Saturday, December 24, 2016


દવાઓની આડઅસર
                                                                 વધારે પડતુ પ્રદુષણ, માનસિક  તણાવ, ખોરાકમા થતા ભેળસેળને કારણે રોગોનૂ પ્રમાણ  વધતુ જાય છે.  ઍની સામે નવી નવી દવાઓ બજારમા આવતી જ જાય છે. આની સામે લોકોની સહન શક્તિ પણ ઑછી થતી જાય છે અને નાની નાની બાબતો મા પણ લોકો દવાઓ લેવા માંડે છે. તે ઉપરાંત કેટલાક આરોગ્યના લગતા વિંમાઓના કવચને કારણે પણ દરદીઓને  મળતી દવાઓ મફત મા પડે છે.  આથી દવાઓં મોટા પ્રમાણ દરદીઑને  આપવામા આવે છે. જેનાથી ઘણીવાર દરદીઓ આડઅસરના ભોગ બની જાય છે.
૧)વૃધ્ધો  દવાઓ નાની નાની બાબતમા લેતા હોય છે અને પછી દવાઓની આડઅસરમા સપડાઈ જાય છે.  ૬૦ વર્ષના વૃધ્ધને બ્લડ પ્રેશરની દવા વધુ  પ્રમાણમા આપવામા આવે તો ઍ બેભાન થઈ જઈ શકે છે.
૨) અમેરિકાના આરોગ્ય વિભાગના શન્શોધન પ્રમાણે વૃધ્ધો ઍમનો ૩૫% સમય હોસ્પિટલમા વિતાવે છે. વૃધ્ધ દરદીઓને દવાની સમસ્યાને કારણે અમેરીકામા સરેરાસ ત્રણ દિવસ હોસ્પિટલમા વધુ રહેવુ પડે છે.  ભારતમા પણ વૃધ્ધો દવાનુ  આડોઆડ સેવન કરેછે  અને વધારે બીમાર થાય છે.
૩) ૨૦૦૬મા વૃધ્ધો પર દવાની આડ  અસરના ૪૦૦૦૦૦ કેસો નોંધાયેલા  હતા.
૪) દવાની આડઅસરથી  વૃધ્ધોને ચક્કર આવે છે અને પડી  જવાથી  હાડકાઓ તૂટી જાય છે. લાંબા વખત માટે હોસ્પિટલ મા રહેવુ પડે છે,
૫) હોસ્પિટલમાથી રજા આપે ત્યારે આપેલી દવાઓમાની આશરે ૪૪% દવાઓ  બિનજરૂરી હોય છે. પરંતુ ઍવી દવાઓ દરદીને  ખુશ રાખવા કે પછી  સારા મુડમા રાખવા માટે જ હોય  છે.
૬) અમુક દવાઓ દરદીને સારી લાગે તો દાક્તરને પુછ્યા વગર જ  ચાલુ રાખે છે.  જે આગળ  જતા ગંભીર બાબત બની રહે છે.
૭) ૨૦૧૩ ના સર્વે મુજબ  હોસ્પિટલમાથી  રજા અપાયા બાદ અપાયેલ દવાઓની આડઅસરને લીધે ૪૫ દીવસ મા ૨૦% દર્દીઓને સહન કરવુ પડ્યુ હતુ.
                             દવાઓની આડ અસરથી વૃધ્ધોને બચાવવા માટે અમેરિકાની ઍક હોસ્પિટલે  ઍક ખાસ વોર્ડની રચના કરી હતી. ઍના માટે દવાઓના નિષ્ણાતોને રાખવામા આવ્યા હતા. દવાની આડ અસરથી  પાછા  હોસ્પિટલમા દાખલ થતા ૨૨ દરદીઓમાથી ૩ દરદીઓનો ઘટાડો થયો હતો. કેટલીક હોસ્પિટલ દ્વારા સાવચેતી માટે અમેરીકામા વૃધ્ધો માટે આડઅસર ઉભી કરતી દવાઓની યાદી પણ તૈયાર કરેલી છે. ઘણીવાર  માનસિક બિમારીઓ અને હતાશા માટેની દવાઓ વૃધ્ધો પર ઘણી  અવળી અસરો કરે છે.  આથી નાની નાની બિમારીઓમા દવાના સેવન પર કાબૂ  રાખવો જરૂરી છે.  ઘણી  દવાઓ  દરદીને રોગો સામે મદદ  કરવા જતા આડઅસરને લીધે બીજા રોગો પણ ઉત્પન્ન થાય છે. આથી આપેલી દવાઓને લેવામા પણ સાવચેતી રાખવી જરૂરી છે.
                                                        **************************************

Monday, December 12, 2016


શિક્ષણ પધ્ધતિ
                                                                      થોડા માણસોથી વિશાળ વસ્તી ધરાવતા ઍવા ભારત પર રાજ કરવુ સહેલુ ન હ્તુ. પરંતુ ઇંગ્લીશ પ્રજાનુ ચારિત્ર અને  દેશભક્તિઍ ઍ વસ્તુને સફળ બનાવી. જાતી, ધર્મો અને વેરજેર પર લડતા રજવાડાઓેઍ  ઍમા અંગ્રેજોને શક્તિ પુરી પાડી.પરંતુ અંગ્રેજો  અને ઍની તે વખતની સરકાર પણ વિચિક્ષણ હતી. ઍમણે મોકાલે નામના ઍમના પાર્લિયામેન્ટના સભ્યને ભારત આવી ભારતની તે વખતની પરિસ્થિતિનો ક્યાસ કાઢવા મોકલાવ્યા. ઍનો રિપોર્ટ પણ અધભૂત હતો. ઍમનુ કહેવુ હ્તુ કે' તે વખતની ભારતીય પ્રજાનુ ચરિત્ર ઘણુ ઉંચુ હતુ.ભિખારી જોવા મળતા ન હતા. રજવાડાઓ અંદર અંદર લડતા હતા પરંતુ ભારતીય શિક્ષણ પધ્ધતિ બહુજ ઉંચ હતી. આથી આવી પ્રજા પર રાજ કરવુ હોય તો સૌથી પહેલા ઍની શિક્ષણ પધ્ધતિનો નાશ કરવો રહયો.'
                                                આથી ભારતીય પ્રજાને ગુલામ રાખવા માટે અંગ્રેજોેઍ નવી ઍમને અનુકુળ શિક્ષણ પધ્ધતિ ઠોકી દીધી. ઍમાથિ ફક્ત કારકુનો, અને અનુકુળ અધિકારીઓ જ ઉત્પન્ન થાય. અંગ્રેજી ભાષા જ સર્વોચ્ચ છે .અને  ગોરા લોકો દ્વારા આવતી બધી વસ્તુઓ પણ ઉચ્ચ કક્ષાની છે.  અંગ્રેજોઍ શિક્ષણનુ માધ્યમ પણ અંગ્રેજી દાખલ કરી દીધુ. ઍથી સામાન્ય પ્રજાને કઈ  ગતાગમ ન પડે અને જેને બોલતા અને લખતા આવડે ઍ પ્રજાના સાહેબો બની બેઠા. આમ અંગ્રેજોઍ ભારતીય પ્રજામા ગુલામી માનસ ભરી દીધુ. ઍ પીડામા હજુ પણ ઘણા ખરા ભારતીયો પીડાઈ રહયા છે. આથી જ્યા સુધી ભારતીય શિક્ષણ પધ્ધતિમા મુળભુત ફેરફાર ન થાય ત્યા સુધી ભારતની ભવિષ્યને પણ બુરી અસર થશે.
                                                   આમ કહેવાનો અર્થ ઍ નથી કે અંગ્રેજી રાજ઼થી તદ્દન નુકશાન જ થયુ છે. રેલવે, રોડ, રાજ્યવ્યવસ્થા, ઍવી ઘણી બાબતો અંગ્રેજી રાજની દેણ છે પરંતુ  ગુલામી માનસે ભારતીય પ્રજાની કેડ ભાંગી નાખી છે જેમાથી ઉપ્પર આવતા કેટલાઓ દાયકાઓ  જશે ઍ કહેવુ મુશ્કેલ છે.
                                                   ગુલામી માનસ અને સ્વતંત્ર માનસનો સાદો દાખલો જોવો હોય તો અમેરીકામા લાખો અને કરોડો ઇંગ્લીશ નહી જાણનારા લોકોની પ્રગતી પરથી જોઈ શકાય  છે. જ્યારે ભારતમા હજુ પણ ઍવા લોકો છે જેઓ માને છેકે 'અંગ્રેજીનુ  જ્ઞાન માણસને હોશિયાર બનાવે છે અને અંગ્રેજી નહી જાણનાર તુચ્છ છે' આજ ગુલામી  માનસનુ પ્રતિબિંબ છે.

                                                         સ્વતંત્રતાની લડાઈમા  ઘણાખરા નેતાઓ અંગ્રેજી  શિક્ષણ પધ્ધતીમાથી જ આવ્યા હતા, અને ઍમના પર અંગ્રેજ પધ્ધતીનો મોટો પ્રભાવ હતો. ઍમાના કેટલાકને તો હિન્દુ ધર્મ, હિન્દુ શિક્ષણ પધ્ધતિ વિષે બહુ વિશ્વાસ ન હતો. આ બાબતમા આપણા પ્રથમ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુના વિચારો જાણવા જેવા છે.
-'હિન્દુ સંસ્કૃતી વિષે વાત કરવી ઍ દેશના હિતમા નથી. હૂ શિક્ષણની દ્રષ્ટીઍ અંગ્રેજ છુ. મારા વિચાર આંતરરાસ્ટ્રીય છે. સંસ્કૃતી દ્રષ્ટિે ઍ મુસ્લિમ છુ. ફક્ત મારો જન્મ મને હિન્દુ ધર્મ સાથે જોડે છે.'
- બીજા ઍક પ્રધાનમંત્રી મોરારજીભાઈઍ ઍમની આત્મકથામા લખ્યુ છેકે'  નેહરુઍ  હિન્દુ ધર્મમા વધુ રસ  દાખવ્યો હોત તો ઘણો ફરક  પડત.
     
                             આજ બતાવે છેકે નેતા પ્રજાનુ માનસ ઘડવામા મહત્વનો ભાગ ભજવે છે.
                                                 **************************                                               

Friday, December 2, 2016

        જાણવા જેવુ                                                                                                                                                       ૧)અમેરિકાનો ૫૦% દરિયા કિનારો અલાસ્કામા છે.
           ૨) ઍમોજ઼ોનનુ  રૈન ફૉરેસ્ટ દુનિયાનો ૨૦% ઑક્સીજન પેદા કરે છે
           ૩) ઍંટારટિકા કોઈના કબજામા નથી પરંતુ દુનિયાનો  ૯૦% બરફ ઍંટારટિકામા છે. તે ઉપરાંત-                     -દુનિયાનો ૭૦% મીઠા પાણીનો જથ્થો પણ ત્યા છે.  આખી દુનિયાનો ઍ સૂકામા સુકો પ્રદેશ છે.
           ૪)બ્રાજિલનુ નામ સૂકામેવા જેવા ઍક ફળ પરથી પડ્યુ છે.
           ૫) સ્પેનનો અર્થ ' સસલાઑનો પ્રદેશ' થાય છે.
           ૬)  કેનેડામા આખી દુનિયાના બધા  તળાવોની સંખ્યા   કરતા પણ  વધુ તળાવો આવેલા છે.
           ૭) દમાસ્કસ ૭૫૩ બીસીમા ઍટલે રોમ પહેલા પણ વધુ સમૃધ્ધ  શહેર હતુ.
           ૮) ઇસ્તમ્બુલ, ટર્કી નુ ઍવુ શહેર છે કે જેનૂ સ્થાન યુરોપ અને ઍશિયા બન્નેમા છે.
           ૯) ૧૩૩ બીસીમા રૉમ દુનિયાનુ ઍવુ શહેર હતુ કે જેની વસ્તી  ૧0,00000 જેટલી હતી.
           ૧૦)  સાઇબીરિયા, રશિયામા દુનિયાનુ ૨૫% જંગલ આવેલુ છે.
           ૧૧)  વેનેજૂઍલાનો 'ઍન્જલ ધોધ ' આખી દુનિયામા વધૂમા વધુ ઉચાઈ ૩૨૧૨ ફુટ પરથી પડતો ધોધ  છે.

