Friday, March 28, 2014


ફાંસીવાદ
                                                                                                                                                              કોઈ પણ રાષ્ટમા જ્યારે બધી જ બંધારણીય પ્રક્રિયા નિષ્ફળ નીવડે છે ત્યારે ફાંસીવાદનુ કરુપ સ્વરુપ બહાર આવે છે. લોકશાહીની તદ્દન ધીમી ગતિ, ઍ અસંતોષમા ઘણીવાર અગ્નીમા ઘી નાખવા જેવી સ્થિતિ ઉભી કરે છે. જ્યારે કોઈ પણ અસંતોષ કે અન્યાયનો કોઈ ઉકેલ નથી ત્યારે પણ ફાંસીવાદના બીજ રોપાઈ જાય છે. જ્યારે ૬૬ વર્ષની સ્વતંત્રતા બાદપણ સરકારસામાન્ય માણસને મકાન, રોટી, વ્યવસાય, શિક્ષણ, પાણી, ઉર્જા,  અને પાયખાના જેવી સગવડો ૫૮% લોકોને ન આપી શકતી હોય ત્યારે જનતા ટૂંકા રસ્તાઓ શોધવા માંડે છે. ઍમા કદાચ ફાંસીવાદજેવો ઍક રસ્તો સ્વીકારી લે તો ઍમા આશ્ચર્ય પામવા કરતા ઍના ઉપાયો શોધવા માંડવા જરૂરી છે.
                          હજુ પણ ૩૦ %લોકો ભારતમા ગરીબી રેખા નીચે જાનવરની જેમ જીવતા હોય છે.  ઍ ફાંસીવાદના પાકને ઉગાડવામા ઍક ખાતર બની ગયુ છે. તેના પર કેટલાઍ રાજકીય તત્વો પોતાના રોટલાઑ શેકી રહ્યા છે. ફાંસીવાદને  રાજકીય નેતાઓ, સિધ્ધાંત અને રાષ્ટ્રના હીત માટે અથવાતો  ધર્મને નામે લોકો પર ઠોકી બેસાડેછે. ફાંસીવાદ જેટલો જલ્દી આવે છે ઍટલો જલ્દી જતો નથી.
                            મહાભારતમા દુર્યોધનનો ફાંસીવાદ વ્યક્તિગત હતો પરંતુ ઍમા હજારો માનવીઓનો નાશ થઈ ગયો હતો. રશિયા અને ચીનનો ફાસીવાદ  વિચારકીય હતો પરંતુ લોકોના આત્મા, વીચાર અને સ્વાતંત્રને કચડી નાખવામાઆવ્યા હતા. હિટલર લોકશાહીથી આવ્યો હતો અને દેશભક્તિનો પાનો ચઢાવી દુનિયાને વર્ષો સુધી બાનમા રાખી હતી.  માઓટસે તુંગે સીધ્ધાંતો નામે ફાંસીવાદ ચીનમા દાખલ કર્યો. જેનાથી અત્યારે પણ ચાઇનાની પ્રજા પીડાઈ રહી છે.
                              ભારતમા ફાંસીવાદના  ચીન્હ બહુજ સામાન્ય  રીતે નજર પડવા માંડ્યા છે. ઈંદિરા ગાંધી ઍ સત્તાને ટકાવવા ઈમરજન્સી દાખલ કરી બધા લોકશાહી હક્કોને બાજુ પર મૂકી સરમુખત્યારી દાખલ કરી હતી. ઍને કાઢતા કેટલા દેશ નેતાઓને જેલ ભોગવવી  પડી હતી. ઍ પણ ફાંસીવાદનો ઍક પ્રકાર જ હતો. ધારાસભાઓમા ઍક બીજાના કોલરો પકડવા, ઍક બીજા સાથે મુક્કબાજી કરવી, ચપ્પુ અન હથિયારો લોકસભામા બીજા સભ્યોને બતાવવા, મરચા જેવો પાવડર લોકસભામા વરસાવવો. તે પણ પોતાના મંતવ્યોને બીજા પર બળજબરીથી લાદવા માટે! ઍ પણ ફાંસીવાદનો ઍક પ્રયોગ જ છે કે પછિ ફાંસીવાદના આગમનની નિશાનીઑ છે.
                                              આજે રાજકારણમા પણ વિરોધી મંતવ્ય, આલોચકો ને સહન કરવાની વૃત્તિ નથી. આથી વિરોધીઓને નાબૂદ કરવાની પ્રવૃતિઓ ચાલી રહી છે. ભવિષ્યના વિરોધીઓને પણ છોડવામા આવતા નથી. આ બધા ફાંસીવાદના સંકેતો જ છે. ઍમા સામ, દંડ, ભેદના સર્વ પ્રયોગો કરવામા આવી રહ્યો છે. સર્વ ભયનુ વાતાવરણ હોય તો દરેક વીચારે છે કે મારે શુ? ઍ સહન કરનારાઓનો પ્રશ્ન છે. પરંતુ  ઍમનો વારો ફાંસીવાદી વૃતિમા ક્યારે આવશે ઍનો ઍમને ખ્યાલ નથી હોતો. આથી લોકશાહીમા ફાંસીવાદી તત્વોનો સામનો સહયોગથી કરવાથી બધાનુ હિત સમાયેલુ છે. આથી દેશનાદરેક નાગરિકે ઍ વીચારવાનો સમય આવી ગયો છે કે ફાંસીવાદનો કેવી રીતે સામનો કરવો? નહીતો નક્શલવાદ જેવાફાંસીવાદી તત્વો ભારતની લોકશાહીને ગળી જવા તૈયાર બેઠા છૅ.
                                             ******************************************    

