Saturday, April 18, 2015


માનસિક શાન્તિની તલાશમા
                                                                                                                                                        માનસિક શાંતિ માટે જીવનમા સાકારત્મક અભિગમ જરૂરી છે. ઘણા જાણતા પણ હોય છે પરંતુ જીવનમા ઉતારવામા  નિષ્ફળ નીવડે છે. તે છતા નીચેની બાબતો પર ધ્યાન આપવા જેવુ છે.
૧) બીજાની બાબતમા ધ્યાન આપવુ યોગ્ય નથી.

૨) અપમાન અને  આઘાત આપનારાઓને માફ કરી  દેવા.
૩)કોઈ પણ બાબતમા પ્રસન્સાની અપેક્ષા રાખ્યા વગર કામ કરતા રહેવુ.
૪) કોઈની પણ ઈર્ષા  કરવી  જોઇઍ નહી.
૫) જેનો કોઈ ઉકેલ નથી ઍને છોડી દેવામા ભલુ છે ઍમ માની સંજોગો સાથે સમાધાન કરી લેવામા જ હીત સમાયેલુ છે.
૬)આજુબાજુના વાતાવરણ સાથે પગ મીલાવવામા ઘણીવાર હીત રહેલુ હાય છે.
૭) તમારી શક્તીની બહારનુ કામ હાથમા ન લેવુ.

૮) આત્મ સર્વેક્ષણ અને પૂંજામા પણ વખત આપવો જરૂરી છે.
૯) માનસિક રીતે કદી પણ  અવકાશ ઉભો ન થવા દેવો.
૧૦)ભૂતકાળ ને વાગોળવાથી કઈ ફાયદો નથી. ઍમા શક્તિઓનો વ્યય જ થાય છે.

                               ઉપરની બાબતોનુ ધ્યાન રાખી અમલમા મુકવાથી  દુખ અને સંતાપ દૂર રહે છે અને . મન શાંત રહે છે.  જીવન સુખમય બને છે. આ અજમાવી જેવો પ્રયોગ છે.
                                            **************************************************

Friday, April 10, 2015

કાશ્મીરી પંડીતો
                                                                                                                                                       કાશ્મીરી પંડિતોનો ૫૦૦૦ વર્ષ જૂનો ઇતીહાસ છે. તેઓ સારસ્વત બ્રામ્હણ કુળમાથી આવેલા છે. સારસ્વત જાતી બ્રામ્હણોની ઉચ્ચ જાતી ગણાય છે. કાશ્મીરી બ્રાહ્મણોઍ કળા, સાહિત્ય, અને સંગીતમા સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. સંસ્કૃતના ઘણા મહાન ગ્રન્થો કાશ્મીરની  જ દેણ છે. કાશ્મીરની આબુહવા ઍવી ખુશનુમા છેકે કળા, સાહિત્ય, અને સંગીતને  પ્રોત્સાહિત કરે છે. આવા પ્રદેશની ભારતની સ્વતંત્રતા પછી પનોતી બેઠી છે. પહેલા પાકિસ્તાની આક્રમણ અને પછી કોંમીદાવાનણે  કાશ્મીરની શાંતિને હણી લીધી છે.

                            કાશ્મીરમા મુસ્લિમો બહુમતિમા છે અને હિન્દુઓ લઘુમતિમા છે, ઍનો લાભ લઈને મુસ્લિમોઍ હિન્દુ બ્રાહ્મણોને હેરાન પરેશાન કરી ખીણમાથી ૨૫ વર્ષ પહેલા હાકી કાઢ્યા હ્તા. આથી ૩૫૦૦૦૦ જેટલા  નિર્વાસિત તરીકે  ખરાબ હાલતમા જમ્મૂ અને દિલ્હી ખાતે સરકારી કેમ્પોમા રહે છે. ઍમને ઠેકાણે પાડવા માટે ભારત સરકાર કટિબધ્ધ થઈ છે પરન્તુ  જમ્મૂ કાશ્મીર સરકારના કોમવાદી  કાશ્મીરીતત્વો હવે રાજકીય રમતો રમી રહયા છે. ઍ ઘરબાર વગરના લોકોને માટે ઘરો બાંધી આપવાના  ભારત સરકારના પ્રયત્નોનો વિરોધ ચાલુ થઈ ગયો છે.