                            *******************************************

Saturday, November 19, 2016


વશિષ્ટ  જીવન  કે પછી વયસ્થ જીવન
                                                                              વશિષ્ટ નાગરિક અને  વયસ્થ નાગરિકનો  તફાવતમા  બહુજ પાતળી રેખાઓ હોય છે. બધા  વયસ્થ નાગરિક વશિષ્ટ નાગરિક બની શકતા નથી. લોકોનો નિવૃતિનો અર્થ જ કેવો સમજે છે, ઍના પર ઍનો આધાર રહેલો હોય છે.
                                      નિવૃત્તિ ઍટલે  વખતને વેડફતા રહેવુ. બધી ચાલુ પ્રવૃત્તિઓ બંધ કરી દેવી.  ગપ્પાઑ મારતા રહેવુ ઍવો અર્થ કરો તો વશિષ્ટ નાગરિક બનવુ મુશ્કેલ છે. હા ઍવી શિથિલ જીવન શૈલીથી વયસ્થ નાગરિક જ રહી શકો છો. નિવૃત્તિ પછી તમારે વૈવાસીક પ્રવૃત્તિઓ બદલી તમારી મનગમતી પ્રવૃત્તિઓ શરૂ કરવાની હોય છે.જે સમય મળે  ઍમા સકારાત્મક પ્રવૃતિઓ કરવી રહી જેથી તમને અને તમારા કુટુંબને કોઈ જાતની  તકલીફ ન થાય અને તમે  સુખી જીવન જીવી શકો. તોજ તમે આદર્શ વશિષ્ટ નાગરિક બની શકો.

                                         વૃધ્ધાવસ્થામા તમને બાળકો જેવી જિંદગી જીવવાની આકાંશાઓ જાગે ઍ સ્વભાવિક છે કારણકે તમે જીવનમા અનેક મુશ્કેલીઓ અને જવાબદારીઓ નીભાવીને નિવૃત્તિ કમાવી છે. પરંતુ બાળકો જીવી નિર્દોષતા તમે ક્યાથી લાવશો? તમે બાળકોની જેમ બિનજવાબદાર જીદગી કેવી રીતે જીવી શકો?  ઍક  કવિઍ બાળપણને યાદ કરી લખ્યુ છેકે-
                                        " રોનેકી  વજહ ન થી, હસનેકા બહાના ન થા
                                          ક્યો હો ગયે ઈતને બડે, ઇસસે અચ્છા તો બચપનકા જમાના થા "
તમે ચાહો તો પણ બાળપણની જીદગી વૃધ્ધાવસ્થા અશક્ય છે, આથી પ્રયત્ન કરીને સુખી અને આનંદમય જીવન જીવવા માટે વશિષ્ટ નાગરિક ખરા અર્થમા બનવુ જરૂરી છે. ઍમા સામાન્ય નીયમો અપનાવવાની જરૂરત છે જેથી પોતે અને આજુબાજુના લોકો પણ શાંતીથી અને આનંદથી જીવી શકે. નીયમો સરળતાથી સ્વીકારી શકાય ઍવા અપનાવી લેવાની જરૂરત છે. જેવાકે-
-જીવનને  બધી જાતની પીડા અને મુશ્કેલી સહિત મજબૂતીથી જીવવુ જરૂરી છે.
-જરૂરી  બોલવામા હિત છે.
-બીજાને સલાહ આપવામાથી દૂર રહેવુ આવશ્યક છે.
-તમારા પ્રશ્નો બીજાને કહેવાથી દૂર રહેવુ કારણકે ઍક કવિે ઍ ક્હ્યુ છે કે " હાથ લંબાવતુ નથી કોઈ સહારો આપવા માટે તો,
ઈર્ષામા ઍક બીજાના જુઓ પગ ખેચતા કરી દીધા"
-કરકસરથી જીવતા રહેવુ સારુ
-'ઍકલા રહેવાની ટેવ પાડવી જોઇઍ'  રજનીશજીનુ જ કહેવુ છે.
- પુસ્તકો તમારા અંત સુધી સાથ આપશે ઍટલા માટે સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડવી આવશ્યક છે.
- જીવન પ્રત્યે સકારાત્મક  વિચારધારા જરૂરી છે.
- જીવનમા લખવુ  અને વાંચવુ સહેલુ છે પરંતુ જીવનમા ઉતારવુ મુશ્કેલ છે. નિયતિને સમજવૂ પણ મુશ્કેલ છે. માટે કૃષ્ણાઍ અર્જુનને કહ્યુ છે કે " તુ મારે શરણે આવ. ઍટલેકે ભગવાનની ઈચ્છાને તાબે થા."

                                               આ  બધુ ઍટલા માટેકે જીવનના  અસ્તાચલમા સુખી અને  આનંદમય જીવન જીવવા માટે અમુક નીયમો સ્વીકારવા રહયા અને જે વસ્તુ પર આપણો કાબૂ નથી ઍમા પ્રભુ  શ્રધ્ધા રાખવી જરૂરી  છે. તોજ આપણે આદર્શમય વશિષ્ટ જીવન જીવનને અંતે જીવી  શકાય.
                                                 **************************************************૮

Tuesday, November 15, 2016


આકરા આર્થિક પગલા
                                                                        કાળા નાણાઍ ૮૦% ભારતીય  આર્થિક નાણાકિય સ્થિતિ પર કબજો જમાવી દીધેલો છે. ઍનો  ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃતીઓમા, ગુનાખોરીમા અને  મોજમજાહમા કરવામા આવે છે. આથી અર્થતંત્ર નબળુ બનતુ જાય છે. તે ઉપરાંત સરકાર અબજો રૂપિયાની આવક ગુમાવીરહી છે જેનો ઉપયોગ લૉક ઉપયોગી કાર્યમા થઈ શકે. કાળા નાંણા ગુનાઓનો પણ વધારો કરતુ રહે છે. ભાવોના પર કાબૂ  રાખવાનુ પણ  સરકાર માટે મુશ્કેલ બની રહ્યુ છે.
                                      આથી સરકારે ૮ મી નવેમ્બરે મધ્ય રાત્રીથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને રદ કરવાનો આકરો નીર્ણ ય લીધો હતો જેમા લોકોઍ બહુત્તર કાળા નાણા   સંઘરેલા હોય છે. ભારત ઘણો વિશાળ દેશ છે અને ૧૨૦કરોડની વસ્તીને કારણે તદ્દન સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ છે. ઍનો લાભ ખરાબ તત્ત્વો લઇ રહ્યા છે. નવી નોટો અને અન્ય  રૉકળ રકમોની અછતનો અસામાજીક તત્વો અને વિરોધી રાજકીય પક્ષો લાભ લઈ રહ્યા છે. સામાન્ય જનતાને કેશની અછતને કારણે હાડમારીઓ લાંબી લાંબી લાઈનોમા ઉભા રહીને ભોગવવી  પડી છે. પરન્તુ સારા પરીણામો માટે ઍ પીડા  ભોગવવી જ રહી.
                                         ભારતીય બંધારણની રચના વખતે  ડૉક્ટર આંબેડકરે કહ્યુ હતુ કે ' બંધારણની સફળતા, ઍનો ઉપયોગ કરનારા પર જ રહેશે.'  આથી કોઈ પણ દેશહિતના પગલાની સફળતા ઍમના લોકો પર જ હોય છે. આથી  સામાન્ય જનતાનો સાથ મળી રહેતા પગલા સફળ થવાની પુરી શક્યતા છે. તે છતા પગલાને નિષ્ફળ બનાવવા જે ચાલી રહયુ છે ઍનુ અવલોકન કરવુ જરૂરી છે. કાળા નાણાંને સફેદ કરવા માટે કેટલાક લોકો
૧) ગામડાઓના લોકોના બૅંક ખાતામા  પોતાના કાળા પૈસા  જમા કરાવી રહયા  છે. સરકારની ગરીબ લોકો માટેની 'લોકધન' ખાતાઑનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
૨) ઉધ્યોગપતિઓ પોતાના નોકરિયાતના  ખાતાઓનો પણ ઉપયોગ કરી  રહયા છે.
૩)  કેટલાકે કાળા નાણા કાળાબજારને ભાવે  સોનૂ. હીરા અને સોનાના ઘરેણાઓમા રોકાણ  કરી લીધુ છે.
૪) સામાન્ય માણસના ખાતાઓમા પણ  કમિશન આપીને  કાળાનાણા કાયદાકિય રીતે જે જમા કરાવ્યા છે.
                                          આતો  દાખલાઓ  છે જેના પર પણ સરકારની કડી નજર છે. આવા આર્થિક કડક પગલાની  અસર રુપે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાઓની નોટો  કચરા પેટી અને નદીઓમા દેખાવા માંડી છે. આ પગલાઓથી નકલી નોટોનો પણ નાશ નિશ્ચિત બન્યો  છે.  રાષ્ટ્રવિરોધી અને અસામાજીક તત્વોના ગુનાઓ પર પણ અંકુશ આવશે.  બૅંકોની ડિપૉજ઼િટો વધશે. સરકારની આવક વધશે.
                                           આ  યોજના કેટલા અંશે સફળ થશે  ઍનુ  પરિણામ આવવાને હજુ વાર લાગશે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઍ માંગેલા ૫0 દિવસો સુધી રાહ જોવી પડશે.
                                                ********************************************

Sunday, November 6, 2016


ધનવાન અને શ્રીમંત
                                                                                                                                                           ભારતીય સંસ્કૃતીઍ  ધનવાન અને શ્રીમંત વચ્ચે બરાબર અંતર જાળવી રાખ્યુ છે. ઍટલેકે બધા ધનવાન શ્રીમંત હોતા નથી અને શ્રીમંતોને તમે ધનવાન સાથે સરખાવી ન  શકો. ઍમની  ઓળખાણ જ તદ્દન જુદી છે,
                                      ધનવાનો પૈસાને માટે તડપતા હોય છે અને તેઓ બધી રીતે સુખી હોતા નથી. ઘણીવાર ધન ધનવાનો માટે સજા રૂપ બૅની રહે છે. કેટલાક ધનવાનોની ધન પ્રાપ્તિમા શોષણ, દગા, લુચ્છાઈ અને લોકોના નિશાશાઓ  પણ હોય છે. ધનવાનોંમા લોભ, મોહ, ઈર્ષા, અહંકાર પણ સામેલ હોઈ શકે છે. તે ઉપરાંત ધનવાનો જલ્દીથી ધનનો ત્યાગ પણ કરી શકતા નથી. આથી ટૂકમા ધનવાનોમા સાત્વિકતા અને અધ્યામિકતા જેવા ગુણોનો અભાવ હોય છે.


                                      જ્યારે શ્રીમંતો સાથે  અધ્યામિકતા. સાત્ત્વિકતા, અને  જ્ઞાન ધનની સાથે જોડાયેલુ છે. તેઓ સાક્ષર, વિચારક, ચિંતક, પંડિત અને ધનવાન પણ હોય છે. તેઓ ઉજળા, અમીર, ઉમદા દિલવાળા, ઠરેલ અને અન્યોને મદદરૂપ થનારા હોય છે. શ્રીમંતોની શ્રીમંતાઈ સમરુધ્ધિ બનીને રહે છે. શ્રીમંતો ધન પ્રાપ્તિ  ઍકાગ્ર ચિત્તથી પ્રાપ્ત કરે છે. લક્ષ્મીના  ગુણો  જેવાકે  ધાન્ય, ધૈર્ય, ગજ, સંતાન, વિજય, વિદ્યા,ધન, સુખ, અનેશુભ નસીબ  શ્રીમંતોમા હોય છે.  રુગવેદમા શ્રીમંતોને શુભ સૌભાગ્ય માનવામા આવ્યા છે. અથર્વવેદમા શ્રીમંતોને શુભ નસીબ,  સંપતી, સમૃધ્ધિ, સફળતા અન સુખનો સમનવય માનવામા આવે છે.