Tuesday, March 18, 2014



પ્રકૃતિ
                                                                                                                                                        માનવી આખરે તો પ્રકૃતિને વરેલો  અને ઍની જ ઉપજ છે. થાકેલો, નિરાશ, ગમગીન ઍ પ્રકૃતિને શરણે  જાય છે. ઍથી ઍને નવજીવન મળે છે અને જીવન જીવવા માટે નવઉર્જા પણ મળે છે. કેટલાક લોકો પ્રકૃતિના શરણને પર્વત આરોહણ, કૅમપિંગ, આઇસ સ્લાઇડિંગ, સ્કિયિન્ગ, ગ્રાફ્ટઇન્ગ ના વિવિધ નામથી ઓળખે છે. આખરે તો પ્રકૃતિ ખોળામા જ જવાનુ હોય છે.
સીધી ભાષામા
મારે રખડવુ---
 મારે રખડવુ  હરીયાળી ખીણોમા,
નદીઓના ઉંડા કોતોરોમા,
પંખીઓના કલરવોમા,
જીવનમા પરમ આનંદ પામવામા
મારે રખડવુ---

 મારે પવનના સુસવાટે થથરવુ,
મેઘ અને વીજળીની જુગલબંધી ઍ નાચવૂ
જીવનનો આનંદ માલવા કાજે
ડુંગરોની ખીણોમા  રખડવુ મારે
મારે રખડવુ---

 નદીઓના નિર્મળ જલમા ડૂબકીઓ મારવી મારે
સાગરની લહેરો પર વિહરવુ મારે
જીવનનો આનંદ માણવા મારે
કુદરતને ખોળે આળોટવૂ મારે
મારે રખડવુ---
ભારત દેસાઈ
                      **************************** 