                             ઍમને ક્યા પુર્નવાસિત કરવા ઍ મુદ્દાને વિવાસ્પદ બનાવવામા આવી રહ્યો છે.   ઍમના  જૂના ઘરોનો નાશ થઈ ગયેલો છે, આથી ઍમના માટે નવી કૉલોની બાંધવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઍથી નવી કોલોનીનો મુદ્દો બંનાવી પ્રશ્નને  વિલંબમા નાખવાનો પ્રયત્ન થઈ રહયો છે. પરંતુ ભારત સરકાર અને ભારતીય નાગરિકોની ફર્જ છેકે આપણા દેશજનોને ઍના ઘરો, હક્કો,  અને જમીનો . કાશ્મીરમા પરત આપાવવી. આપણા જ દેશમા આપણા નાગરિકોને થતો અન્યાય સહન  ન કરી શકાય.
                                      *************************************************

Saturday, April 4, 2015

મોદી સરકારની  બેધારી નીતિ
                                                                                                                                                       
                                 મોદીની નીતિ  ઍમના  કહેવા પ્રમાણે' વિકાસ, અને   સહકાર દ્વારા દેશનુ નવનિર્માણ કરવાનો છે' ઍની સામે  કોઈને વાંધો ન હોઈ શકે.  દેશનો વિકાસ પણ દેશના બધા જ નાગરિકો વગર શક્ય નથી, પરંતુ મુશ્કેલી ઍ છેકે ઍના પાર્ટીના કેટલાક સભ્યોના ઉચ્ચારણો ઍમની કહેવાતી નીતીની સામે  જાય છે.  તે ઉપરાંત મોદી ઍમને રોકી શકતા નથી, કે સ્પષ્ટતાથી રદીયો પણ આપતા નથી. ઍ નીતીની બાબતમા વધુને વધુ ગુચવાડાઑ ઉભા થતા જાય છે અને  સરકારની છબી બગડ્તી જાય છે.
                                  પહેલા નિરંજના, પછી સાક્ષી મહારાજ અને હવે ગિરિરાજ સિંગના છબરડાઑ  ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઉંઘ ઉડાડી દીધી છે કારણ  હજુ બિહાર અને ઉત્તર પ્રદેશના વિધાન સભાની ચુંટિણીઓ બાકી છે જ્યા પછાત અને મુસ્લિમ વોટો 'બીજેપી' માટે અગત્યતા ધરાવે છે. પાર્ટી સભ્યોના  ઍલફેલ, અને મહિલાઓ વિરોધી  જુનવાણી વિચારો પાર્ટીને નુકસાન પહોચાડી શકે છે. તે છતા ઍવા નિવેદનઓને રોકવા અત્યાર સુધી 'બીજેપી' નિષ્ફળ નીવડી છે.

                                    ઍનુ વિવરણ કરતા લાગે કે  ઍની પાછળ રાષ્ટ્રિય સેવક સંઘના પરિબળો પણ. હોઈ શકે. નરેન્દ્ર  મોદીની પસંદગીમા પણ 'આરઍસઍસ' ઍ અગત્યનો ભાગ ભજવ્યો છે. મોદીના પ્રધાન મંડળમા પણ ઍવા પ્રધાનો છે જે 'આરઍસઍસ' સાથે ગાઢ સબન્ધ ધરાવતા હતા.  આથી માનવામા આવે છે કે ઍવા તત્વો હિદુત્વને લગતા આવેદનો કરી રહ્યા છે.  આથી ઍક વાત ચોક્કસ  છેકે ક્યાતો પાર્ટીઍ અમુક વિવાસ્પદ નિવેદનો કરતા તત્વો પર કાબૂ  ગુમાવી દીધો છે અથવાતો  ઍ લોકો પાર્ટીિના  ઢાંકેલા કાર્યક્રમના મોહારાઓ છે.

                                    ' આરઍસઍસ' કહે છેકે ઍને રાજકારણ સાથે  કોઈ લેવા દેવાનથી. ઍનીસામે વાંધો નથી પરંતુ  'બીજેપી' ઍ  ઍનો કાર્યક્રમ સ્પષ્ટ કરવો જોઈઍ. ઍ નહી કરવામા આવે તો  ઍનો અર્થ ઍ પણ નિકળસે કે 'બીજેપી' સારા દેશમા ઍની આણની રાહ જોઈ રહી છે, જેથી ઍના હિન્ડુત્વના કાર્યક્રમો અમલમા મૂકી શકાય.
                                       લોકશાહીમા બહુમતી લોકોની ઈચ્છા પ્રમાણે  કાર્યક્રમો ગોઠવી શકાય પરંતુ  નીતીની બાબતમા સ્પષ્ટતા હોવી જરૂરી છે, અનેઍના માટે હિમ્મત બતાવવી પણ આવશ્યક છે ઍના માટેની આ રજૂઆત છે.
                                            ****************************************