                                    આવો તફાવત ધનવાનોઅને શ્રીમંતો વચ્ચે રહેલો છે. તમે સહેલાઈથી ધનવાન તો બની શકો છો પરંતુ શ્રીમંત બનવુ મુશ્કેલ કામ છે.
                                              ******************************************** 

Tuesday, October 18, 2016

અનાવિલ
   
                                                                                           
      અનાવિલ  બ્રાહ્મીણ જ્ઞાતી આમ વસ્તીની દ્રષ્ટિેઍ ગુજરાતમા  ઘણી નાની છે, પરંતુ ઍનૂ પ્રદાન ગુજરાતના જાહેર જીવનમા ઘણુ મોટુ છે. ઍમના મૂળ ' અનાવલ 'જેવા દક્ષિણ ગુજરાતના  નાના ઍક ગામ સાથે  છે.  ઍ જ્ઞાતિ ગુજરાતમા વાપી અને તાપી વચ્ચે વસેલી  હતી. હવે તે વિશ્વ અને ભારત વ્યાપી  છે. ઍ જ્ઞાતીની  ઉત્તપતિ શ્રી રામની સાથે સંકળાયેલી છે.
                         અનાવિલો બાહોશ, નિપુણ વ્યવસ્થાપક, અને ઇતિહાસમા શાસકો વતી કર ઉઘારાવવાની કામગીરી કરતા. આથી મોગલો અને મરાઠા વખતમા તેમને કર ઉઘારાવવા માટે દેસાઈગીરી પણ આપેલી હતી અને  ઍ માટે ઍમને  દેસાઈગીરી પણ મળતી હતી. આથી દેસાઈઓના સ્વભાવમા ક્ષત્રીયોના ગુણ વધારે આવેલા છે જેવાકે ક્રોધ, અભિમાન અને  તીક્ષ્ણ જીભ વગેરે વગેરે. બ્રિટિશોના વખતમા પણ દેસાઈઓ  રેલવે, ઇન્ષુરેન્સ કંપની, બૅંકો, અને શિક્ષણ જેવા ક્ષેત્રોમા ઉચ્ચ પદવીઑ ધરાવતા હતા.

                               સ્વતંત્રતાની લડાઈમા પણ ઍમણે મહત્વનો ફાળો આપેલો છે. મહાદેવ દેસાઈ, ભુલાભાઇ દેસાઈ, મોરારજી દેસાઈ, ખંડુભાઇ દેસાઈ,  ઠાકોરભાઇ દેસાઈ,  જેવા નેતાઓ સ્વાતંત્રની લડાઈમા  અદભૂત ભાગ ભજવ્યો હતો, મોરારજી દેસાઈ વડાપ્રધાન પદ સુધી પહોચ્યા હતા,
                               જ્ઞાતિ નાની પણ દેશ વ્યાપી  પ્રદાન સારુ રહયુ  છે. હવે જ્ઞાતિના નવી પેઢીની ફર્જ બની રહી છે કે પરંપરાને ચાલુ રાખે.  શરદ પૂનમની રાત્રીઍ  અનાવિલ મિત્ર મંડળ અમદાવાદની  યુવતીઓની  ગરબા ની રમજટની તસ્વીરો-
                                                                *************************************

Thursday, October 13, 2016


સાકારત્મક  દ્રષ્ટી
                                                                                                       સકારાત્મક જીવન ઍજ સફળ. સુખી અને સ્વાસ્થય જીવનની ચાવી છે. ભૂતકાળને ભૂલી અન વર્તમાનના સારી વસ્તુઓને માણવા મા આનંદ છે. કલ્પિત વિચારોમા પોતાની શક્તિ વ્યય કરવામા  દુખના   ડુંગરો ઉભા થાય છે.  ઍટલા માટે માનવીઍ  શ્રધ્ધા અન શુભ આશાઓ સહિત જીવવુ આવશ્યક છે.
                                              ઍક કવિે ઍ કહ્યુ છે કે-

આશાની પાંખે જીવવુ છે મારે
કલ્પનાને ખોળે ને શ્રધ્ધાની આંખે
ઉંચા શીખરો પર બેસીને મારે
અવનિનુ સૌદર્ય જોવુ છે મારે
કાળા ખડકોને  અવગણીને
લીલી હરીયાળી નીચે જોવી છે મારે
આશાની પાંખે જીવવુ છે મારે
                                                આપણે દુનિયાને  આપણે માનીઍ ઍટલી ખરાબ પણ નથી. આપણે આપણી દ્રષ્ટી બદલવાની જરૂર છે. પ્રખ્યાત લેખક ગુલજાર કહે છે-
હર ઇન્સાન કા દિલ બુરા નહી હોતા
હર ઍક  ઇન્સાન બુરા નહી હોતા
બુજ જાતે હૈ દિયે કભી તેલકી  કમીસે
હર બાર કસર હવાકા નહી હોતા
                                                   આ સકારાત્મક વિચાર  જ છે. ઍક હિન્દી કવિેઍ તો  કહ્યુ કે માનવ રડતા રડતા જન્મે  છે ઍમા જીવનની નકારાત્મકતા અન કરુણતા સમાયેલી છે પરંતુ મૃત્યુ સાથે ઍ  સકારાત્મકતા તરફ  લઇ જાય છે. ઍ કહે છે-

ઍક સચ  યહ હૈ કે અગર જિંદગી ઇતનિ અચ્છી હોતી
તો હમ રોતે રોતે ના આતે
લેકિન ઍક મીઠા સચ  યેહ ભી હૈ કે
અગર યેહ જિંદગી બુરી હોતી તો હમ જાતે જાતે
લોકોકો રૂલા કર  ન જાતે
                                               ઍ જ સકારાત્મકતામા સત્યમા છુપાયેલુ છે. માટે  જીવનમા સુખ દુખની  કહાનીમા બધુ સારા માટે જ થાય છે. ગીતા ઍ આપેલી ઍ સકારાત્મકતા અપનાવવી જ રહી.
                                                *****************************************

Friday, October 7, 2016


નવરાત્રિ
                                                                                            નવરાત્રિઍ શક્તીનુ પ્રતીક છે અને ઍમા સંપૂર્ણ શુધ્ધતા અને સાત્વીકતા આવશ્યક છે. હિન્દુ  સંસ્કૃતિમા સ્ત્રીને શક્તીનુ પ્રતીક માનવામા આવે છે, કારણકે સ્ત્રી ફક્ત  વિશ્વમા  ઉત્પતિનુ સાધન નથી પણ ઍ સમાજનુ ઘડતર, રક્ષણ, અને અનર્થોનુ નાશ કરવાની પણ ફરજ બજાવે છે. કુટુમ્બ થકી સમાજ બને છે અને સ્ત્રી થકી કુટુમ્બ બને છે આથી સ્ત્રી શક્તિના પર્વ નવરાત્રીમા સ્ત્રી શક્તિનો જ મહિમા ગવાયો છે. આપણા શાસ્ત્રોમા પણ કહ્યુ છેકે ' જ્યા સ્ત્રીઓ પૂંજાય છે ત્યા દેવો વસે છે.' આથી સ્ત્રીઓને માટે જો ગુણગાન ગાયા હોય તો સમાજને રક્ષણ આપવા માટે સ્ત્રી મર્યાદા જેવી વસ્તુનુ પણ અનુરોધ કરવામા આવ્યો છે. મર્યાદા ક્યારે રહે જ્યારે સ્ત્રીમા પવિત્રતા અને સાત્વિકતા જળવાઈ રહે. ઍટલા માટે નવરાત્રિઍ સાત્વિક પર્વ છે. ઍને શ્રુગાર રસ સાથે કોઈ લેવા દેવા નથી.

                                                                                              સ્ત્રીની મર્યાદાઓનો ઉલ્લેખ રામાયણ થયેલો છે. સીતાઍ જ્યારે મર્યાદા ઉલેખી ત્યારે ઍનુ હરણ થયુ અને રામાયણ રચાયુ. તેવી જ રીતે દૌપદિઍ મર્યાદાઓનો ભંગ કરી ઍના જેઠ દુર્યોધનને' આંધળાનો છોકરો આંધળો 'કહ્યોને ઍમાથી મહાભારત થયુ. મર્યાદાનો ઉલ્લેખ ઍટલા માટેકે જે સદાઈ અને પવિત્રતા નવરાત્રીમા હતી, જે હવે રહી નથી. હવે નરી  શૃંગારતા અને મસ્તી નવરાત્રિ પર્વમા દેખાઈ રહી છે ઍમા સ્ત્રી શક્તીનુ અપમાન નીતરે છે. ઍમાથી સત્વ, પવિત્રતા,  શુધ્ધતા અલોપ થઈ રહી છે. ઍમા આપણી સંસ્કૃતીનુ પતન દેખાતુ નથી?
                                                                                             આજે ઍવો સમય આવ્યો છે કે લોકોને નવરાત્રિ પર્વ દરમિયાન તેમના કુટુમ્બોની સ્ત્રીઓની સલામતીની ચિંતા સતાવી રહી છે. હવે તો ઍવા પણ સમાચાર છે કે સમ્પતિવાન  લોકો તો ઍમના કુટુંબની સ્ત્રીઓની સલામતી માટે નવરાત્રિ પર્વ દરમિયાન માણસો રાખવા માડ્યા છે. આજ બતાવેછેકે નવરાત્રિ પર્વની પવિત્રતા પર શંકાની આંગળીઓ ઉભી થઈ રહી છે. ઍટલા માટે નવરાત્રીના પર્વને શૃંગારમય કરતા સાત્વિક અને સદાઇ થી ઉજવવાની આજની જરૂરીયાત છે.
                                ******************************************

Sunday, October 2, 2016


લાલ બહાદુર  શાસ્ત્રી-જન્મ દિવસ ૨ જી ઑક્ટોબર
                                                                             લાલબહાદુર શાસ્ત્રી નેહરુના મૃત્યુ બાદ વડા પ્રધાન થયા હતા પરંતુ ઍમની નિમણૂક પા છ ળ પણ નેહરુ કુટુમ્બ અને તે વખતની કામરાજ હેટળની કૉંગ્રેસની ટોળકીનો પણ હાથ હતો. નેહરુની મરતી વખતે  ઈંદિરા ને પ્રધાનમંત્રી બનાવવાની  ઈચ્છા હતી અને કામરાજ માટે સિનિયર નેતા મોરારજી ભાઈ કાબૂમા ન રહે ઍવા પ્રધાન મંત્રીના ઉમેદવાર હતા. લાલબહાદુર નહેરૂ કુટુંબને વફાદાર હતા ઍ ઍમનો મોટો ગુણ તે વખતે પ્રધાન મંત્રી થવા માટે મોટામા મોટી લાયકાત હતી. કામરાજની મદદથી  ઈંદિરા ભવિષ્યમા પ્રધાન મંત્રી  બની શકે ઍવી શક્યતા હતી. લાલબહાદુર ઍ પલટા માટે પ્રધાન  મંત્રી થવા માટે તે વખતે વધારે  અનુકુળ ઉમેદવાર હતા.
                                                                              લાલ બહાદુરઍ પણ મોરારજીભાઈની સાથે વર્ષો સુધી કામ કર્યુ હતુ ઍથી ઍમની રાષ્ટ્રભક્તિ, ગાંધીવાદી વિચારધારા, વહીવટ નિપુણતા, પ્રામાણિકતા  અને ચારિત્ર માટે માન હતુ. આથી તૅઓ ઍમની સામે ઉભા રહેવા તૈયાર ન હતા, આથી સ્પર્ધા નીવારવા માટે કામરાજે કૉંગ્રેસ પાર્ટીના લોકસભાના સભ્યોનો અંગત મતો લઇ નીર્ણય લેવાનુ નક્કી કર્યુ જેનો મોરારજી ભાઈઍ  વિરોધ કર્યો પણ કામરાજ માટે ઍ અનુકુળ રસ્તો હતો અને  ઍમણે લાલબહાદુર ને વિજય જાહેર કર્યા.
                                                                                લાલ બહાદુર પ્રધાન મંત્રી થયા  ઍમણે મોરારજીભાઈને પ્રધાનમંડળમા લેવાની ઑફર કરી જે મોરારજીભાઇ ઍ નકારી કાઢી. પરંતુ ઈંદિરા ગાંધીને તેમણે સામાન્ય પ્રશાશન ખાતુ આપ્યુ જે ઈંદિરાજીને પસંદ ન હતુ અને તેઓ નારાજ હતા.
                                                                                 લાલ બહાદુર શાસ્ત્રી  સાદા, નમ્ર, પ્રામાણિક, દેશભક્ત, ચરિત્રવાન, અને અડગ હિમ્મતવાળા નેતા હતા  અને પાકિસ્તાન સાથેના યુધ્ધમા તે સફળ રહયા અને ઍમની લોકપ્રિયતા વધી ગઈ. આથી ઈંદિરાગાંધીના પ્રધાન મંત્રી બનવાની તક ઑછી થતી જતી હતી. પરંતુ લાલ બહાદુરનુ  તાસ્કન્ત ખાતે અચાનક અને અકાળ અવસાન પછી ઈંદિરા ગાંધીની પ્રધાન મંત્રી થવાની તક પાછી જાગી, લાલ બહાદૂરના મૃત્યુ  સામે પણ અનેક શંકા અન કુશંકા જાગી. ઍમા લાલ બહાદૂરજીના કુટુંબીજનો પણ સામેલ હતા.
                                                                                  લાલ બહાદુર કદમા નાના હતા પણ નેતા તરીકે  કદાવર સાબિત થયા હતા. તેઓ ગરીબીમાથી ઉપ્પર આવ્યા હતા. પ્રામાણિક સેવક હતા અને મર્યા બાદ કોઈ પણ મિલકત છોડી ગયા નથી. ઍક  રેલવે  અકસ્માત માટે રેલવે મંત્રી તરીકે રાજીનામુ આપી ઍક અનોખો દાખલો બેસાડ્યો હતો. ઍટ લે લોકો હજુ પણ ઍમને યાદ કરી અંજલી આપે છે.
                                                  ************************************** 