Sunday, March 9, 2014



 ધુળેટી


                                                                                                                                                         (ઉપલા ચિત્રમા મોરારજીભાઇના જન્મ દીવસે અભયઘાટ  પર લોકોની શ્રધ્ધા અંજલી)                                                                                                                                     
                                                                                                             ધુળેટીનો તહેવાર રંગીન હોય છે. ઍ દિવસે લોકો વેર, જેરને ભુલીને ઍક બીજાને ગળે વળગે છે. ઍવા પવિત્ર દિવસે ગુજરાતના ઍક પનોતા પુત્ર મોરારજી દેસાઇનો હિન્દુ તિથી પ્રમાણે જન્મદિવસ આવે છે. આમ તો ઈશુ વર્ષ પ્રમાણે તો ઍનો જન્મ દિવસ ૨૯ મી ફેબ્રુઆરી આવે છે. તેઓ પહેલા ગુજરાતી ભારતના વડાપ્રધાન હતા.  ૮૨ વર્ષની વયે વડાપ્રધાન થવા માટેનો ઍમનો ગિનિસ બૂકમા રેકૉર્ડ છે. તે ઉપરાંત તેઓ પહેલા નોન કોંગ્રસી વડાપ્રધાન હતા. તેઓ પહેલા અને છેલ્લા ગાંધીવાદી વડા પ્રધાન હતા.
                 તેઓ સત્તાઍ  લોકોની સેવા કરવાનુ સાધન માનતા હતા.  મોરારજીભાઇ માનતા હતાકે રાજકારણમા પણ સીધ્ધાંતો, અને નીતિ સાથે ટૅકી શકાય છે અને ઍમણે ઍ સાબિત કરી બતાવ્યુ હતુ. મોરારજીભાઇ ઍ પોતાને મળેલી ભેટો, ચંદ્રકો( ભારત રત્ન, અનેનિશાને પાકિસ્તાન,) પુસ્તકો, અને ઍમની નાની બચત પણ ગુજરાત વીદ્યાપીઠને આપી દીધી હતી. તેઓ પોતાના નામના રસ્તાઑ, પુલો અને સંસ્થાઓ બનાવવાની પણ વિરીધી હતા. તૅઓ માનતા કે સેવા કરવાથીઆપણે લોકો પર ઉપકાર કરતા નથી પણ લોકોઍ તમને તક આપી ઍથી લોકોનો આભાર માનવો જોઇઍ.
                  ૧૯૩૦મા સરકારી નોકરીમાથી રાજીનામુ આપ્યા બાદ સ્વતંત્રતાની લડાઈમા જોડાયા હતા, અને કેટલીવાર કારાવાસ ભોગવ્યો હતો. ૧૯૩૯ની મુંબઇ રાજ્યની પહેલા પ્રધાન મંડળથી ઍમની રાજકીય કારકિર્દી શરૂ થઈ અને તે ૧૯૭૭ મા વડાપ્રધાન પદ પર વિરમી. ઍ દરમ્યાન ઍમણે મુબઈ રાજ્યનુ મુખ્ય પ્રધાનપદ, ભારતના વાણિજ્ય પ્રધાન પદ, નાંણા પ્રધાન પદ અને નાયબ વડાપ્રધાન પદ પણ શોભાવ્યા હતા.
                                                   તેઓ કેટલો વખત અને ક્યા પદો પર રહ્યા કરતા ભારતની જનતાની કેટલી સેવા કરી ઍ વધારે અગત્યનુ છે. મોરારજીભાઈ ઍક સારા વહીવટ કરતા હતા આથી લૉક હિતના અનેક પગલા ભર્યા હતા. મુંબઈના મુખ્ય પ્રધાન વખતે તેમણે દારુબંધી, અને ફિલ્મો પર સેન્સર બૉર્ડ ની સ્થાપના કરી હતી. ખાનગી બસોનૂ રાષ્ટ્રીયકરણ કર્યુ હ્તુ જેથી બસો ગ્રામ વિસ્તારો સુધી પહોચી શકે. ખેતીમા સુધારા લાવી જેજમીન પર વર્ષોથી ખેતી કરતા હતા ઍવા નાના ખેત મજૂરોને ઍ જમીનના હક્કો અપાવ્યા હતા. આથી ઍ ખેડૂતો આજે ઘણા સમરુધ્ધ બન્યા છે. પોલીસ મા ઘણા સુધારા લાવી, હોમગાર્ડ ની સ્થાપના કરી હ્તી. ઍક પત્નિત્વનો કાયદો લાવી નિર્બળ મહિલાઓને મદદ કરી હતી. ઍમાના વખતમા મુંબઇ રાજ્ય સારાભારતમા વહીવટી દ્રષ્ટિે ઍ ઉત્તમ રાજ્ય બન્યુ હતુ.
                                                        ગુજરાતના નાના ટેક્સટાઇલ  વણકરો ને નાણા પ્રધાન તરીકે સારી ઍવી મદદ પુરી પાડી હતી. નર્મદા યોજનાનો જલ્દી ઉકેલ માટે ઍમણે ટ્રિબ્યૂનલને સોંપી હતી. ગુજરાતમા મોટા ઉદ્યોગો લાવવામા ઍમનો મોટો ફાળો હતો. ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરની પસંદગીમા ઍમનો મહત્વનો ફાળો હતો.
                                                  મોરારજીભાઇ  વડા પ્રધાન બન્યા બાદ ઍમણે બંધારણમા સુધારા લાવી લોકસભાની મંજુરી વગર કોઈ વ્યક્તિ આપાતકાલની સ્થિતિ દાખલ ન કરી શકે ઍવી વ્યવસ્થા કરી.  જેથી ભવિષ્યમા લોકશાહી સાથે ચેડા ન થાય.
                                                  મોરારજીભાઇના વડા પ્રધાન દરમ્યાન ભાવો અત્યાર સુધીના ભારતના ઇતિહાસમા નીચામા નીચા હતા. દરેક વસ્તુઓ બજારમા મળતી હતી. અમેરિકા ચીન, પાકિસ્તાન, ઈસરાયલ, અને બધા દેશો સાથે ભારતના સબંધો ઘણા ગાઢ હતા. પાકિસ્તાને તો ઍમને પાકિસ્તાનનો ઉંચ ખિતાબ 'નિશાને પાકિસ્તાન' આપ્યો હતો.
                                                            મોરારજીભાઇ ઍ વડાપ્રધાન દરમ્યાન બધા દેશો સાથે સારા સબંધો દેશના આત્મ સન્માન સાથે જાળવ્યા હતા. પ્રેસીડેન્ટ જિમ્મી કારટરે ઍમના વખતે ભારતની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે અણુ શશ્ત્રોપ્રતિબંધ કરાર કરવા માટે ના પાડી દીધી હતી કારણકે ભારત માટે ઍ કરાર અન્યાય કર્તા હતા. પાકિસ્તાનના પ્રેસીડેન્ટ જિયા સાથે ઍમના સબંધો સારા હતા અને તેઓતેમને મોટાભાઇ માનતા હતા. ઍક્વાર વાત વાતમા ઍમને કહી દીધુ હતુ કે 'નાના ભાઈની વર્તનૂક બરાબર નહી હોય તો મોટાભાઈને ઍને સીધો કરતા આવડે છે.' ઈજરાયેલને પાકિસ્તાનના અણુ મથકો પર બૉમબાર્ડમેંટ કરવુ હતુ અને ઍમના વિમાનોને ફ્યુયેલ ભરવા માટે જામનગર ઍર બૈજનો ઉપયોગ કરવો હતો. ઍમણે ચોખ્ખી ના ફરમાવી હતી. અને જણાવી દીધુ હતુ કે ' પાકિસ્તાનને સીધુ કરવાની અમારામા શક્તિ છે. તમારે માથુ મારવાની જરૂર નથી. ઍક્વાર રશિયન ઍલચિઍ પાકિસ્તાનની બાબતમા ઍમને સલાહ આપવાની ગુસ્તા ફી કરી હતી તો ઍને અપમાનિત કરી દરવાજો બતાવી દીધો હતો. તેઉપરાંત ઈસરાયેલ સાથે પ્રથમ વાર રાજદ્વારી સબંધો બાંધવાની ઍમણે હિમ્મત બતાવી હતી. આથી દેશનો ઘણો લાભ થયોછે ઍ બધા જાણે છે
                                             મોરારજીભાઇ સત્યને પૂંજનારાઅને નિર્ભય હતા. બધા વડા પ્રધાનોની સમાધી દિલ્હીમા છે  જ્યારે ઍમની સમાધી, 'અભયઘાટ' ઍમની કર્મ ભૂમિ અમદાવાદમા સાબરમતીને કિનારે ગાંધી આશ્રમને અડીને આવેલી છે.  ગાંધીજી, અને સરદારની વિરાસતને જાળવનારા ગુજરાતના ઍક મહાન વિભૂતિ હતા ઍમા શંકા નથી.
                                ********************************************

