ ઘણો ભવ્ય છે.  ૩૦  એકર જમીનમાં પથરાયેલી નાલંદા  યુનિવરસિટીની સ્થાપના  ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તે (૧) પાંચમી સદીમાં  કરી હતી. બુદ્ધિસ્ટ અને  હિન્દૂ સંસ્કૃતિનું એમાં જ્ઞાન આપવામાં આવતું.   બુદ્ધિસ્ટ  ફિલોસોફર નાગાર્જુન અહીએ શિક્ષણ લીધું હતું. ચીની મુસાફર ક્ષઉન્ઝાન્ગે  નાલંદાના  બુદ્ધિસ્ટ સાધુઓ વિષે પણ લખ્યું છે . ૧૩ મી સદીમાં નાલંદાનો  નાશ થઇ ગયો. એના ખંડેરોમાંથી ઘણી વસ્તુઓ મળી આવી છે એનું સંગ્રહસ્થાન  બનાવવામાં આવ્યું છે.  નાલંદાના ખંડેરોને ખોદીને એને રજુ કરવામાં આવ્યા છે  જેને આંતરાષ્ટ્રીય સંસ્થા  ' યુનીસકોએ ' વર્લ્ડ હેરિટેજ ' જગ્યાનો દરજ્જો આપવામાં આવ્યો છે.  બિહારમાં નાલંદાની બાજુમાં આધુનિક  નાલંદા આંતરરાષ્ટીય યુનિવરસિટીની સ્થાપના કરવામાં આવી છે. એમાં ચાઇના,સિંગાપોર , જાપાન ,  મલાયા , ઓસ્ટ્રેલિયા ,અને ન્યૂઝીલૅન્ડ પ્રતિનિધિત્વ  ધરાવે છે. એમાં બુદ્ધ અને હિન્દૂ સંસ્કૃતિ શીખવવામાં આવે છે.

                                       પ્રશ્ન એ છે કે આંતરાષ્ટ્રીય કક્ષાની યુનિવરસિટી આપણે ભારતમાં ક્યારે સ્થાપિત કરી શકીશું જે ભારતની  એક વખતની  શાન હતી.
                           *****************************************
                                               
                                     

Wednesday, July 8, 2020



ઊંઘ
                                                                                                      માણસના તન્દુરસ્તી  માટે  ઉંઘ બહુ આવશ્યક વસ્તુ છે. પરંતુ  એ  બાબતમા  ઘણા લોકો બેદરકાર રહે છે. જગતમા  30% લોકોં 6કલાકથી  ઓછું  ઉંઘે   છે. ઓછું ઊંઘનાર વ્યક્તિની  યાદ  શક્તિને ખરાબ અસર થાય છે. ઍટલેકે  યાદશક્તિ  ઓછી થવા લાગે છે .  6 કલાકથી ઓછી ઊંઘ લેનાર વ્યક્તિની હાલત દારૂ પીધા પછી જે માણસની હાલત થાય છે એવી થઇ જાય છે .  માણસનું સમતોલન પણ બરાબર  રહેતું નથી. બોલવામાં પણ અસ્પષ્ટતા આવી જાય છે.  હંમેશ લોહીમાં  .૧% દારૂ હોય એવી પરિસ્થિતિમાં માણસને મૂકી દે છે.
                                     ઊંઘ  માણસને એની વિપરીત પરિસ્થિતિમાં પણ રાહત આપે છે.  ખરાબ અનુભવોને ભૂલવામાં પણ મદદ કરે છે . આથી યાદ શક્તિ પણ વધે છે.  વિજ્ઞાનિક  સંશોધન પ્રમાણે જે વ્યક્તિમાં ડી ઈ સી  જિન -2 હોય છે  તે લોકો ચાર કલાકની ઊંઘથી પણ સ્ફૂરતાથી  કામ કરી શકે છે . એવું કહેવાય છેકે ભારતીય  વડા  પ્રધાન નરેન્દ્ર મોદી બહુ ઓછી ઊંઘ લે છે પણ ઘણું કામ કરી શકે છે . એ એક જીવતો જાગતો દાખલો છે.

                                    કેટલાક લોકો દિવસના બપોરના પણ એક ઝોકું ખાઈ લે છે. એના માટે 2 થી 4
વાગ્યાનો સમય યોગ્ય માનવામાં આવે છે.  એનાથી આદ્યાત્મિક શક્તિઓ વધે છે એમ પણ માનવામાં આવે છે
                                     ઘણાને ઊંઘમાં શરીરમાં  કંપારી  અને આંચકાઓ  પણ આવે છે પરંતુ  એને ઘણા હાનિકારક ગણવામાં આવતા નથી . તે ઉપરાંત મોઢેથી વગાડવાનું કોઈ પણ વાજિંત્ર  ફેફસા માટે ઉત્તમ કસરત  પુરી પાડે છે જે માનવીય તંદુરસ્તી માટે સારું ગણાય છે.
                                        એક વાત ચોક્કસ છે કે ઊંઘ માનવીય તંદુરસ્તીનું એક બહુજ આવશ્યક અંગ છે. ઘણા ઓછા લોકો સારીએવી ઊંઘ યોગ્ય સમયે  લે  છે.
                                         ****************************************

Wednesday, July 1, 2020


જીવનનું સત્ય
                                                                                           આપણે એવું  જીવન જીવીએ છે કે જે  વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના  મરણ બાદ  વધારે  ધ્યાન  આપીએ છીએ . કોઈ  વ્યક્તિ જ્યારે  જીવિત હોય કે  બીમાર હોય  ત્યારે એની ખબર લેવાનો  ઘણીવાર  વખત પણ  નથી હોતો.  એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના  પ્રત્યે સહાનુભુતી બતાવવા માટે  સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.
                                                                              ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે  સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું થઇ જીવનનું સત્ય
                         આપણે એવું  જીવન જીવીએ છે કે જે  વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના  મરણ બાદ  વધારે  ધ્યાન  આપીએ છીએ . કોઈ  વ્યક્તિ જ્યારે  જીવિત હોય કે  બીમાર હોય  ત્યારે એની ખબર લેવાનો  ઘણીવાર  વખત પણ  નથી હોતો.  એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના  પ્રત્યે સહાનુ ભુતી બતાવવા માટે  સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.

                             ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે  સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું  થાય છે, એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા  માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે.
                                    હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકો દ્વારા  મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ  એના  મરણ બાદ  મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
                                  કેટલીક વાર માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો  નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે  છે.
                                  આનો અર્થ એમજ થાય છે કે માણસે  જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે.  માણસે  જન્મથી જ   માણસાઈ કેળવવાની જરૂરિયાત  છે .             
                           
                                   છે એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા  માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે. હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકોદ્વારા  મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ  એના  મરણ બાદ મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
                                  કેટલીક વાર  માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર  લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો  નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે  છે.
                                  આનો અર્થ એમજ થાય છે કે માણસે  જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે.  માણસે  જન્મથી જ   માણસાઈ કેળવવાની જરૂરિયાત  છે .
                                          **************************