Tuesday, September 13, 2016


આજ અને કલ
                                                                                               ભારતને સ્વતંત્રતા ૧૯૪૭ મા મળી ત્યારની પરિસ્થિતિ અને  આજની પરિસ્થિતિ જોઈઍ તો જમીન આસમાનનો  ફરક છે. ૧૯૪૭મા જે લોકોની આંખમા ચમક હતી તે હવે નિસ્તેજ થઈ ગઈ છે. ઍમની આશાઓ  કારમી મોંઘવારીથી  રોળાઈ ગઈ છે. રૂપિયાનુ અવમુલ્યન થયુ છે જે કારણે જીવન જીવવુ મુશ્કેલ બન્યુ છે. ગમે તેટલા પગારો વધે પણ મોંઘવારીને કારણે બે હાથો મળવા મુશ્કેલ બન્યુ છે. ગરીબો માટે તો જીવન વસમુ થઈ ગયુ છે. ઍક પછી ઍક આવેલી સરકારો ઍ પ્રગતિની અન વિકાસની વાત કરી મોંઘવારીને ઘટાડવાની વાત પર બેદરકારી દાખવી છે. ઍમા જ્નતા પાર્ટીની સરકારે ભાવો નીચે લાવવા પ્રામાણિકતાથી પ્રયત્નો કર્યા હતા અને ઍ વખતે જીવનની જરૂરીયાત વસ્તુઓના ભાવ નીચે લાવવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. અત્યારે મોંઘવારીનો દર ૫.૦૫ % છે તેમા આંકડાઓની કેટલી માયા જાળ છે ઍનો  ખ્યાલ નથી.
                                                          આજે શુ પરિસ્થિતિ છે ઍનો ખ્યાલ  ૧૯૪૭ અને આજના ભાવોના આંકડાઓ જોતા ખ્યાલ આવી શકે છે. ૧૯૪૭ મા ૧ ડોલર નો અને ૧  રૂપિયાનો ભાવ સરખો હતો પરંતુ અત્યારે ૧ ડોલરનો ૨૦૧૬ નો ભાવ રૂપિયા ૬૭ છે. ૧૯૪૭મા સિનેમાની સસ્તામા સસ્તી ટિકેટ ૪આનામા મળતી આજે ઍજ ટિકેટ ૧૫૦ થી ૩૦૦ રૂપિયામા મળે છે.  ૧૦ગ્રામ  સોનુ ૧૯૪૭મા ૮૮/૬૨ રૂપિયામા મળતુ તે ૨૦૧૬મા હજારો રૂપિયામા વધ્યાજ કરે છે, ૧૯૪૭ મા ક્લાર્કનો પગાર ૩૦ રૂપિયા માસિક હતો તે  માસિક રૂપિયા ૨૫૦૦૦/- પર પહોચી ગયો છે તે છતા લોકોને સંતોષ નથી. જે વેજિટેબલ થાળી ૧૯૪૭મા ૬ આનામા મળતી તે જ થાળી ૨૦૧૬મા હવે  ૧૨૦ થી૫૦૦ રૂપિયા જેટલી પડે છે. આવા ઉંચા ભાવ સામાન્ય માણસોને કેવી રીતે પોસાય? અરે સામાન્ય કોફીનો કપ જે ૧૯૪૭ મા રૂપિયા ચાર આનામા પડતો તે રૂપિયા ૨૦/-સુધી પહોચી ગયો છે. આતો ફક્ત દાખલાઓ છે. પરંતુ બીજી બધી વસ્તુઓના ભાવ આસમાને પહોચી ગયા છે. આ બધી મોંઘવારીની મોકાણ છે ઍને નાથવા જોઇઍ ઍવા પ્રયત્નો થતા નથી. વિકાસ અને ટૂંકા ઍવા ચૂટણી લક્ષી  ફાયદાઓ કરાવી આ મુદ્દાના પ્રશ્નને બાજુ પર સરકાવી દેવામા આવે છે.
                                                               ઘણા લોકો કહે છે આના કરતા બ્રિટિશ રાજમા સોંઘવારી હતી ઍટ લે સારુ હતુ. ઍમા દેશભક્તિની ઉણપ ન ગણાવી જોઇઍ પણ  દેશની વ્યવસ્થાને સુધારવાની જરૂર છે. પગારોને વધારીને મોંઘવારી ઉભી કરવા કરતા થોડા ઑછા પગાર સાથે ભાવોને કાબૂમા લઈ સામાન્ય માણસના બે હાથો જીવન ચલાવવામા મળી શકે ઍવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂરત છે.
                                                         *************************************** 

Wednesday, September 7, 2016


રાષ્ટ્રીય રત્નો અને રાષ્ટ્રીય તારલાઓ
                                                         રાષ્ટ્રીય રત્નો અને રાષ્ટ્રીય તારલાઓં વચ્ચેનો તફાવત બહુજ પાતળો છે પરંતુ ઍને સમજવો બહુ  જરૂરી છે. રાષ્ટીય રત્નો  દેશને બનાવે છે. દેશમા પ્રગતિ અને બદલાવ લાવે છે .  દેશને ખાતર પોતાના સર્વસ્વનુ બલિદાન આપી અને જરૂર પડે તો પોતાના જીવનુ પણ રાષ્ટ્ર માટે બલિદાન આપે છે. રાષ્ટ્રિય તારલાઓ પોતાની અમુક આવડતોને કારણે દેશમા પ્રસિધ્ધ થઈ જાય છે, અને અઢળક ધન પણ કમાઈ લે છે. ફિલ્મ કલાકારો, રમતવીરો, ચિત્રકારો, નૃત્યકારો,ઇત્યાદિ  લોકો દેશના તારલાઑ છે જે દેશને સન્માન અપાવે છે. ઘણીવાર દેશનારત્નો ઍ ઉભા કરેલા માળખા પર તારલાઓ પોતાની દુનિયા ઉભી કરે છે. આ તથ્યના આધાર પર જ બન્નેની સમીક્ષા કરી, ઍમની કદર કરવી જોઇઍ. ઍમને સરખા ગણી સરખાવવા . રાષ્ટ્રીય રત્નોને અન્યાય થશે.

                                                              ભારતમા ભારત રત્નો અને અન્ય રાષ્ટ્રીય તારલાઓને ઍક્જ હરોડમા હવે મૂકી દેવામા આવ્યા છે. ભારતના સપુતો જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર  ઇત્યાદિ ભારત રત્નથી નવાજવામા આવ્યા છે પરંતુ સાથે સાથે રાષ્ટ્રીય તારલા જેવાકે સૅચિન તાંડુલકર, અને લતા મંગેશકરને પણ ભારત રત્નથો નવાજવામા આવ્યા છે ઍ ભારતની પ્રજાઍ વિચારવાનુ છે. દરેક ક્ષેત્રમા ઉચ્ચ ખિતાબો છે ઍ  રાષ્ટ્રીય તારલાઓનેઆપી ન શકાય ઍ પણ ઍક વજુદ પ્રશ્ન છે?  પરંતુ વોટ બૅંક્ની પધ્ધતિેઍ ઍ પ્રશ્નને ગૂચવી નાખ્યો જણાય છે.

                                                           ફિલ્મી કલાકારોને હવે ભારતના ઉપલા ગ્રહમા નિમવાની ઍક પ્રથા છે ઍમા કલાકારને દરજ્જો મળી જાય છે પરંતુ દેશને ઍમા કેટલો લાભ થાય છે ઍ જોવાની જરૂર છે?  અહેવાલ પ્રમાણે  મિથુન ચક્રવર્તીની રાજ્યસભામા હાજરી ફક્ત ૧૦% છે જ્યારે અભિનેત્રીની રેખાની હાજરી ફક્ત ૫% જેટલી જોવામા આવી છે. આ ફક્ત દાખલાઓ  છે. સવાલ કોઈ વ્યક્તિનો નથી પણ આપણી  સિસ્ટમમા  રહેલી ખામીનો છે. અમેરિકા જેવા દેશમા જે ફિલ્મ કલાકારોને કે બીજા તારલાઓને રાજકારણમા રસ હોય તો ભાગ લે છે પણ ચૂંટાઈ આવે છે. જ્યારે ભારતમા ઘણીવાર રાજકારણીઓ તારલાની લોકપ્રિયતાનો ઉપયોગ  કરી લેતા હોય છે. ઍ રાજકારણની બલિહારી છે. મુળમાતો  લોકશાહીમા રહેલા આપત્તિજનક છિદ્રો  પૂરાવાની જરૂર છે.
                                                ************************************  

Monday, September 5, 2016


ભારતની ગરીબી
                                                                                   ૭૦ વર્ષની  સ્વતંત્રતા પછી ભારતે પ્રગતી કરી છે. આપણી આર્થિક પ્રગતિના ગુણગાન પણ ગાઈ શકાય ઍમ છે. ઉદ્યોગોમા,  અણુ  વિજ્ઞાનમા, રોકેટ અને અવકાશ વિજ્ઞાનમા, .સારી ઍવી પ્રગતિ કરી  છે.  વિશાળ અન લાંબા રસ્તાઓ બનાવ્યા, મોટા બંધો બાંધ્યા, અને નદીઓ પર યુરોપની નદીઓની જેમ રિવર ફ્રંટો પણ બનાવ્યા. હવે તો  મેટ્રો અને તેજ રેલવે ગાડીઓ પણ આવી રહી છે. ગામડાઓમા રસ્તાઓ,પાણી, અન વીજળીની વ્યવસ્થાઓ કરવા પ્રયત્નો ચાલે છે. જાણે ભારત યુરોપ અને અમેરિકાની હરીફાઈમા ન ઉતર્યુ હોય!