Friday, March 7, 2014


અભિમાન
                                                                                                                                                     દુનિયામા લોકોને પોતાના ધન,સત્તા, અને પોતાના સૌદર્યનુ પણ અભિમાન હોય છે. આથી સામાન્ય રીતે લોકો આવા દૂષણોથી ઘેરાયેલા હોય ચ્હે છે. તેઓ ઍવુ માનતા હોય છેકે ઍ બધી વસ્તુ નાશવંત નથી પરંતુ અમર હોય છે. રાજા રાવણનુ પણ અભિમાન નહોતુ રહ્યુ. વિશાળ સેના સાથે પણ દુર્યોધન નો પરાજય થયો હતો. સૌદર્યવાન ક્લેઓપેટરા બુરહાલઍ મરી હતી. છેલ્લે આ બધી વસ્તુઓનો નાશ કરનારુ કુદરત નિમિત માત્ર બને છે. આથી કોઈ પણ જાતનો અહમ્ નાશને પાત્ર હોય છે. સૌદર્ય માટે આ સુંદર કાવ્ય  છે.
તારા રૂપને--
તારા રૂપને જોઈને ચાંદો પણ શરમાતો હતો
તારા તેજથી દુભાયેલો સૂર્ય વાદળઓમા છુપાતો હતો
તારા ગુલાબી ગાલોને ચૂમવા ભમરાઓ  ગુંજન કરતાતા
તારા લાંબા કેશો ઉડી ફોરમો ફેલાવતા હતા.
તારા રૂપને---
તારા હાસ્યોમાથી ફૂલડાઓ વેરાતા હતા
નિર્દોષ તારી આંખોમા થી અમી જરણા વહેતા હતા
જ્યાથી તૂ પસાર થતી ત્યા લોકો થંભી જતા હતા
સમય પણ ત્યા જ જાણે થંભી જતો હતો
તારા રૂપને---
હવે તારુ રૂપ ન રહ્યુ અને મસ્તી પણ ગાયબ થઈ
સમય સમયની વાત છે તારા મા જોવા જેવુ કઈ ન રહયુ.
તારા રૂપને ---
          ભારત દેસાઈ
                             _______________________________________________________