                                                                                    ભારતની હજુ પણ કમનશીબી છે કે  ભારતના આત્મા  ગામડાઓને હજુ પૂરેપૂરી રીતે આધુનિક સેવાઓ પુરી પાડી શક્યા નથી. શાળાઓના મકાનો, ડોક્ટરો, શીક્ષકો, પુરી વાહનવ્યહવાર વ્યવસ્થા કે પછી સ્વચ્છતા પણ આપી શક્યા નથી . ઘણા ગ્રામજનોની ગરીબી  જાનવરથી પણ  બદ્ત્તર  છે. દેશ આગળ વધી રહ્યો હોય પણ ગરીબી વધી રહી હોય ઍ સારી નિશાની નથી.  આ પરિસ્થિતિ માટે ધનિકો અન ગરીબી વચ્ચેનો ફાસલો વધી રહ્યો છે.  ધનવાનો વધારે ધનિક બની રહ્યા છે અને ગરીબો વધારેને વધારે ગરીબ બની રહયા છે. ગરીબોને દેશની  પ્રગતિનો લાભ મળી રહ્યો નથી. આથી ઍ બાબતમા તુરંત પગલા લેવા જરૂરી છે. આ બાબતમા છેલ્લા અહેવાલ મુજબ ભારતની સંપત્તિનો ૫૪ % હિસ્સો કરોડપતીઓના હાથમા છે. ભારત વિશ્વમા ૧૦મો સંપતી વાન દેશ હોવા છ્તા સરેરાશ ભારતીય ગરીબ છે.  આ બતાવે છે કે સંપત્તિની બાબતમા ભારતની આસમાનતા જાપાન, ઑસ્ટ્રેલિયા, યૂકે, અને અમેરિકા કરતા પણ પાછળ છે.  અસમાનતા દૂર કરવામા આવશે તો જ ભારતમા સમૃધ્ધિના દર્શન થશે. બ્રિટનમા ઍક પ્રૉવર્બ છે કે "ઍક બાજુ સમૃધ્ધિ અને બીજી બાજુ ગરીબી હોય તો ગરીબી સમૃધ્ધિ માટે ભયજનક બની રહે છે."  આ તથ્ય સમજવૂ જરૂરી છે.
                                                          ************************************

Wednesday, August 10, 2016


મિત્ર
                                                                                                મિત્રતામા પ્રેમ, લાગણીઓ, ઍક્બિજાને માટે સન્માન અને સારા ખરાબ દિવસોની યાદો સમાયેલી હોય છે.  ઍ સબંધ લોહીનો નથી હોતો પણ તેનાથી પણ ગાઢ હોય છે. ઍમા ભૂતકાળ અને વર્તમાન હોય છે અને ઉજ્જવળ ભવિષ્યની અભિલાષાઑ પણ ગુથાયેલી હોય છે. મિત્રોની મળો  ઍટલે આનંદ થાય અને આ દુનિયામાથી ગુમાવેલા મિત્રો માટે વિષાદ થાય. દરેકના જીવનમા સમય અને સંજોગો સાથે મિત્રો આવે છે અને દૂર  થઈ જાય છે પરંતુ ઍમની યાદો તો જીવનમા હમેશા જોડાયેલી રહે છે,
                                                              મારા મિત્રોને યાદ કરુ ત્યારે બાળપણના મિત્રોની મીઠી યાદો હજુ સતાવી રહી છે. પતંગની તહેવારમા પતંગો ઉડાવવામા અને કપાયેલા પતંગોની લુટ તો અમે મિત્રો સાથે કરતા. ઘણીવાર હાથ અને પગ પણ છોલાઇ જતા પણ ઍ વખતને હજુ ભૂલાઇ જવાય ઍવો નથી.  ઍ મિત્રો  ક્યા ગુમ થઈ ગયા ઍ સમજાતુ નથી પરંતુ છોલાયેલા શરીર પરની નિશાનીઑ ઍમની યાદ ભુલાવા દેતા નથી. નાનપણમા ભમરડા, લખોટા અને કોડીઓની રમતોના સાથીઓમાના  કેટલાક તો આ જગતમા રહયા નથી.  તે છતા અમારી  નિર્દોષ રમતો ઍ મિત્રોની યાદો ભુલવા દેતી નથી. ઍ બધા મિત્રો સાથે લોહીનો કોઈ સબંધ ન હતો પરંતુ અમારી નિર્દોષતા ભર્યો પ્રેમ જ અમારી યાદો છે. મને જ્યારે તક મળે ત્યારે ઍ જ્ગ્યા પર જઈ ઍમની યાદ તાજી કરુ છુ પરંતુ કમનસીબે ઍ લોકો કે જગ્યા પણ હયાત નથી.  કહેવાનુ ઍટલૂ જ છેકે મિત્રોની મિત્રતા હજુ જીવીત છે.
                                                               અમારા  શાળાના મિત્રોમાથી ઘણાને સંજોગોવસાત મળવાનુ થતુ નથી પરંતુ ઍમાનો  ઍકાદ મિત્ર ગમે ત્યા મળી જાય તો બીજા મિત્રોને પણ યાદ કરી લઈ  અમારા ભૂતકાળને  વાગોળીઍ છીઍ. પરંતુ શાળાના અને કૉલેજેના મિત્રો વખતની સાથે જરા બદલાઈ પણ જાય છે. જીવનની કઠણાઈઑ, તેમની સિધ્ધીઓમા મિત્રતાને તોલવા પ્રયત્ન કરતા હોય છે. તે વખતે  સમજદારી અને ઍક્બિજાને સાચવવાની  તૈયારી મિત્રતાને ટકાવી રાખે છે.' ઍક મિત્રેતો નિખાલસતાથી ક્હ્યુ કે ' સંજોગોઍ ઍના સ્વભાવ અને વિચારોને બદલી નાખ્યા છે. આથી મિત્રતા જાળવવા ઍક બીજા સાથે સમજૂતીથી વર્તવુ પડશે.' ઍમા કદાચ  ઍનો અહમ કે માનસિક સ્થિતિ પણ પ્રવર્તતી હોઇ શકે પરંતુ  મિત્રતાનો ઍમા શો વાંક?  અમારી પરિપક્વતાઍ  અમારી મિત્રતા ટકાવી રાખી છે, અમે બધુ છોડીને અમારામા જે સમાનતા બચી છે ઍના પર અમારી મિત્રતા હજુ મજબૂત ટકી રહી છે. ઘણા લોકો કૃષ્ણ અને સુદમાની મૈત્રી યાદ કરી દુખી પણ થઈ જાય છે  પરંતુ  ભૂતકાળની સુઃખદ યાદો અને ભવિષ્યની ઉમદા મૈત્રીને ટકાવી રાખવા પ્રયત્ન કરવો જોઇઍ, ઍજ મીત્રને હૂ ઍજ શહેરમા હોવા છ્તા સંજોગો વસાત ન મળી શક્યો તો નાના બાળકની જેમ ખરાબ લાગ્યુ હતુ.  મારી બિમારી દરમિયાન ઍજ મિત્ર  મને ભાવતી વસ્તુઓ લાવતો રહેતો.ઍજ અમારી પ્રેમ ભરી મિત્રતાની નિશાની હતી. આથી મિત્રતા હોવી ઍ અગત્યનુ છે પરંતુ ઍને ટકાવી રાખવી ઍ વધારે અગત્યનુ છે.  અત્યારે ઍક વા ચાલે છે કે ' સગા વહાલા નથી પણ મિત્રો વહાલા બની રહે છે'
 ઍમા મિત્રતા અગત્ય  પાઠ ભજવે છે.

                                                                                  મારા કોલેજના મિત્રો  સાથે હમે વર્ષો સુધી મજાઓ અને મસ્તી કરતા રહેતા. બેજવાબદારી ભર્યુ, ઉચી અને કાલ્પનિક મહત્વાકાંશાવાળુ જીવન હમેશા ઘણુ  સારુ લાગે છે. મિત્રો સાથેની મજા મસ્તી પણ યાદ આવે છે.પરંતુ બધા મિત્રો  પોતપોતાની  જીવનની  ઘરેડમા પડી જાય ઍટલે મિત્રતાને યાદ કરવી  મુશ્કેલ થઈ જાય છે. તે છતા મળવાનુ થાય ત્યારે પેલી મજાક મસ્તીની કથા ચાલુ થઈ જાય છે. ઍને વાગોળવામા મજા પણ આવે છે. અમારા ઍક સૉલિસિટર કોલેજ મિત્ર તો હમેશા કહેતા કે ' જીવનમા ફરિયાદો કરવાની નહી અને મોઢુ હમેશા હસતુ રાખવાનુ.'  પરંતુ ઍનુ પોતાનુ મોઢુ જ હમેશા ગંભીર રહેતુ. અમે ઍની મજાક કરી આનદ માનતા. અમને ખબર હતીકે કૉલેજ પછી મળવાનુ ઑછુ થશે ઍટલે બધા મિત્રો મળીને મહાબળેશ્વરની મજા માણી હતી. તેને પણ અમે યાદ કરીને વાગોળીઍ  છીઍ.
                                                                          ટુંકમા મિત્રતા ઍ જીવનમા ગણી અગત્યની ભેટ છે ઍને જીવની જેમ સાચવવી જોઇઍ. ઍ પણ જીવનની અમૂલ્ય  મુંડી છે. ઘણીવાર ખરાબ માણસ પણ પોતાના મિત્રને નુકસાન કરતા વિચાર કરેછે અને સારા મિત્ર પોતાના મિત્ર માટે ઘણુ  નોચ્છાવર કરી દે છે. સારા મિત્ર મળવા ઍ પણ નસીબની વાત છે.
                   " સારો મિત્ર  ઍછેકે -
                      તમારા ભુતકાળને સમજી શકે,
                      તમારા વર્તમાનને સ્વીકારે.
                      તમારાભવિષ્યમા વિશ્વાસ છે.
                                    *************************************

Sunday, August 7, 2016


સ્વતંત્રતા
                                                                                          ભારતનો  સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઑગસ્ટના દિવસે આવે છે અને ઍ 70 મો સ્વાતંત્ર દિવસ હશે. આપણે સ્વતંત્રતો થયા છે પરંતુ માનસિક રીતે સ્વતંત્ર નથી થયા. આથી આપણે  બાહ્ય રીતે દેશભક્તિ તો બતાવીઍ  છીઍ પરંતુ આપણા રગેરગમા દેશભક્તિ કેટલી વહે છે ઍ શંકાની બાબત છે. શંકા ઍટલા માટે થાય છેકે ઍક દેશના નાગરિક તરીકે આપણે કેટલા જવાબદાર છે ઍ ચર્ચાનો વિષય છે.
બેજવાબદારીના ચિંહો આપણી સામાજીક જીવનમા દેખાઈ રહ્યા છે. ચારે બાજુ ગંદકી, અને પાનની પિચકારીઓના ચિતરામણ સામાન્ય વસ્તુ બની ગઈ છે.  કાયદાઓ પાળવા પ્રત્યેનો અભાવ, અને કાયદાઓના ચુગાલમાથી કેવી રીતે ભ્રષ્ટાચાર દ્વારા નીકળી જવાની વૃતિ હવે સામાન્ય વસ્તુ  બની ગઈ છે. ઍ ઉચ્ચ નાગરિકતાની નિશાની નથી, સામાજીક જીવનમા ચરિત્ર, અને નીતિમત્તાને મહત્વ કરતા પૈસા અને સત્તાને વધારે મહત્વ આપવામા આવે છે. આથી ભ્રષ્ટાચાર અને અનીતિ વધી ગઈ છે.  આપણને સ્વતંત્રતા તો મળી ગઈ પરંતુ લોકો સૂરાજ્ય માટે  વલખા મારી રહ્યા છે. જેવુ રાષ્ટ્રનુ ચરિત્ર ઍવુ રાજ્ય બની રહયુ છે. સારા માણસો પર રાષ્ટ્ર ચાલે છે પરંતુ ઍ અપવાદ ન હોવુ જોઇઍ.થોડા નહી પણ બહુમતી લોકો સારા બને ત્યારે જ રાષ્ટ્ર ઉપ્પરઆવે ઍવા દાખલાઓ પણ મોજુદ છે.  આથીગાંધીજીનુ  સૂરાજ્ય  ભારતમા હજુ આવ્યુ નથી. ઍના અનુસંધાનમા સ્વાતંત્ર સૈનિકોની વેદના દર્શાવતી થોડી પંકતીઓ-
કેવી રીતે મળી સ્વતંત્રતા---
કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો આજ ખ્યાલ ન આવે
કેટલી માતાઓના ખોળા થયા સૂના ઍનો ખ્યાલ ન આવે
તમને મળી આબાદી, પુરી કરવાની બધી ખ્વાવિશ
ઉચા મસ્તકે ફરવાની ખુમારી ક્યાથી આવી તેનો ખ્યાલ ન આવે?
કેવી રીતે મળી સ્વતંત્રતા---
પરતંત્ર હતા તો મૂંગે મોઢે અન્યાય સહન કરતા હતા
સ્વતંત્રતાને કારણે  અનાચારીઓ ખુલ્લા પડી રહયા આજે
દેશનુ નામ રૉશન કરવાની હોશ ક્યાથી આવી?
 કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો  ખ્યાલ ન  આવે
કેવી રીતે મળી  સ્વતંત્રતા ---
લાખો લોકોની નિશ્વાર્થ કુરબાનીઑ સાથે કેટલી જિંદગીઓ બરબાદ થઈ
જેલની કાળી કોટડીઓમા કેટલી જિંદગીઓ વીતી ગઈ
ત્યારે આ મહામૂલી સ્વતંત્રતા મળી
ઍનો આજે ખ્યાલ ન આવે
કેવી રીતે મળી સ્વતંત્રતા---
ભારત દેસાઈ
                                             *************************************

Thursday, August 4, 2016


નેહરુ વંશાવળી અને લત્તે લત્તે નામાવલી
                                                             નરેન્દ્ર મોદી  સત્તામા આવ્યા ત્યાર થી ઍક સુત્ર  જોશમા અમલમા મુકવામા આવ્યુ છેકે કોંગ્રેસ વિહીન ભારત. આમતો કૉંગ્રેસ ઍટલે અત્યારે તો નહેરૂ કટૂંબ જ સામે આવે છે.  આમ પણ જુઓતો કોંગ્રેસે નેતાગીરીમા તો  દેવાળુ કાઢેલા જેવી સ્થિતિ છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી જેવી મૉટી માછલીઑને  કોંગ્રેસ નામના તળાવ માથી કાઢીલો તો બધી સત્તા ભૂખી બાકીની માછલીઓ આપો આપ જ મરી જાય અને  બીજા કોઈને કઈ કરવાનુ ન રહે. ઍટલા માટે કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ  નહેરૂ વંશની જ ગુણ ગાથા ગાયા જ કરે છે.
                                                                મોદિજી માટે બે મુશ્કેલ વસ્તુઓઍ છેકે હજારો નેહરુવંશના નામો હટાવી દેશના બીજા યોગ્ય  નેતાઓને પણ  સ્થાનો, પુલો, રસ્તાઓ, ઍરપોર્ટ, પોર્ટ, અને શિક્ષણીક સંસ્થાઓમા નામ જોડાવી તેમને ન્યાય અપાવવો. અને બીજુ કાર્ય  નહેરૂ વંશે વર્ષોના તેમના રાજ્ય દરમિયાન તેમના માણસોને અગત્યના સ્થાનો પર બેસાડી દીધા છે ઍની જગ્યાઍ પરિવર્તન માટે બીજા યોગ્ય માણસોને બેસાડવા. આ બંને વસ્તુઓનો અમલ કરવા જતા ઍમની સામે વિરોધ અને કોલાહલ નો સામનો કરવો પડે છે.
                                                                ગાંધી અને સરદારનુ નામો ગણાય ઍટલી જગ્યા ઍ હોઈ શકે પરંતુ નેહરુ વંશની નામાવલી ગણવી પણ મુશ્કેલ છે.  મુળમા તો ભારતના ઇતિહાસના મોટા નામો જેવાકે શિવાજી, રાણા પ્રતાપ, લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગૉર, કસ્તુરબા, આંબેડકર, રાની લક્ષ્મીબાઇ, મૌલાના આજાદ જેવાને પણ અન્યાય થયો હોય ઍવુ લાગે છે.
                                                               નહેરૂ ગાંધી વંશના નામ પર-
૧) ૬૦૦ સરકારી યોજનાઓ
૨) ૯૪ શિક્ષણિક  સંસ્થાઓ અને વિશ્વ વિદ્યાલયો
૩) ૫૧ અવૉર્ડ ઑ
૪) ૩૯ આરોગ્ય કેન્દ્ર, અને હોસ્પિટલો
૫) ૧૫  સ્કૉલરશિપો
૬) ૧૫ રાષ્ટ્રીય, અન આંતર રાષ્ટ્રીય  મ્યુસિયમો
૭) ૬૮૬ જિલ્લાઓમા, અને ૭૧૫૭ શહેરોમા  ઑછામા ઑછી ઍક સોસાયટીઓ નહેરૂ/ ગાંધી વંશના નામ સાથે સંકળાયેલી છે.
                                                                 આ આંકડાઓ પરથી નથી લાગતુ કે ક્યાક્  કેથે અતિરેક થઈ ગયો છે.
                                           *****************************************

Wednesday, July 13, 2016


બ્રિટીશ રાજાશાહી અને હક્કો
                                                  ઍક વખત ઍવો હતો કે ઇંગ્લેંડમા સુર્ય  કદી આથમતો ન હતો કારણ કે ઍમનુ રાજ્ય આખી દુનિયાના વિવિધ દેશોમા પથરાયેલુ હતુ. આજે હવે ઍ જહેજલાલી રહી નથી. દુનિયાના દેશોમા પણ ઈંગ્લેન્ડનો ઍટલો પ્રભાવ રહ્યો નથી. પરંતુ હજુ પણ ઍની રાજશાહી ટકી ગઈ છે. ઇંગ્લીશ પ્રજા ઍની રાજશાહીને માન આપે છે અને અત્યંત પ્રેમ કરે છે. ઍમણે રાજાને કેટલાક હક્કો આપેલા છે ઍ આધુનિક જમાનામા આશ્ચર્યજનક છે, ઍમ પણ કહેવાય છે કે બધા રાજાઓ કદાચ નાબૂદ થઈ જશે પણ બ્રિટનમા રાજાશાહી ટકી જ જશે. આથી ઇંગ્લેંડમા રાજાને જે વધારેના હક્કો આપવામા આવેલા છે ઍ જાણવા જેવા છે.
૧) ઍમને  ડ્રાઇવિંગ લાઈસન્સ લેવુ પડતુ નથી.
૨) પાસપોર્ટ કાઢાવવાની જરૂર નથી.
૩) રાજવીના બે જન્મ દીવસ ઉજવવામા આવે છે, ઍક સત્તાવાર રીતે અને બીજો ઍમનો સાચો જન્મ દીવસની ઉજવણી ઍમના કુટુમ્બ દ્વારા થાય છે.
૪) રાજવી પોતાનો ખાનગી કવિની પણ નિમણૂક કરી શકે છે.
૫) રાજવી પોતાનુ કેશ નાણા મશીન ધરાવે છે.
૬) થેમ્સ નદીના બધા હંસો અને બ્રિટિશ પાણીની બધી ડૉલ્ફિન પર રાજાનો હક્ક હોય છે.
૭) કોઈ પણ કાયદો ઍમની મરજી વગર પાસ થઈ શકતો નથી.
૮) રાજાને ઉપલા ગૃહમા લોર્ડ અને નાઇટની નિમણૂક કરવાનો હક્ક છે.
૯)  ટૅક્સ ભરવાનુ પણ રાજવીની મરજી પર અવલંબે  છે.
૧૦) રાજવી કુટુંબની કોઈ પણ માહિતી આપવા સરકાર બંધાયેલી નથી.
૧૧) કટોકટિમા રાજવી સરકારી પ્રધાનોની સલાહ લેવા બંધાયેલા નથી. તે ઉપરાંત કટોકટિમા સરકારે રાજવી ની સલાહ લેવી પડે છે અને જરૂર પડે સરકારને ચેતવણી પણ આપી શકે છે.
૧૨) ઇંગ્લેંડના  ચર્ચના પણ રાજવી વડા છે.
૧૩) રાજવી સામે કોઈ પણ કેસ માડી  શકાતો નથી.
૧૪) રાજવી ઑસ્ટ્રેલિયા અને કોમનવેલ્થ દેશોના પણ વડા છે.
                                                                   આ બધા હક્કો પ્રજાઍ પ્રેમ અને મરજીથી આપેલા છે.
                                 ****************************************

Saturday, July 9, 2016


આપણે નિમિત્ત માત્ર
                                જીવનમા માનવીનો  મોટામા મોટો દુશ્મન  અહંકાર છે અને અહમ્ જ દુખનુ મોટામા મોટુ કારણ છે. હૂ કરુ, મે કર્યુ, અને મારી શક્તીથી મેળવ્યુ ઍ માનવુ મિથ્યા છે કારણકે આખરે તો પ્રભુ ઇચ્છા અંતિમ હોય છે. .આપણને પ્રભુઍ કર્મ કરવાનો હક્ક જરૂર આપ્યો છે પરતુ ઍના ફળનો દોર તો ઈશ્વરે પોતાની પાસે જ રાખ્યો છે. ઍટલે ગીતામા ક્હ્યુ છે કે આપણને ફળ પર અધિકાર નથી.
                                 શ્રી કૃષ્ણઍ ગીતામા અર્જુનને કહ્યુ હતુકે તુ ઍમ માનતો હશે કે તુ સ્વજનોને મારવા જઈ રહયો છે પરંતુ ઍતો મરી જ ગયેલા છે તુ તો માત્ર નિમિત્ત માત્ર છે. ઍમનુ જીવન  મૃત્યુ મારી ઇચ્છાને જ આધીન છે. આથી ઍ બાબતમા ખેદ કરવો છોડી દે. અર્જુન દુઃખી હતો કારણકે ઍ અહમ પીડાતો હતો.
                                   મહાભારતના યુધ્ધ વખતે અર્જુન જ્યારે કર્ણ સામે લડતો હતો ત્યારે અર્જુનના બાણો ના મારાઓ કર્ણના રથનૅ બહુ પાછળ ધકેલતા હતા જ્યારે કર્ણના બાણો અર્જુનના રથને ફક્ત સાત ડગલા જ પાછળ ધકેલતા હતા તે  છ્તા કૃષ્ણ મહારથી કરણની જ પ્રસંશા કરતા રહેતા  હતા. આથી અર્જુનને ખેદ થયો અને કૃષ્ણને પુછ્યુ ' ભગવાન મને પ્રસંશામા આવો અન્યાય શા માટે? કૃષ્ણે હસીને કહ્યુ  'પાર્થ   તારા ર થ પર  મહાબલી હનુમાન વિરાજે છે. હૂ સ્વયમ્ તારો સારથી છુ ઍથી તને મદદ મળી છે પરંતુ મહાવીર કર્ણ ઍના બાહુબલથી લડી રહ્યો છે. ઍટલા માટે ઍ પ્રસંશાને પાત્ર છે, ઍ સાંભળીને અર્જુન ભગવાનને પડી ગયો. ઍને ખાતરી થઈ ગઈ કે ઍનો વિજય ભગવાનની ઇચ્છાને લીધે જ છે ઍતો ઈશ્વરની ઈચ્છાનુ સાધન માત્ર જ છે.
                                    મહાભારતના યુધ્ધને અંતે અર્જુનને અહમ્ તો આવ્યો હતોકે ઍણે મહાન યોદધા ઑનો વધ કરી વિજય મેળવ્યો હતો. શ્રી કૃષ્ણ ઍના મિત્રના ઍ  અહમથી વાકીફ હતા. આથી યુધ્ધના અંતે જ્યારે પરત   ઘરે  આવ્યા ત્યારે સૌથી પહેલા  અર્જુનને રથ પરથી ઉતાર્યો અને કહ્યુ ' દુર જઈને ઉભો રહે.' પછી પોતે ઉતર્યા ઍટલે રથ બળીને ભસ્મ થઈ ગયો. અર્જુન તરફ ફરીને ક્હ્યુ ' તારો રથ તો ક્યારનો ભીષ્મપિતામહ,   દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અને કર્ણના દીવ્યાંગ શસ્ત્રોતી બળી ગયો હતો.'  સાંભળીને અર્જુનના અભિમાનના ચૂરેચુરા થઈ ગયા કારણ કે ઍતો નિમિત્ત માત્ર  હતો પરીણામતો પ્રભુની ઈચ્છાને આધીન હતુ.
                                      આથી ટુંકમા ઈશ્વર દરેક  વસ્તુ માટે માનવીને નિમિત્ત બનાવે છે. ઍથી સારા પરિણામ માટે અભિમાન પણ ન કરવુ અને ખરાબ વસ્તુ માટે દુઃખ પણ ન લાવવુ. પોતાને યોગ્ય હોય ઍવા સદ્કર્મો ઈશ્વરમા શ્રધ્ધા રાખી કરે જવુ.
                                                      ***************************************

Monday, July 4, 2016


બિનસાન્પ્રદાયિક્તા અને અતિરેક
                                                   ભારતમા પોતાને  ઉદાર અને બિનસાંપ્રદાયિક  બતાવવા માટેની હરીફાઈ ચાલે છે. કટ્ટર કોમવાદી થવુ ઍ પણ ભારતીય સંસ્કૃતીનુ  અપમાન સમાન છે. ભારતીય સંસ્કૃતી  બધા ધર્મોને સમાન મહત્વ અને માન આપવા પર રચાયેલી છે. ઍટલે કટ્ટરતાને સ્થાન નથી. આનો અર્થ ઍવો પણ નથી કે હિન્દુ ધર્મને  તરછોડી બીજા ધર્મોને વધારે મહત્વ આપવુ. બિજુ હિન્દુ ધર્મ વિષે વાત કરવી કે ઍનો બચાવ કરવો ઍ ગુનો બનતો નથી. તે ઉપરાંત બિનસાંપ્રદાયિકતાને નામે હિન્દુ લાગણીઓને દુભવવી ઍ યોગ્ય નથી. ઘણીવાર બિનસાંપ્રદાયિકતા ઍ હવે ફેશન બની ગઈ છે.
                                                                                      હિન્દુ સંસ્કૃતિના ભારતમા  બીજા ધર્મો પ્રત્યેની ઉદારતાના મોજુદ દાખલાઓ છે.વોશિંગ્ટનમા  ૨૧  અને લંડનમા ૭૧ ચર્ચો  છે જ્યારે  દિલ્હીમા  ૨૭૧ ચર્ચો છે. ભારતમા ૩ લાખ મસ્જિદો છે જે બીજે  જોવા નહી મળે. હિન્દુઓ ઇફ્તારની પાર્ટી મુસ્લિમોને આપશે. હિન્દુઓ ટોપી પહેરીને મઝારો પણ જાય છે. હિન્દુઓ પરદેશી સંસ્કૃતિના વખાણ કરતા પણ જોવા મળશે. હિન્દુઓ ગિરજાગ્રુહો અને ગૂરૂદ્વારામા પણ જવામા સંકોચ અનુભવતા નથી. ટુંકમા હિન્દુઓની બિનસાંપ્રદાયીક ઘણી વધારે છે.
                                                                              ભારતની લોકશાહીમા મતોની મહત્વને કારણે લઘુમતીને ખુશકરવામા બિનસાપ્રદાયિકતાની વ્યાખ્યાને વિકૃત કરી નાખવામા આવી છે. ઘણીવાર તો બહુમતીને અન્યાય થવા જેવી સ્થિતિ સર્જાય છે ઍ અયોગ્ય છે. ઍ વિચારવા જેવી બાબત છે . બિન સાંપ્રદાયિકતાનો અતિરેક પણ ઘણીવાર રાષ્ટ્ર માટે નુકસાન કારક બની રહે છે. બહુમતીને નૈતિક દ્રષ્ટિેઍ પણ નબળી બનાવી દે છે.
                                                    ***************************************

Friday, June 24, 2016


ફાધર ડે
                                                                                                                                                              જૂન મહિનાના ત્રીજા રવિવારે અમેરીકામા ફાધર ડે મનાવવામા આવે છે. તે દિવસે પિતાને યાદ કરીને અંજલી આપવામા આવે છે. ભારતની સંસ્કૃતિમા પિતાને હમેશ માન આપવામા આવે છે અને ઍના સલાહ સૂચનને સ્વીકારવામા આવે છે. તે છતા સાહિત્યમા, સંતોમા, વીદ્વાનોમા, માતાનૂ સ્તુતિ અને સાહિત્ય વધારે જોવા મળે છે.  પિતાઍ  કુટુંબના હિતમા ઘણીવાર નાખુશ કરનારા નિર્ણયો લેવા પડે છે જ્યારે માતા સંતાનોંની સાથે રહે છે અને ઍમને હુફો આપે છે. આથી સંતાનોનું માતા સાથેનોં સબંધ બહુજ નજદિક રહે છે. આથી સંતાનો હમેશા માના ગુણગાનો ગાતા રહે છે. આજ કારણે સંતો, સફળ મહાન પુરુષો દ્વારા માતા વિષે સારુ ઍવૂ સાહિત્ય જોવા મળે છે. ટુંકમા કોઈની પણ સફળતા પાછ્ળ માતાનો પ્રેમ અને પિતાનો પડદા પાછળનુ બલિદાન જવાબદાર હોય છે. પિતાને ઘણીવાર અન્યાય પણ થાય  છે.
ઈશુની મા મૅરી પિતાનુ કોઈ નામ નથી
કૃષ્ણની મા દેવકી, વાશુદેવનુ  નામ લેવાતુ નથી
કવિઓ, લેખકોે, અને સન્તોઍ માતાના .દૈવી ગુણ ગાયા
પિતાઓની અવગણના સિવાય બીજુ કઈ નથી
સખ્તાઈ કરી કુટુંબને તારે ઍજશુ ઍનો ગુનો છે?
સમાજને સારા માનવો આપવા ઍ પણ કોઈ ગુનો છે?
જીવનની  કમાણી, શક્તિ, અને વખત આપનાર પણ પિતા છે
ઍવી વ્યક્તિને અંજલી આપવી ઍ સર્વની ફરજ છે
                       ઍવા પિતાઓને  સુખી 'ફાધર ડે'

                             ****************************

Wednesday, June 8, 2016


સરહદ પાર
                                                                                                                                                       અમેરિકા અને મૅકક્સિકો વચ્ચે માઈલોના માઈલો સુધી ખુલ્લી સરહદો ચ્હે. આથી ઍક બાજુ સમૃધ્ધિ અને બીજી બાજુ ગરીબીને કારણે લાખો લોકો ગેરકાયદેસર અમેરીકામા પ્રવેશી જાય છે. વખત જતા ઍમાના ઘણા અમેરિકામા મળતા લાભો ઍક કે બીજા કારણે મેળવતા થઈ જાય છે. ઍટલે કોઇકે કટાક્ષમા કહ્યુ છેકે અમેરીકામા તમે ઘુસી જાવ તો ઍવા લોકોને  નોકરીથી માંડીને તે બધા લાભો મળતા થઈ જાય છે. પરંતુ આ કથન ગેરદોરવણી ભર્યુ છે. અમેરીકામા પણ ગેરકાયદેસર પ્રવેશ સજા પાત્ર છે.
                       દુનિયાના બધા દેશો ગેરકાયદેસર પ્રવેશ માટે સખત સજાનો પ્રબંધ કરેલો હોય છે. ઍ બાબતમા સબરજિત સિંઘનો સરહદ પાર કરવાનો અને  પાકિસ્તાનની જેલમા રિબાઈ રીબાઈને મારવાનો કિસ્સો મશહૂર બની ચૂક્યો ચ્હે ઍના પર ચલચિત્ર પણ ઉતારવામા આવ્યુ છે.
                        સરહદને ગેરકાયદેસર પાર કરવામાટે  જુદી જુદી સખત સજાઓ જુદા જુદા દેશોઍ રાખેલી છે.
૧)નોર્થ કોરેિયા ૨૨વર્ષની સખત કેદની સજા કરે છે.
૨)ઈરાનતો  અનિશ્ચિત સમય માટે જેલમા નાખી દે છે.
૩) અફગાનિસ્તાનમા તો મારી નાખવાંમા આવે છે.
૪)  સાઉદી અરેબીયામા જેલમા નાખી દેવામા આવે છે.
૫) ચીનમા તો  નામનીનિશાન મિટાવી દેવામા આવે છે.
૬)  વેનેજુઍલામા જાસૂસ માની ગમે તેટલી સજા થઈ શકે છે.
૭) ક્યુબામા રાજકીય કેદી તરીકે આખી જિંદગી કાઢવી પડે છે.
                          ટુંકમા ગેરકાયદેસર સરહદ પાર કરવી ઍ ઘણો ગંભીર ગુનો છે.
                                   *************************************

Friday, June 3, 2016


દુનિયાની અજાયબીઓ
                                                                                                                                                                        વિશ્વમા જે આધુનિક વિજ્ઞાનિક શોધો થઈ રહી છે,. ઍનાથી આખી દુનિયાની સકલ બદલાઈ રહી છે.
ઍ બધી શોંધો અજાયબી રૂપે પ્રગટ થઈ રહી છે.
૧) શૉપિંગ મૉલમા હવે વેચાતી વસ્તુઓ  'ઍલસીડી' પડદા પર દેખાશે અને જોઇતી વસ્તુઑ પર અડવાથી ઍ નોંધાઈ  જશે. તમે બહાર કાઉંટર પર જાઓ ઍટ લામાં બી લ સહિત બધી વસ્તુઓ તૈયાર મળશે.
૨) ઍવા મોબાઈલ ફોન બનાવવામા આવ્યા છેકે જેને તમારે જોઇઍ ઍ રીતે વાળી . શકો છો. ઍ ફોન કામ પણ સ્માર્ટ ફોનની જેમ જ કરે છે.
૩) તમારુ કોમ્પ્યુટર ઘંટડી પણ વગાડી શકશે અને તમારુ ઈમેલ ખાતુ પણ તપાસી શક્શે. અમુક બાબતમા તમને ચેતવશે પણ ખરુ. તથા બીજાઓ સાથે નેટપર વાત પણ કરાવી શકશે.
૪) માણસે પોતાની આંખમા ગોઠવેલા  કેમેરા  તમને જોઈ શકશે.
૫)નવા યુગના ગૂગલ ફાઈબર દ્વારા  અત્યારથી ૧૦૦ ગણુ વધારેગતિ વાળુ ઇંટરનેટ મળશે.
૬) કૅમપિંગ સ્ટવ હવે રાંધવા સિવાય ઍવી શક્તિ ઉત્તપન   કરશે કે બેટરી પણ ચાર્જ કરી શકાશે.  બિજુ બધુ પણ 'યુસબી' દ્વારા ચાર્જ કરી શકાશે.
૭)ઍવી કચરા પેટી બનાવવામા આવશે કે ફેકેલા કચરાને કેચ કરી શકશે.
૮) સ્માર્ટ ફોનો ૨૦ વર્ષ પહેલાની બધીજ માહિતીઑ  ઍમનામા સમાવી શકશે.
૯) બાયોનીક હાથો  હવે ગમે તેવી હિલચાલ કરી શકશે.
                                          *************************************

Sunday, May 8, 2016

મારી મા
                                                                (મારી મા શાંતાબહેન )        
                                                                                                                                                               આજે '૮ મી મેને દિવસે 'અમેરીકામા ' મધર ડે' તરીકે ઉજવવામા આવે છે.  ઍટલેકે માતાઑ દ્વારા કુટુંબમા અને સમાજમા આપવામા આવેલા પ્રદાનઓને અંજલી આપવાનો દિવસ.' મા' ઍટલે પ્રેમ, ત્યાગ, અને બલિદાનની દૈવી  મૂર્તિ. મે નીચેના લેખમા મારીં માને નિષ્ઠાપૂર્વક અંંજલી આપી છે.-

                                                                 "  મા ઍટલે પ્રેમ, બલિદાન અને પોતાના સંતાનો માટે જીવે ત્યા સુધી ત્યાગ કર્યા કરે ઍવુ મંગલ સ્વરુપ હોય છે. ઍને પોતાના સંતાનોમા  હમેશા  સદગુંણો દેખાય ઍનુ આલોચન કરે અને ઍમના અવગુણોને ઢાંકી ઍને સુધારવાના પ્રયત્નો કરે. ઍટલા માટે ગમે તેવા ખરાબ સંતાનો પણ ઍની માની આગળ આગળ ગળગળા થઈ  માથુ નમાવી દે છે. દુનિયામા ઍક માનવી બતાવો જે ઍની માને પ્રેમ ન કરતો હોઈ.
                                                                   મારી મા પણ પ્રેમ, ત્યાગ અને બલિદાનની જીવતી જાગતી મૂર્તિ હતી. ઍ અમારે માટે જ જીવતી હતી, પોતાને માટે નહી.સાદાઇ, અને સ્વચ્છતાના પાઠ શીખવી ગઈ હતી. આજે પણ ઍની યાદમા ઍની સૂતરની સાડીને સાચવી રાખી છે. ઍની યાદ આવી જાઇ ત્યારે ઍ સાડી પર આંસુ વહાવી લઉ છુ. પરંતુ ઍને ઘરેણાની જેમ કબાટમા સાચવી રાખુ છુ.
                                                                  નાનપણમા આમતો મે બહુ સીધોસાદા અને  શાંત છોકરાનીની છાપ ઉભી કરી હતી પણ મારી માને મારી આંતરિક મજાકિયા સ્વભાવની ખબર હતી. ઍક્વાર મે મારી નાની બહેનની ખુરસી સિફતથી હટાવી દીધી અને ઍ જમીન પર પટકાઈ. ઍના રડવાના અવાજથી આજુબાજુના લોકો હેબતાઈ ગયા. હૂ દૂર નિર્દોષતાથી ઉભો ઉભો તમાશો જોઈ રહ્યો હતો. ત્યાતો દૂરથી માનો અવાજ આવ્યો ' ઍ પેલા ભાલિયાનુ જ કામ છે. હવે  ઍની ખેર નથી. પછી મારા પર તૂટી પડી. બધાને આશ્ચર્ય થયુ પણ ઍ મારા અંદરના મસ્તીખોર સ્વભાવથી પરીચિત હતી. ત્યારથી હૂ શીખી ગયો કે ઍનાથી કઈ છુપાવવુ નહી. અને સાચી વાત ઍને કહી દેવી કારણકે જૂઠ સામે ઍને તિરસ્કાર હતો.
                                                                  મા આમતો બહુ ભણેલી ન હતી પરંતુ ઍ ભલભલી ઉંચ વ્યક્તિઓ સાથે કામ પાર પાડતી. ઍના આત્મવિસ્વાસ અજબનો હતો જેનુ આરોપણ અમારામા ક્રયુ હતુ. મોતને પણ ઍણે આત્મશક્તીથી કાબૂમા રાખ્યુ હતુ. ઍને હાર્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી જીવલેણ બિમારી હતી, પણ  ઍ  બધી બિમારીઓ સાથે ઍણે ઍની જવાબદારીઓ નોભાવે રાખી. ઍક વાર ઍને મોટો હાર્ટ ઍટેક આવ્યો હતો. તે હોસ્પિટલમા જીવનમરણનો ખેલ ખેલી રહી હતી. અમે બધા સ્વજનો ઍ આશા ગુમાવી દીધી હતી પરંતુ ઍ હાફ્તી હાફ્તી ઍક જ્ર રટણ રટતી હતી કે હૂ પાછી ઘરે આવવાની જ છુ. તમે લોકો ચિંતા ન કરો. ઍ સાજી થઈ ઘરે પણ આવી. ત્યારે મને થયુ કે માણસનો આત્મવિસ્વાસ મૃત્યુ પર પણ વિજય મેળવી શકે છે. તે દિવસે માઍ મને જીવનમા આત્મવિસ્વાસ કેળવવાનો પાઠ શીખવ્યો.
                                                               માને  ડરપોક માણસો ગમતા ન હતા અને અમારી ડરપોકતામા  ઍને પોતાની માવજતમા ખામી દેખાતી.  શહેરમા નાના છોકરાઓને ઉપાડી જવાના ઘણા કિસ્સા બન્યા હ્તા ઍથી હૂ ગભરાઈ ગયો હતો અને સ્કૂલમા જવાની મે ના પડી દીધી હતી. ઍણે મને બળજબરીથી સ્કૂલે મોકલાવ્યો હ્તો. અને ચેતવણી આપી હતી કે મારી ડરપોકતાને કદી તે સહન કરશે નહી. સાંજના સ્કૂલમાથી પાછો આવ્યો ત્યારે ઍણે  પ્રેમથી પુછયુ 'બધુ બરાબર હતુ ને દીકરા' ત્યારે મને લાગ્યુ કે આખો દિવસ ઍણે મારી ચિંતામા વિતાવ્યો હતો. મને લાગ્યુ કે જીવનમા ઍને માટે અમુક ગુણો મહત્વના હતા જેનો પ્રેમને ખાતર દરગુજર કરવા માગતી ન હતી. આમ મા  વજ્રની જેમ કઠોર હતી પરંતુ  હ્રદયથી બહુ નરમ હતી.
                                                            તે વખતે અમે મુંબઈમા કફ પરેડ રોડ, 'બૅક  બે 'સામે, બૅરક્સમા રહેતાહતા.  નરીમાન પોઈન્ટ વિસ્તારમા અત્યારની જેમ કોંક્રિટના મોટા બહુમાળી. મકાનો બંધાયેલા ન હતા. ઍથી ઍ વિસ્તાર અત્યાર જેટલો ગીચ ન હતો. રાતના આઠ વાગ્યા પછી ઍ વિસ્તાર તદ્દન શાંત થઈ જતો. ઍવા વિસ્તારમા અમે રહેતા હતા. ઍક્વાર મધરાતે ચોર અમારા ઘરમા ઘુસવા જતા અવાજ સાંભળી મા હાથમા લાકડી લઈ બહાર દોડી ગઈ. અમારો નોકર પણ જાગી ગયો અને ઍ પણ માની પાછળ  દોડ્યો અને પેલાને પકડી લીધો. અવાજને લઈને અમે જાગી ગયા. જોયુ તો મા લાકડી વડે પકડેલા ચોરને ફટકારી રહી હતી. અમે ઍની નીડરતાના દર્શન ઍ દિવસે થઈ ગયા. જેનો વારસો અમને પણ આપતી ગઈ છે.
                                                            માને લોકસેવાની લગન હતી. લોકો પાસે પૈસા ઉઘરાવીને ગરીબોને ઍમની જરૂરીયાતો પુરી પાડતી. અને ઍ નિસ્વાર્થ ભાવથી કરતી. ઍ માનતી કે ગરીબોની સેવા ઍ જ ઈશ્વરની ભક્તિ છે.  ઍ મુંબઈના શ્રીમંતો પાસે પૈસા ઉઘરાવતી અને ગિરનારના ભાવનાથના મેળામા સાધુઓ અને ગરીબો માટે ભંડારો કરતી. ઍમા કપડાઓ, ધાબળાઑ વહેચતી. વર્ષો સુધી ઍ કામ કરતી રહી અને જ્યા સુધી શરીર ચાલ્યુ ત્યા સુધી ઍ કામ ચાલુ રાખ્યુ. અને અમને હસતા હસતા કહેતી આવા કામો કરતા રહો ઍવો વારસો જ તમને આપી જવાનો છુ. ઍવી ભાવનાઓ અમારા જીવનમા છોડી ગઈ છે ઍટલે આજે પણ કાઇ સારા લૉક ઉપયોગી કામો નિસ્વાર્થ ભાવે કરવાની ભાવના અમારામા સીંચીને ગઈ છે.
                                                           છેલ્લે ઍ ઍના મોતને પણ જીતી અને શાંતીથી મરજી પ્રમાણે ચાલી ગઈ. મારા પિતાના મૃત્યુ બાદ અમને ક્હી દીધુ હતુ કે ' હવે હૂ મહિનાથી વધુ જીવવાની નથી.' અમારા ક્રીયા કર્મ કરાવનાર બ્રાહ્મણ ને બોલાવી ઍના મૃત્યુ બાદ કરવાની ક્રીયાઓ વિષે પણ સૂચના આપી. મારે માટે પણ ઍ આશ્ચર્ય જનક વાત હતી. પરંતુ ઍ ઍના નક્કી કરેલા વખતે જ અમને રડતા છોડી ચાલી ગઈ. પરંતુ ઍક વાતની અમને ખાતરી થઈ કે મારી માનો આત્મા પ્રભુને પણ પ્યારો હતો અને અમારે માટે ઉમદા જીવન જીવવા માટે અમૂલ્ય વારસો છોડી ગઈ."
                                  (પરદેશી ગુજરાતી લેખકો દ્વારા લખેલા પુસ્તક્ ' મારી માવલડી' માથી)
                                             ******************************
.

Sunday, May 1, 2016


અમેરિકન પ્રમુખ હૅરી ટ્રૂમન અને જનરલ મૅક આર્થર
                                                                                           અમેરીકામા પ્રમુખ  વિશાળ સત્તાઓ ધરાવે છે.  ઍ અમેરિકન બંધારણનો ગણો મજબૂત ઓધ્ધો છે. ઍને ચુનોત્તિ દેવી ઍ તદ્દન મુશ્કેલ કાર્ય છૅ. ઘણા  પ્રમુખની સત્તાને પડકારવા જતા પોતાની કારકિર્દી ગુમાવી બેઠા હતા. ઍમાના ઍક અમેરિકન જનરલ મૅક આર્થર હતા.  તેમણે બીજા વિશ્વ યુધ્ધમા જાપાન સામે વિજય મેળવી  દુનિયામા અને અમેરીકામા પણ ભારે લોકપ્રિયતા મેળવી હતી. . ઍમણે ઍના મદમા આવી અમેરિકન પ્રમુખની સત્તાને પણ પડકારી હતી. અમેરિકન પ્રમુખ  હૅરી ટ્રૂમનઍ પણ અચકાયા વગર તે વખતના લોકપ્રિય જનરલ મૅક આર્થરને ઍના હોદ્દા પરથી બરખાસ્ત કરી નાખ્યા હતા.  આજ અમેરિકન પ્રમુખપદની ગરીમા અને સત્તા બતાવે છે.

                                                                               જનરલ મૅક આર્થર તે વખતની મિલિટરી મહા સત્તા જાપાનની શરણાગતી સ્વીકારવા જઈ રહ્યા હતા. પરંતુ તેમને જાપાન તરફ સખત પૂર્વગ્રહ હતો.  તેમણે પ્રમુખ ટ્રૂમનને ઍક ઈ મેલ સંદેશો મોકલાવ્યો હતો કે ' આવતી કાલે અમે બદમાશ પીળી કમ્મર વાળા જાપાનીસો સાથે શરણાગતિના દસ્તાવેજો સહી કરવા જઈ રહ્યા છે. તમારી જો કોઈ આખરી સૂચના હોય તો જણાવશો.' પરતુ પ્રમુખને  જનરલના અમુક  શબ્દો અયોગ્ય લાગ્યા. ઍમણે જવાબમા જણાવ્યુ કે ' સારી  રીતે  કામ પૂરુ કરવા માટે અભિનંદન. તમારે તમારો જાપાનીસો તરફનો  અણગમો પત્રકારોની સાથેની વાતચીતોથી દૂર રાખવો કારણ કે રાજકીય રીતે ઍ ઉચિત નથી.
                                                                              પ્રમુખની સલાહ કદાચ જનરલને ખુંચી હશે આથી ઍમ ણે  પુછયુ ' રાજકીય રીતે ઉચિતઍટ લે શુ? 'પ્રમુખે  જવાબમા લખ્યુ ' ઍ તર્ક હિન, લઘુમતી બીમાર મીડીયા  દ્વારા ઉભો કરેલો કરેલો  શબ્દ છે  ઍ લોકો માને છે કે ' ગંદી વસ્તુને  ઍના સ્વચ્છ છેડાથી પણ પકડી  શકાય છે.'
                                                                               આમ લોકપ્રિય  જ્નરલને કેટલી હોશીયારીથી અને ગરીમાથી અમેરિકન પ્રમુખ સલાહ આપી દે છે. આ પત્ર વ્યહવાર હજુ પણ પ્રમુખ ટ્રૂમનની લાઇબ્રેરીમા જાળવી રાખવામા આવ્યો છે.
                                                       ****************************************